<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-8512076518668010629</id><updated>2012-02-19T11:41:31.971+05:30</updated><category term='bomb-blast'/><category term='communal violence'/><category term='ઉત્તરાયણ'/><category term='google+'/><category term='faketake'/><category term='cancer'/><category term='dual citizenship'/><category term='father valles'/><category term='rajeev motwani'/><category term='China'/><category term='books'/><category term='manto'/><category term='ખાણીપીણી'/><category term='dalit'/><category term='iim'/><category term='moraribapu/મોરારિબાપુ'/><category term='art'/><category term='war'/><category term='ગુજરાતીની આજ અને આવતી કાલ'/><category term='Gunvant shah/ગુણવંત શાહ'/><category term='h'/><category term='Mahendra meghani'/><category term='nira radia'/><category term='tv serial'/><category term='AI'/><category term='function'/><category term='ISRO'/><category term='sports'/><category term='history/ઇતિહાસ'/><category term='sonia gandhi'/><category term='award/એવોર્ડ'/><category term='રેશનાલિઝમ'/><category term='jagit singh'/><category term='arundhati roy'/><category term='જોવા જેવી ફિલ્મ'/><category term='શબ્દાર્થપ્રકાશ'/><category term='Obit/અંજલિ'/><category term='Urvish Kothari/ઉર્વીશ કોઠારી'/><category term='badshah khan'/><category term='spectrum'/><category term='Narendra Modi/નરેન્દ્ર મોદી'/><category term='Nehru'/><category term='cartoon'/><category term='economy'/><category term='film/ફિલ્મ'/><category term='naughties'/><category term='amit shah'/><category term='language'/><category term='indulal yagnik'/><category term='new books'/><category term='Gujarati literature/ગુજરાતી સાહિત્ય'/><category term='હું તમે ને ગામ'/><category term='game'/><category term='attenborough'/><category term='Nagendra Vijay'/><category term='ગુજરાતની અસ્મિતા'/><category term='anna hazare'/><category term='shamshad begum'/><category term='obama'/><category term='interview'/><category term='photo'/><category term='BRT'/><category term='Raag Darbari/ राग दरबारी'/><category term='Gaddafi'/><category term='festival'/><category term='Rajnikumar Pandya'/><category term='dr.binayak sen'/><category term='rahul gandhi'/><category term='dakor'/><category term='railway'/><category term='sedition'/><category term='corruption'/><category term='kheda'/><category term='parsi'/><category term='Sardar Patel/સરદાર પટેલ'/><category term='petroleum'/><category term='stamps'/><category term='music/સંગીત'/><category term='media'/><category term='us election'/><category term='juthika roy'/><category term='Gandhi/ગાંધી'/><category term='motivator'/><category term='baba ramdev'/><category term='ભગવાંની લીલા'/><category term='bhopal'/><category term='સંસ્થા'/><category term='Gujarat government/ગુજરાત સરકાર'/><category term='Tagore'/><category term='world war'/><category term='Madhu Rye'/><category term='telecom'/><category term='education/શિક્ષણ'/><category term='police'/><category term='tarak maheta'/><category term='gopalkrishna gandhi'/><category term='himanshu kumar'/><category term='આર્થિક મંદી'/><category term='british raj'/><category term='it'/><category term='2012'/><category term='gandhi cap'/><category term='bt brinjal'/><category term='response'/><category term='pranlal patel'/><category term='society- trends/સમાજ-પ્રવાહો'/><category term='steve jobs'/><category term='swadhyay'/><category term='science/વિજ્ઞાન'/><category term='આંખનું કાજળ ગાલે'/><category term='singapore'/><category term='digitisation'/><category term='Meghani'/><category term='swaminarayan'/><category term='tsunami'/><category term='obi'/><category term='gujarat - 2002'/><category term='suu kyi'/><category term='Geronimo'/><category term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><category term='kashmir'/><category term='ગુજરાતી સાહિત્ય'/><category term='બત્રીસ કોઠે હાસ્ય'/><category term='einstein/આઇન્સ્ટાઇન'/><category term='asaram'/><category term='arts'/><category term='radio'/><category term='homai vyarawala'/><category term='gu'/><category term='positive thinking'/><category term='population'/><category term='nano'/><category term='surrogate mother'/><category term='kites'/><category term='politics'/><category term='traffic (non)sense'/><category term='cell phone'/><category term='Sathya Saibaba'/><category term='justice'/><category term='ngo'/><category term='Binit Modi'/><category term='Gujarat/ગુજરાત'/><category term='prakash shah/પ્રકાશ ન.શાહ'/><category term='terrorism'/><category term='Ahmedabad/અમદાવાદ'/><category term='nuclear disaster'/><category term='ad'/><category term='literature'/><category term='maoist'/><category term='dr.ambedkar'/><category term='m.f.husain'/><category term='food'/><category term='mark zuckerberg'/><category term='us'/><category term='religion'/><category term='Gujarati/ગુજરાતી ભાષા'/><category term='japan'/><category term='occupy wall sreet'/><category term='Shrilal Shukla/श्रीलाल शुक्ल'/><category term='film'/><category term='tribal'/><category term='pakistan'/><category term='umashankar joshi'/><category term='gujarat politics'/><category term='health'/><category term='NRI'/><category term='Ashwinee Bhatt'/><category term='profile'/><title type='text'>gujarati world</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default?start-index=101&amp;max-results=100'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>725</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6522553284879410600</id><published>2012-02-19T10:00:00.005+05:30</published><updated>2012-02-19T10:32:55.487+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='mark zuckerberg'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='it'/><title type='text'>ફેસબુકઃ ઇન્ટરનેટની ‘ઓટલા પરિષદ’માંથી કરોડો ડોલરનો કારોબાર</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-znpvFPaI4Ow/T0CBMWiuYVI/AAAAAAAADQ4/Z-yZ53gP7tg/s1600/fb.jpg"&gt;&lt;img style="display:block; margin:0px auto 10px; text-align:center;cursor:pointer; cursor:hand;width: 400px; height: 340px;" src="http://2.bp.blogspot.com/-znpvFPaI4Ow/T0CBMWiuYVI/AAAAAAAADQ4/Z-yZ53gP7tg/s400/fb.jpg" border="0" alt="" id="BLOGGER_PHOTO_ID_5710706376715428178" /&gt;&lt;/a&gt;&lt;div&gt;&lt;div&gt;&lt;span style="font-family: Georgia, serif; font-size: 16px; "&gt;ઇ.સ.નો અર્થ ઇસવી સનને બદલે ‘ઇન્ટરનેટ સંવત’ થતો હોત તો તેમાં દર દાયકે યુગ બદલાતો હોત. યાહુ-યુગ, ગુગલ-યુગ...અને વર્તમાન સમય ‘ફેસબુક યુગ’ ગણાયો હોત. ૧૯ વર્ષના છોકરડા માર્ક ઝકરબર્ગે ૨૦૦૪માં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ તરીકે ‘ફેસબુક’/Facebookની શરૂઆત કરી ત્યારે તેનો આશય ફક્ત એટલો જ હતો કે કોલેજિયનો એકબીજાના સંપર્કમાં રહી શકે. એકબીજા સાથે અને એકબીજા વિશેની વિગતોની આપ-લે (‘શેરિંગ’) કરી શકે. પરંતુ સિલિકોન વેલીની સાચી પડેલી પરીકથાઓની માફક ‘ફેસબુક’નું કદ-કાઠું એટલું વઘ્યું કે સ્કૂલો-કોલેજોની મર્યાદિત સૃષ્ટિ ક્યાંય પાછળ રહી ગઇ અને તે વિશ્વની સૌથી વઘુ સભ્યસંખ્યા ધરાવતી સાઇટ બની ગઇ. હવે ‘ફેસબુક’ પાંચ અબજ ડોલરનો પબ્લિક ઇસ્યુ લાવીને ખાનગી મટીને જાહેર કંપની બની રહી છે, ત્યારે કંપની અને તેના માલિક ઝકરબર્ગ/ Mark Zuckerberg વિશે અત્યાર લગી અજાણી - ઓછી જાણીતી રહેલી ઘણી વિગતો બહાર આવી છે. તેનાથી ‘ફેસબુક’ના પ્રભાવ અને સરવાળે ઇન્ટરનેટ માઘ્યમની પ્રચંડ ક્ષમતાનો વધારે નક્કર ખ્યાલ આવી શકે છે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="font-size: 16px; font-family: Georgia, serif; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-size: 16px; font-family: Georgia, serif; "&gt;‘ફેસબુક’ની સૌથી મોટી તાકાત છે તેની સભ્યસંખ્યા અને એ સભ્યોને લાગેલું ‘ફેસબુક’નું બંધાણ. ડિસેમ્બર, ૨૦૧૧ના આંકડા પ્રમાણે, ‘ફેસબુક’ના એક્ટિવ યુઝર્સ- એટલે કે ફક્ત ખાતું ખોલાવીને બેસી રહેવાને બદલે ડિસેમ્બર, ૨૦૧૧માં જેમણે એકાદ વાર પણ ‘ફેસબુક’ પર પોતાનું ખાતું જોયું હોય એવા લોકોની સંખ્યા છેઃ ૮૪.૫ કરોડ. મહિનાને બદલે રોજેરોજ ‘ફેસબુક’ વાપરનાર લોકોનો આંકડે પણ તોતિંગ છેઃ ૪૮.૩ કરોડ. એટલે જ કહેવાય છે કે ‘ફેસબુક’ના સભ્યોનો અલગ દેશ બનાવવામાં આવે તો વસ્તીની રીતે એ (ચીન-ભારત જેવા અપવાદો બાદ કરતાં) દુનિયાના મોટા ભાગના દેશોને પાછળ પાડી દે. ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ‘ફેસબુક’ પર દરરોજ (૨૪ કલાકમાં) સરેરાશ ૨.૭ અબજ ‘લાઇક’ અને ‘કમેન્ટ’ થયાં. એટલે ૧ કલાકની સરેરાશ ૧૦૦ કરોડથી પણ વઘુ થઇ.&lt;/div&gt;&lt;/div&gt;&lt;div style="font-size: 16px; font-family: Georgia, serif; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-AIr-oYS0Ka4/T0CBFvF_NsI/AAAAAAAADQs/SzE9XK9Tdc4/s1600/z.jpg"&gt;&lt;img style="display:block; margin:0px auto 10px; text-align:center;cursor:pointer; cursor:hand;width: 372px; height: 367px;" src="http://4.bp.blogspot.com/-AIr-oYS0Ka4/T0CBFvF_NsI/AAAAAAAADQs/SzE9XK9Tdc4/s400/z.jpg" border="0" alt="" id="BLOGGER_PHOTO_ID_5710706263046698690" /&gt;&lt;/a&gt;&lt;div style="text-align: center;"&gt;ફેસબુકના ડાયરેક્ટર ઓફ એન્જિનિયરિંગ આદિત્ય અગ્રવાલના લગ્નમાં ભારતીય પોશાકમાં (ગરબા કરતા?) માર્ક ઝકરબર્ગ અને તેમની ગર્લફ્રેન્ડ. પૂના, જાન્યુઆરી 2010  &lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;span  &gt;&lt;u&gt;&lt;br /&gt;&lt;/u&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;span style="font-family: Georgia, serif; font-size: 100%; "&gt;વર્ષ ૨૦૧૧માં ‘ફેસબુક’નો વકરો ૩.૭ અબજ ડોલર અને ચોખ્ખી આવક ૧ અબજ ડોલર હતી. હવે તે અંદાજે ૨૯.૭૩ ડોલરની કિંમતના એક શેર લેખે કંપનીના શેર વેચીને બજારમાંથી પાંચ અબજ ડોલરની રકમ ઉભી કરવા માગે છે. ઇન્ટરનેટ-જગતનો આ સૌથી મોટી રકમનો પબ્લિક ઇશ્યુ બની રહેશે. તેના પરિણામે એક કંપની તરીકે ‘ફેસબુક’નું મૂલ્ય ૭૫ અબજ થી ૧૦૦ અબજ ડોલર જેટલું અંકાશે એવી ધારણા છે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;આ તો થઇ કંપનીના રાક્ષસી કદની વાત. પણ લાખ રૂપિયાનો, બલ્કે ૧૦૦ અબજ ડોલરનો, સવાલ એ થાય કે ‘ફેસબુક’ પર તેના સભ્યો મનમાં આવે તે લખે, તસવીરો-વિડીયો મૂકે, ‘ફેસબુક ફ્રેન્ડ્‌સ’ સાથે ‘શેર’ કરે, એકબીજાએ મૂકેલી ચીજો જુએ, એના વિશે કંઇક કહે, ફાર્મવીલ જેવી રમતો રમે, પ્રેમ કરે ને લડે, પરણે ને છૂટાછેડા લે, ડેટિંગ કરે ને લાળ ટપકાવે - તેનાથી ‘ફેસબુક’ અને ઝકરબર્ગને કેવી રીતે કરોડો ડોલરની કમાણી થાય? ઝકરબર્ગ એવું તે શું વેચે છે? અવ્વલ નંબરનું સર્ચ એન્જિન ગુગલ સર્ચનાં પરિણામોની સાથે સુસંગત હોય એવી જાહેરખબરો પણ દર્શાવીને, જાહેરખબરો આપનાર કંપનીઓ પાસેથી નાણાં વસૂલ કરે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરખબરની આવક છે, તો છેલ્લાં ત્રણેક વર્ષથી નફો કરતી ‘ફેસબુક’ શી રીતે કમાય છે?&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;તેનો જવાબ મુલ્લા નસીરુદ્દીનના નામે ચડેલી એક રમૂજની યાદ અપાવે છે. મુલ્લા રોજ ગધેડા પર માલ લાદીને એક પ્રદેશની સરહદ વટાવીને બીજા પ્રદેશના બજારમાં એ વેચવા જાય. સરહદ પરના કસ્ટમ અધિકારીએ મુલ્લાને માલ લઇ જવાની ના પાડી, તો મુલ્લા ફક્ત ગધેડો લઇને આવ-જા કરવા લાગ્યા. છતાં તે કમાણી કરી રહ્યા હતા. થોડા દિવસ તાલ જોયા પછી ન રહેવાતાં અધિકારીએ મુલ્લાને તેમની આવકનું રહસ્ય પૂછ્‌યું, એટલે મુલ્લાએ કહ્યું, ‘હું માલ નથી વેચતો. આખેઆખો ગધેડો જ વેચું છું ને રોજ નવો ગધેડો લઇને આવું છું.’ &lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;એક સમીક્ષકે આ જ વાત જરા જુદી રીતે કહી છેઃ ‘જો તમે કોઇ ચીજ મફતમાં મેળવતા હો, તો સમજવું કે (તમને મફત ચીજ આપનાર કંપની માટે) તમે પોતે જ એક પ્રોડક્ટ છો (અને કંપની તમને વેચે છે).’  કરોડો સભ્યોએ સ્વેચ્છાએ- હોંશે હોંશે ‘ફેસબુક’ પર મૂકેલી પોતાની વિગતો ‘ફેસબુક’ બીજી કંપનીઓને વેચે છે અને તેમાંથી અઢળક કમાણી કરે છે, એવો આરોપ વારંવાર થતો રહે છે. પબ્લિક ઇસ્યુ માટે અમેરિકાના ‘સિક્યોરિટી એન્ડ એક્ચેન્જ કમિશન’માં રજૂ કરેલી કંપનીની સત્તાવાર માહિતીમાં જણાવ્યા પ્રમાણે, કુલ આવકમાંથી ૮૫ ટકા જેટલો મોટો હિસ્સો જાહેરખબરોમાંથી આવે છે. ફક્ત બે જ વર્ષ પહેલાં કંપનીની ૯૮ ટકા આવક જાહેરખબરોમાંથી આવતી હતી, પરંતુ ‘ફેસબુક’ પર ફાર્મવીલ જેવી ગેમ્સ એટલી લોકપ્રિય બની છે કે ગેમ્સ બનાવનાર કંપની પોતાની આવકમાંથી ‘ફેસબુક’ને જે કમિશન ચૂકવે છે તેનો હિસ્સો ‘ફેસબુક’ની કુલ આવકમાં ૧૨ ટકા જેટલો મોટો થયો છે. &lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;આંખો પહોળી થઇ જાય એવા આંકડા ધરાવતી ‘ફેસબુક’ના પબ્લિક ઇશ્યુની જાહેરાત થતાં કંપનીની કાર્યપદ્ધતિ-અસરકારકતા અને ભવિષ્ય વિશે પણ ચર્ચા ચાલી છે. એ ભવિષ્યવાણીમાંથી બધી કંપનીના વર્તમાન જેટલી ભવ્યતાસૂચક નથી. ‘ફેસબુક’નો પબ્લિક ઇશ્યુ આવતાં, મોટી સંખ્યામાં તેના શેર ધરાવતા કંપનીના ઘણા કર્મચારીઓ કરોડપતિ બની જાય એવી પૂરેપૂરી સંભાવના છે. તેમાંથી ઘણા ‘ફેસબુક’ની નોકરી છોડીને પોતપોતાના વ્યવસાય કે વેબસર્વિસ શરૂ કરે એવી ધારણા અને ભૂતકાળનો અનુભવ પણ છે. &lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;‘ફેસબુક’ તરફથી અત્યાર લગી એવું આશ્વાસન અપાતું રહ્યું છે કે સભ્યોની અંગત વિગતોનો વેપલો કરવામાં આવતો નથી કે તે કોઇને પૂરી પાડવામાં આવતી નથી. પરંતુ અંગત વિગતોના આધારે સભ્યોની ઓળખને ઘ્યાનમાં લઇને, તેને અનુરૂપ- ટાર્ગેટેડ- જાહેરખબરો મૂકવામાં આવે છે અને તેના પેટે રકમ વસૂલવામાં આવે છે. પરંતુ ‘ફેસબુક’ પર મૂકેલી જાહેરખબરો ખાસ અસરકારક નીવડતી નથી, એવી છાપ આઇ.