Wednesday, May 05, 2010

ઇન્દુલાલ યાજ્ઞિકનો ‘સ્વર્ણિમ’ ઇન્ટરવ્યુ

અમદાવાદમાં નેહરૂબ્રિજના નાકે ‘આ પોસ્ટમેન જેવા ભાઇ કોણ છે?’ એવો સવાલ જેમના પૂતળા માટે પૂછાતો રહ્યો છે, એ ઇન્દુલાલ યાજ્ઞિક એટલે ગુજરાતના ‘ચાચા’. મહાગુજરાત આંદોલનના નેતા. ‘જુવાન ડોસલા’ના ખિતાબ માટે પૂરેપૂરા લાયક. પાછા ગાંધીજી જેવા સાત્ત્વિક પણ નહીં. તાજ છાપ સિગરેટ પીએ ને થેલામાં ચણા રાખે અને ભૂક્કા કાઢી નાખવાની વાત કરે. પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે એમની સાથે વાતચીત કરવા મળે તો?

એવો વિચાર ચાલુ હતો ત્યાં એવું લાગ્યું, જાણે સામે કોઇ આવીને બેઠું. જરા ઘ્યાનથી જોયું તો એ જ ટોપી ને એ જ થેલો...ઇન્દુલાલ યાજ્ઞિક. ગાંધીજી જેવા ગાંધીજી મુન્નાભાઇ પાસે જઇ શકતા હોય તો ઇન્દુલાલ કેમ ન આવે? એટલે ઝાઝો વિચાર કર્યા વિના વાતચીત શરૂ કરી દીધી.

