Monday, September 01, 2008

હું, તમે ને ગામ # મોરારીબાપુઃ સરવૈયું અને થોડી છૂટક એન્ટ્રી

વિચારતો હતો કે ‘નમસ્કાર’ (ઓગસ્ટ, 2008)માં છપાયેલું મોરારીબાપુનું ગુજરાતના મુખ્ય મંત્રી વિશેનું અવતરણ અને બીજી થોડી વાતો ‘નિરીક્ષક’માં મુકું. પણ તે પહેલાં મુખ્ય મંત્રીના ‘નોટ સો અર્નેસ્ટ, નોટ સો યંગ’ ઇમેજ મેનેજર ગુણવંત શાહે પોતાની ‘ચિત્રલેખા’ની કોલમમાં મુખ્ય મંત્રીનાં વખાણનાં ગાડાં ઠાલવતું મોરારીબાપુનું નિવેદન શબ્દશઃ મુકી જ દીધું. તે પહેલાં તેમના બીજા માનદ્ ક્લાયન્ટ- એન્કાઉન્ટરબાજ અફસર વણઝારા વિશે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપેલાં વખાણ ગુણવંત શાહે હોંશભેર – એક વ્યવસાયિક એડ એજન્સીની ચીવટ અને જવાબદારીથી- ‘ચિત્રલેખા’ની કોલમમાં ઉતાર્યાં હતાં. આને ડાયવર્ઝન કહીશું કે ડાયવર્સીફીકેશન?

-પણ મુખ્ય વાત મોરારીબાપુની છે. રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) કહે છે એટલે માની લઉં છું કે ‘બાપુ’ એ પ્રાદેશિક-વ્યવસાયગત સંબોધન છે અને ‘મોરારીદાસ’ લખીને અવિવેકી બનવાનું કોઇ કારણ નથી. હા, મિત્ર દીપક સોલિયાએ એક-બે વર્ષ પહેલાં લખેલું શીર્ષક અને તેનો ભાવ બન્ને સાથે હું પૂરો સંમત છું: ‘મઝાના માણસ મોરારીભાઇ.’

મોરારીબાપુ લોકપ્રિય કથાકાર, નમ્ર, પ્રેમાળ, કળા-સાહિત્યના પ્રેમી અને આશ્રયદાતા, ભિન્નમત ધરાવનારને જીતી શકનારા, મગજમાં પવન ન ધરાવતા, ધાર્મિક રીતે સહિષ્ણુ, ઉત્તમ યજમાન અને આર્થિક રીતે સમૃદ્ધ માણસ છે, એ વિશે ભાગ્યે જ મતભેદ હશે. આટલા ગુણ ધરાવનારને સજ્જનના ખાનામાં મુકવાનું બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ તેમની સજ્જનતાને પૂજ્યતામાં ખપાવવાના પ્રયાસો થાય ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એવું થવામાં તેમનો વ્યવસાય (કથા) અને ગેટ અપ (બાહ્ય દેખાવ) પોતાની અસર પાડ્યા વગર રહેતાં નથી.

આમજનતા બીજા ઘણા કથાકારો-મહારાજો-બાવાબાવીઓની જેમ મોરારીબાપુ પાછળ ઘેલાં કાઢે છે. તેમનાં ‘દર્શન’ કરવા હડી કાઢે છે. એ લોકોને મોરારીબાપુના ઉપર લખેલા મોટા ભાગના ગુણ સાથે કશી લેવાદેવા હોતી નથી. એ આખો અધ્યાત્મનો બિઝનેસ છે, જે મોરારીબાપુના સાત્ત્વિક લાગતા સામ્રાજ્યનો પાયો છે. મોટા ભાગના સાહિત્યકારો-લેખકો સર્જકતા કે બુદ્ધિની રીતે સરેરાશ માણસ કરતાં ચડિયાતા હોય તો પણ માનસિકતાની બાબતે એ સરેરાશ જ હોય છે. મોરારીબાપુ પ્રત્યેના તેમના અહોભાવમાં મુખ્યત્વે એ સરેરાશપણું જ કામ કરી જાય છે.

