Monday, August 25, 2014

વૈશ્વિક ખ્યાતિ ધરાવતા ભારતીય ગણિતશાસ્ત્રી-ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્ય (દ્વિતિય)ની ૯૦૦મી જન્મજયંતિ

ભારતીય જ્ઞાનપરંપરા વિશેનું ગૌરવ જરા પેચીદો મામલો છે. તે પ્રાચીન ભારતીય વિદ્વાનોની બૌદ્ધિકતા અને વિદ્યાવ્યાસંગ પ્રત્યે અપાર આદર પ્રેરે છે, તો જ્ઞાતિદ્વેષ,અસ્પૃશ્યતા જેવાં કેટલાંક દૂષણોને લીધે જ્ઞાનનો વ્યાપક પ્રચારપ્રસાર ન થઇ શક્યો અને ઘણું જ્ઞાન છેવટે લુપ્ત થયું તેનો પારાવાર અફસોસ પેદા કરે છે. આ વિરોધાભાસમાં છેલ્લા થોડા દાયકાથી ઉમેરાયેલું એક વધારાનું -અને પ્રદૂષણકારી- પરિબળ એટલે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (સંઘ પરિવાર)ની વિચારસરણી પ્રેરિત ‘ગૌરવ’.

સંઘની કંઠી બાંધી ચૂકેલા કે તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ઘણા નિર્દોષતાથી પૂછે છે : ‘પ્રાચીન ભારતની સિદ્ધિઓનું ગૌરવ લેવામાં ખોટું શું છે? શિક્ષણનું ભારતીયકરણ કરવામાં ખોટું શું છે?’ સવાલ પૂછનારા પ્રામાણિકતાથી પોતાની જાતને આ સવાલ પૂછે તો તેમને જવાબ મળી જાય. પ્રાચીન ભારતના જ્ઞાનવારસાનું વિદ્યાલક્ષી ગૌરવ કરતાં ઘણાં પુસ્તક લખાયાં છે. (એક નમૂનો : અ કન્સાઇસ હિસ્ટ્રી ઓફ સાયન્સ ઇન ઇન્ડિયા, ૧૯૭૧) એવાં પુસ્તકોનો આશય વાંચનારના મનમાં મિથ્યાભિમાનનું ભૂંસું ભરવાનો નહીં, પણ પ્રાચીન જ્ઞાનવારસાની પ્રમાણભૂત માહિતી આપવાનો હોય છે. આવાં પુસ્તકો તૈયાર કરનારા ‘બધી મહાન શોધો પહેલાં ભારતમાં થઇ ચૂકી હતી’ એવા મિથ્યાભિમાનથી મુક્ત હોવા જોઇએ. પણ સંઘ પરિવારનાં ‘ગૌરવકેન્દ્રી’ પુસ્તકોની વાત અલગ છે.

વિદ્યાકીય સિદ્ધિઓના વાજબી ગૌરવને સંકુચિત હિંદુત્વના રસાયણમાં ઝબોળીને શુદ્ધ દ્વેષમાં ફેરવવાનું સંઘ પરિવારની વિચારસરણીને બરાબર ફાવે છે. એવી જ રીતે, શુદ્ધ દ્વેષને સંકુચિત હિંદુત્વ અને સંકુચિત રાષ્ટ્રવાદના રસાયણમાં ઝબકોળીને તેને નિર્દોષ ગૌરવ તરીકે રજૂ કરવાની કીમિયાગરી પણ હવે જાણીતી છે. માટે, પ્રાચીન ભારતના ગૌરવની વાત સંઘના બીબામાં ઢળી ન જાય, તેની ચીવટ જરૂરી છે. સાથોસાથ, ભારતના વિદ્યાવારસાનું ગૌરવ કરતા બધા પ્રયાસને સંઘ-છાપ ગણી કાઢવાની આત્યંતિકતા પણ નુકસાનકારક છે.

