Sunday, July 06, 2014

રજનીકુમાર પંડ્યાઃ ૭૭મે વર્ષે ઝબકાર? ના, ઝળાંહળાં

(નોંધ- આજે જુલાઇના રોજ રજનીકુમારને ૭૬ વર્ષ પૂરાં થયાં. લેખનું મથાળું રજનીકુમારની શૈલીને અંજલિ તરીકે આપ્યું છે.)

Rajnikumar Pandya/ રજનીકુમાર પંડ્યા
તમે રજનીકુમારને ગુરુ માનો છો? કોઇ પણ માણસને ગુરુ બનાવતાં પહેલાં વિચાર કરવો જોઇએ.એક આદરણીય લેખકે દોઢ- પોણા બે દાયકા પહેલાં પૂરા શુભેચ્છાભાવથી મને કહ્યું હતું

તું રજનીકુમારને ગુરુ માને છે? સાચવજે.બીજા એક સ્નેહી વડીલ લેખકે લગભગ અરસામાં મને કહ્યું હતું.

વખતે હું મુંબઇમાં અભિયાનથકી પત્રકારત્વમાં પ્રવેશ્યાના એકાદ વર્ષમાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનું લેખન-પત્રકારત્વજગત સાવ અજાણ્યું. વિનોદ ભટ્ટ જેવા પ્રિય લેખક સાથે પત્રકાર બન્યા પહેલાં વાચક તરીકેનો પરિચય અને થોડો સંબંધ ખરો સિવાય પહેલેથી એકડો ધૂંટવાનો હતો. પત્રકારત્વના ક્ષેત્રમાં સમવયસ્ક કે એક પેઢી પછીના મિત્રો પાસેથી રજનીભાઇ વિશે ભાગ્યે સારું સાંભળવા મળે. કોઇને એમના પબ્લિક રિલેશનના અને રૂપિયા લઇને લખી આપવાની કે પ્રચારપ્રસારની કામગીરી વિશે વાંધો હોય, તો કોઇને તેમના સ્ત્રીમિત્રોવાળા પાસાનો ઉલ્લેખ કરીને તેમનો એકડો કાઢી નાખે.

મને શરૂઆતમાં બહુ ખટકતું. સમજાતું નહીં કે  બન્ને આરોપસાચા હોય તો પણ કોઇ વ્યક્તિને ફક્ત એટલાથી મૂલવવાની ભૂલ આવા સમજુ લાગતા માણસો કેમ કરતા હશે? તેમને રજનીભાઇનાં પ્રચંડ સર્જકતા ધરાવતાં લખાણ વિશે કશું કહેવાનું નથી? બીજાને નિઃસ્વાર્થભાવે અને હોંશે હોંશે મદદરૂપ થવાની તેમની ખાસિયત લોકો નહીં જાણતા હોય? કે જાણવા નહીં માગતા હોય?

પણ સામી દલીલમાં હું ઉતરતો નહીં. આદરણીય વડીલો સામે વખતે- અને બને ત્યાં સુધી અત્યારે પણ- દલીલમાં ઉતરવું પડે તો સારું, એવી ભાવના હોય. બીજું, દલીલમાં હંમેેશાં આપણી વાત સામેવાળાને સમજાવી શકાય જરૂરી નથી. મને લખીને વધારે ફાવે. પરંતુ તેની જરૂર લાગતી નહીં. હું એમને એટલું કહેતો કે મારી ચિંતા કરશો. ક્યાંથી શું લેવું હું જાણું છું.

હકીકત હતી કે ખુદ રજનીભાઇ પણ વિશે સભાન હતા. તેમણે કરેલાં બધાં વ્યાવસાયિક કામને તે સાહિત્યિક ગણાવતા હતા. એવી રીતે પ્રચારકામગીરી સન્માનજનક નથી ગણાતી પણ તે સમજતા હતા. ક્યારેક કહેતા, ‘મારું કામ બૂટપોલીશફિલ્મના જોનચાચા-ડેવિડ- જેવું છે, જે પોતે દારૂ વેચતો હોવા છતાં સાથે રહેતાં બાળકોને ધંધાથી દૂર રાખે.

ખરેખર, તેમનું મૂલ્યાંકન પણ તેમની જાત પ્રત્યે વધારે પડતું આકરું અને તેમને ભારે અન્યાય કરનારું છે. તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિ કે સંબંધોની સૃષ્ટિને દારૂના ધંધા’  જેવી- અનિષ્ટકે પછી બીજા માટે નુકસાનકારકશી રીતે ગણી શકાય? તેમના રવાડે ચડીનેકોઇની જિંદગી બગડી હોય એવો એેકેય દાખલો છેલ્લાં ૨૬ વર્ષના અમારા પરિચયમાં મને જોવા મળ્યો નથી, અને તેમના કારણે જેમનાં અશક્ય લાગતાં કામ થયાં હોય, આસમાની મદદ મળી હોય, અણધાર્યા મેળાપ થયા હોય, સામાજિક સંસ્થાઓ ફૂલીફાલી ને આબાદ થઇ હોય...ટૂંકમાં, જેમની જિંદગી સુધરી કે બની ગઇ હોય એવા અસંખ્ય કિસ્સા જોયા છે અને હજુ જોઉં છું. તેમનું જીવનજોશ જોઇને, અનેક મોરચાનો સંઘર્ષ હોવા છતાં જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ જોઇને સુખદ, અહોભાવમિશ્રિત આશ્ચર્ય અનુભવું છું.

