Showing posts with label award/એવોર્ડ. Show all posts
Showing posts with label award/એવોર્ડ. Show all posts

Wednesday, January 11, 2017

સરકારી અધિકારીઓનો વાઇબ્રન્ટ નોબેલ સંવાદ

(બોોલ્યુંચાલ્યું માફ)
વાઇબ્રન્ટ ગુજરાતના દ્વિવાર્ષિક સરકારી મહાધુમ્રોત્સવમાં આ વર્ષે નોબેલ પારિતોષિકથી સન્માનિત નવ વિજ્ઞાનીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમની હારોહાર સાહેબ પોતાના હાથના પંજા પાડી આવ્યા. એ ઘટના પછીની ‘ભાવિ વ્યૂહરચના’ વિશે ચુનંદા અધિકારીઓની બેઠક મળે, તો તેમાં કેવી ભાવસભર ચર્ચા થાય? તેનો વાસ્તવિક લાગે એવો કાલ્પનિક અહેવાલ.

અધિકારી ૧ઃ તમે સૌ જાણો છો કે આપણે શાના માટે મળ્યા છીએ. સાહેબે નવ નોબેલવીરો સાથે હાથના પંજા તો પાડી દીધા, પણ તેમના ટીકાકારોએ હવે ‘અંગુઠાછાપ’ જેવો નવો શબ્દ લાવ્યા છેઃ‘પંજાછાપ’. એ મહેણાં મારે છે કે નોબેલવાળાની હરોળમાં પંજો પાડવો, એ બેશરમ ધુસણખોરી કહેવાય. (બીજા અધિકારી સામે જોઇને આગળ વધારવા ઇશારો કરે છે)

અધિકારી ૨ઃ આમ કહેવું એ ફક્ત ગુજરાતનું જ નહીં, હવે તો દેશનું અપમાન છે.  દેશવિરોધીઓ હજુ એ હકીકત સ્વીકારી શકતા નથી કે સાહેબ નોબેલ લીધા વિના જવાના નથી.  આપણી ચર્ચાનો મુદ્દો પણ એ જ છે કે સાહેબને કયા ક્ષેત્રનો નોબેલ મળવો જોઇએ.

અધિકારી ૧ઃ સાહેબને કયા ખાનામાં મુકવા એની મીઠી મુંઝવણ થાય છે. કેમ કે, તે નોબેલનાં બધાં ખાનાંમાં બંધ બેસે છે. સૌથી પહેલાં સૌથી જાણીતા વિષયની- સાહિત્યની વાત કરીએ.

અધિકારી ૩ઃ વિચાર આ ધન્ય છે. સાહેબનો કવિતાસંગ્રહ તેમને સાહિત્યનું નોબેલ અપાવવા માટે પૂરતો છે.

અધિકારી ૭ : એ કાવ્યસંગ્રહને ટાગોરના ‘ગીતાંજલિ’ની હરોળમાં મુકવો હોય તો નવી આવૃત્તિમાં તેનું નામ બદલીને ‘અસત્યો સાથે તું પ્રભુ પરમ તેજે જ લઇ જા’ એવું કરવું જોઇએ. તેનાથી ભારતીય સંસ્કૃતિનો ટચ પણ લાગશે.

બધા અધિકારીઓ (સમુહમાં) : બ્રિલિયન્ટ..

અધિકારી ૭ઃ  અને તેમના કાવ્યસંગ્રહને નોબેલ આપવા સામે કોઇને વાંધો હોય તો, ત્યાર પછી તેમનો બીજો સંગ્રહ આવ્યો નથી એ માટે પણ તેમને સાહિત્યનો નોબેલ મળી શકે.

(અધિકારી ૧-૨નાં ભવાં તંગ થાય છે. પણ તે ચૂપ રહે છે.)

અધિકારી ૧(સાંભળ્યું-ન સાંભળ્યું કરતો ખોંખારો ખાઇને) : શાંતિ માટેનો નોબેલ તો એમને ક્યારનો મળવો જોઇતો હતો...

અધિકારી ૨ઃ ૨૦૦૨ પછી ગુજરાતમાં એકેય રમખાણ થયું નથી એ કેટલી મોટી સિદ્ધિ છે.

