Tuesday, March 27, 2018

જાહેર જીવનમાંથી રાજકારણનું 'ડિસઇન્વેસ્ટમેન્ટ'

સાદા શબ્દોમાં તેને બાદબાકી પણ કહેવાય. છતાં, શરૂઆત તરીકે જાહેર જીવનમાંથી રાજકારણનો હિસ્સો ઓછો થાય તેની આ વાત છે. જેમ આખી સરકારની માલિકીની કંપનીનો અમુક હિસ્સો ખાનગી કંપનીઓને વેચવામાં આવે છે-ડિસઇન્વેસ્ટ કરવામાં આવે છે, એવી રીતે જાહેર જીવનમાં સંપૂર્ણપણે ઘુસી ગયેલા અને વાઇરસની જેમ ફેલાઈ ગયેલા પક્ષીય રાજકારણને ધીમે ધીમે કરીને કાઢી શકાય?

આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં એ હકીકતનો અહેસાસ કરવો પડે કે હવે જાહેર જીવન અને પક્ષીય રાજકારણ એકાકાર બની ગયાં છે. બંને વચ્ચે અડીખમ-અભેદ્ય દિવાલ તો ક્યારેય ન હતી, હવે સમ ખાવા પૂરતી આડશ પણ રહી નથી. આ પરિસ્થિતિ પક્ષીય રાજકારણમાં રાચતા લોકોને સૌથી વધારે ફાયદાકારક અને નાગરિકો તથા લોકશાહી માટે સૌથી વધારે નુકસાનકારક છે. તેનો અહેસાસ પક્ષોની કે નેતાઓની વફાદારીમાં મગ્ન એવા નાગરિકોને ન થાય, તે ઓર ચિંતાજનક છે.

જાહેર જીવન એટલું શું? અને તેમાં ક્યાં ક્યાં ઘુસી ગયું છે રાજકારણ? આ કૉલમની અત્યાર સુધીની સફરમાં એક યા બીજા પ્રકારે પક્ષીય રાજકારણને બદલે નાગરિકધર્મની ભૂમિકા ચીંધવાનો પ્રયાસ થતો રહ્યો છે. તેના સંદર્ભે આગળ મુકાયેલા સવાલ વિશે વધુ એક વાર, બને એટલી સાદીસરળ રીતે વિચારી જોઈએ. આ કવાયત એટલા માટે જરૂરી છે, કારણ કે આપણને-નાગરિકોને વધુમાં સ્પર્શતા મોટા ભાગના મુદ્દા જાહેર જીવનના છે, પણ આપણે તેમને રાજકારણના ગણીને, એ પ્રમાણે સામસામી બાંયો ચડાવીએ છીએ. સરવાળે, એ નાગરિકી સુવિધાની કે અપેક્ષાઓની ચર્ચા નહીં, રાજકીય વફાદારીની લડાઈ બની જાય છે.

દાખલા તરીકે, શિક્ષણ. ખાનગી શાળાઓમાં બેફામ ફી ન લેવાય, ડિગ્રીઓ વહેંચતી કૉલેજોમાં અને અઢળક નાણાં ખંખેરતી નિશાળોમાં શિક્ષકોની ગુણવત્તાનાં ધોરણ જળવાવાં જોઈએ. એક સમયે ટ્યુશનક્લાસમાં થતું હતું, એવું હવે ખાનગી કૉલેજોમાં થતું સાંભળવા મળે છેઃ પૂરી લાયકાત ધરાવતા શિક્ષક નહીં, આગલા વર્ષોમાં ભણાવી ગયેલા વિદ્યાર્થીઓ જ કેટલીક ‘જવાબદારી’ સંભાળી લે. તેમને મામુલી તો મામુલી, શિક્ષણને અનુરૂપ નહીં તો એમ સહી, પણ રોજગારી મળી જાય—અને રૂપિયા ખંખેરવા બેઠેલી શિક્ષણસંસ્થાઓની ટીચિંગ સ્ટાફની ઘટ સાવ સસ્તામાં પુરાઈ જાય. આ પરિસ્થિતિમાં નુકસાન કોને છે? નાગરિકોને. કારણ કે તેમને સંતાનોના શિક્ષણ પાછળ અઢળક નાણાં ખર્ચવાં પડે છે અને બદલામાં સારું શિક્ષણ મળતું નથી. એટલે તે અઢળક રૂપિયા ખર્ચીને પણ રોજગારક્ષમ બની શકતા નથી.

તો આ મુદ્દે વાલી તરીકે અથવા નાગરિક તરીકે વિરોધ કરવામાં પક્ષીય રાજકારણ ક્યાં આવ્યું? તમે સત્તાધારી પક્ષના સમર્થક છો? તો વધુ સારું. તમે જેને તમારી સરકાર ગણો છો, તેની પર દબાણ આણો. તેને સમજાવો કે અમે તમારા રાજકીય સમર્થક છીએ, વર્ષોથી તમારા મતદાર છીએ. બદલામાં તમે અમારું આટલું જરૂરી, અગત્યનું અને તમને રાજકીય રીતે કશું નુકસાન ન થાય, એવું કામ પણ નહીં કરો?
જો તમે આ મુદ્દે સરકાર પાસે નાગરિકહિતનું કામ કરાવી શકો, તો કયો વિરોધ પક્ષનો મતદાર પણ નારાજ થવાનો? સીધી વાત છેઃ છોકરાંની ફી ઘટે તેમાં બધા એકસરખા રાજી થાય. એવી જ રીતે, સરકાર ગામમાં ખોટેખોટાં પાટિયાં ચડાવી દે, જાતે ને જાતે પોતાનો વાંસો થાબડી લે, પણ સરવાળે આપણું કશું ભલું ન થાય, તો બધાએ દુઃખી થવું પડે કે નહીં? સરકારનો કાન ભેગા થઈને આમળવો પડે કે નહીં? તેમાં કોંગ્રેસ-ભાજપ ક્યાં આવ્યાં?

