Thursday, November 27, 2014
એન.આર.આઇ.ના સ્વપ્નનું ભારત
પ્રચારસમ્રાટ વડાપ્રધાન મનોરંજન ક્ષેત્રે વિશ્વવિજયના મૂડમાં લાગે છે. અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મોટા પાયાના મનોરંજક કાર્યક્રમો જ્યાં યોજાય છે, એવાં સ્થળોએ તેમની સભાઓ થઇ. તેમાં બિનનિવાસી ભારતીયો - એન.આર.આઇ.- ઉમટી પડ્યા. કાંકરિયામાં બાળકોના મનોરંજન માટે ‘અટલ એક્સપ્રેસ’ ટ્રેન ચાલે છે. ઓસ્ટ્રેલિયામાં ‘મોદી એક્સપ્રેસ’ ટ્રેન દોડાવવામાં આવી. પહેલાં ફક્ત ગુજરાતમાં સરકારની યોજનાઓથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની તસવીરો ને નામ જોવા મળતાં હતાં. હવે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાનના મનોરંજન કાર્યક્રમો નિમિત્તે અપાતા ભૂંસા-ચવાણા સાથે પણ તેમનું નામ જોડી દેવામાં આવે છે (‘મોદીમિક્સ’). એમ કરવાથી ભૂંસાનું બહુમાન થયું ગણાય કે વડાપ્રધાનનું, એ વિશે તેમના ચાહકોમાં ગંભીર મતભેદ છે. આખી વાતમાં વડાપ્રધાનનું (કે ભૂંસાનું) બહુમાન થાય કે અવમૂલ્યન, એ અંગે પણ કેટલાકનેે શંકા છે.
અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મુગ્ધ મેદની સમક્ષ વડાપ્રધાને ‘તમારા સ્વપ્નનું ભારત’ બનાવવાનો વાયદો આપ્યો. સરકાર જેમને સગવડે એન.આર.આઇ., તો મન ફાવે ત્યારે ‘સ્વચ્છતાપ્રેમી’ તરીકે ખપાવી દે છે એવા ગાંધીજીએ ‘મારા સ્વપ્નનું ભારત’ આલેખ્યું હતું. (નોંધ : તેમનું સ્વપ્ન ભારતના વડાપ્રધાન બનવાનું ન હતું.) વડાપ્રધાન વિદેશોમાં તેમના મનોરંજન કાર્યક્રમમાં ‘તમારા સ્વપ્નનું ભારત’ કહે, ત્યારે એન.આર.આઇ. જનતાથી ભરેલો હોલ હર્ષનાદથી ગુંજી ઉઠે છે. અહીં બેઠાં બેઠાં અહેવાલ વાંચનારને તો એવું જ લાગે કે સભા પૂરી થયા પછી બહાર નીકળીને તરત અમેરિકા (કે ઓસ્ટ્રેલિયા)નાં ગ્રીન કાર્ડ-સિટિઝનશીપની હોળીનો કાર્યક્રમ થયો હશે.
ભારતીયોની માફક એન.આર.આઇ.ના અનેક પ્રકારભેદ છે. તેમાંથી બધા નહીં, પણ બહુમતી વર્ગના ‘સ્વપ્નું ભારત’ એટલે શું? એ કેવું હોય? તેમાં શું હોય? એ વિશે કાલ્પનિક છતાં પૂરેપૂરો વાસ્તવિકતા આધારિત એક સંવાદ.
સ : કેમ છો?
જ : ઑરાઇટ. જેશીક્રષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર.
સ : તમે તો બહુ ધાર્મિક. કહેવું પડે.
જ : અઠવાડિયે એક જ વાર અને એ પણ ઘરે રાંધ્યા વિના ગુજરાતી ભોજન તૈયાર મળતું હોય તો ધાર્મિક થવામાં શું જાય છે? પણ તમને દેશી લોકોને અમારો સંઘર્ષ નહીં સમજાય. વડાપ્રધાન જેવા કોઇક જ એ સમજી શકે.
સ : કયો સંઘર્ષ? તૈયાર ભાણે જમવાનો? કે મંદિરમાંથી મળતા લાભને દેશપ્રેમ, સંસ્કૃતિ જેવી ભવ્ય બાબતો સાથે સાંકળવાનો?
જ : તમારો પ્રોબ્લેમ શો છે? અમે સમજી શકીએ છીએ કે તમને અમારી ઇર્ષ્યા આવતી હશે, પણ, વૅલ, એમાં તો...
સ : પ્રોબ્લેમનું લીસ્ટ તો લાંબું છે ને તે અમારા પ્રોબ્લેમનું છે કે તમારા, એ નક્કી કરવાનું અઘરું પડશે. એ વાત છોડો. આપણે તમારા સ્વપ્નના ભારત વિશે વાત કરીએ.
જ : વાઉ. મારા સ્વપ્નનું ભારત. મને બહુ જ ગમે છે. ભારત મારો દેશ છે. હું ભારતને ચાહું છું...
સ : એ તો તમે ભણતા હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આગળ પ્રતિજ્ઞામાં આવતું હતું.
જ : આઇ નો. અને શું અમારી સ્કૂલ, મારા ક્લાસમેટ્સ, ઘરેથી ઉઘાડા પગે દોટ કાઢીને અમે સ્કૂલે પહોંચી જતા હતા.
સ : હા, પણ એ તો નોસ્ટાલ્જિયા થયો. અતીતરાગ. આપણે ભવિષ્યરાગની વાત કરવાની છે. તમારા સ્વપ્નનું ભારત...
જ : કરેક્ટ. મારા સ્વપ્નનું ભારત. પહેલી વાત કહું તો, એમાં કોઇને અમેરિકા નહીં આવવું પડે...
સ : એ તો તમારા સ્વપ્નના અમેરિકાની વાત થઇ. કારણ કે ત્યારે પણ તમે તો અમેરિકામાં જ હોવાના.
જ : (ગુંચવાઇને) હા એટલે ના, પણ...હું એમ કહેવા માગતો હતો કે બધા પોતાના ગામમાં જ રહેતા હશે. પાડોશીઓ સાથે વાટકીવ્યવહાર ચાલતો હશે. છોકરાં કમ્પ્યુટર પર ‘ટેમ્પલ રન’ કે ‘એન્ગ્રી બર્ડ’ નહીં, શેરીઓમાં ગિલ્લીદંડા-લખોટીઓ રમતાં હશે, લોકો ફેસબુક-વોટ્સેપ પર નહીં, ઓટલા પર પંચાત કરતા હશે, આપણી સંસ્કૃતિની એટલી ઉન્નતિ થઇ હશે કે ફળિયામાં ઝગડો થાય ત્યારે લોકો ગાળો પણ સંસ્કૃતમાં બોલતાં હશે, વર્ષમાંથી છ મહિના જ્ઞાતિભોજનો થતાં હશે, આપણી સંસ્કૃતિના ઉત્કર્ષનો અભ્યાસ કરવા માટે અમેરિકાથી ધોળિયાઓ ગુજરાતી-હિંદી-સંસ્કૃત શીખીને ભારતના વિઝા માટે અપ્લાય કરતા હશે ને અમારી ભલામણો શોધવા આવતા હશે...અને અમે ભારત આવીએ ત્યારે સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવતાઓ જેવાં માનપાન અમને મળતાં હશે.
સઃ પણ ભારતની સમસ્યાઓ વિશે તમારું શું દર્શન છે?
જ : દર્શન? ઑફ કોર્સ. દરેક માણસ ગામના મંદિરે સવાર-સાંજ નિયમિત દર્શન કરવા જતો હશે. ભારતને અમેરિકા જેવું બનાવવાનો શોર્ટેસ્ટ કટ એ જ છે : ટેમ્પલ-બેઝ્ડ કલ્ચર, સોસાયટી એન્ડ ઇકોનૉમી.
સ : એટલે?
જ : તમે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સની વાત કરી ને? દેશમાં બેકારીનો મોટો પ્રોબ્લેમ છે. બિલિયન પીપલ માટે સરકાર પણ બિચારી શું કરે? એટલે દરેક ગામમાં ગોચરની જમીન પર એક મોટું મંદિર હોય.
સ : પણ ગોચરની જમીન તો હોવી જોઇએ ને...બધી જમીનનો વહીવટ- સૉરી, ‘વિકાસ’- થઇ ગયો હોય તો?
જ : નો ઇશ્યુઝ. ગામમાં ક્યાંય ન મળે તો ઝુંપડાં તોડીને પણ એક મંદિર ઊભું કરી દેવાનું. વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડે. તમારે તો મંદિર માટે ફક્ત ઇચ્છા વ્યક્ત કરવાની. પોતાની ફ્રેન્ચાઇઝ ખોલવા માટે ‘એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ’ દેખાડનારા ઘણા સંપ્રદાય મળી જશે. એમને એક્સાપાન્શન કરવું હશે. (ખભો ઉલાળીને) ફાઇન. તમને શું પ્રોબ્લેમ છે? તમારે એટલું ગોઠવી દેવાનું કે ગામમાં જે લોકો પાસે કામ ન હોય એ બધા મંદિરમાં સવાર-સાંજ સેવા આપવા જાય અને એ બધાને મંદિરમાંથી મફત ગુજરાતી ભોજન મળે...એકદમ અમેરિકન સીસ્ટમ...
સ : બીજી કઇ અમેરિકન સીસ્ટમ તમે ભારતમાં દાખલ કરવા માગો છો?
જ : અમારે ત્યાં અમેરિકામાં કારિયાઓનો (બ્લેક લોકોનો) બહુ ત્રાસ છે, પણ કાયદા એવા ખરાબ છે કે પોલીસ કાચું કાપે ને પેલો ‘સૂ’ કરે તો કોર્ટમાં સરકારને ભારે પડી જાય. સમાનતા, સિવિલ લિબર્ટીઝ ને એફર્મેટિવ એક્શન ને એવા બધા વાયડા કાયદા અમેરિકામાં ભલે રહ્યા. ત્યાં આપણા ઇન્ડિયનો માટે પણ એ કામના છે. કારણ કે ઘણા ધોરીયા બોલે ભલે નહીં, પણ હજુ આપણને કારીયા જ ગણે છે.
સ : અને તમે જેમને કાળીયા ગણો છો...
જ : એ તો કારીયા જ હોય તો તેમને બીજું શું કહે?
સ : ઓકે, પણ તમે કહેેવા શું માગો છો?
જ : એ જ કે ભવિષ્યમાં સુપરપાવર બનવાની લ્હાયમાં આવા બધા હ્યુમન રાઇટ્સ ને સિવિલ લીબર્ટીના કાયદા ઇન્ડિયામાં ઘાલવાની જરૂર નથી. અમેરિકામાં તો આવા કાયદા ઇન્ડિયનો માટે કામના છે, પણ ઇન્ડિયામાં તો બધા ઇન્ડિયન્સ જ છે. પછી ત્યાં કોના માટે આવા કાયદા રાખવાના?
સ : તમારું ચિંતન બહુ ગહન છે. તમારા સ્વપ્નનું ભારત બનાવવા માગતા વડાપ્રધાનશ્રીને તમે આ મુલાકાત દ્વારા કોઇ સંદેશો પહોંચાડવા માગો છો?
(અચાનક પાછળથી કોઇ માથાફરેલ એન.આર.આઇ. આવીને કહે છે) : હા, અમારું સ્વપ્નું પૂરું થાય, પછી અમને જગાડજો.
(બન્ને એન.આર.આઇ. એકબીજા સામે પ્રશ્નાર્થસૂચક નજરે જુએ છે અને કાતરિયાં ખાય છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ નહીં, ‘મોદીમિક્સ’ તરીકે ઓળખાતા ચવાણાનો વરસાદ થાય છે અને ઇન્ટરવ્યુનો અંત આવે છે)
અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મુગ્ધ મેદની સમક્ષ વડાપ્રધાને ‘તમારા સ્વપ્નનું ભારત’ બનાવવાનો વાયદો આપ્યો. સરકાર જેમને સગવડે એન.આર.આઇ., તો મન ફાવે ત્યારે ‘સ્વચ્છતાપ્રેમી’ તરીકે ખપાવી દે છે એવા ગાંધીજીએ ‘મારા સ્વપ્નનું ભારત’ આલેખ્યું હતું. (નોંધ : તેમનું સ્વપ્ન ભારતના વડાપ્રધાન બનવાનું ન હતું.) વડાપ્રધાન વિદેશોમાં તેમના મનોરંજન કાર્યક્રમમાં ‘તમારા સ્વપ્નનું ભારત’ કહે, ત્યારે એન.આર.આઇ. જનતાથી ભરેલો હોલ હર્ષનાદથી ગુંજી ઉઠે છે. અહીં બેઠાં બેઠાં અહેવાલ વાંચનારને તો એવું જ લાગે કે સભા પૂરી થયા પછી બહાર નીકળીને તરત અમેરિકા (કે ઓસ્ટ્રેલિયા)નાં ગ્રીન કાર્ડ-સિટિઝનશીપની હોળીનો કાર્યક્રમ થયો હશે.
ભારતીયોની માફક એન.આર.આઇ.ના અનેક પ્રકારભેદ છે. તેમાંથી બધા નહીં, પણ બહુમતી વર્ગના ‘સ્વપ્નું ભારત’ એટલે શું? એ કેવું હોય? તેમાં શું હોય? એ વિશે કાલ્પનિક છતાં પૂરેપૂરો વાસ્તવિકતા આધારિત એક સંવાદ.
સ : કેમ છો?
જ : ઑરાઇટ. જેશીક્રષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર.
સ : તમે તો બહુ ધાર્મિક. કહેવું પડે.
જ : અઠવાડિયે એક જ વાર અને એ પણ ઘરે રાંધ્યા વિના ગુજરાતી ભોજન તૈયાર મળતું હોય તો ધાર્મિક થવામાં શું જાય છે? પણ તમને દેશી લોકોને અમારો સંઘર્ષ નહીં સમજાય. વડાપ્રધાન જેવા કોઇક જ એ સમજી શકે.
સ : કયો સંઘર્ષ? તૈયાર ભાણે જમવાનો? કે મંદિરમાંથી મળતા લાભને દેશપ્રેમ, સંસ્કૃતિ જેવી ભવ્ય બાબતો સાથે સાંકળવાનો?
જ : તમારો પ્રોબ્લેમ શો છે? અમે સમજી શકીએ છીએ કે તમને અમારી ઇર્ષ્યા આવતી હશે, પણ, વૅલ, એમાં તો...
સ : પ્રોબ્લેમનું લીસ્ટ તો લાંબું છે ને તે અમારા પ્રોબ્લેમનું છે કે તમારા, એ નક્કી કરવાનું અઘરું પડશે. એ વાત છોડો. આપણે તમારા સ્વપ્નના ભારત વિશે વાત કરીએ.
જ : વાઉ. મારા સ્વપ્નનું ભારત. મને બહુ જ ગમે છે. ભારત મારો દેશ છે. હું ભારતને ચાહું છું...
સ : એ તો તમે ભણતા હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આગળ પ્રતિજ્ઞામાં આવતું હતું.
જ : આઇ નો. અને શું અમારી સ્કૂલ, મારા ક્લાસમેટ્સ, ઘરેથી ઉઘાડા પગે દોટ કાઢીને અમે સ્કૂલે પહોંચી જતા હતા.
સ : હા, પણ એ તો નોસ્ટાલ્જિયા થયો. અતીતરાગ. આપણે ભવિષ્યરાગની વાત કરવાની છે. તમારા સ્વપ્નનું ભારત...
જ : કરેક્ટ. મારા સ્વપ્નનું ભારત. પહેલી વાત કહું તો, એમાં કોઇને અમેરિકા નહીં આવવું પડે...
સ : એ તો તમારા સ્વપ્નના અમેરિકાની વાત થઇ. કારણ કે ત્યારે પણ તમે તો અમેરિકામાં જ હોવાના.
જ : (ગુંચવાઇને) હા એટલે ના, પણ...હું એમ કહેવા માગતો હતો કે બધા પોતાના ગામમાં જ રહેતા હશે. પાડોશીઓ સાથે વાટકીવ્યવહાર ચાલતો હશે. છોકરાં કમ્પ્યુટર પર ‘ટેમ્પલ રન’ કે ‘એન્ગ્રી બર્ડ’ નહીં, શેરીઓમાં ગિલ્લીદંડા-લખોટીઓ રમતાં હશે, લોકો ફેસબુક-વોટ્સેપ પર નહીં, ઓટલા પર પંચાત કરતા હશે, આપણી સંસ્કૃતિની એટલી ઉન્નતિ થઇ હશે કે ફળિયામાં ઝગડો થાય ત્યારે લોકો ગાળો પણ સંસ્કૃતમાં બોલતાં હશે, વર્ષમાંથી છ મહિના જ્ઞાતિભોજનો થતાં હશે, આપણી સંસ્કૃતિના ઉત્કર્ષનો અભ્યાસ કરવા માટે અમેરિકાથી ધોળિયાઓ ગુજરાતી-હિંદી-સંસ્કૃત શીખીને ભારતના વિઝા માટે અપ્લાય કરતા હશે ને અમારી ભલામણો શોધવા આવતા હશે...અને અમે ભારત આવીએ ત્યારે સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવતાઓ જેવાં માનપાન અમને મળતાં હશે.
સઃ પણ ભારતની સમસ્યાઓ વિશે તમારું શું દર્શન છે?
જ : દર્શન? ઑફ કોર્સ. દરેક માણસ ગામના મંદિરે સવાર-સાંજ નિયમિત દર્શન કરવા જતો હશે. ભારતને અમેરિકા જેવું બનાવવાનો શોર્ટેસ્ટ કટ એ જ છે : ટેમ્પલ-બેઝ્ડ કલ્ચર, સોસાયટી એન્ડ ઇકોનૉમી.
સ : એટલે?
જ : તમે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સની વાત કરી ને? દેશમાં બેકારીનો મોટો પ્રોબ્લેમ છે. બિલિયન પીપલ માટે સરકાર પણ બિચારી શું કરે? એટલે દરેક ગામમાં ગોચરની જમીન પર એક મોટું મંદિર હોય.
સ : પણ ગોચરની જમીન તો હોવી જોઇએ ને...બધી જમીનનો વહીવટ- સૉરી, ‘વિકાસ’- થઇ ગયો હોય તો?
જ : નો ઇશ્યુઝ. ગામમાં ક્યાંય ન મળે તો ઝુંપડાં તોડીને પણ એક મંદિર ઊભું કરી દેવાનું. વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડે. તમારે તો મંદિર માટે ફક્ત ઇચ્છા વ્યક્ત કરવાની. પોતાની ફ્રેન્ચાઇઝ ખોલવા માટે ‘એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ’ દેખાડનારા ઘણા સંપ્રદાય મળી જશે. એમને એક્સાપાન્શન કરવું હશે. (ખભો ઉલાળીને) ફાઇન. તમને શું પ્રોબ્લેમ છે? તમારે એટલું ગોઠવી દેવાનું કે ગામમાં જે લોકો પાસે કામ ન હોય એ બધા મંદિરમાં સવાર-સાંજ સેવા આપવા જાય અને એ બધાને મંદિરમાંથી મફત ગુજરાતી ભોજન મળે...એકદમ અમેરિકન સીસ્ટમ...
સ : બીજી કઇ અમેરિકન સીસ્ટમ તમે ભારતમાં દાખલ કરવા માગો છો?
જ : અમારે ત્યાં અમેરિકામાં કારિયાઓનો (બ્લેક લોકોનો) બહુ ત્રાસ છે, પણ કાયદા એવા ખરાબ છે કે પોલીસ કાચું કાપે ને પેલો ‘સૂ’ કરે તો કોર્ટમાં સરકારને ભારે પડી જાય. સમાનતા, સિવિલ લિબર્ટીઝ ને એફર્મેટિવ એક્શન ને એવા બધા વાયડા કાયદા અમેરિકામાં ભલે રહ્યા. ત્યાં આપણા ઇન્ડિયનો માટે પણ એ કામના છે. કારણ કે ઘણા ધોરીયા બોલે ભલે નહીં, પણ હજુ આપણને કારીયા જ ગણે છે.
સ : અને તમે જેમને કાળીયા ગણો છો...
જ : એ તો કારીયા જ હોય તો તેમને બીજું શું કહે?
સ : ઓકે, પણ તમે કહેેવા શું માગો છો?
જ : એ જ કે ભવિષ્યમાં સુપરપાવર બનવાની લ્હાયમાં આવા બધા હ્યુમન રાઇટ્સ ને સિવિલ લીબર્ટીના કાયદા ઇન્ડિયામાં ઘાલવાની જરૂર નથી. અમેરિકામાં તો આવા કાયદા ઇન્ડિયનો માટે કામના છે, પણ ઇન્ડિયામાં તો બધા ઇન્ડિયન્સ જ છે. પછી ત્યાં કોના માટે આવા કાયદા રાખવાના?
સ : તમારું ચિંતન બહુ ગહન છે. તમારા સ્વપ્નનું ભારત બનાવવા માગતા વડાપ્રધાનશ્રીને તમે આ મુલાકાત દ્વારા કોઇ સંદેશો પહોંચાડવા માગો છો?
(અચાનક પાછળથી કોઇ માથાફરેલ એન.આર.આઇ. આવીને કહે છે) : હા, અમારું સ્વપ્નું પૂરું થાય, પછી અમને જગાડજો.
(બન્ને એન.આર.આઇ. એકબીજા સામે પ્રશ્નાર્થસૂચક નજરે જુએ છે અને કાતરિયાં ખાય છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ નહીં, ‘મોદીમિક્સ’ તરીકે ઓળખાતા ચવાણાનો વરસાદ થાય છે અને ઇન્ટરવ્યુનો અંત આવે છે)
Labels:
Narendra Modi/નરેન્દ્ર મોદી,
NRI
Tuesday, November 25, 2014
ખોટું કરવાનો ‘અધિકાર’
‘દીવાર’માં અમિતાભ બચ્ચન શશિ કપૂરને ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’ એમ કહીને કુટુંબ સાથે થયેલા અન્યાયની આખી યાદી સંભળાવે છે, ત્યારે દર્શકો પણ મનોમન અમિતાભ સાથે સંમત થઇ જાય છે. પછી નાનો ભાઇ શશિ કપૂર સાવ સાદું સત્ય સમજાવે છે. તેના શબ્દો જુદા હશે, પણ સાર આ છે :
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...
છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.
સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.
જાતે વિચારો
ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા. દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?
પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’
ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.
વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?
આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.
‘તમે’ નહીં, ‘આપણે’
રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...
છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’
ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?
આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.
રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.
દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે.
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...
છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.
સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.
જાતે વિચારો
ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા. દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?
પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’
ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.
વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?
આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.
‘તમે’ નહીં, ‘આપણે’
રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...
છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’
ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?
આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.
રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.
દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે.
Labels:
baba ramdev,
film/ફિલ્મ,
politics,
religion
Friday, November 21, 2014
‘કાળું નાણું’ નહીં, જય શ્યામલક્ષ્મી માતા
નવી સરકારનું ખાતું સમજાતું નથી : એક તરફ એ દેશમાં ગરીબમાં ગરીબ લોકોનાં બેન્કખાતાં ઉઘાડવા માટે ‘જનધન’ યોજના જાહેર કરે છે, તો બીજી તરફ જે ખાતાં ઑલરેડી ખુલી ચૂકેલાં છે- ભલે ને તે સ્વિસ બેન્કમાં ખુલેલાં હોય- તેને બંધ કરવાની ફિરાકમાં છે. સરકારી ‘જનધન યોજના’નું સૂત્ર છે : ‘આપકા ખાતા ભાગ્યવિધાતા’. હિંદી ભાષાનું ખપજોગું અથવા વ્યવહારુ જ્ઞાન ધરાવતા ઘણા લોકોને આ સૂત્રથી ગેરસમજ થાય છે. તેમને લાગે છે કે સરકાર તેમને ચેતવણી આપી રહી છે : ‘સંભાળજો, તમારાા ભાગ્યવિધાતા હોવાનો દાવો કરનારા લોકો જ (તમારું ધન) ખાઇ રહ્યા છે.’
સવાલ એ છે કે સ્વિસ બેન્કનાં ખાતાં રહેલું ધન પણ ‘જનધન’ નથી તો શું ‘પશુધન’ છે? કેટલાક ચોખલિયા એને ‘પરજનધન’ કે ‘પરધન’ ગણી શકે, પરંતુ તાત્ત્વિક રીતે બઘું નાણું બીજાનું (એટલે કે સરકારી) નથી હોતું? ભલભલા ચુસ્ત ગાંધીવાદી પણ એમ ન કહી શકે કે ‘હું તો સ્વાવલંબન-સ્વાશ્રયમાં માનું છું. રોજ ચરખા પર પાંચસો-પાંચસોની ખાદીની નોટો કાંતું નહીં ત્યાં સુધી સૂતો નથી.’
‘બધા માણસ એક જ કુદરતનાં સંતાન હોય તો તેમાં કાળા-ધોળાના ભેદ શા માટે?’ એવો સવાલ શાણા લોકો અવારનવાર પૂછતા હોય છે. પરંતુ નાણાંની વાત આવે એટલે, બીજી ઘણી ભાવનાઓની જેમ, સમાનતાની ભાવના પણ લોકોના મનમાંથી વરાળ થઇને ઉડી જાય છે. ‘રીઝર્વ બેન્ક જ નાણાં છાપતી હોય તો તેમાં કાળાં શું ને ધોળાં શું?’ આવો મૂળભૂત સમાનતાલક્ષી સવાલ લોકોને થતો નથી. ઊલટું, આવી સમદૃષ્ટિ ધરાવનારા લોકોને તે જાહેરમાં તુચ્છકારથી (અને મનમાં અહોભાવથી) જુએ છે.
નાણાંને જ્યાં લક્ષ્મી ગણવામાં આવે છે, એ સંસ્કૃતિમાં નાણાંનો તુચ્છકાર થાય અને એ પણ કેવળ તેના રંગને કારણે, એમાં સંસ્કૃતિનું હળાહળ અપમાન છે. ફિલ્મો અને કળાકૃતિઓના મામલે ‘સંસ્કૃતિ પર હુમલો’ના બહાને ગુંડાગીરી કરવા ઉતરી પડતી પ્રજાએ ખરેખર તો કાળાં નાણાંના સંરક્ષણ માટે મેદાને ઉતરવું જોઇએ અને ‘શ્યામલક્ષ્મીસંરક્ષણ દળ’ કે ‘અખિલ ભારતીય કૃષ્ણલક્ષ્મીસંરક્ષક સેના’ જેવું કોઇ સંગઠન ઊભું કરવું જોઇએ. આ સંગઠનના લોકોએ કોંગ્રેસ સાથે જોડાવું કે ભાજપ સાથે કે પછી બિનરાજકીય રહીને તમામ રાજકીય પક્ષોને સેવા આપવી, એ સંસ્થાપકોએ નક્કી કરવાનું રહે. પણ તેમને કદી કામની અને ઑર્ડરની ખોટ નહીં પડે એટલું અવશ્ય કહી શકાય.
