Monday, March 23, 2009

આઇપીએલ અને મોદીઓની મેલી મથરાવટી

બીસીસીઆઇ નામની એક ક્લબની પેટાશાખા જેવી આઇપીએલ ટુર્નામેન્ટના ‘કમિશનર’ લલિત મોદીએ જે તોરથી આઇપીએલ અને ચૂંટણીને અકારણ આમનેસામને ઊભાં કરી દીધાં છે, એ નવાઇ લાગે એવું છે. પોતાના હાથમાં ક્રિકેટરૂપી ચોટલી હોય એટલે જાણે સર્વસત્તાધીશ થઇ ગયા હોય એવું લલિત મોદીનું વલણ રહ્યું છે.

ચૂંટણીની સમાંતરે આઇપીએલ ન યોજાવી જોઇએ, આટલી સાદી વાત સમજવાને બદલે મોદી લલિત તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી બેઠા અને ટુર્નામેન્ટને બહાર લઇ જવાની જાહેરાત કરી, તો બીજા મોદી- મોદી નરેન્દ્રભાઇ- મુંબઇ પરના હુમલા પછી રોકડી કરવા કૂદી પડ્યા હતા એ જ સ્ટાઇલથી રાજકીય બેટિંગ કરવા આવી ગયા અને કહ્યું કે આઇપીએલ પરદેશમાં રમાય તે રાષ્ટ્રિય શરમની વાત છે. જે સરકાર ૧૧ ખેલાડીઓનું રક્ષણ નથી કરી શકતી તે ૧૧૧ કરોડ નાગરિકોનું શી રીતે રક્ષણ કરી શકશે વગેરે...

હકીકત નં.૧
આઇપીએલને ભારતીય શરમ કે ગૌરવ સાથે કશી લેવાદેવા નથી.
હકીકત નં.૨
નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રિય શરમ સાથે કશી લેવાદેવા નથી. (ચિદમ્બરમે રાજકીય આરોપોનો રાજકીય જવાબ આપતાં આજે ‘અસલી રાષ્ટ્રિય શરમ’ની યાદ તાજી કરાવી આપી છે.)
હકીકત નં.૩
સવાલ ૧૧ ખેલાડીઓના રક્ષણનો નથી. સરકારે ચૂંટણીની સમાંતરે ટુર્નામેન્ટ યોજવા બાબતે સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે. ચૂંટણી સિવાય સલામતીનો કોઇ પ્રશ્ન નથી એ વાત ભારપૂર્વક કહેવાઇ છે. મોદીએ આખી વાતનું વિકૃત સરળીકરણ કર્યું છે. સ્ટેડિયમમાં મેચ યોજાતી હોય ત્યારે સવાલ ફક્ત ૧૧ જણની સલામતીનો નથી હોતો, એ પણ એક મુખ્ય મંત્રીએ યાદ રાખવું જોઇએ.
હકીકત નં.૪
આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં સ્ટોરી છે કે ગુજરાતના ડીજીપીએ પણ ૧૫ એપ્રિલથી ૩ મે સુધી ગુજરાતમાં પણ સલામતી પૂરી પાડવા માટે અશક્તિ જાહેર કરી છે.
http://www.expressindia.com/latest-news/cm-accuses-centre-of-compromising-with-countrys-prestige-on-ipl/437681/

હકીકત નં.૫
ચિદમ્બરમે કરેલી જાહેરાત પ્રમાણે અત્યાર સુધી ફક્ત ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે આઇપીએલ યોજવાની લેખિત સંમતિ આપી છે અને એ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.
હકીકત નં.૬
લલિત મોદી આઇપીએલના માલિક ઉદ્યોગપતિઓનો ઝંડો નીચો ન પડે એ માટે આતુર હોય અને નરેન્દ્રભાઇ મોદી એ ઉદ્યોગપતિઓને જીતી લેવા માગતા હોય એ સમજાય એવું છે, પણ અમદાવાદમાં બોમ્બધડાકા અને સુરતમાં ન ફૂટેલા બોમ્બનો આતંક મોદી આટલો જલદી કેમ ભૂલી ગયા?

લલિત મોદીના ઉદ્ધત અભિગમ અને ગેરવાજબી વિવાદ અંગે ઇન્ડિયન એક્સપ્રેસનો આજનો તંત્રીલેખ વાંચવા જેવો છે. http://www.indianexpress.com/news/cricket-hijacked/437652/
પ્રકાશભાઇ (પ્રકાશ ન.શાહ) ઘણા વખત પહેલાં ચૂંટણીને બદલે આઇપીએલને પ્રાધાન્ય આપવાના બિઝનેસ વિશે ‘દિવ્ય ભાસ્કર’માં લખી ચૂક્યા છે. આઇપીએલ પરદેશમાં જાય એ બાબતે આજે ‘ભાસ્કર’ના તંત્રીને પહેલા પાને અભિપ્રાય-લેખ લખ્યો છે. અખબારનું મુખ્ય મથાળું પણ મઝાનું છે. ‘આઇપીએલ ભારતમાંથી આઉટઃ ગુજરાતની તૈયારી’. કેમ જાણે, ગુજરાત ભારતની બહાર હોય!

1 comment:

  1. I am not a cricket lover, my concern is with people who love cricket (i.e. all Indians). I felt the same way as U did. Its a 'double modi' (double whammy) situation! One Modi took-out IPL outside India purely for business profits (damn with Indians), other Modi boasts of inviting IPL in Guj, surely for political

    profits (damn with Indians)!
    I sent this sms to 100 friends, that morning : "Regarding IPL - orchastrated by NaMo, what Gujarati media and middleclass is saying effectively ? 'U may push n hold election out of India, but not IPL, U duffer!'"

    Lalit Modi & company (including all our celebrities who own a team) are more concerned about their money. So if as a cricket lover U want to blame somebody, its them. An Indian League playing outside India, what a global idea Sirji! and for our own Modi - NaMo - he just wanted to SCORE, which he did , with his core constituency of aspiring middle-class. So the contradictory facts that Urvish recounts are not unknown to NaMo. The biggest worry is people beleiving him, because they care for cricket but not for elections anyway. What will happen? IPL will be successful because 90% of people see it on TV and 100% revenue come from that advertising! Election will be affected because IPL will play during election period and people will WATCH and not VOTE.
    - Kiran Trivedi

    ReplyDelete