Wednesday, January 27, 2010
ઝારખંડનું ગાંધીસદન, સરકારી ત્રાસવાદ અને હિમાંશુકુમાર


હિમાંશુકુમારના પ્રવચનમાંથી
- આપણે શહેરી લોકો સુખસુવિધા, જીવનશૈલી માટે ગ્રામીણ જનતાનાં સંસાધનો છીનવતા રહીશું, સરકાર પણ એવું કરશે, પોલીસ તેમાં સાથ આપવા અપરાધી બની જશે. તો દેશમાં શાંતિ, પ્રેમ, સદભાવ વધશે? અદાલત, પોલીસ, સરકાર, વહીવટી તંત્ર- આ બધા જ રસ્તા આદિવાસીઓ માટે બંધ થઇ જશે, તો આદિવાસીઓ ક્યાં જશે? આ સ્થિતિમાં નક્સલીઓ આદિવાસીઓને કહે કે અમે તમારી તરફથી લડીએ છીએ, ત્યારે કયા મોઢે નક્સલીઓને કહીએ કે તમે ખોટા છો?- માઓવાદીઓ જ્યારે એમ કહેતા હતા કે ‘આ સીસ્ટમ ચાલે એવી નથી. એને ફગાવી દો.’ ત્યારે અમે શાંતિપૂર્ણ માર્ગે સીસ્ટમ સામે લડીને, આદિવાસીઓને નાની નાની જીત અપાવતા હતા, જેથી લોકશાહીમાં તેમનો વિશ્વાસ ટકી રહે.
- એંસીના દાયકામાં એક ભારો લાકડાં માટે આદિવાસી મહિલાઓની આબરૂ લેવાતી હતી. જંગલમાંથી ખપજોગું લાકડું કાપનાર પુરૂષોને કડકડતી ઠંડીમાં આખો દિવસ નદીમાં ઉભા રાખવામાં આવતા હતા. પટવારી રૂ.૩ લગાન માટે રૂ.૩૦૦ વસૂલ કરતો હતો. પોલીસ આવે તો આખા ગામમાં ઉઘરાણી કરે. ફોરેસ્ટ ગાર્ડ આવે તો લોકોને ઝાડ સાથે બાંધીને મારે. આ સ્થિતિમાં માઓવાદીઓ આવ્યા અને તેમણે હિંસા દ્વારા પહેલી વાર લોકોને તાકાતનો અહેસાસ કરાવ્યો. ‘આ ફોરેસ્ટ ગાર્ડ તમને મારે છે? લો, તમે એમને મારો.’ લોકોને તાકાતનો અહેસાસ કરાવવાનું કામ ભારત સરકારનું હતું, પણ એ કામ માઓવાદીઓ હાથમાં લીઘું અને એમની રીતે કરવા લાગ્યા.
- માનવ અધિકાર પંચના લોકો એક કેસના સિલસિલામાં દાંતેવાડા આવ્યા, ત્યારે અમે ગામલોકોને તેમની સમક્ષ રજૂઆત માટે તૈયાર કર્યા. પણ રજૂઆત થઇ ગયા પછી, પોલીસે ગામલોકોને અંદર કરી દીધા અને સાંજ સુધીમાં એમની પાસેથી ‘અમે જબરદસ્તીથી નિવેદનો આપવા આવ્યા હતા’ એવાં નિવેદન પર અંગુઠા મરાવી લીધા. ગામલોકોને પોલીસે ગોંધી રાખ્યા, ત્યારે હિમાંશુકુમારના સાથીદારોએ માનવ અધિકાર પંચના સાહેબોને ફોન કર્યો. એ લોકો હજુ ઝારખંડમાં જ હતા, પણ એમણે કહ્યું,‘અમારૂં કામ તપાસ કરવાનું છે. વચ્ચે પડવાનું નહીં.’
- ગાંધીની વાત કરવી બહુ સહેલી છે. પણ ત્યાં અમારી લાચારી ઉપર અમને ગુસ્સો અને શરમ બન્ને આવે છે. નેન્ડ્રા ગામે અમે માનવઢાલ (હ્યુમનશીલ્ડ)નો પ્રયોગ કર્યો. અમે ઉજડેલા ગામને નવેસરથી વસાવીને લોકો સાથે રહ્યા. પણ અમારી સાથે શાંતિથી કામ કરનાર, વિનોબા ભાવેનાં પુસ્તક વાંચનાર યુવાનને પોલીસે જેલમાં ખોસી દીધો છે.