અધિકારી ૭ઃ સાચી વાત છે. સાહેબ મુખ્ય મંત્રી હોય ને એકેય રમખાણ ન થાય...એ સિદ્ધિ કહેવાય... એમ જ ને? પણ સાહેબ મુખ્ય મંત્રી ૨૦૦૧માં થયા ન હતા?

અધિકારી ૧ઃ (કડક અવાજે અધિકારી ૭ને) તમને આ મિટિંગ માટે કોણે બોલાવ્યા?

અધિકારી ૭ઃ સોરી સાહેબ, હું તો ફક્ત ડાઉટ ક્લીઅર કરતો હતો, જેથી પ્લાનિંગમાં ક્લેરિટી રહે.

અધિકારી ૩ઃ તમે આ બધી વાતો કરો છે, પણ નોટબંધીમાં તો સાહેબને બબ્બે નોબેલ મળે તેમ છે.

અધિકારી ૧-૨ઃ બબ્બે શાના? અમે તો ફક્ત અર્થશાસ્ત્રના નોબેલની ગણતરી માંડી હતી.

અધિકારી ૩ઃ સાહેબની એ તો કમાલ છે. તેમનું એક લક્ષ્ય બીજા લોકો માટે હોય છે ને બીજું લક્ષ્ય પોતાના માટે. નોટબંધીથી અર્થશાસ્ત્રનો નોબેલ મળે એમાં કશી કમાલ નથી. પણ સવા અબજના દેશને બે મહિનાથી લાઇનમાં ઊભો રાખી દીધો છે. છતાં દેશમાં વ્યાપક સ્તરે  શાંતિ સ્થપાયેલી રહી, એ જેવીતેવી સિદ્ધિ છે? તેના માટે નોબેલથી ઓછું કંઇ ન હોઇ શકે.

અધિકારી ૨ઃ એમ તો રસાયણશાસ્ત્રમાં સાહેબને ક્યારનો નોબેલ મળી જવો જોઇતો હતો. પણ આ લોકોને આપણી કદર જ નથી હોતી. જુઓને, ગાંધીજીને પણ નોબેલ ન જ આપ્યો ને.

અધિકારી ૫ઃ (માથું ખંજવાળતાં) રસાયણશાસ્ત્રમાં એટલે...એક્ઝેક્ટલી કેવી રીતે?

અધિકારી ૧ઃ કેમ? ભૂલી ગયા? ગુજરાતમાં સાહેબે અલગથી લેબોરેટરી સ્થાપીને રીસર્ચ કરવાની ક્યાં જરૂર
છે? ગુજરાત પોતે વિશ્વની સૌથી મોટી ઓપન લેબોરેટરી છે. તેમાં સાહેબે કેવા ઘૂમધડાકાબંધ પ્રયોગો કરેલા છે. પણ નોબેલવાળા સમજે ત્યારે ને.

અધિકારીઓઃ (સમુહ ઉદ્‌ગારમાં) જિનીયસ...

અધિકારી ૨ઃ ભૌતિકશાસ્ત્ર- ફિઝિક્સમાં એમનું પ્રદાન તો બહુચર્ચિત છે જ. તેના વિશે ઘણું લખાઇ ચૂક્યું છે. પણ સાહેબ પોતે તેના માટે જશ લેવા નથી માગતા.

અધિકારી ૧ઃ મહાન વિજ્ઞાનીઓ પોતપોતાની ભાષામાં જ વિજ્ઞાનનાં સંશોધનો રજૂ કરે છે. એમ સાહેબે આપણી રાષ્ટ્રભાષામાં કહ્યું હતું, ‘હર ક્રિયાકી પ્રતિક્રિયા હોતી હૈ.’ ન્યૂટને એમાં જરા ઉમેરો કરીને ગતિનો ત્રીજો નિયમ બનાવી દીધો.

અધિકારી ૧ઃ કોઇ માણસ વહેલો જન્મી જાય એ જ એની કમાલ? ને કોઇ મોડો જન્મે એ તેનો વાંક? ન્યૂટન જેવી વૈચારિક ઊંચાઇ ધરાવનાર જણને ફિઝિક્સનો નોબેલ નહીં મળે તો કોને મળશે?