એવો જ સવાલ પંચાયત-મ્યુનિસિપાલિટી-કૉર્પોરેશનના સ્તરે થતાં કામનો, જે આપણી રોજિંદી જિંદગીમાં મોટો હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન ને મુખ્ય પ્રધાન જે બને તે, મોટા ભાગના નાગરિકો માટે ફળિયાનો કે સોસાયટીનો કોર્પોરેટર કોણ છે ને કેવો છે, તે વધારે અગત્યનું છે. એ માણસો (ભાઈ કે બહેન) કામ કરી શકે અને કરાવી શકે એવાં જોઈએ. પોતાના વૉર્ડના લોકો સાથે તેમનો મત લેવા ઉપરાંતનો સંબંધ પણ હોવો જોઈએ. એ સ્તરે કોંગ્રેસ-ભાજપના આધારે, નરેન્દ્ર મોદી-અમિત શાહ ને રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના ફોટા પ્રચારમાં વપરાવા લાગે, તેમના નામે મત માગવામાં અને આપવામાં આવે, તે નાગરિકો માટે ખતરનાક છે. મોદી-શાહના કે ગાંધી-ગાંધીના ફોટા જોઈને મત ધરબી દીધા પછી સોસાયટીમાં રોડનું કે સ્ટ્રીટલાઇટનું કામ પડશે ત્યારે કોને ફોન કરશો? મોદીને? ગાંધીને? કે પછી કૉર્પોરેટરને? તો પછી મત કોનું મોઢું (પક્ષ નહીં, મોઢું) જોઈને આપવો પડે?

રાજકીય પક્ષોની સરકારો જશભૂખી અને મતભૂખી છે. ચાલો, એટલું માફ. પણ એ મેળવવા માટે તેમણે કામ તો કરવું પડે કે નહીં? આપણે નાગરિક તરીકે એટલા બધા ગાફેલ ને ઘેલા કે કામ કરવાને બદલે એ લોકો આપણી બે-ચાર દુઃખતી નસો દબાવીને ચૂંટણી વખતે આપણો મત કઢાવી જાય? રાજકીય રીપોર્ટિંગના જાણકારો કહે છે કે સરકારો ગમે તે પક્ષની હોય, મોટા ભાગનું રાજ અધિકારીઓ ચલાવે છે. સામાન્ય સંજોગોમાં એ સારી વાત ગણાવી જોઈએ. કારણ કે તેનો અર્થ તો એવો થયો કે સરકાર ગમે તે હોય, સમાજનો બિનરાજકીય હિસ્સો ગણાતા અધિકારીઓ ઇચ્છે તો ઘણું સારું કરી શકે અને ખોટું થતું અટકાવી ન શકે તો પણ તેનાથી પોતે દૂર રહી શકે. એવા ઇમાનદાર અને કાર્યક્ષમ અફસરો તંત્રમાં હોય છે, પણ તેમનું પ્રમાણ એક કોળા સામે એક ટમેટા જેવું હોય છે.

નાગરિક તરીકે આપણે ફક્ત નેતાઓને બધો ‘લાભ’ આપવાને બદલે જવાબદાર સરકારી અફસરો પાસેથી પણ હિસાબ માગવો જોઈએ. તેમની નોકરીમાં સાહેબને વહાલા થવાનો સમાવેશ થતો નથી અને નિવૃત્ત થયા પછી, સાહેબોની કૃપાદૃષ્ટિ ન પડે અને બીજે ક્યાંય ગોઠવાય નહીં, ત્યારે તેમના ડહાપણની સમાજને જરૂર નથી. (સિવાય કે એ સાચા દિલના પસ્તાવાનું પરિણામ હોય.) તેમણે નોકરીમાં હોય ત્યારે જ એ સુવિચાર કરવાની ને અમલમાં મુકવાની જરૂર છે. આ સરકારી અફસરો આપણામાંથી જ કોઈના સગાવહાલામિત્રોસ્નેહીઓ હોય છે. ભ્રષ્ટાચાર કરીને અઢળક રૂપિયા કમાયેલા અફસરો પ્રત્યે આપણે કેવો ભાવ રાખીએ છીએ? તેમનાં કરતૂતોથી દુઃખી થઈએ છીએ કે આડા રસ્તે આવેલી તેમની દોમ દોમ સાહ્યબીથી આપણે અંજાઈ જઈએ છીએ?

પાણી અને વીજળીની સમસ્યાઓથી માંડીને સરકારી યોજનાઓના અમલીકરણ અને મહેસુલ ખાતા જેવાં કેટલાંક ખાતાંના સરકારી દફતરોમાં ચાલતી ભયંકર અરાજકતા નરેન્દ્ર મોદીની ધાકથી કે રાહુલ ગાંધીની પ્રેરણાથી દૂર થઈ જશે? એવું માનવું ભોળપણ છે કે મૂર્ખામી, તે જાતે નક્કી કરી લેવું. આપણી  રોજિંદી બાબતોમાંથી મોટા ભાગની રાજકીય મોટાસાહેબોના નહીં, આપણા જેવા-આપણામાંના લોકોના હાથમાં હોય છે. તેને કોંગ્રેસ-ભાજપના રંગે રંગવાનું ટાળીને, સહિયારા, બિનરાજકીય ઉકેલ માટે પ્રયાસ કરીએ, એવી આશા-અપેક્ષા સાથે અલવિદા

('દિવ્ય ભાસ્કર'ના તંત્રીપાને દર મંગળવારે આવતા મુખ્ય લેખનો સિલસિલો આજના આ લેખ સાથે સમાપ્ત થાય છે. નાગરિકધર્મની આ સફર આગળ ક્યાં ચાલુ રહેશે, તે જણાવીશ. આભાર.)

