Showing posts with label narmada dam. Show all posts
Showing posts with label narmada dam. Show all posts
Monday, June 23, 2014
નર્મદા બંધ, પાણીનું રાજકારણ અને ભાઇકાકા
નર્મદા બંધની ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ ફીટની આખરી ઊંચાઇએ પહોંચાડવાની મંજૂરી મળી જતાં, આ યોજના વઘુ એક વાર ચર્ચામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં નર્મદા યોજના વિશે થયેલા વિવાદ મુખ્યત્વે મેધા પાટકર અને ‘નર્મદા બચાવો આંદોલન’ સંદર્ભે હતા. પરંતુ વિવાદ અને ડખાનો એ ઉત્તરાર્ધ હતો. નર્મદા બંધ વિશેની કાર્યવાહી ૧૯૫૦ના દાયકાથી અને તેની તકરારો ૧૯૬૦ના દાયકાથી શરૂ થઇ ચૂકી હતી. ત્યારે પર્યાવરણ કે પુનઃવસન નહીં, પણ વીજળી-પાણી અને ખરૂં જોતાં, પ્રાદેશિક રાજકારણ વિવાદનું મૂળ કારણ હતું.
દરિયામાં ઠલવાઇ જતા નર્મદાના અઢળક પાણીનો રાજ્ય અને દેશના ફાયદામાં ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં ગોરા પાસે બંધ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે અલગ ગુજરાત રચાયું ન હતું. બંધની ઊંચાઇ એ વખતે બે તબક્કે વધારીને ૩૨૦ ફૂટ સુધી લઇ જવાની હતી. તેમાંથી કેનાલો દ્વારા છેક કચ્છ અને બનાસકાંઠા સુધી પાણી પહોંચાડવાની અને વીજળી પેદા કરવાની યોજના હતી, જેને આયોજન પંચે મંજૂરી આપી.
ગુજરાત સરકારે પોતાના અલગ અસ્તિત્ત્વના બીજા જ વર્ષે, ૧૯૬૧માં જવાહરલાલ નેહરુના હાથે ગોરા બંધનું ખાતમુુહુર્ત કરાવ્યું. પરંતુ ભૂસ્તરીય તપાસ દરમિયાન એ જગ્યા યોગ્ય ન લાગતાં, ગોરા બંધની જગ્યાથી નદીના ઉપરવાસ તરફ તપાસ કરવામાં આવી. ત્યાંથી આઠેક કિલોમીટર ઉપર નવાગામ પાસે યોગ્ય જગ્યા મળી આવતાં, સ્થળની ખોજ પૂરી થઇ. નવી જગ્યાએ આજુબાજુના ખડકોની ઊંચાઇ વધારે હતી. એટલે બંધની ઊંચાઇ વધારીને ૪૨૫ ફૂટ (૧૨૯.૫૪ મીટર) કરવાનું ઠરાવાયું.
પહેલેથી નર્મદા બંધનું ખરેખરું કામ ધીમી ગતિએ ચાલતું હતું. એ વખતે સ્વતંત્ર પક્ષના ચૂંટાયેલા સભ્ય તરીકે વિધાનસભામાં બેસતા ઇજનેર અને વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઇકાકા ઝડપથી તથા કરકસરથી કામ કરવા માટે પંકાયેલા હતા. આઝાદી પહેલાં (૧૯૨૦ના દાયકામાં) સિંધના સક્કર બરાજ પ્રોજેક્ટમાં યુવાન ઇજનેર ભાઇકાકાની કોઠાસૂઝથી સરકારને આશરે એકાદ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. પરંતુ આઝાદી પછી આ બાબતમાં સ્થિતિ બદલાઇ - અને ખરાબ થઇ. સ્વ-રાજના નેતાઓ લોકહિત અને દેશહિત આગળ કરવાને બદલે સત્તાકેન્દ્રી રાજકારણના ચક્કરમાં પડ્યા. રાજ્યો વચ્ચે કુદરતી સંસાધનો માટે ખેંચતાણ થાય ત્યારે પોતાના ફાયદા કરતાં બીજાને વધારે ફાયદો ન થવો જોઇએ, એવી વૃત્તિ કામ કરવા લાગી.
ભાઇકાકાએ તેમનાં સંસ્મરણોમાં નોંઘ્યું છે તેમ, નર્મદા પરના બંધ સામે મઘ્ય પ્રદેશને શરૂઆતથી વાંધા હતા. તેની મુખ્ય દલીલ એ હતી કે નર્મદાની આઠસો માઇલની લંબાઇમાંથી ગુજરાતમાં તે ફક્ત સો માઇલમાં વહે છે. તેમનો બીજો વાંધો હતો કે ગુજરાતમાં નર્મદા પર બંધ બંધાય તો મઘ્ય પ્રદેશની અમુક જમીન ડૂબમાં જાય અને ભવિષ્યમાં તે નર્મદા પર બંધ બાંધી ન શકે. તેની સામે ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાએ એક વિશિષ્ય યોજના મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીના ગળે ઉતારી દીધી. એ પ્રમાણે, મઘ્ય પ્રદેશમાં મોટું સરોવર અને એક બંધ થાય તો આખા રાજ્યને છ-સાત લાખ એકરમાં બારમાસી ખેતી થાય એટલું પાણી નહેરો દ્વારા મળે અને પાણીમાંથી પેદા થનારી વીજળીનો પુરવઠો પણ મળે. આ બંધ માટે ખર્ચાનારા રૂ.૩૦ કરોડમાંથી રૂ.૧૦ કરોડ ગુજરાત લોન પેટે આપે, બીજા રૂ.૧૦ કરોડની ગુજરાત મદદ તરીકે આપે અને તેના બદલામાં પાણી થકી પેદા થતી વીજળીનો ત્રીજો ભાગ મેળવે.
આ યોજના પર બન્ને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સંમત હતા, પરંતુ અખબારોમાં આ સમજૂતીની વિગતો આવતાં મહારાષ્ટ્રના પેટમાં તેલ રેડાયું. ખેતી અને ઉદ્યોગોની બાબતમાં ગુજરાત આગળ ન નીકળી જાય એ માટે મહારાષ્ટ્ર બહુ સચેત હતું. તેના દૂતોએ મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીને અવળું ભૂસું ભરાવ્યું. તેમણે કહ્યું કે જમીન મઘ્ય પ્રદેશની ડૂબે ને લાભ ગુજરાતને મળે? તથા આવું થશે તો મઘ્ય પ્રદેશ ભવિષ્યમાં હરણફાળ પાસે બંધ બાંધવાની અને તેમાંથી પેદા થતી વીજળી મેળવવાની તક ગુમાવશે. એને બદલે જો એ મહારાષ્ટ્ર સાથે સંધિ કરે તો મહારાષ્ટ્ર મઘ્ય પ્રદેશની હદ નજીક જળસિંધી પર બંધ બાંધશે, જે સહિયારો બંધ બનશે. તેનો ખર્ચ મહારાષ્ટ્ર ઉપાડશે. વીજળીની વહેંચણીમાં ત્રણ ભાગ મઘ્ય પ્રદેશને અને એક ભાગ મહારાષ્ટ્રને મળશે. મઘ્ય પ્રદેશને એટલી વીજળીની જરૂર ન હોવાથી, વીજળી મહારાષ્ટ્ર વાપરશે અને તેના રૂપિયા મઘ્ય પ્રદેશને ચૂકી દેશે. ઉપરાંત, ભવિષ્યમાં તે હરણફાળ પાસે પોતાનો બંધ પણ બાંધી શકશે.
