Showing posts with label Majithia Wage Board. Show all posts
Showing posts with label Majithia Wage Board. Show all posts
Monday, June 16, 2014
પ્રશાંતના ચાર સાથી પત્રકારો પ્રતિકારના માર્ગે, ગાંધીધામ બ્યુરોચીફની ઝારખંડ બદલી
’મજિઠીયા પગારપંચનો અમલ અમારે જોઇતો નથી’ એવી
સહીઓ કર્મચારીઓ પાસેથી ઉઘરાવવાની ’દિવ્ય ભાસ્કર’ની નીતિનો ચીફ રીપોર્ટર તરીકે પ્રશાંત દયાળે વિરોધ કર્યો, ત્યારે તેણે પોતાના સાથી પત્રકારો
પર સહી કરવા કે ન કરવા અંગે કોઇ જાતનું દબાણ કર્યું ન હતું. તેણે સ્પષ્ટ કહ્યું હતું
કે તમે પોતપોતાની રીતે વિચારીને, સ્વતંત્ર રીતે નિર્ણય લેજો.
શરૂઆતમાં ઘણા પત્રકારોને લાગ્યું હતું કે સહી ન કરવી. પરંતુ ૧૦ જૂન, ૨૦૧૪ની રાત્રે પ્રશાંતની ધનબાદ બદલીનો હુકમ જાહેર થયો. બીજા દિવસે, ૧૧ જૂનના રોજ, રીપોર્ટર્સ મિટિંગમાં ત્રણ પત્રકારોએ
તંત્રી પાસેથી પ્રશાંતના મુદ્દે જાણકારી મેળવવાનો અને એ વિશે ચર્ચાનો પ્રયાસ કર્યો.
તંત્રીએ પ્રશાંતના મુદ્દે કોઇ પણ વાત કરવાનો ઇન્કાર કરતાં ત્રણ પત્રકારો એ મિટિંગમાંથી
ઊભા થઇ ગયા.
તેમનાં નામઃ જિજ્ઞેશ પરમાર, તેજસ મહેતા અને નિમેષ
ખાખરિયા.
આ ત્રણેએ મજિઠીયા પંચને લગતા અન્યાયી સંમતિપત્રક પર સહી કરવાની પણ ના પાડી
દીધી. બિમારીને લીધે એ મિટિંગમાં ગેરહાજર ચોથી પત્રકાર લક્ષ્મી પટેલને આ વાતની જાણ
થતાં, તેણે પણ સહી ન કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ ચારે
પત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે સહી કરવાના દબાણને કારણે તેમણે ઓફિસે જવાનું બંધ કર્યું
છે. આ લખાય છે ત્યાં સુધી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ નથી.
પોતે જેની સાથે સંમત નથી એવા કાગળિયા પર સહી ન કરાય એવું વલણ લેનાર અને પોતાને
લાગતા અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ જિજ્ઞેશ પરમાર, તેજસ
મહેતા, નિમેષ ખાખરિયા અને લક્ષ્મી પટેલને અભિનંદન. (તેમના વિશે આનંદ અને શુભેચ્છા પ્રગટ કરનાર સૌ, જરૂર પડે તો અને ત્યારે, તેમને જાહેર કે અંગત ધોરણે
સહકાર આપવાની તૈયારી રાખે તો તેમના શબ્દો વધારે નક્કર લાગશે.)
દરમિયાન ~
- ’દિવ્ય ભાસ્કર’ના ગાંધીધામના બ્યુરો ચીફ જયેશ શાહે સંમતિપત્ર પર સહી કરવાની ના પાડતાં તેમની પણ ઝારખંડ બદલી કરવામાં આવી છે. તે હવે કાનૂની લડાઇમાં પ્રશાંતની સાથે જોડાશે.