Saturday, March 24, 2018

જીવનના નવા વળાંકે

૨૫ માર્ચઃ જૂના સમયના જાણીતા પત્રકાર-લેખક નીરુ દેસાઈના નામે શરૂ થઈ રહેલું પત્રકારત્વનું સન્માન મળશે. સમારંભમાં સ્નેહી મિત્રોને આમંત્રણ.
(કાર્યક્રમ આ રવિવારે સવારે ૧૦ વાગ્યે, વેપારી મહામંડળ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ.)

૩૧ માર્ચઃ દિવ્ય ભાસ્કરમાં કાર્યકાળ પૂરો થશે. આ સાથે મિડીયા હાઉસની ઑફિસમાં બેસીને કામ કરવાના લગભગ ૨૩ વર્ષ જૂના સિલસિલા પર પૂર્ણવિરામ મૂકીશ.

૧૯ એપ્રિલ (પહેલાં): પીએચ.ડી.ની ફાઇનલ થીસીસ જમા થઈ જશે.
ત્રણે ઘટનાઓ સાહજિક રીતે આ ક્રમમાં ગોઠવાઈ તેનો આનંદ છે.
***
હવે (એકથી વધુ ઠેકાણે) ફ્રીલાન્સ કોલમલેખન, 
પત્રકારત્વનું શિક્ષણ,
રસના-અભ્યાસના વિષયો પર વક્તવ્યો
અને મનગમતા વિષયો પર સંશોધન
--આટલું કરવાનું વિચાર્યું છે.
(મિત્રો સાથેની ગપ્પાંગોષ્ઠિ તો જીવનનો આધાર છે. તેના વિશે અલગથી લખવાનું ન હોય.)
અગાઉ મોકળાશ હતી જ 

અને એ આપવા બદલ દિવ્ય ભાસ્કરના-ગુજરાત સમાચારના-સંદેશના-આરપારના-અભિયાનના તંત્રીઓ, સાથીદારો તથા તંત્રનો આભાર.
પણ ઓફિસે જવાનું ન હોય એટલે
રોજેરોજ મહેમદાવાદથી અમદાવાદ નહીં જવાનું.
હા, અઠવાડિયે એક-બે વાર મિત્રોને હળવામળવા
ને સાર્થક પ્રકાશનના કામ માટે અમદાવાદ જવાનું ખરું.
(અમદાવાદના પ્રવાસી નાગરિકનો દરજ્જો એમ છોડી દેવાય?)

લખવાનું ચાલુ રહેશે.
ઉપરાંત, ઘણા વખતથી કરવા ધારેલાં ને રહી જતાં
લાંબાં કામ હાથ પર લઈ શકાશે.
(અત્યારથી જ ત્રણ-ચારની લાઈન પડેલી દેખાય છે)
એપ્રિલમાં પીએચ.ડી.નું ફાઇનલ સબમિશન પૂરું થાય એટલે
થોડા દિવસ વિરામ લઈને,
ફરી લેખનનાં અને બીજાં કામ શરુ કરવા ધાર્યું છે.
ક્યાં? શું? કેવી રીતે?
યથાસમય જણાવીશ.
આ વિદાયસંદેશો નથી,
'આગળ વળાંક છે' એટલું સૂચવતી માહિતી છે.
હજુ ઘણી સફર બાકી છે.

***
૧૯૯૫માં પત્રકારત્વમાં-મિડીયાની ઑફિસમાં દાખલ થયો,
ત્યારે મંઝિલ ધારી કે વિચારી ન હતી,
તો હવે એવું કરવાનો સવાલ નથી.
સફરની મઝા એટલી આવતી હોય
તો મંઝિલના ઉધામા શા માટે?
ક્યાંય પહોંચી જવાનું નથી
ને કશું પુરવાર કરવાનું નથી.
બસ, મઝા ચાલુ રહેવી જોઈએ.
અને મનગમતાં કામને લીધે,
સ્નેહીઓ-પ્રેમીઓ-મિત્રોને લીધે
મઝા ચાલુ રહેશે એની ખાતરી છે.
આવો મજબૂત આધાર આપતા સૌ પ્રત્યે કૃતજ્ઞતા.

The Colour of Darkness – film by Girish Makwana

By Urvish Kothari

(Translated by Neesha Parikh Sanghvi)

While editing a film-special issue of ‘Dalitshakti’ magazine—a Gujarati monthly dedicated to Dalit issues, I found a glaring absence of heartfelt movies based on caste discrimination. Of course there are movies right from ‘Acchut Kanya’(1935), ‘Acchut’(1940) to ‘Aarakshan’ (2011), but they are more focused on sympathy than talking about rights or equality. How would a film portraying the bitter reality and wide sweep of caste discrimination look? I could not find the answer.

Nick Clooney (Hollywood actor George Clooney’s Dad, a noted journalist) must have faced a similar predicament while writing ‘The Movies That Changed Us’. He could not find a single film doing complete justice to the discrimination faced by the Blacks in the US. Clooney included many films and discussed its social impact in the book. Then he wrote a chapter called “The Film That Was Never Made”, to stress absence of a genuine movie depicting evil of racism.