નવરચિત સંગઠનનું મુખ્ય કામ સૌથી પહેલાં તો લોકોને એ સમજાવવાનું રહેશે કે ‘ખબરદાર, જો કોઇએ ‘શ્યામલક્ષ્મી’ માટે કાળાં નાણાં જેવો અપમાનજનક શબ્દપ્રયોગ વાપર્યો છે તો. અમે એવો વિરોધ કરીશું કે ભારત છોડીને કાયમ માટે દુબઇ જતા રહેવાનો વારો આવશે.’ કર્મઠ કાર્યકરોને આ ધમકી મોળી કે ભવિષ્યલક્ષી લાગવાનો સંભવ છે. તેમના હાથમાં આવતી ખંજવાળ સંપૂર્ણપણે વર્તમાનકાળની હોય ત્યારે ભવિષ્યની રાહ કોણ જુએ? તેમના લાભાર્થે એવાં આયોજન પણ કરી શકાય કે ‘જે પ્રસાર માઘ્યમો શ્યામલક્ષ્મીનો ઉલ્લેખ ‘કાળાં નાણાં’ તરીકે કરશે તેમની ઑફિસની સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.’ તેમાં માઘ્યમના કર્તાહર્તાઓની શ્યામલક્ષ્મીની વિગતો જાહેર કરવાથી માંડીને ઑફિસમાં ધૂસી જઇને તોડફોડ કરવા સુધીની બાબતો સમાવિષ્ટ હોઇ શકે. ‘જે લોકો જાહેરમાં ‘કાળાં નાણાં’ જેવા સંસ્કૃતિઘાતી શબ્દોનો પ્રયોગ કરશે, તેમની હાલત રામાયણ-મહાભારત વિશે સંશોધનપૂર્વક ગ્રંથો લખનારા વિદ્વાનો જેવી કે કળા દ્વારા મુક્ત અભિવ્યક્તિ કરનારા કલાકારો જેવી થશે. તેમને જાહેરમાં સંસ્કૃતિદ્રોહી તરીકે ચીતરીને ધીક્કારપાત્ર બનાવી દેવામાં આવશે.’ - એવું પણ જાહેર કરી શકાય.
આ વર્ણનમાં જેમને અતિશયોક્તિ લાગતી હોય તેમને યાદ કરાવવાનું કે સંસ્કૃતિદ્રોહના નામે આ બધા પ્રકારની ગુંડાગીરી થઇ ચૂકી છે. તેમાં કશું કાલ્પનિક નથી, તો પછી સંસ્કૃતિની વ્યાખ્યામાં વહેરોઆંતરો શા માટે? સીતાનું કે સરસ્વતીનું ‘અપમાન’ આપણને આટલું ખટકતું હોય, તો લક્ષ્મીનું શા માટે નહીં? ફક્ત એટલા માટે કે તે શ્યામ છે? શ્યામને લઇને કવિતાઓ ને કવિતડાંનો વરસાદ વરસાવનારી અને તેને હોંશે હોંશે ઝીલનારી સંસ્કૃતિમાં શ્યામ રંગ પ્રત્યે આટલો દ્વેષભાવ કે ઉપેક્ષાભાવ કેમ?
એક વાર શ્યામલક્ષ્મીને બળુકું સંરક્ષણ મળવાની શરૂઆત થઇ જાય, એટલે સૌથી મોટો ફાયદો એ થશે કે દેશમાંથી કાળા નાણાંની સમસ્યા દૂર થઇ જશે. ના, કાળું નાણું દૂર નહીં થાય, પણ તેને સમસ્યા ગણીને શરમાવાને બદલે તેને સંસ્કૃતિ ગણીને હરખાવા માટે લોકો પ્રેરાશે. આફતને અવસરમાં પલટાવવાના અગાઉ આવા ઘણા પ્રયોગ સફળતાપૂર્વક થઇ ચૂક્યા છે, તો એક પ્રયોગ ઓર સહી.
કાળા નાણાંને પ્રતિષ્ઠા અપાવવી એ સંસ્કૃતિકાર્ય છે, એવી પ્રતિજ્ઞા લીધા પછી સૌથી પહેલાં તો એકાદ પુરાણનો હવાલો આપીને લક્ષ્મીજીના શ્યામસ્વરૂપ વિશેની કથા શોધી કાઢવી જરૂરી છે. જેમ કે, લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનથી ખાનગીમાં થોડાં ઘરેણાં મૂકી રાખ્યાં હોય. એક દિવસ નારદમુનિ આવે અને વિષ્ણુ ભગવાનની મશ્કરી કરતાં કહે કે ‘માણસો તો ઇન્કમટેક્સવાળાથી ઘરેણાં છુપાવે છે, પણ પ્રભુ, તમે ઘરેણાં કોનાથી સંતાડ્યાં છે?’ વિષ્ણુ ભગવાન આરોપનો ઇન્કાર કરે. નારદજી તેમને અમુકતમુક જગ્યાએ જોવાનું કહે અને ત્યાંથી સંતાડેલાં ઘરેણાં નીકળે એટલે વિષ્ણુ ભગવાન નારાજ થાય. એ જ વખતે લક્ષ્મીજીનો પ્રવેશ થાય, વિષ્ણુ ભગવાન ઘડીકમાં ઘરેણાંની, તો ઘડીકમાં લક્ષ્મીજીની સામે ગુસ્સાથી જુએ. કચવાટથી લક્ષ્મીજીનો રંગ શ્યામ પડી જાય. ઘરેણાં છુપાવવા પાછળ સંસારહિતની કઇ લાગણી કામ કરતી હતી એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને સમજાવે, એટલે મામલો થાળે પડી જાય, પણ લક્ષ્મીજીનું એ વખતનું સ્વરૂપ શ્યામલક્ષ્મી તરીકે પ્રચલિત બને.
પૌરાણિક કથા પછીનું બીજું પગથિયું તેમને એક વાર ફાળવી દેવાનું છે. સંતોષીમાનો શુક્રવાર એમ શ્યામલક્ષ્મીમાતાનો રવિવાર. કારણ કે તેમના ભક્તો અઠવાડિયામાં છ દિવસ તો કામ કરતા હોય. બીજું કારણ એ કે શ્યામલક્ષ્મીનાં અસલી મંદિર જેવી કેટલીક સ્વિસ બેન્કો રવિવારે પણ ખુલ્લી હોય છે. પછી રહ્યું શ્યામલક્ષ્મીમાતાનું ‘અમારી બીજી કોઇ શાખા નથી’ પ્રકારનું મંદિર. તેમાં પ્રસાદ તરીકે કોઇ પણ ધાતુના, પણ સિક્કા જ રાખવાના. ઉપર એક તરફ શ્યામલક્ષ્મીનું ચિત્ર હોય અને પાછળ જુદા જુદા આંકડા લખેલા હોય. ભેટ મૂકનારને શ્યામલક્ષ્મીમાતાના પ્રસાદ તરીકે સિક્કો મળે. ભાવિક ભક્તો ધનતેરસના દિવસે એ સિક્કાને પૂજનમાં પણ મૂકી શકે.
શ્યામલક્ષ્મીનું મંદિર થવાથી એક ફાયદો એ થશે કે લોકોએ પોતાની શ્યામલક્ષ્મી વિદેશી ‘મંદિરો’ (બેન્કો)માં મૂકવા જવું નહીં પડે. ઘરબેઠાં, ‘સ્વર્ગાદપિ ગરિયસી’ એવી જન્મભૂમિમાં રહીને જ, પોતાની શ્યામલક્ષ્મીનો અસરકારક વહીવટ શ્યામલક્ષ્મીમાતાનાં મંદિરો થકી કરી શકાશે. અમુક એકરમાં પથરાયેલાં શ્યામલક્ષ્મીનાં મંદિર પછી તો ઠેકઠેકાણે ખુલવા લાગશે અને મલ્ટીપ્લેક્સ મંદિરોની વર્તમાન ફેશન પ્રમાણે, એ મંદિરમાં પછી તો ગમે તે અને બધા દેવીદેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકાશે. શ્યામલક્ષ્મીને હડઘૂત કરવાને બદલે પૂજવાનો ખરો પરચો તો ત્યારે મળશે વિદેશની શ્યામલક્ષ્મી લિકેન્સ્ટાઇન કે મોરેશિયસની બેન્કોને બદલે ભારતનાં શ્યામલક્ષ્મી મંદિરોમાં ઠલવાશે અને ભારતનાં શ્યામલક્ષ્મી સ્થાનકોનો જયજયકાર વ્યાપી રહેશે.
(તા.ક. : શ્યામલક્ષ્મીવ્રત, વાર કે તેમના મંદિરનો આઇડિયા વાપરનારે આ લખનારને યોગ્ય અને શ્યામ નહીં એવી લક્ષ્મી ચૂકવવી જરૂરી છે)
સવાલ એ છે કે સ્વિસ બેન્કનાં ખાતાં રહેલું ધન પણ ‘જનધન’ નથી તો શું ‘પશુધન’ છે? કેટલાક ચોખલિયા એને ‘પરજનધન’ કે ‘પરધન’ ગણી શકે, પરંતુ તાત્ત્વિક રીતે બઘું નાણું બીજાનું (એટલે કે સરકારી) નથી હોતું? ભલભલા ચુસ્ત ગાંધીવાદી પણ એમ ન કહી શકે કે ‘હું તો સ્વાવલંબન-સ્વાશ્રયમાં માનું છું. રોજ ચરખા પર પાંચસો-પાંચસોની ખાદીની નોટો કાંતું નહીં ત્યાં સુધી સૂતો નથી.’
‘બધા માણસ એક જ કુદરતનાં સંતાન હોય તો તેમાં કાળા-ધોળાના ભેદ શા માટે?’ એવો સવાલ શાણા લોકો અવારનવાર પૂછતા હોય છે. પરંતુ નાણાંની વાત આવે એટલે, બીજી ઘણી ભાવનાઓની જેમ, સમાનતાની ભાવના પણ લોકોના મનમાંથી વરાળ થઇને ઉડી જાય છે. ‘રીઝર્વ બેન્ક જ નાણાં છાપતી હોય તો તેમાં કાળાં શું ને ધોળાં શું?’ આવો મૂળભૂત સમાનતાલક્ષી સવાલ લોકોને થતો નથી. ઊલટું, આવી સમદૃષ્ટિ ધરાવનારા લોકોને તે જાહેરમાં તુચ્છકારથી (અને મનમાં અહોભાવથી) જુએ છે.
નાણાંને જ્યાં લક્ષ્મી ગણવામાં આવે છે, એ સંસ્કૃતિમાં નાણાંનો તુચ્છકાર થાય અને એ પણ કેવળ તેના રંગને કારણે, એમાં સંસ્કૃતિનું હળાહળ અપમાન છે. ફિલ્મો અને કળાકૃતિઓના મામલે ‘સંસ્કૃતિ પર હુમલો’ના બહાને ગુંડાગીરી કરવા ઉતરી પડતી પ્રજાએ ખરેખર તો કાળાં નાણાંના સંરક્ષણ માટે મેદાને ઉતરવું જોઇએ અને ‘શ્યામલક્ષ્મીસંરક્ષણ દળ’ કે ‘અખિલ ભારતીય કૃષ્ણલક્ષ્મીસંરક્ષક સેના’ જેવું કોઇ સંગઠન ઊભું કરવું જોઇએ. આ સંગઠનના લોકોએ કોંગ્રેસ સાથે જોડાવું કે ભાજપ સાથે કે પછી બિનરાજકીય રહીને તમામ રાજકીય પક્ષોને સેવા આપવી, એ સંસ્થાપકોએ નક્કી કરવાનું રહે. પણ તેમને કદી કામની અને ઑર્ડરની ખોટ નહીં પડે એટલું અવશ્ય કહી શકાય.
નવરચિત સંગઠનનું મુખ્ય કામ સૌથી પહેલાં તો લોકોને એ સમજાવવાનું રહેશે કે ‘ખબરદાર, જો કોઇએ ‘શ્યામલક્ષ્મી’ માટે કાળાં નાણાં જેવો અપમાનજનક શબ્દપ્રયોગ વાપર્યો છે તો. અમે એવો વિરોધ કરીશું કે ભારત છોડીને કાયમ માટે દુબઇ જતા રહેવાનો વારો આવશે.’ કર્મઠ કાર્યકરોને આ ધમકી મોળી કે ભવિષ્યલક્ષી લાગવાનો સંભવ છે. તેમના હાથમાં આવતી ખંજવાળ સંપૂર્ણપણે વર્તમાનકાળની હોય ત્યારે ભવિષ્યની રાહ કોણ જુએ? તેમના લાભાર્થે એવાં આયોજન પણ કરી શકાય કે ‘જે પ્રસાર માઘ્યમો શ્યામલક્ષ્મીનો ઉલ્લેખ ‘કાળાં નાણાં’ તરીકે કરશે તેમની ઑફિસની સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.’ તેમાં માઘ્યમના કર્તાહર્તાઓની શ્યામલક્ષ્મીની વિગતો જાહેર કરવાથી માંડીને ઑફિસમાં ધૂસી જઇને તોડફોડ કરવા સુધીની બાબતો સમાવિષ્ટ હોઇ શકે. ‘જે લોકો જાહેરમાં ‘કાળાં નાણાં’ જેવા સંસ્કૃતિઘાતી શબ્દોનો પ્રયોગ કરશે, તેમની હાલત રામાયણ-મહાભારત વિશે સંશોધનપૂર્વક ગ્રંથો લખનારા વિદ્વાનો જેવી કે કળા દ્વારા મુક્ત અભિવ્યક્તિ કરનારા કલાકારો જેવી થશે. તેમને જાહેરમાં સંસ્કૃતિદ્રોહી તરીકે ચીતરીને ધીક્કારપાત્ર બનાવી દેવામાં આવશે.’ - એવું પણ જાહેર કરી શકાય.
આ વર્ણનમાં જેમને અતિશયોક્તિ લાગતી હોય તેમને યાદ કરાવવાનું કે સંસ્કૃતિદ્રોહના નામે આ બધા પ્રકારની ગુંડાગીરી થઇ ચૂકી છે. તેમાં કશું કાલ્પનિક નથી, તો પછી સંસ્કૃતિની વ્યાખ્યામાં વહેરોઆંતરો શા માટે? સીતાનું કે સરસ્વતીનું ‘અપમાન’ આપણને આટલું ખટકતું હોય, તો લક્ષ્મીનું શા માટે નહીં? ફક્ત એટલા માટે કે તે શ્યામ છે? શ્યામને લઇને કવિતાઓ ને કવિતડાંનો વરસાદ વરસાવનારી અને તેને હોંશે હોંશે ઝીલનારી સંસ્કૃતિમાં શ્યામ રંગ પ્રત્યે આટલો દ્વેષભાવ કે ઉપેક્ષાભાવ કેમ?
એક વાર શ્યામલક્ષ્મીને બળુકું સંરક્ષણ મળવાની શરૂઆત થઇ જાય, એટલે સૌથી મોટો ફાયદો એ થશે કે દેશમાંથી કાળા નાણાંની સમસ્યા દૂર થઇ જશે. ના, કાળું નાણું દૂર નહીં થાય, પણ તેને સમસ્યા ગણીને શરમાવાને બદલે તેને સંસ્કૃતિ ગણીને હરખાવા માટે લોકો પ્રેરાશે. આફતને અવસરમાં પલટાવવાના અગાઉ આવા ઘણા પ્રયોગ સફળતાપૂર્વક થઇ ચૂક્યા છે, તો એક પ્રયોગ ઓર સહી.
કાળા નાણાંને પ્રતિષ્ઠા અપાવવી એ સંસ્કૃતિકાર્ય છે, એવી પ્રતિજ્ઞા લીધા પછી સૌથી પહેલાં તો એકાદ પુરાણનો હવાલો આપીને લક્ષ્મીજીના શ્યામસ્વરૂપ વિશેની કથા શોધી કાઢવી જરૂરી છે. જેમ કે, લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનથી ખાનગીમાં થોડાં ઘરેણાં મૂકી રાખ્યાં હોય. એક દિવસ નારદમુનિ આવે અને વિષ્ણુ ભગવાનની મશ્કરી કરતાં કહે કે ‘માણસો તો ઇન્કમટેક્સવાળાથી ઘરેણાં છુપાવે છે, પણ પ્રભુ, તમે ઘરેણાં કોનાથી સંતાડ્યાં છે?’ વિષ્ણુ ભગવાન આરોપનો ઇન્કાર કરે. નારદજી તેમને અમુકતમુક જગ્યાએ જોવાનું કહે અને ત્યાંથી સંતાડેલાં ઘરેણાં નીકળે એટલે વિષ્ણુ ભગવાન નારાજ થાય. એ જ વખતે લક્ષ્મીજીનો પ્રવેશ થાય, વિષ્ણુ ભગવાન ઘડીકમાં ઘરેણાંની, તો ઘડીકમાં લક્ષ્મીજીની સામે ગુસ્સાથી જુએ. કચવાટથી લક્ષ્મીજીનો રંગ શ્યામ પડી જાય. ઘરેણાં છુપાવવા પાછળ સંસારહિતની કઇ લાગણી કામ કરતી હતી એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને સમજાવે, એટલે મામલો થાળે પડી જાય, પણ લક્ષ્મીજીનું એ વખતનું સ્વરૂપ શ્યામલક્ષ્મી તરીકે પ્રચલિત બને.
પૌરાણિક કથા પછીનું બીજું પગથિયું તેમને એક વાર ફાળવી દેવાનું છે. સંતોષીમાનો શુક્રવાર એમ શ્યામલક્ષ્મીમાતાનો રવિવાર. કારણ કે તેમના ભક્તો અઠવાડિયામાં છ દિવસ તો કામ કરતા હોય. બીજું કારણ એ કે શ્યામલક્ષ્મીનાં અસલી મંદિર જેવી કેટલીક સ્વિસ બેન્કો રવિવારે પણ ખુલ્લી હોય છે. પછી રહ્યું શ્યામલક્ષ્મીમાતાનું ‘અમારી બીજી કોઇ શાખા નથી’ પ્રકારનું મંદિર. તેમાં પ્રસાદ તરીકે કોઇ પણ ધાતુના, પણ સિક્કા જ રાખવાના. ઉપર એક તરફ શ્યામલક્ષ્મીનું ચિત્ર હોય અને પાછળ જુદા જુદા આંકડા લખેલા હોય. ભેટ મૂકનારને શ્યામલક્ષ્મીમાતાના પ્રસાદ તરીકે સિક્કો મળે. ભાવિક ભક્તો ધનતેરસના દિવસે એ સિક્કાને પૂજનમાં પણ મૂકી શકે.
શ્યામલક્ષ્મીનું મંદિર થવાથી એક ફાયદો એ થશે કે લોકોએ પોતાની શ્યામલક્ષ્મી વિદેશી ‘મંદિરો’ (બેન્કો)માં મૂકવા જવું નહીં પડે. ઘરબેઠાં, ‘સ્વર્ગાદપિ ગરિયસી’ એવી જન્મભૂમિમાં રહીને જ, પોતાની શ્યામલક્ષ્મીનો અસરકારક વહીવટ શ્યામલક્ષ્મીમાતાનાં મંદિરો થકી કરી શકાશે. અમુક એકરમાં પથરાયેલાં શ્યામલક્ષ્મીનાં મંદિર પછી તો ઠેકઠેકાણે ખુલવા લાગશે અને મલ્ટીપ્લેક્સ મંદિરોની વર્તમાન ફેશન પ્રમાણે, એ મંદિરમાં પછી તો ગમે તે અને બધા દેવીદેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકાશે. શ્યામલક્ષ્મીને હડઘૂત કરવાને બદલે પૂજવાનો ખરો પરચો તો ત્યારે મળશે વિદેશની શ્યામલક્ષ્મી લિકેન્સ્ટાઇન કે મોરેશિયસની બેન્કોને બદલે ભારતનાં શ્યામલક્ષ્મી મંદિરોમાં ઠલવાશે અને ભારતનાં શ્યામલક્ષ્મી સ્થાનકોનો જયજયકાર વ્યાપી રહેશે.
(તા.ક. : શ્યામલક્ષ્મીવ્રત, વાર કે તેમના મંદિરનો આઇડિયા વાપરનારે આ લખનારને યોગ્ય અને શ્યામ નહીં એવી લક્ષ્મી ચૂકવવી જરૂરી છે)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
religion
Sunday, November 16, 2014
નેહરુની હત્યાના પ્રયાસો વિશે કદી સાંભળ્યું છે?
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુના જીવનકાર્ય વિશે કશું સારું ન સાંભળ્યું હોય એવી આખી પેઢી તૈયાર થઇ ચૂકી છે. જમણેરી રાજકારણના ખેલાડીઓએ નેહરુની મોટી ભૂલોમાં પોતીકી વિકૃતિઓ ઉમેરીને તેમની છબી બેહદ ખરડી મૂકી છે. નેહરુની વાજબી ટીકા કરવા માટે સચ્ચાઇ પૂરતી છે. છતાં, આઝાદી પહેલાંના હિંદુત્વના રાજકારણની શાખાઓ-પ્રશાખાઓ જેવાં રાજકીય-બિનરાજકીય બળોએ નેહરુ વિશે બેફામ જૂઠાણાં ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. ઇન્ટરનેટના જમાનામાં તે ઓર આસાન બની ગયું છે.
સહેજ સર્ચ કરતાં ઇન્ટરનેટ પર નેહરુને સંડોવતી, માગો તેવી ‘કૉન્સ્પીરસી થિયરી’ (કાવતરાંકથાઓ) મળે છે : ગાંધીજીની હત્યા માટે નેહરુ જવાબદાર હતા, સુભાષચંદ્ર બોઝના મૃત્યુ પાછળ નેહરુની કાવતરાબાજી હતી, શ્યામાપ્રસાદ મુખર્જીનું મોત નેહરુના કારણે થયું...આ બઘું વાંચીને થાય કે શિવાજીના મૃત્યુની જવાબદારી નેહરુના માથે ઢોળવામાં નથી આવી એટલી આ કથા-કારોની દયા છે.
શાસ્ત્રીય નહીં, પણ પોતાનાં સગવડ-સ્વાર્થ પ્રમાણેના હિંદુ ધર્મનો ઝંડો લઇને નીકળેલા લોકોને ઇતિહાસ જાણવા-સમજવામાં રસ નથી. તેમને ઉપરથી કોઇએ ‘બત્તી’ પકડાવી દીધી કે ‘નેહરુ આઝાદ ભારતના સૌથી મોટા ખલનાયક હતા. તેમને યેનકેનપ્રકારે હીન ચીતરો. તેમને નીચા પાડો.’
એટલે થઇ રહ્યું. સેના મચી પડી છે. બત્તી પકડાવનારાની પેઢીઓ, તેમનાં લક્ષ્ય અને સ્વાર્થ બદલાતા રહે છે. બત્તી પકડનારાની પેઢીઓ પણ બદલાય છે. નથી બદલાતી ‘બત્તી’. એમાં તો જમાના પ્રમાણે ‘સુધારાવધારા’ થતા રહે છે. આવી ‘બત્તીઓ’ના અજવાળે નજીકનો ભૂતકાળ જોવાનાં પરિણામ કેવાં આવે, તે નેહરુ વિશે ફેલાવવામાં આવેલી - અને હવે વ્યાપક બની ચૂકેલી- અનેક ગેરસમજો પરથી સ્પષ્ટ થઇ જાય છે.
કયા નેતાઓના મૃત્યુના કાવતરામાં નેહરુની સંડોવણી હતી, એવું હોંશેહોંશે કહેનારા ઇન્ટરનેટ-બહાદુરો કે થિયરીબાજો પાસેથી કદી નેહરુની હત્યાના કાવતરા વિશે કે તેની સંભાવના વિશે સાંભળવા મળ્યું છે?
શક્યતા ઓછી છે. પરંતુ હકીકત એ છે કે ગાંધીજીની હત્યા કરનારાં અંતિમવાદી પરિબળોને નેહરુ પણ એટલા જ ખટકતા હતા. હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વ અને સૌહાર્દ ઇચ્છતા નેહરુને ‘દેશદ્રોહી’ ગણીને તેમનો ફેંસલો લાવી દેવા માટે અમુક વર્ગ આતુર હોય, તેમાં કશું નવાઇ પામવા જેવું નથી.
આ ટાઢા પહોરની અટકળ નથી. પરંતુ કોમવાદીઓ જેમનો ઉપયોગ મુખ્યત્વે નેહરુને નીચા પાડવા માટે કરતા રહ્યા છે, એવા સરદાર પટેલની ચિંતા હતી. તેમના જીવનના અંતિમ વર્ષ ૧૯૫૦ના એપ્રિલ માસમાં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકતઅલી ખાન ભારત આવીને અઠવાડિયું રોકાયા હતા. સરદાર પટેલના આધારભૂત ચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંઘ્યા પ્રમાણે, ‘દિલ્હીમાં રહેલા લિયાકતઅલી ખાને નેહરુ સાથે અનેક વખત વાટાઘાટો કર્યા પછી વલ્લભભાઇને મળવાની ઇચ્છા દર્શાવી. સરદાર તેમની જોડે વાત કરવા બહુ આતુર ન હતા. આગળના ત્રણ મહિનામાં પૂર્વ પાકિસ્તાનમાંથી અઢી લાખ હિંદુ નિરાશ્રિતો બંગાળમાં આવ્યા હતા. પણ નેહરુના અતિશય આગ્રહ પછી વલ્લભભાઇએ લિયાકતઅલી ખાન જોડે એપ્રિલની પાંચમી તારીખે બપોરે જમવાનું રાખ્યું.’
બન્ને દેશો વચ્ચે ભરપૂર તનાવ હતો ત્યારે સરદારે પાકિસ્તાનના વડાપ્રધાન આગળ શાની ચિંતા વ્યક્ત કરી? તેમણે લિયાકતઅલી ખાનને કહ્યું, ‘જવાહરલાલજી દિવસરાત મુસલમાનોના હક માટે જહેમત ઉઠાવે છે. ગાંધીજીનું થયું તેવું તેમનું પણ થશે, તેવા ફફડાટમાં હું ઊંઘી શકતો નથી.’
સરદારને ઓળખનારા જાણે છે કે તે ‘મુખમેં રામ, બગલમેં છૂરી’ પ્રકારના નેતા ન હતા. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની શિસ્તનાં વખાણ કરતા હોવા છતાં સરદારે સંઘ પરિવાર પર પ્રતિબંધ લાદવામાં ખચકાટ અનુભવ્યો ન હતો. પાકિસ્તાનના મુસ્લિમ રાજની તરાહ પર ભારતમાં હિંદુ રાજ સ્થાપવાના હિંદુવાદીઓના સ્વપ્નને સરદારે ‘પાગલ ખ્યાલ’ ગણાવ્યો હતો. એટલે જવાહરલાલ નેહરુની ચિંતા તેમને ખરેખર થતી હતી. તેમનો આ સંવાદ મણિબહેનની ડાયરી (૫-૪-૧૯૫૦)માંથી રાજમોહન ગાંધીએ ઉતાર્યો છે. માટે તેની અધિકૃતતા વિશે પણ શંકા નથી. સરદાર-નેહરુના મતભેદની વાત બઢાવીચઢાવીને કરનારા કેટલા સરદારની આ ચિંતાની વાત કરે છે?