(નોંધ : કોઇ તેમની સામે કોર્ટકેસ કરે અથવા તેમને કેસ કરવો પડે એવી સ્થિતિમાં મૂકે અને પછી કોર્ટમાં હારી જાય, તો એનો દોષ રજનીભાઇના માથે શી રીતે નાખી શકાય? એવી રીતે, વર્ષો સુધી તેમની સાથે મહાલનારા અને તેમના લાભાર્થીરહેલા જણ સાવ ધૂળ જેવા કારણસર પોતાની જાતને સામેની છાવણીમાં મૂકી દે અને પોતે આવું કેમ કર્યું તેનો કશો પ્રતીતિકર ખુલાસો રજનીભાઇને આપી શકે નહીં, તો પીડા માટે પણ રજનીભાઇને જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે તેમાં પીડા બન્ને પક્ષે - કદાચ રજનીભાઇના પક્ષે વધારે- હોય છે.)

૧૯૮૮થી તેમની સાથે શરૂ થયેલો અમારો પત્રસંપર્ક આત્મીયતાની તાર્કિક અને દુન્યવી સીમાઓને ક્યારનો વટાવી ગયો છે. એટલે , તેમની મર્યાદાઓ પણ બીજા કરતાં વધારે નજીકથી જોઇ છે. તેમની ખૂબીઓ અને મર્યાદાઓનો સરવાળો માંડનારા આપણે કોણ?’ એવા ડહાપણભર્યા વિચારોની વચ્ચે વચ્ચે, માનવસહજ રીતે અનેક વાર આવું સરવૈયું માંડ્યું છે અને દરેક વખતે ખૂબીઓનું પલ્લું અસાધારણ રીતે- બીજા કોઇના કિસ્સામાં ભાગ્યે જોવા મળે એટલી હદે- નમતું લાગ્યું છે.
Rajnikumar Pandya/ રજનીકુમાર પંડ્યા
આટલું તો અત્યંત અંગત અને નિકટના પરિચયની રૂએ. બાકી તેમના જાહેર વ્યક્તિત્વની- જે કોઇ પણને દેખાવી જોઇએ, છતાં મોટા ભાગના લોકોને નજરઅંદાજ કરવી ગમે છે એવી બાબતોની- યાદી બહુ લાંબી છે.
  • ૭૬ વર્ષ પૂરાં કર્યા પછી પણ લેખનમાં તાજગી તે જાળવી શક્યા છે. દિવ્ય ભાસ્કરમાં તેમની કૉલમ શરૂ થઇ ત્યારે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમણે સાવ નવું પાત્ર અને નવો પ્રકાર નીપજાવ્યાં. એવી રીતે નવગુજરાત ટાઇમ્સમાં પણ તેમની કૉલમમાં થાક કે ઘસારો નહીં, પહેલાંના જેવી તાજગી વર્તાય છે.
  • સાહિત્યના સત્તાધીશો દ્વારા તેમનું થવું જોઇએ એવું મૂલ્યાંકન થયું નથી. છતાં લાભશંકર ઠાકર, વિનોદ ભટ્ટ જેવા સમકાલીનો કે  કિરીટ દૂધાત, સુમંત રાવળ જેવા વાર્તાકાર સ્નેહીઓ રજનીભાઇની વાર્તાકળાને મોકળા મને બિરદાવતા રહ્યા છે. બીજા કેટલાક એવા પણ છે, જે અંગત વાતચીતમાં વખાણ કરે, પણ લખવાનું આવે ત્યારે રજનીભાઇનું નામ ભૂલી જાય' થોડા વખત પહેલાં એક મિત્રના લખાણની ચર્ચા નિમિત્તે વાર્તાની વાત નીકળી. એટલે રજનીભાઇએ કહ્યું હતું, ‘શૂળ વાર્તા નથી. વાર્તા શૂળની અણી પર હોય છે. અણી માટે શૂળ ઉગાડવાની હોય. આખું ઝાડ ઉગાડવાનું હોય.’ 
  • પોતાના લખાણ વિશે સંતુષ્ટ નહીં થઇ જવાનો અને કડક સ્વમૂલ્યાંકનનો તેમનો ટચસ્ટોનહજુ ઘસાયો નથી. તેમની પાસેથી શીખવા જેવી સૌથી અગત્યની બાબતોમાંની એક લાગી છે. ( બાબતમાં બીજા આદર્શો : અશ્વિની ભટ્ટ, નગેન્દ્ર વિજય
  • શબ્દો વિશેની તેમની ચીવટ, શબ્દોની વ્યુત્પત્તિ અને અર્થચ્છાયાઓમાં તેમનો રસ તથા નવા-અર્થપૂર્ણ શબ્દો નીપજાવવાની તેમની સર્જક-ધાર જરાય બુઠ્ઠાં થયાં નથી
  • છેલ્લાં થોડાં વર્ષથી જે રીતે કમ્પ્યુટર વાપરતા અને પોતાના રોજિંદા કામમાં તેનો કસ કાઢતા થયા છે, એવું તેમના બહુ ઓછા સમવયસ્કો કરી શક્યા છે
  • વાર્તા-નવલકથાઓ તેમનાથી લખાવી જોઇએ એના કરતાં ઘણી ઓછી લખાઇ છે. તેનાં ઘણાં - અને મોટે ભાગે વ્યક્તિગત-કુટુંબગત-સંસારગત- કારણ છે. છતાં, કાચુંપાકું લખીને આપી દેવાનું તેમને હજુ મંજૂર રહેતું નથી. આખા લખાણમાં એક શબ્દ ખોટી રીતે કે ખોટી જગ્યાએ વપરાયો હોય તો તેમને ખટક્યા વિના રહે. તેમના તરફથી બાબતનો હળવો ઠપકો મેળવવો હંમેશાં મને પ્રિવિલેજ- વિશેષાધિકાર લાગ્યો છે. (જોકે, જે અંદાજમાં કહે છે તેના માટે હળવો ઠપકો પણ ભારે શબ્દ છે.) 
