Thursday, August 27, 2009

એક ગેરસમજ અને ભુલસુધાર

સાહિત્ય પરિષદ પ્રમુખ વિશેની પોસ્ટમાં મેં એ મતલબનું લખ્યું હતું કે વર્તમાન પ્રમુખ નારાયણ દેસાઈ પોતાની પ્રમુખપદની મુદતમાં એક ટર્મનો વધારો ઈચ્છતા હતા.

પ્રકાશભાઈ (શાહ) અને રૂપાબહેન મહેતાની નારાયણભાઈ સાથેની વાતચીત પરથી સમજાય છે કે નારાયણભાઈએ પ્રમુખપદની મુદત બે ને બદલે ચાર વર્ષની કરવાની વાત પોતાના માટે નહીં પણ સામાન્ય નિયમ તરીકે કરી હતી. કારોબારીની મુદત ચાર વર્ષની હોય તો પ્રમુખની મુદત પણ બે ને બદલે ચાર વર્ષની હોવી જોઈએ, એવો તેમનો મુદ્દો હતો.સમજણ-ચૂક બદલ દિલગીરી, ક્ષમા- પ્રાર્થના અને આ ભુલસુધાર.

No comments:

Post a Comment