Thursday, March 14, 2013

’સાર્થક પ્રકાશન’- અમારી મિત્રમંડળીની નવી શરૂઆત



કેટલાક સમાચાર એવા હોય છે, જે આપવાની અત્યંત તાલાવેલી હોય, મનમાં મીઠો ઉચાટ હોય અને તેના માટેના યોગ્ય સમયની પ્રતીક્ષા હોય. 

’સાર્થક પ્રકાશનની શરૂઆત એ તમને સૌને આપવાના એવા સમાચાર છે.

અમે ત્રણ મિત્રો દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને હું- અમે ત્રણે લાંબી ગડમથલ પછી પુસ્તક પ્રકાશન માટે સહિયારી પહેલ સાર્થક પ્રકાશનના નામે શરૂ કરી રહ્યા છીએ. ૬ એપ્રિલ, ૨૦૧૩ના શનિવારની સાંજે રા.વિ.પાઠક સભાગૃહ, સાહિત્ય પરિષદમાં સાર્થક પ્રકાશન અને તેના નેજા હેઠળનાં પહેલાં ચાર પુસ્તક પ્રગટ થશે.

૧. લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૪૦૦
કિંમત- રૂ.૩૨૫

૨. ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ
(૯ ફિલ્મી ગીતકારોનું જીવનકવન, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચ, પાકું પૂંઠું
પાનાં- ૧૫૬
કિંમત- રૂ.૨૫૦

૩. ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.)
(ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ બીરેન કોઠારી)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૩૦૦
કિંમત- રૂ. ૩૦૦

૪. સરદારઃ સાચો માણસ, સાચી વાત- ઉર્વીશ કોઠારી
(સરદાર પટેલના જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણ, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચ, પાકું પૂંઠું
પાનાં- ૧૫૦
કિંમત – રૂ.૨૫૦

આ પુસ્તકો ખરીદવા ઇચ્છતા મિત્રો અત્યારે ફક્ત પોતાનાં નામ-સરનામું-મોબાઇલ નંબર- ઇ-મેઇલ એડ્રેસ મોકલીને પુસ્તકનું બુકિંગ કરાવી શકે છે.

૬ એપ્રિલ, ૨૦૧૩ સુધી પુસ્તકોનું બુકિંગ કરાવનારને ઉપર જણાવેલી કિંમત પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. ચારેય પુસ્તકો ખરીદવા ઇચ્છતા મિત્રોને રૂ.૧,૧૨૫ની કિંમતનાં આ પુસ્તકો ફક્ત રૂ.૮૦૦માં મળશે. પોસ્ટેજ અલગથી ગણાશે.

પુસ્તકોનું બુકિંગ કરાવવા માટે પોસ્ટલ એડ્રેસ અને ઇ-મેઇલ અહીં આપ્યું છે. આગોતરું બુકિંગ કરાવનારા મિત્રો સમારંભના સ્થળેથી પણ નોંધાવેલાં પુસ્તકો મેળવી શકશે. કાર્યક્રમમાં હાજર રહી ન શકનારા મિત્રો કાર્યક્રમ પછી SAARTHAK PRAKASHAN ના નામનો ચેક અથવા ડી.ડી. પોસ્ટલ એડ્રેસ પર મોકલે, એટલે તેમને પુસ્તકો મોકલી આપવામાં આવશે. આ સિવાય સાર્થક પ્રકાશનના એચ.ડી.એફ.સી. બેન્કના ખાતામાં રૂપિયા જમા કરાવીને પણ પુસ્તકો મેળવી શકાશે.

સાર્થક પ્રકાશન
, રામવન, નિર્માણ હાઇસ્કૂલ પાસે, ૬૭, નેહરુપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૧૫
ઇ-મેઇલ spguj2013@gmail.com

***

સારા વાચનની ભૂખ સંતોષે અને સુરુચિ પોષે- ઘડે એવી વાચનસામગ્રી પૂરી પાડવી એ સાર્થક પ્રકાશનનો મુખ્ય આશય છે. કશા લાંબપહોળા દાવા વિના, અમે જવાબદારીપૂર્વક પ્રકાશન પ્રવૃત્તિ આગળ વધારવા અને સારાં પુસ્તકો આપવા પ્રયાસ કરીશું. તેમાં તમારા (કાયમ હોય છે એવા) હૂંફાળા સહકારની આશા અને ખાતરી છે.