ટી.વર્તુળોમાં વધારે પ્રચલિત બની રહી છે. ‘ફેસબુક’ના ઘરેડ બંધાણીઓમાંથી ભાગ્યે જ કોઇ જાહેરખબર પર ક્લિક કરે છે. &lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;સતત વધતી સભ્યસંખ્યાને કારણે હજુ સુધી ‘ફેસબુક’ને નવા સભ્યો મળી રહે છે અને તેમની વિગતોના આધારે, ‘ચોક્કસ જૂથના લોકો સમક્ષ તમારી જાહેરાત રજૂ કરી શકાશે’ એવું ગાજર લટકાવીને કંપનીઓને જાહેરખબર આપવા આકર્ષી શકાય છે. પરંતુ વ્યાપક બનતી જતી છાપ પ્રમાણે, ‘ફેસબુક’ પરની જાહેરખબરો અકસીર નહીં નીવડે તો તેની કમાણીનો મોટો સ્ત્રોત ભવિષ્યમાં કાચો પડવાની આશંકા વ્યક્ત થાય છે. ‘ફેસબુક’ના સભ્યો સાઇટ પર વઘુમાં વઘુ સમય વીતાવે અને ‘શેરિંગ’ સિવાય તેમના માટે બીજાં આકર્ષણો પણ ઊભાં થતાં રહે, એવો ‘ફેસબુક’નો પ્રયાસ રહેશે. બજારમાંથી ઊભા કરાનારા પાંચ અબજ ડોલરનો મોટો હિસ્સો પણ ‘ફેસબુક’નો વિસ્તાર કરવામાં- તેને ભવિષ્યના કઠણ પડકારો સામે સજ્જ બનાવવામાં થશે એવું અનુમાન છે. &lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;એક આશંકા એવી પણ છે કે શેરબજારમાં દાખલ થયા પછી ‘ફેસબુક’ પર નફાનું ઊંચું ધોરણ જાળવી રાખવા માટે રોકાણકારોનું દબાણ વધશે, તેમ બીજા રસ્તા ઉપરાંત સભ્યોની અંગત માહિતીનો રોકડી કરવાની લાલચ પણ વધી શકે છે. થોડાં વર્ષ સક્રિય રહ્યા પછી ‘ફેસબુક’નું બંધાણ ઉતરવા લાગ્યું હોય એવા લોકો પણ છે. ‘દરેકનો દસકો હોય’ એવી દેશી કહેણી પ્રમાણમાં ચીલઝડપી પરિવર્તનની પરંપરા ધરાવતા ઇન્ટરનેટ જગતમાં ઘણી વાર સાચી પડે છે- સિવાય કે કંપની પરિવર્તનની ઝડપ કરતાં એક ડગલું આગળ રહી શકે. વેબસાઇટ-વિશ્વમાં ‘વફાદારી’ જેવો શબ્દ હોતો નથી. જેના વિના દિવસ ઉગતો કે આથમતો ન હોય એવી સર્વિસ કરતાં થોડી વઘુ સારી, જુદી કે નવી સર્વિસ મળે તો તે અજમાવવામાં સાઇટના જૂના સભ્યોને કશો ખચકાટ થતો નથી. &lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 100%; font-style: normal; font-variant: normal; font-weight: normal; line-height: normal; "&gt;અત્યાર સુધી ‘ફેસબુક’ પરિવર્તન અને હરિફાઇના પડકાર ઝીલવામાં સમર્થ રહી છે, પરંતુ આવનારાં એક-બે વર્ષમાં ૭૫ અબજ-૧૦૦ અબજ ડોલરની કંપની તરીકેની આભા અને પરિવર્તનના મોજા પર સવાર થવાને બદલે, પોતે જ પરિવર્તનનો પ્રવાહ પેદા કરવાની તેની ક્ષમતા કેવીક ટકશે તે જોવાનું રહે છે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-6522553284879410600?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/6522553284879410600/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_19.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6522553284879410600'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6522553284879410600'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_19.html' title='ફેસબુકઃ ઇન્ટરનેટની ‘ઓટલા પરિષદ’માંથી કરોડો ડોલરનો કારોબાર'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-znpvFPaI4Ow/T0CBMWiuYVI/AAAAAAAADQ4/Z-yZ53gP7tg/s72-c/fb.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-5368716622670476733</id><published>2012-02-17T22:39:00.002+05:30</published><updated>2012-02-17T22:39:58.940+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='history/ઇતિહાસ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Gandhi/ગાંધી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='badshah khan'/><title type='text'>ફકીરીના બાદશાહઃ ખાન અબ્દુલ ગફ્ફાર ખાન</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-6DhpoLzrRBo/Tz6CGVLPjWI/AAAAAAAADPI/DJtDtcqAvkg/s1600/3.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="400" src="http://4.bp.blogspot.com/-6DhpoLzrRBo/Tz6CGVLPjWI/AAAAAAAADPI/DJtDtcqAvkg/s400/3.jpg" width="293" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;span style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;આઝાદીના સંગ્રામમાં મુસ્લિમ નેતાગીરીની વાત નીકળે ત્યારે કોંગ્રેસવિરોધી તરીકે મહંમદઅલી ઝીણાને કે કોંગ્રેસી તરીકે મૌલાના આઝાદને જે રીતે યાદ કરવામાં આવે છે, તેનાથી દસમા ભાગે પણ ખાન અબ્દુલ ગફ્‌ફારખાનને યાદ કરાતા નથી. ‘અહિંસક પઠાણ’ જેવા પરસ્પરવિરોધી શબ્દપ્રયોગ જીવી બતાવનાર ખાનસાહેબને શાળાનાં પુસ્તકોમાં યાદ કરવામાં આવે તો એ ‘સરહદના ગાંધી’ તરીકે, જે વિશેષણ તેમને નામંજૂર હતું. તેમની દલીલ હતી કે ‘મહાત્મા ગાંધી ખુદ હયાત છે પછી દેશમાં વધારે ગાંધીની જરૂર નથી.’ છોટે સરદાર અને છોટે ગાંધીઓનાં પાઉચપેકિંગના જમાનામાં બાદશાહખાનની આ સ્પષ્ટતા કદાચ ન સમજાય, પણ તેમનો સ્વતંત્ર મિજાજ અને સાદગી-સરળતાભર્યું ઊંડાણ જાણ્યા પછી, સામેથી જ તેમને ‘સરહદના ગાંધી’ જેવું સરખામણીસૂચક લેબલ મારવાનું મન ન થાય.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-NsP7HRNDxzo/Tz6GfVZgcYI/AAAAAAAADQI/wP-wo2-1nkI/s1600/3_close.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="200" src="http://2.bp.blogspot.com/-NsP7HRNDxzo/Tz6GfVZgcYI/AAAAAAAADQI/wP-wo2-1nkI/s200/3_close.jpg" width="181" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;અખંડ ભારતના સરહદ પ્રાંત- નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો સરહદી ઇલાકો) એટલે આક્રમક મિજાજના પઠાણોની ભૂમિ. ‘સિંહ ઘાસ ખાય તો પઠાણ અહિંસક હોય’ એવી તેમની છાપ. એવા કુટુંબ અને સમાજમાં ૧૮૯૦માં જન્મેલા ખાન ગાંધીજીના બીજા સાથીદારો-અનુયાયીઓ કરતાં એ રીતે જુદા પડે છે કે તેમણે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાંથી પોતાની રીતે સાદગી અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમનો આશય ફક્ત મારધાડની ભાષા સમજી શકતા પોતાના સમાજને શિક્ષિત અને જાગ્રત બનાવવાનું હતું. એ માટે તેમણે પોતાના વતન અતમાનઝઇ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાલયો સ્થાપવાની પ્રવૃત્તિ આદરી. પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીઘું.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘બાદશાહખાન’ કે ‘બાચાખાન’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્‌ફારખાન પોલીસના સિતમની બાબતમાં પણ ગાંધીજી અને તેમના સાથીદારોથી જુદા પડે. ગાંધીજીના કોઇ સાથીદારને અંગ્રેજ પોલીસનો શારીરિક જુલમ સહન કરવો પડ્યો ન હતો. ૨૧ વર્ષની વયે જાહેર જીવનમાં ઝુકાવી દેનાર બાદશાહખાનની પહેલી ધરપકડ ‘રોલેટ એક્ટ’ના વિરોધ પ્રદર્શન નિમિત્તે ૧૯૧૯માં થઇ, ત્યારે તેમની ઊંચાઇ સાડા છ ફૂટ અને વજન લગભગ ૧૦૦ કિલો હતું. કદાવર દેહ ધરાવતા બાદશાહખાનના પગમાં જેલની એકેય બેડી બેસતી ન હતી. એટલે સિપાઇઓએ સૌથી મોટી બેડીને થોડું જોર કરીને તેમના પગે ચડાવી દીધી. પગેથી લોહી વહેવા લાગ્યું. એટલે જેલરે કહ્યું, ‘આ પહેલી વખતની જેલ છે ને! ધીમે ધીમે ટેવ પડી જશે.’&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-7-96g_xyaCk/Tz6EgDl-4JI/AAAAAAAADPY/nhF9aVZ8ahw/s1600/nava2.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://1.bp.blogspot.com/-7-96g_xyaCk/Tz6EgDl-4JI/AAAAAAAADPY/nhF9aVZ8ahw/s400/nava2.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;ત્રણ વર્ષની જેલ પછી બાદશાહખાન બહાર આવ્યા ત્યારે તેમનું વજન ૨૫ કિલો જેટલું ઘટી ગયું હતું. છતાં અહંિસા પરની તેમની શ્રદ્ધા દૃઢ બની. હાલતાચાલતા પહાડ જેવા લાગતા આ માણસની અહિંસા તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓની જેમ રાજકીય વ્યૂહરચના કે પ્રજાના મોટા હિસ્સાની જેમ પલાયનવાદ ન હતી. એ તેમના અંતરમાં ઉગેલી અને કોઠાસૂઝથી રસાયેલી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે ‘ખુદાઇ ખિદમતગાર’- ખુદાના સેવકો-નું સંગઠન રચ્યું. ખિદમતગારો માટે શરૂઆતમાં સફેદ-જાડી ખાદીનો પોશાક નક્કી કરવામાં આવ્યો, પણ એ જલ્દી મેલો થઇ જતો હોવાનું લાગતાં તેમણે દેખાવની ચિંતા કર્યા વિના પોશાકને ગેરુ રંગે રંગવાનું ઠરાવ્યું. એ કારણથી તેમના સાથીદારો ‘લાલ ખમીસવાળા’ તરીકે પણ ઓળખાયા.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;અંગ્રેજ શાસકોએ પહેલાં ખિદમતગારોના લાલ રંગને સામ્યવાદમાં ખપાવવા પ્રયાસ કર્યો. એ પ્રચારના લેવાલ ન મળતાં તેમણે જૂનું અને જાણીતું દમનનું શસ્ત્ર અપનાવ્યું. બાદશાહખાનની ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા. પણ તેમના જવાથી આંદોલન શમવાને બદલે વધારે તેજ બન્યું. બેબાકળી બનેલી સરકારે આડેધડ ધરપકડો આદરી. સ્થિતિ એવી સર્જાઇ કે થોડા સમયમાં સરહદપ્રાંતની જેલો નાની પડવા લાગી. સરકારે વઘુ ધરપકડો ટાળવા માટે નવું ફરમાન કાઢ્‌યું કે ખિદમતગારોને પકડીને તેમનાં ગેરુ વસ્ત્રો ઉતારી લેવાં અને નગ્ન અવસ્થામાં તેમને છોડી મૂકવા.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;બાદશાહખાનની અહિંસાના પાઠ ભણેલા ખિદમતગારોએ નવો રસ્તો અપનાવ્યો. તે પોતાના શરીર ઉપર ગેરુ રંગ લગાડવા લાગ્યા. પોલીસ તેમનાં વસ્ત્રો ઉતારી લે તો અંદરથી- શરીર પરથી ગેરુ રંગ નીકળે. એટલે ખિદમતગારને શરમાવવા આવેલી પોલીસ પોતે ભોંઠી પડે. આવા અહિંસક મૌલિક પ્રતિકારથી કંટાળેલી સરકારે છેવટે બીજું કંઇ ન સૂઝતાં, સરહદ પ્રાંતમાં ગેરુ રંગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. શસ્ત્રો કે હિંસાની મદદ વિના શસ્ત્રધારીઓને કઇ હદે ટક્કર આપી શકાય તેનો આ બિનગાંધીવાદી-બિનકોંગ્રેસી નમૂનો હતો અને લડાયક વૃત્તિ માટે જાણીતા પઠાણો પાસેથી તે મળ્યો હોવાથી તેનું મોટું મૂલ્ય હતું.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-OnhuvTCnTtc/Tz6Eqq-vzTI/AAAAAAAADPg/zGi6heWIYoo/s1600/1-a.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="393" src="http://3.bp.blogspot.com/-OnhuvTCnTtc/Tz6Eqq-vzTI/AAAAAAAADPg/zGi6heWIYoo/s400/1-a.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;ગાંધીજીને સાબરમતી જેલમાં મળ્યા પછી બાદશાહખાને ગાંધીટોપી પહેરવાની જરૂર ન જોઇ, પણ હિંદુ-મુસ્લિમ એકતા અને અહિંસા જેવા મુદ્દે તે ગાંધીજીના સૌથી નજીકના- ઘણી વાર તો એકમાત્ર- સાથી બની રહ્યા. મનુબહેન ગાંધીએ ‘વિરાટ દર્શન’માં બાદશાહખાન વિશે નોંઘ્યું છે કે ‘તેઓ દલીલ ખૂબ જ ઓછી કરતા. ઘણા નેતાઓ અને બાપુજી વચ્ચેના પ્રસંગોમાં હું આવી છું. પણ ઓછામાં ઓછી વાત અને ઓછામાં ઓછી દલીલ કરનાર કોઇ હોય તો તે ખાનસાહેબ. કારણ, તેમને બાપુના શરીરની અને સમયની અપાર કિંમત હતી.’ સાબરમતી જેલમાં ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરનાર અને વર્ધા આશ્રમમાં ગાંધીજી પાસેથી રોજ સવારે તુલસીકૃત રામાયણ સાંભળનાર બાદશાહખાન ભાગ્યે જ નમાજ ચૂકતા. પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ તેમનામાં ઝનૂન નહીં, પણ મક્કમ મનોબળ, ઠંડી તાકાત અને સહનશીલતા પૂરી પાડતો હતો.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-NkZoXbbYvA8/Tz6E2xbs9cI/AAAAAAAADPo/wKF0cVtKbVg/s1600/1.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-NkZoXbbYvA8/Tz6E2xbs9cI/AAAAAAAADPo/wKF0cVtKbVg/s400/1.jpg" width="281" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;ગાંધીજીના સંપર્કથી ખિદમતગારો સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા બાદશાહખાને ૧૯૩૯માં ત્યાંથી રાજીનામું આપી દીઘું. કારણ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને (બીજા) વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસે જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ખુદાઇ ખિદમતગારોનો માર્ગ નથી...અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી. ખાલિક (સર્જનહાર) અને મખ્લૂક (સૃષ્ટિ)ની ખિદમત એ જ અમારું કામ છે. અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘ગાંધીજીની કોંગ્રેસ’ને નીચાજોણું થાય એવા બાદશાહખાનના આ નિર્ણય બદલ તેમની પીઠ ખુદ ગાંધીજીએ થાબડી. ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસ કાર્યકારિણીના મોટા ભાગના સભ્યો પોતાના સિદ્ધાંતમાંથી લપસી પડ્યા પરંતુ એક બાદશાહખાન પર્વતની જેમ પોતાના સ્થાન પર અટલ રહ્યા..ધૈર્ય એ બાદશાહખાનની પોલિસી નથી. એ તેમનો વિશ્વાસ અને સિદ્ધાંત છે કે એમની ગરીબ અને અસહાય જાતિનું હિત પ્રેમ, ભાઇચારો અને ધૈર્યમાં છે.’&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-JSU-HXMauYY/Tz6FSy1uSSI/AAAAAAAADPw/kzIuUW3BLpc/s1600/ghani21.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="292" src="http://1.bp.blogspot.com/-JSU-HXMauYY/Tz6FSy1uSSI/AAAAAAAADPw/kzIuUW3BLpc/s400/ghani21.JPG" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;બાદશાહખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.આઝાદી વખતે તેમને પઠાણો માટે ‘પખ્તૂનિસ્તાન’ જોઇતું હતું. &amp;nbsp;ભાગલા પછી પાકિસ્તાની સંસદમાં તેમણે કહ્યું હતું કે ‘પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને બંગાળ જેમ અનુક્રમે પંજાબી, સિંધી, બલુચ અને બંગાળી લોકોનાં મુલકનાં નામ છે, તેમ પખ્તૂન લોકોના મુલકનું નામ પખ્તૂનિસ્તાન હોવું જોઇએ. અમે પઠાણીસ્તાન માગતા નથી. અમારી જે કંઇ માગણી છે તે નામ અંગેની છે.’ પરંતુ પાકિસ્તાની શાસકોને એ કદી મંજૂર ન રહી.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવો જોઇએ કે નહીં એ વિશે લોકમત લેવાયો ત્યારે, પખ્તૂનિસ્તાનની માગણી પર અડગ ખિદમતગારોએ તેનો બહિષ્કાર કર્યો. એ લોકમતના પરિણામના આધારે &amp;nbsp;સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો. &amp;nbsp;કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂબ ઉદ્‌ગાર કાઢતાં કહ્યું હતું,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’&lt;br /&gt;&lt;br /&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-Ex4vSY1nec8/Tz6GFYCoWYI/AAAAAAAADQA/IozQEXRsEkU/s1600/photo04.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="323" src="http://3.bp.blogspot.com/-Ex4vSY1nec8/Tz6GFYCoWYI/AAAAAAAADQA/IozQEXRsEkU/s400/photo04.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;(photo: Homai Vyarawala)&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;પાકિસ્તાની સરકારે બાદશાહખાનની એ આશંકાને વાસ્તવિકતામાં ફેરવી બતાવી. ભારતમાં અને ગાંધીજી સાથે તેમની છેલ્લી કામગીરી બિહારની શાંતિયાત્રા દરમિયાન હતી. ત્યાર પછી આઝાદ પાકિસ્તાનમાં બાદશાહખાન અને તેમના ખિદમતગારો પર એટલા જુલમ થયા કે અંગ્રેજ સરકાર સારી લાગે. ખુદાઇ ખિદમતગાર સંગઠનને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું. બાદશાહખાનને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં તેમની અવરજવર આઝાદી પછી પણ ચાલુ રહી. ૧૯૬૪માં તબીબી સારવાર માટે તે બ્રિટન ગયા. ગાંધીજન્મશતાબ્દિ વખતે ૧૯૬૯માં તે ભારત અને ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાત કોમી રમખાણોથી રક્તરંજિત હતું. એ જોઇને બાદશાહખાને ઊંડી વેદના અનુભવી અને હૃદયદ્રાવક પ્રવચન પણ કર્યાં. ભારતમાં રાજીવ ગાંધી સરકારે તેમને ૧૯૮૭માં ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા. તેના જવાબમાં પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝીયાએ ઇંદિરા ગાંધીના રાજકીય વિરોધી મોરારજી દેસાઇને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપીને વળતો ઘા માર્યાનો સંતોષ લીધો.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-ca3PtPn7NW8/Tz6F1XJ6pRI/AAAAAAAADP4/JLAUIDqOwlw/s1600/2-b.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="286" src="http://1.bp.blogspot.com/-ca3PtPn7NW8/Tz6F1XJ6pRI/AAAAAAAADP4/JLAUIDqOwlw/s400/2-b.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;Khan Abdul Gjaffar Khan- Moraraji Desai&amp;nbsp;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;જાન્યુઆરી ૨૦,૧૯૮૮ના રોજ ૯૮ વર્ષનું સંઘર્ષમય આયુષ્ય &amp;nbsp;હિંમતભેર જીવીને બાદશાહખાને વિદાય લીધી. પરંતુ ‘સરહદના ગાંધી’ સિવાયની બીજી ઓળખો ભારતમાં ક્યારની ભૂંસાઇ ગઇ છે. મુસ્લિમોમાં &amp;nbsp;રૂઢિચુસ્તોને વકરાવીને મુસ્લિમહિતનો ડોળ કરતા કે મુસ્લિમવિરોધી લાગણીની રોકડી કરવા તલપાપડ- કોઇ પક્ષોને બાદશાહખાનનો ખપ નથી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-rxd70TLfjTw/Tz6GqKpWSlI/AAAAAAAADQQ/NFoZztHnUm0/s1600/stamp.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="251" src="http://1.bp.blogspot.com/-rxd70TLfjTw/Tz6GqKpWSlI/AAAAAAAADQQ/NFoZztHnUm0/s400/stamp.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-5368716622670476733?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/5368716622670476733/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_17.html#comment-form' title='7 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/5368716622670476733'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/5368716622670476733'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_17.html' title='ફકીરીના બાદશાહઃ ખાન અબ્દુલ ગફ્ફાર ખાન'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-6DhpoLzrRBo/Tz6CGVLPjWI/AAAAAAAADPI/DJtDtcqAvkg/s72-c/3.jpg' height='72' width='72'/><thr:total>7</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-1595918047198760692</id><published>2012-02-15T16:07:00.003+05:30</published><updated>2012-02-15T16:15:34.901+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='society- trends/સમાજ-પ્રવાહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='NRI'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='corruption'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>કડકડતી ઠંડી પડે ત્યારે</title><content type='html'>&lt;div&gt;ઠંડક અને ઠંડી વચ્ચે, ટાઢક અને ટાઢ વચ્ચે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળવા અને ત્યાં બેસીને પોર્નોગ્રાફી જોવા જેટલો ફરક છે. એક શાયરે ‘સુખ તો અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે’ એમ કહ્યું હતું. એવી રીતે અમુક હદ સુધીની ટાઢ પડે, તો એને ‘ગુલાબી ઠંડી’નું શાયરાના માન મળે,  પણ આ વર્ષે પડેલી ઠંડી શાયરાના મિજાજ વટાવીને કાતિલાના અંદાજ સુધી પહોંચી ગઇ. યુપીએ સરકારના ભ્રષ્ટાચારની જેમ આ વરસની ઠંડી વિશે પણ લોકોને થવા લાગ્યું, ‘હોય ભાઇ, અમે સમજીએ છીએ, પણ એની હદ તો હોય કે નહીં?’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ભ્રષ્ટાચાર વિશે ‘આટલો બધો ન હોય’ની લાગણીથી પ્રેરાઇને અન્ના હજારે આણિ મંડળીએ આંદોલન ચલાવ્યું, પરંત ભ્રષ્ટાચાર અને ઠંડીમાં એટલો ફરક છેઃ ‘આટલી બધી ન હોવી જોઇએ’ એવી ઠંડી સામે મોરચો માંડવા માટે કોઇ અન્ના હજારેની રાહ જોતું નથી. સૌ પોતપોતાની રીતે રસ્તા શોધી કાઢે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઠંડી ગુલાબી હોય ત્યાં સુધી એ ફેશન મારવાની ૠતુ છે. તેમાં ઠંડી છે એટલે નહીં, પણ આપણી પાસે ગરમ કપડાં છે, એટલે એ પહેરવામાં આવે છે. પણ ઠંડીનો રંગ ગુલાબીમાંથી ઘેરો- લાલ થવા લાગે એટલે માણસમાં રહેલી સ્વ-સુશોભન વૃત્તિ પર સ્વ-બચાવની વૃત્તિ પ્રભાવી થવા લાગે છે. સ્વેટર, જેકેટ, કોટ, મફલર, શાલ, ટોપી જેવાં વસ્ત્રોમાં તે મેચિગની નહીં, પણ અસરકારકતાની ચિતા કરતો થાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગુજરાતમાં પહેલાં રણવિસ્તારની નજીક આવેલા પ્રદેશોમાં આકરી ઠંડી પડતી હતી. હવે પ્રમાણમાં ખુશનુમા આબોહવા ધરાવતા શહેરી વિસ્તારોમાં પણ પાંચ-સાત-આઠ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. કેટલાક લોકો આ જાતના શિયાળાને કુદરતનું એન.આર.આઇ. લોકો સામેનું કાવતરું ગણાવે છે. આ મોસમમાં દેશમાં ઉમટી પડતાં એન.આર.આઇ. પાસે પહેલાં અહીંના લોકોને આંજવા માટે ઘણાં સાધન હતાં: ‘ત્યાં’ની વાતો, ચીજવસ્તુઓ, ઉપકરણો ..&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઉદારીકરણ પછીના યુગમાં બઘું અહીં મળતું થઇ ગયું. બસ, એક ઠંડીની કસર હતી. ‘અમારે ત્યાં તો એવી ઠંડી પડે...’ એવી એન.આર.આઇ.- કથા માટે અવકાશ રહ્યો હતો, પરંતુ છેલ્લાં બે-પાંચ વર્ષથી ગુજરાતમાં જે પ્રકારની ઠંડી પડી છે એ જોતાં, દેશી લોકો પર પ્રભાવ પાડવાનું એન.આર.આઇ.નું છેલ્લું શસ્ત્ર પણ છિનવાઇ ગયું હોય એમ લાગે છે. એમાં ‘ભગવાનના ગમ્યું તે ખરું’ સિવાયનું કોઇ આશ્વાસન કામ લાગે એમ નથી. હવે ગૌરવવંતા અમદાવાદીઓ એન.આર.આઇ.ને કહી શકે છે, ‘અમારે ત્યાંની ઠંડી એટલે? બઘું થિજવી નાખે. અમારે તમારી માફક હીટરમાં ફરવાનું ન હોય. લોકો પાસે ઘર જ માંડ હોય, ત્યાં હીટર ક્યાંથી લાવે? તો પણ લોકો વેઠી જાય છે. બોલો!’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;શિયાળાના દિવસમાં સૌથી અકસીર છતાં મફત ચીજ છે તડકો. સૂર્યપ્રકાશના જોરે સામાન્ય લોકોને ઠંડીનો મુકાબલો કરતા જોઇને ક્યારેક એવી આશંકા પણ ઝબકી જાય કે સરકારના ઘ્યાને આ વાત ન ચડે તો સારું. નહીંતર કોઇક મંત્રીવર્યને એવો વિચાર આવી શકે છે કે જમીન-જંગલો અને સ્પેક્ટ્રમની જેમ સૂર્યનો તડકો પણ કુદરતી સંસાધન હોવાથી એ સરકારની માલિકીનો ગણાવો જોઇએ. વિકાસના પ્રોજેક્ટ પાર પાડવા માટે સરકારો તડકા પર ટેક્સ નાખવાનું વિચારી શકે. પુખ્ત વયના દરેક નાગરિકને એક-એક મીટર આપી દેવામાં આવે, જે દરેકે પહેરી રાખવાનું. તેનાથી દિવસ દરમિયાન માણસે કેટલો તડકો ‘ડાઉનલોડ’ કર્યો તે ખબર પડી જાય અને મહિને તેનું બિલ મોકલી શકાય. ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે તડકાનું બિલ માફ કરીને સરકાર પોતે ગરીબો પ્રત્યે કેવી દયાળુ છે- કેવી ગરીબલક્ષી છે, તેની જાહેરાત પણ કરી શકે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સરકારો બહુ મૌલિક હોઇ શકે છે. તેમનું ચાલે તો એ ઠંડી ઉપર પણ ટેક્સ નાખે. અમદાવાદમાં રહેતા માણસને એક પણ ફદિયું ખર્ચ્યા વિના આબુનું વાતાવરણ ‘મફ્‌ફત’ મળતું હોય, તો કોર્પોરેશનને એવું મન ન થાય કે આ લોકોએ આબુ જવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા હોત તેનો અમુક હિસ્સો આપણે ટેક્સ તરીકે શા માટે ન વસૂલવો? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સાહિત્યકારો અને જાહેર જીવનમાં રહેલા લોકો માટે આકરી ઠંડી આવકારદાયક અને અમુક અંશે આશીર્વાદરૂપ સાબીત થાય છે. જ્યાં ને ત્યાં શાલથી સન્માનિત થયેલા આ મહાનુભાવો પાસે શાલનો એટલો જથ્થો હોય છે કે તે એમ્પોરિયમ ખોલી શકે. ઠંડી ન પડતી હોય તો એ શાલનું શું કરવું? પણ કડક ઠંડી પડે ત્યારે રોજ જુદી જુદી અથવા સવાર-સાંજ જુદી જુદી શાલ ઓઢીને, એ બહાને પોતાને મળેલાં સન્માનની હૂંફ ફરીથી તાજી કરી શકે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગરીબો અને અમીરો બન્ને માટે શિયાળામાં તાપણાનું ઘણું માહત્મ્ય હોય છે. (સાહિત્યકારો પાસે પોતાનાં ન વેચાયેલાં પુસ્તકોનું કે ભેટમાં મળેલાં નકામાં પુસ્તકોનું તાપણું કરવાના વધારાના વિકલ્પ હોય છે.) સામાન્ય રીતે જીવનસાથીના રૌદ્ર રૂપની જેમ દઝાડતો અગ્નિનો તાપ રાતના કે વહેલી સવારના તાપણામાંથી નીકળે ત્યારે પ્રિયજનની યાદ જેવો મીઠો લાગે છે. તેની વધારે નજીક જવાથી દઝાઇ જવાય અને દૂર જવાથી મીઠાશ જતી રહે એવું સત્ય પણ ત્યારે પામી શકાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વૈજ્ઞાનિક રીતે એ ભલે સિદ્ધ ન થયું હોય, પણ હકીકત એ છે કે બધાને આખા શરીરમાં એકસરખી ઠંડી લાગતી નથી. ‘બહુ ઠંડી છે’ની બૂમો પાડનારા લોકો વિશે સહેજ ઊંડાણથી વાતચીત કરતાં ખ્યાલ આવશે કે દરેક જણના શરીરમાં ‘શીતબિદુઓ’ (કોલ્ડ સ્પોટ્‌સ) જુદાં જુદાં હોય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘આપણાથી ગમે તેટલી ઠંડી સહન થાય, પણ કાનમાં પવન ન જવો જોઇએ.’ એવું કહેનારા લોકોનું ચાલે તો એ કાનને શટર નંખાવીને તેને ડબલ તાળાં મરાવે. ઠંડા પવનને બોસના ઠપકાની જેમ એક કાનેથી અંદર લઇને બીજા કાનેથી બહાર કાઢી શકાતો નથી, એનો તેમને ભારે વસવસો થાય છે.  &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;કેટલાક લોકો ફક્ત કાનની નહીં, પણ આખેઆખા માથાની ચિતા કરતા હોય છે. માથામાં પવન ભરાય તો શું થાય, એ બાબતે આયુર્વેદથી માંડીને ઇન્ટરનેટ પર શું લખેલું છે, એ બઘું તેમના માથામાં ભરાયેલું હોય છે. ‘સર સલામત તો પઘડીયાં બહોત’ એવી કહેવતના વિસ્તાર તરીકે તે સર સલામત રાખવા માટે જાતજાતની પાઘડીઓ બાંધે છે, આડાં-ઊભાં મફલર વીંટાળે છે, માણસટોપી-બુઢિયાટોપી જે મળે તે માથે ચડાવી દે છે. એમ કરવાથી ઉમરમાં દસ-વીસ વર્ષ વધારે લાગશે, એવી લોકનંિદાને પણ તે ગણકારતા નથી. હથેળીમાં કે પગના તળીયે ઠંડી લાગે તો બે હથેળી કે બે તળીયાં એકબીજા સાથે ઘસીને ગરમાયો પેદા કરી શકાય, પણ ઘસવા માટે બે માથાં ક્યાંથી લાવવાં? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઠંડી ઘણા લોકો માટે શબ્દાર્થમાં નાકનો સવાલ બની જાય છે. બહુ ઠંડી હોય ત્યારે નાક એટલું ઠરી જાય છે કે એ, વડાપ્રધાનની જેમ,  છે કે નહીં એની જ ખબર પડતી નથી. ગરમ કપડાંનું આટલું વૈવિઘ્ય હોવા છતાં, ફક્ત નાક પર પહેરી શકાય એવું કોઇ ગરમ કપડું હજુ સુધી બન્યું નથી. એટલે લોકોને ફિલ્મોમાં જોયેલા ડાકુઓની જેમ, નાક ઢંકાય એવી બુકાનીઓ બાંધવી પડે છે. નાકને કહ્યામાં રાખવા માટે તેને બ્રેડની સ્લાઇસ સમજીને, બ્રેડ પર બટર લગાડતા હોય એટલી ઉદારતાથી લોકો નાક પર વિક્સ જેવા પદાર્થો લગાડવામાં આવે છે. તેનાથી ‘મેં તો મારાથી બનતું બઘું કર્યું’નું આશ્વાસન મળે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઠંડા પવનના આક્રમણનું એક મોટું કેન્દ્ર છે: છાતી. ગરદનની નીચેના ભાગમાં જાણે છાતીનું નહીં, પણ જાળીવાળા દરવાજા ધરાવતું પિજરુ હોય અને તેમાં પવન ભરાઇ જવાનો હોય, એવી ચંિતા ઘણા લોકો કરે છે. તેનાથી બચવા માટે સ્વેટરથી માંડીને છાપાં સુધીની ચીજો ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ કેટલાક બહાદુરો એવી પળોજણમાં પડવાને બદલે ‘વીર સામી છાતીએ પવનના ઘા ઝીલવાવાળા’ બનવાનું પસંદ કરે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઠંડી દૂર કરવા માટે ઘણા લોકો કસરત કરે છે કે દોડે છે. તેમને જોઇને લાગે કે ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’ એ સુભાષિતમાં જે સિદ્ધિની વાત છે, તે ઠંડી ભગાડવાની જ સિદ્ધિ હશે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-1595918047198760692?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/1595918047198760692/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_15.