Monday, February 09, 2009

તળાવ ગંધાય, તળાવ ખાઉં



(photoline 1: Chunikaka vaidya, Girish Patel, Achut Yagnik, Ghanshyam Shah & others 2. Ghanshyam shah (white shirt) 3. Shri Chhaya 4. L to R Rutul Joshi, Kabir Thakore, Saumya Joshi 5.Anand Yagnik
વિકાસની રાક્ષસી ભૂખમાં સરકાર-કોર્પોરેશને કાંકરિયા તળાવને દરવાજા લગાડીને દસ રૂપિયાની પ્રવેશફી ફટકારી દીધી, તેના વિરોધમાં શનિવારે સાંજે હઠીસિંઘ વિઝ્યુઅલ સેન્ટરમાં એક સભા થઇ. ભેગા મળેલા સૌનો મુદ્દો હતોઃ કાંકરિયા તળાવ જેવી જાહેર સંપત્તિ કોર્પોરેશન કે સરકારની માલિકીની કેવી રીતે થઇ જાય? અને વહીવટી તંત્ર તેના પ્રવેશ માટે ફી શી રીતે ઉઘરાવી શકે?

નાગરિકવિરોધની પહેલ કરનાર ઋતુલ જોશી, સૌમ્ય જોશી, આનંદ યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી અને કબીર ઠાકોર દ્વારા આયોજિત સભામાં હાજર રહેલા સૌએ હાજરીથી અને કેટલાકે બોલીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. હાઇકોર્ટના વકીલ-જૂના જોગી ગિરીશભાઇ પટેલ, ચુનીકાકા (વૈદ્ય), અભ્યાસી પ્રો.ઘનશ્યામ શાહ, આર્કિટેક્ટ શ્રી છાયા, અને આપના વિશ્વાસુએ યથામતિ વક્તવ્યો આપ્યાં.

ઘનશ્યામભાઇએ વિકાસવાર્તાની વાસ્તવિકતા આંકડાના આધાર સાથે સ્પષ્ટ કરી આપી. તેમણે 1993 અને 2004-05ના આંકડા ટાંકીને કહ્યું કે સરકારી દવાખાનાં, રેફરલ હોસ્પિટલ, સરકારી શાળાઓ, વિદ્યાર્થી દીઠ શિક્ષકનો ગુણોત્તર આ બધી જનસામાન્ય માટેની સુવિધાઓમાં વધારાને બદલે ઘટાડો થયો છે. બાળમરણ દર (ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ) પણ ઘટવાને બદલે એમનો એમ જ રહ્યો છે. સામાન્ય લોકોની સુવિધાઓ માટે નાણાં વાપરવાને બદલે કોર્પોરેશનની પ્રાથમિકતાઓ બદલાઇ ગઇ હોવાનું તેમણે કહ્યું.

સરૂપબેન ધ્રુવે કહ્યું કે કાંકરિયા માટે મોડાં પડ્યાં છીએ, પણ ચંડોળા તળાવનો ‘વિકાસ’ કરવાનું સરકાર વિચારી રહી છે. તેમાં આવું ન થાય તેનું ધ્યાન રાખીએ. રૂપા મહેતાએ કાંકરિયા તળાવને સ્થાપત્યની દૃષ્ટિએ થયેલા નુકસાનની વાત કરી. અમદાવાદના સમૃદ્ધ વિસ્તારોમાં આવેલાં તળાવોમાં પ્રવેશ મફત છે. (વસ્ત્રાપુર તળાવમાં શરૂઆતમાં રખાયેલી એક રૂપિયો પ્રવેશફી વિરોધ પછી રદ કરાઇ હતી) કાંકરિયામાં મોર્નિંગ વૉક કરનારાએ વિરોધ કરતાં સવારે ચાર કલાક તેમનો પ્રવેશ મફત કરી આપવામાં આવ્યો. એટલે તેમનો વિરોધ શમી ગયો છે. કાંકરિયામાં વાહનોનું પાર્કિંગ મફત અને પ્રવેશના દસ રૂપિયા છે.

ઉપસ્થિત પરિચિત મિત્રો-વડીલોમાં કેટલાંક નામઃ અચ્યુત યાજ્ઞિક, હીરેન ગાંધી, સંજય ભાવે, ઉષ્મા શાહ, અમિત દવે, સુકુમાર ત્રિવેદી, પ્રશાંત દયાળ, આશિષ વશી, જયદેવ પરમાર, વિશાલ પાટડિયા, કેતન રૂપેરા, મુંબઇથી આવેલાં અને અમદાવાદ પર અંગ્રેજીમાં પુસ્તક લખી રહેલાં મિત્ર અમૃતા શાહ...(અધૂરી યાદી છે)
સ્થળ પર સહીઓ લેવાઇ અને વધુ સહીઓ લેવાનો નિર્ણય થયો. કેટલાક મિત્રોની ‘સીધાં પગલાં’ની માગણીને યોગ્ય પ્રતિસાદ મળતાં આવતા રવિવારે, તા. 15 ફેબ્રુઆરીની સાંજે પાંચ વાગ્યે કાંકરિયા તળાવના રાયપુર તરફના – અંબુભાઇ પુરાણી વ્યાયામશાળા તરફના દરવાજે ભેગા મળીને સવિનય કાનૂનભંગ કરવાનું નક્કી થયું છે. એ કાર્યક્રમનું કામચલાઉ નામ છેઃ ચાલો કાંકરિયા, વિના મૂલ્યે.

સરકારી તંત્રને સમાજની સંપત્તિ પચાવી પાડવાનો અધિકાર નથી એવું માનતા સૌ કોઇએ 15 ફેબ્રુઆરીની સાંજે કાંકરિયા તળાવના વ્યાયામશાળા તરફના દરવાજે પોતાનો વિરોધ નોંધાવવા ઉપસ્થિત રહેવું.

4 comments:

  1. aakhare Gujaratma civil societyni koi movement chalu thai khari..

    all the best,

    in solidarity,

    Brinda

    ReplyDelete
  2. Anonymous7:53:00 PM

    kankariya ma entry fee jeva mudde gujarat nu atalu buddhidhan vaparay te jara vadhare padatu lage 6e. Baudhiko ane commited yuvano ne mate ladava na mudda ni achhat kya 6e? Savnay kanoon (Kharekhar to Niyam)Bhang jevu motu hathiyar buththu karava jevu nathi. mitra gano to Kankariya na fee na mudde vadhu vicharva ni vinanti kari shaku?

    ReplyDelete
  3. Anonymous11:06:00 AM

    I think Rs. 10/- is big too high - Government should have kept the fees at Rs. 5/-. I fully support that fees should be levied or else there are enough number of beggars and other nuisance people who will spoil the whole place.

    ReplyDelete
  4. Anonymous4:52:00 PM

    I personally feel there should enternace fee for Kankariya Lake. Government has recently renovated the lake and is trying to keep clean; we have to pay for cleanliness and support. Where in Ahmedabad you will find bagger free space? We should be matured enough not to create hallagulla in petty issue.

    ReplyDelete