Showing posts with label sedition. Show all posts
Showing posts with label sedition. Show all posts

Friday, February 26, 2016

સગવડીયા સરળીકરણનું મહાસુખ

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશવિરોધી સૂત્રોચ્ચારોથી શરૂ થયેલો વિવાદ પૂરા કદની રાષ્ટ્રિય હુંસાતુંસીમાં ફેરવાઇ ગયો છે. એવું થાય ત્યારે વિગતો ગૌણ અને છાપ મુખ્ય બની જાય છે. છાપના આધારે શબ્દયુદ્ધો લડાય છે, દેશપ્રેમ-દેશદ્રોહની, સેક્યુલરિઝમ- કમ્યુનાલિઝમની સાથળપછાડ થાય છે. વિગતોના નામે અમે માંડ સો જણ ને સામે ત્રણનું ટોળુંજેવી રજૂઆતો થાય છે. આંખે રાજકીય વફાદારીના પાટા બાંધેલા લોકો માટે વિગતોનું મહત્ત્વ પોતાને અનુકૂળ ભાગ તારવી લેવા જેટલું અને એક અંશને આખા ચિત્ર તરીકે રજૂ કરી શકાય એટલા પૂરતું જ હોય છે. 

જેએનયુ/JNU વિવાદનો ઉલ્લેખ થાય એટલે એક સમુદાય તતડીને કહે છે,‘દેશવિરોધી નારાનો અમે નહીં ચલાવી લઇએ. એવી વાતોનો બચાવ કરનારા દેશદ્રોહીઓને પણ અમે નહીં સાંખી લઇએ.’  દેશવિરોધી નારાનો વિરોધ થવો જ જોઇએ, એવું ભાજપ-સંઘ પરિવારની વિચારસરણીથી અળગા રહેલા કે તેના વિરોધમાં રહેલા લોકો પણ કહ્યું જ છે. એમની વાત જવા દો, જેની સામે રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડાયો એ કનૈયાકુમારે પણ તેના ભાષણમાં કહ્યું હતું કે ભારતવિરોધી નારાબાજી સાથે તે સંમત નથી અને એવી નારાબાજી યોગ્ય નથી.

તેમ છતાં, કનૈયાકુમારની રાજદ્રોહના આરોપસર ધરપકડ થઇ. એવું થવાનાં સંભવિત કારણ : પહેલું તો એ કે સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓની ઓળખ વિડીયોમાં થતી ન હતી. (એટલે એ આરોપ બદલ ગમે તેની ધરપકડ કરી શકાય) બીજું, કનૈયાકુમારે આપેલું ભાષણ રાષ્ટ્રવાદના બહાને કોમવાદી કે સંકુચિત રાજકારણ ખેલનારાને મરચાં લાગે એવું હતું. (અલબત્ત, તેમાં વાંક ભાષણનો કે મરચાં ન ગણાય. કેમ કે, આખેઆખું ભાષણ દેશના બંધારણ અને કાયદાની પૂરી આમન્યા રાખીને અપાયેલું હતું.) ત્રીજું, દિલ્હીમાં પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળની હતી અને ઘણા પોલીસ અફસરોને પોતાના રાજકીય સાહેબોને અનુકૂળ પગલાં લેવાની ફાવટ હોય છે. સાહેબોનો સીધો આદેશ ન હોય તો પણ, સાહેબને શું ગમશે ને શું નહીં ગમે એ અધિકારીઓ બરાબર સમજતા હોય છે.

સૂત્રોચ્ચાર કરનારા લોકો ન પકડાયા, એટલે જાડા નરને શૂળીએ ચડાવવાના અંધેરી નગરી ન્યાયપ્રમાણે કનૈયાકુમારને ઝડપી લેવાયો. તેની પર રાજદ્રોહના આરોપ માટે કશો દેખીતો આધાર ન હોવાથી, ધરપકડને વાજબી ઠરાવી શકાય એવી સામગ્રીની તાતી જરૂર ઊભી થઇ. દરમિયાન કેટલીક ચેનલોના ઉત્સાહી એન્કરોએ દેશવિરોધી સૂત્રોચ્ચારના મુદ્દે એવું ધાંધલ મચાવ્યું હતું કે એ લોકો ઇંદિરા ગાંધીની કટોકટી વખતે મોજૂદ હોત તો કયા પક્ષે ઊભા હોત, તે સહેલાઇથી ધારી શકાય. પોતાની જાતને રાષ્ટ્રવાદીગણાવતાં જૂથોને પણ સરસ મોકો મળી ગયો-- પોતાના તમામ વિચારવિરોધીઓને રાષ્ટ્રવિરોધી, દેશદ્રોહી કે તેમની પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તરીકે ચીતરવાનો.