- પ્રશાંતને લગતી બ્લોગપોસ્ટના પ્રતિભાવમાં ભૂજ આવૃત્તિના પત્રકાર ઇમરાન દલે આ પ્રમાણે કમેન્ટ લખી છે. તેને કશી વધારાની ટીકાટીપ્પણ કે કાપકૂપ-સુધારાવધારા વિના શબ્દશઃ અહીં મૂકી છેઃ
- પ્રશાંતે અગાઉ કહ્યું હતું તેમ, સહી કરનારા મિત્રો વિશે તેના મનમાં લેશમાત્ર ખરાબ લાગણી નથી. તેમની સ્થિતિ એ બરાબર સમજે છે. એટલે સહી કરી દેનારા મિત્રો વિશે કોઇએ કશો દુષ્પ્રચાર કરવો નહીં કે તેમની પર દબાણ લાવવા પ્રયાસ કરવો નહીં.
અગાઉની બે નોંધોની લિન્ક
Labels:
Majithia Wage Board,
media
Saturday, June 14, 2014
'હું હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે.' : પ્રશાંત દયાળ
સર્વોચ્ચ અદાલતે અખબારોને મજિઠીયા પંચ/ Majithia Wage Boardની ભલામણ પ્રમાણે કર્મચારીઓને પગાર આપવાનો આદેશ કર્યો. બીજાં અખબારોએ હજુ તેનો અમલ કર્યો નથી, પણ ‘દૈનિક ભાસ્કર’ જૂથે બે ડગલાં આગળ વધીને, ‘અમારે મજિઠીયા પંચની ભલામણો પ્રમાણે પગાર જોઇતો નથી’ એવી સહી કર્મચારીઓ પાસેથી ઉઘરાવવાનું શરૂ કર્યું. ‘દિવ્ય ભાસ્કર’ (અમદાવાદ)ના ચીફ રીપોર્ટર પ્રશાંત દયાળે આવા ‘સંમતિપત્ર’ પર સહી કરવાની ના પાડી અને કહ્યું કે સાથી રીપોર્ટરોને પણ તે સહી કરવાની ફરજ નહીં પાડે. તેના પગલે પ્રશાંતની બદલી અમદાવાદથી ધનબાદ કરવામાં આવી. (વઘુ વિગત માટે જુઓ : http://urvishkothari-gujarati.blogspot.in/2014/06/blog-post_12.html )
પ્રશાંત અને ‘દિવ્ય ભાસ્કર’ના મેનેજમેન્ટ વચ્ચે નોટિસોની આપ-લે થયા પછી હવે કાનૂની રાહે આગળની લડત ચાલશે. પરંતુ આખા ઘટનાક્રમ અને તેમાં લોકોના વિવિધ પ્રતિભાવો વિશે પ્રશાંત પોતે શું માને છે? આજે પ્રશાંત સાથે થયેલી વાતચીતનો ટૂંકસારઃ
ઘણા લોકો એવું કહે છે કે મિત્રોએ પ્રશાંતને દગો કર્યો કે મિત્રો છોડી ગયા. તેમણે સાથ ન આપ્યો.
પ્રશાંતની સમજ : આમાં કોઇ મિત્રોના દગાનો પ્રશ્ન જ નથી. જેટલા મિત્રો જેટલું સાથે ચાલી શક્યા તેનો આનંદ છે. જે સાથે ચાલી નથી શક્યા, તેમના વિશે હું એવું નથી માનતો કે તેમણે દગો કર્યો છે. હું માનું છું કે તેમને પણ મારા માટે લાગણી છે અને મારી વાતમાં રહેલી સચ્ચાઇ તે સમજે છે. પણ તે પોતપોતાનાં કારણોસર બંધાયેલા છે. આ બઘું બન્યું ત્યારે તરત થોડું એવું લાગ્યું હશે, પણ ત્યાર પછી કદી મને કોઇ મિત્રો માટે ખરાબ લાગ્યું નથી, પછી તે ‘ભાસ્કર’ના મેનેજમેન્ટના મિત્રો હોય કે બીજા પત્રકાર-બિનપત્રકાર મિત્રો. મારી લડાઇ વ્યક્તિઓ સામેની નહીં, ‘ભાસ્કર’ તરફથી પરાણે સંમતિપત્રક પર કરાવાતી સહી સામે હતી અને છે. સંમતિપત્રક પર સહી કરનારા, ‘ભાસ્કર’માં કામ કરતા તમામ મિત્રોને હું કહેવા ઇચ્છું છું કે મહેરબાની કરીને તમારા મનમાં અપરાધભાવ (ગિલ્ટ) ના રાખતા. તમારી લાગણી મારી સાથે છે એ દર્શાવવા માટે તમારે કશી સાબિતી આપવાની જરૂર નથી. તમારી લાગણી મારી સાથે છે એની મને ખાતરી છે.