ભારતીય વિદ્વાનોની વાત નીકળે ત્યારે ભાસ્કર (દ્વિતીય) ઉર્ફે ભાસ્કરાચાર્યનું નામ ભારે આદરથી લેવાય છે. ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર ગણિતવિશ્વમાં ભાસ્કરાચાર્યનાં પ્રદાન અને પ્રતિભા વિશે અહોભાવ પ્રવર્તે છે. ભાસ્કરાચાર્યે પોતાની પુત્રી લીલાવતીના નામે લખેલા મહત્ત્વના ગ્રંથ ‘લીલાવતી’ની સ્મૃતિમાં ‘ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિઅન’ રૂ.૧૦ લાખની માતબર રકમનું ‘ધ લીલાવતી પ્રાઇઝ’ આપે છે. એ ગણિતના પાંડિત્યપૂર્ણ સંશોધન માટે નહીં, પણ તેને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર વ્યક્તિને અપાય છે.

‘ઇન્ફોસીસ’ દ્વારા પ્રાયોજિત ‘ધ લીલાવતી પ્રાઇઝ’ વર્ષ ૨૦૧૪માં ગણિત વિષયક પુસ્તકો લખનાર અને ટીવી કાર્યક્રમો રજૂ કરનાર આર્જેન્ટિનાના એડ્રિઅન પેન્ઝાને મળ્યું છે. મતલબ, ભાસ્કરાચાર્ય અને ‘લીલાવતી’ વર્ષ ૨૦૧૪માં પણ ભૂલાઇ ગયાં નથી અને તેમના નામ સાથે સંકળાયેલું સન્માન આંતરરાષ્ટ્રિય મહત્ત્વ ધરાવે છે. પરંતુ ‘ગૌરવ’ઘેલાઓને ભારતીય કુળના અને પરદેશમાં જન્મેલા-ભણેલા લોકોની સિદ્ધિઓમાં મહાલવાનું અને ‘બેગાની શાદીમૈં અબ્દુલ્લા દીવાના’ રીતથી ફુલાવાનું વધારે ફાવે છે.

ભાસ્કરાચાર્યને આ વર્ષે યાદ કરવાનું એક કારણ એ પણ છે કે  ઇ.સ.૧૧૧૪માં જન્મેલા ભાસ્કરાચાર્યનું આ ૯૦૦મું જન્મવર્ષ છે. જન્મતારીખ ઉપલબ્ધ ન હોય તો વાંધો નહીં. આખું વર્ષ જન્મજયંતિ તરીકે ઉજવી શકાય. પરંતુ ભાસ્કરાચાર્યનું જન્મવર્ષ એક જ રીતે મનાવી શકાય : ગણિતને વઘુ લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરીને - અને ભાસ્કરાચાર્ય વિશે બને એટલી નિર્ભેળ અને સાચી વિગતો વઘુમાં વઘુ લોકો સુધી પહોંચાડીને.

ગુજરાતી વિશ્વકોશ ભાસ્કરાચાર્યને ટાંકીને, તેમનું જન્મસ્થાન ‘યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ’ હોવાનું જણાવે છે. જુદા જુદા સંદર્ભોમાં જણાવાયા પ્રમાણે, એ સમયે ઉજ્જૈનની વેધશાળા વિદ્વાનોના કેન્દ્ર જેવો દબદબો ધરાવતી હતી અને ભાસ્કરાચાર્ય તેના વડા હતા. ‘એન્સાયક્લોપિડીયા બ્રિટાનિકા’ સહિતના સંદર્ભોમાં નોંધાયું છે કે સાતમી સદીમાં થઇ ગયેલા મહાન ગણિતજ્ઞ બ્રહ્મગુપ્તના તે સીધા વારસદાર હતા. (એક આડવાત : ઉજૈજન સાથે સંકળાયેલા સંસ્કૃતના મહાકવિ કાલિદાસનો સમયગાળો પણ પાંચમી-છઠ્ઠી સદીની આસપાસનો અંદાજવામાં આવે છે.) ગુજરાતી વિશ્વકોશમાં ભાસ્કરાચાર્યનું મૂલ્યાંકન કરતાં જણાવાયું છે : ‘તેમના કૃતિત્વમાં રહેલી મૌલિકતાને કારણે તેમની ગણના આર્યભટ પહેલાં અને બ્રહ્મગુપ્ત સાથે થાય છે.’ અભ્યાસગ્રંથ ‘ભારતમાં વિજ્ઞાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (અનુવાદ, ૧૯૭૭)માં તેમને ‘પ્રાચીન અને મઘ્યકાલીન ભારતમાં ગાણિતીક અને ખગોળશાસ્ત્રીય શોધોમાં પરાકાષ્ઠાના બિંદુ’ તરીકે દર્શાવાયા છે.