વધારાનું વજન મોરારીબાપુના ઉપર જણાવેલા ગુણો અને ખાસ કરીને નમ્રતાપૂર્વક આશ્રય આપવાની તેમની લાક્ષણિકતાથી ઉમેરાય છે. માનપાનથી વંચિત હોય કે ન હોય એવા સૌ સાહિત્યકારો મોરારીબાપુના વિનમ્ર દરબારમાં મળતી સરભરાથી ભીના ભીના થઇ જાય છે. મોરારીબાપુ તેમને કદી કહેતા નથી કે તમે કોલમોમાં મારો પ્રચાર કરો. છતાં, મોટા ભાગના કૃતજ્ઞ લેખકો-સાહિત્યકારો વગર કહ્યે મોરારીબાપુનાં ગુણગાન ગાય છે. બહુ ઓછા લોકો તેમાં પ્રમાણભાન જાળવી શકે છે. ‘પૂજય મોરારીબાપુ’ કે ‘પૂજ્ય સંતશ્રી મોરારીબાપુ’ થી શરૂ થતી કોઇ પણ વાતને પ્રમાણભાન વગરની કહી શકાય. કોઇ લેખક કે સાહિત્યકારને મોરારીબાપુ ‘પૂજ્ય’ કે ‘સંત’ લાગતા હોય તો એ તેમની અંગત માન્યતા છે. જાહેર લખાણમાં સર્વસ્વીકૃત વિશેષણ તરીકે લખવાથી છેવટે એવી સ્થિતિ પેદા થાય છે કે ‘પૂ.મોરારીબાપુ’ સિવાય તેમનો ઉલ્લેખ થઇ જ ન શકે.

પ્રમાણભાનમાં ચૂકની આ શરૂઆત છે. પછી એવું થાય છે કે સમારંભ સાહિત્યનો હોય કે ગુજરાતી ફિલ્મોનો કે એક્સવાયઝેડ વિષયનો, મોરારીબાપુ આશીર્વચન આપવા તેમાં હોય જ અને મોરારીબાપુ હોય એટલે ઓડિયન્સની ચિંતા ન કરવી પડે. એટલે આયોજકો પણ રાજી. મોરારીબાપુ કહે પણ ખરા કે ‘મારે તો સામે બેસવું હતું, પણ આ લોકોએ મને સ્ટેજ પર બેસાડી દીધો.’ તેમની આ ભવ્ય લાચારી જોઇને આપણા હૃદયમાં આ ભલા માણસ માટે અનુકંપા જાગે.

‘અસ્મિતાપર્વ’ પછી મોરારીબાપુની સાહિત્યસેવા વિશે વાત કરવાનું બહુ ચાલે છે. સાહિત્યને આશ્રય આપનારા તો બીજા પણ છે. મોરારીબાપુએ સાહિત્ય ઉપરાંત સાહિત્યકારોને પણ આશ્રય આપ્યો છે. બદલામાં તેમને સાહિત્ય પરિષદથી માંડીને સાહિત્ય સમારંભોમાં શીર્ષસ્થ અને અપ્રમાણસરનું સ્થાન મળે છે. સાહિત્યકારો અને કળાકારો ચીતરી ચડે એ હદે મોરારીબાપુની આરતી ઉતારે છે અને તેમને સામાન્ય બુદ્ધિ ધરાવનારા લોકોમાં અળખામણા કરી મુકે છે.

મોરારીબાપુ સામે વાંધો પડે એવી મુખ્ય બાબત છેઃ તેમનો ઠેકાણા વગરનો શબ્દવ્યાપાર. જો એ જ તેમનો મનોવ્યાપાર હોય તો ભારે ચિંતાજનક કહેવાય. પણ મને લાગે છે કે એ મનોરંજનના માણસ છે. એટલે શબ્દો તોળીને વાપરતા નથી અને બોલતી વખતે પોતાના પ્રભાવનો વિચાર કર્યા વિના ગબડાવે છે. તાલમેલીયું, કલમ- બલમ-ચલમ ટાઇપનું ત્રેવડા પ્રાસવાળું, અતિશયોક્તિપૂર્ણ અને લોકરંજક બોલવામાં તેમની છબી પર બહુ ધબ્બા પડે છે. જેમ કે, લેખના આરંભે જે અવતરણની વાત છે, એમાં તેમણે મુખ્ય મંત્રી વિશે એવું પણ કહ્યું કે ‘જેટલો પ્રેમ શ્રી નરેન્દ્રભાઇ ગુજરાતને કરે છે એટલો જ પ્રેમ ગુજરાતીઓ અને ગુજરાત તેમને કરે છે. એમાં અભય, પ્રેમ, ત્યાગ, કરુણા, સંવેદના અને સદભાવના આદર્શ ગુણો ભગવદગીતામાં છે તે આત્મસાત્ થાય છે...સંતોની કૃપાના એ હંમેશાં અધિકારી રહ્યા છે.’

