Tuesday, November 23, 2010

જન ગણ મન કળાનાયક...

Nobel Prize Citation

Gandhiji & tagore at Shantiniketan

translations of Geetanjali

Hellen Keller with Tagore; her 'touching' impression of Tagore in her own handwritings

Sanskriti yatra train

રવીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલવેએ પાંચ ડબ્બાની એક ખાસ ટ્રેનમાં પ્રદર્શન તૈયાર કર્યું છે. દેશમાં ફરતું ફરતું એ પ્રદર્શન ત્રણ દિવસ માટે અમદાવાદ આવ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો. (એ યાદ કરાવતો મુ.મહેન્દ્રભાઇ મેઘાણીનો ફોન પણ એમની રાબેતા મુજબની ભાર વગરની ચોક્સાઇ સાથે આવી ગયો.) એટલે આજે સવારે અમદાવાદ સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મ પર ગોઠવાયેલું ‘એક્ઝિબિશન ઓન વ્હીલ્સ’ જોયું.

રવીન્દ્રનાથ ટાગોર જેવી કળાક્ષેત્રની હસ્તીને યાદ કરીને તેમના માટે આવું પ્રદર્શન વિચારવામાં આવે, એ અભિનંદનને પાત્ર છે. પ્રદર્શનમાં રવીન્દ્રનાથ, તેમનાં પરિવારજનો અને શાંતિનિકેતન ઉપરાંત વિવિધ મહાનુભાવો સાથે રવીન્દ્રનાથની ઘણી તસવીરો જોવા મળી. ‘ગીતાંજલિ’ના વિવિધ ભાષામાં પ્રકાશિત અનુવાદોનાં મુખપૃ્ષ્ઠ બહુ રસ પડે એવાં હતાં.

એક ડબ્બો રવીન્દ્રનાથનાં ચિત્રોનો જ હતો. પાંચે ડબ્બામાં ફરતી વખતે બંગાળી અવાજોમાં રવીન્દ્રસંગીતની સુરાવલિઓ સંભળાતી હતી. છેલ્લા ડબ્બામાં રવીન્દ્રનાથની છબી કે ચિત્રો ધરાવતી કેટલીક ચીજો ઉપરાંત શાંતિનિકેતનની હસ્તકલા તરીકે શોપિંગપ્રિય પ્રજાને ગમે એવી કેટલીક ચીજો –પર્સ ઇત્યાદિ- પણ હતી. ભલું થાવ આયોજકોનું કે શાંતિનિકેતનમાં બનેલાં સંદેશ-રસગુલ્લાં વેચાતાં ન હતાં.

આ પ્રકારના ઉપક્રમને આવકાર્યા પછી પણ તેમાંથી કેટલીક મૂળભૂત અપેક્ષાઓ મોટે ભાગે સંતોષાયા વગરની રહેતી હોય છે. ટાગોર-ટ્રેનમાં પણ એવું જ બન્યું.

  • ઇ.સ.2010નું પ્રદર્શન હોય અને તે ઇન્ટરએક્ટિવ કેમ ન હોય?
  • આખા પ્રદર્શનમાં ક્યાંય રવી્ન્દ્રનાથનો અવાજ અને ફિલ્મ (હાલતાચાલતા રવીન્દ્રનાથ) ક્યાંય ન દેખાય એ કેમ ચાલે? એક જાણીતી ડોક્યુમેન્ટરીમાં રવીન્દ્રનાથ ટાગોરના અવાજમાં રેકોર્ડ થયેલું જનગણમન... છે. પ્રદર્શનમાં ચારે અંતરાવાળું આખું જનગણમન... મૂકેલું હતું. તેની નીચે બટન દબાવવાથી રવીન્દ્રનાથના અવાજમાં એ સાંભળવા મળે એવી વ્યવસ્થા ન થઇ શકે? ટેકનોલોજીની રીતે એ કરવું અઘરું નથી.
  • આપણાં ઘણાં સંગ્રહસ્થાનોમાં બને છે તેમ, તસવીરોની નીચે ફોટોલાઇન ન હોય અથવા અધૂરી હોય એવું શા માટે? શાંતિનિકેતનની એક તસવીરમાં વિદ્યાર્થીઓ એક વડીલને વીંટળાઇને બેઠા હોય અને એની કશી ફોટોલાઇન જ ન હોય (- અને એ વડીલ શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન હોય)...
  • આ પ્રકારનાં પ્રદર્શનોની કક્ષા જોતાં એવું લાગે, જાણે તે સ્કૂલનાં બાળકોને ધ્યાનમાં રાખીને યોજાતાં હશે. જો એમ જ હોય તો આયોજકોએ સ્કૂલનાં બાળકોની કક્ષા વિશે નવેસરથી વિચાર કરવો રહ્યો. કેમ કે ડિજિટલ યુગનાં બાળકોને આવાં પ્રદર્શનોથી કેટલી હદે આકર્ષી શકાય એ સવાલ., આ જાતનાં પ્રદર્શનમાં કોઇ ઉત્સાહી જ નહીં, જાણકાર પણ હોય એવા શિક્ષક સાથે હોય તો જ વિદ્યાર્થીઓને પણ કંઇક જાણવા મળે- અને વડીલો માટે તો એ વિકલ્પ પણ નથી
Photo Reproductions : courtesy : Sanskriti Yatra Train Exhibition

3 comments:

  1. it happened because he was a Nobel laureate or wrote the masterpiece called 'geetanjali'?

    or is it because the railways ministry is under a Bengali politician?

    will we have similar trains for Jnanpeeth laureates like umashankar, pannalal, rajendra and scores of others in other languages?

    or classical poet like kalidas will have his turn only somebody from ujjayini gets the railways portfolio?

    ReplyDelete
  2. Anonymous5:23:00 AM

    I'm glad to know that atleast some effort was put in, and wouldn't it be nice to get the inspiration to do similar or better exhibitions that can travel like this one, for other great personalieities!

    ReplyDelete
  3. Neerav Patel > What difference does it make? Why should you be so petty minded? Be glad for the lofty beginning!

    ReplyDelete