Tuesday, September 02, 2008

રેખાઓના ‘અમિતાભ’ : વૃંદાવન સોલંકી

મોરારીબાપુ વિશે ચર્ચા ચાલી જ છે, તો અહીં તેમનું એક ડ્રોઈંગ મુકવાનું મન થયું. દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર વૃંદાવન સોલંકીએ આ ડ્રોઈંગ બનાવ્યું હતું અને તે એ અર્થમાં એક્સક્લુઝીવ છે કે અહીં તે પહેલી વાર પ્રગટ થઇ રહ્યું છે.
વૃંદાવનભાઇ અને તેમનાં પત્ની ચિત્રાબહેનની જોડી જેમણે લગ્ન ન કર્યાં હોય અથવા જે લગ્ન કરવાથી ગભરાતા હોય, એવા લોકોને લગ્ન કરવાની પ્રેરણા (કે હિંમત!) આપે એવી મસ્ત છે.

મિત્ર બિનીત મોદીને કારણે અમારો સંપર્ક બહુ ગાઢ બન્યો. આ ચિત્ર પણ બિનીત અને વૃંદાવનભાઈના સૌજન્યથી અહીં મુકી શકાયું છે. ‘આરપાર’ના અમે તૈયાર કરેલા સરદાર વિશેષાંકના ટાઇટલ માટે સરદારનો સ્કેચ વૃંદાવનભાઇએ બનાવ્યો હતો અને સરદાર વિશેના મારા પુસ્તકમાં તેમણે પ્રેમપૂર્વક રાષ્ટ્રીય નેતાઓનાં અનોખા સ્કેચ બનાવ્યા હતા. વૃંદાવનભાઈનાં ચિત્રો લાખો રૂપિયામાં વેચાય છે, પણ અંગત વ્યવહારમાં તે અને ચિત્રાબહેન અત્યંત પ્રેમાળ અને ઉષ્મા છલકતાં છે.
વૃંદાવનભાઇનો વઘુ પરિચય મેળવવા ઇચ્છતા મિત્રો આ મહિનાનો ‘આહા! જિંદગી’નો અંક મેળવી લે. તેમાં મારા મોટા ભાઇ બીરેન કોઠારીએ વૃંદાવનભાઇનો પ્રોફાઇલ કર્યો છે. જેમને આ મેગેઝીન સુલભ ન હોય, તે જાણ કરશે તો બીરેન પાસેથી મેળવીને આ લેખની પીડીએફ મોકલી આપીશ.

1 comment:

  1. રેખાઓના ‘અમિતાભ’...Nice Title...and I would love to read the profile article of Mr. Vrundavanbhai...Please tell Birenkaka to send me the same...Thanks.

    ReplyDelete