સરદારની આ ચિંતાના ચાર મહિના પછી, ઑગસ્ટ, ૧૯૫૦માં પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઉઘાડું પડ્યું. આ માહિતી પણ નેહરુની છાવણીના ગણાતા કોઇ નેતાઓએ નહીં, ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે આપી હતી. હિંદુ મહાસભાના ભૂતપૂર્વ પ્રમુખની ધરપકડ કરવા બદલ સરકારની ટીકા થઇ, તેના જવાબમાં સરદાર પટેલે સંસદમાં નેહરુની હત્યાના કાવતરાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના હત્યાના આયોજન માટે જે જૂથ જવાબદાર હતું, તેમણે જ પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેની ધરપકડ કરવામાં આવી હતી એ નેતાના કોઇ સાગરીતે બાતમી આપી દેતાં કાવતરું ઉઘાડું પડી ગયું હોવાનું સરદારે ગૃહમાં જણાવ્યું.
સરદારના મૃત્યુ પછી, ૧૯૫૩માં વડાપ્રધાન નેહરુની હત્યાનો વઘુ એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. પંડિત નેહરુ અમૃતસર એક્સપ્રેસ દ્વારા મુંબઇ આવી રહ્યા હતા ત્યારે મુંબઇથી આશરે ૫૫ કિલોમીટર દૂર કલવન પાસે પાટા પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ટ્રેક પર પેટ્રોલિંગ કરતા પોલીસની નજર બોમ્બ અને એ મુકનાર પર પડતાં તેમણે ગોળીબાર કર્યો હતો. કાવતરાબાજને પકડવામાં પોલીસને સફળતા ન મળી, પણ સંભવતઃ દબાણથી ફાટે એવો બોમ્બ સલામતીપૂર્વક પાટા પરથી હટાવી દેવામાં આવ્યો. પછીથી અંબરનાથ ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બોમ્બની ચકાસણી કરીને તેને મુંબઇ મોકલી આપવામાં આવ્યો હોવાનું અખબારી અહેવાલમાં જણાવાયું હતું. (તા.૫-૫-૧૯૫૩)
નેહરુની હત્યાનો સૌથી જાણીતો પ્રયાસ ૧૯૫૫માં નાગપુરમાં થયો. માર્ચ ૧૨,૧૯૫૫ના રોજ એક રિક્ષાચાલક બાબુરાવ કોહલીએ તેમની પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ કર્યો. નેહરુના સહાયક રહી ચૂકેલા એમ. ઓ. મથાઇએ ‘માય ડેઝ વિથ નેહરુ’માં નોંઘ્યું છે કે કોહલી એક પ્રકારનો ‘પોલિટિકલ થિન્કર’ હતો. તે દૃઢતાપૂર્વક માનતો હતો કે ‘કોંગ્રેસની સરકાર બહુમતીથી રાજ કરી રહી છે. એટલે તેનામાં શાણપણ નથી.’ કોહલીની ધરપકડ અને અદાલતી કાર્યવાહી પછી જુલાઇ ૨૮,૧૯૫૫ના રોજ વડાપ્રધાનની હત્યાના પ્રયાસ બદલ તેને આઇ.પી.સી.ની કલમ ૩૦૭ અંતર્ગત છ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી.
ગયા મહિને સંઘ પરિવારના મલયાલમ મુખપત્ર ‘કેસરી’માં એક લેખકે એવું સૂચવ્યું હતું કે ગોડસેએ ગાંધીને બદલે નેહરુને માર્યા હોત તો સારું હતું. વિવાદ થયા પછી સંઘ પરિવાર અને ‘કેસરી’ના સંચાલકોએ હાથ ખંખેરી નાખ્યા અને આ અભિપ્રાયને લેખકનો અંગત મત ગણાવ્યો. પરંતુ એ લેખક- બી.ગોપાલકૃષ્ણન્ કોઇ અજાણ્યા માણસ નહીં, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા. સામાન્ય સંજોગોમાં આવા બખાળા હસી કાઢવાના હોય, પરંતુ ભાજપનું રાજ હોય અને સંઘ પરિવાર દેશના શાસક પક્ષનું અમુક હદે માર્ગદર્શક બળ બન્યો હોય, ત્યારે તેની છાવણીમાંથી ઉઠતા આવા અવાજ સૌ નાગરિકોને ચેતવણી આપે છે : ‘બત્તી’ઓથી દૂર રહેવાની અને ઇન્ટરનેટ પર કે અન્યત્ર ચાલતો ગમે તેવો પ્રચાર આંખી મીંચીને માની ન લેવાની ચેતવણી.
સહેજ સર્ચ કરતાં ઇન્ટરનેટ પર નેહરુને સંડોવતી, માગો તેવી ‘કૉન્સ્પીરસી થિયરી’ (કાવતરાંકથાઓ) મળે છે : ગાંધીજીની હત્યા માટે નેહરુ જવાબદાર હતા, સુભાષચંદ્ર બોઝના મૃત્યુ પાછળ નેહરુની કાવતરાબાજી હતી, શ્યામાપ્રસાદ મુખર્જીનું મોત નેહરુના કારણે થયું...આ બઘું વાંચીને થાય કે શિવાજીના મૃત્યુની જવાબદારી નેહરુના માથે ઢોળવામાં નથી આવી એટલી આ કથા-કારોની દયા છે.
શાસ્ત્રીય નહીં, પણ પોતાનાં સગવડ-સ્વાર્થ પ્રમાણેના હિંદુ ધર્મનો ઝંડો લઇને નીકળેલા લોકોને ઇતિહાસ જાણવા-સમજવામાં રસ નથી. તેમને ઉપરથી કોઇએ ‘બત્તી’ પકડાવી દીધી કે ‘નેહરુ આઝાદ ભારતના સૌથી મોટા ખલનાયક હતા. તેમને યેનકેનપ્રકારે હીન ચીતરો. તેમને નીચા પાડો.’
એટલે થઇ રહ્યું. સેના મચી પડી છે. બત્તી પકડાવનારાની પેઢીઓ, તેમનાં લક્ષ્ય અને સ્વાર્થ બદલાતા રહે છે. બત્તી પકડનારાની પેઢીઓ પણ બદલાય છે. નથી બદલાતી ‘બત્તી’. એમાં તો જમાના પ્રમાણે ‘સુધારાવધારા’ થતા રહે છે. આવી ‘બત્તીઓ’ના અજવાળે નજીકનો ભૂતકાળ જોવાનાં પરિણામ કેવાં આવે, તે નેહરુ વિશે ફેલાવવામાં આવેલી - અને હવે વ્યાપક બની ચૂકેલી- અનેક ગેરસમજો પરથી સ્પષ્ટ થઇ જાય છે.
કયા નેતાઓના મૃત્યુના કાવતરામાં નેહરુની સંડોવણી હતી, એવું હોંશેહોંશે કહેનારા ઇન્ટરનેટ-બહાદુરો કે થિયરીબાજો પાસેથી કદી નેહરુની હત્યાના કાવતરા વિશે કે તેની સંભાવના વિશે સાંભળવા મળ્યું છે?
શક્યતા ઓછી છે. પરંતુ હકીકત એ છે કે ગાંધીજીની હત્યા કરનારાં અંતિમવાદી પરિબળોને નેહરુ પણ એટલા જ ખટકતા હતા. હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વ અને સૌહાર્દ ઇચ્છતા નેહરુને ‘દેશદ્રોહી’ ગણીને તેમનો ફેંસલો લાવી દેવા માટે અમુક વર્ગ આતુર હોય, તેમાં કશું નવાઇ પામવા જેવું નથી.
આ ટાઢા પહોરની અટકળ નથી. પરંતુ કોમવાદીઓ જેમનો ઉપયોગ મુખ્યત્વે નેહરુને નીચા પાડવા માટે કરતા રહ્યા છે, એવા સરદાર પટેલની ચિંતા હતી. તેમના જીવનના અંતિમ વર્ષ ૧૯૫૦ના એપ્રિલ માસમાં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકતઅલી ખાન ભારત આવીને અઠવાડિયું રોકાયા હતા. સરદાર પટેલના આધારભૂત ચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંઘ્યા પ્રમાણે, ‘દિલ્હીમાં રહેલા લિયાકતઅલી ખાને નેહરુ સાથે અનેક વખત વાટાઘાટો કર્યા પછી વલ્લભભાઇને મળવાની ઇચ્છા દર્શાવી. સરદાર તેમની જોડે વાત કરવા બહુ આતુર ન હતા. આગળના ત્રણ મહિનામાં પૂર્વ પાકિસ્તાનમાંથી અઢી લાખ હિંદુ નિરાશ્રિતો બંગાળમાં આવ્યા હતા. પણ નેહરુના અતિશય આગ્રહ પછી વલ્લભભાઇએ લિયાકતઅલી ખાન જોડે એપ્રિલની પાંચમી તારીખે બપોરે જમવાનું રાખ્યું.’
બન્ને દેશો વચ્ચે ભરપૂર તનાવ હતો ત્યારે સરદારે પાકિસ્તાનના વડાપ્રધાન આગળ શાની ચિંતા વ્યક્ત કરી? તેમણે લિયાકતઅલી ખાનને કહ્યું, ‘જવાહરલાલજી દિવસરાત મુસલમાનોના હક માટે જહેમત ઉઠાવે છે. ગાંધીજીનું થયું તેવું તેમનું પણ થશે, તેવા ફફડાટમાં હું ઊંઘી શકતો નથી.’
![]() |
| Sardar Patel, Liaqat ali Khan, Pandit Nehru |
સરદારને ઓળખનારા જાણે છે કે તે ‘મુખમેં રામ, બગલમેં છૂરી’ પ્રકારના નેતા ન હતા. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની શિસ્તનાં વખાણ કરતા હોવા છતાં સરદારે સંઘ પરિવાર પર પ્રતિબંધ લાદવામાં ખચકાટ અનુભવ્યો ન હતો. પાકિસ્તાનના મુસ્લિમ રાજની તરાહ પર ભારતમાં હિંદુ રાજ સ્થાપવાના હિંદુવાદીઓના સ્વપ્નને સરદારે ‘પાગલ ખ્યાલ’ ગણાવ્યો હતો. એટલે જવાહરલાલ નેહરુની ચિંતા તેમને ખરેખર થતી હતી. તેમનો આ સંવાદ મણિબહેનની ડાયરી (૫-૪-૧૯૫૦)માંથી રાજમોહન ગાંધીએ ઉતાર્યો છે. માટે તેની અધિકૃતતા વિશે પણ શંકા નથી. સરદાર-નેહરુના મતભેદની વાત બઢાવીચઢાવીને કરનારા કેટલા સરદારની આ ચિંતાની વાત કરે છે?
સરદારની આ ચિંતાના ચાર મહિના પછી, ઑગસ્ટ, ૧૯૫૦માં પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઉઘાડું પડ્યું. આ માહિતી પણ નેહરુની છાવણીના ગણાતા કોઇ નેતાઓએ નહીં, ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે આપી હતી. હિંદુ મહાસભાના ભૂતપૂર્વ પ્રમુખની ધરપકડ કરવા બદલ સરકારની ટીકા થઇ, તેના જવાબમાં સરદાર પટેલે સંસદમાં નેહરુની હત્યાના કાવતરાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના હત્યાના આયોજન માટે જે જૂથ જવાબદાર હતું, તેમણે જ પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેની ધરપકડ કરવામાં આવી હતી એ નેતાના કોઇ સાગરીતે બાતમી આપી દેતાં કાવતરું ઉઘાડું પડી ગયું હોવાનું સરદારે ગૃહમાં જણાવ્યું.
![]() |
| Plot to Kill Nehru : a news item, august 1950 |
સરદારના મૃત્યુ પછી, ૧૯૫૩માં વડાપ્રધાન નેહરુની હત્યાનો વઘુ એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. પંડિત નેહરુ અમૃતસર એક્સપ્રેસ દ્વારા મુંબઇ આવી રહ્યા હતા ત્યારે મુંબઇથી આશરે ૫૫ કિલોમીટર દૂર કલવન પાસે પાટા પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ટ્રેક પર પેટ્રોલિંગ કરતા પોલીસની નજર બોમ્બ અને એ મુકનાર પર પડતાં તેમણે ગોળીબાર કર્યો હતો. કાવતરાબાજને પકડવામાં પોલીસને સફળતા ન મળી, પણ સંભવતઃ દબાણથી ફાટે એવો બોમ્બ સલામતીપૂર્વક પાટા પરથી હટાવી દેવામાં આવ્યો. પછીથી અંબરનાથ ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બોમ્બની ચકાસણી કરીને તેને મુંબઇ મોકલી આપવામાં આવ્યો હોવાનું અખબારી અહેવાલમાં જણાવાયું હતું. (તા.૫-૫-૧૯૫૩)
![]() |
| Plot to Kill Nehru : a news item, may 1953 |
નેહરુની હત્યાનો સૌથી જાણીતો પ્રયાસ ૧૯૫૫માં નાગપુરમાં થયો. માર્ચ ૧૨,૧૯૫૫ના રોજ એક રિક્ષાચાલક બાબુરાવ કોહલીએ તેમની પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ કર્યો. નેહરુના સહાયક રહી ચૂકેલા એમ. ઓ. મથાઇએ ‘માય ડેઝ વિથ નેહરુ’માં નોંઘ્યું છે કે કોહલી એક પ્રકારનો ‘પોલિટિકલ થિન્કર’ હતો. તે દૃઢતાપૂર્વક માનતો હતો કે ‘કોંગ્રેસની સરકાર બહુમતીથી રાજ કરી રહી છે. એટલે તેનામાં શાણપણ નથી.’ કોહલીની ધરપકડ અને અદાલતી કાર્યવાહી પછી જુલાઇ ૨૮,૧૯૫૫ના રોજ વડાપ્રધાનની હત્યાના પ્રયાસ બદલ તેને આઇ.પી.સી.ની કલમ ૩૦૭ અંતર્ગત છ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી.
ગયા મહિને સંઘ પરિવારના મલયાલમ મુખપત્ર ‘કેસરી’માં એક લેખકે એવું સૂચવ્યું હતું કે ગોડસેએ ગાંધીને બદલે નેહરુને માર્યા હોત તો સારું હતું. વિવાદ થયા પછી સંઘ પરિવાર અને ‘કેસરી’ના સંચાલકોએ હાથ ખંખેરી નાખ્યા અને આ અભિપ્રાયને લેખકનો અંગત મત ગણાવ્યો. પરંતુ એ લેખક- બી.ગોપાલકૃષ્ણન્ કોઇ અજાણ્યા માણસ નહીં, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા. સામાન્ય સંજોગોમાં આવા બખાળા હસી કાઢવાના હોય, પરંતુ ભાજપનું રાજ હોય અને સંઘ પરિવાર દેશના શાસક પક્ષનું અમુક હદે માર્ગદર્શક બળ બન્યો હોય, ત્યારે તેની છાવણીમાંથી ઉઠતા આવા અવાજ સૌ નાગરિકોને ચેતવણી આપે છે : ‘બત્તી’ઓથી દૂર રહેવાની અને ઇન્ટરનેટ પર કે અન્યત્ર ચાલતો ગમે તેવો પ્રચાર આંખી મીંચીને માની ન લેવાની ચેતવણી.
Labels:
Nehru,
Sardar Patel/સરદાર પટેલ
Wednesday, November 12, 2014
વિમાન સાથે અથડાયેલી ભેંસનો ઇન્ટરવ્યુ
ભારતભૂમિનો મહિમા કરતાં કહેવાય છે કે ‘આ એ પવિત્ર ભૂમિ છે, જ્યાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી.’ એવી જ રીતે, આપણી ભાવિ પેઢીઓ આપણા સમયના ભારત માટે કહી શકશે, ‘આ એ દેશ છે, જ્યાં વિમાન સાથે ભેંસ અથડાતી હતી.’
સુરતના એરપોર્ટ પર ટેક ઑફ કરતા વિમાન સાથે ભેંસ અથડાઇ, એ સમાચાર જાણીને ઘણા સવાલ જાગ્યા : શું ભેંસ ઉડતી હશે? શું એરપોર્ટ પર તબેલો હશે? શું તબેલામાં એરપોર્ટ હશે? શું ભેંસ સમયસર બોર્ડિંગ નહીં કરી શકવાને કારણે, હોલિવુડના હીરોની માફક રન વે પર ચાલતું વિમાન પકડવા દોડી હશે અને કંઇક ગફલત થતાં વિમાન સાથે અથડાઇ પડી હશે? શું ભેંસ જેહાદી કે ફીદાઇન હશે? શું વિમાન ભૂલથી ટેક ઑફ કરવાને બદલે સુરત શહેર ભણી વળીને તબેલાના વિસ્તારમાં પહોંચી ગયું હશે? શું ભેંસ વિમાનની પૂંછડી પરનો લાલ રંગ જોઇને, બુલફાઇટની અદામાં સામેથી દોડતી, છીંકોટા નાખતી આવીને વિમાનના અગ્રભાગ સાથે અથડાઇ હશે? ભેંસ કોઇની મોકલી આવી હશે કે ભૂલી પડી હશે? શું આ ભેંસની હિલચાલની (પણ) સરકાર દ્વારા જાસૂસી થતી હશે? શું એ ખરેખર ભેંસ જ હશે? કે ભેંસની ખાલમાં છુપાયેલો કોઇ આતંકવાદી? શું એ ભેંસ વર્ષો સુધી તેના માલિકે ભરેલું વીમાનું પ્રીમિયમ વસૂલ કરવા માટે વેપારી અંદાજમાં વિમાનની સામે જઇને અથડાઇ હશે?
આવી ઘટના વખતે કોઇ પૂછે, ‘અક્કલ બડી કે ભેંસ?’ તો શો જવાબ આપવો? ‘જબ કૂત્તેપે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ - એવી રીતે, જે જગ્યાએ વિમાન સાથે ભેંસ અથડાઇ એ જગ્યાએ ‘ભેંસાબાદ’, ‘મહિષીનગર’ કે ‘ટક્કરપુરા’ જેવું કોઇ શહેર વસાવવાની- કે કમ સે કમ, હાઉસિંગ સોસાયટીની એકાદ સ્કીમ મુકવાની સરકારશ્રીની કોઇ યોજના છે? આ ભેંસને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક ગણી શકાય કે કેમ? અથડાયેલી ભેંસનું શું થયું? જો એ વિમાન સાથેની ટક્કરમાં મૃત્યુ પામી હોય તો, તેનું વિશ્વમાં બીજા ક્રમનું ઊંચામાં ઊંચું સ્મારક બનાવી શકાય? અને એવું ગૌરવ લઇ શકાય કે ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ કરતાં તો અમારું ‘સ્ટેચ્યુ ઑફ માઇટી’ વધારે ઊંચું છે?
અવતારવાદમાં શ્રદ્ધા ધરાવતા આ દેશેમાં એવો સવાલ પણ અસ્થાને નથી કે શું એ ભેંસ અવતારી હશે? આ રીતે વિમાન સાથે અથડાઇને એ જગતને કશો સંદેશો આપવા માગતી હશે? ભોગવાદી પશ્ચિમે આઘ્યાત્મિક જ્ઞાન માટે હંમેશાં અઘ્યાત્મવાદી પૂર્વ ભણી જોયું છે. તો શું આપણા અનેક મહાનુભાવોની જેમ, આ ભેંસમાંથી પણ પશ્ચિમી જગત કશુંક આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે? શું ભેંસની વિમાન સાથેની ટક્કર ઉચ્ચ ટેકનોલોજીના મદમાં મહાલતા પશ્ચિમને પ્રાકૃતિક તાકાતનો પરચો આપવા માટેનું કુદરતી આયોજન છે? કે પછી વિકસિત ગુજરાતમાં (ગોચરની જેમ) ‘ભેંસચર’ની જમીનો અદૃશ્ય થઇ રહી છે તેની વઘુ એક ચેતવણી આપતી દુર્ઘટના છે?
અને વર્તમાન પત્રકારત્વનો સૌથી ‘રાષ્ટ્રિય’ સવાલ : અથડાયા પછી ભેંસને કેવું લાગ્યું હશે? (આપકો કૈસા લગ રહા હૈ?) આવી અનેક જિજ્ઞાસાઓ શમાવવા અને બીજી ભડકાવવા માટે લેવાયેલો ભેંસનો (કાલ્પનિક) ઇન્ટરવ્યુ.
સ : નમસ્કાર. આપણે સીધી વાતચીત ચાલુ કરી દઇએ?
જ : શ્યૉર. ‘બાઇટ’ જોઇએ છે કે ઇન્ટરવ્યુ?
સ : તમે તો બહુ મિડીયાસાવી છો.
જ : (સહેજ શરમાઇને) ચેનલવાળા ચર્ચા કરવા માટે ગમે તેને બોલાવે છે. એટલે તૈયાર રહેવું સારું.
સ : ઓકે, તો પહેલાં એ કહો કે દિલ્હી જતી ફ્લાઇટ સાથે તમારી ટક્કર થઇ અને વડાપ્રધાન મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના હતા- આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઇ સંબંધ ખરો?
જ : (હસે છે)
સ : આ મારા સવાલનો જવાબ નથી. ચોખ્ખું કહો : વિસ્તરણમાં તમારા માટે કોઇ સ્કોપ હતો? રાષ્ટ્રના હિતમાં જવાબદારી સ્વીકારવા માટે અમિતભાઇનો તમારી પર ફોન આવ્યો હતો?
જ : (મોટેથી હસે છે)
સ : હું કંઇ અર્નબ ગોસ્વામી નથી કે હું સિરીયસલી પૂછ્યે રાખું ને તમને ખડખડાટ હસવું આવે.
જ : નારાજ થવાની જરૂર નથી. તમે અર્નબ ગોસ્વામી નથી, તો હું વડાપ્રધાન મોદી પણ નથી. હું તમારા સવાલના જવાબ આપીશ. આંખો નહીં કાઢું.
સ : હાશ, તો આપો જવાબ.
જ : મને તો તમારા સવાલ પર હસવું આવતું હતું. રાજકારણમાં થોડીઘણી ખબર પડતી હોય એવા લોકો પણ જાણે છે કે વિસ્તરણ વખતે દોરે ત્યાં જાય એવી ગાયોનું કામ હોય- મારા જેવી ભેંસ ત્યાં જઇને શું કરે?
સ : બીજો સવાલ. તમારે લશ્કરે તોઇબા સાથે કોઇ સંબંધ ખરો? કે જમાત-ઉદ્-દાવા સાથે?
જ : થેન્ક્સ, આવું પૂછવાની તસ્દી લેવા બદલ. બાકી, ગુજરાતમાં તો આવું બઘું કોણ પૂછે છે? પોલીસ આવીને ઉઠાવી જાય. પછી સાબીત મારે કરવાનું કે હું તો કેવળ એક સીધીસાદી, સંસારી ભેંસ છું...પણ તમને આવું કેમ લાગ્યું?
સ : સિમ્પલ. તમારી વિમાન સાથેની ટક્કર ફીદાઇન પ્રકારનો મામલો હતી. થોડા દિવસ પહેલાં જ સરહદે આવો એક હુમલો...
જ : તમારી માણસોની આ જ તકલીફ છે. તમે બઘું તમારી આંખે જુઓ છો ને તમારા સ્વાર્થે વિચારો છો...ભેંસો એટલી અક્કલબુઠ્ઠી નથી હોતી કે એ ફીદાઇન થાય. અમારો કોઇ ધર્મ જ નથી કે જે અમને ત્રાસવાદના કે હુલ્લડબાજીના રવાડે ચડાવે. એ બઘું તમને સોંપ્યું.
સ : વાત તો તમે મુદ્દાની કરી, પણ તમારી વાત સાંભળીને કોઇને લાગે નહીં કે તમે વિમાન સાથે અથડાયેલાં એ જ...
જ : મને થયું કે જરા આજકાલની ફેશન પ્રમાણે વાત કરું. સો ઉંદરનાં મોત પછી હજ પણ પઢ્યા વિના બિલ્લી ઇમામ બની શકતી હોય, તો એક ભેંસ આટલું ન કરી શકે?
સ : તમે બહુ ચાલાક છો. તમારે પ્રવક્તા તરીકે ટ્રાય કરવો જોઇએ.
જ : થેન્ક્સ. હું ચાલાક હોઇશ, પણ જૂઠ્ઠી નથી. એટલે એ વાત છોડો.
સ : કેટલાકને એવું માનવું ગમે છે કે ગુજરાતમાં એટલો વિકાસ થઇ ગયો કે ભેંસો ઉડવા લાગી છે. એટલે આવા પ્રશ્નો સર્જાય છે.
જ : તો પછી એમને કહો કે વિમાનોને ઘાસ ખવડાવવાનું અને દોહવાનું ચાલુ કરી દે.
સ : હવે મુદ્દાનો સવાલ. એરપોર્ટની હદમાં તમે કેવી રીતે ઘૂસી ગયાં?
જ : એક મિનીટ. પહેલાં એ નક્કી કરી લઇએ કે હું એરપોર્ટની હદમાં ધૂસી હતી કે એરપોર્ટ મારી હદમાં ઘૂસી ગયું છે. એરપોર્ટની આસપાસના કે સુરતના કોઇ પણ માણસને પૂછી જુઓ : એ જગ્યા કોની હતી અને કોણ ઘૂસ્યું?
સ : બને કે પહેલાં એ તમારી ચરવાની જગ્યા હોય, પરંતુ હવે ત્યાં એરપોર્ટ થઇ ગયું છે. તેના લીધે કેટલા બધા માણસોને સુવિધા પડે છે. વિમાન સાથે ટકરાતાં પહેલાં તમારે વિમાનમાં બેઠેલા માણસોની કિમતી જિંદગી વિશે તો વિચારવું જોઇએ.
જ : કેમ જાણે, તમે બહુ વિચારી વિચારીને ઊંધા વળી ગયા. અમારી ચરવાની જમીનો પર ‘વિકાસ’ કરી નાખો ત્યારે તમે વિચારો છો? અરે, અમારી વાત છોડ- અમે તો ભેંસ છીએ- તમે તમારા જેવા માણસોની જમીનો છીનવી લો, એમનાં ખોરડાં પર બુલડોઝર ફેરવી દો, એમને વિસ્થાપિત બનાવી દો ત્યારે તમે કેટલું વિચારો છો? તમને વિમાનમાં બેઠેલા માણસોની ચિંતા થઇ. તો મેં જેમની વાત કરી એ બધાં માણસો નથી? (જરા શ્વાસ ખાઇને) હમણાં મેં કહ્યું હોત કે હું અદાણી કે અંબાણીની ભેંસ છું, તો કદાચ તમે મારી વિમાન સાથેની ટક્કરને પણ ‘વિકાસ માટે આવશ્યક’ ગણાવી દીધી હોત.
સ : તમે ડાબેરી છો?
જ : માણસની વાત કરનારને ‘ડાબેરી’ ગણીને કાઢી નાખવાની તમારી વિકૃતિ જોઇને અમે ઘણી વાર વિચારીએ છીએ : અમારા દૂધમાં એવું તે શું આવી ગયું કે જેથી માણસોની બુદ્ધિ આટલી હદે ભ્રષ્ટ થઇ?
