Sunday, September 08, 2013

માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર)ના ઐતિહાસિક ‘ડ્રીમ’ પ્રવચનની અડધી સદી : કથા સ્વપ્નની અને અઘૂરાં સ્વપ્નની

’માર્ચ ઓન વોશિંગ્ટન’ / March on Washington તેની પચાસમી જયંતિનું ડૂડલ
તા. ૨૮ ઑગસ્ટ, ૧૯૬૩. અમેરિકાના બે લાખથી પણ વઘુ લોકો પાટનગર વૉશિંગ્ટનના લિંકન મેમોરિયલ સુધી કૂચ લઇને આવ્યા હતા. તેમાં કાળા લોકોની બહુમતી હતી. કારણ કે કૂચ તેમના નાગરિક અધિકાર- સિવિલ રાઇટ્‌સ માટે હતી.

કૂચમાં જોડાયેલા ઘણા લોકોના ત્રીજી-ચોથી પેઢીના વડવા ગુલામ હતા. અમેરિકાના પ્રમુખ લિંકને ગુલામીપ્રથા નાબૂદ કર્યાનાં ૧૦૦ વર્ષ પછી કાળા અને થોડા ધોળા લોકોનો મહાસાગર ‘વી શેલ ઓવરકમ’ ગાતાં ગાતાં ‘લિંકન મેમોરિયલ’ પર ઉમટી પડ્યો. થોડે દૂર વ્હાઇટ હાઉસમાં બેઠેલા પ્રમુખ જોન કેનેડીની ધડકનો વધી ગઇ હતી. યુદ્ધ સિવાયના સમયમાં અભૂતપૂર્વ કહેવાય એવો પોલીસ અને સૈનિક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઇના કુખ્યાત કાવતરાબાજ વડા જે.એડગર હુવરની/ Edgar Hoover સૂચનાથી કિંગ સહિત કાળા લોકોના નેતાઓ પર સતત નજર રાખવામાં આવતી હતી. તેમના ફોન એફબીઆઇએ સત્તાવાર રાહે ‘હેક’ કર્યા હતા, જેથી કાળા લોકોની વ્યૂહરચના જાણી શકાય. કિંગ સામ્યવાદીઓના ઇશારે આ બઘું કરી રહ્યા હોવાની હુવરને પાકી આશંકા હતી.

વોશિંગ્ટન કૂચમાં આવેલા કાળા લોકો તોફાને ચડે એ બીકે આખા વૉશિંગ્ટનમાં જાસુસો ફેલાઇ ગયા હતા. બદનામ એફબીઆઇ ટોળાંના રોષનો ભોગ બને એવી સંભાવના લાગતાં સલામતી કડક કરવામાં આવી. એ પણ ઓછું લાગતાં સ્ટાફને બારીઓથી દૂર બેસવાની સૂચના અપાઇ હતી. આનાથી અડધી તકેદારી સમાનતાના અમલ માટે રાખી હોત તો? પરંતુ ખંધા હુવર ઉપરાંત પ્રમુખ કેનેડી પણ સુધારાવાદી ન હતા. તેમને મન કાળા લોકોની સમાનતા નહીં, પોતાની રાજકીય ગણતરીઓ વધારે મહત્ત્વની હતી.

લિંકન સ્મારકનાં વિશાળ પગથિયાં પર કાળા નેતાઓનાં ભાષણ ચાલુ થયાં. કૂચને પહેલાં નજીકમા આવેલા સંસદભવન પર લઇ જવાની યોજના હતી, પણ કેનેડી સરકારે એ માટે મંજૂરી ન આપી. એટલે ત્રણ બાજુ પાણી ધરાવતા લિંકન મેમોરિયલ પર ચળવળકારો ઉમટી પડ્યા. અમેરિકાના રાજકારણમાં કોંગ્રેસ-ભાજપ જેવા ગણાતા ડેમોક્રેટ અને રીપબ્લિકન, એમ બન્ને પક્ષના ટેકેદારો-નેતાઓ ત્યાં હતા. ભાષણોની વચ્ચે વચ્ચે ગીતો પણ ગવાતાં હતાં. ચાલુ કાર્યક્રમે કાળા લોકોના હક માટે લડનારા મહાન નેતા ડબલ્યુ.ઇ.બી.ડૂબ્વા/ W.E.B. DuBois ના અવસાનના સમાચાર આવ્યા. રંગભેદ અને જ્ઞાતિભેદના પ્રશ્ન અંગે ડૉ.આંબેડકરે ડૂબ્વા સાથે પત્રવ્યવહાર કર્યો હતો. વોશિંગ્ટનકૂચમાં તેમના અવસાનની જાહેરાત નાટકીય બની રહી.