મુખ્ય મંત્રીના પ્રેમીઓ પણ તેમનામાં રહેલા અભય, કરુણા, સંવેદના અને સદભાવ જેવા મોરારીબાપુએ દર્શાવેલા ગુણોથી પરિચિત હશે કે કેમ એ શંકા. એટલે એમ થાય કે એક બાજુ હિંદુ-મુ્સ્લિમ સદભાવ માટે દિલથી પ્રયત્ન કરતા મોરારીબાપુને ગુજરાતમાં કોમી દુર્ભાવ ફેલાવવામાં યથાશક્તિ પ્રયાસ કરનારા મુખ્ય મંત્રી માટે આવું ખુશામતીયું જૂઠાણું બોલવાની શી જરૂર પડી હશે? વિચારતાં લાગે કે એમાં કોઇ ગણતરી નહીં, પણ લોકરંજક અતિશયોક્તિની લાક્ષણિકતા કામ કરતી હશે.

એ જ રીતે, હાજી પીરમાં કથા કરનારા મોરારીબાપુ પોતાની અમદાવાદ ઓફિસના સરનામામાં ‘ઉસ્માનપુરા’ જેવું મુસ્લિમ નામ ન લખવાની હદે કટ્ટર લેખક સૌરભ શાહને પાંખમાં રાખે, પોતાની રામકથામાંથી ‘વિચારધારા’નો વિશેષાંક થાય તેનો સ્થળ પર ધંધો થવા દે અને ‘વિચારધારા’ની જાહેરખબરમાં પોતાના નામના ઉપયોગ સામે વાંધો પણ ન ઉઠાવે (‘મોરારીબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?) – આ કેમ બને છે? ભૂતકાળમાં મોરારીબાપુ વિશે આક્રમક લખીને કોર્ટકેસનો ભોગ બની ચૂકેલા સૌરભભાઇને મોરારીબાપુ પોતાના સાત્ત્વિક વિજયની ટ્રોફી તરીકે લાડ લડાવતા હોય તો જુદી વાત છે. એવી જ આશંકા તેમના બીજા ભૂતપૂર્વ વિરોધીઓ વિશે થાય છે. કોઇ શિકાર બંદૂકથી કરે, તો કોઇ બરફીથી.

કર્ણાવતી ક્લબમાં યોજાયેલી રામકથા દરમિયાન, બિનપાયેદાર ધાર્મિક કારણો આગળ ધરીને રામસેતુ બચાવવાની ઝુંબેશનાં ફોર્મ મોરારીબાપુ વહેંચે અને લોકોને તે ઝુંબેશમાં સામેલ થવાની અપીલ કરે, એમાં લોકમતને દોરવા કરતાં લોકમતની ગાડીમાં ચડી જવાની ચેષ્ટા વધારે લાગે છે. યાદ આવે છે અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથા. તેમાં પણ મોરારીબાપુએ મુખ્ય મંત્રીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેમને સત્તાની પડી નથી અને એ કેવી રીતે સત્તા ફગાવી શકે એ દર્શાવવા મોરારીબાપુએ પોતાની પાસે પડેલો તકિયો હાથમાં લઇને તેનો દૂર ઘા કર્યો હતો.

મનોરંજન. શુદ્ધ મનોરંજન. પણ સચ્ચાઇના અને પોતાની વિશ્વસનીયતાના ભોગે. એ જ કથામાં તેમણે ગુજરાતના એક પ્રમુખ અખબારના તંત્રી અને મુખ્ય મંત્રી વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી હતી અને તાલમેલીયા ઉત્સાહમાં આવી જઇને કહ્યું હતું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ જેની બુદ્ધિ ઠેકાણે હોય એવો કયો માણસ રામાયણને ‘સેતુબંધની કથા’ તરીકે ઓળખાવશે?

મોરારીબાપુની પૂજ્યતાનો પ્રચાર કરનારા આ બધી બાબતો વિશે વિચારશે, તો એમને સમજાશે કે મોરારીબાપુ સજ્જન હોઇ શકે છે. છે જ. પણ તેમને પૂજ્ય કે સંત તરીકે સર્વમાન્ય બનાવવાની ઝુંબેશ ચાલુ થાય ત્યારે સજ્જન તરીકેના તેમના સરવૈયાની સાથોસાથ છૂટક એન્ટ્રીઓ જોવાની ફરજ પડે છે અને એ ઓડિટમાં બીજા લોકો ન પડે, એમાં જ મોરારીબાપુના ભક્તો માટે સારાવાટ છે.

7 comments:

  1. Anonymous3:04:00 PM

    Thank you so much for writing this piece.