સ : તમારી વિમાન સાથેની ટક્કર અંગે તપાસપંચ નીમાયું છે, એની તમને ખબર છે?
જ : હા, અને તપાસપંચનું શું થવાનું છે એ પણ ખબર છે.
સ : તમે કેમ આટલા નિરાશાવાદી છો? તમે ક્યાંક હતાશાના આવેગમાં તો વિમાન સાથે અથડાયાં હો એવું નથી ને ?
જ : ઘરમાં ઝગડો થાય તો ગામમાં ઉપદ્રવ મચાવવો, એ માણસનો સ્વભાવ છે. થેન્ક ગૉડ, અમે ભેંસ છીએ.
સ : હું જોઉં છું કે ક્યારના તમે ટોણા પર ટોણા મારો છો. માણસ તરીકે મારી સહનશક્તિની હવે હદ આવી છે. આપણે ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરીએ?
જ : ભલે, પણ ભેંસ તરીકે- અને પશુ તરીકે અમારી સહનશક્તિની હદ ક્યારની આવી ગઇ છે એનો પણ ફુરસદે વિચાર કરજો. ગુડ બાય.
(એ સાથે જ ભેંસનો ભાંભરવાનો અવાજ સાથે આંખ ખુલી જાય છે.)
સુરતના એરપોર્ટ પર ટેક ઑફ કરતા વિમાન સાથે ભેંસ અથડાઇ, એ સમાચાર જાણીને ઘણા સવાલ જાગ્યા : શું ભેંસ ઉડતી હશે? શું એરપોર્ટ પર તબેલો હશે? શું તબેલામાં એરપોર્ટ હશે? શું ભેંસ સમયસર બોર્ડિંગ નહીં કરી શકવાને કારણે, હોલિવુડના હીરોની માફક રન વે પર ચાલતું વિમાન પકડવા દોડી હશે અને કંઇક ગફલત થતાં વિમાન સાથે અથડાઇ પડી હશે? શું ભેંસ જેહાદી કે ફીદાઇન હશે? શું વિમાન ભૂલથી ટેક ઑફ કરવાને બદલે સુરત શહેર ભણી વળીને તબેલાના વિસ્તારમાં પહોંચી ગયું હશે? શું ભેંસ વિમાનની પૂંછડી પરનો લાલ રંગ જોઇને, બુલફાઇટની અદામાં સામેથી દોડતી, છીંકોટા નાખતી આવીને વિમાનના અગ્રભાગ સાથે અથડાઇ હશે? ભેંસ કોઇની મોકલી આવી હશે કે ભૂલી પડી હશે? શું આ ભેંસની હિલચાલની (પણ) સરકાર દ્વારા જાસૂસી થતી હશે? શું એ ખરેખર ભેંસ જ હશે? કે ભેંસની ખાલમાં છુપાયેલો કોઇ આતંકવાદી? શું એ ભેંસ વર્ષો સુધી તેના માલિકે ભરેલું વીમાનું પ્રીમિયમ વસૂલ કરવા માટે વેપારી અંદાજમાં વિમાનની સામે જઇને અથડાઇ હશે?
આવી ઘટના વખતે કોઇ પૂછે, ‘અક્કલ બડી કે ભેંસ?’ તો શો જવાબ આપવો? ‘જબ કૂત્તેપે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ - એવી રીતે, જે જગ્યાએ વિમાન સાથે ભેંસ અથડાઇ એ જગ્યાએ ‘ભેંસાબાદ’, ‘મહિષીનગર’ કે ‘ટક્કરપુરા’ જેવું કોઇ શહેર વસાવવાની- કે કમ સે કમ, હાઉસિંગ સોસાયટીની એકાદ સ્કીમ મુકવાની સરકારશ્રીની કોઇ યોજના છે? આ ભેંસને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક ગણી શકાય કે કેમ? અથડાયેલી ભેંસનું શું થયું? જો એ વિમાન સાથેની ટક્કરમાં મૃત્યુ પામી હોય તો, તેનું વિશ્વમાં બીજા ક્રમનું ઊંચામાં ઊંચું સ્મારક બનાવી શકાય? અને એવું ગૌરવ લઇ શકાય કે ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ કરતાં તો અમારું ‘સ્ટેચ્યુ ઑફ માઇટી’ વધારે ઊંચું છે?
અવતારવાદમાં શ્રદ્ધા ધરાવતા આ દેશેમાં એવો સવાલ પણ અસ્થાને નથી કે શું એ ભેંસ અવતારી હશે? આ રીતે વિમાન સાથે અથડાઇને એ જગતને કશો સંદેશો આપવા માગતી હશે? ભોગવાદી પશ્ચિમે આઘ્યાત્મિક જ્ઞાન માટે હંમેશાં અઘ્યાત્મવાદી પૂર્વ ભણી જોયું છે. તો શું આપણા અનેક મહાનુભાવોની જેમ, આ ભેંસમાંથી પણ પશ્ચિમી જગત કશુંક આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે? શું ભેંસની વિમાન સાથેની ટક્કર ઉચ્ચ ટેકનોલોજીના મદમાં મહાલતા પશ્ચિમને પ્રાકૃતિક તાકાતનો પરચો આપવા માટેનું કુદરતી આયોજન છે? કે પછી વિકસિત ગુજરાતમાં (ગોચરની જેમ) ‘ભેંસચર’ની જમીનો અદૃશ્ય થઇ રહી છે તેની વઘુ એક ચેતવણી આપતી દુર્ઘટના છે?
અને વર્તમાન પત્રકારત્વનો સૌથી ‘રાષ્ટ્રિય’ સવાલ : અથડાયા પછી ભેંસને કેવું લાગ્યું હશે? (આપકો કૈસા લગ રહા હૈ?) આવી અનેક જિજ્ઞાસાઓ શમાવવા અને બીજી ભડકાવવા માટે લેવાયેલો ભેંસનો (કાલ્પનિક) ઇન્ટરવ્યુ.
સ : નમસ્કાર. આપણે સીધી વાતચીત ચાલુ કરી દઇએ?
જ : શ્યૉર. ‘બાઇટ’ જોઇએ છે કે ઇન્ટરવ્યુ?
સ : તમે તો બહુ મિડીયાસાવી છો.
જ : (સહેજ શરમાઇને) ચેનલવાળા ચર્ચા કરવા માટે ગમે તેને બોલાવે છે. એટલે તૈયાર રહેવું સારું.
સ : ઓકે, તો પહેલાં એ કહો કે દિલ્હી જતી ફ્લાઇટ સાથે તમારી ટક્કર થઇ અને વડાપ્રધાન મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના હતા- આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઇ સંબંધ ખરો?
જ : (હસે છે)
સ : આ મારા સવાલનો જવાબ નથી. ચોખ્ખું કહો : વિસ્તરણમાં તમારા માટે કોઇ સ્કોપ હતો? રાષ્ટ્રના હિતમાં જવાબદારી સ્વીકારવા માટે અમિતભાઇનો તમારી પર ફોન આવ્યો હતો?
જ : (મોટેથી હસે છે)
સ : હું કંઇ અર્નબ ગોસ્વામી નથી કે હું સિરીયસલી પૂછ્યે રાખું ને તમને ખડખડાટ હસવું આવે.
જ : નારાજ થવાની જરૂર નથી. તમે અર્નબ ગોસ્વામી નથી, તો હું વડાપ્રધાન મોદી પણ નથી. હું તમારા સવાલના જવાબ આપીશ. આંખો નહીં કાઢું.
સ : હાશ, તો આપો જવાબ.
જ : મને તો તમારા સવાલ પર હસવું આવતું હતું. રાજકારણમાં થોડીઘણી ખબર પડતી હોય એવા લોકો પણ જાણે છે કે વિસ્તરણ વખતે દોરે ત્યાં જાય એવી ગાયોનું કામ હોય- મારા જેવી ભેંસ ત્યાં જઇને શું કરે?
સ : બીજો સવાલ. તમારે લશ્કરે તોઇબા સાથે કોઇ સંબંધ ખરો? કે જમાત-ઉદ્-દાવા સાથે?
જ : થેન્ક્સ, આવું પૂછવાની તસ્દી લેવા બદલ. બાકી, ગુજરાતમાં તો આવું બઘું કોણ પૂછે છે? પોલીસ આવીને ઉઠાવી જાય. પછી સાબીત મારે કરવાનું કે હું તો કેવળ એક સીધીસાદી, સંસારી ભેંસ છું...પણ તમને આવું કેમ લાગ્યું?
સ : સિમ્પલ. તમારી વિમાન સાથેની ટક્કર ફીદાઇન પ્રકારનો મામલો હતી. થોડા દિવસ પહેલાં જ સરહદે આવો એક હુમલો...
જ : તમારી માણસોની આ જ તકલીફ છે. તમે બઘું તમારી આંખે જુઓ છો ને તમારા સ્વાર્થે વિચારો છો...ભેંસો એટલી અક્કલબુઠ્ઠી નથી હોતી કે એ ફીદાઇન થાય. અમારો કોઇ ધર્મ જ નથી કે જે અમને ત્રાસવાદના કે હુલ્લડબાજીના રવાડે ચડાવે. એ બઘું તમને સોંપ્યું.
સ : વાત તો તમે મુદ્દાની કરી, પણ તમારી વાત સાંભળીને કોઇને લાગે નહીં કે તમે વિમાન સાથે અથડાયેલાં એ જ...
જ : મને થયું કે જરા આજકાલની ફેશન પ્રમાણે વાત કરું. સો ઉંદરનાં મોત પછી હજ પણ પઢ્યા વિના બિલ્લી ઇમામ બની શકતી હોય, તો એક ભેંસ આટલું ન કરી શકે?
સ : તમે બહુ ચાલાક છો. તમારે પ્રવક્તા તરીકે ટ્રાય કરવો જોઇએ.
જ : થેન્ક્સ. હું ચાલાક હોઇશ, પણ જૂઠ્ઠી નથી. એટલે એ વાત છોડો.
સ : કેટલાકને એવું માનવું ગમે છે કે ગુજરાતમાં એટલો વિકાસ થઇ ગયો કે ભેંસો ઉડવા લાગી છે. એટલે આવા પ્રશ્નો સર્જાય છે.
જ : તો પછી એમને કહો કે વિમાનોને ઘાસ ખવડાવવાનું અને દોહવાનું ચાલુ કરી દે.
સ : હવે મુદ્દાનો સવાલ. એરપોર્ટની હદમાં તમે કેવી રીતે ઘૂસી ગયાં?
જ : એક મિનીટ. પહેલાં એ નક્કી કરી લઇએ કે હું એરપોર્ટની હદમાં ધૂસી હતી કે એરપોર્ટ મારી હદમાં ઘૂસી ગયું છે. એરપોર્ટની આસપાસના કે સુરતના કોઇ પણ માણસને પૂછી જુઓ : એ જગ્યા કોની હતી અને કોણ ઘૂસ્યું?
સ : બને કે પહેલાં એ તમારી ચરવાની જગ્યા હોય, પરંતુ હવે ત્યાં એરપોર્ટ થઇ ગયું છે. તેના લીધે કેટલા બધા માણસોને સુવિધા પડે છે. વિમાન સાથે ટકરાતાં પહેલાં તમારે વિમાનમાં બેઠેલા માણસોની કિમતી જિંદગી વિશે તો વિચારવું જોઇએ.
જ : કેમ જાણે, તમે બહુ વિચારી વિચારીને ઊંધા વળી ગયા. અમારી ચરવાની જમીનો પર ‘વિકાસ’ કરી નાખો ત્યારે તમે વિચારો છો? અરે, અમારી વાત છોડ- અમે તો ભેંસ છીએ- તમે તમારા જેવા માણસોની જમીનો છીનવી લો, એમનાં ખોરડાં પર બુલડોઝર ફેરવી દો, એમને વિસ્થાપિત બનાવી દો ત્યારે તમે કેટલું વિચારો છો? તમને વિમાનમાં બેઠેલા માણસોની ચિંતા થઇ. તો મેં જેમની વાત કરી એ બધાં માણસો નથી? (જરા શ્વાસ ખાઇને) હમણાં મેં કહ્યું હોત કે હું અદાણી કે અંબાણીની ભેંસ છું, તો કદાચ તમે મારી વિમાન સાથેની ટક્કરને પણ ‘વિકાસ માટે આવશ્યક’ ગણાવી દીધી હોત.
સ : તમે ડાબેરી છો?
જ : માણસની વાત કરનારને ‘ડાબેરી’ ગણીને કાઢી નાખવાની તમારી વિકૃતિ જોઇને અમે ઘણી વાર વિચારીએ છીએ : અમારા દૂધમાં એવું તે શું આવી ગયું કે જેથી માણસોની બુદ્ધિ આટલી હદે ભ્રષ્ટ થઇ?
સ : તમારી વિમાન સાથેની ટક્કર અંગે તપાસપંચ નીમાયું છે, એની તમને ખબર છે?
જ : હા, અને તપાસપંચનું શું થવાનું છે એ પણ ખબર છે.
સ : તમે કેમ આટલા નિરાશાવાદી છો? તમે ક્યાંક હતાશાના આવેગમાં તો વિમાન સાથે અથડાયાં હો એવું નથી ને ?
જ : ઘરમાં ઝગડો થાય તો ગામમાં ઉપદ્રવ મચાવવો, એ માણસનો સ્વભાવ છે. થેન્ક ગૉડ, અમે ભેંસ છીએ.
સ : હું જોઉં છું કે ક્યારના તમે ટોણા પર ટોણા મારો છો. માણસ તરીકે મારી સહનશક્તિની હવે હદ આવી છે. આપણે ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરીએ?
જ : ભલે, પણ ભેંસ તરીકે- અને પશુ તરીકે અમારી સહનશક્તિની હદ ક્યારની આવી ગઇ છે એનો પણ ફુરસદે વિચાર કરજો. ગુડ બાય.
(એ સાથે જ ભેંસનો ભાંભરવાનો અવાજ સાથે આંખ ખુલી જાય છે.)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Thursday, November 06, 2014
ભારતીય રાજકારણના નવા પ્રવાહો પ્રો.ભીખુ પારેખની નજરે (૨)
લોકસભાની ચૂંટણી પછી બદલાયેલાં ભારતનાં રાજકીય સમીકરણોનો રાજકીય નિષ્ણાતો હજુ તાગ મેળવી રહ્યા છે. આટલી ટૂંકી મુદતમાં કશો ચુકાદો આપવાનો પ્રશ્ન નથી-વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જેવું વિવાદાસ્પદ વ્યક્તિત્વ હોય ત્યારે તો ખાસ નહીં. પરંતુ વિદ્વાન અઘ્યાપક અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્ઝના સભ્ય પ્રો.ભીખુ પારેખ/ Prof. Bhikhu Parekh ભારતના રાજકીય પ્રવાહોને ઝીણવટપૂર્વક તપાસી રહ્યા છે. વડાપ્રધાન પ્રત્યે અભાવ કે અહોભાવ રાખ્યા વિના તેમણે કાઢેલાં કેટલાંક તારણ ગયા સપ્તાહે જોયાં હતાં. આ સપ્તાહે પ્રો.પારેખના લાંબા અનુભવ અને ઊંડા અભ્યાસના પરિપાક જેવાં થોડાં વઘુ તારણ. સાથે એટલી સ્પષ્ટતા કે પ્રો.પારેખ કોંગ્રેસ-ભાજપના કે મોદીતરફી-મોદીવિરોધીના સંકુચિત પરિપ્રેક્ષ્યથી ઉપર ઉઠીને વિશ્લેષણ કરવા માટે જાણીતા છે. તેમનાં આ તારણ આખરી અભિપ્રાય તરીકે નહીં, પણ નવા પ્રવાહો પામવાની મથામણ તરીકે - અને તેની સાથે મુદ્દાસર અસંમત થવાની પૂરી મોકળાશ સાથે- જોવાં.
(૧) સત્તાનું કેન્દ્ર બદલાય, એટલે બાકીના બધા પક્ષોનાં મૂલ્યો બદલાય છે. વિજેતા પક્ષ જે મૂલ્યોથી જીત્યો હોય, એ મૂલ્યો ઓછેવત્તે અંશે બધા પક્ષોમાં આવે છે. (ગુજરાતમાં કોમી હિંસા અને ત્યાર પછીના સમયમાં કોંગ્રેસે અપનાવેલી ‘સૉફ્ટ હિંદુત્વ’ની પૉલિસી આનું જાણીતું ઉદાહરણ છે.) પ્રો.પારેખે સેક્યુલારિઝમના મૂલ્ય વિશે ચાલી રહેલી ચર્ચા અને તેના બદલાયેલા સ્વરૂપનું ઉદાહરણ આપ્યું હતું.
(૨) નવા સત્તાધીશો તેમના વિચારો અને કાર્યોને પોષક એવો નવા જ પ્રકારના રાષ્ટ્રઘડતરનો એજેન્ડા ધરાવે છે. તેનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરતાં પ્રો. પારેખે બે કારણ આપ્યાં :
(૨-અ) સ્વતંત્રતાના સંઘર્ષ વખતે સર્વસંમતિના આધારે જે પોત ઊભું થયું હતું તે સમય જતાં બંધિયાર- વિચારજડ-રૂઢિચુસ્ત બની જાય તો બૌદ્ધિક તરીકે એ વૈચારિક જડતાનો આપણે ચોક્કસ વિરોધ કરવો જોઇએ. તેની સામે બૌદ્ધિક પ્રશ્નો ઊભા કરવા જ જોઇએ. પરંતુ જૂની વૈચારિક જડતાની સામે નવી વૈચારિક જડતાને મૂકવામાં આવે એ ન ચાલે. નવા સંજોગોમાં જ્ઞાનઆધારિત નવા વિચાર કે વાતાવરણ પેદા થતાં હોય તો તેને આવકારવા જોઇએ, પણ ૧૬ મે પછીના ભારતમાં જૂની જડતાનું સ્થાન નવી સુઆયોજિત જડતા લેવા લાગી છે.
દેશની સમસ્યાઓના ઉકેલ માટે એક પ્રકારને રૂઢિચુસ્તતાને ફગાવીને બીજી રૂઢિચુસ્તતા ગોઠવી દેવાથી દેશનું દળદર ફીટવાનું નથી. ઊલટું, લાંબા ગાળે તેમાંથી અંધાઘૂંધી ફેલાશે. નવી રૂઢિચુસ્તતાને ગમે તેટલી મેનીપ્યુલેટ કરીને- ચાલાકીથી રજૂ કરવામાં આવે તો પણ એ જડતા જ છે. માટે તેનો વિરોધ કરવો જોઇએ. આ પ્રકારની રૂઢિચુસ્તતામાં રાજ્યસત્તાની મંજૂરીમહોર તો ખાસ ન ચાલે.
સત્તામાં આવેલાં પરિબળોને તેમની વૈચારિક રૂઢિચુસ્તતા અંગે જ્ઞાન આધારિત ચર્ચામાં કોઇ રસ નથી- સિવાય કે તેમની જડતા તમે સ્વીકારો. આવી બૌદ્ધિક જડતા દેશ પર ઠોકી બેસાડવાની શરૂઆત થઇ ચૂકી છે. (પ્રો.પારેખે રૂઢિચુસ્તતા - જડતા - વિચારજડતા માટે વાપરેલો મૂળ અંગ્રેજી શબ્દ : ઑર્થોડૉક્સી)
(૨-બ) કોંગ્રેસમુક્ત ભારત એટલે શું? કોંગ્રેસ એટલે ફક્ત સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નેહરુ નથી. કોંગ્રેસનું બંધારણ છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો તેનો ભવ્ય વારસો છે. હજુ વિરોધ પક્ષ સોનિયા ગાંધીમુક્ત કોંગ્રેસની વાત કરે તો એ સમજી શકાય, પણ ‘કોંગ્રેસમુક્ત ભારત’ એટલે શું? નેહરુ ફક્ત વડાપ્રધાન ન હતા. તેમની એક વિચારધારા હતી. દેશની રાષ્ટ્રિય ફિલસૂફી કેવી હોવી જોઇએ એ વિશે તેમણે ૧૯૪૭માં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને તેના સાત મુદ્દા આપ્યા હતા.
તમારે નેહરુનો સમાજવાદ નથી જોઇતો? સારું, તો તમે દેશ ઉદ્યોગપતિઓને સોંપી દેવા માગો છો? નેહરુ ઝડપી ઔદ્યોગીકરણમાં માનતા હતા. વડાપ્રધાન મોદી પણ એવું જ નથી ઇચ્છતા? એટલા માટે તો એ ચીન અને જાપાન માટે લાલ જાજમ પાથરે છે. નેહરુ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે એના આગ્રહી હતા. વડાપ્રધાન મોદીનાં અમેરિકાનાં પ્રવચનોમાંથી ક્યાંય એવું દેખાતું નથી કે તે અંધશ્રદ્ધા કે ધર્માંધતા કે સામાજિક રૂઢિચુસ્તતાનો પ્રચાર કરતા હોય. જાદુગરો-મદારીઓના દેશ તરીકેની ભારતની છાપ તેમને પણ બદલવી છે. પરંતુ ગુજરાતમાં પૂરક વાચન તરીકે દાખલ કરાયેલાં સંઘ પરિવારનાં અને દીનાનાથ બત્રાનાં પુસ્તકો પરથી એવું ફલિત થાય છે કે નવી ઑર્થોડૉક્સીમાં તમારે નેેહરુના વૈજ્ઞાનિક મિજાજને ફગાવી દઇને અંધશ્રદ્ધા તથા પૌરાણિક ગૌરવના ઘેનમાં લોકોને રાખવા છે.
સંઘ પરિવાર અને ભાજપને નેહરુના ફિલોસૉફિકલ અને કલ્ચરલ વિચારો માટે ભારે પૂર્વગ્રહ છે, જેને દેશના મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો નવી ઑર્થોડૉક્સીનો ખ્યાલ છે. નેહરુ સાથે ગાંધીજી પણ હતા. તમે ગાંધીજીનું શું કરવા માગો છો? દેશપ્રેમનો દાવો કરનારાના મુસ્લિમવિરોધી અભિગમનું શું? ખરા દેશપ્રેમીઓ આવો અભિગમ રાખી શકે? આ બધામાં આખરે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના આંતરિક વિરોધાભાસનો મુદ્દો આવે છે. એ મારે સમજવા છે.
(૩) કેટલાંક ઉદાહરણ આપીને પ્રો.પારેખે કહ્યું કે આગામી વર્ષોમાં ગાંધીજીના ચરિત્રહનનના સંગઠિત પ્રયાસો થશે. તેમના બ્રહ્મચર્યના પ્રયોગોથી માંડીને એ બ્રિટિશ જાસુસ હતા, એ હદની વાતો ઉછાળવામાં આવશે. કોંગ્રેસમુક્ત દેશ પછી નેહરુમુક્ત દેશ, ગાંધીમુક્ત દેશ- આવી વ્યૂહાત્મક ઝુંબેશ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પેદા થયેલાં મૂલ્યોનો વારસો ખતમ કરવાની વાત છે. તેમની ગેરહાજરીમાં શૂન્યાવકાશ ઊભો થશે અને પછી નવી રૂઢિચુસ્તતા ઊભી થશે.
ભારતને એક દેશ તરીકે બાંધી રાખતો એક ‘યુનિફાઇંગ ઇન્ટલેક્ચુઅલ ટ્રેન્ડ’ હતો તેને વ્યવસ્થિત રીતે તોડવામાં આવી રહ્યો છે. તેમાં સફળતા મળે અને રાષ્ટ્રવ્યાપી બૌદ્ધિક શૂન્યાવકાશ પેદા થાય તો રાષ્ટ્રના ભવિષ્યનું શું?
(૪) બ્રિટનના મજૂર પક્ષ (લેબર પાર્ટી) સાથે સંકળાયેલા પ્રો.પારેખે માર્ગારેટ થેચરનો રૂઢિચુસ્ત પક્ષ ચૂંટણી પર ચૂંટણી જીતી રહ્યો હતો એ દિવસો અને એ સમયની ચર્ચાઓ યાદ કરી. બ્રિટનના ટોચના સમાજવાદી અને માર્ક્સવાદી બૌદ્ધિકોએ ત્યારે કહ્યું હતું કે નિદાન ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. અમે થેચરની આર્થિક નીતિ સમજવામાં નિષ્ફળ ગયા. લેબર પાર્ટીનો એજેન્ડા રાષ્ટ્રિયકરણનો હતો. થેચરે રાષ્ટ્રિયકરણ શરૂ કર્યું. એ બની ગયું ‘થેચરોનોમિક્સ’. લેબર પાર્ટીવાળાએ ધારી લીઘું કે થેચર મૂડીવાદી વિચારસરણીનું સાકાર સ્વરૂપ છે. ખરેખર તેમણે પહેલેથી પોતાની આર્થિક નીતિઓ ઘડી ન હતી. અમે વડાપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપ્યું. આવું જ કંઇક ‘મોદીત્વ’ અંગે છે. પ્રો.પારેખે કહ્યું કે મોદીત્વ જેવું, જેને તમે અલાયદું વિચારદર્શન કહો એવું કશું નથી. રાજકીય સત્તા મળ્યા પછી સત્તા જ તમને અમુક પ્રમાણમાં શીખવે છે કે કેવા નિર્ણય લેવા. એટલે ‘મોદીત્વ’ના મુદ્દે ‘થેચરીઝમ’ જેવી જ ભૂલનું પુનરાવર્તન થઇ રહ્યું છે.
(પ) ઘણા લોકો માને છે કે ભાજપને હિંદુત્વને કારણે સ્પષ્ટ બહુમતી મળી છે. પ્રો. પારેખ આ વાત સાથે સંમત નથી. ભાજપ અને સંઘ પરિવાર પાસે કયો ધર્મ છે? સાવરકર, હેડગેવાર અને વાજપેયી જેવા ટોચના નેતાઓ નાસ્તિક (એથીસ્ટ) હતા. ભાજપને હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિની તેમની વ્યાખ્યાઓ ઉપરાંત રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ફળ્યો છે.
‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’ના એક તારણમાં જણાવાયા પ્રમાણે, દેશના ૨૬ ટકા મુસ્લિમ મતદારોએ મોદીને-ભાજપને મત આપ્યા. જો મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર ન હોત તો તેમણે ભાજપને મત ન આપ્યા હોત. એકંદરે, ભાજપની જીતમાં હિંદુત્વ ઉપરાંત પણ બીજાં પરિબળો કારણભૂત હતાં. સોનિયા ગાંધી-મનમોહનસિંઘ દેશને ક્યાં લઇ જશે, ચીન ભારતથી કેમ આગળ નીકળી ગયું- એવા સવાલો પણ એ માટે અંશતઃ કારણભૂત ખરા.
