Thursday, March 21, 2013

’સાર્થક પ્રકાશન’ના ગ્રાહક-વાચકો માટે એક વિશિષ્ટ તક


સાર્થક પ્રકાશનનો એક મુખ્ય આધાર વાચકો-શુભેચ્છકો-વાચનપ્રેમીઓનો સહયોગ છે. તેનું મુખ્ય ધ્યેય પણ વાચકો સાથે સીધો નાતો સ્થાપવાનું છે. એ દૃષ્ટિએ, મિત્ર પ્રણવ અધ્યારુના શબ્દોમાં કહીએ તો, વાચકો અમારા ’વેન્ચર કેપિટલિસ્ટ’ છે એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.

આ લાગણીના પડઘારૂપે અને આગોતરી નોંધણીના પ્રોત્સાહક પ્રતિભાવથી પ્રેરાઇને સાર્થક પ્રકાશને નક્કી કર્યું છે કે પુસ્તકોના વિમોચન કાર્યક્રમ વખતે મંચ પર ગુજરાતી સાહિત્યના દિગ્ગજ મહાનુભાવો અને સાર્થક પ્રકાશનના કાર્યવાહકો ઉપરાંત ગ્રાહક-વાચકોના એક પ્રતિનિધિને પણ નિમંત્રીત કરવા.

એ માટે ૩૧ માર્ચ,૨૦૧૩ સુધી એક કે વધુ પુસ્તકોનો ઓર્ડર મોકલનારા સૌ ગ્રાહક-વાચકોનાં નામમાંથી કોઇ એક નામ લોટરીપદ્ધતિથી પસંદ કરવામાં આવશે. (આ પસંદગીપ્રક્રિયાની વિડીયો પણ મૂકવામા આવશે.) લોટરીમાં નીકળેલું નામ વિદેશસ્થિત ગ્રાહક-વાચકનું હોય તો એ પોતાના બદલે પોતાના પ્રતિનિધિને મોકલી શકશે. એ શક્ય ન હોય તો તેમની મંજૂરીથી બીજા નામ માટે ચિઠ્ઠી ઉપાડવામાં આવશે.
આ રીતે લોટરી પદ્ધતિથી પસંદ થયેલા એ ગ્રાહક-વાચકને વિમોચન વખતે મંચ પર ગુજરાતી લેખનના દિગ્ગજો સાથે મોજૂદ રહેવાની અભૂતપૂર્વ તક મળશે. ગ્રાહક-વાચકોને આ રીતે પણ સાર્થક પ્રકાશનનો હિસ્સો બનાવતાં અમને આનંદ થશે. અત્યાર સુધીમાં ઓર્ડર નોંધાવી ચૂકેલા સૌ ગ્રાહક-વાચકોનાં નામ આપોઆપ લોટરી માટેની યાદીમાં આવી જાય છે.

પુસ્તકોની વિગત

૧. લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૪૦૦
કિંમત- રૂ.૩૨૫

૨. ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ
(૯ ફિલ્મી ગીતકારોનું જીવનકવનપુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચપાકું પૂંઠું
પાનાં- ૧૫૬
કિંમત- રૂ.૨૫૦

૩. ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.)
(ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ બીરેન કોઠારી)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૩૦૦
કિંમત- રૂ. ૩૦૦

૪. સરદારઃ સાચો માણસસાચી વાત- ઉર્વીશ કોઠારી
(સરદાર પટેલના જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણપુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચપાકું પૂંઠું
પાનાં- ૧૫૦
કિંમત – રૂ.૨૫૦

આ પુસ્તકોનું બુકિંગ અત્યારે ફક્ત નામ-સરનામું-મોબાઇલ નંબર- ઇ-મેઇલ એડ્રેસ મોકલીને કરાવી શકાય છે. ૬ એપ્રિલ૨૦૧૩ સુધી ઉપર જણાવેલી કિંમત પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. ચારેય પુસ્તકોનો ઓર્ડર આપનારને  
રૂ.૧,૧૨૫ની કિંમતનાં આ પુસ્તકો ફક્ત રૂ.૮૦૦માં મળશે. (પોસ્ટેજ અલગથી ગણાશે.)

સાર્થક પ્રકાશન
, રામવન, નિર્માણ હાઇસ્કૂલ પાસે, ૬૭, નેહરુપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૧૫
ઇ-મેઇલ spguj2013@gmail.com

2 comments:

  1. Urvishbhai:
    How the person from USA gets the books? Can you let the folloowers know the procedure and the amount(including C/F)?

    ReplyDelete
  2. વાચકની શામેલગીરી-એક સુંદર પ્રયાસ.

    ReplyDelete