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1595918047198760692'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1595918047198760692'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_15.html' title='કડકડતી ઠંડી પડે ત્યારે'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-4728947286281323715</id><published>2012-02-14T21:17:00.004+05:30</published><updated>2012-02-14T21:30:49.412+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ISRO'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='spectrum'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='corruption'/><title type='text'>‘ઇસરો’વિવાદઃ ગેરસમજ અને ગોટાળા</title><content type='html'>&lt;div&gt;ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ મુખ્યત્વે તેની નોંધપાત્ર સિદ્ધિઓ માટે જાણીતી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેનું નામ પ્રસાર માઘ્યમોમાં અવળાં કારણથી ચડ્યું અને ચગ્યું છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વિવાદના કેન્દ્રમાં છે ‘ઇસરો’ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ’ (હિંદીમાં ‘એન્ટ્રિક્સ’) તથા ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં થયેલો સોદો. ‘સસ્તા ભાવે અને યોગ્ય પ્રક્રિયા-વિધીને અનુસર્યા વિના’ થયેલા આ સોદાથી દેશને રૂ.બે લાખ કરોડ જેટલું નુકસાન થયું હોત, એવો અંદાજ ‘કેગ’ દ્વારા રજૂ થતાં ‘વઘુ એક સ્પેક્ટ્રમ કૌભાંડ’નું બૂમરાણ મચ્યું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સોદાનાં જુદાં જુદાં પાસાંની તપાસ માટે બે વર્ષમાં ત્રણ સમિતિઓ નીમાઇ અને તેમના અહેવાલ પણ આવી ગયા. તેનાં તારણોના આધારે ગયા મહિને ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા જી.માધવન નાયર તથા બીજા ત્રણ નિવૃત્ત વરિષ્ઠ અફસરો સામે શિક્ષાત્મક પગલાં લીધાં: તેમને કોઇ પણ પ્રકારના સરકારી હોદ્દા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા- ‘બ્લેકલિસ્ટ’ કરી દેવાયા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આટલું વર્ણન બીજા કોઇ સરકારી ખાતા વિશે વાંચ્યા પછી લાગે કે ‘બરાબર છે. આમ જ થવું જોઇએ.’ પરંતુ ‘ઇસરો’ ભારત સરકારનો કોઇ સામાન્ય સરકારી વિભાગ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (અંતરિક્ષ વિભાગ)ની સીધી દેખરેખ અને વડાપ્રધાનની કચેરી સાથેના સીધા સંપર્કથી ચાલતું ‘ઇસરો’નું તંત્ર રાષ્ટ્રિય સુરક્ષાથી માંડીને રાષ્ટ્રિય ગૌરવના મુદ્દે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોઇ પણ સરકારી તંત્ર માટે ઇર્ષ્યાજનક કહેવાય એવી નામના તેણે મેળવી છે. ચંદ્રયાન મિશન સહિતની અનેક સફળતાઓ સાથે પ્રતાપી કારકિર્દી ધરાવતા ‘ઇસરો’ના પ્રતાપી અઘ્યક્ષ જી.માધવન નાયરને ભારત સરકાર ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કરી ચૂકી છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;રાષ્ટ્રનું બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન મેળવનારને થોડાં જ વર્ષોમાં સરકારી હોદ્દેથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે તે આંચકાજનક ગણાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીનો નબળો ઇતિહાસ ધરાવતા ભારત માટે આંચકાની સાથે આશ્ચર્ય પણ ભળે. તેમાં પણ માધવન નાયર તરફથી એવો આક્ષેપ થાય કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નથી અને આ વિવાદ પાછળ ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનો દોરીસંચાર છે, ત્યારે આશ્ચર્ય અને આંચકાની સાથે આઘાતની લાગણી ઉમેરાય છે. નાયરના આરોપ અને સરકારી પક્ષની રજૂઆતો ઘ્યાનમાં લેતાં એટલું સમજાય છે કે બન્નેમાંથી કોઇ પક્ષ સદંતર નિર્દોષ નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;દલીલો-પ્રતિદલીલોનો સિલસિલો બહુ લાંબો અને ગૂંચવાનારો છે, પણ તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દે બન્ને પક્ષોની રજૂઆતઃ&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ત્રણ સમિતિના નિર્ણયોની તકરાર&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;નવાઇ લાગે એવી વાત છે કે અંતરિક્ષ-દેવાસ સોદા અંગે નીમાયેલી ત્રણે તપાસસમિતિના અહેવાલ જુદા જુદા છે- અથવા એ જુદા હોવાની છાપ ઉભી થઇ છે. સૌથી પહેલો, બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ જાહેર કરાયો નથી. ‘એ અહેવાલ મેં બિનસત્તાવાર રીતે જોયો છે.’ એમ કહીને માધવન નાયરે દાવો કર્યો છે કે ‘તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ ટેકનોલોજી દેશ માટે ફાયદાકારક છે અને સોદો સ્થાપિત ધારાધોરણો મુજબ જ થયો છે. તેના વિશે નવેસરથી વિચાર કરવાની જરૂર નથી.’ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ અહેવાલ જાહેર કરીને નાયરના દાવાને ખોટો સાબીત કરી શકે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;માર્ચ, ૨૦૧૧માં આવેલો બી.કે.ચતુર્વેદી-પ્રો.નરસિંહા સમિતિનો અહેવાલ સરકારે આખેઆખો જાહેર કર્યો છે, જ્યારે સપ્ટેમ્બર, ૨૦૧૧માં પાંચ સભ્યોની બનેલી પ્રત્યુશ સિંહા સમિતિના અહેવાલમાંથી ફક્ત ‘તારણો અને ભલામણો’ જાહેર કરવામાં આવ્યાં છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ચતુર્વેદી-નરસિંહા અહેવાલમાં સોદાના મુદ્દે ‘ઇસરો’ના પક્ષે રહેલી કેટલીક ખામીઓ, ચોક્સાઇનો-પારદર્શકતાનો અભાવ, નાણાંકીય તથા વ્યૂહાત્મક બાબતોમાં કેટલાંક ગાબડાંની નોંધ લેવાઇ છે. સાથોસાથ, એ વાત બરાબર ખોંખારીને કહેવામાં આવી છે કે ‘દેવાસને સસ્તા ભાવે સ્પેક્ટ્રમ ફાળવવાનો આરોપ સદંતર ખોટો અને પાયા વગરનો છે.’ તેનાં મુખ્ય બે કારણ આપવામાં આવ્યાં છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;૧) રૂ.બે લાખ કરોડના નુકસાનનો આસમાની આંકડો થ્રી-જી સ્પેક્ટ્રમની હરાજીના આધારે ઉપજાવવામાં આવ્યો હતો. પરંતુ જમીની (ટેરેસ્ટ્રીયલ) સ્પેક્ટ્રમની અને આસમાની (ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર થકી મળતા) સ્પેક્ટ્રમની કિંમતો સરખાવી શકાય નહીં. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આ તફાવતની વાત કરીને નાયરની જીભનો કૂચો વળી ગયો, પણ ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ના ઉત્સાહમાં એમને કોણ ગણકારે? તેમણે એમ પણ કહ્યું કે આખા ‘ઇસરો’નું વાર્ષિક બજેટ રૂ.૪ હજાર કરોડ છે. બે ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડરના ભાડામાંથી રૂ. બે લાખ કરોડ મળી જવાના હોય તો હું ફક્ત ‘ઇસરો’ જ નહીં, આખી દુનિયાની અંતરિક્ષ સંસ્થાઓ ચલાવી શકું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સમિતિના અહેવાલમાં એવું પણ નોંધાયું કે ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર લીઝ પર આપ્યા પછી ‘અંતરિક્ષ’ને વળતર તરીકે ૧૦ ટકા કરતાં વધારે રકમ મળવાની હતી. નાયરનો દાવો છે કે ‘ઇસરો’ને આ રોકાણ પર ૧૨ થી ૧૫ ટકાનો ફાયદો મળવાનો હતો, જે ૫-૬ ટકાના આંતરરાષ્ટ્રિય દર કરતાં વધારે હોવાથી નુકસાન થવાનો સવાલ ઉભો થતો નથી.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;૨) ‘અંતરિક્ષ’ સાથે સોદા થકી એક વાર ટ્રાન્સ્પોન્ડર લીઝ પર મેળવી લીધા પછી પણ ‘દેવાસ’ને (મોબાઇલ સર્વિસ શરૂ કરવા માટેની) એન્ટ્રી ફી, સ્પેક્ટ્રમ ચાર્જીસ, સર્વિસ લાયસન્સ ફી જેવી રકમો ચૂકવવાની રહેતી હતી, જેના માટે તેને કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ સાથે પનારો પાડવાનો રહેત.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મતલબ કે ‘અંતરિક્ષ’ સાથે થયેલા સોદામાં ટ્રાન્સ્પોન્ડરની લીઝની રકમનો જ સમાવેશ થતો હતો અને જેના નામે ભ્રષ્ટાચારના છાજિયા લેવાયા તે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના ચાર્જીસ ચૂકવવાના બાકી જ રહેતા હતા. આ વાત સમિતિના અહેવાલમાં જાહેર થઇ તે પહેલાંથી માધવન નાયર ગાઇ વગાડીને કહી રહ્યા છે, પણ તેમને ખાસ લેવાલ મળતા નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વિવાદ ચરમસીમાએ પહોંચ્યા પછી મૌન ધારણ કરીને બેઠેલા ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા કે.કસ્તુરીરંગને ગયા વર્ષે ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના સોદામાં કશો ‘ફિઆસ્કો’ નથી અને પ્રસાર માઘ્યમો પૂરું સમજ્યા-કારવ્યા વિના લઇ મંડ્યાં છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ત્રીજો અને છેલ્લો અહેવાલ પ્રત્યુશ સિંહા સમિતિનો છે. તેના પાંચ સભ્યોમાં ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ સોદો રદ કરાવવા માટે તે પાછળ પડી ગયા હોવાનો માધવન નાયરનો આરોપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે હોદ્દો સંભાળ્યાના એક મહિનામાં જ તેમણે સોદાની નવેસરથી તપાસના આદેશો આપ્યા અને બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ આવે તે પહેલાં તો વડાપ્રધાનની કચેરીને આ સોદો રદ કરવા માટે લખી દીઘું હતું (‘એવું મેં જાણ્યું છે’ : નાયર)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સિંહા સમિતિના અહેવાલનાં તારણો અને ભલામણો સૌથી વધારે આકરાં અને આક્ષેપાત્મક છે. (તેમાં રાધાકૃષ્ણનની હાજરીથી કેટલી ધાર ઉમેરાઇ હશે તે અટકળનો વિષય છે)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સાપેક્ષ નિર્દોષતા&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;સિંહા સમિતિએ સોદામાં ‘સિરીયસ લેપ્સીસ ઓફ જજમેન્ટ’ (નિર્ણય લેવામાં ગંભીર ભૂલો)થી માંડીને  ‘ક્યારેક તો નીતિનિયમોના ભંગ અને બ્રીચ ઓફ પબ્લિક ટ્રસ્ટ (જાહેર હિતને નુકસાન)ની હદે પહોંચતાં પગલાં’ હોવાનું નોંઘ્યું છે. આટલા આકરા શબ્દો ન વાપરનાર ચતુર્વેદી-નરસિંહા સમિતિએ પણ સોદામાં રહેલાં ગાબડાં અંગે ઘ્યાન દોરીને વધારે પારદર્શકતા- જવાબદાર વહીવટ માટેનાં સૂચન કર્યાં છે. કેટલાક મહત્ત્વના આરોપાત્મક મુદ્દા એવા છે, જેના જવાબ માધવન નાયરની અત્યાર સુધીની દલીલોમાં સંતોષકારક રીતે કે સંપૂર્ણપણે મળતા નથી. જેમ કે, &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;૧) ‘ઇસરો’એ રૂ.૮૦૦ કરોડના ખર્ચે બે ઉપગ્રહો બનાવવાનો સોદો ‘દેવાસ’ સાથે કર્યો, ત્યારે ‘દેવાસ’નું ભંડોળ ફક્ત રૂ.૧ લાખ હતું, જે રૂ.૧૦ના એક એવા ૧૦ હજાર શેર સ્વરૂપે હતું. તેમાંથી ૯ હજાર શેર ‘ઇસરો’ના ભૂતપૂર્વ કર્મચારી ડી.વેણુગોપાલ પાસે અને ૧ હજાર શેર ઉમેશ એમ. પાસે હતા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘અંતરિક્ષ’ સાથે સોદો થયા પછી ૨૦૦૯-૧૦ના વર્ષમાં ‘દેવાસ’ના દસ રૂપિયાના એક શેરનું પ્રીમિયમ સવા લાખ રૂપિયાથી પણ વધારે (રૂ.૧,૨૬,૮૨૧) સુધી પહોંચી ગયું. કંઇ પણ કર્યા વિના અને ૩૧ માર્ચ, ૨૦૧૦ના રોજ રૂ.૧૮ લાખનું શેરભંડોળ ધરાવતી ‘દેવાસ’ રૂ.૫૭૮ કરોડ જેટલું શેર પ્રીમિયમ ધરાવતી કંપની બની ગઇ. તેના ભાગીદારોમાં જર્મન કંપની ડ્યુશ ટેલીકોમ (૨૦ ટકા હિસ્સો), નાણાંનાં કાળાંધોળાં માટે જાણીતા મોરેશિયસનું સરનામું ધરાવતી બે કંપનીઓ (પ્રત્યેકનો હિસ્સો ૧૭ ટકા), ‘ઇસરો’ના ભૂતપૂર્વ વિજ્ઞાની ડો.ચંદ્રશેખર (૧૯ ટકા)નો સમાવેશ થતો હતો. વેણુગોપાલે પોતાના રૂ.૧૦ની કંિમતના શેર મોરેશિયસની કંપનીઓને રૂ.૨૫,૫૦૫ના ભાવે વેચીને તગડી કમાણી કરી હતી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આ નાણાંકીય લેવડદેવડોમાં સિંહાસમિતિએ ગંભીર વહીવટી અને કાર્યપદ્ધતિનાં ગાબડાં જ નહીં, કેટલીક વ્યક્તિઓની મેળાપીપણું ધરાવતી વર્તણૂંક પણ જોઇ અને તેમની સામે સર્વિસ રુલ્સ પ્રમાણે પગલાં લેવાનું સૂચવ્યું છે. અલબત્ત, હજુ સુધી આખી નાણાંકીય લેવડદેવડમાં માધવન નાયર કે બીજા ત્રણ બ્લેકલિસ્ટેડ લોકોને કોઇ આર્થિક ફાયદો થયો હોય એવું બહાર આવ્યું નથી. સિંહાસમિતિએ યોગ્ય તપાસસંસ્થા દ્વારા તેની તપાસ કરવા જણાવ્યું છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ચતુર્વેદી-નરસિંહા સમિતિમાં નોંધાયેલો બીજો અગત્યનો વાંધો એ છે કે સ્પેસ કમિશન અને મંત્રીમંડળે જીસેટ-૬ અને જીસેટ-૬-એ બન્ને ઉપગ્રહોના પ્રોજેક્ટના મંજૂરી આપી, ત્યારે તેમને ખબર ન હતી કે ‘ઇસરો’ આ બન્ને ઉપગ્રહો ‘અંતરિક્ષ-દેવાસ કરાર’ અંતર્ગત, માત્ર ને માત્ર ‘દેવાસ’ માટે તૈયાર કરવાનું છે. માધવન નાયરે તેનો એવો ખુલાસો આપ્યો છે કે ઉપગ્રહ તૈયાર કરતી વખતે એનાં ટ્રાન્સ્પોન્ડર કોને લીઝ પર આપવાનાં છે તેની આગોતરી જાણ કરવાનું જરૂરી હોતું નથી. એક વાર ઉપગ્રહ તૈયાર થઇ જાય ત્યાર પછી સ્પેસ કમિશન કે કેબિનેટની જાણ વિના ઘણી કંપનીઓને ટ્રાન્સ્પોન્ડર લીઝ પર અપાતાં જ હોય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;નાયરની આ દલીલ ગળે ઉતરે એવી નથી. કારણ કે જીસેટ-૬ અને ૬-એના કિસ્સામાં તેનો ઉપયોગ અગાઉથી નક્કી હતો અને એ  પણ લગભગ એક્સક્લુઝિવ પ્રકારનો- ‘દેવાસ’નો એકાધિકાર હોય એવો રહેવાનો હતો. એ સંજોગોમાં સ્પેસ કમિશનને કે કેબિનેટને તેના વિશે જાણકારી ન આપવાના વાજબીપણા વિશે ગંભીર શંકા રહે છે. દેશની સંરક્ષણની કે બીજી જરૂરિયાતોને ઘ્યાનમાં લીધા વિના ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડરની ૯૦ ટકા ક્ષમતા એક ખાનગી કંપનીને આપી દેવી અને એ પણ સંબંધિત વિભાગોને જાણ કર્યા વિના- એ વાત અંતરિક્ષ-દેવાસ સોદાની વિરુદ્ધમાં જાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આવા બીજા પણ મુદ્દા છે, જેમાંથી કેટલાક ‘ઇસરો’ના વહીવટી માળખામાં રહેલાં ગાબડાં પ્રત્યે આંગળી ચીંધનારા છે. (એ ભલામણોના આધારે ગયા વર્ષે ‘ઇસરો’ના માળખામાં ફેરફારો પણ થયા છે.) પરંતુ એક વાત નક્કી છેઃ માધવન નાયર અને બીજા ત્રણ ઉચ્ચ હોદ્દેદારો સામેના આરોપ તેમને પૂરતી અને સંતોષકારક તક આપ્યા વિના સ્વીકારાઇ જાય અને તેના આધારે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અજૂગતું-અધકચરું લાગે છે. એક વાત એવી પણ આવી છે કે વડાપ્રધાને આ લોકો સામે હળવામાં હળવી કાર્યવાહી કરવાનું જણાવ્યું હોવાથી તેમની સામે ફક્ત આટલાં જ પગલાં લેવાયાં છે. એ સાચું હોય તો તેનાથી સ્થિતિ ઉપરથી વણસી છે. આરોપની ગંભીરતા પુરવાર થાય તો તેમને હળવી નહીં, પણ યથાયોગ્ય શિક્ષા અને એ પુરવાર ન થાય તો માનભેર તેમની ગરીમાની પુનઃસ્થાપના, એ બે જ વિકલ્પો હોઇ શકે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-4728947286281323715?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/4728947286281323715/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_14.