(૬) ‘છેલ્લાં એકસો વર્ષમાં ભારતમાં મુસ્લિમોનું સ્થાન શું, એનો જવાબ હજુ મને મળ્યો નથી’ - એમ કહીને પ્રો.પારેખે બંધારણસભાની ચર્ચાઓ વિશે વાત કરી હતી. તેમણે નિરીક્ષણ લેખે કહ્યું કે આઝાદ ભારતનાં પ્રતીકોમાં ક્યાંય ઇસ્લામનું પ્રતિનિધિત્વ નથી અને ‘લૉજિકલ ગ્રામર ઑફ ધ કન્સ્ટીટ્યુશન’- બંધારણની ભાષાના પોતનો તર્કબદ્ધ અભ્યાસ કરવામાં આવે તો તેમાં એવો નિષ્કર્ષ નીકળે છે કે આ દેશ હિંદુઓનો છે અને અમે જ પ્રભુત્વમાં રહીશું, પણ મુસ્લિમોના હિતને નુકસાન ન થાય એની અમે ખાતરી આપીએ છીએ. એ સમય એવો હતો. બ્રિટિશરોએ એવું કહ્યું કે આ દેશ હિંદુઓનો છે અને રહેવાનો છે. આપણી એ માની લીઘું. આવી સંસ્થાનવાદી ધારણાઓમાંથી બહાર નીકળવું સરળ નથી. પણ એ સંદર્ભે પુનઃવિચાર જરૂરી છે. રાજ્યને તેના જુદા જુદા સામાજિક સમુહો સાથે કેવા સંબંધ હોઇ શકે? બ્રિટનમાં અને અમેરિકામાં પણ આ ચર્ચા ચાલી રહી છે. આ સવાલ પંડિતજીના જમાનામાં પણ પજવતો હતો અને વડાપ્રધાન મોદીના શાસનમાં પણ વધારે તીવ્રતાથી તેમને પજવશે.
અનેક મુદ્દા પર છણાવટ કર્યા પછી પ્રો.પારેખે કહ્યું કે વિચારોનો સામનો વિચારોથી જ થઇ શકે. કાર્લ માર્ક્સને ટાંકીને તેમણે કહ્યું, ‘વેપન્સ ઑફ આઇડીયાઝ આર આઇડીયાઝ ધેમસેવ્ઝ’. (વિચાર પોતેે જ પોતાનું હથિયાર છે.) માટે, ખુલ્લાશથી ચર્ચા થવી જોઇએ, વાદ અને પ્રતિવાદ થવો જોઇએ. સામા પક્ષના બૌદ્ધિક ગણાતા માણસો સાથે સંવાદ થવો જોઇએ. એ માટે હાઉસ ઑફ લૉર્ડ્ઝમાં ‘ઇન્ડિયા ડીબેટ્સ’ નામનો મંચ ઊભો થયો છે. તેમાં વિવિધ નિષ્ણાતો અને નેતાઓને બોલાવીને આ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. એવું જ કંઇક ભારતમાં અને ગુજરાતમાં પણ થાય અને ‘હઇસો હઇસો’ને બદલે ધોરણસરની ચર્ચાનો માહોલ ઊભો થાય એ જરૂરી છે.
(૧) સત્તાનું કેન્દ્ર બદલાય, એટલે બાકીના બધા પક્ષોનાં મૂલ્યો બદલાય છે. વિજેતા પક્ષ જે મૂલ્યોથી જીત્યો હોય, એ મૂલ્યો ઓછેવત્તે અંશે બધા પક્ષોમાં આવે છે. (ગુજરાતમાં કોમી હિંસા અને ત્યાર પછીના સમયમાં કોંગ્રેસે અપનાવેલી ‘સૉફ્ટ હિંદુત્વ’ની પૉલિસી આનું જાણીતું ઉદાહરણ છે.) પ્રો.પારેખે સેક્યુલારિઝમના મૂલ્ય વિશે ચાલી રહેલી ચર્ચા અને તેના બદલાયેલા સ્વરૂપનું ઉદાહરણ આપ્યું હતું.
(૨) નવા સત્તાધીશો તેમના વિચારો અને કાર્યોને પોષક એવો નવા જ પ્રકારના રાષ્ટ્રઘડતરનો એજેન્ડા ધરાવે છે. તેનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરતાં પ્રો. પારેખે બે કારણ આપ્યાં :
(૨-અ) સ્વતંત્રતાના સંઘર્ષ વખતે સર્વસંમતિના આધારે જે પોત ઊભું થયું હતું તે સમય જતાં બંધિયાર- વિચારજડ-રૂઢિચુસ્ત બની જાય તો બૌદ્ધિક તરીકે એ વૈચારિક જડતાનો આપણે ચોક્કસ વિરોધ કરવો જોઇએ. તેની સામે બૌદ્ધિક પ્રશ્નો ઊભા કરવા જ જોઇએ. પરંતુ જૂની વૈચારિક જડતાની સામે નવી વૈચારિક જડતાને મૂકવામાં આવે એ ન ચાલે. નવા સંજોગોમાં જ્ઞાનઆધારિત નવા વિચાર કે વાતાવરણ પેદા થતાં હોય તો તેને આવકારવા જોઇએ, પણ ૧૬ મે પછીના ભારતમાં જૂની જડતાનું સ્થાન નવી સુઆયોજિત જડતા લેવા લાગી છે.
દેશની સમસ્યાઓના ઉકેલ માટે એક પ્રકારને રૂઢિચુસ્તતાને ફગાવીને બીજી રૂઢિચુસ્તતા ગોઠવી દેવાથી દેશનું દળદર ફીટવાનું નથી. ઊલટું, લાંબા ગાળે તેમાંથી અંધાઘૂંધી ફેલાશે. નવી રૂઢિચુસ્તતાને ગમે તેટલી મેનીપ્યુલેટ કરીને- ચાલાકીથી રજૂ કરવામાં આવે તો પણ એ જડતા જ છે. માટે તેનો વિરોધ કરવો જોઇએ. આ પ્રકારની રૂઢિચુસ્તતામાં રાજ્યસત્તાની મંજૂરીમહોર તો ખાસ ન ચાલે.
સત્તામાં આવેલાં પરિબળોને તેમની વૈચારિક રૂઢિચુસ્તતા અંગે જ્ઞાન આધારિત ચર્ચામાં કોઇ રસ નથી- સિવાય કે તેમની જડતા તમે સ્વીકારો. આવી બૌદ્ધિક જડતા દેશ પર ઠોકી બેસાડવાની શરૂઆત થઇ ચૂકી છે. (પ્રો.પારેખે રૂઢિચુસ્તતા - જડતા - વિચારજડતા માટે વાપરેલો મૂળ અંગ્રેજી શબ્દ : ઑર્થોડૉક્સી)
(૨-બ) કોંગ્રેસમુક્ત ભારત એટલે શું? કોંગ્રેસ એટલે ફક્ત સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નેહરુ નથી. કોંગ્રેસનું બંધારણ છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો તેનો ભવ્ય વારસો છે. હજુ વિરોધ પક્ષ સોનિયા ગાંધીમુક્ત કોંગ્રેસની વાત કરે તો એ સમજી શકાય, પણ ‘કોંગ્રેસમુક્ત ભારત’ એટલે શું? નેહરુ ફક્ત વડાપ્રધાન ન હતા. તેમની એક વિચારધારા હતી. દેશની રાષ્ટ્રિય ફિલસૂફી કેવી હોવી જોઇએ એ વિશે તેમણે ૧૯૪૭માં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને તેના સાત મુદ્દા આપ્યા હતા.
તમારે નેહરુનો સમાજવાદ નથી જોઇતો? સારું, તો તમે દેશ ઉદ્યોગપતિઓને સોંપી દેવા માગો છો? નેહરુ ઝડપી ઔદ્યોગીકરણમાં માનતા હતા. વડાપ્રધાન મોદી પણ એવું જ નથી ઇચ્છતા? એટલા માટે તો એ ચીન અને જાપાન માટે લાલ જાજમ પાથરે છે. નેહરુ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે એના આગ્રહી હતા. વડાપ્રધાન મોદીનાં અમેરિકાનાં પ્રવચનોમાંથી ક્યાંય એવું દેખાતું નથી કે તે અંધશ્રદ્ધા કે ધર્માંધતા કે સામાજિક રૂઢિચુસ્તતાનો પ્રચાર કરતા હોય. જાદુગરો-મદારીઓના દેશ તરીકેની ભારતની છાપ તેમને પણ બદલવી છે. પરંતુ ગુજરાતમાં પૂરક વાચન તરીકે દાખલ કરાયેલાં સંઘ પરિવારનાં અને દીનાનાથ બત્રાનાં પુસ્તકો પરથી એવું ફલિત થાય છે કે નવી ઑર્થોડૉક્સીમાં તમારે નેેહરુના વૈજ્ઞાનિક મિજાજને ફગાવી દઇને અંધશ્રદ્ધા તથા પૌરાણિક ગૌરવના ઘેનમાં લોકોને રાખવા છે.
સંઘ પરિવાર અને ભાજપને નેહરુના ફિલોસૉફિકલ અને કલ્ચરલ વિચારો માટે ભારે પૂર્વગ્રહ છે, જેને દેશના મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો નવી ઑર્થોડૉક્સીનો ખ્યાલ છે. નેહરુ સાથે ગાંધીજી પણ હતા. તમે ગાંધીજીનું શું કરવા માગો છો? દેશપ્રેમનો દાવો કરનારાના મુસ્લિમવિરોધી અભિગમનું શું? ખરા દેશપ્રેમીઓ આવો અભિગમ રાખી શકે? આ બધામાં આખરે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના આંતરિક વિરોધાભાસનો મુદ્દો આવે છે. એ મારે સમજવા છે.
(૩) કેટલાંક ઉદાહરણ આપીને પ્રો.પારેખે કહ્યું કે આગામી વર્ષોમાં ગાંધીજીના ચરિત્રહનનના સંગઠિત પ્રયાસો થશે. તેમના બ્રહ્મચર્યના પ્રયોગોથી માંડીને એ બ્રિટિશ જાસુસ હતા, એ હદની વાતો ઉછાળવામાં આવશે. કોંગ્રેસમુક્ત દેશ પછી નેહરુમુક્ત દેશ, ગાંધીમુક્ત દેશ- આવી વ્યૂહાત્મક ઝુંબેશ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પેદા થયેલાં મૂલ્યોનો વારસો ખતમ કરવાની વાત છે. તેમની ગેરહાજરીમાં શૂન્યાવકાશ ઊભો થશે અને પછી નવી રૂઢિચુસ્તતા ઊભી થશે.
ભારતને એક દેશ તરીકે બાંધી રાખતો એક ‘યુનિફાઇંગ ઇન્ટલેક્ચુઅલ ટ્રેન્ડ’ હતો તેને વ્યવસ્થિત રીતે તોડવામાં આવી રહ્યો છે. તેમાં સફળતા મળે અને રાષ્ટ્રવ્યાપી બૌદ્ધિક શૂન્યાવકાશ પેદા થાય તો રાષ્ટ્રના ભવિષ્યનું શું?
(૪) બ્રિટનના મજૂર પક્ષ (લેબર પાર્ટી) સાથે સંકળાયેલા પ્રો.પારેખે માર્ગારેટ થેચરનો રૂઢિચુસ્ત પક્ષ ચૂંટણી પર ચૂંટણી જીતી રહ્યો હતો એ દિવસો અને એ સમયની ચર્ચાઓ યાદ કરી. બ્રિટનના ટોચના સમાજવાદી અને માર્ક્સવાદી બૌદ્ધિકોએ ત્યારે કહ્યું હતું કે નિદાન ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. અમે થેચરની આર્થિક નીતિ સમજવામાં નિષ્ફળ ગયા. લેબર પાર્ટીનો એજેન્ડા રાષ્ટ્રિયકરણનો હતો. થેચરે રાષ્ટ્રિયકરણ શરૂ કર્યું. એ બની ગયું ‘થેચરોનોમિક્સ’. લેબર પાર્ટીવાળાએ ધારી લીઘું કે થેચર મૂડીવાદી વિચારસરણીનું સાકાર સ્વરૂપ છે. ખરેખર તેમણે પહેલેથી પોતાની આર્થિક નીતિઓ ઘડી ન હતી. અમે વડાપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપ્યું. આવું જ કંઇક ‘મોદીત્વ’ અંગે છે. પ્રો.પારેખે કહ્યું કે મોદીત્વ જેવું, જેને તમે અલાયદું વિચારદર્શન કહો એવું કશું નથી. રાજકીય સત્તા મળ્યા પછી સત્તા જ તમને અમુક પ્રમાણમાં શીખવે છે કે કેવા નિર્ણય લેવા. એટલે ‘મોદીત્વ’ના મુદ્દે ‘થેચરીઝમ’ જેવી જ ભૂલનું પુનરાવર્તન થઇ રહ્યું છે.
(પ) ઘણા લોકો માને છે કે ભાજપને હિંદુત્વને કારણે સ્પષ્ટ બહુમતી મળી છે. પ્રો. પારેખ આ વાત સાથે સંમત નથી. ભાજપ અને સંઘ પરિવાર પાસે કયો ધર્મ છે? સાવરકર, હેડગેવાર અને વાજપેયી જેવા ટોચના નેતાઓ નાસ્તિક (એથીસ્ટ) હતા. ભાજપને હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિની તેમની વ્યાખ્યાઓ ઉપરાંત રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ફળ્યો છે.
‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’ના એક તારણમાં જણાવાયા પ્રમાણે, દેશના ૨૬ ટકા મુસ્લિમ મતદારોએ મોદીને-ભાજપને મત આપ્યા. જો મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર ન હોત તો તેમણે ભાજપને મત ન આપ્યા હોત. એકંદરે, ભાજપની જીતમાં હિંદુત્વ ઉપરાંત પણ બીજાં પરિબળો કારણભૂત હતાં. સોનિયા ગાંધી-મનમોહનસિંઘ દેશને ક્યાં લઇ જશે, ચીન ભારતથી કેમ આગળ નીકળી ગયું- એવા સવાલો પણ એ માટે અંશતઃ કારણભૂત ખરા.
(૬) ‘છેલ્લાં એકસો વર્ષમાં ભારતમાં મુસ્લિમોનું સ્થાન શું, એનો જવાબ હજુ મને મળ્યો નથી’ - એમ કહીને પ્રો.પારેખે બંધારણસભાની ચર્ચાઓ વિશે વાત કરી હતી. તેમણે નિરીક્ષણ લેખે કહ્યું કે આઝાદ ભારતનાં પ્રતીકોમાં ક્યાંય ઇસ્લામનું પ્રતિનિધિત્વ નથી અને ‘લૉજિકલ ગ્રામર ઑફ ધ કન્સ્ટીટ્યુશન’- બંધારણની ભાષાના પોતનો તર્કબદ્ધ અભ્યાસ કરવામાં આવે તો તેમાં એવો નિષ્કર્ષ નીકળે છે કે આ દેશ હિંદુઓનો છે અને અમે જ પ્રભુત્વમાં રહીશું, પણ મુસ્લિમોના હિતને નુકસાન ન થાય એની અમે ખાતરી આપીએ છીએ. એ સમય એવો હતો. બ્રિટિશરોએ એવું કહ્યું કે આ દેશ હિંદુઓનો છે અને રહેવાનો છે. આપણી એ માની લીઘું. આવી સંસ્થાનવાદી ધારણાઓમાંથી બહાર નીકળવું સરળ નથી. પણ એ સંદર્ભે પુનઃવિચાર જરૂરી છે. રાજ્યને તેના જુદા જુદા સામાજિક સમુહો સાથે કેવા સંબંધ હોઇ શકે? બ્રિટનમાં અને અમેરિકામાં પણ આ ચર્ચા ચાલી રહી છે. આ સવાલ પંડિતજીના જમાનામાં પણ પજવતો હતો અને વડાપ્રધાન મોદીના શાસનમાં પણ વધારે તીવ્રતાથી તેમને પજવશે.
અનેક મુદ્દા પર છણાવટ કર્યા પછી પ્રો.પારેખે કહ્યું કે વિચારોનો સામનો વિચારોથી જ થઇ શકે. કાર્લ માર્ક્સને ટાંકીને તેમણે કહ્યું, ‘વેપન્સ ઑફ આઇડીયાઝ આર આઇડીયાઝ ધેમસેવ્ઝ’. (વિચાર પોતેે જ પોતાનું હથિયાર છે.) માટે, ખુલ્લાશથી ચર્ચા થવી જોઇએ, વાદ અને પ્રતિવાદ થવો જોઇએ. સામા પક્ષના બૌદ્ધિક ગણાતા માણસો સાથે સંવાદ થવો જોઇએ. એ માટે હાઉસ ઑફ લૉર્ડ્ઝમાં ‘ઇન્ડિયા ડીબેટ્સ’ નામનો મંચ ઊભો થયો છે. તેમાં વિવિધ નિષ્ણાતો અને નેતાઓને બોલાવીને આ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. એવું જ કંઇક ભારતમાં અને ગુજરાતમાં પણ થાય અને ‘હઇસો હઇસો’ને બદલે ધોરણસરની ચર્ચાનો માહોલ ઊભો થાય એ જરૂરી છે.
Labels:
bjp,
congress,
history/ઇતિહાસ,
politics
Tuesday, November 04, 2014
બુખારીની જાગીર
(ગુજરાત સમાચાર, તંત્રીલેખ, ૪-૧૧-૨૦૧૪)
દેશમાં રાજા-રજવાડાં ને સલ્તનતો આથમી ગયાને વર્ષો વીતી ગયાં, પણ કેટલાક લોકો હજુ પોતાના ‘રાજાપાઠ’માંથી બહાર આવવા માગતા નથી. એવા એક ભાઇ છે દિલ્હીની જામા મસ્જિદના ઇમામ. મોગલોના જમાનામાં દિલ્હી-આગ્રા જેવાં શહેરોમાં જામા મસ્જિદને રાજ્યાશ્રય હતો અને તેના ઇમામ (વડા) બાદશાહ પોતે નીમતા હતા. જમાનો રાજાશાહીનો હતો. એટલે એ ઇમામો ‘શાહી ઇમામ’ કહેવાતા. ૧૮૫૭માં રહીસહી મોગલ સલ્તનતનું ઉઠમણું થઇ ગયું, પણ ‘શાહી ઇમામ’નો હોદ્દો ચાલુ રહ્યો. લોકશાહી ભારતનો જન્મ થયા પછી પણ દિલ્હીની જામા મસ્જિદના ઇમામનું શાહીપણું ગયું નહીં.
ઇમામનું શાહીપણું એ એકમાત્ર વાંધાજનક બાબત નથી. એ શાહીપણું લાયકાતને બદલે વંશપરંપરાથી એનાયત થાય અને શાહી ઇમામનો મોટો પુત્ર શાહી ઇમામ બને એ બીજો વાંધો છે. કોઇ ધર્મ વંશપરંપરાનો આગ્રહ રાખી શકે નહીં. ધાર્મિક વડા બનવા માટે અણીશુદ્ધ ધાર્મિક આચરણ અને ધર્મનું પૂરતું જ્ઞાન અનિવાર્ય ગણાય. પરંતુ ધાર્મિક લાયકાતને બદલે ‘ખાનબહાદુર’ જેવો હોદ્દો બની ચૂકેલું ‘શાહી ઇમામ’ તરીકેનું લટકણીયું વંશપરંપરાગત બની ગયું. એટલું જ નહીં, સમય જતાં મુસ્લિમ મતબેન્કને હાથમાં રાખવા આતુર કોંગ્રેસ તરફથી તેને રાજ્યાશ્રય મળ્યો. એટલે ઇમામનું શાહીપણું બરખાસ્ત થઇ જવાને બદલે, દબદબાભેર આગળ વઘ્યું. શાહી ઇમામ તેમની ધાર્મિક લાયકાતને બદલે તેમનાં રાજકીય સમીકરણો અને પછાત-રૂઢિચુસ્ત મનોદશા સૂચવતા ફતવાઓ માટે કુખ્યાત બનવા લાગ્યા.
વર્તમાન ઇમામ બુખારી એ રીતે ભારે વિવાદાસ્પદ રહ્યા છે. તેમણે ભારતીય મુસ્લિમોની સેવા કરતાં કુસેવા વધારે કરી છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. આ ભાઇ હવે પોતાનું શાહીપણું પોતાના પુત્રને આપવાનો ભવ્ય સમારંભ યોજવાના છે. કુરાનમાં કે હદીસમાં ક્યાં આવો ભપકો કરવાનું લખ્યું છે એ તો ઇમામ જાણે, પણ આ ઇમામે પોતાના મોટા પુત્રને બદલે નાના પુત્રને પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું છે. આ લોકો ધાર્મિક હોદ્દાને તો ઠીક, આખા મુસ્લિમ સમાજને પણ બાપીકી જાગીર ગણતા હોય એવું વર્તન કરે છે. આ ઇમામભાઇનો ‘નાયબ શાહી ઇમામ’ બનનારો પુત્ર હજુ માંડ ૧૯ વર્ષનો છે, પણ ઇમામભાઇ એને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દેવા તલપાપડ છે.
આમ તો ઇમામ અને તેમના સમાજ વચ્ચેનો આ મામલો કહેવાય. તેમની આવી વર્તણૂંક અને વારસાઇની ‘ધર્મના નામે કેવું કેવું ચાલે છે’ એ રીતે ટીકા થઇ શકે. પરંતુ ‘શાહી’નો કેફ ધરાવતા ઇમામ પોતાના દીકરાને ઉત્તરાધિકારી બનાવવાના સમારંભ બાબતે હદ વટાવી ગયા છે. તેમણે આ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન સહિત બીજા ઘણા દેશોના વડાઓને આમંત્રણ આપ્યાં છે, પરંતુ ભારતના વડાપ્રધાનને આમંત્ર્યા નથી. એટલું જ નહીં, એમ પણ કહ્યું છે કે ‘ભારતના વડાપ્રધાનને ગુજરાતનાં રમખાણ માટે મુસ્લિમોએ માફ કર્યા નથી. આ અંગત મામલો નથી. એમને અમે નથી ગમતા ને અમને એ નથી ગમતા.’
દેખીતી રીતે જ ઇમામ ભીંત ભૂલ્યા છે. એમને સમજણ પડવી જોઇએ કે તે ભારતના નાગરિક છે અને તે ઇચ્છે કે ન ઇચ્છે, પણ મોદી ભારતના વડાપ્રધાન છે. વડાપ્રધાન તરીકે મોદી સામેના બધા વાંધા ઊભા રાખીને, વાજબી મુદ્દા પર તેમનો તીવ્ર વિરોધ ચાલુ રાખીને પણ, તેમને દેશના વડાપ્રધાન તરીકે મળવાપાત્ર માન આપવું રહ્યું. બીજા દેશોના વડાઓને નિમંત્રણ અપાતાં હોય, જેની સાથેની સરહદ સતત સળગતી રહે છે એ પાકિસ્તાનના વડાપ્રધાને નોતરું દેવાયું હોય, ત્યારે ભારતના વડાપ્રધાનને ન બોલાવવા એ કોઇ રીતે વાજબી ન ઠરાવી શકાય એવી, અક્ષમ્ય ચેષ્ટા છે. એનાથી પણ વધારે ખરાબ બાબત એ છે કે તે ભારતના મુસ્લિમોની લાગણી આગળ ધરીને દેશના વડાપ્રધાનને બોલાવતા નથી ને પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવે છે. આવા નિર્ણયો લેનારા ઇમામ હોય ત્યારે ભારતના મુસ્લિમોને સમાજનું અહિત કરનારા દુશ્મન બહાર શોધવાની જરૂર રહેતી નથી.
ઇમામ તેમની ચેષ્ટાથી એવું સાબીત કરવા માગે છે, જાણે ભારતના મુસ્લિમોનો પાકિસ્તાન સાથે નૈસર્ગીક સંબંધ હોય. હકીકતે આ બાબત જમણેરી સંગઠનો આરોપ તરીકે છાશવારે કહેતાં હોય, ત્યારે ઇમામ પોતાની વર્તણૂંકથી શત્રુભાવે પણ તેને સમર્થન આપે, તેનાથી ભારતીય મુસ્લિમોનું અહિત થાય છે. રહી વાત વડાપ્રધાન સામે મુસ્લિમોની નારાજગીની. એ બાબતમાં બુખારીને મુસ્લિમોએ પ્રતિનિધિ નીમ્યા હોય એવું ક્યાંય જણાયું નથી. બુખારીની ચૂંટણીલક્ષી અપીલોને એવો પ્રતિસાદ પણ મળ્યો નથી. ‘શાહી ઇમામ’ ગણાવા આતુર બુખારી મોદીનો બોલકો વિરોધ કરીને મુસ્લિમ મતોને કોંગ્રેસની ઝોળીમાં નાખવા માગતા હોય, તો તેમણે કોંગ્રેસ પાસે પણ હિસાબ માગવાનો થાય કે ગુજરાતની હિંસા વખતે કોંગ્રેસે શું કર્યું? સાથોસાથ, તેમણે પોતે પણ એ વાતનો જવાબ આપવાનો થાય કે ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે તેમણે શું કર્યું? ભારતના વડાપ્રધાનને બાકાત રાખીને, પાકિસ્તાનના વડાપ્રધાનને નોતરીને ઇમામે પોતાના હોદ્દાની રહીસહી ગરીમા નષ્ટ કરી છે.
દેશમાં રાજા-રજવાડાં ને સલ્તનતો આથમી ગયાને વર્ષો વીતી ગયાં, પણ કેટલાક લોકો હજુ પોતાના ‘રાજાપાઠ’માંથી બહાર આવવા માગતા નથી. એવા એક ભાઇ છે દિલ્હીની જામા મસ્જિદના ઇમામ. મોગલોના જમાનામાં દિલ્હી-આગ્રા જેવાં શહેરોમાં જામા મસ્જિદને રાજ્યાશ્રય હતો અને તેના ઇમામ (વડા) બાદશાહ પોતે નીમતા હતા. જમાનો રાજાશાહીનો હતો. એટલે એ ઇમામો ‘શાહી ઇમામ’ કહેવાતા. ૧૮૫૭માં રહીસહી મોગલ સલ્તનતનું ઉઠમણું થઇ ગયું, પણ ‘શાહી ઇમામ’નો હોદ્દો ચાલુ રહ્યો. લોકશાહી ભારતનો જન્મ થયા પછી પણ દિલ્હીની જામા મસ્જિદના ઇમામનું શાહીપણું ગયું નહીં.
ઇમામનું શાહીપણું એ એકમાત્ર વાંધાજનક બાબત નથી. એ શાહીપણું લાયકાતને બદલે વંશપરંપરાથી એનાયત થાય અને શાહી ઇમામનો મોટો પુત્ર શાહી ઇમામ બને એ બીજો વાંધો છે. કોઇ ધર્મ વંશપરંપરાનો આગ્રહ રાખી શકે નહીં. ધાર્મિક વડા બનવા માટે અણીશુદ્ધ ધાર્મિક આચરણ અને ધર્મનું પૂરતું જ્ઞાન અનિવાર્ય ગણાય. પરંતુ ધાર્મિક લાયકાતને બદલે ‘ખાનબહાદુર’ જેવો હોદ્દો બની ચૂકેલું ‘શાહી ઇમામ’ તરીકેનું લટકણીયું વંશપરંપરાગત બની ગયું. એટલું જ નહીં, સમય જતાં મુસ્લિમ મતબેન્કને હાથમાં રાખવા આતુર કોંગ્રેસ તરફથી તેને રાજ્યાશ્રય મળ્યો. એટલે ઇમામનું શાહીપણું બરખાસ્ત થઇ જવાને બદલે, દબદબાભેર આગળ વઘ્યું. શાહી ઇમામ તેમની ધાર્મિક લાયકાતને બદલે તેમનાં રાજકીય સમીકરણો અને પછાત-રૂઢિચુસ્ત મનોદશા સૂચવતા ફતવાઓ માટે કુખ્યાત બનવા લાગ્યા.