મહારાષ્ટ્રની આ ફાચર આબાદ કામ કરી ગઇ. મઘ્ય પ્રદેશે ગુજરાત સાથેની સંધિ ફોક કરીને મહારાષ્ટ્ર સાથે હાથ મિલાવી લીધા. એટલું જ નહીં, તેમણે જાહેર કર્યું કે ગુજરાતને અમે નર્મદાનું કામ નહીં કરવા દઇએ. ત્યાં સુધી યોજનાની પ્રાથમિક તપાસ અને પરીક્ષણ પાછળ ચારેક કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રે એવો ‘અભ્યાસ’ બહાર પડાવ્યો કે નર્મદા બંધ ૨૧૦ ફૂટ ઊંચો થાય અને તેમાંથી ૧૮૦ ફૂટે કેનાલ નીકળે તો પણ એ પાણી કચ્છ સુધી પહોંચી જાય.
રાજ્યો વચ્ચેના દાવા-પ્રતિદાવાનો તકનિકી રાહે નીવેડો લાવવા માટે કેન્દ્ર સરકારે ખોસલા કમિટીની નિમણૂંક કરી. તેમાં ડૉ.ખોસલા સહિતના લોકો ઇજેનેરી બાબતોના નિષ્ણાત અને નિષ્પક્ષ હતા. ખોસલા કમિટીએ ત્રણે રાજ્યોની રજૂઆતો સાંભળી. ગુજરાતમાં આવતાં વેંત તેમણે ‘પોલિટિશ્યન એન્જિનિયર’ ભાઇકાકાને યાદ કર્યા અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી. એ સમયે વિપક્ષી આગેવાન એવા ભાઇકાકાએ તેમને કહ્યું કે ‘ગુજરાત પડોશી રાજ્યોને ભોગે કંઇ પણ લાભ લેવા માગતું નથી. અમારું એક જ દૃષ્ટિબિંદુ છે કે નર્મદા એ સારા ભારતની મિલકત છે અને ભારતનું હિત વધારેમાં વધારે સધાય એ રીતે નર્મદાના પાણીનો ઉપયોગ થવો જોઇએ.’ ટેકનિકલ પાસાંની રજૂઆત કરતાં તેમણે કહ્યું કે મઘ્ય પ્રદેશ હરણફાળ આગળ બંધ બાંધે ત્યાં માત્ર વીજળી ઉત્પન્ન થવાની છે. ખેતી માટે પાણીનો લાભ મળવાનો નથી. એવું જ મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશના સંયુક્ત એવા જળસિંધીના બંધ માટે પણ છે.
મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ ૪૬૫ ફૂટ ઊંચાઇએ થવાનો છે. એને બદલે ગુજરાતના નર્મદા બંધને ૪૬૫ ફૂટ (આશરે ૧૪૧ મીટર) ઊંચાઇની મંજૂરી આપવામાં આવે. ત્યાર પછી મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રે બંધ બાંધવાના રહે નહીં. મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ બાંધવાથી ડૂબમાં જવાની હતી એટલી જ જમીન ગુજરાતના નર્મદા બંધથી ડૂબમાં જશે. એટલે તેને વધારાનું કશું નુકસાન નહીં થાય. બન્ને બંધોથી જે વીજળી પેદા થવાની છે, એ ગુજરાત બન્ને રાજ્યોને નર્મદા બંધના પ્રતાપે આપી શકશે. બદલામાં બન્ને રાજ્યોએ એ બંધ માટે ખર્ચાનારી રકમ ગુજરાતને આપી દેવાની. તેમની વીજળીની માગ સંતોષાશે, વધારાની જમીન ડૂબમાં નહીં જાય અને ગુજરાતને ૧૪૧ મીટર ઊંચા નર્મદા બંધનો વીજળી અને સિંચાઇ માટે લાભ મળશે.
ખોસલા કમિટીની વિશિષ્ટ ભલામણોમાંની એક નર્મદાની નહેરો દ્વારા ગુજરાતમાં વહાણવટું ખીલવવાની હતી. તેમણે સૂચવ્યું હતું કે નહેરનો એક ફાંટો કંડલા બંદર પાસે હોવો જોઇએ, જેથી ત્યાંથી હોડીઓમાં માલ સીધો નવાગામ પાસે લાવી શકાય અને ત્યાંથી મઘ્ય પ્રદેશમાં છેક જબલપુર સુધી પણ આ રીતે જળમાર્ગ સ્થાપી શકાય. એવી રીતે કલકત્તાને પણ નર્મદાની નહેરો થકી જળમાર્ગે કંડલા સાથે જોડી શકાય. આ રીતે માલનો વાહનવ્યવહાર ખર્ચ ત્રીજા ભાગનો થઇ જાય.
નર્મદા બંધની ૪૬૫ ફૂટની ઊંચાઇ ખોસલા કમિટીએ મંજૂર રાખી હતી. તેમાંથી પાણીના લાભ પેટે ૪૮ ટકા ખર્ચ ગુજરાતે ભોગવવાનું હતું. બાકી રહેલા વીજળી પેટેના ૫૨ ટકા હિસ્સામાંથી ૨૬ ટકા મઘ્ય પ્રદેશ, ૧૩ ટકા મહારાષ્ટ્ર અને ૧૩ ટકા ગુજરાત વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. ઉપરાંત, રોકકળ મચાવનાર મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશને વધારાના ફાયદા આપવામાં આવ્યા હતા. ગુજરાતને આ રીપોર્ટ મંજૂર હતો. પરંતુ તેનો સ્વીકાર કરવામાં મુખ્ય મંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇએ ગરજાઉ ઉતાવળ બતાવવાને બદલે વિલંબ દાખવ્યો. ત્યાં સુધીમાં મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ ભલામણોના કાલ્પનિક ગેરફાયદા દેખાડીને લોકોને ઉશ્કેરવાનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું. એટલે ખોસલા કમિટીની કવાયત પણ પાણીમાં ગઇ.