    Sooner we realize the better. He is ONLY an entertainer just like Shakliabanu Bhopali, Amitabh Bachchan or Raghuveer Chaudhari.

    Pujya, Sant etc etc. adjectives are misnomer and misguiding. These writers and speakers use these words to exhibit their GHELACHHA.

    I think, politicians, these so-called 'God men/women', and many moneyed persons are out to encash the common people to be more rich and powerful. It is pity even our intellectuals [some rationalists inclusive] also allow themselves to sway with the currents and/or tides.

    warm regards
    Vipool Kalyani

    ReplyDelete
  2. Anonymous9:07:00 PM

    ઉર્વીશભાઈ

    તમારી વાત સાચી છે. મોરારિસદાસ (મોરારિબાપુ) એક સામ્મન્ય માણસ જેવા જ સજ્જ્ન અને લોક્પ્રિય કથાકાર છે. એમને સંત કે પૂજ્ય ના પ્રિફિક્સ લગાવવાની જરુર નથી.
    પણ આ સાથે એમની પાછળ આદુ ખાઈને પડવાની પણ જરુરત નથી. એમની નીંદા કરીને એમની ઉંમર અને લોકપ્રિયતા બન્ને વધવાની. લોકોને એમને સંત કે પૂજ્ય કે ભગવાન માનવા હોય તો ભલે ને માને....દરેકની અંદર ભગવાન વસેલો જ છે ને. તમારે પણ લોક્પ્રિય બનવા માટે લોકોને હલકા પાડવા જરુર નથી.

    ચલો ત્યારે અસ્તુ,
    ABC

    http://corlive.com/abc

    મને સંદેશો ઉપરની લીંક વાપરીને મોકલી શકો છો. તમે ૨ મીનીટમા તમારુ તમારુ કોર્લાઈવ ખાતુ ખોલી શકો છો. તમારા કોર્લાઈવ ખાતા પર જવાબ દૈશ.

    ReplyDelete
  3. Anonymous9:21:00 PM

    and see this picture too. will you be able to go and shout on each and person and blogger that please do not ask moraridas to be dignitory in each and every sahitya function. if you dont like him leave him alone and he will leave you alone without taking you on his abroad trip.

    http://neeta-kotecha.blogspot.com/

    take it easy..be cool.

    ABC
    www.corlive.com/abc

    ReplyDelete
  4. Moraribapu is RamaBhakta. He has qualified on Tulsi Ramayan. As per Mahatma Gandhi "In view of historical point of view, Tulsi Ramayan has to be thrown to Garbage. But on human values and on literature its value is very high"
    Hardly some bady can expect Logic from Moraribapu!
    Due to his high popularity Moraribapu gets respect everywhere. He is not bitter on any one. He wants people to take him as RamaBhakta! That is all.

    His statements on Narendra Modi could be controversial for some few people, because these people want all Gujaratis must act as Saints all the time. If not then it is the fault of Narendra Modi only, not Jawaharlal Nehru, Indira Gandhi, Hitendra Desai, Chimanbhai Patel, Amarsinh Solanki, Madhavsinh Solanki.

    Mass murders can be allowed in UP, Bihar, Delhi, MP, Bengal, Jammu & Kashmir, North East states or so to say any state of India. It can be a common feature for them. But Gujaratis should be Saints and Saints only. Otherwise we must accept that Narendra Modi is MAUT KA SAUDAGAR.
    What a logic!
    But it is a fashion because Modi does not supply free transport, Liquor and Chicken to journalists.

    ReplyDelete
  5. Anonymous7:44:00 AM

    મોટા ભાગના સાહિત્યકારો-લેખકો સર્જકતા કે બુદ્ધિની રીતે સરેરાશ માણસ કરતાં ચડિયાતા હોય તો પણ માનસિકતાની બાબતે એ સરેરાશ જ હોય છે.

    - dis was really sharp... gr8 !!


    - prarthit

    ReplyDelete
  6. Anything related to "Religion" has always been a super successful business model. This is true all over the world.

    Moraridas is definitely a master of this business model. He could be put in the 'Forbes 50', if Forbes decides to include this industry!

    The thing I dislike (personally) is that this industry thrives purely on 'human weakness' and does that make it ethical?

    But of course, ethics is another subjective thing!!

    Anyways, good going..

    ReplyDelete
  7. urvish bhai, wht happend to moraribapu from saurabh shah? i cannot believe that. coz saurabh shah also gives presence in asmita parva and moraribapu also carried saurabh shah to africa ramkatha at cost of organizers of katha. can u give me any information about that y saurabh shah taken to court for moraribapu?

    ReplyDelete