ઘણા શુભેચ્છકો ચિંતાથી કહે છે કે આ લડાઇમાં તમે હારી જશો...
પ્રશાંતની સમજ : આ લડાઇ હાર-જીતની નથી. અન્યાય સામેની લડાઇમાં નોકરીની કે રૂપિયાના નુકસાનની ચિંતા મેં રાખી નથી. વર્ષો પહેલાં હું નવોદિત હતો અને મારો પગાર રૂ.૫૦૦માંથી વધારીને રૂ.૧,૨૦૦ કરવામાં આવ્યો (જે ત્યારે મોટી રકમ હતી). પછી મને કહેવામાં આવ્યું કે તમારે રૂ.૨,૦૦૦ના વાઉચર પર સહી કરવાની છે, ત્યારે મેં સાફ ના પાડી હતી અને કહ્યું હતું કે આવી ખોટી રીતે હું સહી નહીં કરું. મારો પગાર રૂ.૫૦૦ જ રહ્યો. એનો મને વાંધો ન હતો, પણ ખોટી રીતે સહી કરવાનું મને મંજૂર ન હતું.
ખોટી રીતની સામે લડવું મારા માટે અગત્યનું છે. મારી ‘ભાસ્કર’ની નોકરી તો ગઇ જ છે. કોર્ટમાં હું હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે. આ સોદો મને મંજૂર છે.
ઘણા મિત્રો લાગણીથી પૂછે છે કે અમે કેવી રીતે મદદરૂપ થઇ શકીએ?
પ્રશાંતની સમજ : હાલ તો કાનૂની લડાઇ વકીલના સ્તરે શરૂ થઇ છે, પણ હાઇકોર્ટમાં જવાનું થશે ત્યારે ફી જેવા ખર્ચ માટે રૂપિયાની જરૂર પડશે. આ લડાઇ નોકરી માટેની નહીં, પણ અન્યાય સામેની અને હક માટેની છે. એટલે એમાં બહુ પ્રેમથી આર્થિક મદદ સ્વીકારવામાં આવશે. પણ આર્થિક મદદની ક્યારે જરૂર છે, એની યોગ્ય સમયે જાણ કરીશું.
