Thursday, February 18, 2010

‘વાંચવા જેવું’ની વિદાય

બહુ ઓછા લેખકોને પોતાની છેલ્લી કોલમમાં ગરીમાપૂર્વક વિદાયનોંધ લખવા મળે છે. કારણ કે બહુ ઓછી કોલમોની વિદાય બન્ને પક્ષે આયોજિત અને ગરીમાપૂર્ણ હોય છે. ‘ચિત્રલેખા’માં આવતી વિનોદભાઇ (ભટ્ટ)ની પુસ્તકસમીક્ષાની કોલમ ‘વાંચવા જેવું’ હવે બંધ થાય છે. (સળીબાજ મિત્રો પૂછી શકે છેઃ ચિત્રલેખામાં આ એક પાનાનું નામ ‘વાંચવા જેવું’ હતું, તો બાકીનાં પાનાં કેવાં?)

વિનોદભાઇએ કોલમના છેલ્લા પીસમા વિદાયનોંધ લખી છે. તેમાં કારણો પણ લખ્યાં છે. એક રેકોર્ડ તરીકે ચિત્રલેખાનું એ પાનું અહીં સ્કેન કરીને મૂક્યું છે. હવે એ કોલમ મિત્ર શિશિર રામાવત તેમની છટામાં લખશે.

1 comment:

  1. Anonymous4:16:00 AM

    Can not read the writing in the image properly. Even saving the image doesn't help. Is it possible for you to upload an image with better resolution?

    Thanks,
    Bhavik

    ReplyDelete