પરિણામ એ આવ્યું કે કનૈયાકુમાર સામે રાજદ્રોહ કેવી રીતે લગાડી શકાય, એવું પૂછનાર સૌને દેશદ્રોહી ઠેરવવાની ઝુંબેશ ચાલી. કનૈયાકુમારના ભાષણની મૂળ વિડીયો સાથે ચેડાં કરવામાં આવ્યાં. તે બોલતો હોય એવા ફોટોમાં પાછળ ખંડિત ભારતનો નકશો ફોટોશૉપ વડે લગાડી દેવાયો. પરંતુ આ તરકીબો એકદમ સસ્તી અને સડકછાપ પુરવાર થઇ. સામે પક્ષે, કનૈયાકુમારનું ઉપરાણું તાણનારા લોકોએ એવું સાબીત કરવાનો પ્રયાસ કર્યો કે દેશદ્રોહી નારા હકીકતમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના લોકોએ લગાડ્યા હતા. આ દાવો પણ કહેવાતા વિડીયો પુરાવા છતાં, અવિશ્વસનીય જ લાગ્યો.

આટલી વાત પછી, પોતાની વિચારશક્તિ એકેય વિચારધારા કે રાજકીય પક્ષને ગીરવે ન મૂકી હોય એવા લોકો માટે સાદો સવાલ : ભારતવિરોધી નારાની કનૈયાકુમાર પણ ટીકા કરે છે અને રાષ્ટ્રવાદીઓ પણ ટીકા કરે છે. તો કનૈયાકુમાર કેવી રીતે દેશદ્રોહી થયો? તેની સામે રાજદ્રોહનો આરોપ કેવી રીતે લગાડી શકાય? અને તેની ધરપકડ સામે સવાલ ઉઠાવનારા દેશદ્રોહી કે દેશદ્રોહીના ટેકેદાર કેવી રીતે થાય

રાષ્ટ્રવાદીઓને આ સવાલ પૂછવામાં આવે ત્યારે તે જવાબ આપવાને બદલે ધૂણવા માંડે છે : એ ગમે તે હોય, પણ રાષ્ટ્રવિરોધી નારાબાજી નહીં ચલાવી લેવાય.બરાબર છે, ભાઇ. એ બાબતે આપણી એકમતી. પરંતુ જેણે નારાબાજી કરી નથી--હજુ સુધી તો એવું જણાયું નથી--એવા કનૈયાકુમારની ધરપકડનું, એની પર લાગેલા રાજદ્રોહના આરોપનું શું? એ વિશે તો કંઇક કહો? ‘રાષ્ટ્રવિરોધી નારાબાજી નહીં ચાલેએવો મંત્ર બોલવાથી ગમે તેવો અન્યાય કે ગમે તેવી ગુંડાગીરી વાજબી ઠરી જાય? લાગલગાટ બે દિવસ સુધી અદાલતના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ પર-પત્રકારો પર અને કનૈયાકુમાર પર વકીલોએ હુમલા કર્યા. આ ગુંડાગીરી બદલ બીજા કેટલાકે તેમનું રીતસર સન્માન કર્યું અને અખબારમાં તેના અહેવાલ આવ્યા. હુમલો કરનાર એક વકીલે એ મતલબની જાહેરાત કરી કે દેશદ્રોહીઓને પાઠ શીખવાડવો એ ગુંડાગીરી ગણાતી હોય તો હું ગુંડો છું.

તેમના વાક્યનો ઉત્તરાર્ધ પ્રામાણિક એકરાર તરીકે સરસ છે, પણ પૂર્વાર્ધમાં ઘણા પ્રશ્નો છે. દેશપ્રેમ એટલે શું? દેશવિરોધી નારા લગાડનારા સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે, કાયદો હાથમાં લઇ લેવો અને ગુંડાગીરી પર ઉતરી જવું? કે દેશપ્રેમ એટલે દેશના કાયદો-બંધારણને માન આપવું તે? દેશ એટલે પક્ષ-વિચારધારા? કે દેશ એટલે બંધારણ? રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર ન થાય અને એ કરનાર સામે યોગ્ય પગલાં લેવાં જોઇએ, એ વિશે આપણી વચ્ચે એકમત છે. ત્યાર પછી સાચા દેશપ્રેમીઓને દુઃખ થાય એવું કશું બન્યું જ નથી? અદાલતના પ્રાંગણમાં વકીલો કાયદો હાથમાં લઇ લે, ત્યારે દેશપ્રેમીઓને આ દેશનું શું થશેએની ચિંતા કેમ થતી નથી? એટલા માટે કે કાયદો હાથમાં લેનારા આપણી વિચારધારાવાળા છે? અને એમની ગુંડાગીરી આપણને માફક આવે એવી છે?