અધિકારી ૩ઃ નોબેલ નોબેલ પુરસ્કારનો હજુ એક વિષય રહ્યો- મેડિસીન.

(અધિકારી ૧-૨ એકબીજા સામે જોઇને ગહન વિચારમાં ડૂબી જાય છે.)

અધિકારી ૭ઃ તમે પણ શું, સાહેબો? એમાં તો સાહેબનો દાવો સૌથી વધારે મજબૂત છે.

અધિકારીઓઃ કેવી રીતે?

અધિકારી ૭ઃ સાહેબ તેમના ઑર્ગેનિક એનેસ્થેસિયાનો વર્ષોથી પ્રયોગ કરી રહ્યા છે. એમાં કોઇ કેમિકલ વપરાતું નથી અને તેની અસર પણ મર્યાદિત નથી. એની સૌથી મોટી ખૂબી એ છે કે એનેસ્થેસિયાની અસર નીચે રહેલા લોકોને ખબર પણ પડતી નથી. તેમને એવું જ લાગે છે કે તે સામાન્ય સ્થિતિમાં છે. આવા લોકો આગળ ઘટનાઓનાં ગમે તેટલાં ઑપરેશન કરો, ચીરફાડ કરીને અંદરનું બઘું બતાવો, પણ તે ઉંહકારો સરખો કરતા નથી.

અધિકારી ૧ઃ આ તો સુશ્રુત અને ચરક પછી મેડિકલ ક્ષેત્રે ભારતની સૌથી મહત્ત્વની શોધ કહેવાય. હજુ સુધી કોઇનું ધ્યાન કેમ નહીં ગયું હોય?

અધિકારી ૭ઃ કોઇનું એટલે કોનું? નોબેલવાળાનું?

અધિકારી ૨ઃ હા.

અધિકારી ૭ઃ (બેઠક પરથી ઉભા થતાં) સીધી વાત છે...આ કેસ, નોબેલનો નહીં, ઑસ્કારનો છે... ત્યાં એક્ટર-ડાયરેક્ટરથી માંડીને સાઉન્ડ રેકોર્ડિંગ, સીનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્‌સ જેવી બધી કેટેગરીમાં તેમની સામે કોઇ ટકી નહીં શકે... વિચારી જોજો.

(અધિકારી ૭ની વિદાય સાથે બધા અધિકારીઓ ઑસ્કાર એવોર્ડનાં નોમિનેશન માટે શી વિધી છે, તેની ચર્ચા કરવા લાગે છે.)

Tuesday, December 08, 2015

સત્યના રસ્તે ચાલીને હાર ખમનારા લોકોનો મહિમા કરતાં આપણે શીખવું અને શીખવવું પડશે : અશોક વાજપેયી

પ્રતિષ્ઠિત હિંદી સાહિત્યકાર અશોક વાજપેયીએ ગઇ કાલે રામલાલ પરીખ સ્મૃતિવ્યાખાન આપ્યું. તેની વિગતો હવે પછી. પણ તે પહેલાં, થોડા લોકો સમક્ષ તેમણે કરેલી વાતચીતના કેટલાક મહત્ત્વના મુદ્દા.

Ashok Vajpeyi / અશોક વાજપેયી 
- ‘સત્યમેવ જયતેહંમેશાં સાચું પડતું નથી. ઘણી વાર જૂઠાણાની જીત થાય છે. ઇરાક પર અમેરિકાએ આક્રમણ કર્યું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ને વિદેશપ્રધાન જૂઠું બોલતા હતા. પણ છેવટે શું થયું? ઇરાક બરબાદ થઇ ગયું. પરંતુ એનો અર્થ એવો નથી કે સત્ય છોડી દેવું. જૂઠાણાના જોરે ઝગમગતા ચહેરાઓથી પ્રભાવિત થવાને બદલે સત્યના રસ્તે ચાલીને હાર ખમનારા લોકોનો મહિમા કરતાં આપણે શીખવું અને શીખવવું પડશે.