પ્રશાંત અને ‘દિવ્ય ભાસ્કર’ના મેનેજમેન્ટ વચ્ચે નોટિસોની આપ-લે થયા પછી હવે કાનૂની રાહે આગળની લડત ચાલશે. પરંતુ આખા ઘટનાક્રમ અને તેમાં લોકોના વિવિધ પ્રતિભાવો વિશે પ્રશાંત પોતે શું માને છે? આજે પ્રશાંત સાથે થયેલી વાતચીતનો ટૂંકસારઃ
![]() |
| Prashant Dayal / પ્રશાંત દયાળ |
પ્રશાંતની સમજ : આમાં કોઇ મિત્રોના દગાનો પ્રશ્ન જ નથી. જેટલા મિત્રો જેટલું સાથે ચાલી શક્યા તેનો આનંદ છે. જે સાથે ચાલી નથી શક્યા, તેમના વિશે હું એવું નથી માનતો કે તેમણે દગો કર્યો છે. હું માનું છું કે તેમને પણ મારા માટે લાગણી છે અને મારી વાતમાં રહેલી સચ્ચાઇ તે સમજે છે. પણ તે પોતપોતાનાં કારણોસર બંધાયેલા છે. આ બઘું બન્યું ત્યારે તરત થોડું એવું લાગ્યું હશે, પણ ત્યાર પછી કદી મને કોઇ મિત્રો માટે ખરાબ લાગ્યું નથી, પછી તે ‘ભાસ્કર’ના મેનેજમેન્ટના મિત્રો હોય કે બીજા પત્રકાર-બિનપત્રકાર મિત્રો. મારી લડાઇ વ્યક્તિઓ સામેની નહીં, ‘ભાસ્કર’ તરફથી પરાણે સંમતિપત્રક પર કરાવાતી સહી સામે હતી અને છે. સંમતિપત્રક પર સહી કરનારા, ‘ભાસ્કર’માં કામ કરતા તમામ મિત્રોને હું કહેવા ઇચ્છું છું કે મહેરબાની કરીને તમારા મનમાં અપરાધભાવ (ગિલ્ટ) ના રાખતા. તમારી લાગણી મારી સાથે છે એ દર્શાવવા માટે તમારે કશી સાબિતી આપવાની જરૂર નથી. તમારી લાગણી મારી સાથે છે એની મને ખાતરી છે.
ઘણા શુભેચ્છકો ચિંતાથી કહે છે કે આ લડાઇમાં તમે હારી જશો...
પ્રશાંતની સમજ : આ લડાઇ હાર-જીતની નથી. અન્યાય સામેની લડાઇમાં નોકરીની કે રૂપિયાના નુકસાનની ચિંતા મેં રાખી નથી. વર્ષો પહેલાં હું નવોદિત હતો અને મારો પગાર રૂ.૫૦૦માંથી વધારીને રૂ.૧,૨૦૦ કરવામાં આવ્યો (જે ત્યારે મોટી રકમ હતી). પછી મને કહેવામાં આવ્યું કે તમારે રૂ.૨,૦૦૦ના વાઉચર પર સહી કરવાની છે, ત્યારે મેં સાફ ના પાડી હતી અને કહ્યું હતું કે આવી ખોટી રીતે હું સહી નહીં કરું. મારો પગાર રૂ.૫૦૦ જ રહ્યો. એનો મને વાંધો ન હતો, પણ ખોટી રીતે સહી કરવાનું મને મંજૂર ન હતું.
ખોટી રીતની સામે લડવું મારા માટે અગત્યનું છે. મારી ‘ભાસ્કર’ની નોકરી તો ગઇ જ છે. કોર્ટમાં હું હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે. આ સોદો મને મંજૂર છે.
ઘણા મિત્રો લાગણીથી પૂછે છે કે અમે કેવી રીતે મદદરૂપ થઇ શકીએ?
પ્રશાંતની સમજ : હાલ તો કાનૂની લડાઇ વકીલના સ્તરે શરૂ થઇ છે, પણ હાઇકોર્ટમાં જવાનું થશે ત્યારે ફી જેવા ખર્ચ માટે રૂપિયાની જરૂર પડશે. આ લડાઇ નોકરી માટેની નહીં, પણ અન્યાય સામેની અને હક માટેની છે. એટલે એમાં બહુ પ્રેમથી આર્થિક મદદ સ્વીકારવામાં આવશે. પણ આર્થિક મદદની ક્યારે જરૂર છે, એની યોગ્ય સમયે જાણ કરીશું.
Labels:
Majithia Wage Board,
media
Thursday, June 12, 2014
‘દિવ્ય ભાસ્કર’ ના ચીફ રીપોર્ટર, ગુજરાત માટે ગૌરવરૂપ ગણાય એવા પત્રકાર પ્રશાંત દયાળની બદલી અમદાવાદથી ધનબાદ કેમ થઇ?
