Wednesday, March 09, 2011

વિચારભુવન વિશે વિચાર


પહેલી તસવીરમાં રેલવેની ટિકીટની સાઇડપેનલ પર સરકારી જાહેરખબર છે. એ વાંચીને એવું લાગે કે ગામડાંના લોકો પોતાના ઘરનાં શૌચાલયોમાં તાળાં મારીને, ધરાર જાહેરમાં શૌચક્રિયા માટે જાય છે અને તેમને પોતાના માનસન્માનની કોઇ પરવા જ નથી.
બીજી જાહેરખબરમાં માનમર્યાદાની આણ આપવાને બદલે સીધી ધમકી જ છેઃ તમે શૌચાલય માટે બહાર જાવ અને ગુંડા તમને ઉપાડી જાય તો એ તમારો પ્રોબ્લેમ છે. તમે ઘરમાં શૌચાલય ન બનાવો તેમાં સરકાર શું કરે?

સરકારી માનસિકતાના આબાદ પ્રતીક જેવી આ જાહેરખબરો જોઇને વધુ એક વાર 'રાગ દરબારી' યાદ આવે છે, જેમાં 'વધુ અન્ન ઉગાડો'ની સરકારી જાહેરાતની ફિલમ ઉતારતાં શ્રીલાલ શુક્લે એ મતલબનું લખ્યું હતું કે ખેડૂતો ખરેખર બદમાશ હોય છે. તે વધારે અન્ન ઉગાડવા નથી માગતા. એટલે સરકારે તેમને કેટલી બધી જાહેરાતો કરીને, લાલચ આપીને, ફોસલાવી-પટાવીને સમજાવવા પડે છે...

જેમને રહેવાનું ઠેકાણું ન પડતું હોય અથવા માંડ પડ્યું હોય તેના માટે શૌચાલય કેટલી મોટી ચીજ છે, એની કલ્પના કરવાનું એટેચ્ડ ટોઇલેટવાળાં ઘરોમાં રહેતા આપણા જેવા ઘણા લોકો માટે અઘરું હોય છે, પણ છેલ્લા આઠેક વર્ષથી 'દલિતશક્તિ' સામયિક સાથે સંકળાયા પછી મને થોડું થોડું એ સમજાયું છે. એ સંદર્ભમાં મિત્ર ચંદુ મહેરિયાનો અદભૂત આત્મકથાત્મક લેખ 'મેયર્સ બંગલો' યાદ આવે છે.

1 comment:

  1. Not only in this matter, unfortunately issues related to common people are discussed in cozy, air-conditioned conference rooms with tea-coffee and munching of salted dry-fruits. The end result of such discussion is mostly nothing. If you really want to feel the problem, you should face it. Onlookers can never go to the root of the problem.

    ReplyDelete