વ્યક્તિવાદ કે વિચારધારાના ભક્તો લાગ જોઇને દેશદ્રોહ કરતાં તો ભક્તિ સારીએવું જાહેર કરવા લાગ્યા. ભક્ત તરીકેની શરમ ઢાંકવાનો આ પ્રયાસ, વિડીયોમાં થયેલાં ચેડાં જેવો જ, સસ્તો ને હાસ્યાસ્પદ હતો. બીજા કેટલાકે એવી દલીલ રજૂ કરી કે દેશદ્રોહીઓના ટેકામાં આટલા બધા માણસો ઉતરી પડ્યા, એની નવાઇ લાગે છે.પરમભક્ત અનુપમ ખેર જેવાએ એવું પણ લખ્યું કે અત્યારે પેસ્ટકન્ટ્રોલચાલે છે, એટલે કીડામંકોડા ગભરાઇને બહાર આવી રહ્યા છે.

આવું કહેનારામાંથી જે પક્ષપ્રચારકો છે, તેમની પાસેથી કશી અપેક્ષા નથી. તેમને આ પોતાના વિચારવિરોધીઓને દેશદ્રોહી ચીતરવાનો મોકો લાગે છે. સવાલ ભક્ત ન હોય એવા સૌ નાગરિકો માટે છે : શું સોલી સોરાબજી જેવા બંધારણવિદ્‌ રાજદ્રોહ જેવા ગંભીર મુદ્દે બંધારણનું વલણ સ્પષ્ટ કરે, તો એ દેશદ્રોહી છે? અને વગર આધારે કનૈયાકુમાર સામે રાજદ્રોહ લગાડાયા છતાં, તેને અને તેનો પક્ષ રજૂ કરનારને દેશદ્રોહી ઠરાવવા એ રાષ્ટ્રવાદ છે?


દરેક વખતે નિર્દોષનું નામ કનૈયાકુમાર હોય એ જરૂરી નથી. એ જગ્યાએ તમારું નામ મૂકીને પણ આ સવાલ વિચારી જોજો.

Wednesday, February 17, 2016

JNU વિવાદ : જરા હટકે, જરા બચકે

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અફઝલ ગુરુ અને મકબૂલ ભટને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારની તરફેણમાં એક કાર્યક્રમ યોજાયો. નિમિત્તે ડાબેરી વિચારધારા ધરાવતાં વિદ્યાર્થીજૂથો અને ભાજપની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે ઘર્ષણ થયું. સૂત્રોચ્ચાર થયા. તેમાં કેટલાક લોકોએ કાશ્મીરની આઝાદીની તરફેણમાં અને ભારતવિરોધી સૂત્રો પોકાર્યાં. મામલે થયેલી ફરિયાદ પછી પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના નેતા કનૈયાકુમારની સામે રાજદ્રોહનો આરોપ લગાડ્યો અને તેમની ધરપકડ કરી.

આટલો ઘટનાક્રમ જુદા જુદા વૈચારિક રંગ ધરાવતા દાવા અને અહેવાલોમાંથી મહદ્ અંશે સર્વસામાન્ય તારવી શકાય એમ છે. માટે, પહેલાં વિશે વાત કરીએ. અફઝલ ગુરુ સંસદ પર હુમલાના ગુનેગાર તરીકે સર્વોચ્ચ અદાલત તરફથી ફાંસીની સજા પામ્યો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે કાયદા અને બંધારણની હદમાં રહીને વાંધો પાડવાની જોગવાઇ હોય છે. એનો ઉપયોગ કર્યા પછી પણ, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય બદલાય તો, ગમે તેટલો અન્યાયબોધ થવા છતાં, ચુકાદો માન્ય રાખવો પડેકારણ કે, રમતના નિયમ--દેશના કાયદા અને બંધારણનો--નો ભાગ છે. નિયમો સ્વીકારીએ તો, પછી સંવાદ અશક્ય બની જાય.