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/4728947286281323715'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/4728947286281323715'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_14.html' title='‘ઇસરો’વિવાદઃ ગેરસમજ અને ગોટાળા'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-1011153107223100950</id><published>2012-02-12T00:02:00.000+05:30</published><updated>2012-02-12T00:03:43.851+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='it'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='media'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Nagendra Vijay'/><title type='text'>‘સાયબરસફર’ – અનોખા સામયિકને હૂંફાળો આવકાર</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;ગુજરાતી પત્રકારત્વસાથે ઇન્ટરનેટનો પનારો પડ્યાને એક દાયકાથી ઉપર સમય વીતી ગયો. પરંતુ 1997માં ‘સિટિલાઇફન્યૂઝ’ના અપવાદને બાદ કરતાં, કોઇ ગુજરાતી અખબાર-સામયિકમાં ઇન્ટરનેટને લગતીઠેકાણાસરની નિયમિત કોલમ આવી ન હતી. એ મહેણું મનીષ મહેતા સંપાદિત, ‘દિવ્ય ભાસ્કર’ની‘કળશ’ પુર્તિમાં આવતી હિમાંશુ કીકાણી/ Himanshu Kikaniની કોલમ ‘સાયબર સફર’થી ભાંગ્યું. જાન્યુઆરી,2012માં એ કોલમને ચાર વર્ષ પૂરાં થયાં. તેને મળેલા પ્રચંડ આવકાર પછી હિમાંશુએ એકોલમના વિસ્તાર જેવું માસિક ‘સાયબરસફર’ કાઢવાની હિંમત કરી છે. આ નામની વેબસાઇટ &lt;a href="http://cybersafar.com/"&gt;cybersafar.com&lt;/a&gt;&lt;/span&gt;&amp;nbsp;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;તો ઘણા વખતથી ચાલે જ છે. &lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-9kxHaHn6z40/TzawQqdFMEI/AAAAAAAADO4/L2zk9zW9CFs/s1600/b1.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="253" src="http://2.bp.blogspot.com/-9kxHaHn6z40/TzawQqdFMEI/AAAAAAAADO4/L2zk9zW9CFs/s400/b1.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણાનાં ‘સફારી’સહિતનાં મહાભારત-કાર્યો નજર સામે રાખીને, તેમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવીને,હિમાંશુએ ‘સાયબર સફર’/ Cybersafarની શરૂઆત કરી છે. તેનાં મુખ્ય ત્રણ ધ્યેય છેઃ&amp;nbsp;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;1)અમુક જ સાઇટોપૂરતું મર્યાદિત ઇન્ટરનેટ સર્ફિંગ કરતી નવી પેઢીની સામે ઇન્ટરનેટના વિશાળદરિયામાંથી બીજાં રત્નો કાઢીને મૂકવાં&amp;nbsp;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;2) કમ્પ્યુટર સાથે બિલકુલ પનારો પાડ્યો નહોય એવા વડીલોને સાવ શરૂઆતથી, તેમને સમજાય એવી સરળ ભાષામાં ઇન્ટરનેટની દુનિયા સુધીલઇ જવા અને તેમના માટે એ વિસ્મયજનક સૃષ્ટિ ખોલી આપવી.&amp;nbsp;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;3) અંગ્રેજીના હાઉને કારણે ઇન્ટરનેટથીદૂર રહેતા નવી પેઢીના લોકો ઇન્ટરનેટનો પૂરો લાભ લઇ શકે એ માટે સજ્જતા કેળવવામાંમદદરૂપ થવું. &lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; ટૂંકમાં, ઇન્ટરનેટ ન વાપરતા, ઓછુંવાપરતા કે ભરપૂર વાપરતા- સૌ કોઇને આ સામયિકમાંથી પોતપોતાના ખપનું મળી રહે એવુંહિમાંશુનું ધ્યેય છે. હજુ પહેલો અંક આવ્યો છે. એટલે આ સમય દાવાનો નહીં, પણ જેટલુંથાય તે કરી બતાવવાનો અને ફેંસલો વાચકો પર છોડવાનો છે. પરંતુ ‘સાયબરસફર’થી પરિચિત નહોય એવા વાચકોને આગ્રહપૂર્વકની ભલામણ છે કે તે ગુણવત્તાની ખાતરી કરવા માટે પહેલાં &lt;a href="http://cybersafar.com/"&gt;cybersafar.com&lt;/a&gt;&lt;/span&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&amp;nbsp;પર જાય અને બે-ચાર લેખ પર નજર ફેરવી જુએ. ત્યાર પછી તેમનેમેગેઝીનનું લવાજમ ભરવાનું મન થવું જોઇએ. &lt;span style="color: #990000;"&gt;વાચનની કથળેલી ગુણવત્તા વિશે ફરિયાદ કરતીવખતે, સારી ગુણવત્તા ધરાવતું વાચન આવે તો તેને વધાવવાની પણ વાચકો તરીકે આપણીજવાબદારી છે. &lt;/span&gt;&lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&lt;span style="color: #990000;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; ‘સાયબરસફર’ માસિક સ્ટેન્ડ પર- છૂટકમળવાનું નથી. એ ફક્ત લવાજમથી ઉપલબ્ધ બનશે. 48 પાનાંના છૂટક અંકની કિંમત રૂ.20 અને વાર્ષિકલવાજમ છેઃ રૂ.220.&amp;nbsp; શરૂઆતમાં વાર્ષિક લવાજમરૂ.200 રાખવામાં આવ્યું છે. સાથે ‘સાયબરસફર’ કોલમમાં પ્રકાશિત થયેલા લેખોનાં ચારઉપયોગી સંકલનો- હેન્ડીગાઇડ્સ (વિના મૂલ્યે, મર્યાદિત સમય સુધી) આપવામાં આવશે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; લવાજમ મોકલવા માટેની વિગતઃ (અત્યારે ફક્ત ભારત માટે)&lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing" style="text-align: center;"&gt;&lt;o:p&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;&lt;b&gt;Cybersafar Edumedia&lt;/b&gt;&lt;/span&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing" style="text-align: center;"&gt;&lt;o:p&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;B-402, Kaivalyadham-1, Opp. Radio Mirchi Tower,&lt;/span&gt;&lt;/o:p&gt;&lt;o:p style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;Near Shyamal&lt;/o:p&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;&amp;nbsp;Cross Road, Satellite&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;Ahmedabad-380015&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;ફોનઃ 079-4006 1513 &amp;nbsp;(m) 092272 51513&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;વધુ પૂછપરછ માટેઃ&amp;nbsp;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif;"&gt;support@cybersafar.com&lt;/span&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-nqpbhBZk6QY/Tzax1y46YKI/AAAAAAAADPA/SkhFS4JDygE/s1600/b2.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="125" src="http://3.bp.blogspot.com/-nqpbhBZk6QY/Tzax1y46YKI/AAAAAAAADPA/SkhFS4JDygE/s400/b2.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span style="font-family: Shruti;"&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;હિમાંશુ કીકાણીસાથેનો પરિચય 1997ની આસપાસ થયો. એ વખતે અમે બન્ને પત્રકારત્વમાં નવા હતા. હિમાંશુગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’માં અને હું ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં. એ વખતથી જહિમાંશુની ભાષા અને અભિવ્યક્તિ વખણાતાં હતાં. ‘ઇન્ડિયા ટુડે’ બંધ થયા પછી ‘સિટિલાઇફન્યૂઝ’માં નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે અમે સાથેમળ્યા. ત્યારે હિમાંશુ રેસ્ટોરાં-રીવ્યુની કોલમ લખતો હતો અને પત્રકારત્વને બદલેકોપીરાઇટિંગના ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. ‘સંદેશ’માં ફરી જોડાયા પછી મારે મંગળવારની‘મહેફિલ’ પૂર્તિ &amp;nbsp;કરવાની થઇ, ત્યારેહિમાશું તેમાં ‘ટેક ઇટ ઇઝી’ નામે હાસ્યની કોલમ લખતો હતો. ત્યાર પહેલાં હર્ષલ,હિમાંશુ અને વડીલ પત્રકાર દિવ્યેશભાઇ ત્રિવેદી સાથે મળીને અમે ચારે જણે ‘વીસમીસદીની યાદગાર પચાસ ઘટનાઓ’ના અંક માટે લખ્યું હતું, જેના વિચારથી માડીને અમલીકરણસુધીનું બધું જ હર્ષલનું હતું. &lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing" style="margin-top: 12.0pt;"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;પછીનાં વર્ષોમાં હિમાંશુનેસતત મળવાનું કે ઘણી વાર તો નિયમિત રીતે ફોન પર વાત કરવાનું પણ બનતું નથી. છતાં, જૂનોતંતુ એટલો મજબૂત છે કે તેમાં ઝોલ પડતો નથી કે રેસા છૂટા પડવા લાગતા નથી. એટલે જહિમાંશુ નવું સામયિક લઇને આવે ત્યારે પોતાનું સામયિક શરૂ થતું હોય એટલો આનંદ થાયછે. સાથોસાથ, એટલી પણ ચોખવટ કે મારા મિત્રધર્મમાં ખોટી પ્રશંસા કરવાનું આવતું નથી.એટલે તેના લખાણની ગુણવત્તા વિશેની વાતો એકદમ ‘નરણા કોઠે’ લખાયેલી છે. સૌ કોઇ એનુંલખાણ વાંચીને ખાતરી કરી શકે છે.&amp;nbsp;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-1011153107223100950?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/1011153107223100950/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_12.html#comment-form' title='9 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1011153107223100950'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1011153107223100950'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_12.html' title='‘સાયબરસફર’ – અનોખા સામયિકને હૂંફાળો આવકાર'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-9kxHaHn6z40/TzawQqdFMEI/AAAAAAAADO4/L2zk9zW9CFs/s72-c/b1.jpg' height='72' width='72'/><thr:total>9</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-4390559297457467418</id><published>2012-02-08T21:10:00.002+05:30</published><updated>2012-02-08T21:15:29.475+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Sardar Patel/સરદાર પટેલ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Nehru'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Gandhi/ગાંધી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>ગાંધીયુગમાં મોબાઇલ ફોન હોત તો?</title><content type='html'>&lt;div&gt;ગાંધીજી વિશે થતાં લખાણ-ચર્ચા-પુસ્તકો-સેમિનાર તેમના મૃત્યુના છ દાયકા પછી પણ ઘટ્યાં નથી. બીજું કંઇ ન સૂઝે તો ‘વર્તમાન સમયમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા’ કે ‘એકવીસમી સદીમાં ગાંધી’ જેવી, હાથવગી છતાં આયોજકોને કંઇક નક્કર કર્યાનો સંતોષ આપતી- અપરાધભાવમાંથી ઉગારી લેતી કલ્પનાઓ ક્યાં નથી? કલ્પનાઓના જોરે ગાંધીજી પર માર્કેટિંગ ગુરુથી માંડીને કમ્યુનિકેશન ગુરુ જેવી અનેક ભૂમિકાઓનું આરોપણ પર કરવામાં આવે છે. ગાંધીજીએ કમ્પ્યુટરનો વિરોધ કર્યો હોત કે તેને અપનાવ્યું હોત, તેની ચર્ચા પણ ક્યારેક થાય છે. પરંતુ ગાંધીજીના સમયકાળમાં મોબાઇલ ફોન હોત તો? એ વિશે ખાસ કામ થયું હોય એવું લાગતું નથી. અટકળના એ પ્રદેશમાં થોડાં ડગલાં.&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;***&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;એક વાત તો નક્કી છે કે ગાંધીજીએ કોઇ કંપની સાથે સોદો પાડીને તેમના તમામ અંતેવાસીઓ અને સાથીદારોને સીયુજી સ્કીમ પ્રમાણે મોબાઇલ અપાવી દીધા હોત. અલબત્ત, દરેકે હેન્ડસેટથી માંડીને માસિક બિલની રકમ જાતે ચૂકવવાની રહેત. સાબરમતી આશ્રમ કે કોંગ્રેસમાંથી તેનો ખર્ચો પડાયો ન હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘મારો એસ.એમ.એસ. એ જ મારો સંદેશ’ એવા વિધાન સાથે તેમણે પોતાના સાથીદારોને મોબાઇલનો મહત્તમ ઉપયોગ એસ. એમ. એસ. માટે કરવા જણાવ્યું હોત અને કહ્યું હોત કે ‘ફોન પર વાત કરીને આપણાં કાન અને ગળાં બગાડવાનો આપણને અધિકાર નથી. કારણ કે એ આપણી નહીં, પણ દેશની મિલકત છે.’ મોબાઇલ કંપનીઓ દ્વારા અપાતી જથ્થાબંધ એસ.એમ.એસ.ની સ્કીમની શરૂઆત જ કદાચ ત્યારથી થઇ હોત. ગાંધીજીએ કંપનીઓને સૂચવ્યું હોત કે બિલના બદલામાં એટલી રકમનું કાંતેલું સૂતર જમા કરાવવાની વ્યવસ્થા કંપનીઓએ માન્ય રાખવી જોઇએ.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સ્વાભાવિક છે કે વિદેશી કંપનીઓમાં દેશભાવના નહીં હોવાને કારણે તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હોત. જમનાલાલ બજાજ કે ઘનશ્યામદાસ બિરલા જેવા કોઇ સ્વદેશી ઉદ્યોગપતિએ મોબાઇલના વ્યવસાયમાં ઝંપલાવવાનો ઇરાદો જાહેર કરીને, તેને ગાંધીચીંઘ્યા માર્ગે ચલાવવાની જાહેરાત કરી હોત. બજારમાં આવનારી સ્વદેશી કંપનીઓના  સંચાલકોને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું હોત, ‘જાતે કાંતેલા સૂતરનું મૂલ્ય આંકવામાં તેમારો ગજ કદી ટૂંકો ન પડો.’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સત્યાગ્રહના ભાગરૂપે ઉત્સાહી યુવાનો જાનનું જોખમ વેઠીને મોબાઇલ કંપનીઓના ટાવર પર ત્રિરંગો ફરકાવવા જતા હોત અને બહેનો હેન્ડસેટનાં વિદેશી મોડેલ વેચતી દુકાનોની બહાર પિકેટિંગ કરતી હોત.  કેટલાક ગાંધીવાદીઓએ સૂચવ્યું હોત કે દારૂબંધીની જેમ મોબાઇલબંધી પણ જાહેર કરવી જોઇએ. કારણ કે તેનાથી પ્રજાની નૈતિકતાનું અધઃપતન થાય છે. પરંતુ આ વાત સરદાર પટેલ જેવા કોઇકે ગાંધીજી સમક્ષ હસતાં હસતાં રજૂ કરી હોત અને ગાંધીજીએ તેને હસીને ઉડાડી દીધી હોત. એ અંગેનું પોતાનું એસ.એમ.એસ. દ્વારા જ અખબારોને મોકલવા તેમણે મહાદેવભાઇને કહ્યું હોત. સાથોસાથ, ‘ખાસ કામ વિના મોબાઇલ પર વાતચીત કરવી એ જંગલીપણાની નિશાની છે’ એવું કોઇ વાક્ય પણ તેમણે ઉમેરાવ્યું હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મોબાઇલ ફોન પર રીંગટોન તરીકે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ રાખવાની સાત્ત્વિક ફેશન ચાલી હોત. તેને અવિચારી ગણાવીને ગાંધીજીએ કહ્યું હોત કે રીંગટોન તરીકે એવાં ગીત રાખવાં જોઇએ, જે વાગે એટલે તેમને પહેલામાં પહેલી તકે બંધ કરવાની ઇચ્છા થાય. સરદારે એ માન બ્રિટનના ‘ગોડ સેવ ધ કિંગ’ને આપવાનું સૂચવ્યું હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મોબાઇલનો સૌથી વઘુ કસ એસ.એમ.એસ.થી કાઢવાના આશયથી ગાંધીજીએ તે સુવિધાને બને એટલી સરળ બનાવવા ઝુંબેશ ઉપાડી હોત. ‘કોશિયો પણ ગુજરાતીમાં એસ.એમ.એસ. કરી શકવો જોઇએ’ એવું તેમનું ધોરણ માન્ય રાખીને મોબાઇલ કંપનીઓએ કી-બોર્ડ પર ગુજરાતી અક્ષર ધરાવતાં અને વોઇસ એક્ટિવેશન - બોલીને પણ નંબર લગાડી શકાય-મેસેજ કરી શકાય એવી સુવિધાવાળાં- મોડેલ મૂકવાં પડ્યાં હોત. વોઇસ એક્ટિવેશન સુવિધાનો એક ફાયદો એ થાત કે ચરખો કાંતતી વખતે પણ એસ.એમ.એસ. કરી શકાત. ભીની માટી વડે મોબાઇલ ફોનનું ચાર્જિંગ કરી શકાય કે કેમ, એ વિશે ગાંધીજીની દેખરેખ તળે આશ્રમમાં પ્રયોગો થતા હોત. ગાંધીજીના પ્રિય ત્રણે વાંદરાના હાથમાં એક-એક મોબાઇલ હોત, જે ‘ખરાબ એમ.એમ.એસ. જોવા નહીં, ફોન પર ફાવે તેમ બોલવું નહીં અને ગમે તેવું સાંભળવું નહીં’ એવો સંદેશો આપતા હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સોમવારે મૌનના દિવસે ગાંધીજી પરબિડીયાંના કોરા ભાગની ચબરખીઓ પર લખવાને બદલે, મોબાઇલના સ્ક્રીન પર લખીને પોતાની વાત રજૂ કરતા હોત, પણ સામેનો માણસ એ જ રીતે મોબાઇલ સ્ક્રીન પર પોતાનો જવાબ લખવા બેસત ત્યારે ગાંધીજી તેમને યાદ કરાવત કે ‘મૌન મારે છે, તમારે નહીં.’ સંદેશા વ્યવહારમાં મોબાઇલ ફોનથી ગાંધીજી એટલા ટેવાઇ ગયા હોત કે નક્કી થયેલા સમયે સાથીદાર કે તેમનો સંદેશો ન આવે તો એ કહેત,‘નક્કી તે ગંભીર બિમારીમાં પટકાયા હશે અથવા તે એવી કોઇ જગ્યાએ હશે કે જ્યાં ટાવર પકડાતો ન હોય અથવા તેમના ફોનની બેટરી ઉતરી ગઇ હશે. બાકી આવું બને નહીં.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;નાણાં અને સમય બચાવીને અસરકારક સંદેશાસુવિધા પૂરી પાડતા મોબાઇલ માટે તેમણે કહ્યું હોત, ‘મારા જેવા લાખોનો ભલે ક્ષય થાય, પણ મોબાઇલની બેટરીનો કદી ક્ષય ન થજો.’ મોબાઇલના નિયમિત ચાર્જિંગ માટેની તેમની સમયપાબંદી દંતકથાનો વિષય બની હોત અને જે રૂમના પ્લગમાં તેમનો મોબાઇલ નિયમિત રીતે ચાર્જ કરવા મૂકાતો હોત તે જગ્યા ‘ચાર્જિંગમંદિર’ તરીકે ઓળખાતી હોત.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બહાર જતી વખતે અથવા મહાદેવભાઇ સાથે ન હોય ત્યારે ગાંધીજી કેડે ઘડિયાળને બદલે મોબાઇલ ફોન લટકાવેલો રાખતા હોત. જવાહરલાલ તેના માટે રેશમી ખાદીનું ફેન્સી કવર લાવ્યા હોત તો ગાંધીજીએ ‘મારા ફોન કરતાં તમારું લાવેલું કવર વધારે મોંધું છે. એ તમે મારા તરફથી ઇન્દુને આપી દેજો’ એવું કહીને પાછું વાળ્યું હોત. ભવિષ્યમાં ઇન્દુને ઇંદિરા ગાંધી તરીકે દેશમાં કટોકટી જાહેર કરતો એસ.એમ.એસ. કરવાનો થાત ત્યારે  મેસેજ મોકલી દીધા પછી એ મોબાઇલ ગાંધીજીએ આપેલા કવરમાં મૂકી દેવાથી તેમના (ગાંધીજીના નહીં, ઇંદિરા ગાંધીના) જીવને જરા સારું લાગ્યું હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધીજીનો મોબાઇલ મોટે ભાગે મહાદેવભાઇ પાસે રહેતો હોત. ‘મહાદેવભાઇ પાસે તેમનો અલગ મોબાઇલ હોવો જોઇએ’ એવી રજૂઆત કોઇએ ગાંધીજી પાસે કરી હોત તો એ કહી દેત,‘એને વળી મોબાઇલની શી જરૂર? હું જ એનો મોબાઇલ છું.’ પણ એ જ ગાંધીજીએ બ્રિટનની મુલાકાત વખતે સારા મોડેલનો- ઝડપથી એસએમએસ ટાઇપ થઇ શકે એવું કી પેડ ધરાવતો- મોબાઇલ મેળવીને મહાદેવભાઇને આપ્યો હોત. ગાંધીજીના મોબાઇલ ફોનમાં મેસેજ મોકલવા માટેની તૈયાર ટેમ્પ્લેટમાં  ‘બાપુના આશીર્વાદ’, ‘તબિયતનું ઘ્યાન રાખજો’, ‘ઇશ્વર સુઝાડે તેમ કરવું’ જેવા શબ્દગુચ્છ મહાદેવભાઇએ કરી રાખ્યા હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધીજીની લોકપ્રિયતા જોઇને મોબાઇલ ફોન કંપનીઓએ એવી ખાસ વ્યવસ્થા ગોઠવી હોત કે કોઇ માણસ પાસે ગાંધીજીનો મોબાઇલ ફોન નંબર ન હોય અને એ સ્ક્રીન પર મેસેજની જગ્યાએ ગાંધીજીનું નામ ટાઇપ કરીને ‘કોલ’નું બટન દબાવે, એટલે ગાંધીજીને ફોન લાગી જાય. તેને કારણે ગાંધીજી એટલા વ્યસ્ત રહેતા હોત કે કસ્તુરબાને તેમની સાથે વાત કરવી હોય તો એ પણ કોઇ આશ્રમવાસીના ફોન પરથી બાપુને કોલ કરતાં હોત. અલગ મોબાઇલ મેળવવા માટેનો પોતાનો કજિયો પૂરો ન થવાને કારણે હરિલાલ બળવાખોર બની ગયા હોત અને ફક્ત ગાંધીજીને દુભવવાના આશયથી કોઇની મોબાઇલ શોપમાં તે ભાગીદાર બની ગયા હોત અથવા કોઇ મોબાઇલ ફોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનીને મોંઘાદાટ સ્માર્ટફોનની જાહેરખબરમાં દેખાતા હોત. એ જોઇને ગાંધીજીએ ‘મારી શરમે કે મારા નામે કોઇએ આ ફોન લેવા નહીં’ એવા મેસેજ બલ્કમાં કરાવ્યા હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધીજીની હત્યા વખતે તેમની કમરે લટકતો મોબાઇલ ફોન ઐતિહાસિક બની ગયો હોત. તેને એકાદ મ્યુઝિયમમાં રખાયો હોત અને દરે થોડાં વર્ષે એવું કહેવાતું હોત કે ‘આ ફોન પાછળથી ખરીદેલો - બનાવટી- છે. અસલી ફોન તો ક્યારનો વેચાઇ ગયો.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધીજી જે કંપનીનો ફોન વાપરતા હતા, એ કંપનીનો ફોન રાખીને - ફક્ત એટલા જ કારણથી- ઘણા લોકો પોતાની જાતને ગાંધીવાદી તરીકે ઓળખાવતા હોત અને ‘સામાન્ય લોકોએ બીજું કંઇ ન થાય તો છેવટે ‘વૈષ્ણવજન’નો રિંગટોન રાખીને ગાંધીના પગલે ચાલવું જોઇએ’, એવો ઉપદેશ ઠાવકા મોઢે આપતા હોત. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-4390559297457467418?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/4390559297457467418/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_08.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/4390559297457467418'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/4390559297457467418'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_08.html' title='ગાંધીયુગમાં મોબાઇલ ફોન હોત તો?'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6998207539930204218</id><published>2012-02-07T19:06:00.002+05:30</published><updated>2012-02-07T19:12:55.516+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='corruption'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='sonia gandhi'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='politics'/><title type='text'>ડો.સુબ્રમણ્યન્‌ સ્વામી: કોયડા જેવો ઉકેલ</title><content type='html'>&lt;div&gt;ડો. સુબ્રમણ્યન્‌ સ્વામી/ Subramanian Swamy અને પ્રશાંત ભૂષણની રજૂઆત પછી, સર્વોચ્ચ અદાલતે ૮ કંપનીઓને ૨૦૦૮માં ફાળવાયેલાં ૧૨૨ ટુ-જી લાયસન્સ રદ કરવાનો ચુકાદો આપ્યો. ડો.સ્વામીએ આ ચુકાદાને ‘બેસ્ટ પોસિબલ જજમેન્ટ’ ગણાવ્યો. ‘જનલોકપાલ’ખ્યાત- અન્નામંડળનાં સભ્ય કિરણ બેદીએ ટ્‌વીટર પર લખ્યું,‘અભિનંદન, ડો.સ્વામી. તમે આ દેશની નીયતી બદલી રહ્યા છો.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;યુપીએ સરકારનું નાક (જો રહ્યું હોય તો) કાપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જ નહીં, ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર લાવવાનું અને તેની પાછળ મચ્યા રહેવાનું મોટું શ્રેય ડો.સ્વામીને જાય છે. ૭૨ વર્ષની વયે તેમનો જુસ્સો અને લડાકુ વૃત્તિ દાદ માગી લે એવાં છે. તે ઇચ્છે એના વિશે સાડા બારી રાખ્યા વિના બોલી શકે છે. એ જુદી વાત છે કે કોના વિશે એવું ઇચ્છવું તે જાહેર હિત નહીં, પણ અંગત પસંદગીના આધારે નક્કી થાય છે અને એ સતત બદલાતું રહે છે.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ક્યારેક તે કરૂણાનિધિને પાડવા માટે જયલલિતાને મદદ કરી શકે છે, તો ક્યારેક જયલલિતાને પછાડવા માટે કરૂણાનિધિની સાથે બેસી શકે છે. વાજપેયી સરકારને ગબડાવવા માટે તે સોનિયા ગાંધી સાથે હાથ મિલાવી શકે છે અને હિંદુત્વની રાજકીય લોબી સાથે રહીને તે સોનિયા ગાંધી વિશે તે બેફામ આરોપો કરી શકે છે. સ્વામીને વર્ષોથી જાણતા લોકોને આ બઘું નવાઇભર્યું લાગતું નથી. એ જાણે છે કે સુબ્રમણ્યન્‌ સ્વામી આજ સુધી પોતાના સિવાય બીજા કોઇના થયા નથી અને થાય એવું લાગતું પણ નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સ્વામી જેની સામે પડી જાય, તેના વિરોધીઓને તે મહાન લડવૈયા- દેશભક્ત- ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર- હિંદુહિતરક્ષક અને એવું ઘણું બઘું લાગી શકે છે. પક્ષીય વફાદારી  કે ખેંચાણ ન ધરાવતા લોકો માટે સ્વામી અનેક વિરોધાભાસી લક્ષણોનું પડીકું છે. તેમને ન્યાય માટે ઝઝૂમતા   ‘હીરો’ ગણીને ખભે બેસાડી શકાય એમ નથી ને કુટિલ ખલનાયકમાં ખપાવીને હાંસિયાની બહાર કાઢી મૂકાય એમ નથી. તેમને ક્યારે ગંભીરતાથી લેવા અને ક્યારે ન લેવા એ કોયડો છે, પણ છેલ્લા થોડા સમયમાં તેમની રજૂઆતોને અદાલતમાંથી મળેલો ટેકો અને સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આણવાનું તેમનું ઝનૂન જોતાં તેમને અવગણી શકાય એમ પણ નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;‘વન મેન પાર્ટી’ : કાવતરાંકથાનો ભંડાર&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;સુબ્રમણ્યન્‌ સ્વામી વિશે પ્રાથમિક માહિતી મેળવવા માટે તેમની વેબસાઇટ જોઇએ, ત્યારે સૌથી પહેલાં જનતા પક્ષનું એક સમયે બહુ જાણીતું અને હવે વિસરાઇ ગયેલું ચિહ્ન- હળધારી ખેડૂત- નજરે પડે છે. તેના પરથી યાદ આવે કે કટોકટી પછીની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડનાર જનતા પક્ષ ખંડિત થતો થતો છેવટે ડો.સ્વામીના ભાગમાં આવ્યો છે અને ‘વન મેન પાર્ટી’ તરીકે અસ્ત પામ્યો છે. (‘વન મેન આર્મી’ની જેમ, ‘વન મેન પાર્ટી’નો શબ્દપ્રયોગ ડો.સ્વામી માટે પણ થાય છે.) &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વેબસાઇટ પર ચીસો પાડીને ઘ્યાન ખેંચતી બીજી હકીકત છેઃ ડો.સ્વામીનો સોનિયા ગાંધી પરિવાર અને કોંગ્રેસ માટેનો તેમનો હળાહળ દુર્ભાવ, જે ભાજપતરફી સહાનુભૂતિ ધરાવતા લોકોને બહુ ભાવે છે. ‘ડુ યુ નો યોર સોનિયા?’ (સોનિયા ગાંધીને તમે બરાબર ઓળખો છો?) એ મથાળા હેઠળ પોતાની વેબસાઇટ પર સ્વામીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ગંભીર આરોપો કર્યા છે. તેમાં સોનિયા ગાંધીના રશિયાની જાસુસી સંસ્થા કેજીબી સાથેના સંબંધોથી માંડીને અનેક એવી વાતો છે, જેને માની લેવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી ન થાય. એ માટે ભાજપ જેવા કોઇ પક્ષની વિચારધારાનાં ચશ્માં પહેરવાં પડે કે કોન્સ્પીરસી થિયરી- કાવતરાંબાજી માટેનો ઊંડો રસ કેળવવો પડે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સોનિયા ગાંધીને આઘુનિક રોબર્ટ ક્લાઇવ સાથે સરખાવનારા ડો.સ્વામીનો આરોપ છે કે બોફર્સ કૌભાંડથી માંડીને સ્પેક્ટ્રમ કૌભાંડ સુધીની રકમોનો મોટો હિસ્સો છેવટે સોનિયા ગાંધીને જ પહોંચ્યો છે.  તેમના આરોપ વાંચીને સોનિયા ગાંધીના રાજકીય વિરોધીઓ કે ફેસબુક-ટ્‌વીટર પર કોંગ્રેસના વિરોધને દેશભક્તિનું પ્રમાણ ગણાવીને તાળીઓ ઉઘરાવનારાને મઝા પડે એ તો સમજી શકાય એવું છે. સાથોસાથ, બીજો નાનો વર્ગ પણ સ્વામીને ગંભીરતાથી લે છે- અથવા તેને ગંભીરતાથી લેવા જોઇએ એવું માને છે. એ વર્ગની દલીલ છે કે ‘સોનિયા ગાંધી વિશે ડો.સ્વામીએ કરેલા આરોપોમાં કશું તથ્ય ન હોય, તો સોનિયા તેમની સામે બદનક્ષીનો આરોપ શા માટે નથી કરતાં? મતલબ સાફ છેઃ ડો.સ્વામીના આરોપોમાં તથ્ય છે.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આ દલીલ ક્ષણ-બે ક્ષણ સામેવાળાને વિચારતા કરી મૂકે એવી છે. છતાં, સહેજ વિચારતાં તેની પોકળતા છતી થઇ જાય છે. સોનિયા ગાંધી બદનક્ષીનો દાવો ન કરે એટલા માત્રથી તેમની પરના આરોપ શી રીતે વજૂદભર્યા માની શકાય? રાજકારણમાં દરેક વખત મૌનને સંમતિ તરીકે ખપાવી શકાતું નથી. ઘણી વાર તે આરોપ પ્રત્યે ઉપેક્ષા અને આરોપ કરનારને પ્રોત્સાહન નહીં આપવાની વૃત્તિ સૂચવતું હોય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સોનિયા ગાંધી વિશેના આક્ષેપોનું બેફામપણું જોતાં,  ડો.સ્વામીને ગંભીરતાથી લેવાનું ભાગ્યે જ મન થાય. પરંતુ આગળ જણાવ્યું તેમ, ડો.સ્વામીને સાવેસાવ હળવાશથી લઇ શકાય એમ નથી. તેમની વાતોમાં આડેધડ આરોપો અને વજૂદ ધરાવતા આરોપોનું અજાયબ અને છૂટું પાડી ન શકાય એવું મિશ્રણ જોવા મળે છે. તેમાં સ્વામીનું રાજકારણ, તેમનો તકવાદ અને સ્વાર્થ ભળતાં એ લગભગ ન ઉકેલી શકાય એવો કોયડો બની રહે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;તેજસ્વીતા અને તકવાદ&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;જાહેર ક્ષેત્રની કોઇ પણ વ્યક્તિ કરતાં ડો.સ્વામીને જુદાં જુદાં ખાનાંમાં ઓળખવાનું વધારે જરૂરી છે. ડો.સ્વામીનાં વિવિધ પાસાં ‘તહલકા’ (૩૧ ડિસેમ્બર, ૨૦૧૧)ની કવર સ્ટોરીમાં અશોક મલિકે ચીવટપૂર્વક આલેખ્યાં છે. એક તરફ એ તેજસ્વી વિદ્યાર્થી અને અભ્યાસી અઘ્યાપક તરીકે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે અને તેમાં કશી અતિશયોક્તિ નથી. ચોવીસમા વર્ષે ગણિતમાં પીએચ.ડી. થયેલા, ગણિતશાસ્ત્રી પિતાના પુત્ર સ્વામી  સિત્તેરના દાયકામાં ચીન વિશેના નામી અભ્યાસી તરીકે ખ્યાતિ પામ્યા. તેમનાં ગણિત અંગેનાં પેપરની ગુણવત્તાથી હાર્વર્ડ જેવી વિશ્વખ્યાત યુનિવર્સિટીએ તેમને ફેલોશીપ આપી હતી. ઉદારીકરણ અને અમેરિકા-ઇઝરાઇલ સાથે સારા સંબંધો રાખવાના આગ્રહી સ્વામીને ભારતમાં રાજકારણ સિવાયનાં ક્ષેત્રોમાં વ્યાપેલા રાજકારણનો કડવો સ્વાદ પણ પહેલેથી ચાખવા મળતો રહ્યો. એવા પ્રસંગોએ સ્વામીમાં રહેલી તેજસ્વીતાને સ્વકેન્દ્રી બનાવવામાં અને ‘આક્રમણ દ્વારા સ્વબચાવ’ તરફ વાળવામાં કેટલો ભાગ ભજવ્યો એ કહેવું અઘરું છે, પરંતુ તેમનામાં લડાકુ વૃત્તિને પહેલીથી કમી ન હતી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં અઘ્યાપક તરીકે તેમને રાજકારણનો અને પોતાના રાજકીય વિચારોને કારણે થતા અન્યાયનો સામનો કરવો પડ્યો- વેઠવું પણ પડ્યું. સિત્તેરના દાયકામાં ૧૦ ટકા આર્થિક વિકાસ દરની વાત કરનાર સાંસદ સુબ્રમણ્યન્‌ સ્વામી માટે ઇંદિરા ગાંધીએ ‘સાન્ટાક્લોઝ વિથ અનરિઆલિસ્ટીક આઇડીયાઝ’ (શેખચલ્લી) જેવા શબ્દો વાપર્યા હતા. (પછીનાં વર્ષોએ બતાવી આપ્યું કે એ માન ખરેખર ઇંદિરા ગાંધીને પોતાને મળવું જોઇતું હતું.)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;તેજસ્વી અને કેવળ જુદા વિચારોને કારણે અન્યાયનો ભોગ બનેલા સ્વામીનું બીજું પાસું રાજકીય છે. પક્ષીય વફાદારી જેવો શબ્દ તેમના શબ્દકોશમાં નથી. એનો અર્થ એવો પણ નથી કે પ્રજાહિતને કારણે તે પક્ષીય વફાદારીમાં બંધાઇ શકતા નથી. ભાજપના માતૃપક્ષ જનસંઘે પહેલી વાર તેમને ૧૯૭૪માં રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી એ પક્ષ સાથે તેમના સંબંધોમાં ચડાવઉતાર થતા રહ્યા છે. ભાજપના ટોચના નેતા વાજપેયીને સ્વામી માટે જરાય ભાવ ન હતો. અશોક મલિકે નોંઘ્યા પ્રમાણે, કટોકટી પછી ઇંદિરા ગાંધીને હરાવીને જનતા પક્ષની સરકાર બની ત્યારે મોરારજી દેસાઇએ ડો.સ્વામીને રાજ્યકક્ષાના નાણાંમંત્રી બનાવવા સૂચવ્યું હતું, પણ વાજપેયીએ તેમનો પ્રસ્તાવ ઉડાડી દીધો. ડો.સ્વામી પોતાના વિરોધીનો વિરોધ કરતા હોય ત્યાં સુધી સૌને સારા લાગે છે, પણ તેમની સાથે બેસનારાને એટલું સમજાઇ જાય છે કે સ્વામીની બંદૂકને ધડો નથી. અત્યારે આપણી બાજુ રહીને ફૂટતી હોય તે ક્યારે આપણી સામે ફૂટવા માંડે, કહેવાય નહીં. એટલે રીઢા રાજકારણીઓ સ્વામીથી સલામત અંતર રાખે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આ વાતનું સૌથી નમૂનેદાર ઉદાહરણ છેઃ સોનિયા ગાંધી સાથે ડો.સ્વામીના સંબંધ. એ પોતે રાજીવને પોતાના મિત્ર ગણાવે છે. બોફર્સ કટકીમાં સોનિયા ગાંધી ઉપરાંત વી.પી.