શૂન્યની ભેટ આપનાર દેશ તરીકે જાણીતા ભારતમાં શૂન્યના ખ્યાલનો સૌથી ઊંડો અભ્યાસ ભાસ્કરાચાર્યે કર્યો. બ્રહ્મગુપ્તે બીજગણિત માટે ‘કુટ્ટક ગણિત’ શબ્દ વાપર્યો હતો, પણ ભાસ્કરાચાર્યે અજ્ઞાન રાશિઓની ગણનાના અર્થમાં ‘બીજગણિત’ શબ્દનો ઉપયોગ કર્યો. ‘સિદ્ધાંતશિરોમણી’, ‘કરણકુતૂહલ’ (ઉર્ફે ગ્રહાગમકુતૂહલ), ‘તિથિતત્ત્વ’, ‘બીજોપનયન’,‘ભાસ્કરવ્યવહાર’ જેવા ગણિત અને ખગોળને લગતા ગ્રંથોના કર્તા ભાસ્કરાચાર્યનો સૌથી જાણીતો ગ્રંથ ‘લીલાવતી’ છે. તે ‘સિદ્ધાંતશિરોમણી’ના ચાર ભાગમાંનો એક ભાગ ગણાય છે.

ગણેશસ્તુતિથી શરૂ થતા ‘લીલાવતી’માં નિયમો અને દાખલા પદ્ય સ્વરૂપે તથા તેમની સમજૂતી ગદ્યમાં આપવામાં આવી છે. લખાણની સરળતા અને રસાળતાને લીધે ‘લીલાવતી’ની અનેક હસ્તપ્રતો જળવાઇ અને અને તેના ઘણા અનુવાદ પણ થયા. અકબર અને શાહજહાંના સમયમાં શાહી વિદ્વાનોએ ‘લીલાવતી’નો ફારસીમાં અનુવાદ કર્યો. (૧૫મી સદીમાં ગુજરાતના ગંગાધર પંડિતે ભાસ્કરાચાર્યના ‘બીજગણિત’ પર ભાષ્ય લખ્યું હતું.) ૧૬મી-૧૭મી  સદીમાં ‘લીલાવતી’ પર ઘણી ટીકાઓ (અર્થઘટન-અર્થવિસ્તાર-વિવેચન) લખાયાં.


- ‘લીલાવતી’ની સત્તરમી સદીની ગણાતી હસ્તપ્રતના બે નમૂના 

 ૧૯મી સદીમાં   હેન્રી થોમ કોલબ્રૂકે બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યના કેટલાક કામનો  અંગ્રેજી અનુવાદ કર્યો. તેમાં ‘લીલાવતી’નાં કેટલાંક પ્રકરણનો સમાવેશ થતો હતો. (તે ઇ-બુક સ્વરૂપે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે) ત્યાર પછી બીજા અનુવાદ પણ થયા, જે ભાસ્કરાચાર્યના જન્મનાં ૯૦૦ વર્ષ પછી, અત્યારે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમણે સૂચવેલા કેટલાક દાખલા અને ઉકેલની યુટ્યુબ પર વિડીયો જોવા મળે છે - અને સ્વાભાવિક છે કે આવું કામ કરવા માટે ગૌરવઘેલછા ખપ લાગતી નથી. જ્ઞાનપીપાસા અને અભ્યાસવૃત્તિની જરૂર પડે છે.