I am not sure about Clooney, but for me, I found answer in Girish Makwana`s ‘The Colour of Darkness’. This film brings two issues – racism and casteism in one fold, in one story. This is probably the first film to link both kinds of discrimination, and portray a nuanced reality. For this very reason, it can be called The Film That Was Never Made.

Color of Darkness : A film by Girish Makwana

Girish Makwana (Music,Writer, Director) himself was a fighter from young age. He not only fought casteism but also polio, to be where he is today. He possesses a distinct personality which sticks in your mind after just one meeting. He is classically trained to play tabla and his hair falls like that of Ustad Zakir Hussain. He always has a scarf-like gamchha around his neck and a distinct way of talking. His first impression might be filmy but that is far from reality. As soon as you get to know him, you realise how grounded and talented he is. Warmth and happiness reflect in personal interaction with him. He can swiftly and easily switch between Australian English and Charotari Gujarati.


In 2009, when attacks on Indian students happened in Melbourne, Girish was there. The Indian media was calling Australia a racist country but Girish himself wasn’t quite sure. While he condemned the attacks, he himself had rarely faced racism in all the years he had stayed in Australia. Besides, Girish thought who were Indians really to call anyone racist? A system as old and as atrocious as the caste system doesn’t exist anywhere else in the world. With due apologies to Gujarati poet Khabardar who wrote  “Wherever a Gujarati lives, there is one Gujarat there”, and only a little exaggeration, I can say that – anywhere an Indian lives, the caste system also lives there. Indians practice the idea of casteism wherever they live. Even when they migrate overseas, they carry it with them. And then, they complain about racism. Doesn’t anyone else see the irony in this?

This is the central idea of the movie. Girish developed the story with this as its core theme. He has studied in Australia taking his Masters degree in Film and Television, so directing was not an issue but production was! Budget requirements were in dollars which was a problem because there were so few and his resources were so limited. But how can something like money stop Girish! He was determined to make this movie, and on his own terms. He started the journey to make this film and met people of different kinds from all across the globe who believed in his story, his vision.

Girish Makwana
Girish is patient, hardworking and talented which made possible to work on meager funds. He found his biggest support in Lorraine Grigg. In spite of not being a producer, or having spare money, she agreed to produce this movie. Like Lorraine, Girish found other supporters who invested in his passion. But before all of this capital rolled in, Girish had cashed out his five-digit credit limit on all his credit cards and started shooting the movie in India.


The Indian part of movie is shot in Gujarati and the rest in English. (A Hindi edition of the film was also made). The music of the film draws your attention almost immediately and then holds it throughout the film. It is imbedded in the story and becomes part of storytelling process. The songs, which are composed by Girish, stay in your mind even after the movie is over. When this film was released in India, Ravish Kumar (NDTV’s top Hindi news anchor) did an interview with Girish and made a special mention of its music. :Prime time Link

Biren Kothari (well regarded Gujarati journalist/satirist/blogger) has written a piece on the process of creating songs in this film, in Gujarati. (:Link)

While watching the film, it is impossible to know that it was made on such a limited budget, or the know efforts made to make all the ends meet. (According to imdb, the movie is made on budget of approx. 30 Lakh AUD). The movie feels like it has been produced by an experienced production house (in terms of production value). The English part of the film holds attention through vividness, performance and scenes. There are some issues with dialogue and acting in Gujarati part but they are somewhat necessary for the story to be told as they reflect a time of past and village life.


For novelists it is said, the first few novels written are a reflection of their personal life and life history. This film as well, is a reflection of Girish’s life. The Gujarat part of film is inspired by the life experience of Girish’s father, Kantibhai Makwana. We can also see Girish himself twice in this film (one is a long shot of him play tabla in a concert performance and the other as the hero’s roommate) but his subtle presence can be felt in many places – from the hero’s dressing style, which is similar to Girish in real life, to the real name of the village in Gujarat, Tundel. The hero of the film is also called Giriraj and called Giri in the film. Sahil Saluja, who plays Giri displays good acting skills while Vidya Makan looks very comfortable and impressive in her performance.


This film aims to make its audience think consider issues of racism and casteism and its success lies in the fact that it does achieve that.

I congratulate Girish Makwana, Lorriane Grigg and all others associated with this film for a well-made, balanced and visually spectacular film on such distinct topic. The movie has been released and we now have to wait for its DVD to come out. I recommend everyone to watch this film on DVD whenever it comes out.


(Original blogpost in Gujarati)

(Song & Trailer of the film)




Tuesday, March 20, 2018

વાદનો વિવાદ, વાસ્તવિકતાની તપાસ

સંસ્કૃત કહેણી એવી છે કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ (વાદસંવાદમાંથી તાત્ત્વિક સમજ અને બોધ પેદા થાય છે) પણ રાજકીય વાદોમાંથી તત્ત્વબોધ ઓછો ને તકરારો વધારે પેદા થઈ. માણસ પહેલો કે વાદ? એ સદભાગ્યે ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એવો સવાલ નથી. તેનો જવાબ સ્પષ્ટ છેઃ પહેલાં માણસ અને પછી વાદ. તેનો એક અર્થ એ કે વાદ કરતાં માણસ (માણસાઈના અર્થમાં) વધારે મહત્ત્વનો છે. બીજો અર્થઃ માણસે વાદ બનાવ્યો છે. માણસ કોઈ વાદ અપનાવવા જેટલો મોટો થાય ત્યાં સુધીમાં તેની મૂળભૂત પ્રકૃતિને અનેક પરિબળો ઘણી હદે ઘડી ચૂક્યાં હોય છે. એટલે, કોઈ પણ વ્યક્તિ પોતે અપનાવેલા વાદ જેટલી નહીં, પણ પોતાની મૂળભૂત પ્રકૃતિ જેટલી જ સારી કે ખરાબ હોય.