બાકી, ખોસલા કમિટીના અંદાજ પ્રમાણે, ૧૯૬૫માં નવાગામ બંધ અને તેની કેનાલોનું કામ શરૂ થઇ જવાનું હતું અને ૧૯૭૫માં તે ફક્ત રૂ.૩૦૦ કરોડના ખર્ચે પૂરું થઇ જાત. એને બદલે હજારો કરોડ રૂપિયાના ખર્ચ પછી નર્મદા બંધની ટોચે દરવાજાનું બાંધકામ પૂરું થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ લાગશે. ઉપરાંત, માત્ર ને માત્ર ગુજરાત સરકારની ઉદાસનીતાથી રેઢું પડેલું નહેરોનું બાકી રહેલું ૭૦ ટકા બાંધકામ ક્યારે પૂરું થશે એ કહેવું મુશ્કેલ છે.
‘સોશ્યલ એન્જિનિયરિંગ’ અને ‘ઇલેક્શન એન્જિનિયરિંગ’ની બોલબાલાના જમાનામાં ભાઇકાકા જેવા ‘પોલિટિકલ એન્જિનિયર’ની ગુજરાતને અને દેશને ખોટ વરતાય છે.
દરિયામાં ઠલવાઇ જતા નર્મદાના અઢળક પાણીનો રાજ્ય અને દેશના ફાયદામાં ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં ગોરા પાસે બંધ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે અલગ ગુજરાત રચાયું ન હતું. બંધની ઊંચાઇ એ વખતે બે તબક્કે વધારીને ૩૨૦ ફૂટ સુધી લઇ જવાની હતી. તેમાંથી કેનાલો દ્વારા છેક કચ્છ અને બનાસકાંઠા સુધી પાણી પહોંચાડવાની અને વીજળી પેદા કરવાની યોજના હતી, જેને આયોજન પંચે મંજૂરી આપી.
ગુજરાત સરકારે પોતાના અલગ અસ્તિત્ત્વના બીજા જ વર્ષે, ૧૯૬૧માં જવાહરલાલ નેહરુના હાથે ગોરા બંધનું ખાતમુુહુર્ત કરાવ્યું. પરંતુ ભૂસ્તરીય તપાસ દરમિયાન એ જગ્યા યોગ્ય ન લાગતાં, ગોરા બંધની જગ્યાથી નદીના ઉપરવાસ તરફ તપાસ કરવામાં આવી. ત્યાંથી આઠેક કિલોમીટર ઉપર નવાગામ પાસે યોગ્ય જગ્યા મળી આવતાં, સ્થળની ખોજ પૂરી થઇ. નવી જગ્યાએ આજુબાજુના ખડકોની ઊંચાઇ વધારે હતી. એટલે બંધની ઊંચાઇ વધારીને ૪૨૫ ફૂટ (૧૨૯.૫૪ મીટર) કરવાનું ઠરાવાયું.
પહેલેથી નર્મદા બંધનું ખરેખરું કામ ધીમી ગતિએ ચાલતું હતું. એ વખતે સ્વતંત્ર પક્ષના ચૂંટાયેલા સભ્ય તરીકે વિધાનસભામાં બેસતા ઇજનેર અને વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઇકાકા ઝડપથી તથા કરકસરથી કામ કરવા માટે પંકાયેલા હતા. આઝાદી પહેલાં (૧૯૨૦ના દાયકામાં) સિંધના સક્કર બરાજ પ્રોજેક્ટમાં યુવાન ઇજનેર ભાઇકાકાની કોઠાસૂઝથી સરકારને આશરે એકાદ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. પરંતુ આઝાદી પછી આ બાબતમાં સ્થિતિ બદલાઇ - અને ખરાબ થઇ. સ્વ-રાજના નેતાઓ લોકહિત અને દેશહિત આગળ કરવાને બદલે સત્તાકેન્દ્રી રાજકારણના ચક્કરમાં પડ્યા. રાજ્યો વચ્ચે કુદરતી સંસાધનો માટે ખેંચતાણ થાય ત્યારે પોતાના ફાયદા કરતાં બીજાને વધારે ફાયદો ન થવો જોઇએ, એવી વૃત્તિ કામ કરવા લાગી.
![]() |
| bhaikaka / ભાઇકાકા |
આ યોજના પર બન્ને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સંમત હતા, પરંતુ અખબારોમાં આ સમજૂતીની વિગતો આવતાં મહારાષ્ટ્રના પેટમાં તેલ રેડાયું. ખેતી અને ઉદ્યોગોની બાબતમાં ગુજરાત આગળ ન નીકળી જાય એ માટે મહારાષ્ટ્ર બહુ સચેત હતું. તેના દૂતોએ મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીને અવળું ભૂસું ભરાવ્યું. તેમણે કહ્યું કે જમીન મઘ્ય પ્રદેશની ડૂબે ને લાભ ગુજરાતને મળે? તથા આવું થશે તો મઘ્ય પ્રદેશ ભવિષ્યમાં હરણફાળ પાસે બંધ બાંધવાની અને તેમાંથી પેદા થતી વીજળી મેળવવાની તક ગુમાવશે. એને બદલે જો એ મહારાષ્ટ્ર સાથે સંધિ કરે તો મહારાષ્ટ્ર મઘ્ય પ્રદેશની હદ નજીક જળસિંધી પર બંધ બાંધશે, જે સહિયારો બંધ બનશે. તેનો ખર્ચ મહારાષ્ટ્ર ઉપાડશે. વીજળીની વહેંચણીમાં ત્રણ ભાગ મઘ્ય પ્રદેશને અને એક ભાગ મહારાષ્ટ્રને મળશે. મઘ્ય પ્રદેશને એટલી વીજળીની જરૂર ન હોવાથી, વીજળી મહારાષ્ટ્ર વાપરશે અને તેના રૂપિયા મઘ્ય પ્રદેશને ચૂકી દેશે. ઉપરાંત, ભવિષ્યમાં તે હરણફાળ પાસે પોતાનો બંધ પણ બાંધી શકશે.
મહારાષ્ટ્રની આ ફાચર આબાદ કામ કરી ગઇ. મઘ્ય પ્રદેશે ગુજરાત સાથેની સંધિ ફોક કરીને મહારાષ્ટ્ર સાથે હાથ મિલાવી લીધા. એટલું જ નહીં, તેમણે જાહેર કર્યું કે ગુજરાતને અમે નર્મદાનું કામ નહીં કરવા દઇએ. ત્યાં સુધી યોજનાની પ્રાથમિક તપાસ અને પરીક્ષણ પાછળ ચારેક કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રે એવો ‘અભ્યાસ’ બહાર પડાવ્યો કે નર્મદા બંધ ૨૧૦ ફૂટ ઊંચો થાય અને તેમાંથી ૧૮૦ ફૂટે કેનાલ નીકળે તો પણ એ પાણી કચ્છ સુધી પહોંચી જાય.
