Saturday, May 16, 2009

હાશ!

‘ચાલતા યંત્રે’ કેટલુંકઃ

  • શરદ પવાર, જયલલિતા, લાલુપ્રસાદ યાદવ, માયાવતી, મુલાયમસિંઘ યાદવ, પ્રકાશ કરાત- આ લોકોમાંથી કોઇ વડાપ્રધાન નહીં બને. માયાવતી વડાપ્રધાન બને તે એક રીતે એવું લાગે કે સારૂં, પણ પછી થાય કે તેમનાં લક્ષણ સમાનતા માટેનાં લડવૈયાનાં નથી. બીજા કોઇ પણ મહાભ્રષ્ટ અને સત્તાનો દુરૂપયોગ કરનારા નેતા જેવાં જ એ છે.
  • નરેન્દ્ર મોદી દિલ્હી જશે પછી ગુજરાતમાં કોનો વારો? એમ વિચારનારા અને પોતાના વારાની રાહ જોઇને બેઠેલા સૌએ હવે વઘુ રાહ જોવાની થઇ છે. ચાલુ શબ્દોમાં કહીએ તો, ઝાડ રહ્યું ને જગ્યા ગઇ!
  • વડાપ્રધાન બનવાની અડવાણીની ઇચ્છા અઘૂરી જ લઇને અડવાણીને સન્યાસ લેવો પડશે. અડધાપડધા કવિ વાજપેયી એમના કરતાં નસીબવાળા નીકળ્યા એમ કહેવા કરતાં, ભારતની તાસીર એ વધારે સમજ્યા એમ કહેવું પડે. કટ્ટરતાનું રાજકારણ ખેલનારા અડવાણીની સ્વીકૃતિ કદી એક હદથી વધી નહીં અને મોદી એમના જ પંથે ચાલી રહ્યા છે. મોદીને પીએમ-ઇન-વેઇટિંગ જાહેર કર્યા તે ભૂલ હતી, એવો ભાજપી એકરાર પણ સાંભળવા મળ્યો છે.
  • કોંગ્રેસે અને ભાજપે એક થઇ જવું જોઇએ એવી થીયરી ચલાવનારા ચિંતકો-સમીક્ષકો અને તેમના અનુયાયીઓને હવે પાંચ વર્ષ આરામ મળશે.
  • ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અઠવાડિયાથી ‘મિસાઇલ મોદી’ લખી લખીને ભક્તિમાર્ગે ચઢી ગયું હતું. હવે આવતી કાલે એમાં શું મથાળું હશે? ‘મિસાઇલ મોદી બેકફાયર્ડ?’

1 comment:

  1. Dear Urvishbhai
    Long before i had read your articles on Swadhyaya movement. May be that was in AAsPaas or some other magazine. I hed kept copy of the same but i lost it somehow.
    In one of the article,may that was last in the series,you had mentioned quotation from one senior swadyayibhai. The quotation was some what like this " Gyani ko dakhkhan bhalo, bhavik ko utter ..... Dhongi ko bhalo Gujarat. " Can u recall this quatation and this old saying? please publish the same on your blog again.

    ReplyDelete