  • લેખક એટલે ઝોળાવાળો નહીં, પણ બીજા વ્યાવસાયિકો જેવો વ્યાવસાયિક, તેને પણ પેટ હોય અને ઘર હોય, તેને પણ સ્વમાનથી રહેવા માટે રૂપિયા જોઇએઆવી સમજણમાં અકોણાઇ ઉમેર્યા વિના, તેનો આગ્રહ રાખવાનું કામ રજનીભાઇએ કર્યું. તેનો ફાયદો મારી પેઢીના મારા સહિતના ઘણા લોકોને મળે છે. પ્રવચન આપવા માટે અમે સન્માનજનક રકમ માગી શકીએ છીએ અને આયોજકોને કહી શકીએ છીએ કે ફક્ત વાહન લઇ-મૂકી જાય પૂરતું નથી. અમારા સમયની કિંમત હોય છે. દોઢેક દાયકા પહેલાં એક ઉત્સાહી કટારલેખક પોતાના ખર્ચે બસમાં પ્રવચન આપવા પહોંચી જતા હતા. આયોજકો પાસેથી રૂપિયા લેવા જોઇએ અને આપણો અધિકાર છે, એવું તેમને રજનીભાઇએ શીખવાડ્યું. ભાઇએ રજનીભાઇ સાથે ફોન પરની વાતચીતમાં બાબત સહજતાથી સ્વીકારી હતી. (હવે જાહેરમાં તેનો સ્વીકાર કરે કે કેમ જુદી વાત છે.) 
  • અમારા જોડાણને મજબૂત અને ટકાઉ બનાવવામાં જૂનાં હિંદી ગીતોનો મોટો ફાળો છે. તેમને હજારોની સંખ્યામાં- હા, ખરેખર હજારોની સંખ્યામાં- ગીતોના પાઠ મોઢે છે અને તે ધૂન સાથે ગાઇ શકે છે. (તે બહુ સૂરમાં ગાય છે અને કહે છે કે એમને ખરેખર ગાયક બનવું હતું, પણ બની શક્યા. બદલ તે પોતાની જાતને નિષ્ફળ પણ માને છે.) 
  • મોરારીબાપુથી માંડીને હિંદુ-મુસ્લિમ પ્રશ્ન વિશે અમારી સમજણ ઘણી જુદી છે. અમારી વચ્ચે ખાસ્સો મતભેદ છે. પરંતુ તેમની મોટી ખૂબી છે કે હું મહેમદાવાદમાં રહેતો સામાન્ય સંગીતપ્રેમી છોકરો હતો ત્યારથી લઇને હું મહેમદાવાદમાં રહેતો અને લેખન કરતો માણસ બન્યો છું ત્યાં સુધી, તેમણે પોતાના વિચાર મારી પર થોપવા કદી પ્રયાસ કર્યો નથી. અમે તેમને ગુરુ ગણીએ છીએ, તો વળતા વ્યવહારે તેમણે ગુરુદક્ષિણામાં કદી અમારી સ્વતંત્ર વિચારશક્તિ માગી લીધી નથી. ક્ષેત્રમાં બહુ ઓછા માણસો- જાણીતા લેખકો- એવા હોય છે, જે તેમના ચાહકોની બૌદ્ધિક પ્રગતિ જોઇને અસલામતી અનુભવે અને રાજી થાય. રજનીભાઇ એવા એક જણ છે. તેમના વર્તુળની બહારનું અમારું વર્તુળ ઊભું થાય અને તેમની હરોળના કહેવાય એવા બીજા લોકોના નિકટ પરિચયમાં અમે આવીએ, તેમને પણ ગુરુ ગણીએ, એથી રજનીભાઇ કદી કચવાયા હોય એવું લાગ્યું નથી. બલ્કે, વાતનો તે હંમેશાં રાજીપો વ્યક્ત કરે છે. ચાહકો-પ્રેમીઓ હંમેશાં પોતાની આસપાસ ઉપગ્રહની જેમ ફરતા રહેવા જોઇએ અને તેમની ભ્રમણકક્ષામાં જરા પણ ફરક પડવો જોઇએ, એવી અપેક્ષા રાખનારા ઘણા લેખકો કરતાં રજનીભાઇ રીતે જુદા અને ઘણા ચડિયાતા છે
  • મોટી ઉંમરના ગુરુજનોમાં નારાજ થશે તો?’ એવી ચિંતા કર્યા વિના જેમની સાથે અસંમત થઇ શકાય, તેમનો વિરોધ કરી શકાય એવા  ગુરુ તરીકે રજનીભાઇનું સ્થાન બહુ વિશિષ્ટ છે
  • બીરેન, બિનીત અને હું ગૌરવપૂર્વક અમારી જાતને રજનીભાઇના શિષ્ય તરીકે ઓળખાવીએ ત્યારે ઘણા મિત્રોને દુઃખદ આશ્ચર્ય કે સીધી નારાજગી થાય છે. તેમના પ્રતિભાવથી પહેલાં દુઃખ થતું હતું. હવે તેમની સમસ્યા લાગે છે, જેમાં ઇચ્છે તો અમે મદદ કરી શકીએ. બાકી,  જરૂર લાગતી નથી.
રજનીભાઇ જેટલું ઘટનાપ્રચૂર અને નાટકીય જીવન જીવ્યા છે, તેના બધા પ્રસંગ આલેખે તો આત્મકથા માટે દસ ભાગ પણ ઓછા પડે. તેમને સળંગસૂત્ર આત્મકથાભલે નહીં, પણ તેમાંથી પ્રસંગો લખવાનો આગ્રહ અમે ઘણા વખતથી કરીએ છીએ. જીવનની સંકુલતા અને માનવમનનાં અતળ ઊંડાણો આલેખતાં તેમનાં લખાણ આવે તો ઘણીખરી નવલકથાઓ ફિક્કી લાગે. પરંતુ તેમની પાસે કોઇએ લખાવવું પડે અને લખાવતાં પહેલાં એમના વિશે હવામાંથી કે આછી પાતળી રેખાઓને આધારે બાંધી લીધેલા અભિપ્રાયોથી આગળ વધવાની તૈયારી રાખવી પડે.