- ‘સત્યના રસ્તે ચાલનાર માણસ ઘણી વાર એકલો પડી જાય છે. અત્યારે પણ ઘણા લોકો એકલતા મહેસૂસ કરે છે. ગુજરાતમાં આ બધું કહેવાની ખરેખર તો જરૂર ન હોય. કારણ કે સત્યના રસ્તે ચાલતાં એકલતા અનુભવનાર એક મહાન માણસ મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી હતા. દેશના ભાગલા પડ્યા અને કોમી હિંસા થઇ ત્યારે ગાંધીજી સૌથી ભયંકર એકલતા અનુભવી રહ્યા હતા.

- સાહિત્યકારનું કામ જ પોતાને સાચું લાગે તે કહેવાનું છે. સાથોસાથ, એ પોતાના સત્યને અંતિમ સત્ય માનતો નથી. રાજનેતાઓ કે ધર્મગુરુઓ પોતાનું સત્ય આખરી ગણે છે, જ્યારે સાહિત્યકાર પોતાના સત્ય વિશે સંશય સેવે છે. પરંતુ એ સંશયને કારણે તો પોતાને સાચું લાગે તે કહેતાં ખચકાતો નથી.

- મધ્ય પ્રદેશમાં સરકારી અફસર તરીકે નિવૃત્ત થયેલા વાજપેયીએ બાળપણનાં સંભારણાં યાદ કરતાં કહ્યું કે અમારી સ્કૂલમાં એક શિક્ષક ગુજરાતી હતા. તેમની બદલી થઇ ત્યારે અમે બધા બહુ ભાવુક થઇ ગયા. એ વખતે તેમણે મને કહ્યું હતું, તારા કુટુંબમાં સિવિલ સર્વિસની પરંપરા છે. માટે તું અફસર બનજે, પણ મરજે કવિ તરીકે.ચૌદ વરસના છોકરાએ મૃત્યુ વિશે શું વિચાર્યું હોય? મને નવાઇ લાગી. મેં એમને પૂછ્‌યું કે તમે આવી સલાહ કેમ આપી?’ એમનો જવાબ હતો,‘અફસરને નિવૃત્તિ પછી લોકો ભૂલી જશે, પણ કવિને લોકો યાદ રાખે છે.
 
Ashok Vajpeyi / અશોક વાજપેયી
- બિહારચૂંટણી પછી એવોર્ડવાપસી બંધ થઇ ગઇ, એવા આરોપનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ વાત ખોટી છે. ત્યાર પછી પણ જયંત મહાપાત્ર જેવા લેખકોએ એવોર્ડ પાછા આપ્યા છે. વધારે અગત્યની વાત એ છે કે એવોર્ડવાપસી એ હેતુ ન હતો. એ તો ધ્યાન દોરવા માટેનું નાટકીય પગલું હતું. એ પહેલાં અમે એંસી લોકોએ આપેલા સંયુક્ત નિવેદનમાંથી અખબારોએ એક લીટી પણ છાપી નહીં. પરંતુ એવોર્ડવાપસીના પગલા પછી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો. ખુદ રાષ્ટ્રપતિએ અમારી સાથેની મુલાકાતમાં કહ્યું કે એવોર્ડવાપસી અસરકારક નીવડી છે અને આ મુદ્દો રાષ્ટ્રિય સ્તરે ચર્ચામાં લાવવાનો તમારો આશય સફળ થયો છે.

- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે અસહિષ્ણુતા અંગેની ચર્ચા રાજકીય ગણાવીને સર્વોચ્ચ અદાલત બેઠી છે ત્યાં સુધી ચિંતાની જરૂર નથીએમ કહ્યું છે. એ વિશે વાજપેયીએ કહ્યું કે આ ચર્ચા રાજકીય છે, એમ કહેવું એ પણ રાજકીય નિવેદન છે. બધી મર્યાદાઓ પછી પણ ન્યાયતંત્ર પણ આપણને શ્રદ્ધા છે. પરંતુ કેટલા લોકો ન્યાય મેળવવા માટે સર્વોચ્ચ અદાલતમાં જઇ શકવાના? અને કેટલા લોકોને ન્યાય મળવાનો? ગુજરાતમાં આટલા લોકો માર્યા ગયા. એમાંથી કેટલા ગુનેગારોને સજા થઇ?’