સિંઘથી માંડીને બીજા ઘણા લોકો સંકળાયેલા હોવાનો તેમનો આરોપ છે. પરંતુ ૧૯૯૮માં ભાજપ સરકારને ટકી રહેવા માટે જયલલિતાના ટેકાની જરૂર હતી, ત્યારે જયલલિતાના પ્રતિનિધિ તરીકે ડો.સ્વામીએ વાજપેયી સાથેનો જૂનો હિસાબ ચૂકતે કરવાની તક ઊભી કરી લીધી. (સ્વામીને ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર તરીકે ઓળખાવવા આતુર લોકોએ, સ્પેક્ટ્રમ કૌભાંડમાં તેમની ભૂમિકાનો એક પણ માર્ક ઘટાડ્યા વિના જાણવું જોઇએ કે એ જયલલિતાના પણ સાથીદાર હતા.) &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જયલલિતાના ટેકાના બદલામાં ડો.સ્વામીએ વાજપેયી પાસે નાણાં મંત્રાલયની માગણી કરી. વાજપેયીએ માગણી કબૂલ રાખી કે નહીં એ વિશે મતાંતર છે, પણ ટેકો મળ્યો ને સરકાર બની ગઇ પછી સ્વામીને મંત્રીપદું ન મળ્યું. છંછેડાયેલા સ્વામીએ દિલ્હીની એક હોટેલમાં પાર્ટી રાખીને જયલલિતા અને સોનિયાને મેળવ્યાં. ત્યાર પછી વાજપેયીની સરકાર જયલલિતાના ટેકા વિના ગબડી પડી. સ્વામીનો એવો પણ દાવો છે કે સોનિયા ગાંધીએ બિનકોંગ્રેસી-બિનભાજપી સરકારને ટેકો આપવાનું વચન આપ્યું હતું. ટૂંકમાં, એ વખતે સ્વામીને સોનિયા સામે વાંધો ન હતો- અથવા તેમની શૈલીમાં કહીએ તો, સોનિયા સામે વાંધો ક્યારે પાડવો એ તેમના મનમાં નક્કી હતું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ફરીથી ભાજપની સરકાર બની ત્યારે જયલલિતા-સોનિયા ગાંધીના પક્ષોએ ચૂંટણીજોડાણ કર્યું, પણ ડો.સ્વામીને તેમણે દૂર જ રાખ્યા. એટલે ૧૯૭૪ થી ૧૯૯૯ સુધી સાંસદ રહેલા સ્વામીને ચૂંટણીના રાજકારણથી છેટું પડી ગયું. ત્યાર પછી એ ચૂંટણી લડ્યા ખરા, પણ જીતી શક્યા નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે લડત ઉપાડીને સ્વામી ફરી એક વાર પ્રકાશમાં આવી ગયા છે. હવે તેમણે સોનિયા ગાંધી અને પી.ચિદમ્બરમ્‌ સામે નિશાન તાક્યાં છે અને અંશતઃ સફળતા પણ મેળવી છે. ગુજરાતની કોંગ્રેસ જેવા ખોખલા કેન્દ્રના ભાજપને ડો.સ્વામીમાં મજબૂત સાથીનાં દર્શન થાય તો નવાઇ ન લાગવી જોઇએ. બાકી રહ્યા સામાન્ય નાગરિકો. તેમણે સ્વામીની લડતની આડપેદાશોથી જેટલું જનહિત સધાય તેનો આનંદ માણવો જોઇએ, પણ સ્વામીની લડતનાં મુખ્ય નિશાન અને તેની પાછળનાં કારણ નજરઅંદાજ કર્યા વિના. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-6998207539930204218?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/6998207539930204218/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_07.html#comment-form' title='8 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6998207539930204218'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6998207539930204218'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_07.html' title='ડો.સુબ્રમણ્યન્‌ સ્વામી: કોયડા જેવો ઉકેલ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>8</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-651414818640720210</id><published>2012-02-05T11:43:00.003+05:30</published><updated>2012-02-05T11:54:48.755+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='it'/><title type='text'>સૌથી સસ્તું ટેબ્લેટ કમ્પ્યુટર ‘આકાશ’: હિટ કે ફ્‌લોપ?</title><content type='html'>&lt;a href="http://1.bp.blogspot.com/-5uqFlhIs9VM/Ty4gmy0JGBI/AAAAAAAADOs/5nGqLgdbojs/s1600/nava1.jpg"&gt;&lt;img style="display:block; margin:0px auto 10px; text-align:center;cursor:pointer; cursor:hand;width: 400px; height: 286px;" src="http://1.bp.blogspot.com/-5uqFlhIs9VM/Ty4gmy0JGBI/AAAAAAAADOs/5nGqLgdbojs/s400/nava1.jpg" border="0" alt="" id="BLOGGER_PHOTO_ID_5705533628772587538" /&gt;&lt;/a&gt;&lt;div&gt;સસ્તી કિંમતમાં ટેકનોલોજીના પરચા આપતાં કમ્પ્યુટરની વાતો દોઢેક દાયકાથી સંભળાયા કરે છે. ભારત જેવા વિશાળ અને ગરીબોની બહુમતી ધરાવતા દેશમાં ઇન્ટરનેટ- કમ્પ્યુટરથી પરિવર્તન આણવું હોય, તો ઓછી કિંમત વિના છૂટકો પણ નથી. વીસ-પચીસ-પચાસ હજાર રૂપિયાનાં કમ્પ્યુટર કેટલા લોકોને પોસાય?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અલાયદાં અને સસ્તાં સીડી-ડીવીડી પ્લેયર આવી જતાં, ગીતસંગીત ને ફિલ્મો માટે કમ્પ્યુટરની મોહતાજી મટી ગઇ. તેના પરિણામે સીડી શાકભાજીની જેમ -અને તેના કરતાં સસ્તા ભાવે- લારીમાં વેચાવા લાગી. મોબાઇલ સસ્તા થયા છે, પણ તેનો ઉપયોગ મોટે ભાગે પ્રાથમિક મનોરંજન પૂરતો મર્યાદિત છે. નાના સ્ક્રીનને કારણે વધારે વાંચવા કે જોવાના કામોમાં તે ખાસ ખપમાં લાગતા નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ફક્ત પોસાણ ધરાવતા વર્ગને કમ્પ્યુટર-ઇન્ટરનેટ ટેકનોલોજીના ફાયદા મળે અને બાકીનો મોટો વર્ગ તેનાથી વંચિત રહી જાય, એ પરિસ્થિતિ માટે ‘ડિજિટલ ડીવાઇડ’ (ડિજિટલ ભેદભાવ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે. આ ભેદભાવની ખાઇ પૂરવા માટે વખતોવખત પ્રયાસ થતા રહે છે. એકાદ દાયકા પહેલાં થોડા ભારતીય સંશોધકોએ મળીને કમ્પ્યુટરની સરખામણીમાં સોંધું અને વાપરવામાં સરળ એવું ‘સિમ્પ્યુટર’-સિમ્પલ કમ્પ્યુટર- બનાવ્યું હતું. બે કંપનીઓએ લાયસન્સ મેળવીને વ્યાવસાયિક ધોરણે (આશરે રૂ.૧૨ હજારમાં) સિમ્પ્યુટરનું વ્યાવસાયિક ઉત્પાદન કર્યું હતું. પરંતુ તેને ખાસ સફળતા મળી નહીં.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઓછા ખર્ચે કમ્પ્યુટરની સુવિધાઓ સામાન્ય માણસ સુધી પહોંચે એ માટે કેન્દ્ર સરકારે આઇ.આઇ.ટી.-જોધપુરને રૂ.૪૭.૭૨ કરોડ આપ્યા હતા. તેનું કામ હતું :સસ્તાં કમ્પ્યુટરનાં ૧ લાખ નંગ પ્રયોગાત્મક ધોરણે  તૈયાર કરાવવાં અને તેમની કાર્યક્ષમતા ચકાસવી. એ સંતોષકારક જણાય તો લાખોની સંખ્યામાં તેમનું ઉત્પાદન કરાવીને વિદ્યાર્થીઓ માટે ઓછા ભાવે- રાહત દરે પૂરાં પાડી શકાય. આઇ.આઇ.ટી. (જોધપુર)નો કોન્ટ્રાક્ટ મેળવવાની સ્પર્ધામાં કેનડાની કંપની ‘ડેટાવિન્ડ’ મેદાન મારી ગઇ. તેના ભારતીય માલિક સુનીતસિંઘ તુલી/ Suneetsingh Tullyની ટીમે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની માગ અને આઇ.આઇ.ટી. જોધપુરે ટેન્ડરમાં દર્શાવેલાં ધારાધોરણ મુજબનું ટેબ્લેટ કમ્પ્યુટર તૈયાર કરી દીઘું. પહેલાં તેનું નામ ‘સાક્ષાત’ વિચારાયું હતું, પણ તૈયાર થયા પછી તે ‘આકાશ’/ Aakash નામે ઓળખાયું. તેનું કંપનીએ આપેલું નામ હતું ‘યુબીસ્લેટ ૭’./ Ubislate 7 (ટેબ્લેટ અથવા સ્લેટ તરીકે ઓળખાતાં કમ્પ્યુટરમાં ‘ઇનપુટ’ માટે- એટલે કે કી બોર્ડને બદલે- ટચસ્ક્રીન કે સ્ટાયલસ વપરાય છે. ટેબ્લેટમાં અલગથી કી-બોર્ડ જોડી શકાય ખરું.) &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઓક્ટોબર ૫, ૨૦૧૧ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે ‘આકાશ’ ખુલ્લું મૂક્યું. તેની બજારકિંમત કંપનીએ રૂ.૨,૫૦૦ રાખી, પણ સરકાર તરફથી કોલેજોને તે લગભગ અડધી કિંમતે (રૂ.૧,૧૩૮માં) મળવાનું હતું. રૂ.૨,૫૦૦માં ઠેકાણાસરના મોબાઇલ ફોન પણ મળતા નથી, જ્યારે આ તો ટેબ્લેટ કમ્પ્યુટર કહેવાય- ભલે મર્યાદિત ક્ષમતાવાળું હોય. ગૂગલની પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સીસ્ટમ એન્ડ્રોઇડ ૨.૨ ધરાવતા ‘આકાશ’માં સાત ઇંચનો રેઝીસ્ટીવ (એટલે કે બહુ નાજુક અને સંવેદનશીલ નહીં એવો) ટચ સ્ક્રીન,૨૫૬ એમબી રેમ, આશરે ત્રણેક કલાક ચાલે એટલી બેટરી, ડોક્યુમેન્ટ- સ્પ્રેડશીટ-પીડીએફ જેવાં વિદ્યાર્થીઓને ઉપયોગી ફોર્મેટની સુવિધા, ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇની સુવિધા અને ૩૬૬ મેગાહર્ટ્‌ઝનું પ્રોસેસર, બે યુએસબી પોર્ટ અને મેમરી કાર્ડ માટેનો સ્લોટ. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આ બધી વિગતનો સરવાળો ને સાર એટલો કે બીજાં ટેબ્લેટ સાથે સરખાવતાં ‘આકાશ’ની સુવિધાઓ અને ક્ષમતા સાવ પ્રાથમિક અને નબળી લાગે, પરંતુ બન્ને વચ્ચે કિંમતનો મોટો અને મુખ્ય તફાવત હતો. એક પણ ટેબ્લેટ ભાવની રીતે ‘આકાશ’ની રૂ.૨,૫૦૦ની કિંમતની આસપાસ ફરકી શકે એવી ન હતી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘આકાશ’/Aakashનાં દસ હજાર મોડેલ પ્રયોગાત્મક ધોરણે ઉપલબ્ધ બનતાં બે પ્રકારના પ્રતિભાવ મળવા લાગ્યાઃ એક પ્રતિભાવ વિદ્યાર્થીઓ તરફથી હતો, જેમને કોલેજ તરફથી અખતરા માટે ‘આકાશ’ મળ્યું હતું. તેમને એ ક્રાંતિકારી નહીં તો પણ ઉપયોગી લાગ્યું હતું. ટેકનોલોજીના નિષ્ણાત અને રીઢા રીવ્યુકારો એટલા ઉદાર ન હતા. તેમણે ‘આકાશ’ની પાયાગત મર્યાદાઓ ચીંધીઃ રેઝીસ્ટીવ ટચસ્ક્રીન હોવાને કારણે તેની સાથે પ્રેમથી નહીં પણ જોરથી કામ લેવું પડે છે, બેટરીની આવરદા ઓછી છે, ચાર્જિંગમાં વઘુ સમય લાગે છે, સુવિધાઓ વધારી આપતી એપ્લીકેશન્સ- ‘એપ્સ’નો અભાવ છે, પ્રોસેસર ધીમું છે, ફક્ત વાઇ-ફાઇ  નેટવર્ક દ્વારા જ ઇન્ટરનેટ જોડાણ શક્ય છે અને ભારતના ઘણા વિસ્તારમાં હજી વાઇ-ફાઇની સુવિધા નથી...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બન્ને પ્રકારના પ્રતિભાવ સાચા હતા. રૂ.૨,૫૦૦ની કિંમતમાં  ‘એપલ’ના ‘આઇ-પેડ’ જેવું ટેબ્લેટ તો ન જ મળે. પરંતુ આટલી ઓછી કિંમતમાં ટેબ્લેટ કમ્પ્યુટરની મૂળભૂત સુવિધાઓ અને ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય તો ખોટું નહીં. કારણ કે તેનો આશય પાયાની જરૂરિયાત સંતોષવાનો છે. ટેકનોલોજીના અભ્યાસીઓની અપેક્ષા સ્વાભાવિક રીતે  ઊંચી હોય. પરંતુ માથાકૂટ ત્યારે થઇ, જ્યારે આઇ.આઇ.ટી. જયપુરે ‘આકાશ’ સામે અસંતોષ વ્યક્ત કર્યો.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘આકાશ’ તૈયાર કરનાર ‘ડેટાવિન્ડ’/Datawind કંપનીના સુનીતસિંઘનો જવાબ એવો હતો કે આઇ.આઇ.ટી.ના ટેન્ડરમાં ચીંધેલાં તમામ ધારાધોરણ તેમની કંપનીએ સંતોષ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે ‘આકાશ માટેનાં અત્યારે નીચાં લાગતાં ધારાધોરણ નક્કી થયાં હતાં ૨૦૦૯માં, પણ તેને લગતાં (સરકારી) ટેન્ડર  છેક ફેબ્રુઆરી, ૨૦૧૧માં બંધ થયાં.’ ટેકનોલોજીના વિશ્વમાં બે વર્ષનો સમયગાળો કેટલો મોટો કહેવાય અને એ ગાળામાં કેટલી ઉથલપાથલ થઇ શકે, એ સરકારી બાબુઓને તો ઠીક, આઇ.આઇ.ટી.ને પણ નહીં સમજાતું હોય?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘આકાશ’ ઉર્ફે ‘યુબીસ્લેટ ૭’ના પહેલા મોડેલ વિશેના પ્રતિભાવ પછી તેમાં કેટલાક જરૂરી ફેરફાર કરીને જાન્યુઆરી, ૨૦૧૨માં ‘યુબીસ્લેટ ૭ પ્લસ’ / Ubislate 7 plusમોડેલની જાહેરાત કરવામાં આવી. તેનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું અને અત્યાર સુધીમાં તેના ૬૦ લાખ ઓર્ડર નોંધાઇ ચૂક્યા છે. સુધારેલી આવૃત્તિમાં ફક્ત રૂ.૫૦૦ વધારે લઇને, રૂ.૨૯૯૯ની કિંમતમાં ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇ ઉપરાંત જીપીઆરએસની સુવિધા,  ૩-જી મોડેમ પણ વાપરી શકાય એવો વિકલ્પ, ૭૦૦ મેગાહર્ટ્‌ઝનું પ્રોસેસર, વધારે ચાલે એવી બેટરી, એન્ડ્રોઇડ ૨.૩ ઓપરેટિંગ સીસ્ટમ, (કંપનીના દાવા પ્રમાણે) દોઢેક લાખ એપ્સ, ટેબ્લેટને મોબાઇલ ફોન તરીકે વાપરી શકવાની જોગવાઇ...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સરકારના અને કંપનીના, બન્ને પક્ષે આ તો હજુ શરૂઆત છે. ૧ લાખ ટેબ્લેટના ઓર્ડર આપનાર માનવ સંસાધન મંત્રાલય માને છે કે ભવિષ્યમાં ૨૨ કરોડ ટેબ્લેટની જરૂર પડવાની છે. આ બજારમાં પગપેસારો કરવા માટે ‘ડેટાવિન્ડ’ સિવાયની કંપનીઓ પણ તલપાપડ છે. ‘આકાશ’ (પહેલા મોડેલ) પછી આઇ.આઇ.ટી. જોધપુરે ‘ડેટાવિન્ડ’ને નવેસરથી પોતાની અપેક્ષાઓની યાદી આપી હતી. કંપનીએ આ યાદીને ‘મિલિટરી સ્ટાઇલ’ (સૈન્યમાં વપરાશ માટે જરૂરી ગણાય એવી) ગણાવીને કહ્યું હતું કે એ પ્રકારનાં ટેબ્લેટ કમ્પ્યુટર એક લાખ રૂપિયાની આસપાસની કિંમત ધરાવે છે. અઢી હજાર રૂપિયાનાં ટેબ્લેટ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય. બન્ને વચ્ચેના વિવાદમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દરમિયાનગીરી કરીને આઇ.આઇ.ટી.ને ‘મિલિટરી સ્ટાઇલ’ની માગણીઓ પાછી ખેંચી લેવા જણાવ્યું. હવે ‘ડેટાવિન્ડ’ના સુનીતસિંઘ ઇચ્છે છે કે સરકાર ટેબ્લેટના જથ્થાબંધ ઓર્ડર આપતી વખતે ‘મેઇડ ઇન ઇન્ડિયા’નો આગ્રહ રાખે. ‘આકાશ’નું બઘું કામ હૈદરાબાદની ફેક્ટરીમાં થયું છે. એ જ રીતે, કરોડોની સંખ્યામાં સસ્તાં ટેબ્લેટ કમ્પ્યુટર બનાવવાનાં થાય તો તેનો લાભ ચાઇનીઝ કે બીજી કંપનીઓ ખાટી ન જાય- અને ‘ડેટાવિન્ડ’નો હાથ ઉપર રહે- એવી સુનીતસિંઘની લાગણી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આસામ સરકારે પોતાની જરૂરિયાત માટેનાં ટેબ્લેટ કમ્પ્યુટર માટે ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની શરત અનિવાર્ય બનાવી છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘આકાશ’ (યુબી સ્લેટ ૭) અને ‘યુબીસ્લેટ ૭ પ્લસ’- આ બન્ને હજુ વ્યાપક સ્તરે ઉપલબ્ધ બન્યાં નથી. તેમને મળેલા પ્રચંડ પ્રતિસાદથી ‘ડેટાવિન્ડ’ની ગ્રાહક પ્રતિસાદ વ્યવસ્થાઓ પણ ઘણે અંશે ખોરવાઇ ગઇ છે. છતાં થોડા મહિનામાં બઘું સમુંસૂતરું થઇ રહેશે એવી હૈયાધારણ કંપનીએ આપી છે. એક વાર ‘યુબીસ્લેટ ૭ પ્લસ’ મોટા પાયે વપરાતાં થાય ત્યાર પછી સૌ પોતપોતાની જરૂરિયાત મુજબ તેની સફળતા-નિષ્ફળતાની આંકણી કરી શકે. પણ ટેબ્લેટ કમ્પ્યુટરની કિંમત રૂ.૩ હજારના સ્તરે આણીને કંપનીએ પહેલો મોરચો સર કરી લીધો છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અત્યારના પ્રતિસાદ પછી એટલું નક્કી જણાય છે કે સિમ્પ્યુટર જેવી નિષ્ફળતા ‘યુબીસ્લેટ’ જેવા ટેબ્લેટ કમ્પ્યુટરના ભાગે નહીં આવે.  તેની દશા ‘નેનો’ કાર જેવી નહીં થાય એવું પણ લાગે છે. કારણ કે કારની જેમ ટેબ્લેટ કમ્પ્યુટર મહદ્‌ અંશે સામાજિક મોભા સાથે સંકળાયેલી વસ્તુ નથી કે જેમાં સસ્તું વાપરવાની લોકોને શરમ આવે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt; ત્રણ હજાર રૂપિયાની કિંમત જોઇને  ટેબ્લેટ નોંધાવી દેવાની લાલચ થઇ આવે છે?  તત્કાળ જરૂરિયાત ન હોય, તો એમાં થોડી રાહ જોવી ફાયદેમંદ નીવડી શકે છે. કારણ કે વચ્ચેના સમયગાળામાં  ટેબ્લેટમાં કેમેરાથી માંડીને બીજી ઘણી સુવિધાઓ ઉમેરાય એવી સંભાવના છે- અને ‘તમે લઇ ગયા, અમે રહી ગયા’ જેવો પ્રશ્ન તેમાં થવાનો નથી. કારણ કે આ ટૂંકા ગાળા માટેની સરકારી યોજના નહીં, પણ ભારત જેવા દેશના ઓછી કિંમતના બજારને ઘ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલો વ્યાવસાયિક પ્રોજેક્ટ છે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-651414818640720210?