રજનીભાઇ આત્મકથા કે તેના અંશ નહીં લખે તેમાં એમનું કશું નુકસાન નથી, પણ લખશે તો આપણને- ગુજરાતી વાચકોને- બહુ મોટો ફાયદો છે. પછી તો જેવાં ગુજરાતી ભાષા અને વાચકોનાં નસીબ.

Friday, July 04, 2014

છાશ : સૌરાષ્ટ્રની રસધાર

‘છાશ ઉનાળાનું અમૃત છે’ એવું ચિંતનલેખો કે આરોગ્યલેખોમાં ઘણાએ વાંચ્યું હશે. જ્યાં સુધી કોઇએ ખરેખરા અમૃતનો સ્વાદ ચાખ્યો નથી ત્યાં સુધી લેખકો ચિંતા કરવાનું કારણ નથી.

છાશને અમૃત કહેવી એ સરદાર પટેલને ‘ભારતના બિસ્માર્ક’ કે સૌરાષ્ટ્રના કોઇ ગામને ‘કાઠિયાવાડનું પેરિસ’ ગણાવવા જેવી ચેષ્ટા છે. છાશ માટે તેનું છાશ હોવું જ પૂરતું છે. છાશત્વનું ગૌરવ કે છાશાભિમાન ધરાવતી કોઇ પણ છાશ કે છાશપ્રેમી બીજી ઉપમા પસંદ ન કરે.

છાશની લોકપ્રિયતા ઘણી છે, પણ મોભાની રીતે એનો દરજ્જો બહુ ઊંચો ગણવામાં આવતો નથી. પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા અને ગુણવત્તાસભર લખનારા સાહિત્યકારોને આ બાબતની નવાઇ નહીં લાગે. તેમને અઘ્યાપકીય-વિવેચકીય પ્રજાતિ જેમ ‘લોકપ્રિય-વાળા’ ગણી કાઢે છે, એવું જ છાશનું પણ થાય છે. જાણે તેની લોકપ્રિયતા જ તેના મોભાની સામે આવીને ઊભી રહી જાય છે.

સાહિત્યકારોની સરખામણી બીજી રીતે પણ લાગુ પડે છે. ઉન્નતભુ્ર વિવેચકો કે અઘ્યાપકો લોકપ્રિય લેખકોની હાજરીમાં કે અંગત વાતચીતમાં તેમનાં વખાણ કરી શકે છે, પણ જાહેરમાં તો લોકપ્રિય હોવું એ જાણે નીચી કક્ષાનો પુરાવો હોય એવી રીતે એ વર્તે છે. (આ દલીલનો ભરપૂર ગેરલાબ નીચી કક્ષાને કારણે લોકપ્રિયતા મેળવનારા ઉઠાવે છે, એ વળી બીજી વાત થઇ.)  એવી જ રીતે, છાશની લોકપ્રિયતાનો જાહેરમાં સ્વીકાર કરતાં ખચકાટ અનુભવતા લોકો ઘરમાં છાશ પીતાં - વ્હાઇટ હેન્ડેડ -પકડાય કે છાશ પીધેલી અવસ્થામાં, મોં લૂછતા જોવા મળી જાય એ બિલકુલ શક્ય છે.

૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર અને ‘ગુજરાત’ના ભેદ મટી ગયા છે, પણ છાશ-સંસ્કૃતિની બાબતમાં આજે પણ કાઠિયાવાડ જુદું તરી આવે છે. એટલે આ લેખ પૂરતું સગવડ ખાતર ‘ગુજરાત’ એટલે કાઠિયાવાડ સિવાયનું ગુજરાત ગણવું. ગુજરાતમાં અને ગુજરાતી થાળીમાં છાશ વપરાય છે, પણ તેમાં કાઠિયાવાડ અને કાઠિયાવાડી ભોજનની છાશ જેવો જોસ્સો કે મિજાજ હોતો નથી. ગુજરાતમાં છાશ ગરીબોનું પીણું -અને ઘણી વાર ખાણું - ગણાય છે. ઘણા લોકો માને છે કે છાશ એ સમાધાન છે. પોસાતું હોય એ લોકો તો લસ્સી જ પીએ.

લસ્સી અને છાશ સહોદર છે, પણ બન્નેમાં વીસ વર્ષ પહેલાં મેળામાં છૂટા પડી ગયેલા ફિલ્મી ભાઇઓ જેટલો તફાવત છે. એક સમૃદ્ધિનું પ્રતીક છે, તો બીજી ગરીબીનું. છાશનો એક ગ્લાસ પીવાથી કદી સંતોષ થતો નથી અને લસ્સી એક ગ્લાસથી વઘુ પીવાની ક્ષમતા ભાગ્યે જ હોય છે. લસ્સી હંમેશાં ખરીદીને પીવી પડે છે, જ્યારે છાશ પાણીથી એક જ પગથીયું ઉપરનું પીણું ગણાય છે. એટલે જ છાશકેન્દ્રો હોઇ શકે છે- લસ્સીકેન્દ્રો કદી હોતાં નથી. (પંજાબમાં હોય તો ખબર નથી.)