- આપણા ધર્મ અને સંસ્કૃતિનું સાંકડું-સંકુચિત અર્થઘટન, ખોટી વ્યાખ્યા કોઇ રીતે ચલાવી લેવાય નહીં. યુરોપમાં થોડા દાયકાથી મલ્ટિકલ્ચરલિઝમની વાત ચાલે છે, જ્યારે ભારતની સંસ્કૃતિમાં તો સદીઓથી બહુસંસ્કૃતિવાદની બોલબાલા છે. આ પરંપરાને કોઇ રીતે જોખમાવા દઇ શકાય નહીં. તેનો પ્રતિકાર કરવો જ રહ્યો. એવોર્ડવાપસી એ પ્રતિકારની એક રીત હતી.

Tuesday, October 20, 2015

‘ત્યારે-તમે-ક્યાં-હતા?’ વાદની વસંત

જાહેર બાબતોની ચર્ચાના હેતુ, ધોરણ અને ગુણવત્તાનો પ્રશ્ન આજકાલનો નથી કે ફક્ત સરકારનો પણ નથી. છતાં, સરકારની હિંસક-મુખર જડતામાં ભળેલા વિચારાધારાકીય રસાયણને લીધે, તે જરા વધારે ગંભીર-વધારે ચિંતાજનક લાગે છે.

આઝાદ ભારતના રાજકારણમાં એવું કોઇ પાપ નથી, જે ભાજપે પહેલી વાર કર્યું હોય. આઝાદીના દાયકાઓ સુધી સત્તાધારી હોવાને કારણે કોંગ્રેસે-- ખાસ કરીને ઇંદિરા ગાંધીયુગની કોંગ્રેસે--કરંડિયામાંથી બધા સાપ છૂટા મૂકી દીધા હતા : જ્ઞાતિવાદ, (સેક્યુલરિઝમના અંચળા હેઠળ) કોમવાદ, લોકશાહીની હત્યા (કટોકટી), ગરીબી હટાવોનાં ગુલાબી સપનાં, ભ્રષ્ટાચાર, કૌભાંડો, વ્યક્તિવાદ, રાજકીય વારસાઇ... અને ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોનો સામુહિક હત્યાકાંડ.

પરંતુ વખતે બૌદ્ધિકો ચૂપ હતા કે આંખ આડા કાન કરતા રહ્યા, એવો પ્રચાર જૂઠો છે. વિરોધની તીવ્રતા કે માત્રા વિશે કચવાટ હોઇ શકે, પણ કોંગ્રેસી કુશાસન વખતે બૌદ્ધિકો ચૂપ રહ્યા અને મોદીરાજમાં બધા અચાનક જાગી ઉઠ્યા, એવું સંઘ પરિવાર-ભાજપ એન્ડ કંપનીએ ઊભું કરેલું ચિત્ર વાસ્તવમાં જૂઠાણાં ફેલાવવાની તેમની ક્ષમતાનો ઉત્તમ નમૂનો છે.

કટોકટી પહેલાંના કોંગ્રેસી રાજ વિશે મનુભાઇ પંચોળીએસોક્રેટિસજેવી કૃતિઓના માધ્યમથી અને જાહેર પ્રવચનોમાં પણ ચેતવણીના ગંભીર સૂર કાઢ્યા હતા. તેમની મુખ્ય ચિંતા લોકશાહીના નામે ચાલતીટોળાશાહી અને લાંચ-ભ્રષ્ટાચારથી ખદબદતી મતશાહીવિશેની હતી. કોંગ્રેસી રાજમાં ઉમાશંકર જોશી ગુજરાતના જાહેર જીવનના સ્તંભ અને લોકશાહીવિરોધી બળોના ટીકાકાર તરીકે ઉભર્યા. કટોકટી વખતે તેમણે રાજ્યસભાના નિયુક્ત સભ્ય તરીકે ગૃહમાં હિંમતપૂર્વક સરકારની ટીકા કરી અને તેમના માસિકસંસ્કૃતિમાં સરકારવિરુદ્ધ-લોકશાહીની તરફેણમાં સાફ શબ્દોમાં લખ્યું.