વર્તમાન ઇમામ બુખારી એ રીતે ભારે વિવાદાસ્પદ રહ્યા છે. તેમણે ભારતીય મુસ્લિમોની સેવા કરતાં કુસેવા વધારે કરી છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. આ ભાઇ હવે પોતાનું શાહીપણું પોતાના પુત્રને આપવાનો ભવ્ય સમારંભ યોજવાના છે. કુરાનમાં કે હદીસમાં ક્યાં આવો ભપકો કરવાનું લખ્યું છે એ તો ઇમામ જાણે, પણ આ ઇમામે પોતાના મોટા પુત્રને બદલે નાના પુત્રને પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું છે. આ લોકો ધાર્મિક હોદ્દાને તો ઠીક, આખા મુસ્લિમ સમાજને પણ બાપીકી જાગીર ગણતા હોય એવું વર્તન કરે છે. આ ઇમામભાઇનો ‘નાયબ શાહી ઇમામ’ બનનારો પુત્ર હજુ માંડ ૧૯ વર્ષનો છે, પણ ઇમામભાઇ એને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દેવા તલપાપડ છે.
આમ તો ઇમામ અને તેમના સમાજ વચ્ચેનો આ મામલો કહેવાય. તેમની આવી વર્તણૂંક અને વારસાઇની ‘ધર્મના નામે કેવું કેવું ચાલે છે’ એ રીતે ટીકા થઇ શકે. પરંતુ ‘શાહી’નો કેફ ધરાવતા ઇમામ પોતાના દીકરાને ઉત્તરાધિકારી બનાવવાના સમારંભ બાબતે હદ વટાવી ગયા છે. તેમણે આ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન સહિત બીજા ઘણા દેશોના વડાઓને આમંત્રણ આપ્યાં છે, પરંતુ ભારતના વડાપ્રધાનને આમંત્ર્યા નથી. એટલું જ નહીં, એમ પણ કહ્યું છે કે ‘ભારતના વડાપ્રધાનને ગુજરાતનાં રમખાણ માટે મુસ્લિમોએ માફ કર્યા નથી. આ અંગત મામલો નથી. એમને અમે નથી ગમતા ને અમને એ નથી ગમતા.’
દેખીતી રીતે જ ઇમામ ભીંત ભૂલ્યા છે. એમને સમજણ પડવી જોઇએ કે તે ભારતના નાગરિક છે અને તે ઇચ્છે કે ન ઇચ્છે, પણ મોદી ભારતના વડાપ્રધાન છે. વડાપ્રધાન તરીકે મોદી સામેના બધા વાંધા ઊભા રાખીને, વાજબી મુદ્દા પર તેમનો તીવ્ર વિરોધ ચાલુ રાખીને પણ, તેમને દેશના વડાપ્રધાન તરીકે મળવાપાત્ર માન આપવું રહ્યું. બીજા દેશોના વડાઓને નિમંત્રણ અપાતાં હોય, જેની સાથેની સરહદ સતત સળગતી રહે છે એ પાકિસ્તાનના વડાપ્રધાને નોતરું દેવાયું હોય, ત્યારે ભારતના વડાપ્રધાનને ન બોલાવવા એ કોઇ રીતે વાજબી ન ઠરાવી શકાય એવી, અક્ષમ્ય ચેષ્ટા છે. એનાથી પણ વધારે ખરાબ બાબત એ છે કે તે ભારતના મુસ્લિમોની લાગણી આગળ ધરીને દેશના વડાપ્રધાનને બોલાવતા નથી ને પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવે છે. આવા નિર્ણયો લેનારા ઇમામ હોય ત્યારે ભારતના મુસ્લિમોને સમાજનું અહિત કરનારા દુશ્મન બહાર શોધવાની જરૂર રહેતી નથી.
ઇમામ તેમની ચેષ્ટાથી એવું સાબીત કરવા માગે છે, જાણે ભારતના મુસ્લિમોનો પાકિસ્તાન સાથે નૈસર્ગીક સંબંધ હોય. હકીકતે આ બાબત જમણેરી સંગઠનો આરોપ તરીકે છાશવારે કહેતાં હોય, ત્યારે ઇમામ પોતાની વર્તણૂંકથી શત્રુભાવે પણ તેને સમર્થન આપે, તેનાથી ભારતીય મુસ્લિમોનું અહિત થાય છે. રહી વાત વડાપ્રધાન સામે મુસ્લિમોની નારાજગીની. એ બાબતમાં બુખારીને મુસ્લિમોએ પ્રતિનિધિ નીમ્યા હોય એવું ક્યાંય જણાયું નથી. બુખારીની ચૂંટણીલક્ષી અપીલોને એવો પ્રતિસાદ પણ મળ્યો નથી. ‘શાહી ઇમામ’ ગણાવા આતુર બુખારી મોદીનો બોલકો વિરોધ કરીને મુસ્લિમ મતોને કોંગ્રેસની ઝોળીમાં નાખવા માગતા હોય, તો તેમણે કોંગ્રેસ પાસે પણ હિસાબ માગવાનો થાય કે ગુજરાતની હિંસા વખતે કોંગ્રેસે શું કર્યું? સાથોસાથ, તેમણે પોતે પણ એ વાતનો જવાબ આપવાનો થાય કે ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે તેમણે શું કર્યું? ભારતના વડાપ્રધાનને બાકાત રાખીને, પાકિસ્તાનના વડાપ્રધાનને નોતરીને ઇમામે પોતાના હોદ્દાની રહીસહી ગરીમા નષ્ટ કરી છે.
Labels:
muslims
Wednesday, October 29, 2014
મિશન સફાઇ : દિવાળી આવૃત્તિ
દિવાળીને સ્વચ્છતા સાથે સીધો સંબંધ છે. પ્રાચીન કથા પ્રમાણે શ્રી રામ રાવણનો સફાયો કરીને અયોઘ્યા પાછા ફર્યા, તેના માનમાં દિવાળી ઉજવાય છે. શ્રી રામ અયોઘ્યા પાછા ફર્યા ત્યારે તેમને સત્કારવા માટે અયોઘ્યાની શાળાઓનાં બાળકોને ઉઘરાવી લવાયાં હતાં અને તેમને કલાકો સુધી રસ્તા પર ઊભાં કરી દેવાયાં હતાં કે કેમ, એ જાણવા મળતું નથી. પરંતુ સહેજે કલ્પી શકાય કે રામરાજ્યમાં એવું બઘું ન હોય. એમાં શ્રી રામ આવવાના હોય ત્યારે જ રાતોરાત રસ્તાની સફાઇ થઇ જાય અને લાખો સુવર્ણમુદ્રાઓનો ખર્ચ કરીને નગરને ચકાચક બનાવી દેવાય એવું પણ ન હોય. અયોઘ્યા પહોંચ્યા પછી શ્રી રામે હાથમાં એક ઝાડુ પકડીને પ્રતીક સફાઇ કરી હોય અને તેમના પગલે આખી વાનરસેના સફાઇમાં લાગી પડી હોય એવો ઉલ્લેખ પણ ક્યાંય આવતો નથી. છતાં (કદાચ એટલે જ) લોકો દિવાળીમાં પોતાની હોંશથી સ્વચ્છતાઝુંબેશ ઉપાડે છે.
દિવાળીના સ્વચ્છતા મિશનની ખૂબી એ હોય છે કે તે દર વર્ષે અને મિડીયાની હાજરી કે ઉશ્કેરણી વિના, સ્વયંભૂ રીતે થાય છે. (તેમાં સર્જાતાં ઘણાં દૃશ્યો શૂટ કરવા જેવાં હોય છે એ જુદી વાત છે.) આ મિશન માટેની પ્રેરણા વડાપ્રધાને કરોડો રૂપિયાના ખર્ચે જાહેરખબરોનો મારો કરીને કે બિચારા ગાંધીજીને સંડોવીને આપવી પડતી નથી. દિવાળી આવે એટલે આપોઆપ ઘણા લોકોના હાથ સફાઇ કરવા, તો ઘણાની જીભ સફાઇ કરાવવા માટે સળવળાટ કરે છે.
સમાજશાસ્ત્રીઓ માને છે કે મનુષ્યમાં મૂળભૂત રીતે ગુફાવાસીના સંસ્કાર છે, જે હજુ પણ સાવ લુપ્ત થયા નથી. ઘણા મનુષ્યો સમાજશાસ્ત્રીઓની આ થિયરી સાચી પાડવા માટે સન્નિષ્ઠ પ્રયાસો કરે છે. તેમનું ઘર અથવા તેમનો રુમ અથવા તેમનું ટેબલ જોયા પછી લાગે કે આ અસબાબ એકવીસમી સદીની કોઇ સિવિલાઇઝ્ડ જગ્યાનો નહીં, પણ કોઇ પ્રાગૈતિહાસિક ગુફાનો જ હોઇ શકે. શરમને ગૌરવમાં ફેરવવાનું વર્તમાન વડાપ્રધાને તો પછીથી શરૂ કર્યું, ખરી પહેલ આવા અવ્યવસ્થા-શિરોમણીઓેની હતી. પોતાની અવ્યસ્થાને સદ્ગુણની, બલ્કે ખાસિયતની ચમકદમક આપવા માટે તે એવાં સંશોધનો રજૂ કરતા હતા કે ‘અવ્યવસ્થા એ તો સર્જનાત્મક માણસનું લક્ષણ છે. ફલાણાનો જ દાખલો જુઓ ને.’ એમ કહીને તે બે-ચાર મોટાં નામ લુઢકાવી દેતા હતા. કોઇ જિનિયસ લઘરા હોય, એટલે દરેક લઘરા જિનિયસ ન થઇ જાય. પણ સાદી સમજણના લેવાલ મળવા અઘરા છે.
આવા લોકો એકલા હોય ત્યાં સુધી પોતાની થિયરી સાથે એ સુખેથી જીવી શકતા હતા, પણ થિયરીને બદલે કોઇ જીવતી જાગતી થિયરી સાથે સંસાર માંડવાનો થાય, એટલે તેમના કપરા દિવસ શરૂ થતા હતા. સ્ત્રીઓ વધારે વ્યવસ્થાપ્રધાન હોય અને પુરુષો વધારે લઘરવઘર હોય એવો કોઇ નિયમ નથી. એનાથી ઉલટું પણ ઘણા કિસ્સામાં જોવા મળે છે. છતાં પુરૂષપ્રધાન સમાજમાં સામાન્ય રીતે ઘરની વ્યવસ્થા મહિલાઓના હાથમાં હોય. (અહીં ‘વ્યવસ્થા’ને બદલે ‘કાયદો-વ્યવસ્થા’ વાંચવું) પુરૂષ માનતો હોય કે એ ઘરનો ‘મુખ્ય મંત્રી’ છે ને પત્ની ‘રાજ્યપાલ’. પરંતુ માનવાની બાબતમાં તો કોઇ પોતાની જાતને બરાક ઓબામા માને તો પણ શું કરી શકાય?
જેવી દિવાળી નજીક આવે કે તરત પુરૂષને અહેસાસ થવા માંડે છે કે હકીકતમાં ‘મુખ્ય મંત્રી’ કોણ છે. ઘરનાં કાયદો-વ્યવસ્થા સંભાળનાર વ્યક્તિ પહેલાં પ્રેમથી સફાઇ-પ્રસ્તાવ વહેતો મૂકે છે. પરંતુ તેનું મહત્ત્વ સૈદ્ધાંતિક કે ‘ફીલગુડ’થી વધારે હોતું નથી. ‘સફાઇ દરેકે કરવી જોઇએ. સફાઇ બહુ સારી બાબત છે. સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે.’ આવી કવિતાઓમાં ડોકું ઘુણાવવામાં કોને વાંધો હોય? પરંતુ સફાઇ પોતે કરવાની આવે ત્યારે ખરી કઠણાઇ શરૂ થાય છે. સહેલાઇથી વાળી શકાય એવો કચરો રોડ પર નંખાવીને, મોટું ઝાડુ લઇને એ કચરો વાળવો એક વાત છે. તેનાથી સારી ન્યૂઝસ્ટોરી બને છે. સફાઇ થતી નથી.
ઘરની સફાઇનું કામ ઘણું વધારે પડકારજનક હોય છે. કારણ કે ત્યાં મિડીયાની હાજરી હોતી નથી અને સફાઇકામ ખરેખર થયું છે તે પુરવાર કરવું પડે છે. ઘરનું સફાઇકામ ઘણુંખરું ઉપકાર કે સમાજસેવા તરીકે નહીં, કરેલાં ‘પાપ’ના પ્રાયશ્ચિત તરીકે હોય છે. એટલે તે વેળાસર હાથ ધરવામાં આવે તો ઘરનાં સભ્યો, જેલસુધાર કાર્યક્રમ ચલાવતો જેલર કેદીને પ્રોત્સાહન આપે એવા અંદાજમાં, સફાઇ કરનારને થોડો પોરસ ચઢાવી શકે છે. ‘અરે, એ સફાઇ કરે એટલે તમારે જોવું ન પડે. આખા વર્ષનો કચરો એક જ દિવસમાં કાઢી નાખે. હા, એને વચ્ચે ટોકવાનો નહીં કે આટલો કચરો શી રીતે ભેગો થયો.’
આ સૌથી સન્માનજનક - અથવા ઓછામાં ઓછી ખરાબ સ્થિતિ છે. તેમાં સફાઇ કરનારને વચ્ચે વચ્ચે ચા સાથે બે સારાં વેણ પણ સાંભળવા મળે છે અને કામ પૂરું થયે ઘરના જવાબદાર સભ્ય તરીકેની શાબાશી. પરંતુ આ માન મેળવનારા વીરલા જ હોય છે. મોટા ભાગના લોકો આવાં દુન્યવી માન-સન્માન પ્રત્યેની વિરક્તીથી પ્રેરાઇને જ, સફાઇકાર્યની દિશામાં પ્રવૃત્ત થતા નથી. એ વિચારે છે, ‘ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બહુમાન મળ્યા પછી પણ સરવાળે ત્રણ ગોળી ખાવી પડી હોય, તો આપણે સ્વચ્છતા-પ્રેમી કે જવાબદાર સભ્ય તરીકેના માનનો મોહ જતો કરવો રહ્યો.’
કુટુંબીજનો આવી ઉચ્ચ ભાવના સમજી શકતાં નથી. એટલે તે રામ-રાવણ યુદ્ધની યાદ અપાવે એવાં અવનવાં શબ્દબાણોનો સતત મારો વરસાવીને માણસને સ્વચ્છતાઝુંબેશ માટે પ્રેરે છે. પ્રેમથી કહેવાનો સમય વીતી જાય, તો પછી બીજો તબક્કો ચીમકીનો આવે છે. ‘જો તમે તમારું ટેબલ (કે ખાનું કે કબાટ કે રૂમ) સાફ નહીં કરો, તો પછી મારે ન છૂટકે એ સાફ કરવું પડશે. એમાં કશું આધુંપાછું થાય તો પછી કકળાટ મચાવતા નહીં. પેલો પસ્તીવાળો ક્યારનો આંટા મારે છે. એક વાર જૂના કાટમાળ માટે મેં એને ઘરમાં બોલાવ્યો ત્યારની તમારા રૂમ પર એની નજર બગડેલી છે. એને એક ફોન કરું એટલી જ વાર. તમારો રૂમ અડધા દહાડામાં સાફ થઇ જશે.’
સામાન્ય સંજોગોમાં આ ચીમકીની ગુણકારી અસર થવી જોઇએ. પરંતુ કેટલાક રીઢા લોકોનું રુંવાડું ફરકતું નથી. ‘આ તો ખાલી ધમકી છે. આવું ખરેખર કોઇ કરે નહીં.’ એ વિચારે તે થોડા વધારે દિવસ ખેંચી કાઢે તો પછી ખરાખરીની ક્ષણ આવીને ઊભી રહે છે. નારાજ કુટુંબીજનોમાંથી કોઇ બંદૂકની અદામાં મોબાઇલ ફોન કાઢીને પસ્તીવાળાનો નંબર જોડ્યા વિના, તેની સાથે કાલ્પનિક સંવાદ શરૂ કરી દે, એટલે લઘરવઘર જણને ગંભીરતા સમજાય છે.
અલબત્ત, કુટુંબજીવન કોઇ ફોર્મ્યુલા પર ચાલતું નથી. એટલે ઘણા લોકો ગમે તેટલી બીક બતાવ્યા પછી ને કકળાટ કર્યા પછી પણ સફાઇ માટે સક્રિય નથી જ થતા. તેમના કુટુંબીજનો (સફાઇની બાબતમાં) તેમના નામનું નાહી નાખે છે. આવા લોકો થોડાં વર્ષે એકાદ વાર, પોતાની કોઇ વસ્તુ નહીં જડવાથી કે વખાના માર્યા સફાઇઝુંબેશ હાથ ધરે, ત્યારે તેમના ઘરમાં દિવાળીનો માહોલ છવાઇ જાય છે.
દિવાળીના સ્વચ્છતા મિશનની ખૂબી એ હોય છે કે તે દર વર્ષે અને મિડીયાની હાજરી કે ઉશ્કેરણી વિના, સ્વયંભૂ રીતે થાય છે. (તેમાં સર્જાતાં ઘણાં દૃશ્યો શૂટ કરવા જેવાં હોય છે એ જુદી વાત છે.) આ મિશન માટેની પ્રેરણા વડાપ્રધાને કરોડો રૂપિયાના ખર્ચે જાહેરખબરોનો મારો કરીને કે બિચારા ગાંધીજીને સંડોવીને આપવી પડતી નથી. દિવાળી આવે એટલે આપોઆપ ઘણા લોકોના હાથ સફાઇ કરવા, તો ઘણાની જીભ સફાઇ કરાવવા માટે સળવળાટ કરે છે.
સમાજશાસ્ત્રીઓ માને છે કે મનુષ્યમાં મૂળભૂત રીતે ગુફાવાસીના સંસ્કાર છે, જે હજુ પણ સાવ લુપ્ત થયા નથી. ઘણા મનુષ્યો સમાજશાસ્ત્રીઓની આ થિયરી સાચી પાડવા માટે સન્નિષ્ઠ પ્રયાસો કરે છે. તેમનું ઘર અથવા તેમનો રુમ અથવા તેમનું ટેબલ જોયા પછી લાગે કે આ અસબાબ એકવીસમી સદીની કોઇ સિવિલાઇઝ્ડ જગ્યાનો નહીં, પણ કોઇ પ્રાગૈતિહાસિક ગુફાનો જ હોઇ શકે. શરમને ગૌરવમાં ફેરવવાનું વર્તમાન વડાપ્રધાને તો પછીથી શરૂ કર્યું, ખરી પહેલ આવા અવ્યવસ્થા-શિરોમણીઓેની હતી. પોતાની અવ્યસ્થાને સદ્ગુણની, બલ્કે ખાસિયતની ચમકદમક આપવા માટે તે એવાં સંશોધનો રજૂ કરતા હતા કે ‘અવ્યવસ્થા એ તો સર્જનાત્મક માણસનું લક્ષણ છે. ફલાણાનો જ દાખલો જુઓ ને.’ એમ કહીને તે બે-ચાર મોટાં નામ લુઢકાવી દેતા હતા. કોઇ જિનિયસ લઘરા હોય, એટલે દરેક લઘરા જિનિયસ ન થઇ જાય. પણ સાદી સમજણના લેવાલ મળવા અઘરા છે.
આવા લોકો એકલા હોય ત્યાં સુધી પોતાની થિયરી સાથે એ સુખેથી જીવી શકતા હતા, પણ થિયરીને બદલે કોઇ જીવતી જાગતી થિયરી સાથે સંસાર માંડવાનો થાય, એટલે તેમના કપરા દિવસ શરૂ થતા હતા. સ્ત્રીઓ વધારે વ્યવસ્થાપ્રધાન હોય અને પુરુષો વધારે લઘરવઘર હોય એવો કોઇ નિયમ નથી. એનાથી ઉલટું પણ ઘણા કિસ્સામાં જોવા મળે છે. છતાં પુરૂષપ્રધાન સમાજમાં સામાન્ય રીતે ઘરની વ્યવસ્થા મહિલાઓના હાથમાં હોય. (અહીં ‘વ્યવસ્થા’ને બદલે ‘કાયદો-વ્યવસ્થા’ વાંચવું) પુરૂષ માનતો હોય કે એ ઘરનો ‘મુખ્ય મંત્રી’ છે ને પત્ની ‘રાજ્યપાલ’. પરંતુ માનવાની બાબતમાં તો કોઇ પોતાની જાતને બરાક ઓબામા માને તો પણ શું કરી શકાય?
જેવી દિવાળી નજીક આવે કે તરત પુરૂષને અહેસાસ થવા માંડે છે કે હકીકતમાં ‘મુખ્ય મંત્રી’ કોણ છે. ઘરનાં કાયદો-વ્યવસ્થા સંભાળનાર વ્યક્તિ પહેલાં પ્રેમથી સફાઇ-પ્રસ્તાવ વહેતો મૂકે છે. પરંતુ તેનું મહત્ત્વ સૈદ્ધાંતિક કે ‘ફીલગુડ’થી વધારે હોતું નથી. ‘સફાઇ દરેકે કરવી જોઇએ. સફાઇ બહુ સારી બાબત છે. સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે.’ આવી કવિતાઓમાં ડોકું ઘુણાવવામાં કોને વાંધો હોય? પરંતુ સફાઇ પોતે કરવાની આવે ત્યારે ખરી કઠણાઇ શરૂ થાય છે. સહેલાઇથી વાળી શકાય એવો કચરો રોડ પર નંખાવીને, મોટું ઝાડુ લઇને એ કચરો વાળવો એક વાત છે. તેનાથી સારી ન્યૂઝસ્ટોરી બને છે. સફાઇ થતી નથી.
ઘરની સફાઇનું કામ ઘણું વધારે પડકારજનક હોય છે. કારણ કે ત્યાં મિડીયાની હાજરી હોતી નથી અને સફાઇકામ ખરેખર થયું છે તે પુરવાર કરવું પડે છે. ઘરનું સફાઇકામ ઘણુંખરું ઉપકાર કે સમાજસેવા તરીકે નહીં, કરેલાં ‘પાપ’ના પ્રાયશ્ચિત તરીકે હોય છે. એટલે તે વેળાસર હાથ ધરવામાં આવે તો ઘરનાં સભ્યો, જેલસુધાર કાર્યક્રમ ચલાવતો જેલર કેદીને પ્રોત્સાહન આપે એવા અંદાજમાં, સફાઇ કરનારને થોડો પોરસ ચઢાવી શકે છે. ‘અરે, એ સફાઇ કરે એટલે તમારે જોવું ન પડે. આખા વર્ષનો કચરો એક જ દિવસમાં કાઢી નાખે. હા, એને વચ્ચે ટોકવાનો નહીં કે આટલો કચરો શી રીતે ભેગો થયો.’
આ સૌથી સન્માનજનક - અથવા ઓછામાં ઓછી ખરાબ સ્થિતિ છે. તેમાં સફાઇ કરનારને વચ્ચે વચ્ચે ચા સાથે બે સારાં વેણ પણ સાંભળવા મળે છે અને કામ પૂરું થયે ઘરના જવાબદાર સભ્ય તરીકેની શાબાશી. પરંતુ આ માન મેળવનારા વીરલા જ હોય છે. મોટા ભાગના લોકો આવાં દુન્યવી માન-સન્માન પ્રત્યેની વિરક્તીથી પ્રેરાઇને જ, સફાઇકાર્યની દિશામાં પ્રવૃત્ત થતા નથી. એ વિચારે છે, ‘ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બહુમાન મળ્યા પછી પણ સરવાળે ત્રણ ગોળી ખાવી પડી હોય, તો આપણે સ્વચ્છતા-પ્રેમી કે જવાબદાર સભ્ય તરીકેના માનનો મોહ જતો કરવો રહ્યો.’
કુટુંબીજનો આવી ઉચ્ચ ભાવના સમજી શકતાં નથી. એટલે તે રામ-રાવણ યુદ્ધની યાદ અપાવે એવાં અવનવાં શબ્દબાણોનો સતત મારો વરસાવીને માણસને સ્વચ્છતાઝુંબેશ માટે પ્રેરે છે. પ્રેમથી કહેવાનો સમય વીતી જાય, તો પછી બીજો તબક્કો ચીમકીનો આવે છે. ‘જો તમે તમારું ટેબલ (કે ખાનું કે કબાટ કે રૂમ) સાફ નહીં કરો, તો પછી મારે ન છૂટકે એ સાફ કરવું પડશે. એમાં કશું આધુંપાછું થાય તો પછી કકળાટ મચાવતા નહીં. પેલો પસ્તીવાળો ક્યારનો આંટા મારે છે. એક વાર જૂના કાટમાળ માટે મેં એને ઘરમાં બોલાવ્યો ત્યારની તમારા રૂમ પર એની નજર બગડેલી છે. એને એક ફોન કરું એટલી જ વાર. તમારો રૂમ અડધા દહાડામાં સાફ થઇ જશે.’
સામાન્ય સંજોગોમાં આ ચીમકીની ગુણકારી અસર થવી જોઇએ. પરંતુ કેટલાક રીઢા લોકોનું રુંવાડું ફરકતું નથી. ‘આ તો ખાલી ધમકી છે. આવું ખરેખર કોઇ કરે નહીં.’ એ વિચારે તે થોડા વધારે દિવસ ખેંચી કાઢે તો પછી ખરાખરીની ક્ષણ આવીને ઊભી રહે છે. નારાજ કુટુંબીજનોમાંથી કોઇ બંદૂકની અદામાં મોબાઇલ ફોન કાઢીને પસ્તીવાળાનો નંબર જોડ્યા વિના, તેની સાથે કાલ્પનિક સંવાદ શરૂ કરી દે, એટલે લઘરવઘર જણને ગંભીરતા સમજાય છે.