બધાં પ્રવચન પૂરાં થયાં પછી છેલ્લે મુખ્ય નેતા ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે/ Martin Luther King Jr. માઇક સંભાળ્યું. બોસ્ટન યુનિવર્સિટીમાંથી ધર્મશાસ્ત્ર સાથે પીએચ.ડી.થયેલા ૩૪ વર્ષના ધર્મોપદેશક કિંગે સિવિલ રાઇટ્‌સની ચળવળમાં ગાંધીજીના અહિંસક પ્રતિકાર અને ખ્રિસ્તી ધર્મનાં દયા-કરૂણાનાં તત્ત્વોનું સંયોજન કર્યું હતું. વોશિંગ્ટન કૂચનાં આઠ વર્ષ પહેલાં ૧૯૫૫માં મોન્ટગોમરી બસ સત્યાગ્રહથી કાળા લોકોની સમાનતા ચળવળમાં નવો જુસ્સો પ્રગટ્યો હતો. ગોરા મુસાફરો માટે જગ્યા ખાલી કરી આપવાની ના પાડનાર કાળી મહિલા રોઝા પાર્ક્‌સ આ ચળવળનું સશક્ત પ્રતીક બની રહ્યાં અને જુવાનજોધ પાદરી કિંગ તેના નેતા. અમેરિકામાં એ સમયે કાળા અને ધોળા નાગરિકો વચ્ચે ‘સેગ્રીગેશન’ તરીકે ઓળખાતો સત્તાવાર ભેદભાવ હતો. દક્ષિણનાં ઘણાં રાજ્યોમાં કાળા લોકો સાથે નિશાળો અને પીવાના પાણીનાં જાહેર સ્થળોથી માંડીને સરકારી સુવિધાઓમાં ઉઘાડો ભેદભાવ રાખવામાં આવતો હતો. બસોમાં ધોળા લોકોની બેઠકો અલગ રહેતી અને તેમની બેઠકો ભરાઇ ગયા પછી પણ કોઇ ધોળો ઊભો હોય તો, પોતાની બેઠક પર બેઠેલા કાળાએ ઊભા થઇને જગ્યા કરી આપવી પડતી.