રાજ્યો વચ્ચેના દાવા-પ્રતિદાવાનો તકનિકી રાહે નીવેડો લાવવા માટે કેન્દ્ર સરકારે ખોસલા કમિટીની નિમણૂંક કરી. તેમાં ડૉ.ખોસલા સહિતના લોકો ઇજેનેરી બાબતોના નિષ્ણાત અને નિષ્પક્ષ હતા. ખોસલા કમિટીએ ત્રણે રાજ્યોની રજૂઆતો સાંભળી. ગુજરાતમાં આવતાં વેંત તેમણે ‘પોલિટિશ્યન એન્જિનિયર’ ભાઇકાકાને યાદ કર્યા અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી. એ સમયે વિપક્ષી આગેવાન એવા ભાઇકાકાએ તેમને કહ્યું કે ‘ગુજરાત પડોશી રાજ્યોને ભોગે કંઇ પણ લાભ લેવા માગતું નથી. અમારું એક જ દૃષ્ટિબિંદુ છે કે નર્મદા એ સારા ભારતની મિલકત છે અને ભારતનું હિત વધારેમાં વધારે સધાય એ રીતે નર્મદાના પાણીનો ઉપયોગ થવો જોઇએ.’ ટેકનિકલ પાસાંની રજૂઆત કરતાં તેમણે કહ્યું કે મઘ્ય પ્રદેશ હરણફાળ આગળ બંધ બાંધે ત્યાં માત્ર વીજળી ઉત્પન્ન થવાની છે. ખેતી માટે પાણીનો લાભ મળવાનો નથી. એવું જ મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશના સંયુક્ત એવા જળસિંધીના બંધ માટે પણ છે.
મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ ૪૬૫ ફૂટ ઊંચાઇએ થવાનો છે. એને બદલે ગુજરાતના નર્મદા બંધને ૪૬૫ ફૂટ (આશરે ૧૪૧ મીટર) ઊંચાઇની મંજૂરી આપવામાં આવે. ત્યાર પછી મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રે બંધ બાંધવાના રહે નહીં. મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ બાંધવાથી ડૂબમાં જવાની હતી એટલી જ જમીન ગુજરાતના નર્મદા બંધથી ડૂબમાં જશે. એટલે તેને વધારાનું કશું નુકસાન નહીં થાય. બન્ને બંધોથી જે વીજળી પેદા થવાની છે, એ ગુજરાત બન્ને રાજ્યોને નર્મદા બંધના પ્રતાપે આપી શકશે. બદલામાં બન્ને રાજ્યોએ એ બંધ માટે ખર્ચાનારી રકમ ગુજરાતને આપી દેવાની. તેમની વીજળીની માગ સંતોષાશે, વધારાની જમીન ડૂબમાં નહીં જાય અને ગુજરાતને ૧૪૧ મીટર ઊંચા નર્મદા બંધનો વીજળી અને સિંચાઇ માટે લાભ મળશે.
ખોસલા કમિટીની વિશિષ્ટ ભલામણોમાંની એક નર્મદાની નહેરો દ્વારા ગુજરાતમાં વહાણવટું ખીલવવાની હતી. તેમણે સૂચવ્યું હતું કે નહેરનો એક ફાંટો કંડલા બંદર પાસે હોવો જોઇએ, જેથી ત્યાંથી હોડીઓમાં માલ સીધો નવાગામ પાસે લાવી શકાય અને ત્યાંથી મઘ્ય પ્રદેશમાં છેક જબલપુર સુધી પણ આ રીતે જળમાર્ગ સ્થાપી શકાય. એવી રીતે કલકત્તાને પણ નર્મદાની નહેરો થકી જળમાર્ગે કંડલા સાથે જોડી શકાય. આ રીતે માલનો વાહનવ્યવહાર ખર્ચ ત્રીજા ભાગનો થઇ જાય.
નર્મદા બંધની ૪૬૫ ફૂટની ઊંચાઇ ખોસલા કમિટીએ મંજૂર રાખી હતી. તેમાંથી પાણીના લાભ પેટે ૪૮ ટકા ખર્ચ ગુજરાતે ભોગવવાનું હતું. બાકી રહેલા વીજળી પેટેના ૫૨ ટકા હિસ્સામાંથી ૨૬ ટકા મઘ્ય પ્રદેશ, ૧૩ ટકા મહારાષ્ટ્ર અને ૧૩ ટકા ગુજરાત વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. ઉપરાંત, રોકકળ મચાવનાર મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશને વધારાના ફાયદા આપવામાં આવ્યા હતા. ગુજરાતને આ રીપોર્ટ મંજૂર હતો. પરંતુ તેનો સ્વીકાર કરવામાં મુખ્ય મંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇએ ગરજાઉ ઉતાવળ બતાવવાને બદલે વિલંબ દાખવ્યો. ત્યાં સુધીમાં મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ ભલામણોના કાલ્પનિક ગેરફાયદા દેખાડીને લોકોને ઉશ્કેરવાનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું. એટલે ખોસલા કમિટીની કવાયત પણ પાણીમાં ગઇ.
બાકી, ખોસલા કમિટીના અંદાજ પ્રમાણે, ૧૯૬૫માં નવાગામ બંધ અને તેની કેનાલોનું કામ શરૂ થઇ જવાનું હતું અને ૧૯૭૫માં તે ફક્ત રૂ.૩૦૦ કરોડના ખર્ચે પૂરું થઇ જાત. એને બદલે હજારો કરોડ રૂપિયાના ખર્ચ પછી નર્મદા બંધની ટોચે દરવાજાનું બાંધકામ પૂરું થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ લાગશે. ઉપરાંત, માત્ર ને માત્ર ગુજરાત સરકારની ઉદાસનીતાથી રેઢું પડેલું નહેરોનું બાકી રહેલું ૭૦ ટકા બાંધકામ ક્યારે પૂરું થશે એ કહેવું મુશ્કેલ છે.
‘સોશ્યલ એન્જિનિયરિંગ’ અને ‘ઇલેક્શન એન્જિનિયરિંગ’ની બોલબાલાના જમાનામાં ભાઇકાકા જેવા ‘પોલિટિકલ એન્જિનિયર’ની ગુજરાતને અને દેશને ખોટ વરતાય છે.