સઃ ચાચા, તમે ક્યાંથી?
ઇ: તું મને ચાચા ન કહીશ. નેહરૂ જેવું લાગે છે. અને વાતો પછી. પહેલાં એક તાજ છાપ કાઢ. જરા ઘુમાડો કાઢીએ તો મઝા આવે.
સઃ ચાચા, યુ ટુ? તમને પણ ઘુમાડામાં મઝા આવવા લાગી?
ઇ: અલ્યા, હું તો સિગરેટના ઘુમાડાની વાત કરૂં છું- સ્વર્ણિમના નહીં.
સઃ એક મિનિટ, ચાચા. શું બોલ્યા? સ્વર્ણિમ?
ઇ: હા ભઇ, મારા અમદાવાદમાં ફરતો હતો ત્યાં ઠેકઠેકાણે પાટિયાં પર વાંચ્યું: સ્વર્ણિમ ગુજરાત.
(પછી થોડી વાર અટક્યા અને આગળ વઘ્યા)
ઇ: ગાંધીજી મૂરખ હતા...
સઃ ચાચા, સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ગાંધીજી ક્યાં આવ્યા?
ઇ: સ્વર્ણિમની કોણ વાત કરે છે? હું કહું છું કે ગાંધીજીએ અંગ્રેજો સામે આટલી મોટી લડત ઉપાડી, તેના માટે થઇને હજારો લોકોએ લાઠીઓ ખાધી, આંદોલન કર્યાં, જેલ વેઠી. એને બદલે ગાંધીજીએ આખા ભારતમાં હોર્ડિંગ ચીતરાવી દીધાં હોત: ‘અંગ્રેજો ભારત છોડો’, ‘સ્વર્ણિમ ભારત, સ્વર્ણિમ સ્વરાજ્ય’, ‘ભારત અમારૂં, અમે ભારતના’- અને દરેક હોર્ડિંગ જોડે પોતાના જુદા જુદા ફોટા મૂકાવ્યા હોત...
સઃ તો શું? અંગ્રેજો એ પાટિયાં વાંચીને ભારત છોડી દેત?
ઇ: એવું મેં ક્યાં કહ્યું! મહત્ત્વ અંગ્રેજોએ ભારત છોડ્યું એનું છે? કે આપણે એમને ભારત છોડવાનું કહી દીઘું એનું? જરા વિચારી જો! એક હોર્ડિંગમાં ચરખા પર હાથ મૂકીને ઉભેલા ગાંધીજીનો ફોટો હોય, બીજામાં તેમણે ખભે ખેસ નાખ્યો હોય, ત્રીજામાં શાલ ઓઢી હોય, ચોથામાં કૂર્તો પહેર્યો હોય, તો કેવો વટ પડી જાય?
સઃ પણ એનાથી અંગ્રેજોને શો ફરક પડે?
ઇ: અંગ્રેજોને ફરક પડે કે ન પડે, પણ પ્રજા પર કેવી જોરદાર અસર પડે? પ્રજાને લાગે કે અંગ્રેજો તો ફાસફૂસ છે. અસલી હીરો તો આ જ છેઃ વીર હોર્ડિંગવાળો.
સઃ વાહ, ચાચા. તમારો ફિલમનો ટચ હજુ ગયો નથી. તમને આ સ્ટોરી કેવી રીતે સૂઝી?
ઇ: બસ, આ તને મળવા આવતી વખતે રસ્તામાં હોર્ડિંગ જોયાં એની પરથી. ચાલ, હવે વાતો બહુ થઇ. ચા પીએ. મારી પાસે દસ પૈસા છે. તારી પાસે કેટલા છે?
સઃ તમે એ બધી ચિંતા ન કરો. ગુજરાતમાં કોઇ પણ પીણાની વ્યવસ્થા થઇ જશે. તમે ચા કહો તો ચા ને....
ઇ: તું વાત આડા પાટે ચડાવે છે. ચા મંગાવ ને કામની વાત કર.
સઃ ઓકે, ચાચા. રવિશંકર મહારાજને મળવાનું થાય કદી?
ઇ: હમણાં જ મળ્યો હતો. હું ગયો ત્યારે એ કંઇક શોધતા હતા. મેં પૂછ્યું એટલે ખબર પડી કે એ ૧ મે, ૧૯૬૦ના દિવસે એમણે આપેલું પ્રવચન શોધતા હતા.
સઃ કેમ? એમને વળી પચાસ વર્ષ જૂના પ્રવચનનું શું કામ પડ્યું?
ઇ: મેં એ જ પૂછ્યું. એટલે મહારાજ કહે, બસ, આજે હાસ્યલેખ વાંચવાનું મન થયું. એમ કહીને જાતે જ હસી પડ્યા.
સઃ અને ચાચા, મોરારજીભાઇ?
ઇ: એ પણ મળે. હજુ કહેતા હોય કે હું ભાષાવાર પ્રાંતરચનાનો વિરોધી છું અને હજુ કહે છે કે ગોળીઓ છોડવામાં પોલીસે કોઇ ભૂલ કરી નહોતી. પછી મારે એમને વારવા પડે કે મોરારજીભાઇ, એ બધી જૂની વાતો થઇ. હવે તો ગુજરાતની પોલીસ એન્કાઉન્ટર કરતી થઇ ગઇ છે અને તેમને રક્ષણ આપનારા પણ એન્કાઉન્ટર વખતે કહેતા હોય છે કે ‘પોલીસે ગોળી છોડવામાં કોઇ બૂલ નથી કરી. બીજો વિકલ્પ ન રહેતાં પોલીસે ગોળી છોડી છે...’
સઃ મોરારજીભાઇને એન્કાઉન્ટર એટલે શું એનો ખ્યાલ આવે?
ઇ: હાસ્તો, રાજકારણમાં એમનું પોતાનું કેટલી બધી વાર થઇ ગયું! પંડિતજી દ્વારા, ઇન્દિરા દ્વારા...
સઃ ચાચા, તમે ધાર તૈયાર રાખી છે. હજુ ચૂંટણીમાં ઝંપલાવો તો વાંધો ન આવે.
ઇ: મને ખોટેખોટો ચડાવ નહીં. અત્યારે મને કોઇ ઓળખતું પણ નથી ને તું મત આપવાની વાત કરે છે?
સઃ તમને ખબર નથી, ચાચા. સ્વર્ણિમ જયંતિમાં અમદાવાદમાં તમારા બાવલાની પછવાડે મુખ્ય મંત્રીનાં એટલાં બધાં હોર્ડિંગ છે કે જતાં-આવતાં લોકોની નજર એ હોર્ડિંગ તરફ જાય જ- અને હોર્ડિંગ તરફ જુએ એટલે તમારૂં પૂતળું પણ જુએ અને બધા હોર્ડિંગ માં ભલે સાહેબના ફોટા હોય, એકાદ હોર્ડિંગ માં તમારો ફોટો પણ છે.
ઇ: ધન્ય ભાગ્ય મારાં કે મને યાદ કર્યો ને હોર્ડિંગ ચડાવ્યો. પણ મને એવા કોઇ ધખારા નથી. મને કેમેરાનો ને ફિલમનો શોખ હતો ત્યારે હું અસલી ફિલમલાઇનમાં જઇ આવ્યો છું ને પિક્ચરો ઉતારી આવ્યો છું. પોતાનો ચહેરો જોવાનો બહુ શોખ હોય એમણે નેતાગીરીને બદલે ફિલમમાં એક્ટિંગ ચાલુ કરવી જોઇએ. એનાથી ફિલ્મલાઇનને પણ ફાયદો થાય.
સઃ ચાચા, આ બધા નવા જમાનાના તકાદા છે. તમે ના સમજો. લોકોને નેતા તરીકે હવે કોઇ બગલથેલાવાળો માણસ ન ચાલે.
ઇ: તો? નાણાંકોથળીવાળો જ ચાલે?
સઃ હવે ગુજરાતમાં નેતા બનવું હોય તો ડીઝાઇનબંધ કપડાં પહેરવાં પડે ને આગળપાછળ અંગરક્ષકો રાખવા પડે. તમારા જેવાનું કામ નહીં. તમે ચણા ખાવ, તાજ છાપ સિગરેટ પીઓ ને ઘુમાડા ઉડાડો. રાજ ચલાવવું એટલું સહેલું નથી.
(આ સંવાદો સાથે જ ઘ્યાનથી જોયું તો સામેથી ઇન્દુલાલ ગાયબ હતા અને જમીન પર થોડા ચણા અને તાજ છાપ સિગરેટની રાખ વેરાયેલી હતી.)