ઐતિહાસિક વોશિંગ્ટનકૂચના એક વર્ષ પહેલાં ડૉ.કિંગે નવેસરથી જોર પકડી ચૂકેલી રંગભેદવિરોધી ચળવળને ભેદભાવથી ખદબદતા બર્મિંગહામ શહેરમાં લઇ જવાનો નિર્ણય લીધો. તેમને ખાતરી હતી કે બર્મિંગહામમાં મોટા પાયે જંગ થશે. કારણ કે એલેબમા રાજ્યમાં આવેલું આ શહેર ઉઘાડેછોગ રંગભેદ માટે નામીચું હતું. ૧૯૬૨માં એ રાજ્યના ગવર્નર જ્યોર્જ વોલેસે હોદ્દો સંભાળ્યા પછી પહેલા જ પ્રવચનમાં  કહ્યું હતું, ‘(આઇ વિલ ફાઇટ ફોર) સેગ્રીગેશન નાઉ, સેગ્રીગેશન ટુમોરો, સેગ્રીગેશન ફોરેએવર’. (હું અત્યારે, કાલે ને સદાકાળ ભેદભાવ ટકી રહે એ માટે લડીશ) બર્મિંગહામના સરઘસમાં કાળા આંદોલનકારીઓ પર પોલીસે પાણીનો બેફામ મારો ચલાવ્યો અને પોતાના ડાઘિયા કૂતરાથી આતંક મચાવ્યો. આંદોલનકારીને લોંતિયુ લેતા કૂતરાની તસવીર જોઇને પ્રમુખ કેનેડીને ભારે ત્રાસ ઉપજ્યો. બર્મિંગહામમાં અત્યાચારથી કેનેડીએ ભેદભાવવિરોધી ખરડો આણવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી. વોશિંગ્ટનકૂચે તેની રહીસહી કસર પૂરી કરી અને સમાનતા માટે કાળા લોકોની વાજબી બેકરારીનું રાષ્ટ્રજોગ પ્રદર્શન થયું.
ત્રાસજનક ઘટનાનું સ્મારક, બર્મિંગહામ/ Bermingham, Alabama
કાળા લોકો રોષે ભરાઇને પાટનગરમાં તોફાન મચાવશે એવી કેનેડી સરકારની ધારણા ફળી નહીં. આખરે ડૉ.કિંગનો વારો આવ્યો. ટીવી યુગની એ શરૂઆત હતી. આખા કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું, જે પ્રમુખ કેનેડી વ્હાઇટ હાઉસમાં બેસીને અદ્ધર જીવે જોઇ રહ્યા હતા. ડૉ.કિંગે પ્રવચન શરૂ કર્યું, કાળા લોકોની હાલત વિશે વાત કરી, પણ બે લાખની મેદનીમાં હજુ વાત પકડાતી ન હતી. એક અહેવાલ પ્રમાણે, આ જોઇને ધાર્મિક સંગીતનાં પ્રખ્યાત ગાયક મહૈલ્યા જેકસને બૂમ પાડીને કહ્યું, ‘ટેલ ધેમ એબાઉટ ધ ડ્રીમ, માર્ટિન.’ (પેલી ડ્રીમવાળી વાત કરો.) ડૉ.કિંગ અગાઉ અનેક વાર પોતાના સ્વપ્નની વાત કહી ચૂક્યા હતા. એટલે તેમણે કૂચ જેવા મહત્ત્વના પ્રસંગે નવું પ્રવચન તૈયાર કર્યું હતું. પરંતુ મેદનીના શાંત પ્રતિસાદ અને જેક્સનના સૂચન પછી ડૉ.કિંગના મોઢેથી શબ્દો નીકળ્યા, ‘આઇ હેવ એ ડ્રીમ’/ I have a dream...મારું સ્વપ્ન છે કે એક દિવસ આ દેશ જાગશે અને અને તેના સાચકલા હાર્દને જીવી બતાવશે...

એ સાથે જ બે લાખની મેદનીમાં પહેલી વાર જીવંતતાનો સંચાર થયો. ડૉ.કિંગે તૈયાર કરેલું પ્રવચન ફગાવીને ‘આઇ હેવ એ ડ્રીમ’ની ધ્રુવપંક્તિ સાથે સમાનતાનો સંદેશ જોડીને બીજી વાતો કરી. (‘હું એવા ભવિષ્યની કલ્પના કરું છું, જેમાં મારાં બાળકોને તેમની ત્વચાના રંગથી નહીં, પણ તેમના ચરિત્રથી ઓળખવામાં આવશે.’) પ્રવચન આગળ ચાલ્યું તેમ આખી મેદની આંદોલિત થઇ ઉઠી. ‘ડ્રીમ ઑન’ના પોકાર ઉઠવા લાગ્યા. વ્હાઇટ હાઉસમાં ટીવી પર પ્રવચન સાંભળતા જોન કેનેડીની પ્રતિક્રિયા હતી, ‘હી ઇઝ ગુડ..હી ઇઝ ડેમ ગુડ.’ જોકે, તેમના સાથીદારે નોંઘ્યું છે કે પ્રમુખની પ્રશંસા ડૉ.કિંગના ઘ્યેય માટે નહીં, તેમની વક્તૃત્વકળા માટે હતી.

લિંકન મેમોરિયલથી ડૉ.કિંગ સહિતના પ્રતિનિધિઓ પ્રમુખને મળવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને ભાગ લેનારા લોકો શાંતિપૂર્વક વિખેરાયા. માલ્કમ એક્સ જેવા ઉગ્ર કાળા નેતાએ ભલે ‘માર્ચ ઓન વોશિંગ્ટન’ને ‘ફાર્સ ઓફ વોશિંગ્ટન’ તરીકે ઓળખાવી હોય, પણ એ કૂચનું ‘આઇ હેવ એ ડ્રીમ’ વીસમી સદીનાં સૌથી યાદગાર પ્રવચનોમાં સ્થાન પામી ચૂક્યું હતું.(એક લેખકે હળવાશથી નોંઘ્યું છે કે ૨૮ ઓગસ્ટના આખા દિવસમાં પહેલી વાર, સાંજે ચાર વાગ્યે વોશિંગ્ટનના પોલીસવડાએ તેમના સ્ટાફને હુકમ આપ્યો- કે તમને આપવામાં આવેલા તૈયાર ખોરાકનાં પડીકાંને અડશો નહીં. એ બગડેલાં છે.)