પણ એવું બનેઃ ચોક્કસ વાદ સાથે વ્યક્તિ પોતાની જાતને એટલી હદે સાંકળી લે કે વાદની મર્યાદાઓમાં વ્યક્તિની મર્યાદાઓ ઉમેરાઈ જાય. અને વાદ સર્વાંગસંપૂર્ણ હોય તો પણ, વાદીઓની મર્યાદાને લીધે તેની આબરૂમાં ઘસરકા પડે. જેમ કે, બ્રહ્મચર્યનો આગ્રહ ગાંધીવાદની સંભવતઃ સૌથી જાણીતી અને ટીકાસ્પદ બાબત ગણાય છે. એમાં વળી કોઈ દંભી કે અસ્વાભાવિક ગાંધીવાદી બ્રહ્મચર્યપાલક સાથે આપણો પનારો પડે, ત્યારે બ્રહ્મચર્યનો આગ્રહ પહેલાં લાગતો હોય એના કરતાં પણ વધારે અકારો લાગી શકે. કારણ કે, મૂળ સિદ્ધાંતની મર્યાદામાં તેના અનુયાયી હોવાનો દાવો કરનારાની વ્યક્તિગત મર્યાદા ભળી ગઈ હોય. ડાબેરીઓનો મિલકતની સમાન વહેંચણીનો આગ્રહ કોઈને આદર્શવાદી અને અવ્યવહારુ લાગતો હોય, તો માલદાર ડાબેરીના મોઢેથી એ આદર્શની વાત સાંભળ્યા પછી અકળામણ વધી શકે. રાષ્ટ્રવાદના નામે ચાલતું કોમવાદનું જમણેરી રાજકારણ આકરું લાગતું હોય. પણ જેમની ગુંડાગીરી વિશે ખાતરી હોય એવા કોઈ રાષ્ટ્રવાદ કે ગોરક્ષાની વાત કરે ત્યારે, એ મૂળ ‘સિદ્ધાંત’ કરતાં પણ વધુ અસહ્ય લાગે.

મતલબ, જેમ વાદના અનુયાયીઓ પોતાની મૂળભૂત તથા સંજોગોથી ઘડાયેલી પ્રકૃતિ કરતાં ઝાઝાં સારાં કે ખરાબ નથી હોઈ શકતાં, એવી જ રીતે વાદ પણ વ્યવહારમાં તેમના બહુમતી અનુયાયીઓની ખૂબીખામીઓ જેટલો જ સારો કે ખરાબ નીવડે છે.

ભારતના, ખાસ કરીને ભારતના ઉત્તર ભાગના, રાજકારણની વાત કરીએ તો, શરૂઆત કૉંગ્રેસના સર્વસમાવેશક રાજકારણથી થઈ હતી. કેમ કે, કૉંગ્રેસમાં ડાબેરી-જમણેરી બધાં પરિબળો-પ્રવાહો હતા. છતાં તેનું ચાલકબળ શંકા કે ધીક્કાર ન હતું. એટલે, ઘણા લોકો શુદ્ધ કોમવાદને બદલે દંભી બિનસાંપ્રદાયિકતાને નાનું દૂષણ ગણીને લાંબા સમય સુધી તેની સાથે સંકળાયેલા રહ્યા. પરંતુ સમય જતાં બિનસાંપ્રદાયિકતાની વાત કોંગ્રેસ માટે જમણેરી પરિબળોનો રાજકીય વિરોધ કરવાનો ચૂંટણીનારો માત્ર બની ગઈ. ‘અમને મત આપો. નહીંતર કોમવાદીઓ સત્તામાં આવી જશે.’ એવા પ્રચાર હેઠળ પોતાની મોટી મર્યાદાઓ છુપાવવાની કોંગ્રેસને ટેવ પડી.

કોમવાદ સામે તેનો આ વિરોધ રાજકીય અને સગવડીયો હતો. સામાજિક સ્તરે જમણેરી અંતિમવાદની સામે સર્વસમાવેશકતા-સર્વધર્મસમભાવ ફેલાવવા માટે કોંગ્રેસે જોશભેર પ્રયાસ ન કર્યા. ‘આપણને ચૂંટણી જીતાડી આપે એટલા લોકો તો પ્રકૃતિગતરીતે મધ્યમમાર્ગી-કોમવાદવિરોધી રહેશે જ અને તેમના જોરે આપણે, આપમેળે (બાય ડીફૉલ્ટ) ચૂંટણી જીતી જવાના છીએ. તો મધ્યમ માર્ગને-સાચા સમભાવને દૃઢ બનાવવામાં મહેનત શા માટે કરવી?

બીજી તરફ, સામાજિક રીતે મધ્યમમાર્ગી વલણ ધરાવતા લોકોને કોંગ્રેસની નકલી-વોટબેન્કલક્ષી-અક્રિય બિનસાંપ્રદાયિકતા સામે વાંધો પડી જ શકે. પણ તેની પ્રતિક્રિયા તરીકે અસલી બિનસાંપ્રદાયિકતા ખપે કે કોમવાદ? કૉંગ્રેસની દંભી બિનસાંપ્રદાયિકતાની ટીકા કરતી વખતે આપણો વાંધો ‘દંભી’ સામે હોવો જોઈએ—’બિનસાંપ્રદાયિકતા’ સામે નહીં. પરંતુ બન્યું તેનાથી અવળું. ભાજપ કાગળ પર અને ડાહ્યાંડમરાં નિવેદનોમાં ગમે તે કહે, તેના અને કોંગ્રેસ વચ્ચેના રાજકારણનો એક મુખ્ય તફાવત કોમવાદનો હતો. ભાજપે દંભી બિનસાંપ્રદાયિકતાના વિરોધ અને (તેની વ્યાખ્યા પ્રમાણેના) રાષ્ટ્રવાદની હિમાયતના નામે ખુલ્લેઆમ કોમવાદનું રાજકારણ આદર્યું. ત્યારે કોંગ્રેસની દંભી બિનસાંપ્રદાયિકતાથી દુઃખી ઘણા લોકો જાણે કે અજાણે કોમવાદી વિકલ્પના ખોળામાં જઈ પડ્યા.

