Friday, January 02, 2009
મહેન્દ્ર મેઘાણી તરફથી સપ્રેમ
‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશન પ્રસંગે યોજાયેલી હાસ્યઅદાલતમાં ફક્ત મંચ ઉપર જ નહીં, મંચની સામે પણ એવાં સન્માનનીય વ્યક્તિત્વો બેઠેલાં જોવા મળ્યાં હતાં કે તેમને જોઇને આનંદ અને અમુક જણના કિસ્સામાં સાર્થકતાની લાગણી થાય. એવું એક નામ એટલે મુરબ્બી મહેન્દ્રભાઇ મેઘાણી.
પોસ્ટકાર્ડની પાછળ એમણે આ સૂચક પંક્તિઓ ટાંકી છેઃ
કાર્યક્રમ પછી બીજા દિવસે પ્રતિભાવ તરીકે તેમણે લખેલું પોસ્ટકાર્ડ અહીં મૂક્યું છે. લાગણી અને લાગણીપૂર્વકની ટકોર બદલ મહેન્દ્રભાઇનો આભાર. એટલી સ્પષ્ટતા કે હોલ પર ઉમટેલા લોકોમાં ફક્ત મારા જ નહીં, બીજા ઘણા લેખકોના ચાહકોનો પણ સમાવેશ થતો હતો.

આખરને અવસરીયે ભણું
જુહાર જ્યાં વારંવાર,
ત્યારે જ મેં અરે જાણ્યું, મારે
આવડો છે પરિવાર!
- રાજેન્દ્ર શાહ
Subscribe to:
Post Comments (Atom)
Urvishbhai.TAMARI SACHE J IRSHA AAVE CHHE.but you deserve respect and love from such a great persons.
ReplyDelete