બીજી વાત : સામાજિક ન્યાયના અને નીતાંત રાજકીય ચરિત્ર ધરાવતા મુદ્દાની ભેળસેળથી બચવું જોઇએ. કાશ્મીરની આઝાદીનો મુદ્દો રાજકીય છે. કાશ્મીરને ભારતથી અલગ પડવાનો અધિકાર છે અને કાશ્મીરીઓ ઇચ્છે તો ભારતથી અલગ પડી શકે--એવી લાગણી દેખીતી રીતે સરકારવિરુદ્ધ નહીં, દેશવિરુદ્ધ ગણાય એવી છે. કાશ્મીરીઓ બહેતર સુવિધાઓથી માંડીને ભારતીય લશ્કરના વ્યવહાર અંગેના કોઇ પણ મુદ્દે સરકાર સામે આંદોલન કરી શકે. વખતે એમની ભૂમિકા ભારતના નાગરિક તરીકેની રહે છે. પરંતુ ભારતના નાગરિક તરીકે રહેવા તૈયાર હોય અને અલગ અસ્તિત્ત્વની માગણી કરતા હોય, ત્યારે કોઇ પણ પક્ષની ભારતીય સરકાર તેમની માગણી મંજૂર રાખી શકે નહીં. પાકિસ્તાન જેવા જૂની શત્રુવટ ધરાવતા પાડોશી દેશ સાથે કાશ્મીર ભૌગોલિક રીતે જોડાયેલું હોય ત્યારે તો ખાસ નહીં. મુદ્દે સમજાવટ કરી શકાય એટલી કોરી પાટી હવે રહી નથી.

ત્રીજી વાત : કોઇ પણ શિક્ષણસંસ્થા અલગતાવાદી ચળવળોને પ્રોત્સાહન આપવા માટેની જગ્યા બની શકે. JNUમાં ભણતા છત્તીસગઢના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં સરકારી દળોના અત્યાચારો સામે કે આદિવાસીઓ પર થતી જોરજુલમી સામે વાંધો હોય, તો એની ચર્ચા યુનિવર્સિટી કૅમ્પસમાં થઇ શકે. કાશ્મીર મુદ્દો સમજવાના આશયથી, તેની આઝાદીની માગણીની ચર્ચા પણ થઇ શકે. પરંતુ દિલ્હીમાં ભણતા કાશ્મીરના વિદ્યાર્થીઓ દેશથી અલગ થવાના આંદોલનને કૅમ્પસમાં લાવવા ઇચ્છતા હોય, કંઇક અંશે જે ડાળી પર બેઠા હોઇએ તેને કાપવા જેવું લાગે છે. પોલીસે પણ રાજકીય સાહેબો કહે તેમ નહીં, પણ જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને, કાયદા મુજબનાં પગલાં લેવાં પડે. કેમ કે, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર પણ દેશના બંધારણ-કાયદાની હદમાં રહીને ભોગવી શકાય. અલગતાની તરફેણ અને તેના માટેના સૂત્રોચ્ચાર એમાં શી રીતે આવે? આપણે ઇચ્છીએ કે દેશ એટલો મજબૂત-એકજૂથ બને કે જેથી આવાં સૂત્રો પોકારનારની ઉપેક્ષા કરવાનું પરવડે. પરંતુ અત્યારના સંજોગોમાં શક્ય કે ઇચ્છનીય લાગતું નથી.

આટલી પાયાની સ્પષ્ટતાઓ પછી, ફરી JNUની વાત.

() ભારતવિરોધી અને કાશ્મીરની આઝાદીતરફી સૂત્રોચ્ચારને કેવળ સહાનુભૂતિ તરીકે નજરઅંદાજ કરી શકાય એવો સતયુગ નથી ને તેને ગમે તેમ કરીને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ તરીકે પુરવાર કરવાની ઉતાવળ પણ હોવી જોઇએ. પક્ષીય કે વિચારધારાકીય ચશ્માને બદલે, ફક્ત કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ ઘટનાને જોવી પડે.

() જેની સામે રાજદ્રોહનો આરોપ લગાડીને ધરપકડ કરવામાં આવી છે, વિદ્યાર્થી સંગઠનનો આગેવાન કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રો બોલ્યો હોવાનું ક્યાંય જોવા મળ્યું નથી. ટીઆરપી-ભક્ત ટીવી એન્કરો પણ એવું પુરવાર કરી શક્યા નથી કે સૂત્રો કનૈયાકુમારે ઉચ્ચાર્યાં હતાં. ઉલટું એક વિડીયોમાં એવો આરોપ થયો છે કે ખુદ ABVPના કેટલાક વિદ્યાર્થીઓ પણ દેશવિરોધી સૂત્રોચ્ચારમાં સામેલ હતા (જેથી મામલો જરા સંગીન બને) આરોપનો ABVP જોકે ઇન્કાર કર્યો છે.