ગુજરાતી પરંપરાગત ગૃહિણીઓ છાશનો ઉપયોગ પીવા ઉપરાંત વાળ ધોવા કે વાસણ ધોવા જેવાં કાર્યોમાં પણ કરે છે. કેટલાક લોકો જે માત્રામાં છાશ પીએ છે એ જોઇને લાગે કે તે વાસણની જેમ પેટને પણ છાશથી જ વીછળતા-સાફ કરતા હશે. જેનાથી માથાનો ખોડો દૂર કરી શકાય અને (છાશકેન્દ્ર ખોલીને) પુણ્ય કમાઇ શકાય, એવું આ એક જ પીણું છે.

ગુજરાતની અને એમાં પણ શહેરી વિસ્તારોની છાશ એકદમ મવાળ સ્વાદની હોય છે. તેમાં વળી અનેક ચીજવસ્તુઓ સાથે તેનો વઘાર કરવામાં આવે ત્યારે એ ફક્ત પીવાની નહીં, ફાલુદાની જેમ ખાવા-પીવાની ચીજ બની જાય છે. અમદાવાદીઓને હજુ સુધી ચીઝ કે બટરનું છીણ ભભરાવેલી છાશ પીવાનું મન થયું નથી, એટલું સારું છે. (આ સુવિચાર કોઇને આવી ચૂક્યો હોય તો આગોતરી ક્ષમા. તમારી સર્જકતા ઓછી આંકવાનો જરાય ઇરાદો ન હતો.)

ગુજરાતી છાશ મોટે ભાગે મખમલી મ્યાન જેવી હોય છે, તો કાઠિયાવાડી છાશ મ્યાનની અંદર રહેલી તલવાર જેવી. અભ્યાસીઓ માને છે કે સામેવાળાના દાંત ખાટા કરવા એ કાઠિયાવાડી સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ હોય કે ન હોય, પ્રધાન ભાવના તો હોય જ છે. જૂના જમાનામાં શૂરવીરો એ કાર્ય સિદ્ધ કરવા માટે તલવારનો ઉપયોગ કરતા હતા. હવે તલવારોનો ઉપયોગ હુલ્લડો અને લગ્નપ્રસંગો પૂરતો મર્યાદિત થઇ ગયો છે. તેની સીધી અસર કાઠિયાવાડી છાશની ખટાશમાં જોઇ શકાય છે. સૌરાષ્ટ્રનાં મોટાં ભાગનાં સ્થળે, નાની હોટેલમાં તો ખાસ, ખાટી ચીચુડા જેવી છાશ અવશ્ય પીરસાય છે.  ‘કાઠિયાવાડમં કોક દી ભૂલો પડ ભગવાન’વાળા દુહામાં પણ છાશનો મહિમા કરતાં કવિ કહે છે કે ભગવાન ભૂલેચૂકે કાઠિયાવાડની ખાટી છાશ પી જશે તો એ સ્વર્ગ- એટલે કે પોતે ક્યાંથી આવ્યા છે એ પણ- ભૂલી જશે.

કાઠિયાવાડના ઇતિહાસ વિશે ઊંડું સંશોધન કરતાં એક તાજી હકીકત પ્રકાશમાં આવી છે, જે સાચી હોવાની પૂરેપૂરી આશંકા છે. એ વાત પ્રમાણે, સંજાણ બંદરે પારસીઓને થયો એવો જ અનુભવ કાઠિયાવાડમાં વસતા આફ્રિકાના સીદીઓને થયો હતો. પારસીઓએ પોતાનો મળતાવડો સ્વભાવ દેખાડવા માટે  રાજા તરફથી આવેલા દૂધના કટોરામાં  સાકર નાખી હતી. સીદીઓના કિસ્સામાં, કહેવાય છે કે, કાઠિયાવાડી બાપુએ રાજાએ છાશની તાંબડી મોકલી હતું. સીદી સરદારે તેમાં બે-ચાર ગ્લાસ પાણી ઠપકારીને એ પાછી મોકલી. તેમનો સંદેશો હતો : આટલું બધું પાણી ભેળવ્યા પછી પણ છાશની ખટાશ જળવાઇ રહી છે, તેમ અમારા લોકોના ભળવાથી તમારી સંસ્કૃતિમાં કશો ફરક નહીં પડે.

કાઠિયાવાડમાં જમતી વખતે ઘી-દૂધની તો નહીં, પણ છાશની નદીઓ વહેતી હોય એવું ચોક્કસ લાગે, જ્યારે ગુજરાતમાં છાશની નદીઓ પર ઠેકઠેકાણે ચેકડેમ બંધાઇ ગયાનો અનુભવ થાય. હોટેલોમાં પણ એક ગ્લાસ છાશ એવા અંદાજમાં મફત આપે, જાણે શેમ્પેઇન આપતા હોય. બીજો ગ્લાસ માગનારે છાશને બદલે છાશીયા માટે તૈયાર રહેવું પડે. ‘એકસ્ટ્રા થશે’ એવું પીરસનાર એવી રીતે કહે કે છાશપ્રેમીને ‘હા’ પાડવાનું મન ન થાય.

કાઠિયાવાડની હોટેલમાં તો જમવાનું શરૂ થાય તે પહેલાં છાશ ભરેલું એક મોટું પાત્ર ટેબલ પર મૂકાઇ જાય. તે જગ અને તપેલીથી માંડીને પ્લાસ્ટિકનું ડબલું પણ હોઇ શકે. બહારનું સ્વરૂપ જોવાને બદલે અંદરનું તત્ત્વ પામવાનો ઉપદેશ આપનારા સંતોની આ ભૂમિમાં પાત્ર ડબલું છે કે જગ તેની પરવા કોણ કરે? ગુજરાતનો માણસ એ છાશનો એક ધૂંટડો ભરે એટલે તેની ખટાશ પ્રિયતમાની યાદની જેમ રોમેરોમ વ્યાપી જાય. તેની અસર હળવી કરવા માટે માણસ સેવ-ટમેટાના શાકનો એક કોળિયો ભરે એટલે તેમાં રહેલા- ના, તેમાં વહેતા- તેલની અસર મંદ કરવા માટે એને છાશનું શરણું લેવું પડે. આમ, છાશની ખટાશ અને શાકનાં તીખાશ-તેલના ધીંગાણામાં ભોજન ક્યારે પૂરું થઇ જાય અને પેટ ભરાઇ જાય એની સરત જ ન રહે. (કેટલીક જગ્યાએ જોકે મહેમાનને પેટ નહીં, પોતે જ ભરાઇ ગયાની લાગણી થઇ શકે છે.)