’સાર્થક પ્રકાશન મિત્રો કાર્તિક શાહના ટેકનિકલ માર્ગદર્શન અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર વિના શક્ય બન્યું ન હોત. એવી જ રીતે, અમારી આખી મિત્રમંડળી પણ અમારી પડખે હોય જ.

૬ એપ્રિલના કાર્યક્રમની વધુ વિગતો જણાવતા રહીશું. દરમિયાન, તમારા પ્રતિભાવોની (અને આગોતરાં બુકિંગની પણઃ-) પ્રતીક્ષા રહેશે. અત્યારે તમારે ફક્ત નામ-સરનામું-ખરીદી માટે પસંદ કરેલા પુસ્તક એટલું જ જણાવવાનું છે. 

20 comments:

  1. Anonymous10:49:00 PM

    Urvish,

    Congratulation and best luck.Hope You will not become businessmen
    like Faruk shekh in SATH SATH movie.How to get books in U.S.A?
    ketan

    ReplyDelete
  2. Not only sometimes but invariably all the time you do keep leting me feel guilty by your deeds.This news is in the same line!!

    ReplyDelete
  3. Anonymous1:19:00 AM

    Congratulations and best wishes for success of this exciting venture.

    Harish Trivedi,
    The India Foundation,
    Dayton, Ohio

    ReplyDelete
  4. Congretulations...

    ReplyDelete
  5. Congratulations and best wishes for ’સાર્થક પ્રકાશન.

    ReplyDelete
  6. Congratulations and best wises to you.. :)

    ReplyDelete
  7. Best luck Urvishbhai for the new venture and wish from heart for the success too.

    ReplyDelete
  8. આભાર મિત્રો.
    રાજભાઇ, એમાં ગિલ્ટી શું ભલા માણસ? આ બધો ઘણી હદે સમયસંજોગનો ખેલ હોય છે.

    ReplyDelete
  9. Birenbhai, I wish u my best wishes that in future your publication will be known as a landmark in Gujarati. Congratulations to your entire team, we all
    readers of the Pallets are with u, go ahead, with regards

    Naresh Mehta, Vadodara.

    ReplyDelete
  10. Congratulation !!!!!!!!!
    to all Mitrao....

    ReplyDelete
  11. પ્રકાશનનાં ધંધામાં નહીં, પરંતુ પ્રકાશનનાં વ્યવસાયમાં પદાર્પણ કરવા બદલ ત્રણેય લખવૈયાઓને અભિનંદન..... ગુજરાતી વાચકો-લેખકો-પ્રકાશકો માટે 'સાર્થક પથદર્શક' બને તેવી શુભેચ્છાઓ.

    ReplyDelete
  12. This is heartening news Urvish. Congratulations are in order to all three of you brave-hearts. Saarthak eni saarthakta poorvaar karshej, I have no doubt about that. I shall e-mailing you my cheque for books number 2 and 4 soon.

    ReplyDelete
  13. Saghali Subhechhao.-Dilip Chandulal

    ReplyDelete
  14. Dadu Chicago9:27:00 AM

    How USA or international friends will get help ??????

    ReplyDelete
  15. Anonymous11:00:00 AM

    Wishing you all the best with expectation which we do not expect from all "prakashan

    ReplyDelete
  16. Anil Acharya5:37:00 PM

    Congratulations & all the best.

    ReplyDelete
  17. Venturing into Publishing Business and that too Gujarati? Man, it require guts and steely determination. May SARASWATIDEVI and LAXMIDEVI give you all the strength to remain and sustain in this business. GOOD LUCK.

    ReplyDelete
  18. Yogesh Bhatt11:17:00 AM

    Hearty congratulations,Urvishbhai,Dhaivatbhai and Dipakbhai! Lo! At last,somebodies have jumped over in a venture,which was necessarily awaited by the people like us. All the best wishes for the fulfillment of our collective dream! Regards.

    ReplyDelete