નવનિર્માણ આંદોલન અને બિહારના જયપ્રકાશ આંદોલન વખતે સંખ્યાબંધ બૌદ્ધિકો ઇંદિરા ગાંધીનાં શાસનના અનિષ્ટોની સામે પડ્યા હતા-લડ્યા હતા. સંઘ પરિવાર-જનસંઘ-ભાજપે જેનો ભરપૂર લાભ લીધો બિનકોંગ્રેસવાદ નકરું રાજકીય સર્જન હતો. તેને જન્મ અને બળ આપવામાં બૌદ્ધિકો-વિચારવંતોનો મોટો ફાળો હતો. લોહિયા-જયપ્રકાશ જેવા કેટલાક બૌદ્ધિક અને જનસંપર્ક ધરાવતા નેતાઓ બિનકોંગ્રેસવાદના મૂળમાં હતા, જેની મબલખ ફસલ સંઘ પરિવારની સંસ્થાઓએ ઉતારી.

કટોકટી બિનકોંગ્રેસવાદ માટે ભરતીનો સમય બની. છતાં, મોટા ભાગના ટૂંકી દૃષ્ટિના, સ્વાર્થી નેતાઓનો શંભુમેળો કોંગ્રેસનો વિકલ્પ બની શક્યો નહીં અને ફરી એક વાર વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધી લમણે લખાયાં. અલબત્ત, નરેન્દ્ર મોદીના કથિત વિકાસપ્રેમનાં વખાણ કરનારો આખો વર્ગ છે, તેમ ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં વખાણ કરનારો વર્ગ પણ હતો. અત્યારે જેમ વિકાસના ગુલાબી ગાલીચા તળે લોહીના ડાઘથી માંડીને કુશાસના ઉકરડા ઢાંકી દેવાય છે, તેમ કટોકટી વખતે ટ્રેનો સમયસર આવે એનાથી પ્રભાવિત થઇને કટોકટીને નજરઅંદાજ કરનારા કે તેનાં વખાણ કરનારા લોકો પણ હતા. સરકારની આંખમાં આંખ મિલાવીને સવાલ પૂછવાને બદલે એનીમર્દાનગી’ (ન્યૂસન્સ વેલ્યુ)થી બીવાની જાણે લોકોને મઝા આવતી હતી. કટોકટી વખતે જનસંઘના લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું,‘(સરકારે) લોકોને ઝૂકવાનું કહ્યું ને લેટી પડ્યા.’ નરેન્દ્ર મોદી વધારેકાર્યક્ષમનીકળ્યા. એમણે દેખીતી કટોકટી લાદ્યા વિના, વિકાસની વાતો અને કોમી દ્વેષના સંયોજનથી એવું રસાયણ નીપજાવ્યું કે લોકો ઝૂકવા-લેટવા ઉપરાંત ભાન ભૂલીને ઝૂમવા લાગ્યા.

૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા સાથે ઇંદિરાયુગનો કરુણ અંત આવ્યો. તેના પગલે શીખ હત્યાકાંડ થયો અને રાજીવ ગાંધીએ તેમનું કુખ્યાત બનેલું નિવેદન આપ્યું, ત્યારે બૌદ્ધિકો ચૂપ હતા. પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લીબર્ટી જેવી સંસ્થાઓએ શીખ હત્યાકાંડ વિશે વિગતે અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર પ્રો.રજની કોઠારી પ્રત્યે કૃતજ્ઞતાને કારણે શીખ ટેક્સી ડ્રાયવરો તેમની પાસેથી ભાડું લેવાની આનાકાની કરતા હતા, એવું ધીરુભાઇ શેઠ જેવા પ્રો.કોઠારીના સાથીદારો પાસેથી સાંભળ્યું છે.

પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું હતું. છતાં, ભાજપ પાસે સત્તા આવી ત્યાં સુધી એમની વચ્ચે બહુ ફરક હોવાનો આભાસ ટકેલો રહ્યો. બધાં પ્રકારનાં પાપ કોંગ્રેસે અગાઉ કરેલાં હોવાથી, ભાજપેવોટઅબાઉટીઝમ’ (‘ત્યારે-તમે-ક્યાં-હતા?’વાદ)ને પોતાના આક્રમક પ્રચાર અને કહેવાતી ચર્ચાઓનું કેન્દ્રવર્તી સૂત્ર બનાવી દીધું. તમામ બાબતોમાં કોંગ્રેસના પગલે ચાલવા છતાં, ઘણી બાબતોમાં ભાજપે નવા રેકોર્ડ બનાવ્યા. શેરીમાંથી ઉભો થયેલા, ગાંધીવિરોધી-મુસ્લિમવિરોધી-ખ્રિસ્તીવિરોધી માનસિકતાવાળી માતૃસંસ્થા ધરાવતા પક્ષ તરીકે ભાજપે સવાઇ બેશરમીથી બધાં કરતૂત આચર્યાં. (જેમ કે, કોંગ્રેસે ૧૯૮૪માં શીખ હત્યાકાંડ પછી ગૌરવયાત્રા કાઢી હતી. નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં ગુજરાતની કોમી હિંસા પછી વર્ષે ગૌરવયાત્રા કાઢી)   બાબતે ભાજપ-સંઘના નેતાઓ કે સમર્થકોનો કાંઠલો પકડવામાં આવે ત્યારે તેમની પાસે જવાબરૂપી સવાલ તૈયાર હતો : ‘ત્યારે તમે ક્યાં હતા?’

સવાલની બાળાગોળીનું ભાજપ-સંઘ દ્વારા ધૂમ વિતરણ થયું. લોકોએ તેના પર ચોંટાડેલું રાષ્ટ્રવાદનું લેબલ વાંચીને હોંશેહોંશે પીધી અને તેની અસરમાં આવીને પણત્યારે તમે ક્યાં હતા?’ પૂછતા થઇ ગયા. તેના વિસ્તાર તરીકે ઘણા લોકો અત્યારે એવોર્ડ પાછા આપનારા લેખકોની ટીકા પર અનેએવોર્ડ સાથે રૂપિયા પાછા આપ્યા કે નહીં?’ એવી અસંબદ્ધ ચર્ચા પર ઉતરી આવ્યા છે. પરંતુ જે કારણથી એવોર્ડ પાછા અપાઇ રહ્યા છે એની ચર્ચામાં તેમને રસ પડતો નથી. તેમની પાસે સવાલ તૈયાર છે : ‘કોંગ્રેસના રાજમાં આવું થયું ત્યારે તમે ક્યાં ગયા હતા?’

આવું પૂછનારાને સાદો સવાલ : પહેલાં તો કહો કે ચાલુ વર્તમાનકાળમાં બધું બની રહ્યું છે, ત્યારે તમે ક્યાં છો? તમે સ્થાપિત હિત ધરાવતા રાજનેતા કે તેમના પેઇડ પ્રચારક નથી, તો તમે કેમ ભૂતકાળની ઓથે ભરાઇને વર્તમાનની શરમ ઢાંકવા કે એને વાજબી ઠરાવવા કોશિશ કરો છો? કોંગ્રેસી શાસન વખતે વાજબી રીતે પ્રગટેલો ભ્રષ્ટાચારવિરોધનો ઉત્સાહ વ્યાપં ને લલિત મોદીની વાત આવે ત્યારે કેમ ગલ્લાંતલ્લાં પર કે ટેક્નિકલ બાબતો પર ઉતરી અને કંઇ સૂઝે ત્યારેતમે ક્યાં હતા?’ પર ઉતરી જાય છે?

કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી આપ, સરવાળે તે એટલાં સીધાં છે, જેટલાં તેમને રાખવામાં આવે. આપણું કામ એમના ચગડોળે ચડવાનું કે એમનાવોટઅબાઉટીઝમના ચીયરલીડર બનવાનું નથી. તેમની પાસેથી જવાબો માગવાનું છે. એવોર્ડ પાછા આપનારા લેખકો પાસેથી જવાબ માગવામાં રાખ્યો, એનાથી અડધો ઉત્સાહ સત્તાધીશો પાસેથી જવાબ માગવાનો રાખ્યો હોત તો?

પર વો દિન કહાં...