કનૈયાકુમારે સૂત્રો પોકાર્યાં હોય અને કેટલાક અહેવાલ પ્રમાણે તે આયોજક પણ હોય, તો  રાજદ્રોહના આરોપસર ફક્ત તેમની ધરપકડ શા માટે કરવામાં આવીતેનો એક સંભવિત જવાબ, કનૈયાકુમારે આપેલા ભાષણમાંથી મળી રહે છે. ધરપકડના થોડા કલાક પહેલાં કનૈયાકુમારે સંઘ પરિવારની વિચારધારાની આકરી ઝાટકણી કાઢી હતી. (ભાષણની આખી વિડીયો)  તમતમતા ભાષણમાં એમણે દલિત વિદ્યાર્થીઓની ફેલોશીપો બંધ કરી દેવાથી માંડીને બજેટમાં મુકાયેલા આર્થિક કાપ વિશે વિરોધ વ્યક્ત કર્યો હતો (તેની વાત સ્વાભાવિક રીતે કોઇ કરતું નથી.) ભાષણમાં ડગલે ને પગલે દેશના કાયદાને- બંધારણને માન આપવાની અને સામાજિક ન્યાય ખાતર સંઘર્ષ કરવાની વાત આવતી હતી. તેમાં ક્યાંય હિંસાની, ઉશ્કેરણીની કે દેશના બંધારણ-કાયદાના અસ્વીકારની વાત આવતી નથી. હા, એમાં સંઘ પરિવારની કોમવાદી વિચારસરણીની અને કેટલીક સરકારી નીતિઓની કડક ટીકા છે. તો જેણે દેશવિરોધી સૂત્રો પોકાર્યાં નથી ને ફક્ત સંઘની-સરકારની ટીકા કરી છે, તેની સામે રાજદ્રોહ શી રીતે લગાડી શકાય? અને તેને શી રીતે વાજબી ઠરાવી શકાય?

JNUમાં જેમની ઓળખ હજુ સ્પષ્ટ થઇ હોય એવા થોડા વિદ્યાર્થીઓ દેશવિરોધી સૂત્રો બોલે ગંભીર બાબત છે. પરંતુ એટલી કે એથી પણ વધારે ગંભીર બાબત નિમિત્તે JNU જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પર થયેલા સુવ્યવસ્થિત હલ્લાની છે. છૂટક રાષ્ટ્રવાદના જથ્થાબંધ વેપારીઓ બારોબાર જેએનયુ બંધ કરી દેવાની માગણી કરે કે JNU દેશવિરોધીઓનો અડ્ડો બની ગઇ છે, એવા આરોપ કરે ત્યારે તેમાં દેશની ચિંતા નહીં, પોતાની બ્રાન્ડના રાજકારણ સામેના પડકારોના નાબૂદ કરવાની ઉતાવળ દેખાય છે

રોહિત વેમુલાને આત્મહત્યા કરવી પડે ત્યારે જ્ઞાતિવાદનો અડ્ડો બનેલી શિક્ષણસંસ્થાઓને તાળાં મારી દેવાં જોઇએ, એવું સ્યુડો-દેશપ્રેમીઓ કહેતા નથી. પરંતુ ડાબેરી વિચારસરણીના છેલ્લા ગઢ જેવી JNUના ઉલ્લેખમાત્રથી તે દેશભક્તિના પોકારો કરતા ધૂણવા લાગે છે. તેમનો વાંધો JNUમાં રાજકારણની બોલબાલાનો નહીં, પણ રાજકારણ પોતાની બ્રાન્ડનું નથી એનો છે. નિમિત્તે JNUનાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોને (હરીફોને) સાગમટે દેશદ્રોહી ઠરાવી દેવાની પ્રચારઝુંબેશ પુરબહારમાં ચાલી રહી છે. વખતે સંઘના પ્રમાણપત્રની ગરજ ધરાવતા દેશપ્રેમી નાગરિકોએ હા ભાઇ, દેશવિરોધી સૂત્રો તો ચાલે ને. JNU તો છે એવી. એવા અતિસરળીકરણથી અને કોઇના રાજકારણનાં પ્યાદાં બનવાથી બચવા જેવું છે.