ભાસ્કરાચાર્યના પ્રદાનની બારીકી ગણિતશાસ્ત્રમાં રસ ધરાવતા- અથવા તેને સરળ રીતે સમજાવી શકે એવા- અભ્યાસીઓનો વિષય છે, પરંતુ ગણિત અને ખગોળમાં તેમના ‘અદ્વિતિય પ્રદાન’ની ગુજરાતી વિશ્વકોશમાં અપાયેલી યાદી :  આઘુનિક સાધનોને બદલે વાંસની ભૂંગળીથી આકાશી પદાર્થોનું જ્ઞાન, ગ્રહોનાં કદ અને ગતિનું માપ, પેલનું સમીકરણ, પાયથાગોરસનો પ્રમેય, કલનવિદ્યા (કેલ્ક્યુલસ) અને ચલનકલનવિદ્યાના કેટલાક નિયમોનો ઉલ્લેખ, પૃથ્વી ગોળ હોવાની અને પૃથ્વી વગેરેની છાયાથી ગ્રહણ થવાની વાત, ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ‘માઘ્યમકર્ષણતત્ત્વ’ એવા નામથી ન્યૂટન કરતાં ૮૦૦ વર્ષ પહેલાં નિર્દેશ, અંકગણિતની વિધિઓનો અપરિમેય રાશિમાં પ્રયોગ, ચક્રીય વિધિ દ્વારા અનિશ્ચિત એકઘાતીય અને વર્ગસમીકરણના વ્યાપક ઉકેલ, ઉદયાન્તરકાળનું વિવેચન...

વિષયનિષ્ણાતો ભાસ્કરાચાર્યના પ્રદાનને ગૌરવના ક્લોરોફોર્મને બદલે સરળતા-રસાળતા-અધિકૃતતાના અમૃતમાં ઝબોળીને જનસામાન્ય સુધી પહોંચાડે, તો ભાસ્કરાચાર્ય માટે લીધેલું ગૌરવ સાચું.

12 comments:

  1. To talk more about Sangh Parivar, I will ask you to visit RSS shakha and read book' Sangh Samayani Eran par"

    ReplyDelete
  2. શ્રીમાન ઉર્વીશભાઈ આપશ્રીએ આ લેખ લખવામાં ઘણી મહેનત કરી છે જે પ્રશંશનીય છે, મને વ્યક્તિગત રીતે આનંદ થયો કે આપ આવું સારું લખવાનો પ્રયત્ન કરો છો. આ લેખ માટે તમે સંશોધન પણ (કદાચ) કર્યું હશે.
    મને રંજ એ વાતનો છે કે તમને તમારા પોતાના લેખમાં કે તે માટેની મહેનતમાં ભરોસો નથી.શું કરવા તમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આવા લેખમાં ચીતરવો પડે છે ? શું તમને એમ છે કે RSS નું નામ હશે તો જ તમારા લેખ કોઈ વાંચશે ? તમે શું કરવા તમારી ઉચાઇ ઘટાડી રહ્યા છો ? RSS નું નામ લીધા વગર તમે નથી રહી શકતા ?

    ReplyDelete
  3. શ્રી ઉર્વીશભાઈ તમે તમારી પ્રોફાઇલ માં લખ્યું છે કે નહી વાદ વિવાદ પણ મને એ ના સમજણ પડી કે આ લેખ માં સંઘ ક્યાં આવ્યો?. કદાચ તમને વાદ વિવાદ માં પડી ને તમારો પ્રચાર તો નથી કરતા ને?.