પત્રકારત્વનો વ્યવસાય બહુ વિચિત્ર છે. ઑફિસની બહાર પત્રકારોએ લોકો સાથે થતા અન્યાયના કે લોકોના હક ડૂબતા હોય તેના સમાચાર લાવવાના, પણ ઑફિસની અંદર પોતાના હકની વાત આવે ત્યારે દબાઇ-ચુમાઇને બેસી જવાનું. બહાર શેર બનીને ફરનારાએ ઑફિસમાં ‘વફાદાર’ બની જવાનું- ક્યારેક પ્રકૃતિવશ, ક્યારેક રોજગારીની બીકથી, ક્યારેક માલિકોને વહાલા દેખાવા માટે ને ક્યારેક આ બધાં કારણોના મિશ્રણથી.
મિડીયા હાઉસ સામે નાનીસરખી પણ કાર્યવાહી થાય ત્યારે ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ખતરો’ અને ‘લોકશાહીની ચોથી જાગીર પર હુમલો’ની કાગારોળ ઉઠે, પણ તેના પાયામાં રહેલા પત્રકાર સાથે મિડીયા હાઉસ મનમાની કરે ત્યારે ચૂં કે ચાં ન થાય.
અખબારોમાં કામ કરતા પત્રકારો-બિનપત્રકારોનાં યોગ્ય પગારધોરણ માટે વર્ષ ૨૦૦૯માં મજિઠીયા પગારપંચ / Majithia Wage Boardની રચના થઇ હતી. એ પંચે કરેલી ભલામણોને સરકારે નવેમ્બર, ૨૦૧૧માં સ્વીકારી. તેની સામે વિવિધ અખબારોનાં મેનેજમેન્ટ અદાલતમાં ગયાં. છેવટે તેમની હાર થઇ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે મેનેજમેન્ટોની રજૂઆતને ફગાવી દીધી અને આદેશ આપ્યો કે એપ્રિલ, ૨૦૧૪થી અખબારોએ પોતાના તમામ (પત્રકાર-બિનપત્રકાર) કર્મચારીઓને મજિઠીયા પંચની ભલામણો પ્રમાણેનો પગાર ચૂકવવો. એટલું જ નહીં, આ પગારધોરણનો અમલ નવેમ્બર, ૨૦૧૧થી થયેલો ગણાશે. માટે નવેમ્બર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૪ સુધીના સમયગાળામાં કર્મચારીઓને ચૂકવવાપાત્ર થતો તફાવત મેનેજમેન્ટોએ એક વર્ષના ગાળામાં ચાર સરખા હપ્તામાં ચૂકવી દેવો.
ઘણાંખરાં અખબારોએ હજુ સુધી સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કર્યું નથી કે એ વિશે મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ ‘દૈનિક ભાસ્કર’ જૂથ આ બાબતમાં બે ડગલાં આગળ વઘ્યું. તેમણે તારીખ વગરનો એક કાગળ તૈયાર કર્યો, જેમાં એ મતલબનું લખાણ હતું કે ‘અમે અત્યારના પગારોથી સંતુષ્ટ છીએ અને અમારે મજિઠીયા પંચ પ્રમાણેનો પગાર જોઇતો નથી.’ આ લખાણ પર પત્રકાર-બિનપત્રકાર બધા કર્મચારીઓની સહી લેવાનો કાર્યક્રમ શરૂ થયો.
દરેક વિભાગના વડાને આવું કાગળિયું પકડાવી દેવામાં આવ્યું. વિભાગી વડાઓ પોતાને રીપોર્ટ કરતા કર્મચારીઓને બોલાવીને કાગળીયા પર તેમની સહી કરાવી લે. આ કાગળમાં કે સહીની નીચે તારીખ લખવામાં આવતી નથી, જેથી કંપની આ પ્રકારના નિવેદનનો પોતાને ફાવે તેમ ઉપયોગ કરી શકે.
‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિમાં આ પ્રકારનું કાગળિયું ચીફ રીપોર્ટર પ્રશાંત દયાળને આપવામાં આવ્યું, ત્યારે પ્રશાંતે તેની પર સહી કરવાની ચોખ્ખી ના પાડી. તેણે કહ્યું કે રીપોર્ટરોમાંથી કોઇએ મજિઠીયા પંચની ભલામણોનો અમલ સામે ચાલીને માગ્યો નથી. પછી આવા કોઇ નિવેદન પર સહી શા માટે કરવી જોઇએ?
![]() |
| Prashant dayal/ પ્રશાંત દયાળ |
રાબેતા મુજબની રીપોર્ટર્સ મિટિંગમાં મજિઠીયા પંચ વિશેની વાતમાં પ્રશાંતે કંપનીનો કાગળ શું કહેવા માગે છે એ સાથી રીપોર્ટરોને જણાવ્યું અને કહ્યું કે દબાણમાં કે દેખાદેખીમાં આવ્યા વિના, સૌએ પોતાની જાતે નિર્ણય લેવાનો છે. કોઇની પર સહી કરવાનું કે ન કરવાનું દબાણ હું કરવાનો નથી.
પ્રશાંતે કાગળીયા પર સહી ન કરી. તેની સાથે કામ કરતા બીજા રીપોર્ટરોએ પણ કાગળીયા પર સહી ન કરી. સ્થાનિક સ્તરે મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે રહેલા લોકો મિત્રો જ છે. એટલે વિરોધના પગલામાં અંગત કડવાશ કે દુર્ભાવની ગુંજાઇશ ન હતી, પરંતુ સવાલ ન્યાય, હક અને ગૌરવનો હતો.
પ્રશાંતની પોતાની વાત કરીએ તો, ‘દિવ્ય ભાસ્કર’ તેને ઊંચા પગારે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંથી લઇ આવ્યું હતું. એટલે અંગત રીતે પ્રશાંતને મજિઠીયા પંચના અમલથી ફાયદો થવાની કોઇ શક્યતા નથી. ઊલટું, મજિઠીયા પંચ પ્રમાણે બીજા રીપોર્ટરોના પગારમાં નોંધપાત્ર વધારો પણ, પ્રશાંતના પગારમાં ઘટાડો થાય એમ છે. પરંતુ આ મુદ્દો પગારવધારા કે ઘટાડાનો નથી. અસંમતિ હોય ત્યાં કંપની સમંતિપત્રક પર સહી કરવાની ફરજ શી રીતે પાડી શકે?
પ્રશાંતે કંપની સાથેની વાતચીતમાં કહ્યું કે અમારામાંથી કોઇએ મજિઠીયા પંચના અમલની માગણી કરી નથી. પછી આવા કાગળ પર સહી શા માટે કરવી જોઇએ? કારણ કે કંપનીએ ધરેલા કાગળમાં કાંડા કાપી આપવાની વાત છે. સહી કરવાની ના પાડ્યા પછી કંપનીના એચ.આર. સહિતના સંબંધિત વિભાગોને પ્રશાંતે તા.4-6-14ના રોજ એક ઇ-મેઇલ પણ કર્યો હતો, જેમાં તેણે લખ્યું કે મારી સામે બદલી કે હકાલપટ્ટી જેવી કાર્યવાહી થઇ શકે છે. સાથે ચોખવટ પણ કરી હતી કે આમાં યુનિઅનબાજીનો કે બીજા લોકોને ઉશ્કેરવાનો કોઇ ખ્યાલ નથી. (આખો ઇ-મેઇલ પોસ્ટના અંતે મૂક્યો છે)
પ્રશાંતની દલીલનો તાર્કિક કે નૈતિક રીતે જવાબ આપવાને બદલે કંપનીએ પ્રશાંતને કહી દીઘું કે તમારી બદલી ધનબાદ (ઝારખંડ) કરવામાં આવે છે. પ્રશાંતે હજુ સુધી બદલીના કાગળનો સ્વીકાર કર્યો નથી. પરંતુ એટલું નક્કી છે કે હવેની લડાઇ કાનૂની રહેશે અને લાંબી ચાલશે. કારણ કે એ રૂપિયાપૈસા માટેની નથી. એ ન્યાય, હક અને ગૌરવ માટેની છે.