16 comments:

  1. bau j saras kataksho ... majjjja padi gai....

    ReplyDelete
  2. vaah boss.... maja padi gai....
    tamane vachya pachhi evu dar vakhate thaay ke ochhu padyu....
    perfect balance hoy chhe...

    ReplyDelete
  3. મજાનો આર્ટીકલ... મજા આવી ઉર્વિશભાઈ !

    ReplyDelete
  4. 1. tushar comments ' majjja padi gai',

    2. ashish comments ' maja padi gai'

    3. urmi comments' maja aavi urvishbhai'


    TAME BAHU MAJA KARAVO CHHO BADDHANE, URVISHBHAI.

    TAME 'ENTERTAINER' CHHO ?

    AME TO TAMNE SERIOUS WRITER (ALBEIT WITTY) MANIE CHHIYE : 'ENTERTAINER' NAHI BALKE 'EDUCATOR'.

    are we wrong or your commentators are right ?


    MAY 6, 2010

    ReplyDelete
  5. urvish kothari11:57:00 AM

    @Neeravbhai: I write serious pieces as well as satire. What's wrong with that? If readers enjoy satire, why u should be unhappy? You're getting too literal, selective and hasty in terming me 'entertainer'. don't want to enter in discussion as already know its futility.

    ReplyDelete
  6. Urvish, chevatay mahri museebat puri thayi. Aa tara lekh havey vanchai chhe. Ane oopar ni tippani sathe mahri sehmati: majha padi gayi.

    ReplyDelete
  7. urvish kothari10:04:00 PM

    @aakar: happy gujarati problem got solved at last. hope to be in touch more closely thro' this

    ReplyDelete
  8. urvishbhai,

    this is just a clarification : i never termed you as 'entertainer' - on the contrary i termed you as an 'educator' with a serious business writing in his own inimitable satirical style.

    my point is :
    KETALAK MITRO MATRA 'ENJOY' JA KARE CHHE
    ANE 'MAJJJA' JA MANE CHHE TAMARA SATIRE NI!

    alas, they have nothing to comment about the seriousness of the theme you are writing about with wit and humour. they could contribute much to the debate even if they have a dissenting comment. that could provoke discussion and indirect participation on the state of the affairs put forth by the blogger's perspective.

    THE MUNNABHAI-STYLE INTERVIEW SO CREATIVELY IMAGINED BY THE WRITER MAKES ME MORE SAD THAN HAPPY WHEN I JUXTAPOSE IT WITH SWARNIM GUJARAT CELEBRATIONS.

    mane 'majjja' aavavani sathe sathe bharobhar gusso pan aave chhe.


    may 7, 2010

    ReplyDelete
  9. @Neeravbhai. Though what u say is essentially right, 'maja padi gai' is way of speaking for many friends. Neither all of them are dumb nor they're all for celebrations.

    ReplyDelete
  10. What a towering personality he was... a real Common Man...a real Nagar politician..

    ReplyDelete
  11. You're getting very 'Naagari' in response! anyway, Indulal was not Nagar that way. He had several not so pleasant fights with many including Sardar. He even criticised Bardoli Satyagrah.

    ReplyDelete
  12. @Urvish. I liked Neerav's observation. I'm sure you too might have not noticed that. He proved to be better commentator than most, Yet U were not much welcoming for him. Forgive me, but I too have felt that you are not open to criticism and always respond with bitterness. Cynicism is creeping into US. Neerav's n mine comment can be clubbed with yours to prove this claim of 'US'. Sorry, I came after a long time to your blog n m criticizing u. -kiran

    ReplyDelete
  13. urvish kothari11:45:00 AM

    @kiranbhai: what to say? patthar par pani!

    ReplyDelete
  14. જોરદાર ઉર્વીશભાઈ....
    તમે તો મુન્નાભાઈ વાળી કરી.. કેમિકલ લોચો કે શું ?
    આ અંદાજ ગમ્યો..

    ReplyDelete
  15. isudan gadhvi4:22:00 PM

    vah takora bandh lekh maa koi ne takor pan mari didhi ..............superb

    ReplyDelete
  16. UA,

    Yr balancing approach is ok. Perhaps we / them / US could experience to balance the imbalance.

    Jabir

    ReplyDelete