*** 

૨૮ ઓગસ્ટ, ૨૦૧૩. એ જ લિંકન મેમોરિયલની જગ્યા પર વોશિંગ્ટનકૂચના માંડ પચાસ વર્ષ પછી, એક કાળો માણસ અમેરિકાના પ્રમુખ તરીકે ગૌરવભેર ઊભો હતો. તેની સાથે બિલ ક્લિન્ટન અને જિમી કાર્ટર જેવા ભૂતપૂર્વ પ્રમુખો પણ હાજર હતા. કડક સુરક્ષા વ્યવસ્થા અને વરસાદ વચ્ચે મોટી મેદની વોશિંગ્ટનકૂચનાં પચાસ વર્ષ ઉજવવા માટે ઉમટી પડી.

સમાનતાનો સંઘર્ષ :  પચાસ વર્ષ પછી બદલાયેલું સ્વરૂપ, નવા પડકાર
વચ્ચેના પચાસ વર્ષમાં ઘણું બદલાયું. વોશિંગ્ટન કૂચ પછી ‘સેગ્રીગેશન’ (ભેદભાવ) નાબૂદ કરતો કાયદો આવ્યો. જોન કેનેડી અને ડૉ.કિંગ બન્નેની હત્યા થઇ. બન્ને હત્યાઓ માટે અનેક અટકળો વહેતી થઇ. તેમાં સૌથી તાજો ઉમેરો અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો તફડાવનાર સ્નોડેનનો છે. હાલ રશિયામાં રાજ્યાશ્રય મેળવનાર એડવર્ડ સ્નોડેને બરાબર ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩ના દિવસે સીઆઇએનો ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યો. તેમાં, સ્નોડેનના કહેવા પ્રમાણે, એવું લખ્યું હતું કે ‘આ કાળા લોકો ફક્ત જાહેર શૌચાલયો અને નકામો એવો મતાધિકાર માગે છે, એવું પહેલાં લાગતું હતું. પણ પેલો કાળીયો (નીગર) કિંગ હદ વટાવી ગયો છે અને એ ખરેખર પરિવર્તન માગે છે. એ મજદૂરોને પણ સંગઠિત કરવા ઇચ્છે છે. ગમે તે ભોગે એને હટાવો.’

પચાસ વર્ષ પછી જોકે, ભૂતકાળની કાવતરાંબાજી કરતાં વધારે મહત્ત્વ વર્તમાન પરિસ્થિતિનું છે. રંગભેદ તો હજુ ઓછેવત્તે અંશે છે જ, પણ કેટલાક ચળવળકારોને લાગે છે કે એક કાળો માણસ અમેરિકાનો પ્રમુખ બની ગયો, એટલે રંગભેદના વિરોધમાં ઝુંબેશ ચલાવવાનું વધારે અઘરૂં બની ગયું છે. કારણ કે સાચી સ્થિતિ ન જાણનાર કે ન જાણવા માગનાર કોઇ પણ હવે કહી શકે છે, ‘તમારા પ્રમુખ તરીકે કાળો માણસ છે, એથી વધારે સમાનતા કઇ હોઇ શકે?’

વોશિંગ્ટનકૂચની આખી વાત એટલી પ્રેરક છે કે તે લખનાર-વાંચનાર સૌ કોઇના મનમાં ‘ડ્રીમ’ પેદા કરી શકે. એક ભારતીયના મનમાં એવું પણ સ્વપ્ન જાગે કે કોઇક દિવસ દલિતો આંતરિક ભેદભાવોથી ઉપર ઉઠીને, આવી એક ચળવળ ઊભી કરી, જેનું ચરમબિંદુ આવું એક અહિંસક શક્તિપ્રદર્શન હોય. તેનાથી રાજકીય-સામાજિક નેતાગીરી પર દબાણ ઊભું થાય. એટલું જ નહીં, દલિત-બિનદલિત સૌ કોઇને જ્ઞાતિઆધારિત ભેદભાવોની ગંભીરતા અને તેમાં રહેલા અન્યાયનો ખટકો લાગે.

સ્વપ્ન જ છે, પણ કોને ખબર...?