અલબત્ત, કુટુંબજીવન કોઇ ફોર્મ્યુલા પર ચાલતું નથી. એટલે ઘણા લોકો ગમે તેટલી બીક બતાવ્યા પછી ને કકળાટ કર્યા પછી પણ સફાઇ માટે સક્રિય નથી જ થતા. તેમના કુટુંબીજનો (સફાઇની બાબતમાં) તેમના નામનું નાહી નાખે છે. આવા લોકો થોડાં વર્ષે એકાદ વાર, પોતાની કોઇ વસ્તુ નહીં જડવાથી કે વખાના માર્યા સફાઇઝુંબેશ હાથ ધરે, ત્યારે તેમના ઘરમાં દિવાળીનો માહોલ છવાઇ જાય છે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, October 28, 2014
ભારતીય રાજકારણના નવા પ્રવાહો : પ્રો.ભીખુ પારેખની નજરે
એક શ્વાસમાં ગાંધીજી અને વર્તમાન વડાપ્રધાન મોદીનું નામ અહોભાવથી લેવામાં ખચકાટ ન થાય, એવા ‘ભક્તિયુગ’માં અભ્યાસલક્ષી, આવેગમુક્ત રાજકીય ચિંતનનું ખાસ મહત્ત્વ છે. વડાપ્રધાન પ્રત્યે અભાવ કે અહોભાવ રાખ્યા વિના તેમના મૂલ્યાંકનનો પ્રયાસ કરનારા જૂજ રાજકીય અભ્યાસીઓમાં એક નામ છે : પ્રો.ભીખુ પારેખ/ Prof.Bhikhu Parekh
બ્રિટનની સંસદના ઉપલા ગૃહ (હાઉસ ઑફ લોર્ડ્ઝ)ના સભ્ય પ્રો.પારેખનું ‘લૉર્ડ’પણું વટાવી ખાવું- તેમના અભ્યાસલક્ષી અભિપ્રાયોને પોતાના ભક્તિ-રસાયણમાં ઝબકોળીને, પોતાનો રંગ ચડાવીને રજૂ કરવા તે એક વાત છે. તેમાં સૌથી વઘુ અન્યાય પ્રો.પારેખની વિદ્વત્તાને થાય છે. (બૌદ્ધિકતાને ગાળ ગણતા-ગણાવતા લોકોને શી રીતે સમજાય કે ‘લૉર્ડ’ અને ‘પ્રોફેસર’માંથી ‘પ્રોફેસર’નો દરજ્જો વધારે માનભર્યો ગણાય છે)
પ્રો.પારેખ રહેતા ભલે બ્રિટનમાં હોય, પણ વર્ષોથી- અને છેલ્લી લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી તો ખાસ- ભારતના રાજકારણની ગતિને સમજવા સતત મથામણ કરી રહ્યા છે. ગાંધી-આંબેડકરના ઊંડા અભ્યાસી એવા આ પ્રોફેસર ઘટનાઓને લાંબા ઇતિહાસપટના સંદર્ભે જુએ છે અને એક અભ્યાસનિષ્ઠ વિદ્વાનને છાજે એવી નમ્રતાથી તેમને મૂલવવાની કોશિશ કરે છે. ‘બૌદ્ધિક’ શબ્દથી તે મોં મચકોડતા નથી, આત્યંતિકતામાં સરી પડતા નથી અને ‘પબ્લિક ઇન્ટલેક્ચુઅલ’ (‘જાહેર નિસબત ધરાવતા બૌદ્ધિક’) તરીકેની પોતાની ભૂમિકા વિશે જવાબદારીપૂર્વક સજાગ રહે છે.
વડોદરાના બૌદ્ધિક અગ્રણી (સદ્ગત) પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના કંઠી વગરના શિષ્ય પ્રો.પારેખે છેલ્લા થોડા વખતમાં બે વાર નવા રાજકીય પ્રવાહો વિશે ચર્ચા ઊભી કરી છે : ‘વૈશ્વિક માનવવાદ’ના તંત્રી- ‘મોટા’ સ્કૂલના જૂના વિદ્યાર્થી બિપીન શ્રોફને આપેલી લાંબી મુલાકાતમાં અને નવી સરકારના સો દિવસ પછી યોજાયેલી એક વિચારગોષ્ઠિમાં. તેમના વિચારો આખરી નિર્ણયરૂપે નથી હોતા. અઘરામાં અઘરી વાતને તે સરળ શબ્દોમાં મૂકી શકે છે. તેમની સાથે મુદ્દાસર અસંમત થઇ શકાય છે. તે પરંપરાગત કરતાં જુદી રીતે, લાગણી કે આવેગમાં તણાયા વિના, વિચારવા અને સમજવા માટે પ્રેરે છે. તેમનો રસ રાજકીય સિદ્ધાંતચર્ચા ઉપરાંત જાહેર જીવનની નિસબતનો પણ હોય છે.
નવેસરથી વિચાર
લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી બ્રિટનમાં એવી ચર્ચા ચાલી કે ભારતના નવા વડાપ્રધાન હિટલર છે અને તે દેશને ફાસીવાદ ભણી લઇ જશે. આ પ્રકારના આત્યંતિક આરોપ પ્રો.પારેખ સ્વીકારતા નથી. સાથોસાથ તે માનેે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વિચારો, ખ્યાલો અને અભિગમો વિકસ્યા હતા અથવા જેને આધારે દેશમાં પ્રજાતંત્રની એક લાક્ષણિક વૃત્તિ અથવા નૈતિક વલણો વિકસ્યાં હતાં, તે કેટલેક અંશે આ ચૂંટણીનાં પરિણામો પછી હાંસિયામાં મૂકાઇ ગયાં છે અને જે પરિબળો આઝાદીની લડાઇ વખતે હાંસિયામાં હતાં, તે હવે ઝડપથી મુખ્ય પ્રવાહમાં આવવા લાગ્યાં છે.
પ્રો. પારેખને લાગે છે કે નવા પ્રવાહો સમજવા માટે આત્યંતિક વલણને બદલે, નવાં ‘કન્સેપ્ચુઅલ ટૂલ્સ’ (વૈચારિક ઓજાર) વિકસાવવાં જોઇએ. પરિણામોને સમજવા માટે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને સમજવાની ઘણી જરૂર છે, એવું પણ તે માને છે. આર.એસ.એસ.ની ‘ગાંધીહત્યારા’ કે ‘મુસ્લિમવિરોધી’ની ઓળખથી આગળ વધીને, તેમની અંદર વૈચારિક મતભેદો છે કે કેમ, એ સમજવું જોઇએ. ‘મારી સમજ પ્રમાણે સંઘ-ભાજપનું મોડેલ ઇઝરાઇલનું મોડેલ છે. તે ભવિષ્યના ભારતના ઇઝરાઇલ જેવું બનાવવા માગે છે. જો ઇઝરાઇલ યહુદીઓનો દેશ હોય તો ભારત હિંદુઓનો દેશ કેમ ન હોય?’ આવો ખ્યાલ લઇને ચાલતા સંઘના વિચારકો સાથે શાંતિથી ચર્ચા કરવા અને તેમના ખ્યાલની મુશ્કેલીઓ દર્શાવવા માટે પ્રો.પારેખ ઉત્સુક છે.
ચૂંટણીનાં પરિણામ વિશે તેમણે કહ્યું કે ‘આ કે પેલો ઉમેદવાર જીતે તેમાં મને કોઇ રસ નથી કે એમાં નવાઇ પામવા જેવું નથી. પણ આ ચૂંટણીમાં નવું શું બન્યું છે?’ તેમણે છ-સાત નિરીક્ષણ રજૂ કર્યાં હતાં.
(૧) દેશભરમાંથી આશરે ૬૦ લાખ મતદારોએ ‘નન ઑફ ધ અબોવ’ (ઉભેલા ઉમેદવારોમાંથી કોઇ નહીં)નો વિકલ્પ પસંદ કર્યો છે. આ રીતે તેમણે બધા રાજકીય પક્ષોને ચીમકી આપી છે કે મતદારોને યોગ્ય લાગે એવા ઉમેદવાર પસંદ કરવા.
(૨) દેશમાં પહેલી વાર અન્ય પછાત જાતિ (ઓબીસી)નો ઉમેદવાર ચૂંટણી લડીને વડાપ્રધાન બન્યા. ચૌધરી ચરણસિંઘ કે દેવે ગૌડા જેવા વડાપ્રધાનો ઓબીસી હતા, પરંતુ તે પોતાના જોરે- ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા ન હતા. બાબુ જગજીવનરામ દેશના વડાપ્રધાન બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતા હોવા છતાં એક યા કારણસર તેમને વડાપ્રધાનપદની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા...‘ચાવાળો’ એ શબ્દની મજાક ઉડાવવાની જરૂર નથી. આ ઘટનાએ દેશના સામાન્ય માણસમાં જબ્બર આત્મવિશ્વાસ પેદા કર્યો છે કે આપણી લોકશાહીમાં એક ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે.
(૩) આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર વડાપ્રધાન ‘હોમગ્રોન પીએમ’ છે, જેને અંગ્રેજી બરાબર ફાવતું નથી. તે સંસ્થાનવાદી સમયમાં જન્મ્યા નથી. એ સમયે પેદા થયેલા રાજકીય માનસથી તે સંપૂર્ણપણે મુક્ત છે. તેમનાં ભાષા અને સંસ્કાર પણ એ સમયની અસરથી સદંતર મુક્ત છે.
(૪) દેશની ચૂંટણી પ્રમુખશાહી સ્વરૂપની લોકશાહી હોય એવી ઢબે લડાઇ. પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ સમગ્ર દેશમાં છવાઇ ગયેલા હતા, પરંતુ તે આ રીતે ચૂંટણી લડ્યા ન હતા. આખા દેશમાં મોદી એક રાષ્ટ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા, પણ જે રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ સક્ષમ હતા ત્યાં મોદી કાઠું કાઢી શક્યા નથી.
(૫) આ ચૂંટણીમાં બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ)નો- ખાસ કરીને ‘ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઑફ બીજેપી’ જેવી સંસ્થાનો- ફાળો ઘણો મોટો હતો. તેમણે આર્થિક સહકાર ઉપરાંત માણસો, ઇલેક્ટ્રોનિક મિડીયા અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું.
(૬) ૧૨૯ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસનો એવો સફાયો થઇ ગયો કે લોકસભામાં વિરોધપક્ષ બનવા માટે જરૂરી બેઠકો પણ તે મેળવી શક્યો નથી. છતાં, સંસ્થાનવાદ સામેની લડતમાં તેનો ફાળો ઓછો આંકવાની જરૂર નથી.
(૭) આ ચૂંટણીમાં લોકોએ વિકાસના મુદ્દાને ઘ્યાનમાં રાખીને મતદાન કર્યું અને જ્ઞાતિનો મુદ્દો પ્રમાણમાં બાજુ પર ધકેલાયો હોય એવું લાગ્યું. જોકે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણી જીતવાના એક પરિબળ તરીકે જ્ઞાતિ નિર્ણાયક પરિબળ રહી જ હતી.
ચૂંટણીની વાત કર્યા પછી, વડાપ્રધાન મોદીના સો દિવસના શાસનના આર્થિક કે રાજકીય પ્રવાહોની વિગતમાં જવાને બદલે, એ ગાળામાં જોવા મળેલા કેટલાક ભાવિ સંકેત અંગે પણ તેમણે વાત કરી.
૧) રાજકીય સત્તા અને નિર્ણયો લેવાની પદ્ધતિનું કેન્દ્રીકરણ તથા વ્યક્તિકરણ એક અગત્યનો મુદ્દો છે. પ્રો.પારેખે ઉદાહરણો સાથે કહ્યું કે આપણા દેશમાં રાજકીય સત્તા આધારિત નિર્ણય લેવાની પદ્ધતિ હંમેશાં આ પ્રકારની રહી છે. પંડિત નહેરુ નિર્ણય લેવાની બાબતમાં સરદાર સિવાય કોઇની સાથે વાતચીત કરતા નહીં. ઇંદિરા ગાંધી અને નરસિંહરાવના સમયમાં પણ આ પ્રથા ચાલુ રહી. રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ થાય ત્યારે રાજકીય સંસ્કૃતિનું પણ કેન્દ્રીકરણ થાય છે. નવા વડાપ્રધાનને ટીમ સ્પિરિટથી કામ કરતાં ફાવતું નથી. વધારામાં, પોતાના સમકક્ષ લોકો સાથે મળીને ટીમ બનાવવાની સંસ્કૃતિ આપણે ત્યાં વિકસી નથી. ટીમની સાથે મુદ્દાની મેરિટના આધારે મતભેદ આવકારવાનું આપણને આવડતું નથી...મોદી વડાપ્રધાન બન્યા પછી (સત્તાના કેન્દ્રીકરણ-વ્યક્તિકરણની પ્રક્રિયા) વધારે વેગથી ચાલુ રહેશે. તેનો ઉપાય શું હોઇ શકે? એ વિચારવાનું છે. પ્રો.પારેખની દૃષ્ટિએ આ સમસ્યા આપણા કલ્ચર અને ફિલોસૉફીની છે.
(૨) વડાપ્રધાને પંદરમી ઑગસ્ટના પ્રવચનમાં વિકાસની વાત કરી છે અને લધુમતીને આર્થિક સહયોગની વાત કરી છે. પ્રો.પારેખે કહ્યું કે વડાપ્રધાન દ્વારા દેશમાં જે ‘સેક્યુલર ક્લાઇમેટ’ પેદા થવું જોઇએ તે થતું નથી. ઉલટું, એવી સ્થિતિ પેદા થઇ છે કે પહેલા વરસાદ વખતે જમીનમાંથી જીવડાં ફૂટી નીકળે એવી રીતે તેમ, દેશમાં જે પ્રવાહોને ક્યારેય આદરમાન અપાતું ન હતું એ પ્રવાહો ચૂંટણી પછી મુખ્ય પ્રવાહ તરીકે ઉભરવા લાગ્યા છે અને જે પ્રવાહોનો ગૌરવશાળી ઐતિહાસિક વારસો હતો અને એક સમયે જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહને માર્ગદર્શન આપતા હતા તેમને વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલી દેવાયા છે.
આ વાતને વિસ્તારતાં પ્રો.પારેખે કહ્યું હતું,‘મારા મત મુજબ દેશમાં ઝડપથી એક બદલાવ (શિફ્ટ) અને તે પણ વડાપ્રધાનના નેજા હેઠળ આવી રહ્યો હોય એમ દેખાય છે. આ બદલાવ એક નજરે કદાચ ન દેખાય. કેમ કે એવા મુદ્દે વડાપ્રધાન સમજપૂર્વક મૌન સેવે છે અને તેમના પક્ષ કે સાથીદારોને જે કરવું હોય તે કરવા દે છે. આવું ઘણું બઘું મેં પણ બ્રિટનની સંસદમાં સત્તાપક્ષ તરફથી થતું જોયું છે. પરિણામે એ લોકો દેશને જે દિશામાં ખેંચી જવો હોય તે દિશામાં ખેંચી જશે. આ વડાપ્રધાનની વ્યવસ્થિત વ્યૂહરચના પણ હોઇ શકે કે ‘હું લોકોને વિકાસની વાત કરીશ અને તમારે જે કરવું હોય તે કરજો.’ તેને કારણે જે રાજકીય વાતાવરણ પેદા થઇ રહ્યું છે તે જોખમકારક છે...દેશનો ઇતિહાસ બદલનાર પક્ષ, મૂલ્યો અને વ્યક્તિઓનું વારાફરતી ડીહ્યુમનાઇઝેશન કરાઇ રહ્યું છે.’
(આવતા સપ્તાહે : વર્તમાન-ભવિષ્યને સાંકળતાં કેટલાંક વઘુ, વિચારોત્તેજક નિરીક્ષણો)
બ્રિટનની સંસદના ઉપલા ગૃહ (હાઉસ ઑફ લોર્ડ્ઝ)ના સભ્ય પ્રો.પારેખનું ‘લૉર્ડ’પણું વટાવી ખાવું- તેમના અભ્યાસલક્ષી અભિપ્રાયોને પોતાના ભક્તિ-રસાયણમાં ઝબકોળીને, પોતાનો રંગ ચડાવીને રજૂ કરવા તે એક વાત છે. તેમાં સૌથી વઘુ અન્યાય પ્રો.પારેખની વિદ્વત્તાને થાય છે. (બૌદ્ધિકતાને ગાળ ગણતા-ગણાવતા લોકોને શી રીતે સમજાય કે ‘લૉર્ડ’ અને ‘પ્રોફેસર’માંથી ‘પ્રોફેસર’નો દરજ્જો વધારે માનભર્યો ગણાય છે)
પ્રો.પારેખ રહેતા ભલે બ્રિટનમાં હોય, પણ વર્ષોથી- અને છેલ્લી લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી તો ખાસ- ભારતના રાજકારણની ગતિને સમજવા સતત મથામણ કરી રહ્યા છે. ગાંધી-આંબેડકરના ઊંડા અભ્યાસી એવા આ પ્રોફેસર ઘટનાઓને લાંબા ઇતિહાસપટના સંદર્ભે જુએ છે અને એક અભ્યાસનિષ્ઠ વિદ્વાનને છાજે એવી નમ્રતાથી તેમને મૂલવવાની કોશિશ કરે છે. ‘બૌદ્ધિક’ શબ્દથી તે મોં મચકોડતા નથી, આત્યંતિકતામાં સરી પડતા નથી અને ‘પબ્લિક ઇન્ટલેક્ચુઅલ’ (‘જાહેર નિસબત ધરાવતા બૌદ્ધિક’) તરીકેની પોતાની ભૂમિકા વિશે જવાબદારીપૂર્વક સજાગ રહે છે.
વડોદરાના બૌદ્ધિક અગ્રણી (સદ્ગત) પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના કંઠી વગરના શિષ્ય પ્રો.પારેખે છેલ્લા થોડા વખતમાં બે વાર નવા રાજકીય પ્રવાહો વિશે ચર્ચા ઊભી કરી છે : ‘વૈશ્વિક માનવવાદ’ના તંત્રી- ‘મોટા’ સ્કૂલના જૂના વિદ્યાર્થી બિપીન શ્રોફને આપેલી લાંબી મુલાકાતમાં અને નવી સરકારના સો દિવસ પછી યોજાયેલી એક વિચારગોષ્ઠિમાં. તેમના વિચારો આખરી નિર્ણયરૂપે નથી હોતા. અઘરામાં અઘરી વાતને તે સરળ શબ્દોમાં મૂકી શકે છે. તેમની સાથે મુદ્દાસર અસંમત થઇ શકાય છે. તે પરંપરાગત કરતાં જુદી રીતે, લાગણી કે આવેગમાં તણાયા વિના, વિચારવા અને સમજવા માટે પ્રેરે છે. તેમનો રસ રાજકીય સિદ્ધાંતચર્ચા ઉપરાંત જાહેર જીવનની નિસબતનો પણ હોય છે.
નવેસરથી વિચાર
લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી બ્રિટનમાં એવી ચર્ચા ચાલી કે ભારતના નવા વડાપ્રધાન હિટલર છે અને તે દેશને ફાસીવાદ ભણી લઇ જશે. આ પ્રકારના આત્યંતિક આરોપ પ્રો.પારેખ સ્વીકારતા નથી. સાથોસાથ તે માનેે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વિચારો, ખ્યાલો અને અભિગમો વિકસ્યા હતા અથવા જેને આધારે દેશમાં પ્રજાતંત્રની એક લાક્ષણિક વૃત્તિ અથવા નૈતિક વલણો વિકસ્યાં હતાં, તે કેટલેક અંશે આ ચૂંટણીનાં પરિણામો પછી હાંસિયામાં મૂકાઇ ગયાં છે અને જે પરિબળો આઝાદીની લડાઇ વખતે હાંસિયામાં હતાં, તે હવે ઝડપથી મુખ્ય પ્રવાહમાં આવવા લાગ્યાં છે.
પ્રો. પારેખને લાગે છે કે નવા પ્રવાહો સમજવા માટે આત્યંતિક વલણને બદલે, નવાં ‘કન્સેપ્ચુઅલ ટૂલ્સ’ (વૈચારિક ઓજાર) વિકસાવવાં જોઇએ. પરિણામોને સમજવા માટે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને સમજવાની ઘણી જરૂર છે, એવું પણ તે માને છે. આર.એસ.એસ.ની ‘ગાંધીહત્યારા’ કે ‘મુસ્લિમવિરોધી’ની ઓળખથી આગળ વધીને, તેમની અંદર વૈચારિક મતભેદો છે કે કેમ, એ સમજવું જોઇએ. ‘મારી સમજ પ્રમાણે સંઘ-ભાજપનું મોડેલ ઇઝરાઇલનું મોડેલ છે. તે ભવિષ્યના ભારતના ઇઝરાઇલ જેવું બનાવવા માગે છે. જો ઇઝરાઇલ યહુદીઓનો દેશ હોય તો ભારત હિંદુઓનો દેશ કેમ ન હોય?’ આવો ખ્યાલ લઇને ચાલતા સંઘના વિચારકો સાથે શાંતિથી ચર્ચા કરવા અને તેમના ખ્યાલની મુશ્કેલીઓ દર્શાવવા માટે પ્રો.પારેખ ઉત્સુક છે.
ચૂંટણીનાં પરિણામ વિશે તેમણે કહ્યું કે ‘આ કે પેલો ઉમેદવાર જીતે તેમાં મને કોઇ રસ નથી કે એમાં નવાઇ પામવા જેવું નથી. પણ આ ચૂંટણીમાં નવું શું બન્યું છે?’ તેમણે છ-સાત નિરીક્ષણ રજૂ કર્યાં હતાં.
(૧) દેશભરમાંથી આશરે ૬૦ લાખ મતદારોએ ‘નન ઑફ ધ અબોવ’ (ઉભેલા ઉમેદવારોમાંથી કોઇ નહીં)નો વિકલ્પ પસંદ કર્યો છે. આ રીતે તેમણે બધા રાજકીય પક્ષોને ચીમકી આપી છે કે મતદારોને યોગ્ય લાગે એવા ઉમેદવાર પસંદ કરવા.
(૨) દેશમાં પહેલી વાર અન્ય પછાત જાતિ (ઓબીસી)નો ઉમેદવાર ચૂંટણી લડીને વડાપ્રધાન બન્યા. ચૌધરી ચરણસિંઘ કે દેવે ગૌડા જેવા વડાપ્રધાનો ઓબીસી હતા, પરંતુ તે પોતાના જોરે- ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા ન હતા. બાબુ જગજીવનરામ દેશના વડાપ્રધાન બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતા હોવા છતાં એક યા કારણસર તેમને વડાપ્રધાનપદની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા...‘ચાવાળો’ એ શબ્દની મજાક ઉડાવવાની જરૂર નથી. આ ઘટનાએ દેશના સામાન્ય માણસમાં જબ્બર આત્મવિશ્વાસ પેદા કર્યો છે કે આપણી લોકશાહીમાં એક ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે.
(૩) આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર વડાપ્રધાન ‘હોમગ્રોન પીએમ’ છે, જેને અંગ્રેજી બરાબર ફાવતું નથી. તે સંસ્થાનવાદી સમયમાં જન્મ્યા નથી. એ સમયે પેદા થયેલા રાજકીય માનસથી તે સંપૂર્ણપણે મુક્ત છે. તેમનાં ભાષા અને સંસ્કાર પણ એ સમયની અસરથી સદંતર મુક્ત છે.
(૪) દેશની ચૂંટણી પ્રમુખશાહી સ્વરૂપની લોકશાહી હોય એવી ઢબે લડાઇ. પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ સમગ્ર દેશમાં છવાઇ ગયેલા હતા, પરંતુ તે આ રીતે ચૂંટણી લડ્યા ન હતા. આખા દેશમાં મોદી એક રાષ્ટ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા, પણ જે રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ સક્ષમ હતા ત્યાં મોદી કાઠું કાઢી શક્યા નથી.
(૫) આ ચૂંટણીમાં બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ)નો- ખાસ કરીને ‘ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઑફ બીજેપી’ જેવી સંસ્થાનો- ફાળો ઘણો મોટો હતો. તેમણે આર્થિક સહકાર ઉપરાંત માણસો, ઇલેક્ટ્રોનિક મિડીયા અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું.
(૬) ૧૨૯ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસનો એવો સફાયો થઇ ગયો કે લોકસભામાં વિરોધપક્ષ બનવા માટે જરૂરી બેઠકો પણ તે મેળવી શક્યો નથી. છતાં, સંસ્થાનવાદ સામેની લડતમાં તેનો ફાળો ઓછો આંકવાની જરૂર નથી.
(૭) આ ચૂંટણીમાં લોકોએ વિકાસના મુદ્દાને ઘ્યાનમાં રાખીને મતદાન કર્યું અને જ્ઞાતિનો મુદ્દો પ્રમાણમાં બાજુ પર ધકેલાયો હોય એવું લાગ્યું. જોકે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણી જીતવાના એક પરિબળ તરીકે જ્ઞાતિ નિર્ણાયક પરિબળ રહી જ હતી.
ચૂંટણીની વાત કર્યા પછી, વડાપ્રધાન મોદીના સો દિવસના શાસનના આર્થિક કે રાજકીય પ્રવાહોની વિગતમાં જવાને બદલે, એ ગાળામાં જોવા મળેલા કેટલાક ભાવિ સંકેત અંગે પણ તેમણે વાત કરી.
૧) રાજકીય સત્તા અને નિર્ણયો લેવાની પદ્ધતિનું કેન્દ્રીકરણ તથા વ્યક્તિકરણ એક અગત્યનો મુદ્દો છે. પ્રો.પારેખે ઉદાહરણો સાથે કહ્યું કે આપણા દેશમાં રાજકીય સત્તા આધારિત નિર્ણય લેવાની પદ્ધતિ હંમેશાં આ પ્રકારની રહી છે. પંડિત નહેરુ નિર્ણય લેવાની બાબતમાં સરદાર સિવાય કોઇની સાથે વાતચીત કરતા નહીં. ઇંદિરા ગાંધી અને નરસિંહરાવના સમયમાં પણ આ પ્રથા ચાલુ રહી. રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ થાય ત્યારે રાજકીય સંસ્કૃતિનું પણ કેન્દ્રીકરણ થાય છે. નવા વડાપ્રધાનને ટીમ સ્પિરિટથી કામ કરતાં ફાવતું નથી. વધારામાં, પોતાના સમકક્ષ લોકો સાથે મળીને ટીમ બનાવવાની સંસ્કૃતિ આપણે ત્યાં વિકસી નથી. ટીમની સાથે મુદ્દાની મેરિટના આધારે મતભેદ આવકારવાનું આપણને આવડતું નથી...મોદી વડાપ્રધાન બન્યા પછી (સત્તાના કેન્દ્રીકરણ-વ્યક્તિકરણની પ્રક્રિયા) વધારે વેગથી ચાલુ રહેશે. તેનો ઉપાય શું હોઇ શકે? એ વિચારવાનું છે. પ્રો.પારેખની દૃષ્ટિએ આ સમસ્યા આપણા કલ્ચર અને ફિલોસૉફીની છે.
(૨) વડાપ્રધાને પંદરમી ઑગસ્ટના પ્રવચનમાં વિકાસની વાત કરી છે અને લધુમતીને આર્થિક સહયોગની વાત કરી છે. પ્રો.પારેખે કહ્યું કે વડાપ્રધાન દ્વારા દેશમાં જે ‘સેક્યુલર ક્લાઇમેટ’ પેદા થવું જોઇએ તે થતું નથી. ઉલટું, એવી સ્થિતિ પેદા થઇ છે કે પહેલા વરસાદ વખતે જમીનમાંથી જીવડાં ફૂટી નીકળે એવી રીતે તેમ, દેશમાં જે પ્રવાહોને ક્યારેય આદરમાન અપાતું ન હતું એ પ્રવાહો ચૂંટણી પછી મુખ્ય પ્રવાહ તરીકે ઉભરવા લાગ્યા છે અને જે પ્રવાહોનો ગૌરવશાળી ઐતિહાસિક વારસો હતો અને એક સમયે જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહને માર્ગદર્શન આપતા હતા તેમને વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલી દેવાયા છે.