Friday, June 20, 2014
‘નર્મદાવતરણ’ : ઉજવણી અને સવાલો
રાજકારણમાં આજકાલ ભાવનાસભર વાતાવરણ ચાલે છે. પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી, ‘શરતો લાગુ’ની ફુદડી સાથે, ઉચ્ચ આદર્શોની વાતો કરવાના મૂડમાં છે. (મુખ્ય શરત : દેખીતા વિરોધાભાસ પ્રત્યે ઉદારતા અને આશાવાદથી આંખ આડા કાન કરવા.)
એક નમૂનો : સંસદમાં તે નૈતિકતાના મેરૂ બનીને કહી શકે છે કે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવું જોઇએ. આવું સાંભળીને જે તેમની સિદ્ધાંતનિષ્ઠા પર ઓવારી જાય એ ખરા દેશપ્રેમી. પણ જે એવું પૂછે કે ‘એક બાજુ તમે મુઝફ્ફરનગર રમખાણોના આરોપી સંજયકુમાર બલયાનને કેન્દ્રિય મંત્રમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવો છો અને બીજી બાજુ રાજકારણને અપરાધીમુક્ત બનાવવાની વાત કરો છો. એમાં અમારે શું સમજવું?’ તો આવા લોકો મોદીવિરોધી, વિકાસવિરોધી અને ટીકાખોર.
ભાવનાનો આવો પ્રવાહ રાજ્યસ્તરે પણ છલકાતો રહે છે. નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજુરી મળી ગયા પછી ગુજરાત સરકારની એક જાહેરાતમાં વડાપ્રધાન-મુખ્ય મંત્રીની મસમોટી તસવીરો સાથે મુકાયેલું એક લખાણ હતું : ‘ગંગાવતરણનું પર્વ- ગંગા દશહરા ઉજવાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં નર્મદાવતરણનાં દ્વાર ઉઘડ્યાં છે...ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાબંધની ઊંચાઇ વધારવા માટે અભૂતપૂર્વ નિર્ણયશક્તિ દાખવી ગુજરાતના પ્રાણપ્રશ્નને ઉકેલી આપ્યો છે.’
આગળ જણાવ્યું તેમ, સરકારી જાહેરખબર લાગણીથી છલકાતી, પણ સચ્ચાઇની રીતે ઊણી છે. ગુજરાતમાં ‘નર્મદાવતરણ’ ક્યારનું થઇ શક્યું હોત, પરંતુ ગુજરાત સરકારની શિથિલતાને કારણે ‘નર્મદાવતરણ’માં વિલંબ થયો છે- અને અફસોસ, હજુ પણ મુખ્ય મંત્રીના હરખ પ્રમાણેનું ‘નર્મદાવતરણ’ થઇ ગયું નથી.
પ્રચાર અને હકીકત
વર્ષ ૨૦૦૬માં નર્મદા બંધ ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇએ પહોંચ્યો. ત્યાર પછી બંધ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ મીટરની આખરી ઊંચાઇએ મૂકવાનો તબક્કો બાકી રહ્યો હતો. દરમિયાન, ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ ધરાવતા બંધમાં જમા થતો પાણીનો જથ્થો ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા સરકાર કરી શકી છે? જવાબ છે : ના.
‘કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય’ની બૂમો પાડવાનું ગુજરાતની મોદીસરકારને એવું ફાવી ગયું હતું કે યોજનાની સફળતા અનિવાર્ય એવું નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ ઢીલું રહ્યું. વર્ષ ૨૦૧૩માં વિધાનસભામાં એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે કબૂલ્યું હતું કે નર્મદાની નહેરોના કુલ ૭૪,૬૨૬ કિલોમીટર લાંબા નેટવર્કમાંથી ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ફક્ત ૨૨,૨૮૪.૮૦ કિલોમીટર જેટલું જ નહેરોનું કામ પૂરું થયું છે. એટલે કે, ‘કેન્દ્ર દ્વારા અન્યાય’નું બૂમરાણ મચાવતી ગુજરાત સરકારોએ (એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં) પોતે પાર પાડવાનું એવું નહેરોનું કામ માંડ ૩૦ ટકા જેટલું જ પાર પાડ્યું છે. યાદ રહે, આ કામ ફક્ત મોદીસરકારના શાસન દરમિયાન નહીં, અત્યાર સુધી થયેલું કુલ કામ છે.
મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલનું મોટા ભાગનું કામ પૂરું થઇ ગયું છે. એટલે ગુજરાતમાં ફરતી વખતે કેટલીક જગ્યાએ કેનાલમાંથી વહેતું નર્મદાનું પાણી જોવા મળી શકે. પૂરી ખબર ન હોય તો એ પાણી જોઇને પ્રભાવિત પણ થઇ જવાય. પરંતુ હકીકત એ છે કે એ કેનાલ જયાંથી પસાર થતી હોય, તે જગ્યાના લોકોને પણ ફક્ત પાણી જોઇને જ રાજી થવાનું રહે છે. માઇનોર અને સબ-માઇનોર કેનાલોનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ આવતી નથી- લોકો સુધી પાણી પહોંચતું નથી.
વિધાનસભામાં સરકારે પોતે આપેલા આંકડા પ્રમાણે, ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ૫,૧૧૨ કિમી લાંબી માઇનોર કેનાલમાંથી ૨,૪૬૯ કિ.મી. જેટલું (આશરે અડઘું) કામ થયું હતું, જ્યારે ૧૦૨૧૬.૯૨ કિમીની લંબાઇ ધરાવતા સબ-માઇનોર કેનાલના નેટવર્કમાંથી ૪૮,૦૫૮ કિ.મી. જેટલું જ કામ પૂરું થયું છે. જોકે, નર્મદાનિગમની વેબસાઇટ પર ‘કરન્ટ સ્ટેટસ’માં કેનાલના અઘૂરા બાંધકામની લગતી વિગતો અડધીપડધી અને સરકારનું સારું દેખાય એવી રીતે જ મૂકવામાં આવી છે. કુલ કેટલું કામ નિર્ધારીત છે અને તેમાંથી હજુ સુધી કેટલું થઇ શક્યું છે, એવા સાદા અને સામાન્ય માણસને સમજ પડે એવી રીતના આંકડા આપવામાં આવ્યા નથી. (આ લખાય છે ત્યારે વેબસાઇટ છેલ્લે ૯ જૂન,૨૦૧૪ના રોજ અપડેટ થયેલી બતાવે છે. એટલે તેની પર ‘નર્મદાવતરણ’ના ખુશખબર પણ જોવા મળતા નથી.)