‘જીવતી વારતા’ના લેખક, ગુજરાતના ઉત્તમ-સંવેદનસભર ક્રાઇમ રીપોર્ટર, જેની પર ફક્ત ‘દિવ્ય ભાસ્કર’ને જ નહીં, આખા ગુજરાતને ગૌરવ થઇ શકે, એવા પ્રશાંતને અન્યાયનો વિરોધ કરવા બદલ ધનબાદ મોકલવાનું ફરમાન નીકળે, એ ફક્ત છાપા કે પત્રકારત્વ માટે નહીં, સમાજ માટે પણ ખેદજનક છે.
આ લડાઇ ફક્ત પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની નથી. જે લોકો સારા પત્રકારત્વની-સારા સમાજની અપેક્ષા રાખતા હોય, પત્રકારત્વમાં સારા માણસો હોવા જોઇએ, પણ બહુ હોતા નથી- એવું જેમને લાગતું હોય, એ સૌ આ લડાઇમાં પોતાનો નૈતિક ટેકો આપી શકે છે.
નોંધ :
૧. હું ‘ગુજરાત સમાચાર’ સાથે કોન્ટ્રાક્ટથી સંકળાયેલો છું, પણ સોશ્યલ મિડીયા પરની મારી હાજરી વ્યક્તિગત છે. તેની સાથે ‘ગુજરાત સમાચાર’ને કોઇ પણ પ્રકારની લેવાદેવા નથી.
૨. ગુજરાતનાં બીજાં કોઇ અખબારોએ ‘અમારે મજિઠિયા પંચની ભલામણ પ્રમાણે પગાર જોઇતો નથી’ એવાં કાગળિયાં તૈયાર કરીને તેની પર કર્મચારીઓની સહી માગી હોય એવું જાણમાં નથી.
બદલીના થોડા દિવસ પહેલાં, તા 4-6-2014ના રોજ પ્રશાંતે કરેલો ઇ-મેઇલ
Dear Sir,
I am writing this mail in connection with the recent events of State editor and City editor calling reporters and compelling them to sign to waive off their rights to get benefits of recommendations of Majithiya commission, approved by the supreme court. I am writing this email representing the Ahmedabad City Reporters as their team leader and upon their request. Reporters tell me that those who have not signed on the papers, made individual choice and it was their personal decision. This is put to your notice that those who have either refused or were unable to sign were not against the management and are working in harmony. The work environment has been better and I believe should always remain the same.
Reporters were told that the company may retrench or transfer the staff if the person doesn't sign the papers. This stand is not professionally appropriate and if after such threats to reporters, any coercive actions are taken against them, I believe it is the time for the HR to ensure that such steps are not taken. This is to clarify that this is not a union activity or rebel against the management or the company.
I hope that you would take the email in spirit rather than going on the language of this email.
Yours sincerely,
Prashant Dayal
Chief reporter
I am writing this mail in connection with the recent events of State editor and City editor calling reporters and compelling them to sign to waive off their rights to get benefits of recommendations of Majithiya commission, approved by the supreme court. I am writing this email representing the Ahmedabad City Reporters as their team leader and upon their request. Reporters tell me that those who have not signed on the papers, made individual choice and it was their personal decision. This is put to your notice that those who have either refused or were unable to sign were not against the management and are working in harmony. The work environment has been better and I believe should always remain the same.
Reporters were told that the company may retrench or transfer the staff if the person doesn't sign the papers. This stand is not professionally appropriate and if after such threats to reporters, any coercive actions are taken against them, I believe it is the time for the HR to ensure that such steps are not taken. This is to clarify that this is not a union activity or rebel against the management or the company.
I hope that you would take the email in spirit rather than going on the language of this email.
Yours sincerely,
Prashant Dayal
Chief reporter
Labels:
Majithia Wage Board,
media
Subscribe to:
Posts (Atom)