આ વાતને વિસ્તારતાં પ્રો.પારેખે કહ્યું હતું,‘મારા મત મુજબ દેશમાં ઝડપથી એક બદલાવ (શિફ્ટ) અને તે પણ વડાપ્રધાનના નેજા હેઠળ આવી રહ્યો હોય એમ દેખાય છે. આ બદલાવ એક નજરે કદાચ ન દેખાય. કેમ કે એવા મુદ્દે વડાપ્રધાન સમજપૂર્વક મૌન સેવે છે અને તેમના પક્ષ કે સાથીદારોને જે કરવું હોય તે કરવા દે છે. આવું ઘણું બઘું મેં પણ બ્રિટનની સંસદમાં સત્તાપક્ષ તરફથી થતું જોયું છે. પરિણામે એ લોકો દેશને જે દિશામાં ખેંચી જવો હોય તે દિશામાં ખેંચી જશે. આ વડાપ્રધાનની વ્યવસ્થિત વ્યૂહરચના પણ હોઇ શકે કે ‘હું લોકોને વિકાસની વાત કરીશ અને તમારે જે કરવું હોય તે કરજો.’ તેને કારણે જે રાજકીય વાતાવરણ પેદા થઇ રહ્યું છે તે જોખમકારક છે...દેશનો ઇતિહાસ બદલનાર પક્ષ, મૂલ્યો અને વ્યક્તિઓનું વારાફરતી ડીહ્યુમનાઇઝેશન કરાઇ રહ્યું છે.’
(આવતા સપ્તાહે : વર્તમાન-ભવિષ્યને સાંકળતાં કેટલાંક વઘુ, વિચારોત્તેજક નિરીક્ષણો)
Labels:
Narendra Modi/નરેન્દ્ર મોદી,
Nehru,
politics
Sunday, October 26, 2014
બકોર પટેલ : એકવીસમી સદીમાં
ગુજરાતીમાં બાળસાહિત્યની વાત નીકળે એટલે કકળાટ શરૂ કરવો પડે અથવા ભૂતકાળમાં સરી જવું પડે. ઇન્ટરનેટ ન હતું અને બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે જે અઘરા રસ્તા મોજુદ હતા, તેમાંનો એક હતો : બાળસામયિકો. આઝાદી પછીના થોડા દાયકાને બાળસાહિત્યનો સુવર્ણયુગ કહી શકાય, જ્યારે બબ્બે ઘુરંધર બાળસાહિત્યકારો - હરિપ્રસાદ વ્યાસ અને જીવરામ જોષી- સક્રિય હતા. માર્કેટિંગ કે મેનેજમેન્ટની પરિભાષાના જમાના પહેલાં આ બન્ને સર્જકોએ એવાં પાત્રો સર્જ્યાં, જે દાયકાઓથી ગુજરાતમાં મજબૂત બ્રાન્ડ બની રહ્યાં છે. જીવરામ જોષીએ ‘ગુજરાત સમાચાર’ના બાળસાપ્તાહિક ‘ઝગમગ’માં મિંયા ફુસકી-તભા ભટ્ટ, છકો-મકો કે અડુકિયો-દડુકિયો જેવાં યાદગાર પાત્રો સર્જ્યાં, જ્યારે હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડિવ સાહિત્ય મંદિર’ના બાળપાક્ષિક ‘ગાંડિવ’માં બકોર પટેલની કથાઓ લખી. એ ઉપરાંત હાથીશંકર ધમધમિયા, ભગાભાઇ જેવાં પાત્રો તેમણે આપ્યાં. આ સિવાય અનેક બાળસામયિકો અને બાળકથાના લેખકોનું નોંધપાત્ર પ્રદાન હોવા છતાં, આ લેખ પૂરતી કેવળ બકોર પટેલ/ Bakor Patelની વાત.
બાળવયે આકર્ષતાં પાત્રો સુપરહીરોનાં હોય કે પછી છબરડાબાજ- ‘બ્લૂપર’ હીરોનાં. બકોર પટેલ એવા છબરડાવીર હતા. એમ તો મિંયા ફુસકી, ભગાભાઇ ને તીસમારખાં જેવાં પાત્રો પણ ગોટાળા કરે. છતાં, બકોર પટેલ અને હાથીશંકર ધમધમિયા જેવાં પાત્રો સામાજિક રીતે સંપન્ન અને પ્રતિષ્ઠિત હતાં- સાવ અક્કલના બારદાન કે સાવ મુફલિસ નહીં. સમાજનો ખાધેપીધે સુખી વર્ગ આ પાત્રો સાથે સહેલાઇથી એકરૂપતા સાધી શકે અને બાકીના વર્ગના લોકોને તે ‘મોટા માણસોના નિર્દોષ ગોટાળા’ પ્રકારનો આનંદ આપે.
બકોર પટેલની આખી પાત્રસૃષ્ટિની કમાલ એ હતી કે તેમાં માણસે સર્જેલી બધી વસ્તુઓ હતી, પણ માણસનું નામોનિશાન નહીં. એવું લાગે જાણે મનુષ્યે પૃથ્વીને આબાદ કરીને, પ્રાણીઓના પોતાનાં લક્ષણ શીખવીને, આખું વિશ્વ તેમના હવાલે કરી દીઘું હોય. બકોર પટેલની વાર્તાઓમાં કૂતરા અને ઊંટ જેવાં ઘરેલુ પ્રાણીથી માંડીને વાઘ અને હાથી અને વાઘ જેવાં જોરાવર-હિંસક પ્રાણીઓ આવે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની જેમ આ પાત્રોમાં પ્રાણીઓનું એકેય લક્ષણ નહીં. વાઘજીભાઇ વકીલનો દેખાવ વાઘ જેવો હોય એટલું જ. બાકી તેમનાં બધાં લક્ષણ વકીલનાં હોય. બકોર પટેલ અને શકરી પટલાણી પ્રાણી તરીકે ભલે બકરા-બકરી હોય, પણ એ બાબતનું મહત્ત્વ ફક્ત તેમના બાહ્યા-શારીરિક દેખાવ પૂરતું. તેમના વર્તનમાં ક્યાંય બકરાપણું ન આવે.
બકરી જેવા સામાન્ય પ્રાણીને લઇને, ગાંધીયુગમાં હોવા છતાં સદંતર ગાંધીપ્રભાવથી મુક્ત રહીને, બકરીની આવી વાર્તાઓ ઘડી શકાય અને તે દાયકાઓ સુધી સુપરહિટ નીવડે, એવું કોણે વિચાર્યું હશે? તેને પ્રચંડ સફળતા મળ્યા પછી, તેનાં કારણ આપવાં બહુ સહેલાં છે, પરંતુ શરૂઆતમાં પ્રાણીકથા તરીકે ‘ગાંડિવ’ના માલિક નટવરલાલ માળવી અને લેખક હરિપ્રસાદ વ્યાસે આ પ્રયોગ કર્યો ત્યારે તે અખતરો જ હશે. તેની દંતકથાસમી સફળતા પછી બાળવાર્તાકાર હરીશ નાયકે બકોર પટેલના જોડિયા ભાઇ ‘ચકોર પટેલ’નું પાત્ર સર્જ્યું હતું. ફિલ્મી અંદાજમાં વર્ષો પહેલાં છૂટો પડી ગયેલો ભાઇ ચકોર પટેલ પરદેશથી ભારત આવે છે, એવું કથાવસ્તુ હતું. પરંતુ બકોર પટેલના પ્રકાશકે વાંધો લેતાં તેમને એ કથા આટોપી લેવી પડી. (મૂળ કથામાં બકોર પટેલનાં માતા-પિતા કે ભાઇ-બહેનનો પાત્ર તરીકે ઉલ્લેખ આવતો નથી. પટેલ દંપતિને પણ નિઃસંતાન બતાવાયું છે.)
બકોર પટેલના ચાહકોના મનમાં તેમનાં અસલ ચિત્રો માટે આગવી લાગણી હશે. બકોર પટેલની વાર્તાઓની જૂની આવૃત્તિમાં છપાયેલાં ચિત્રો નીચે ‘તનસુખ’ એવી સહી જોવા મળતી હતી. ચિત્રકળાની દૃષ્ટિએ ચિત્રો બહુ અસાધારણ ન લાગે, પણ તેમાં થયેલા વાર્તાના પ્રસંગોના આલેખનને કારણે એ ચિત્રો પણ વાર્તાનો હિસ્સો બનીને મનમાં છપાઇ જતાં હતાં. એ ઉપરાંત દરેક વાર્તાના શીર્ષકની ટાઇપોગ્રાફી અને તેની સાથેનું એકાદ સૂચક ચિત્ર પણ બકોર પટેલના આખા પેકેજનો હિસ્સો હતું.
બકોર પટેલનાં ચિત્રો નીચે રહેલા ‘તનસુખ’ નામ વિશેની જિજ્ઞાસા થોડાં વર્ષ પહેલાં ‘ગાંડિવ’ના સુભગ માળવીની મુલાકાત વખતે સંતોષાઇ. (હવે સદ્ગત) સુભગભાઇએ કહ્યું હતું કે તનસુખ-મનસુખ બન્ને સુરતના ચિત્રકારભાઇઓ હતા. એ કાંડે ખડિયો લટકાવીને જ ફરતા હોય. કોઇ કહે એટલે તત્કાળ ચિત્રો દોરી આપે એ તેમની ખાસિયત હતી.
બાળપાક્ષિક ‘ગાંડિવ’ છેક ઑગસ્ટ, ૧૯૨૫થી થયો હતો. ૧૯૭૩ સુધી ચાલેલા આ પાક્ષિકમાં હરિપ્રસાદ વ્યાસે ૧૯૩૬થી ૧૯૫૫ વચ્ચે બકોર પટેલની ઘણી કથાઓ લખી. તેની પર એ સમય અને સમાજની પ્રબળ છાપ હતી. એ સમયે ફક્ત રૂપિયાથી માણસનો તોલ થતો ન હતો. સચ્ચાઇ, ઇમાનદારી, સંતોષ અને પરગજુતા જેવા ગુણોનો કમ સે કમ આદર્શ તરીકે મહિમા હતો. કોઠાકબાડા કરીને રૂપિયા કમાવા એ મહાનતા ગણાતી ન હતી અને એવા લોકોને સામાજિક સ્વીકૃતિ મળતાં વાર લાગતી હતી. બકોર પટેલની કથાસૃષ્ટિમાં નકારાત્મક લક્ષણો ધરાવતાં પાત્રો હતાં, પણ સાવેસાવ ખલનાયક કહેવાય એવું કોઇ ન હતું.
બકોર પટેલની વાર્તાઓ એ રીતે સમાજની ઘણી વરવી વાસ્તવિકતાઓથી પણ સાવ દૂર હતી. તેમની મુસીબતો અને તેમના સંઘર્ષમાં એક ઉચ્ચ મઘ્યમ વર્ગના સમાજની છાયા હતી. ગરીબ વર્ગ માટે તે મુંબઇમાં પેઢી અને જાપાન સાથે વેપાર ધરાવતા પટેલશેઠ હતા. એવા પટેલશેઠ જેમની ઉદારતા અને સરળતા બાઘાપણાની હદે હતી, પણ પાંચમાં પુછાતા હતા. એ જમાનામાં (ચાળીસી-પચાસીના દાયકામાં) તેમની પાસે મુંબઇમાં ગાડી-બંગલો હતાં, તેમના વર્તુળમાં ડૉક્ટર અને વકીલ જેવા સમાન સામાજિક દરજ્જાના લોકો હતા. પટેલશેઠ પોતે પાન-સોપારીના શોખીન અને ક્યારેક સિગરેટના રવાડે ચડે તો ગોટાળાની આખી વાર્તા સર્જાઇ જાય. તેમનાં કેટલાંક સાહસ અને ગોટાળા મોભાદાર માણસને કદાચ શોભે નહીં, પણ પરવડે ખરાં. બધાં પરાક્રમોના અંતે બકોર પટેલની છબી તો એવી જ ઊપસે કે એ ભૂલ કરે, ઠેબાં ખાય, પણ મનમાં પાપ નહીં.
ગુજરાતી હાસ્યસાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવી પાત્રસૃષ્ટિ સર્જનાર તારક મહેતાએ લખ્યું છે કે, ‘બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે મારાં પાત્રો જાણે ‘બકોર પટેલ’નાં પાત્રોનો માનવઅવતાર ન હોય! એવું બીજાંઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે. ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની ટીવી શ્રેણીએ મને ઘણો યશ અપાવ્યો છે. પણ ડગલે ને પગલે છબરડા વાળતા મારા ‘જેઠાલાલ’માં જાણે બકોર પટેલનો પુનર્જન્મ થયાનું મને લાગે છે. ‘દયા’ શકરી પટલાણીની યાદ અપાવે છે, તો ડૉક્ટર હાથી અનેક રીતે હાથીશંકરની યાદ અપાવે છે.’ (‘બકોર પટેલની હસતી દુનિયા’ - સંપાદક : હુંદરાજ બલવાણી, હર્ષ પ્રકાશન)
બકોર પટેલ જે જમાનામાં અને જે સાધનસુવિધાઓ વચ્ચે જીવ્યા તે હવે જૂનાં થઇ ગયાં છે. એ જે વર્ગના પ્રતિનિધિ હતા, તેની આખેઆખી જીવનશૈલી બદલાઇ ગઇ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, શૉપિંગ મૉલ, ડિજિટલ કેમેરા, મેટ્રો જેવી ઘણી ચીજો બકોર પટેલના જમાનામાં ન હતી. છતાં, તેમની વાર્તાઓમાં રહેલું મૂળભૂત મનુષ્ય સ્વભાવની ગાફેલિયતોનું આલેખન હજુ નવી પેઢીને બકોર પટેલ પ્રત્યે આકર્ષવાની તાકાત ધરાવે છે. નવા જમાનામાં બકોર પટેલની નવી કથાઓ માટે ઘણી સામગ્રી હાથવગી બની છે. જેમ કે, એકવીસમી સદીમાં બકોર પટેલ હોત તો ઉત્સાહમાં મોંઘુંદાટ ટેબ્લેટ ખરીદ્યા પછી વાપરતાં ન આવડવાથી અટવાતા હોત અને છેવટે રોજબરોજના ઉપયોગ માટે સાવ પ્રાથમિક ફોન ખરીદીને હાશ અનુભવતા હોત, સસ્તા ભાવમાં આઇ-ફોન ખરીદવાની લાલચમાં છેતરાતા હોત, નાઇજિરિયન ફ્રોડમાં રૂપિયા ગુમાવવાની હદ સુધી આવીને, ઓળખીતા પોલીસની મદદથી માંડ બચ્યા હોત, કોઇ લેભાગુ બિલ્ડરની વૈભવી સ્કીમમાં નામ નોંધાવ્યા પછી પસ્તાતા હોત, હરખભેર પોતાની આખી મિત્રમંડળી માટે સ્મૉલ કારનું બુકિંગ કરાવ્યા પછી, એ બધા ઑર્ડર કેન્સલ કરાવવા દોડતા હોત, શકરી પટલાણી સાથે મૉલમાં ગયા પછી અટવાઇને, પાકિટ વિના થાકી-હારીને ક્યાંક બેસી પડ્યા હોત, મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી ‘દુરાન્તો’ જેવી નોન-સ્ટોપ ટ્રેનમાં સફર કરતા પટેલને વચ્ચે ઉતરવું પડે એવા સંજોગો સર્જાયા હોત...
શક્યતાઓ ઘણી છે. મૂળ પાત્રને વફાદાર રહીને એની પર કામ થાય તો બકોર પટેલનો નવો અવતાર શક્ય છે, પણ એમ થવું અનિવાર્ય નથી. અમરતા માટે બકોર પટેલનો અસલ અવતાર પૂરતો છે.
બાળવયે આકર્ષતાં પાત્રો સુપરહીરોનાં હોય કે પછી છબરડાબાજ- ‘બ્લૂપર’ હીરોનાં. બકોર પટેલ એવા છબરડાવીર હતા. એમ તો મિંયા ફુસકી, ભગાભાઇ ને તીસમારખાં જેવાં પાત્રો પણ ગોટાળા કરે. છતાં, બકોર પટેલ અને હાથીશંકર ધમધમિયા જેવાં પાત્રો સામાજિક રીતે સંપન્ન અને પ્રતિષ્ઠિત હતાં- સાવ અક્કલના બારદાન કે સાવ મુફલિસ નહીં. સમાજનો ખાધેપીધે સુખી વર્ગ આ પાત્રો સાથે સહેલાઇથી એકરૂપતા સાધી શકે અને બાકીના વર્ગના લોકોને તે ‘મોટા માણસોના નિર્દોષ ગોટાળા’ પ્રકારનો આનંદ આપે.
બકોર પટેલની આખી પાત્રસૃષ્ટિની કમાલ એ હતી કે તેમાં માણસે સર્જેલી બધી વસ્તુઓ હતી, પણ માણસનું નામોનિશાન નહીં. એવું લાગે જાણે મનુષ્યે પૃથ્વીને આબાદ કરીને, પ્રાણીઓના પોતાનાં લક્ષણ શીખવીને, આખું વિશ્વ તેમના હવાલે કરી દીઘું હોય. બકોર પટેલની વાર્તાઓમાં કૂતરા અને ઊંટ જેવાં ઘરેલુ પ્રાણીથી માંડીને વાઘ અને હાથી અને વાઘ જેવાં જોરાવર-હિંસક પ્રાણીઓ આવે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની જેમ આ પાત્રોમાં પ્રાણીઓનું એકેય લક્ષણ નહીં. વાઘજીભાઇ વકીલનો દેખાવ વાઘ જેવો હોય એટલું જ. બાકી તેમનાં બધાં લક્ષણ વકીલનાં હોય. બકોર પટેલ અને શકરી પટલાણી પ્રાણી તરીકે ભલે બકરા-બકરી હોય, પણ એ બાબતનું મહત્ત્વ ફક્ત તેમના બાહ્યા-શારીરિક દેખાવ પૂરતું. તેમના વર્તનમાં ક્યાંય બકરાપણું ન આવે.
બકરી જેવા સામાન્ય પ્રાણીને લઇને, ગાંધીયુગમાં હોવા છતાં સદંતર ગાંધીપ્રભાવથી મુક્ત રહીને, બકરીની આવી વાર્તાઓ ઘડી શકાય અને તે દાયકાઓ સુધી સુપરહિટ નીવડે, એવું કોણે વિચાર્યું હશે? તેને પ્રચંડ સફળતા મળ્યા પછી, તેનાં કારણ આપવાં બહુ સહેલાં છે, પરંતુ શરૂઆતમાં પ્રાણીકથા તરીકે ‘ગાંડિવ’ના માલિક નટવરલાલ માળવી અને લેખક હરિપ્રસાદ વ્યાસે આ પ્રયોગ કર્યો ત્યારે તે અખતરો જ હશે. તેની દંતકથાસમી સફળતા પછી બાળવાર્તાકાર હરીશ નાયકે બકોર પટેલના જોડિયા ભાઇ ‘ચકોર પટેલ’નું પાત્ર સર્જ્યું હતું. ફિલ્મી અંદાજમાં વર્ષો પહેલાં છૂટો પડી ગયેલો ભાઇ ચકોર પટેલ પરદેશથી ભારત આવે છે, એવું કથાવસ્તુ હતું. પરંતુ બકોર પટેલના પ્રકાશકે વાંધો લેતાં તેમને એ કથા આટોપી લેવી પડી. (મૂળ કથામાં બકોર પટેલનાં માતા-પિતા કે ભાઇ-બહેનનો પાત્ર તરીકે ઉલ્લેખ આવતો નથી. પટેલ દંપતિને પણ નિઃસંતાન બતાવાયું છે.)
બકોર પટેલનાં ચિત્રો નીચે રહેલા ‘તનસુખ’ નામ વિશેની જિજ્ઞાસા થોડાં વર્ષ પહેલાં ‘ગાંડિવ’ના સુભગ માળવીની મુલાકાત વખતે સંતોષાઇ. (હવે સદ્ગત) સુભગભાઇએ કહ્યું હતું કે તનસુખ-મનસુખ બન્ને સુરતના ચિત્રકારભાઇઓ હતા. એ કાંડે ખડિયો લટકાવીને જ ફરતા હોય. કોઇ કહે એટલે તત્કાળ ચિત્રો દોરી આપે એ તેમની ખાસિયત હતી.
બાળપાક્ષિક ‘ગાંડિવ’ છેક ઑગસ્ટ, ૧૯૨૫થી થયો હતો. ૧૯૭૩ સુધી ચાલેલા આ પાક્ષિકમાં હરિપ્રસાદ વ્યાસે ૧૯૩૬થી ૧૯૫૫ વચ્ચે બકોર પટેલની ઘણી કથાઓ લખી. તેની પર એ સમય અને સમાજની પ્રબળ છાપ હતી. એ સમયે ફક્ત રૂપિયાથી માણસનો તોલ થતો ન હતો. સચ્ચાઇ, ઇમાનદારી, સંતોષ અને પરગજુતા જેવા ગુણોનો કમ સે કમ આદર્શ તરીકે મહિમા હતો. કોઠાકબાડા કરીને રૂપિયા કમાવા એ મહાનતા ગણાતી ન હતી અને એવા લોકોને સામાજિક સ્વીકૃતિ મળતાં વાર લાગતી હતી. બકોર પટેલની કથાસૃષ્ટિમાં નકારાત્મક લક્ષણો ધરાવતાં પાત્રો હતાં, પણ સાવેસાવ ખલનાયક કહેવાય એવું કોઇ ન હતું.
બકોર પટેલની વાર્તાઓ એ રીતે સમાજની ઘણી વરવી વાસ્તવિકતાઓથી પણ સાવ દૂર હતી. તેમની મુસીબતો અને તેમના સંઘર્ષમાં એક ઉચ્ચ મઘ્યમ વર્ગના સમાજની છાયા હતી. ગરીબ વર્ગ માટે તે મુંબઇમાં પેઢી અને જાપાન સાથે વેપાર ધરાવતા પટેલશેઠ હતા. એવા પટેલશેઠ જેમની ઉદારતા અને સરળતા બાઘાપણાની હદે હતી, પણ પાંચમાં પુછાતા હતા. એ જમાનામાં (ચાળીસી-પચાસીના દાયકામાં) તેમની પાસે મુંબઇમાં ગાડી-બંગલો હતાં, તેમના વર્તુળમાં ડૉક્ટર અને વકીલ જેવા સમાન સામાજિક દરજ્જાના લોકો હતા. પટેલશેઠ પોતે પાન-સોપારીના શોખીન અને ક્યારેક સિગરેટના રવાડે ચડે તો ગોટાળાની આખી વાર્તા સર્જાઇ જાય. તેમનાં કેટલાંક સાહસ અને ગોટાળા મોભાદાર માણસને કદાચ શોભે નહીં, પણ પરવડે ખરાં. બધાં પરાક્રમોના અંતે બકોર પટેલની છબી તો એવી જ ઊપસે કે એ ભૂલ કરે, ઠેબાં ખાય, પણ મનમાં પાપ નહીં.
ગુજરાતી હાસ્યસાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવી પાત્રસૃષ્ટિ સર્જનાર તારક મહેતાએ લખ્યું છે કે, ‘બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે મારાં પાત્રો જાણે ‘બકોર પટેલ’નાં પાત્રોનો માનવઅવતાર ન હોય! એવું બીજાંઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે. ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની ટીવી શ્રેણીએ મને ઘણો યશ અપાવ્યો છે. પણ ડગલે ને પગલે છબરડા વાળતા મારા ‘જેઠાલાલ’માં જાણે બકોર પટેલનો પુનર્જન્મ થયાનું મને લાગે છે. ‘દયા’ શકરી પટલાણીની યાદ અપાવે છે, તો ડૉક્ટર હાથી અનેક રીતે હાથીશંકરની યાદ અપાવે છે.’ (‘બકોર પટેલની હસતી દુનિયા’ - સંપાદક : હુંદરાજ બલવાણી, હર્ષ પ્રકાશન)
બકોર પટેલ જે જમાનામાં અને જે સાધનસુવિધાઓ વચ્ચે જીવ્યા તે હવે જૂનાં થઇ ગયાં છે. એ જે વર્ગના પ્રતિનિધિ હતા, તેની આખેઆખી જીવનશૈલી બદલાઇ ગઇ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, શૉપિંગ મૉલ, ડિજિટલ કેમેરા, મેટ્રો જેવી ઘણી ચીજો બકોર પટેલના જમાનામાં ન હતી. છતાં, તેમની વાર્તાઓમાં રહેલું મૂળભૂત મનુષ્ય સ્વભાવની ગાફેલિયતોનું આલેખન હજુ નવી પેઢીને બકોર પટેલ પ્રત્યે આકર્ષવાની તાકાત ધરાવે છે. નવા જમાનામાં બકોર પટેલની નવી કથાઓ માટે ઘણી સામગ્રી હાથવગી બની છે. જેમ કે, એકવીસમી સદીમાં બકોર પટેલ હોત તો ઉત્સાહમાં મોંઘુંદાટ ટેબ્લેટ ખરીદ્યા પછી વાપરતાં ન આવડવાથી અટવાતા હોત અને છેવટે રોજબરોજના ઉપયોગ માટે સાવ પ્રાથમિક ફોન ખરીદીને હાશ અનુભવતા હોત, સસ્તા ભાવમાં આઇ-ફોન ખરીદવાની લાલચમાં છેતરાતા હોત, નાઇજિરિયન ફ્રોડમાં રૂપિયા ગુમાવવાની હદ સુધી આવીને, ઓળખીતા પોલીસની મદદથી માંડ બચ્યા હોત, કોઇ લેભાગુ બિલ્ડરની વૈભવી સ્કીમમાં નામ નોંધાવ્યા પછી પસ્તાતા હોત, હરખભેર પોતાની આખી મિત્રમંડળી માટે સ્મૉલ કારનું બુકિંગ કરાવ્યા પછી, એ બધા ઑર્ડર કેન્સલ કરાવવા દોડતા હોત, શકરી પટલાણી સાથે મૉલમાં ગયા પછી અટવાઇને, પાકિટ વિના થાકી-હારીને ક્યાંક બેસી પડ્યા હોત, મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી ‘દુરાન્તો’ જેવી નોન-સ્ટોપ ટ્રેનમાં સફર કરતા પટેલને વચ્ચે ઉતરવું પડે એવા સંજોગો સર્જાયા હોત...
શક્યતાઓ ઘણી છે. મૂળ પાત્રને વફાદાર રહીને એની પર કામ થાય તો બકોર પટેલનો નવો અવતાર શક્ય છે, પણ એમ થવું અનિવાર્ય નથી. અમરતા માટે બકોર પટેલનો અસલ અવતાર પૂરતો છે.
Subscribe to:
Posts (Atom)