ગુજરાતીઓ મીઠું-જીરુ નાખીને ઠંડી કરેલી છાશને લગભગ ‘ડેઝર્ટ’ની જગ્યાએ લે છે, જ્યારે કાઠિયાવાડમાં તેનો પ્રયોગ પાણીની અવેજીમાં થાય છે. હવે ડેરીમાં પ્લાસ્ટિકના પેકમાં તૈયાર છાશ મળે છે. સાથે સ્ટ્રો પણ આપવામાં આવે છે. પરંતુ જેમણે બોઘરણાં ને તપેલીમાં છાશ જોઇ હોય તેમને સ્ટ્રોથી કોથળીમાં રહેલી છાશ પીવામાં પોતાનું અને છાશનું એકસરખું અપમાન લાગી શકે છે. 

Thursday, July 03, 2014

ફીફાં ૨૦૧૪ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ફુટબૉલની રમત

થોડાં વર્ષ પહેલાં અમદાવાદમાં કેટલાક ચાર રસ્તા પર એવો કાયદો લાગ્યો કે સામેની તરફ જવાનો સિગ્નલ લીલો થાય ત્યાર પછી જ ડાબી બાજુના રસ્તે વળી શકાય. વાહનચાલકો સિગ્નલથી ડાબી તરફનો વ્યવહાર સતત ચાલુ હોય એવા નિયમથી ટેવાયેલા હતા. એટલે તે સિગ્નલ જોયા વિના  સહજતાથી ડાબી બાજુ વળી જતા હતા. વળાંક લઇને એ થોડે આગળ પહોંચે ત્યાર પછી ટ્રાફિક પોલીસ પ્રગટ થતા અને સિગ્નલભંગ વિશે માથાકૂટ ચાલતી. ટ્રાફિક પોલીસની ખૂબી એ હતી કે તે વળાંક પહેલાં નહીં, વળાંક પછી જ ઊભા હોય.

યુજીસી- યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન અને દિલ્હી યુનિવર્સિટી વચ્ચે ચાલતા શરમજનક વિવાદમાં યુજીસીની વર્તણૂંક આગળ ઉલ્લેખેલા ટ્રાફિક પોલીસના વર્તન કરતાં જરાય જુદી નથી. વળાંક પછી દંડુકો લઇને ઊભા રહેવાની યુજીસીની નીતિને કારણે વિદ્યાર્થીઓને દંડાવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે દિલ્હી યુનિવર્સિટીએ (પાંચ વર્ષને બદલે) ચાર વર્ષનો બી.ટેક. અભ્યાસક્રમ શરૂ કર્યો. પરંતુ આ વર્ષે યુજીસીએ યુનિવર્સિટીને નવી પદ્ધતિનો અભ્યાસક્રમ બંધ કરવા આદેશ આપ્યો.  આખી વાતમાં રાબેતા મુજબ રાજકારણ ભળતાં, વિવાદ બરાબર વણસ્યો. દિલ્હી વડી અદાલતની વેકેશન બેન્ચે આ મામલો કાયમી બેન્ચનું ઘ્યાન માગે એવો ગણાવીને બન્ને પક્ષોને અદાલતનું વેકેશન ખુલે ત્યાં સુધી રાહ જોવા કહ્યું. છેવટે દિલ્હી યુનિવર્સિટીએ નમતું જોખીને નવો કોર્સ રદ કર્યો, પણ ત્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રવેશનો મામલો અટકેલો અને લટકેલો રહ્યો.

ઘરઆંગણે ગુજરાતમાં એન્જિનિયરિંગની પ્રવેશપ્રક્રિયા પણ અટકેલી છે. (ચિંતા કરવા માટે દિલ્હી કરતાં ગાંધીનગર વધારે નજીક પડવું જોઇએ.) ગયા વર્ષથી ગુજરાતના શિક્ષણવિભાગે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મેરિટ લીસ્ટ તૈયાર કરવાની નવી પદ્ધતિ અમલમાં મૂકી. એ પદ્ધતિમાં અન્યાય થતો હોવાની દલીલ સાથે કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતની વડી અદાલતમાં રજૂઆત કરી. અદાલતે શિક્ષણવિભાગની વિરુદ્ધ ચુકાદો આપ્યો, તેમની પદ્ધતિને અયોગ્ય ઠેરવી અને નવેસરથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું. ત્યાં સુધીમાં પ્રવેશની કામગીરી ઘણી આગળ વધી ચૂકી હોવાની દલીલ સાથે શિક્ષણ વિભાગે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી. સર્વોચ્ચ અદાલતે પ્રવેશકાર્ય ખોટકાય નહીં એ હેતુથી વડી અદાલતના આદેશ પર મનાઇ હુકમ આપ્યો અને  અરજદાર વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવા કહ્યું.