અન્યાય : કેન્દ્રનો અને ગુજરાતનો
કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિની જરૂર બંધની ઊંચાઇ વધારવા માટે હતી. ટેક્નિકલ રીતે એ જવાબદારી ‘નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી’ની ગણાય. જુદાં જુદાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતી આ સંસ્થાને સર્વોચ્ચ અદાલતે સત્તા આપી હતી કે તે સંબંધિત રાજ્યોમાં પર્યાવરણ અને પુનઃવસનની કામગીરીની વિગતો ઘ્યાનમાં રાખીને, બંધના છેલ્લા તબક્કાના બાંધકામ માટે મંજૂરી આપે. આ મંજૂરીમાં આઠ વર્ષ જેટલો લાંબો સમયગાળો નીકળી ગયો. યુપીએ સરકાર ચોક્કસપણે તેમાં ઉતાવળ કરાવી શકી હોત. કારણ કે આ પ્રકારનાં કામોમાં વિલંબની આકરી રોકડ કિંમત ચૂકવવી પડતી હોય છે. એ વખતે મુખ્ય મંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન સમક્ષ કરેલી રજૂઆતો વાજબી હતી. પરંતુ પોતે જે કરવાનું છે તે સરખી રીતે કર્યા વિના, બીજા કશું નથી કરતા તેનો કકળાટ કરવો, એ કેવળ રાજકારણ હતું.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી નર્મદા બંધ પર છેલ્લા તબક્કાના બાંધકામને મંજૂરી મળી ગઇ- અને ગુજરાત સરકાર આ નિર્ણય માટે કેટલી ટાંપીને બેઠી હતી એવું દર્શાવવા માટે બંધ પરનું કામ તત્કાળ શરૂ કરી દેવામાં આવ્યું. દરવાજાને મંજૂરી આપવાના નિર્ણય બદલ ગુજરાત સરકાર પોતાના નાગરિકો વતી વડાપ્રધાન મોદીનો આભાર માને તે વાજબી છે. પરંતુ ગુજરાતના નાગરિકોએ તેર-તેર વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેલા મોદી પાસેથી જવાબ લેવાનો રહે છે કે તેમના મહાવિકાસશીલ રાજમાં નર્મદાની નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ કેમ ગોકળગાય ગતિએ ચાલ્યું? અને આ ઢીલાશને (મુખ્ય મંત્રી મોદીની પરિભાષામાં) ‘ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકોને કરેલો અન્યાય’ ગણી શકાય કે નહીં ?
વહેંચણી અને વિસ્થાપન
નર્મદા બંધ પર દરવાજા મૂકવાના નિર્ણય પાછળનો તર્ક સમજી શકાય એવો છે : દરવાજા મૂકવાથી બંધનું કામકાજ પૂરું થયું ગણાય, બંધની પાણી સંઘરવાની ક્ષમતામાં ઘણો વધારો થાય, તેના લીધે ગણતરી પ્રમાણેની વીજળી પેદા કરી શકાય, જેથી સરવાળે લોકોને ફાયદો થાય. સપરંતુ આ તો થઇ કાગળ પરના આદર્શની વાત. વ્યવહારમાં શું દરવાજા મૂકાવાથી અને ત્રણ વર્ષમાં એ કામ પૂરું થઇ જવાથી ‘નર્મદાવતરણ’ થઇ જશે? અને ગુજરાતનો પ્રાણપ્રશ્ન ઉકલી જશે? વર્તમાન ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં દરવાજાનું કામ પૂરું થઇ જાય તેની સમાંતરે નેહરોનું નેટવર્ક બિછાવી દેવાની વાત પણ કરી છે. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં સરકારના આ દાવા પર ભરોસો પડે એવું એક પણ કારણ નથી.
ઉપરાંત, અત્યારે આ દરવાજા ખુલ્લા જ રાખવાના છે. કેમ કે, બંધની ઊંચાઇ વધવાથી, ડૂબમાં જનારાં ગામની સંખ્યા વધી છે અને આશરે બે લાખથી વઘુ લોકો વિસ્થાપિત થશે એવો અંદાજ છે. તેમનું સંતોષકારક રીતે પુનઃવસન થાય નહીં, ત્યાં લગી બંધના નવા લગાડેલા દરવાજા બંધ કરવાની પરવાનગી મળવાની નથી. ત્યાં સુધી નર્મદાનું પાણી મોટી કેનાલો દ્વારા સાબરમતી નદીમાં કે હમીરસર તળાવમાં ઠાલવીને લોકોને ‘ફીલગુડ’ કરાવવાનો ખેલ પાડવાને બદલે સરકાર નહેરોની પેટાશાખાઓનું નેટવર્ક ઊભું કરવામાં ઘ્યાન આપે, તો ‘નર્મદાવતરણ’ માટે ઘણા લોકોને રાહ જોવાની જરૂર ન રહે.
ધારો કે ત્રણ વર્ષમાં બંધ પર દરવાજા બની જાય અને નહેરોનું ૭૪.૬૨૬ કિ.મી. લાંબું આખેઆખું નેટવર્ક તૈયાર થઇ જાય, તો પણ સાથી રાજ્યો (મઘ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર-રાજસ્થાન) વચ્ચે પાણીની વહેંચણીના મુદ્દે મતભેદો થાય એવી સંભાવના અત્યારથી વ્યક્ત થઇ રહી છે. વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર રાજીવ શાહે તેમના બ્લોગ http://www.counterview.net/માં સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ગુજરાતની પ્રાથમિકતા નહેરોમાં પાણી વહાવવાની રહેશે. એવું થાય તો જ અત્યાર લગી લટકાવેલા ગાજર પ્રમાણે, ગુજરાતના ઘણા અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચી શકે. પરંતુ આ બંધ પર કેવળ ગુજરાતનો અધિકાર નથી. બલકે, સૌથી મોટો અધિકાર મઘ્ય પ્રદેશનો છે. અપેક્ષા પ્રમાણે ૧,૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે નર્મદાબંધ પૂરો ભરેલો હોય એ જરૂરી છે. એ વીજળીમાંથી ગુજરાતને ફક્ત ૧૬ ટકા અને મઘ્ય પ્રદેશના ભાગે ૫૭ ટકા વીજળી આવશે.
ઊંચાઇ વધવાને કારણે વઘુ લોકો વિસ્થાપિત થશે. તેમનું સંતોષકારક પુનઃવસન અને અગાઉના પુનઃવસનમાં ઉઠેલી ફરિયાદોનો યોગ્ય નિકાલ- એ પણ ગુજરાત સરકારની જવાબદારીનો હિસ્સો છે. તેમાંથી એ છટકે નહીં તે જોવાનું કામ પણ ગુજરાતના નાગરિકોનું છે. કારણ કે વિસ્થાપિત થયેલા લોકો આપણા ગુજરાતના- આપણા જ દેશના નાગરિક છે.