1 comment:

  1. Anonymous12:32:00 PM

    કીંગની હત્યા પછી અશ્વેતોની ચળવળ આગળા ચાલી.માલકમ એક્સ આગળ આવ્યો.ઇસલામ ધર્મા અંગીકાર કરી સનસનટી મચાવી દીધી.
    એના શબ્દોમાં ઇસ્લામ માટેનું કબુલનામું.
    Malcolm X
    “I am a Muslim, because it's a religion that teaches you an eye for an eye and a tooth for a tooth. It teaches you to respect everybody, and treat everybody right. But it also teaches you if someone steps on your toe, chop off their foot. And I carry my religious axe with me all the time.”
    ― Malcolm X
    Malacolm xની હત્યા 1965માં કરી નાંખવામાં આવી.અશ્વેતો પોતાના roots શોધવા લાગી.એલેક્સક્ષ હેલે(Alex Haley)e 1976માં Roots લખી અમેરિકામા અશ્વેત ક્રાંતિનાં પાછાં હકારત્મકા બણગાં ફૂંકાયા.કુંતા-કુંતેની પ્રજા 200 વરસ પહેલાં અમેરિકામા ગુલામ બની આવી.39મિલિયન કળા આફ્રિકનોએ નર્કની જિંદગી ગુજારી. Alex Haley's Roots is the monumental two-century drama of Kunta Kinte and the six generations who came after him. By tracing back his own roots, Haley tells the story of 39 million Americans of African descent. He has rediscovered for an entire people a rich cultural heritage that ultimately speaks to all races everywhere, for the story it tells is one of the most eloquent testimonials ever written to the indomitability of the human spirit.
    એલાયજા મોહંમદએ પહેલાંજ ઘોષણાં કરી ચૂક્યો હતો એ આપણી જાતિનાં મૂળ અફ્રિકન મુસ્લિમો સાથે છે.હજારો અશ્વેતો એ ઇસ્લામ સ્વીકારી લીધો.અમેરિકામાં 50,0000 જેટલા અશ્વેત મુસ્લિમો છે.ન્યુયોર્કમાં 250 જેટલી મસ્જિદો છે
    Elijah Muhammad
    Elijah Muhammad : Biography
    Elijah Poole was born in Sandersville, Georgia, on 7th October, 1897. In 1923 he moved to Detroit where he joined the Nation of Islam, a black nationalist and religious organization founded by Wallace Fard. Poole accepted Fard's teachings that African Americans could obtain success through discipline, racial pride, knowledge of God, and physical separation from white society.
    Poole took the name Elijah Muhammad and became Fard's assistant. When Wallace Fard mysteriously disappeared in June 1934, Muhammad became the new leader of the Nation of Islam (sometimes called Black Muslims). Muhammad, claimed that Fard was Allah (God) and that he had selected him as his messenger.
    Under the leadership of Muhammad, Black Muslims purchased large areas of land in the Deep South, invested in business ventures and had its own paramilitary force. Members were also instructed to completely abstain from all drugs.
    During the Second World War Muhammad advised his followers to avoid the draft. This led to him being charged with violating the Selective Service Act and was jailed between 1942 and 1946.
    After his release from prison, Muhammad he gradually built up the membership of the Black Muslims. He described African Americans as the chosen people and urged the adoption of a religion based on the worship of Allah. Muhammad also called for the establishment of a separate nation for African Americans.
    In the late 1950s Malcolm X emerged as the most important figure after Muhammad in the Nation of Islam. He went on several speaking tours and helped establish several new mosques. He was eventually assigned to be minister of the mosque in New York's Harlem area. Founder and editor of Muhammad Speaks, Malcolm became more extreme in his views.
    In 1963 Malcolm X was suspended from the movement by Muhammad after he made a series of extremist speeches. This included his comments that the assassination of John F. Kennedy was a "case of chickens coming home to roost". In March 1964 Malcolm left the Black Muslims and established his own religious organization, the Organization of Afro-American Unity.
    After a pilgrimage to Mecca, Malcolm rejected his former separatist beliefs and advocated world brotherhood. Malcolm X was shot dead at a party meeting in Harlem on 21st February, 1965. ThreeBlack Muslims were later convicted of the murder.
    Elijah Muhammad died in Chicago on 25th February, 1975. After his death, his son became leader of the Muslim American Community whereas the Black Muslims were led by Louis Farrakhan.

    ReplyDelete