    ReplyDelete
  4. ’આમાં સંઘ ક્યાં આવ્યો?’ એવું ભોળપણથી પૂછનારા ભાઇઓને જણાવવાનું કે તે સંઘ પરિવારનું, હવે ગુજરાતની સરકારી નિશાળોમાં પૂરક વાચન તરીકે મૂકાયેલુ પુસ્તક ’તેજોમય ભારત’ વાંચે...ત્યાર પછી મગજ ખુલ્લું હશે તો આ સવાલ પૂછવાનો નહીં રહે.

    ReplyDelete
    Replies
    1. pradushan to tamara jeva budhdhhijivo felave chhe,sangh ne jodine rotla radva a aadat thai gai chhe.
      sangh samajva nishvarth seva karvi pade chhe.je swarthi chhe a sangh thi dur bhage chhe ane virodh kari rotla seke chhe.

      Delete
    2. જાતને છેતરવા માટે સરસ દલીલ છે...બાકી, સંઘમાં હવે કેવી ’નિઃસ્વાર્થ સેવા’ની બોલબાલા છે, એ જાણવું હોય તો આંખ-કાન ખુલ્લાં રાખી જોજો.

      Delete
  5. Anonymous4:55:00 PM

    Mr. Urvish Kothari,

    If you are proud to be a good intellectual then after reading this I have to admit you are not. This is very cheap to drag RSS where it is totally irrelevant.

    If you want to comment on RSS then you should touch other topics where it could be relevant and sensible. We will support you on such subjects but this way you will loose your readers like me.

    Moreover, your are suggesting to open up ears and eyes but I think you should open up your brain.

    Hopefully, you will avoid such political and biased posts.

    Thank you.

    ReplyDelete
    Replies
    1. it seems you are not aware of RSS's book `Tejomay Bharat` which has been distributed by Guj Government as supplementary reading from this academic year.
      So, to tell you the truth, I have not dragged RSS but it's the Guj Government that has dragged RSS crap in to education. That's the relevance of my reference to RSS in the piece.
      Lastly, yes, i'm proud to be a person with sound common sense.

      Delete
  6. Anonymous5:42:00 PM

    Urvishbhai,
    Without any reason why you drag RSS. in your article? can't you understand that knowledge has no color. whats the problem if any citizen of any nation took pride for their for father? or rather I can say any good work don by any one in the world must be appreciate.with pride we can say that Bhaskaracheerya was our for father. He was not just the property of Rss. they just try to inculcate self respect of Indian. what's the problem with you.I think you should come forward for fair discussion. today I really imprecation Macolo. who did very bad with our generation because of him we argue with each other About glory of our nation.

    ReplyDelete
    Replies
    1. it seems you are not aware of RSS's book `Tejomay Bharat` which has been distributed by Guj Government as supplementary reading from this academic year.
      So, to tell you the truth, I have not dragged RSS but it's the Guj Government that has dragged RSS crap in to education. That's the relevance of my reference to RSS in the piece.
      Had you read the piece carefully, you would have discovered that there is difference in taking pride (which has been duly taken in the piece itself) & converting it in to politics of communal hatred, which is an old modus operandi of RSS.

      Delete
  7. I think If you write the book 'Tejomay Bharat' fact will not change about prosperity & contribution of our nation in field of science & technology . I think patriotism it's not the property of RSS. RSS Have no competition with any one in the field of patriotism.if you are more patriotic then RSS they will defiantly happy. Last but not the list UrvishBhai this not the time to argue with each other, but this is time to built our nation. we just not want to read our history we are the people to believe to create history. so just don' t west time to analysis others just do what you can do for our nation. this is the best way to serving our nation. As you know knowledge without practice is Zero.

    ReplyDelete
    Replies
    1. ".if you are more patriotic then RSS they will defiantly happy."
      that's quite weird and i don't agree with it. because it tries to imply that those criticized by RSS are not patriots- which is simply not true.
      It has always been time to build nation. there's no "Now". It's always forever.
      It's also quite bizarre to expect no critical analysis. and lastly, as you might also be aware, knowledge with malpractice produces Negative results.

      Delete