સરકાર ‘નર્મદાવતરણ’ના જયજયકારમાંથી પરવારે, ત્યાર પછી આ બધા સવાલોના ખુલાસાવાર અને સંતોષકારક જવાબ તેણે નાગરિકોને આપવા રહ્યા.
એક નમૂનો : સંસદમાં તે નૈતિકતાના મેરૂ બનીને કહી શકે છે કે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવું જોઇએ. આવું સાંભળીને જે તેમની સિદ્ધાંતનિષ્ઠા પર ઓવારી જાય એ ખરા દેશપ્રેમી. પણ જે એવું પૂછે કે ‘એક બાજુ તમે મુઝફ્ફરનગર રમખાણોના આરોપી સંજયકુમાર બલયાનને કેન્દ્રિય મંત્રમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવો છો અને બીજી બાજુ રાજકારણને અપરાધીમુક્ત બનાવવાની વાત કરો છો. એમાં અમારે શું સમજવું?’ તો આવા લોકો મોદીવિરોધી, વિકાસવિરોધી અને ટીકાખોર.
ભાવનાનો આવો પ્રવાહ રાજ્યસ્તરે પણ છલકાતો રહે છે. નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજુરી મળી ગયા પછી ગુજરાત સરકારની એક જાહેરાતમાં વડાપ્રધાન-મુખ્ય મંત્રીની મસમોટી તસવીરો સાથે મુકાયેલું એક લખાણ હતું : ‘ગંગાવતરણનું પર્વ- ગંગા દશહરા ઉજવાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં નર્મદાવતરણનાં દ્વાર ઉઘડ્યાં છે...ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાબંધની ઊંચાઇ વધારવા માટે અભૂતપૂર્વ નિર્ણયશક્તિ દાખવી ગુજરાતના પ્રાણપ્રશ્નને ઉકેલી આપ્યો છે.’
આગળ જણાવ્યું તેમ, સરકારી જાહેરખબર લાગણીથી છલકાતી, પણ સચ્ચાઇની રીતે ઊણી છે. ગુજરાતમાં ‘નર્મદાવતરણ’ ક્યારનું થઇ શક્યું હોત, પરંતુ ગુજરાત સરકારની શિથિલતાને કારણે ‘નર્મદાવતરણ’માં વિલંબ થયો છે- અને અફસોસ, હજુ પણ મુખ્ય મંત્રીના હરખ પ્રમાણેનું ‘નર્મદાવતરણ’ થઇ ગયું નથી.
પ્રચાર અને હકીકત
વર્ષ ૨૦૦૬માં નર્મદા બંધ ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇએ પહોંચ્યો. ત્યાર પછી બંધ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ મીટરની આખરી ઊંચાઇએ મૂકવાનો તબક્કો બાકી રહ્યો હતો. દરમિયાન, ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ ધરાવતા બંધમાં જમા થતો પાણીનો જથ્થો ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા સરકાર કરી શકી છે? જવાબ છે : ના.
‘કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય’ની બૂમો પાડવાનું ગુજરાતની મોદીસરકારને એવું ફાવી ગયું હતું કે યોજનાની સફળતા અનિવાર્ય એવું નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ ઢીલું રહ્યું. વર્ષ ૨૦૧૩માં વિધાનસભામાં એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે કબૂલ્યું હતું કે નર્મદાની નહેરોના કુલ ૭૪,૬૨૬ કિલોમીટર લાંબા નેટવર્કમાંથી ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ફક્ત ૨૨,૨૮૪.૮૦ કિલોમીટર જેટલું જ નહેરોનું કામ પૂરું થયું છે. એટલે કે, ‘કેન્દ્ર દ્વારા અન્યાય’નું બૂમરાણ મચાવતી ગુજરાત સરકારોએ (એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં) પોતે પાર પાડવાનું એવું નહેરોનું કામ માંડ ૩૦ ટકા જેટલું જ પાર પાડ્યું છે. યાદ રહે, આ કામ ફક્ત મોદીસરકારના શાસન દરમિયાન નહીં, અત્યાર સુધી થયેલું કુલ કામ છે.
મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલનું મોટા ભાગનું કામ પૂરું થઇ ગયું છે. એટલે ગુજરાતમાં ફરતી વખતે કેટલીક જગ્યાએ કેનાલમાંથી વહેતું નર્મદાનું પાણી જોવા મળી શકે. પૂરી ખબર ન હોય તો એ પાણી જોઇને પ્રભાવિત પણ થઇ જવાય. પરંતુ હકીકત એ છે કે એ કેનાલ જયાંથી પસાર થતી હોય, તે જગ્યાના લોકોને પણ ફક્ત પાણી જોઇને જ રાજી થવાનું રહે છે. માઇનોર અને સબ-માઇનોર કેનાલોનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ આવતી નથી- લોકો સુધી પાણી પહોંચતું નથી.
વિધાનસભામાં સરકારે પોતે આપેલા આંકડા પ્રમાણે, ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ૫,૧૧૨ કિમી લાંબી માઇનોર કેનાલમાંથી ૨,૪૬૯ કિ.મી. જેટલું (આશરે અડઘું) કામ થયું હતું, જ્યારે ૧૦૨૧૬.૯૨ કિમીની લંબાઇ ધરાવતા સબ-માઇનોર કેનાલના નેટવર્કમાંથી ૪૮,૦૫૮ કિ.મી. જેટલું જ કામ પૂરું થયું છે. જોકે, નર્મદાનિગમની વેબસાઇટ પર ‘કરન્ટ સ્ટેટસ’માં કેનાલના અઘૂરા બાંધકામની લગતી વિગતો અડધીપડધી અને સરકારનું સારું દેખાય એવી રીતે જ મૂકવામાં આવી છે. કુલ કેટલું કામ નિર્ધારીત છે અને તેમાંથી હજુ સુધી કેટલું થઇ શક્યું છે, એવા સાદા અને સામાન્ય માણસને સમજ પડે એવી રીતના આંકડા આપવામાં આવ્યા નથી. (આ લખાય છે ત્યારે વેબસાઇટ છેલ્લે ૯ જૂન,૨૦૧૪ના રોજ અપડેટ થયેલી બતાવે છે. એટલે તેની પર ‘નર્મદાવતરણ’ના ખુશખબર પણ જોવા મળતા નથી.)