એક રાજકીય વિકલ્પ તરીકે કોંગ્રેસના બદલે ભાજપને મત આપવો એક વાત છે અને ભાજપને તેના કોમવાદ સહિત સ્વીકારવો-રાષ્ટ્રવાદના અંચળા હેઠળના તેના કોમવાદી અભિગમનો બચાવ કરતા રહેવું- તેના હિમાયતી બનવું, તે બીજી વાત છે. કોંગ્રેસની જે કંઈ દંભી બિનસાંપ્રદાયિકતા છે તેનો વિરોધ સામાજિક સ્તરે સાચી બિનસાંપ્રદાયિકતા ઝંખીને અને બતાવીને થઈ શકે--પ્રગટ કે પ્રચ્છન્ન કોમવાદના તરફદાર બનીને નહીં.

જાડી સમજ લેખે કહીએ તો, કોંગ્રેસના વંશવાદ સામે કે દંભી બિનસાંપ્રદાયિકતા સામે કે તેના રાજમાં થયેલા ભ્રષ્ટાચાર સામે વિરોધ હોય એવી વ્યક્તિ ભાજપને મત આપે એ સમજી શકાય છે.  પણ તે ભાજપના કોમવાદી એજેન્ડાની કે વડાપ્રધાન મોદીનાં સગવડીયાં અર્ધસત્યોની કે ઠાઠઠઠારા તળે છુપાયેલી કરુણ વાસ્તવિકતાઓની પણ પ્રેમી બની જાય, તેનો વિરોધ કરનાર વિરુદ્ધ ઝેર ઓકે, એ સમજી શકાય એવું નથી. તેમણે એ વિચારવાનું છે કે કોમવાદ (અથવા તથાકથિત રાષ્ટ્રવાદ) સિવાય બીજી કઈ બાબતમાં ભાજપ કોંગ્રેસથી અલગ છે? અને હા, કોંગ્રેસના ભ્રષ્ટાચારની સામે ભાજપની સ્વચ્છતાના દાવા કરનારાને વિનંતી કે વડાપ્રધાન મોદીએ જ્યાંથી ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’નું આભાસી સૂત્ર ઉભું કર્યું એ ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારી કેવી સ્થિતિ છે, તેની જાણકાર માટે ગાંધીનગરના કોઈ અંદરના માણસને પૂછી જોજો. એ લખવા માટે સ્ટીંગ ઓપરેશન કરવાં પડે, પણ જાણવા માટે એવી જરૂર નથી. ઘણા લોકો પાસેથી અડધી ચાની સાથે એ માહિતી મેળવી શકાશે.

આ ચર્ચાનો આશય ધ્રુવીકરણને દૃઢ બનાવવાનો નહીં, પણ ફરી એક વાર બિનઝનૂની, ‘મિશ્ર’, સામાજિક રીતે મધ્યમમાર્ગી ઓળખ પાછી મેળવવાનો અને તેને દૃઢ બનાવવાનો છે. ચોતરફ ફુંકાયેલા ઓળખના ધ્રુવીકરણના વાવાઝોડામાં આપણે કોઈ એક પક્ષ સાથે છેડાછેડી બાંધી ન બેસીએ, તેના માનદ્ પ્રવક્તા બની ન બેસીએ, તેના મુગ્ધ અને એટલે જ આક્રમક બચાવકાર ન બની જઈએ, આપણે રોજિંદા જીવનમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી સાથે રહેવાનું નથી, એ યાદ રાખીએ.

સાદી વાત આટલી છેઃ માણસાઈ કરતાં વાદ મોટો છે, એવું તમે માનતા હો તો તમે ‘વાદી’ હો--ડાબેરી કે જમણેરી અંતિમવાદી હો-- એવી શક્યતા પૂરેપૂરી છે.

અને બધા વાદની ઉપર માણસાઈ, માનવીય પ્રેમ-હૂંફ અને સહઅસ્તિત્ત્વ એવું તમે માનતા હો તો તમે મધ્યમમાર્ગી, ‘નૉર્મલ’ના અર્થમાં સામાન્ય માણસ છો. અંતિમવાદી નથી. એવા હોવા બદલ તમને અભિનંદન.