હજુ સુધી એ કેસનો નીવેડો આવ્યો નથી. દરમિયાન ખુદ ગુજરાતના શિક્ષણવિભાગે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી કે ગયા વર્ષે તેમણે અપનાવેલી મેરિટ ગણવાની પદ્ધતિમાં કેટલાક ફેરફાર કર્યા છે (એટલે કે અગાઉની પદ્ધતિ સંતોષકારક ન હતી) અને હવે તે નવી પદ્ધતિ પ્રમાણે મેરિટ નક્કી કરવા ઇચ્છે છે. સર્વોચ્ચ અદાલતે એ બાબતે કશો આદેશ, ચુકાદો કે સૂચન કર્યું નથી. મતલબ કે, જૂનો કેસ હજુ ઊભો છે અને નવી પદ્ધતિને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી નથી. સવાલ એ થાય કે વિદ્યાર્થીઓ અદાલતે ન ગયા હોત તો શિક્ષણવિભાગને પોતાની પદ્ધતિમાં રહેલી કસર દેખાત? શક્ય છે કે શિક્ષણવિભાગ એ જ પદ્ધતિને ‘નિષ્ણાતમાન્ય’ અને ‘બધી સારી સંસ્થાઓમાં આમ જ ચાલે છે’- કહીને આગળ ધપાવ્યે રાખત.

આ વર્ષે ગુજરાતના શિક્ષણવિભાગ પાસે મેરિટની નવી ફોર્મ્યુલા તૈયાર હતી. તેની સામે વડી અદાલતમાં જાહેર હિતની અરજી થઇ. સામસામી રજૂઆતો પછી ૨૦ જૂનના રોજ મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ જે.બી.પારડીવાલાએ શિક્ષણવિભાગની નવી પદ્ધતિની વિરુદ્ધમાં ચૂકાદો આપ્યો. શિક્ષણવિભાગની મેરિટ ગણવાની નવી પદ્ધતિને તેમણે કાયદા સાથેે વિસંગત ગણાવી અને કાયદાની હદમાં રહીને બીજી પદ્ધતિ સૂચવી. એટલે શિક્ષણવિભાગે ફરી સર્વોચ્ચ અદાલતનું શરણું લીઘું છે.

વડી અદાલતે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મેરિટની ગણતરી બાબતે કાયદાના અર્થઘટન કરતાં શિક્ષણવિભાગનું અર્થઘટન જુદું પડે છે. અહીં ‘કાયદો’ એટલે ગુજરાત પ્રોફેશનલ ટેક્‌નિકલ એજ્યુકેશન કોલેજીસ ઓર ઇન્સ્ટીટ્યુશન્સ (રેગ્યુલેશન્સ ઓફ એડમિશન એન્ડ ફિક્સેશન ઓફ ફીઝ) એક્ટ, ૨૦૦૭. અદાલતે કહ્યું કે શિક્ષણવિભાગની નિષ્ણાતસમિતિ ગમે તેટલી પાવરધી હોય તો પણ તેને કાયદાની ઉપરવટ જવાનો અધિકાર નથી.

‘પર્સન્ટાઇલ સ્કોર’ (વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સાથે સંબંધ ધરાવતો- ક્રમ આધારિત) અને ‘પર્સન્ટાઇલ માર્ક્‌સ’ (પરીક્ષામાં મેળવેલા વાસ્તવિક માર્ક આધારિત) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં અદાલતે કહ્યું કે વિદ્યાર્થીની મેરિટ કેવળ ક્રમના પરિબળને લક્ષમાં રાખીને નક્કી કરી શકાય નહીં. પરીક્ષામાં મેળવેલા માર્કને તેની સાથે અનિવાર્યપણે સાંકળવા પડે. એટલે કે, બોર્ડની અને જોઇન્ટ એન્ટ્રન્સ (જેઇઇ) એમ બન્ને પરીક્ષાના પર્સન્ટાઇલ સ્કોરનો નહીં, પણ પર્સન્ટાઇલ માર્કનો સરવાળો કરીને મેરિટ લીસ્ટ બનાવવું પડે.

‘પર્સન્ટાઇલની ગણતરીમાં ટાઇ પડે- બે કે વઘુ વિદ્યાર્થીઓના એકસરખા પર્સન્ટાઇલ થાય- ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં મેળવેલા માર્કના આધારે ક્રમ નક્કી કરવો’ - એવો સિદ્ધાંત શિક્ષણવિભાગે સ્વીકાર્યો હતો અને નિષ્ણાતોએ પણ સૂચવ્યો હતો. તેનું વ્યાપક અર્થઘટન કરતાં અદાલતે કહ્યું કે ફક્ત ટાઇ પડે ત્યારે જ શા માટે? મેરિટ લિસ્ટમાં પહેલેથી વિદ્યાર્થીના ક્રમનો નહીં, માર્કનો જ આધાર લેવાવો જોઇએ.

પર્સન્ટાઇલ સ્કોર અને પર્સન્ટાઇલ માર્કની ગણતરી અને તેને લગતી દલીલો અલગ લેખનો વિષય છે, પણ એટલું નક્કી છે કે શિક્ષણવિભાગની મમતને કારણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકી પડ્યો છે. યુજીસીના અઘ્યક્ષ હોય કે દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ કે પછી ગુજરાતના શિક્ષણ-બાબુઓ (એજ્યુ-ક્રેટ્‌સ), એ બધાને સૌથી મોટું સુખ એ વાતનું છે કે લાખો વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક વર્તમાન સાથે તે સાગમટે અખતરા કરી શકે છે. બાબુઓેને કે તેમના સાહેબ એવા મંત્રીને તેમના નિર્ણયો ખોટા નિર્ણયો માટે ઉત્તરદાયી ઠેરવી શકાતા નથી. (કારણ કે લોકમત એટલો જાગ્રત હોતો નથી.) જવાબદારીનું ઠેકાણું ન હોય ત્યાં સજા તો બહુ દૂરની વાત છે.

