Friday, August 01, 2008

આંખનું કાજળ ગાલે # 2 : 26 તારીખના ધડાકા અને સૂરસૂરિયાં


અમદાવાદમાં 26 જુલાઇના રોજ બોમ્બધડાકા થયા, તેના બીજા દિવસે ‘દિવ્ય ભાસ્કર’ના પહેલા પાને એક લખાણ પ્રગટ થયું હતું. ત્યાર પછી અમદાવાદ સહિત ગુજરાતમાં એસએમએસ પણ ફરતા થઇ ગયા. તેનો સૂર હતોઃ બધી ખરાબ ઘટનાઓ 26મી તારીખે જ બને છે. કેવો યોગાનુયોગ?
પણ યોગાનુયોગ ઊભો કરવાના ઉત્સાહમાં જબરો ગોટાળો થયો. બે ન ભૂલાય એવી તારીખો ખોટી લખાઇ. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવવાની તારીખ હતીઃ 27 ફેબ્રુઆરી. એ જ રીતે મુંબઇ બોમ્બબ્લાસ્ટની તારીખ હતીઃ 11 જુલાઇ. છતાં એ બન્ને બનાવો 26 તારીખે બન્યા હોવાનું ભાસ્કરના છપાઇ ગયું અને એસએમએસ પણ ફરતા થઇ ગયા.
આ દુર્ઘટના 26મીએ નહીં, પણ 27મી એ બની!

No comments:

Post a Comment