Tuesday, March 17, 2009

વિનોદ મેઘાણીની સ્મૃતિસભા

આ શનિવારે, તા. ૨૧ માર્ચની સાંજે ૫:૩૦ વાગ્યે, એચ.કે.કોલેજ (આશ્રમ રોડ, અમદાવાદ)ના કોન્ફરન્સ હોલમાં વિનોદ મેઘાણીની સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંજય ભાવે, સૌમ્ય જોશી, જિજ્ઞેશ મેવાણી જેવા મિત્રો તેમાં વિનોદભાઇના જીવન અને કર્તૃત્વ વિશે વાત કરશે. સાહિત્ય, વિનોદભાઇ, ‘સળગતા સૂરજમુખી’ના પ્રેમીઓએ હાજર રહીને વિનોદ મેઘાણી-સ્મરણમાં સહભાગી બનવા નિમંત્રણ.

બહારગામ-વિદેશ વસતા મિત્રો-સ્નેહીજનોને વિનોદભાઇ વિશે ખાસ કંઇ કહેવાનું હોય, કોઇ પ્રસંગવિશેષ કે અનુભવ જણાવવાનો હોય તો આ પોસ્ટની કમેન્ટ તરીકે લખી મોકલે. એ સંજયભાઇનો પહોંચાડવાની જવાબદારી મારી. એ યોગ્ય લાગે તો/એ રીતે ઉપયોગમાં લઇ શકે છે.

1 comment:

  1. Anonymous3:11:00 PM

    હું મોડો છુ - http://haritkothari.wordpress.com/2009/02/16/a-true-youngster/

    ReplyDelete