- નક્સલવાદીઓનો યુનિફોર્મ લીલા રંગનો હોવાથી, લીલા રંગનું શર્ટ પહેરનાર કોઇ પણ વ્યક્તિ પર પોલીસ બેરોકટોક ગોળીબાર કરી શકે છે અને કરે છે.
- સર્વોચ્ચ અદાલતે અત્યાર સુધી ખાલી કરાવાયેલાં બધાં ગામડાં ફરી વસાવીને વળતર આપવાનો આદેશ કર્યો છે. પણ હજુ સુધી એક પણ ગામમાં સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ થયો નથી.
Labels:
Gandhi/ગાંધી,
himanshu kumar,
police,
politics
Subscribe to:
Post Comments (Atom)
કારણ કે આપણે આદિવાસીઓને "માણસ" નથી ગણતા. નક્સલવાદ અને આદિવાસીઓની તકલીફો આપણે માટે ફક્ત "ડોક્યુમેન્ટરી" છે. લાગણીશૂન્યતાનો ઉત્તમ નમૂનો આપણે પ્રદર્શિત કરી રહ્યા છીએ. આ જ ૨૦૧૦ નું ભારત છે?
ReplyDeleteનક્સલવાદની વાત આવે છે ત્યારે વિવિધ જાતના રાજકીય રંગ-રસાયણો ભેગા થઇ જતા હોય છે અને માનવતાનો રંગ એમાં આવતો જ નથી. માનવ અધિકારવાળાઓ પણ આમાંથી બાકાત નથી તે જાણીને નવાઈ લાગી.
ReplyDeleteબીજું રાજકારણ આદિવાસીઓને વનવાસી કહેવામાં પણ છે. તેમને આદિવાસી કહેવાથી જંગલ અને ખનીજો પર તેમનો અધિકાર પહેલો થઇ જાય. જો વનવાસી કહીએ તો પછી તેમને 'ઝૂ' કે મ્યુઝીયમમાં રાખી શકાય અને બાકીની સંપદા બેરોકટોક વાપરી શકાય.
tamara a follower na sagar ma hu kach ba ni jem khovai jais ...... ane mari aa vaat pan ............ pan tem chata ..... excellent !!!!
ReplyDeletei am too small to say anything and my be too unmatured to comment on this ........ but yes i agree you....goodday sir
ReplyDeleteજાણીને બહુ જ આઘાત થયો.
ReplyDeleteHimanshu desrves pats for speaking the truth. In India, so far, governments have succeeded in painting Naxalites or Maoists as villains. In fact they are the villains. This is firght against injustic for justice. No, I am NOT a supporter or sympathiser for naxalites. The whole problem is a total failure by the government mechanism. This is also a tug of war between developement and existence. Firoz Khan, Journalist, Canada.
ReplyDeleteબે-ત્રણ વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં દત્તુ તડવી નામના એક તરવરિયા યુવાનને મળવાનું થયું હતું. વલસાડના ઉચ્છલ તાલુકામાંથી આવતાં દત્તુના ગામ લોકો ઉકાઇ યોજનાના પીડિતો હતા. એક સમયે ગામની બાજુમાંથી જતી નદીમાં રમી-રમીને મોટા થયેલા આ લોકોને યોજના પછી નજર સામે જતી નદીમાંથી પાણી લેવાના કોઇ હક નહોતા રહ્યા, જેની સામે ગામલોકોનો વિરોધ હતો. દત્તુના કહ્યા પ્રમાણે પોલીસ ગામમાં ગમેત્યારે આવતી અને કોઇને પણ નકસલવાદી ગણીને ઉપાડી જતી-ત્રાસ આપતી. દત્તુએ લાલઘૂમ થઇને એમ પણ કહ્યું હતું કે અમને થઇ આવતું હતું કે બંદૂક ઉપાડી લઇએ. પણ કદાચ ત્યાં કોઇક એનજીઓ આવી ગઇ હતી અને લોકોના ગુસ્સામાં પંચર પાડી દીધું હતું, જે કદાચ ઝારખંડના કિસ્સામાં નહીં થતું હોય.. આ વાત મૂકવાનો હેતુ એ છે કે ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં જંગલો અને આદિવાસીઓ છે, અને મોટી સંખ્યામાં તેમના પ્રશ્નો પણ છે.
ReplyDelete