નોંધઃ વાદ-વિચારધારા વિશે અગાઉના બે લેખની લિન્ક
લેખ ૧
લેખ ૨

Saturday, March 17, 2018

વાદની વાડાબંધી અને રાજકારણ


ફિલસૂફીનો પ્રશ્ન છેઃ ઈશ્વરે માણસને પેદા કર્યો કે માણસે ઈશ્વરને? પણ ફિલસૂફો માટે રહેવા દઈએ. આપણને સ્પર્શતો સવાલ છેઃ વાદે માણસને પેદા કર્યો કે માણસે વાદને? વધુ સાચી રીતે પૂછીએ તો, વાદ માણસને ઘડે કે માણસ વાદને

સામાજિક સિદ્ધાંતો અને સુધારામાંથી વિવિધ ધર્મ-સંપ્રદાય ઉભા થયા, આર્થિક અને રાજકીય સિદ્ધાંતોના આધારે ડાબેરી-જમણેરી વિચારધારાઓ અસ્તિત્ત્વમાં આવી. રાજકીય-આર્થિક વિચારધારાઓમાં પણ સામાજિક મેળવણ તો રહેવાનું. કારણ કે રાજકારણ હોય કે અર્થકારણ, તેની પટકથાઓ ભજવાય છે સમાજના મંચ પર.
ધર્મની જેમ વિચારધારાનો એકમ પણ એકલદોકલ માણસ નહીં, સમુહ છે. અકબર ઇતિહાસમાં ભલે ગ્રેટકહેવાતો હોય, પણ (પ્રચલિત વિગત પ્રમાણે) તેનો ધર્મ બિરબલ સિવાય બીજા કોઈએ સ્વીકાર્યો નહીં. માથાં થયાં એટલે વિચાર ગમે તેટલો ઉમદા હોય તો પણ તે ધર્મનું રૂપ લઈ શક્યો. બીજી તરફ, ખુદ ગાંધીએ કહ્યું કે ગાંધીવાદ નથી. છતાં, માથાં થઈ ગયાં હતાં, એટલે ગાંધીવાદ ચાલ્યો.

આમ, વાદ હોય કે ધર્મ, માથાં જોઈએ. માથાં એટલે માણસો. માણસોનો સમુહ એટલે સમાજ. સમાજમાં ધર્મ દ્વારા પડતા ભાગ મોટે ભાગે ચુસ્ત હોય છેઃ એક માણસ એક સાથે હિંદુ ને મુસલમાન, સ્વામિનારાયણી ને સ્વાધ્યાયી, શિયા અને સુન્ની, સ્થાનકવાસી અને દેરાવાસી, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ હોઈ શકે. પરંતુ વાદનું વિભાજન આટલું ચુસ્ત હોય જરૂરી નથી. ડાબેરી અને જમણેરી અંતિમવાદી વિચારધારાઓની વચ્ચે બહુ મોટો પટ હોય છે. તેમાં મોટી સંખ્યામાં મધ્યમ માર્ગવાળા ઉપરાંત, ગુંચવાયેલા, વાદો પ્ર ત્યે ઉદાસીન, એકથી વધુ વાદોની કેટલીક લાક્ષણિકતાઓનું સંયોજન ધરાવતા-- એવા અનેક પ્રકારના લોકો હોય છે. અહીં એવા લોકોની તો વાત નથી, જે પોતે એક પ્રકારનાવાદીહોવાનો દાવો (કે ડોળ) કરતા હોય અને વાસ્તવમાં-વર્તણૂંકમાં સાવ જુદા હોય.

છેક ડાબા અને છેક જમણાની વચ્ચેના મોટા પટમાં, જમણેરીઓના કેટલાક સિદ્ધાંતો તરફ ઢળતા (‘રાઇટીસ્ટનહીં, પણરાઇટ ઓફ સેન્ટરપ્રકારના) લોકો હોવાના. તેમાં પણ બધાનું ઢળવાનું પ્રમાણ (માત્રા અને તીવ્રતા) જુદું જુદું હોવાનું. એવું ડાબેરીઓ તરફ નહીં, પણ તેમની વિચારધારાનાં કેટલાંક તત્ત્વો તરફ ઢળતા લોકોનું ગણાય. આગળ જણાવ્યું તેમ, વાદ-વિચારધારામાં ધર્મ જેવું સ્પષ્ટ વિભાજન હોવું જરૂરી નથી. ડાબેરી વિચારસરણીમાં આવતા વંચિત-શોષિતના કલ્યાણની- તેમના અધિકારોની વાતને ઘણા લોકો યોગ્ય માનતા હોય, પણ તે માટે હિંસક પરિવર્તનનો રસ્તો તેમને પસંદ હોય એવું બને. ઘણા લોકો (રાજકીય) જમણેરી વિચારસરણીમાં સૈન્ય, રાષ્ટ્રવાદ, દેશપ્રેમનું પ્રદર્શન વગેરે માટે ઉત્સાહી હોય, સાથોસાથ તે બીજા સમુદાયોને શંકાની નજરે જોતા હોય અને તેમને ઉતરતા નાગરિક (સેકન્ડ સીટીઝન) તરીકે ગણવા કે રાખવા ઇચ્છતા હોય. એક ઉદાહરણ થયું. આવા ઘણા પેટાપ્રકાર હોઈ શકે અને તેમાં પણ અનેક પ્રકારનાં, જાડાં લેબલની રીતે વિરોધાભાસી લાગે એવાં સંયોજન હોઈ શકે.

મોટા ભાગના લોકો કોઈ એક વાદ કે વિચારધારાના ચોકઠામાં ચુસ્ત બેસે તેમ નથી હોતા. તેનું સાદું કારણ છે કે વાદો, ડાબેરી-જમણેરી વિચારધારાઓ કૃત્રિમ રીતે ઉભાં કરાયેલાં છિદ્રાળુ પાર્ટિશન જેવા છે. જેમ માણસ વ્યક્તિગત રીતે કોઈ ધર્મ સાથે પેદા નથી થતો, એવી રીતે વાદો કે વિચારધારાઓ સાથે પણ પેદા નથી થતો. માણસની જન્મજાત મૂળભૂત મૂડી (દિમાગ-ડીએનએ) ઉપરાંત તેના જીવનમાં આવેલાં જુદાં જુદાં પરિબળો તેના વિચારોને ઘડે છે. માણસના મૂળભૂત સ્વભાવમાં રહેલી ખૂબીખામીઓને તે પરિબળો સુંવાળી કે ખરબચડી, ગોળ કે અણીદાર બનાવે છે. મોટા ભાગના લોકો એક યા બીજા વાદના પરિચયમાં આવે ત્યારે તેમના વ્યક્તિત્વના ઘડતરમાં ઘણા બધા પાસા પડી ચૂક્યા હોય છે.