અન્યાય : કેન્દ્રનો અને ગુજરાતનો
કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિની જરૂર બંધની ઊંચાઇ વધારવા માટે હતી. ટેક્નિકલ રીતે એ જવાબદારી ‘નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી’ની ગણાય. જુદાં જુદાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતી આ સંસ્થાને સર્વોચ્ચ અદાલતે સત્તા આપી હતી કે તે સંબંધિત રાજ્યોમાં પર્યાવરણ અને પુનઃવસનની કામગીરીની વિગતો ઘ્યાનમાં રાખીને, બંધના છેલ્લા તબક્કાના બાંધકામ માટે મંજૂરી આપે. આ મંજૂરીમાં આઠ વર્ષ જેટલો લાંબો સમયગાળો નીકળી ગયો. યુપીએ સરકાર ચોક્કસપણે તેમાં ઉતાવળ કરાવી શકી હોત. કારણ કે આ પ્રકારનાં કામોમાં વિલંબની આકરી રોકડ કિંમત ચૂકવવી પડતી હોય છે. એ વખતે મુખ્ય મંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન સમક્ષ કરેલી રજૂઆતો વાજબી હતી. પરંતુ પોતે જે કરવાનું છે તે સરખી રીતે કર્યા વિના, બીજા કશું નથી કરતા તેનો કકળાટ કરવો, એ કેવળ રાજકારણ હતું.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી નર્મદા બંધ પર છેલ્લા તબક્કાના બાંધકામને મંજૂરી મળી ગઇ- અને ગુજરાત સરકાર આ નિર્ણય માટે કેટલી ટાંપીને બેઠી હતી એવું દર્શાવવા માટે બંધ પરનું કામ તત્કાળ શરૂ કરી દેવામાં આવ્યું. દરવાજાને મંજૂરી આપવાના નિર્ણય બદલ ગુજરાત સરકાર પોતાના નાગરિકો વતી વડાપ્રધાન મોદીનો આભાર માને તે વાજબી છે. પરંતુ ગુજરાતના નાગરિકોએ તેર-તેર વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેલા મોદી પાસેથી જવાબ લેવાનો રહે છે કે તેમના મહાવિકાસશીલ રાજમાં નર્મદાની નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ કેમ ગોકળગાય ગતિએ ચાલ્યું? અને આ ઢીલાશને (મુખ્ય મંત્રી મોદીની પરિભાષામાં) ‘ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકોને કરેલો અન્યાય’ ગણી શકાય કે નહીં ?
વહેંચણી અને વિસ્થાપન
નર્મદા બંધ પર દરવાજા મૂકવાના નિર્ણય પાછળનો તર્ક સમજી શકાય એવો છે : દરવાજા મૂકવાથી બંધનું કામકાજ પૂરું થયું ગણાય, બંધની પાણી સંઘરવાની ક્ષમતામાં ઘણો વધારો થાય, તેના લીધે ગણતરી પ્રમાણેની વીજળી પેદા કરી શકાય, જેથી સરવાળે લોકોને ફાયદો થાય. સપરંતુ આ તો થઇ કાગળ પરના આદર્શની વાત. વ્યવહારમાં શું દરવાજા મૂકાવાથી અને ત્રણ વર્ષમાં એ કામ પૂરું થઇ જવાથી ‘નર્મદાવતરણ’ થઇ જશે? અને ગુજરાતનો પ્રાણપ્રશ્ન ઉકલી જશે? વર્તમાન ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં દરવાજાનું કામ પૂરું થઇ જાય તેની સમાંતરે નેહરોનું નેટવર્ક બિછાવી દેવાની વાત પણ કરી છે. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં સરકારના આ દાવા પર ભરોસો પડે એવું એક પણ કારણ નથી.
ઉપરાંત, અત્યારે આ દરવાજા ખુલ્લા જ રાખવાના છે. કેમ કે, બંધની ઊંચાઇ વધવાથી, ડૂબમાં જનારાં ગામની સંખ્યા વધી છે અને આશરે બે લાખથી વઘુ લોકો વિસ્થાપિત થશે એવો અંદાજ છે. તેમનું સંતોષકારક રીતે પુનઃવસન થાય નહીં, ત્યાં લગી બંધના નવા લગાડેલા દરવાજા બંધ કરવાની પરવાનગી મળવાની નથી. ત્યાં સુધી નર્મદાનું પાણી મોટી કેનાલો દ્વારા સાબરમતી નદીમાં કે હમીરસર તળાવમાં ઠાલવીને લોકોને ‘ફીલગુડ’ કરાવવાનો ખેલ પાડવાને બદલે સરકાર નહેરોની પેટાશાખાઓનું નેટવર્ક ઊભું કરવામાં ઘ્યાન આપે, તો ‘નર્મદાવતરણ’ માટે ઘણા લોકોને રાહ જોવાની જરૂર ન રહે.
ધારો કે ત્રણ વર્ષમાં બંધ પર દરવાજા બની જાય અને નહેરોનું ૭૪.૬૨૬ કિ.મી. લાંબું આખેઆખું નેટવર્ક તૈયાર થઇ જાય, તો પણ સાથી રાજ્યો (મઘ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર-રાજસ્થાન) વચ્ચે પાણીની વહેંચણીના મુદ્દે મતભેદો થાય એવી સંભાવના અત્યારથી વ્યક્ત થઇ રહી છે. વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર રાજીવ શાહે તેમના બ્લોગ http://www.counterview.net/માં સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ગુજરાતની પ્રાથમિકતા નહેરોમાં પાણી વહાવવાની રહેશે. એવું થાય તો જ અત્યાર લગી લટકાવેલા ગાજર પ્રમાણે, ગુજરાતના ઘણા અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચી શકે. પરંતુ આ બંધ પર કેવળ ગુજરાતનો અધિકાર નથી. બલકે, સૌથી મોટો અધિકાર મઘ્ય પ્રદેશનો છે. અપેક્ષા પ્રમાણે ૧,૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે નર્મદાબંધ પૂરો ભરેલો હોય એ જરૂરી છે. એ વીજળીમાંથી ગુજરાતને ફક્ત ૧૬ ટકા અને મઘ્ય પ્રદેશના ભાગે ૫૭ ટકા વીજળી આવશે.
ઊંચાઇ વધવાને કારણે વઘુ લોકો વિસ્થાપિત થશે. તેમનું સંતોષકારક પુનઃવસન અને અગાઉના પુનઃવસનમાં ઉઠેલી ફરિયાદોનો યોગ્ય નિકાલ- એ પણ ગુજરાત સરકારની જવાબદારીનો હિસ્સો છે. તેમાંથી એ છટકે નહીં તે જોવાનું કામ પણ ગુજરાતના નાગરિકોનું છે. કારણ કે વિસ્થાપિત થયેલા લોકો આપણા ગુજરાતના- આપણા જ દેશના નાગરિક છે.
સરકાર ‘નર્મદાવતરણ’ના જયજયકારમાંથી પરવારે, ત્યાર પછી આ બધા સવાલોના ખુલાસાવાર અને સંતોષકારક જવાબ તેણે નાગરિકોને આપવા રહ્યા.
Subscribe to:
Posts (Atom)