સેલ્ફ-ગોલની હરીફાર્ઇ

કેટલીક લડાઇમાં જેમ બન્ને પક્ષ સાચા હોઇ શકે છે, તેમ કેટલીકમાં બન્ને પક્ષ ખોટા પણ હોઇ શકે છે. ટેક્‌નિકલ ચર્ચામાં ઉતર્યા વિના સાદી નજરે જોનારને ગુજરાતના શિક્ષણવિભાગની રીત અને તેનો વિરોધ કરનારની દલીલો- બન્ને વજૂદવાળાં લાગી શકે છે. પરંતુ દિલ્હી યુનિવર્સિટી અને યુજીસીની લડાઇ બીજા પ્રકારની છે. તેમાં બન્ને પક્ષોએ પ્રાથમિક રીતે કાચું કાપ્યું હોવાનું જણાય છે. અલબત્ત, સૌથી પહેલો અને પાયાનો દોષ યુજીસીનો છે.

છેક એપ્રિલ, ૨૦૧૨થી દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ અને યુપીએ સરકારના માનીતા ગણાતા દિનેશસિંઘે ચાર વર્ષના અન્ડરગ્રેજ્યુએટ કોર્સની જાહેરાત કરી હતી. કાગળ પર આ યોજનાની કેટલીક નોંધપાત્ર ખૂબી હતી : આ કોર્સનાં બે વર્ષ કરનારને ડીપ્લોમા, ત્રણ વર્ષ કરનારને એક મુખ્ય વિષય સાથે બેચલરની ડિગ્રી અને ચાર વર્ષ પૂરાં કરનારને વિષય પ્રમાણે બેચલર (ઓનર્સ) અથવા બી.ટેક.ની ડિગ્રી મળવાની હતી. અમેરિકન પદ્ધતિ પ્રમાણેની મોકળાશ ધરાવતા આ અભ્યાસક્રમમાં પહેલાં બે વર્ષમાં મુખ્ય (મેઇન) અને ગૌણ (માઇનર) વિષય ઉપરાંત અવનવા સામાન્ય વિષયોના ૧૧ ફાઉન્ડેશન કોર્સ કરવાના હતા. તેમાં ભાષા-સાહિત્ય-સર્જકતા, આઇ.ટી., ભારતીય ઇતિહાસ-સંસ્કૃતિ, ગાણિતીક ક્ષમતા, ફિલોસોફી-સાયકોલોજી-કમ્યુનિકેશન્સ એન્ડ લાઇફ સ્કીલ્સ વગેરેનો સમાવેશ થતો હતો. તેની પાછળનો આશય એ હતો કે વિદ્યાર્થી મુખ્ય વિષય ઉપરાંત બીજા વિષયોનું પણ ખપજોગું જ્ઞાન મેળવે, જેથી બહારની દુનિયામાં તેને મુશ્કેલી ન પડે.

પરંતુ શું ગુજરાતના કે શું દિલ્હીના બાબુઓ અને મંત્રીઓ ભૂલી જાય છે કે વર્લ્ડ ક્લાસ સીસ્ટમ લાવવાથી આપણો દરજ્જો આપોઆપ ઊંચો જતો રહેતો નથી. તેના અમલ માટે સજ્જ લોકો અને માળખાકીય સુવિધાઓ ન હોય તો, પરદેશમાં ઉત્તમ રીતે ચાલતી વ્યવસ્થા પણ આપણા દેશમાં નિષ્ફળ જાય. દિલ્હી યુનિવર્સિટી સામે મુખ્ય આરોપ એ હતો કે ચાર વર્ષના આ કોર્સને બહુ ઝડપથી અને ઊભડક ધોરણે અમલી બનાવી દેવાયો. આ ઉપરાંત ફાઉન્ડેશન કોર્સમાં આવતા વિષયોના યોગ્ય શિક્ષકો મેળવવાનું સહેલું નથી અને તેમને તૈયાર કરવા માટેનો સમય ન હતો. ૨૦૧૩-૧૪ના શૈક્ષણિક વર્ષમાં ચાર વર્ષના કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઇ ગયો. એ વખતે એવા પણ આક્ષેપ થયા હતા કે ખાનગી કોલેજોને ફાયદો કરાવવા માટે દિલ્હી યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત ગણાતા ઓનર્સ કોર્સને ખતમ કરી નાખવાનું આ કાવતરું છે.

કોર્સ શરૂ થયાના એક વર્ષ સુધી યુજીસીએ નિરાંતની ઉંઘ ખેંચી અને પછી તે સફાળી જાગી. ત્યાર પછીની તેની ભાષા દાદાગીરીની હતી. કોલેજોને આપવાના રૂપિયાની નાણાંકોથળી યુજીસીના હાથમાં હતી. એ જોરે તેણે દિલ્હી યુનિવર્સિટીનો હાથ આમળ્યો અને ચાર વર્ષનો કોર્સ પાછો ખેંચવા હુકમ કર્યો. એટલું જ નહીં, એ કોર્સ ગેરકાયદે છે એવી છાપામાં જાહેરખબર આપી.

દિલ્હી યુનિવર્સિટીનો કોર્સ ગમે તેવો કાચો કે અધકચરો હોય તો પણ, આ તબક્કે યુજીસી દ્વારા થયેલો હુકમ યુનિવર્સિટીની સ્વાયત્તતાનો દેખીતો ભંગ હતો. લાંબી ખેંચતાણ પછી દિલ્હી યુનિવર્સિટીએ કોર્સ બંધ કર્યો છે. નવા કોર્સમાં એક વર્ષ ભણી (બગાડી) ચૂકેલા વિદ્યાર્થીઓ થોડો સમય વિરોધ કરશે. પણ આખા કમઠાણ માટે જવાબદાર લોકો નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે?

ભારતદેશરીતિ પ્રમાણે તો એ શક્ય લાગતું નથી.