પરિણામ આવે છે કે વાદ-વિચારધારા પ્રત્યે કટ્ટર વફાદારી હોય તે પણ પોતાની વ્યક્તિગત સારપ કે મર્યાદામાંથી છટકી નથી શકતા. જેમને વાંચીને લોકો ડાબેરી ક્રાંતિના પાઠ ભણી શકે ને પ્રેરણા લઈ શકે એવા સાહિર લુધિયાનવી સરખા મહાન શાયર અંગત વ્યવહાર-વર્તનમાં ઘણી હદે સામંતવાદી હોઈ શકે છે અને સંઘ પરિવારની વિચારધારામાં શ્રદ્ધા ધરાવનાર લોકો અંગત વર્તનમાં પ્રેમાળ અને ઝનૂનમુક્ત હોઈ શકે છે. એમાં કશો વિરોધાભાસ નથી. તેનું કારણ ફકરાનું પહેલું વાક્ય અવળું કરીને જોવાથી મળી જશેઃ કોઇ પણ વ્યક્તિ એકંદરે તેણે અપનાવેલા વાદ કે વિચારધારા જેટલી નહીં, પણ તેની પોતાની મૂળભૂત પ્રકૃતિ જેટલી સારી કે ખરાબ હોય છે. અપવાદોને બાદ કરતાં વાદ-વિચારધારામાં પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ઓગાળી બેસે-પોતાપણું ખોઈ બેસે એવા નમૂના મોટા પ્રમાણમાં હોતા નથી.

અત્યાર સુધી આલેખેલું ચિત્ર ખાસ્સું મિશ્ર અને હકારાત્મક રીતે ગુંચવાડાભર્યું છે. તે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વને પોસનારું છે. તેમાં બધા માટે સ્થાન છે. કોંગ્રેસનું રાજકારણ શરૂ થયું ત્યારે પણ ચિત્ર ખાસ બદલાયું નહીં. કેમ કે, ભારતની જેમ કોંગ્રેસમાં પણ ડાબેરી-જમણેરી બધા પ્રકારના ઝુકાવ ધરાવનારા લોકો હતા. પરંતુ હિંદુ મહાસભાના-હિંદુત્વના અને મુસ્લિમ લીગના રાજકારણને આવું મિશ્ર ચિત્ર અનુકૂળ આવે.

સમય જતાં કોંગ્રેસનો મધ્યમ માર્ગ અને તેની સર્વસમાવેશકતા પણ વોટબેન્કના રાજકારણથી દૂષિત બન્યાં. મુસ્લિમોને વોટબેન્ક તરીકે જોવાનું, તેમના પ્રગતિશીલોને બદલે રૂઢિચુસ્તોને આગળ કરવાનું વલણ પ્રભાવી બન્યું. બીજી તરફ, ગાંધીજીની હત્યા પહેલાંથી સમાજના મિશ્ર રસાયણના ધ્રુવીકરણનું કામ ધીમી નક્કરતાથી શરૂ થઈ ચૂક્યું હતું. આઝાદી પછીના દાયકાઓમાં તેની સર્વસમાવેશક પ્રતિષ્ઠા પર મોટાં અને કાળાં ધાબાં પડ્યાં. છતાં, તેની મુખ્ય ધરી અને મુખ્ય ધક્કો કોમવાદ, વેરઝેર, ધીક્કાર ફેલાવવાનાં હતાં. ( હકીકત પછીનાં વર્ષોમાં ગમે તેવા કોંગ્રેસદ્વેષી બનેલાએ પણ સ્વીકારવી પડે.) ડાબેરી અને જમણેરી જડતાની-આત્યંતિકતાની સરખામણીએ કોંગ્રેસ તેની બધી મર્યાદાઓ સાથે પણ સ્થિતિસ્થાપક હતી. એટલે સમાજના મધ્યમમાર્ગીઓમાંથી મોટો વર્ગ ફરિયાદો છતાં એકંદરે કોંગ્રેસ અથવા મધ્યમ માર્ગના બીજા વિકલ્પ મળ્યા તેની સાથે સંકળાયેલો રહ્યો.


ધીમે ધીમે કોંગ્રેસ નબળી પડતી ગઈ. સતત ચાલતા ધીક્કાર-ઐતિહાસિક જૂઠાણાં-ગેરમાન્યતાઓ- ચુનંદાં અસત્યોનો મારો મિશ્ર લોકમાનસમાં ધ્રુવીકરણના તરંગ પેદા કરવા લાગ્યો. રામંમંદિરનુંઆંદોલનઅને 2002ની કોમી હિંસા નિમિત્તે તત્કાલીન મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું વલણએક દાયકાના ગાળે બનેલા બનાવોએ દાયકાઓથી ચાલતા ઝેરી પ્રચારને જાહેર-વૈચારિક ચર્ચા તરીકે સ્વીકૃત બનાવ્યો. કોંગ્રેસ સક્રિય મધ્યમમાર્ગ વડે તેનો મુકાબલો કરવામાં સદંતર નિષ્ફળ નીવડી. (વધુ ચર્ચા આવતા સપ્તાહે)}uakothari@gmail.com