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/651414818640720210/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_05.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/651414818640720210'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/651414818640720210'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post_05.html' title='સૌથી સસ્તું ટેબ્લેટ કમ્પ્યુટર ‘આકાશ’: હિટ કે ફ્‌લોપ?'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-5uqFlhIs9VM/Ty4gmy0JGBI/AAAAAAAADOs/5nGqLgdbojs/s72-c/nava1.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-7373782698904535561</id><published>2012-02-02T21:31:00.001+05:30</published><updated>2012-02-02T21:34:51.182+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='society- trends/સમાજ-પ્રવાહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>યે કિસને જગાયા સવેરે સવેરે</title><content type='html'>&lt;div&gt;મૂળ ઇચ્છા તો એવું મથાળું લખવાની હતી કે ‘યે કિસને ઉઠાડા સવેરે સવેરે’. ભાષાની દૃષ્ટિએ ‘ઉઠાડા’ શબ્દ ખોટો હોત, પણ ઘણા કવિઓનાં ઉદાહરણો પરથી આપણે જાણીએ છીએ કે કવિતામાં ભાષા કે વ્યાકરણનું મહત્ત્વ હોતું નથી. જે ચોટ, જે નૈસર્ગીકતા, જે બોલચાલની ભાષાની મહેક ‘ઉઠાડા’માં આવે છે તે‘જગાયા’માં નથી આવતી, એ તો હિંદી બોલી પાડતો કોઇ પણ ગુજરાતી કબૂલશે. પરંતુ કવિતા-એટલે કે ગઝલ-માં કારકિર્દી બનાવવાની મહેચ્છા નહીં હોવાથી એ પ્રયોગ પડતો મૂક્યો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મહત્ત્વ શબ્દપ્રયોગનું નથી, પણ એ જેના માટે વપરાય છે તે ક્રિયાનું છે. પ્રેમ બારમાસી પ્રવૃત્તિ હોવા છતાં વસંત - અને હવે વેલેન્ટાઇન ડે- તેના માટેની ખાસ ૠતુ, ખાસ દિવસ ગણાય છે. એવી જ રીતે, ઉંઘવું એ બારમાસી કામ હોવા છતાં, શિયાળામાં ઉંઘવાની- ઉંઘી રહેવાની મઝા કંઇક જુદી છે. શિયાળાની રાત્રે પથારીના ગરમાટામાં રજાઇ ઓઢીને સૂઇ જવાની અનુભૂતિ અવર્ણનીય હોય, તો સવાર પડતાં સુધીમાં તે લગભગ અલૌકિકની કક્ષાએ પહોંચી જાય છે. પરદેશમાં જાણીતા ગાયકો તેમના ગળાનો, જાણીતી અભિનેત્રીઓ તેમના દેહનાં સૌંદર્યકેન્દ્રોનો અને જાણીતા ફૂટબોલખેલાડીઓ તેમના પગનો વીમો ઉતરાવતા હોય છે. એવી રીતે કોઇ નિદ્રાપ્રેમી કરોડપતિ શિયાળાની વહેલી સવારની ઉંઘનો અમુક કરોડ રૂપિયાનો વીમો ઉતરાવીને મૌલિક પરંપરા શરૂ કરી શકે છે. આમ કરવાથી બે ફાયદા થશેઃ શિયાળાની સવારની ઉંઘનો મહિમા વધશે અને આટલા કરોડ રૂપિયા વધારાના હોવા છતાં પોતાને ઉંઘ આવે છે, એવું કરોડપતિ બોલ્યા વિના જણાવી શકશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ભોગ અને ત્યાગ વચ્ચેના એક પગથીયાનું નામ છેઃ આસક્તિ.  આખી રાત ઉંઘ ભોગવ્યા પછી સવારે તેનો ત્યાગ કરતાં પહેલાં, સૂતેલા માણસના મનમાં ઉંઘ માટે પ્રબળ આસક્તિનો ભાવ જાગે છે. ઉંઘ તજવા માટે વહેલી પરોઢનો સમયગાળો સૌથી કપરો છે. કારણ કે એ ગાળામાં આસક્તિનું ધોરણ મહત્તમ હોય છે. ભક્તિમાર્ગમાં વહેલા ઉઠવાનું મહત્ત્વ આ કારણથી તો નહીં હોય? (‘રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાઘુપુરૂષે સુઇ ન રહેવું’)- એવી શ્રદ્ધાળુ આશંકા પણ જાગે છે.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જ્ઞાનીજનો કહી ગયા છે કે આસક્તિને કારણે માણસ છતી આંખે અંધ થઇ જાય છે. તેની આંખો બંધ થઇ જાય છે. વહેલી સવારે નિદ્રાવસ્થામાં જોકે આ વિધાનની સત્યાર્થતા ચકાસવાનો મોકો મળતો નથી. કારણ કે ત્યારે આંખો મંિચાયેલી જ હોય છે. એટલું ખરું કે મોટા ભાગના માણસો ઉંઘતી વખતે ઉંઘ સિવાયની બીજી બધી બાબતોમાં લોભલાલસા છોડીને સંતોષી થઇ જાય છે. એ વખતે તેમને ઉંઘ સિવાય બીજું કંઇ દેખાતું નથી. તેમની બધી લાલસાઓ કેવળ ઉંઘ પર કેન્દ્રિત થઇ જાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ચિંતનીયા પરિભાષામાં કહી શકાય કે ઉંઘ ફક્ત ઉંઘ ન બની રહેતાં, તે માણસોની લાલસાનો સરવાળો બની રહે છે. એટલે સામાન્ય લોકો જેને સીધોસાદો ઉંઘથી ઘેરાયેલો- ઉંઘગ્રસ્ત માણસ ધારે છે, એ ખરેખર ઉંઘની સાથોસાથ ઉંઘની ઘટ્ટ લાલસામાં પણ લપેટાયેલો હોય છે. આવા જણને જગાડવા માટે ભવ્ય પુરૂષાર્થની જરૂર પડે છે. વાસ્તવમાં ‘પુરૂષાર્થ’ શબ્દ જરા કઠે એવો છે. કારણ કે એ કામ મોટે ભાગે સ્ત્રી વર્ગના ભાગે આવે છે. આસક્તિમાં તરબોળ માણસને લાજશરમ હોતી નથી. ઉંઘની આસક્તિ પણ તેમાં અપવાદરૂપ નથી. તેમાં લપેટાયેલા માણસને જગાડવાનું કામ પ્રેમમાં માથાડૂબ કોઇ રસિયાને વૈરાગી બનાવવા જેટલું કપરું છે. આરંભે શૂરા કે ઝટ થાકી જનારા- હાર માની લેનારાનું તેમાં ચાલતું નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જગાડનારના પ્રયાસોનો પહેલો ગીઅર સમયની જાહેરાતથી થાય છે. ‘છ વાગ્યા...હવે ઉઠવાનું નથી? છ વાગ્યા...છ તો ક્યારના વાગી ગયા. પછી તમે ને તમે બૂમો પાડશો...’ પરંતુ ઘણા ઉંઘરસિયા માટે આ બૂમો એપેટાઇઝર જેવી સાબીત થાય છે. તેનાથી ઉંઘ ઉડવાને બદલે તે ફરી એક વાર અસ્તવ્યસ્ત થયેલું ઓઢવાનું સંકોરીને, નવેસરથી ઉંઘવાનો પ્રયાસ કરે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પહેલા ગીઅરની નિષ્ફળતા પછી જગાડનારના પ્રયાસ બીજા ગીઅરમાં આવે છે. આ ગીઅરમાં, ઉઠાડનાર પોતે અર્જુનમાં કર્તવ્યભાવના જાગ્રત કરનાર કૃષ્ણની ભૂમિકામાં આવે છે અને ‘હે પાર્થ, તારી ફરજ શું છે તે હું કહું છું. તું સાંભળ.’ પ્રકારે કહે છેઃ ‘ઉઠો. તમારે છગનભાઇને મળવાનું નથી? અથવા મગનભાઇ તમને મળવા આવવાના નથી?’ અથવા ‘આજે પણ પેલી બસ નહીં મળે તો પછી ઓફિસે લેટ પહોંચશો.’ વાંધો ત્યાં પડે છે કે જગાડનાર પોતાની જાતને કૃષ્ણ-સમકક્ષ ગણે, પણ ઉંઘનારને તે દુર્યોધન જેવા લાગે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;કામની વાત આવવાથી સૂતેલા માણસને કંઇક ખુલાસો કરવાની ફરજ પડે છે. તે ઉંઘરેટા અવાજે-આંખ ખોલ્યા વિના, ફક્ત છગનભાઇનું નામ સંભળાય એવી રીતે અસ્પષ્ટ ગણગણાટ કરે છે અને ફરી પડખું ફેરવીને સૂઇ જાય છે. જગાડનારને તેની શાંતિ અકળાવનારી લાગે છે. તે ચિડાય છેઃ ‘આ તે કંઇ રીત છે? એમનું કામ યાદ કરાવીએ તો પણ જાગે નહીં. આવું તે કંઇ ઉંઘવાનું હોતું હશે?’ આ પ્રકારનો ઠપકા વિશે ઘ્યાનથી- ઉંઘ ઉડ્યા પછી- વિચારતાં તેમાં બીજું પણ કંઇક સાંભળી શકાય. જેમ કે, ‘હું ક્યારની- કે ક્યારનો- જાગી છું અને એ કેમ ન ઉઠે? આપણે વહેલા ઉઠીને એમની સેવાઓ કરવી એવું લખી આપ્યું છે?મારું ચાલે તો હું અત્યારે જ લંબાવી દઉં. મને એના કરતાં વધારે ઉંઘ આવે છે, પણ એના જેવું કોણ થાય?’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ત્રીજા ગીઅરમાં જગાડનારનો અવાજ ઊંચો અને ભાષા વધારે જુસ્સાદાર થાય છે. ‘આ તો સાવ બહેરો છે બહેરો..એક નંબરનો ઊંઘણશી..કોઇ દહાડો પહેલી બૂમે જાગ્યો છે? ના ઉઠવું હોય તો મારે શું? કાલથી હું ઉઠાડવાની જ નથી.’ રાણીવાસમાં ગુલતાન પૃથ્વીરાજ ચૌહાણને પોકારતા-ઠપકો આપતા કવિ ચંદ જેવી આ ચેષ્ટા હોય છે, પણ જગાડનારના પક્ષે કવિ ચંદ જેટલી ધીરજ અને હિંમતનો અભાવ તથા સૂનારના પક્ષે પૃથ્વીરાજ જેટલી સ્વધર્મસભાનતા ન હોવાથી આ પ્રયાસ પણ વ્યર્થ જાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ત્યાર પછી આવે છે છેલ્લો ગીઅર. તેમાં સૂતેલાને ઢંઢોળવા, બરડે વજનદાર હાથે ટપલા મારવા કે તેનું ઓઢવાનું ખેંચી લેવા જેવા બળપ્રયોગ થાય છે. એ વખતે જાગ્યા વિના છૂટકો રહેતો નથી. ભલું હોય તો ઉંઘમાંથી ઉઠીને ‘ઓહોહો...સાડા છ વાગી ગયા? મેં તને કહ્યું ન હતું કે ગમે તે થાય, પણ મને છ વાગ્યે જગાડી દેજે?’ એવો ઠપકો તે જગાડનારને આપવાનો પ્રયાસ કરે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;શિયાળાની સવારે દૈવી અનુભૂતિ કરાવતી ઉંઘ તજીને વહેલા શા માટે ઉઠવું જોઇએ? કોઇને વહેલી સવારે કડકડતા હોઠે ભજન ગાવામાં ને સેવાપૂજા કરવામાં, તો કોઇને ચાલવામાં કે કસરત કરવામાં ઉંઘનું બલિદાન સાર્થક લાગે છે. ગામડાંમાં દાતણ કરવાનો અને ઉલ ઉતારવાનો ભારે મહિમા હોય છે. એ ક્રિયાઓ વખતે થતા અવાજ એવા પ્રચંડ હોય છે કે વહેલા ઉઠવાની આળસ ધરાવતા લોકો માટે તે એલાર્મનું કામ કરે છે. અવાજ કરનારા પોતાના પરોપકારથી અજાણ હોવાને કારણે તે સાચા પુણ્યના હકદાર બને છે. બાકી, ખરું પૂછો તો શિયાળામાં વહેલા ઉઠીને કરવા જેવું કામ એક જ છેઃ ફરી ઓઢીને સૂઇ જવું. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-7373782698904535561?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/7373782698904535561/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post.html#comment-form' title='6 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/7373782698904535561'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/7373782698904535561'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/02/blog-post.html' title='યે કિસને જગાયા સવેરે સવેરે'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>6</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-1608610513063984756</id><published>2012-01-31T21:13:00.003+05:30</published><updated>2012-01-31T21:22:33.337+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='religion'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='literature'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='politics'/><title type='text'>રશદી-વિરોધનું બેશરમ ફારસ</title><content type='html'>&lt;div&gt;‘ક્લાસિક’ પુસ્તકની રમૂજી વ્યાખ્યા છેઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, બધાને ખબર હોય કે એ વાંચવું જોઇએ, પણ બહુ ઓછા લોકોએ તે વાંચ્યું હોય. વિવાદાસ્પદ પુસ્તકની વ્યાખ્યા પણ એ તરાહ પર કરી શકાયઃ  એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, ભાગ્યે જ કોઇએ વાંચ્યું હોય, છતાં તેનો જોરશોરથી વિરોધ થતો હોય અને તેના લીધે લોકોને થતું હોય કે ‘આ પુસ્તક વાંચવું જોઇશે.’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ ૧૯૮૮માં બ્રિટનમાં પ્રકાશિત થઇ, ત્યારથી એ વિવાદાસ્પદ રહી છે. બ્લાસ્ફેમી- ધર્મ કે ધાર્મિક પાત્રોની નિંદાનો આરોપ, વિશ્વભરના દેશોમાં સૌપ્રથમ ભારત સરકાર દ્વારા તેની પર મુકાયેલો પ્રતિબંધ, ઇરાનના આયાતોલ્લા ખોમેનીએ આપેલો રશદીના મોતનો આદેશ, કડક સુરક્ષા હેઠળ રશદીનો અજ્ઞાતવાસ, ખોમેનીના અવસાન પછી ઇરાન સરકારે પાછું ખેંચેલું ફતવાનું સત્તાવાર સમર્થન- આ બધી વાતો સાહિત્યમાં જ નહીં, સમાચારમાં રસ ધરાવતા લોકો પણ ઓછેવત્તે અંશે જાણે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જયપુર લિટરરી ફેસ્ટિવલ નિમિત્તે જાન્યુઆરી, ૨૦૧૨માં  રશદીવિરોધની કથામાં સરકારી અને બિનસરકારી રાહે નવાં શરમજનક પ્રકરણ ઉમેરાયાં છે. તેની મુદ્દાસર વાત સાથે ભારતીય પ્રજાસત્તાકના વર્તમાનની કથા વળાંકો ને વક્રતા, વિચિત્રતા અને વિષમતા સાથે ઉઘડતી જશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સ્થળઃ&lt;/b&gt; જયપુર લિટરેચર ફેસ્ટિવલ એટલે કે સાહિત્ય સમારંભ ૨૦૦૬થી વર્ષથી યોજાય છે. તેમાં દેશવિદેશના લેખકો આવે તથા એકબીજા સાથે તથા વાચકો સાથે ખુલ્લાશથી હળેમળે- વિચારોનું આદાનપ્રદાન કરે એવો તેનો આશય છે. પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તે એશિયાનો સૌથી નામી- સૌથી મોટો સાહિત્યિક મેળાવડો ગણાય છે. આ વર્ષે તેમાં નિમંત્રીત આશરે ૨૬૫ લેખકોમાંના એક હતાઃ બ્રિટનમાં વસતા, ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશદી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;વિવાદનું કેન્દ્રઃ&lt;/b&gt; રશદીની કેટલીક નવલકથાઓ ઇંદિરા ગાંધી, ઝુલ્ફીકારઅલી ભુત્તો જેવાં લોકો સાથે તોફાની સામ્ય ધરાવતાં પાત્રોને કારણે વિવાદાસ્પદ બની હતી, પરંતુ ‘સેતાનિક વર્સીસ’ વિવાદના મામલે બધી હદો વટાવી ગઇ. કારણ કે તેમાં મામલો વ્યક્તિની નહીં, પણ ધર્મની ટીકાનો- ‘ધાર્મિક લાગણી’ દુભાવાનો હતો. ખોમેનીએ જારી કરેલા મોતના ફતવા પછી ઘણા સમય સુધી રશદી પોતે કોઇ નવલકથાના પાત્ર જેવા રહસ્યાચ્છાદિત બની રહ્યા. દેશવિદેશમાં મુસ્લિમ નેતાઓ કે સંસ્થાના આગેવાનો કે ઝનૂની લોકો દ્વારા થતો વિરોધ ફક્ત ‘સેતાનિક વર્સીસ’ પૂરતો મર્યાદિત ન રહ્યો. ‘ઇસ્લામનું અપમાન કરનાર’, ખુદ મુસ્લિમ, એવા રશદીના તે વિરોધી થઇ ગયા.  રશદી ૨૦૧૨ના જયપુર સાહિત્યિક સમારંભમાં આવવાના છે, એવા સમાચાર જાહેર થતાં તોફાનનાં વાદળાં ઘેરાવા લાગ્યાં.&lt;/div&gt;&lt;div&gt; &lt;/div&gt;&lt;div&gt;‘સેતાનિક વર્સીસ’ લખ્યા પછી રશદી પહેલી વાર ભારત આવતા ન હતા. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બીજા વર્ષે (૨૦૦૭માં) તે હાજર રહ્યા હતા. ફેસ્ટિવલના એક આયોજક વિલિયમ ડેર્લિમ્પિલે યાદ કર્યું હતું કે એ વખતે રશદીની સાથે એક અંગરક્ષક સુદ્ધાં ન હતો. એ નિરાંતે સૌને મળ્યા હતા. લેખકો અને વાચકો સાથે વાતો કરી હતી. ત્યારે કોઇ ડખો થયો ન હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૧૨ની વાત જુદી હતી. આ વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવે છે, જેમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે કોંગ્રેસ પ્રચંડ પ્રયાસ કરી રહી છે. મુસ્લિમહિતનું કોઇ નક્કર કામ કર્યા વિના તેમના મત અંકે કરવાની જૂની અને જાણીતી પદ્ધતિ મુસ્લિમોમાંથી કટ્ટરવાદી નેતાગીરી સામે ધૂંટણીયે પડવાની છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સરકાર અને સંસ્થાઓ દેવબંદ (ઉત્તર પ્રદેશ)ની મુસ્લિમ ધાર્મિક સંસ્થા દારૂલ ઉલુમે રશદીના ભારત આગમન સામે રણશીંગું ફૂંક્યું. ત્યાંથી શરૂ થયેલો વિરોધનો દાવાનળ જયપુર અને દિલ્હી સુધી પહોંચ્યો. ત્યાં સુધી રશદીનું જયપુર આવવાનું નક્કી હતું. હોટેલનો રૂમ બુક થઇ ગયો હતો. રાજસ્થાનની કોંગ્રેસી ગેહલોત સરકારે તેમને રક્ષણની બાંહેધરી આપી હતી. પછી ધીમે ધીમે સરકારના અસલી ઇરાદા પરનો નકાબ ઉતરવા લાગ્યો. ‘ગુપ્તચર બાતમી’ આગળ કરીને રાજસ્થાન સરકાર દ્વારા રશદીને એવો સંદેશો પહોંચાડવામાં આવ્યો કે ‘મુંબઇના એક ડોને તમારી હત્યા માટે સોપારી આપી છે.’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;દેવબંદના વિરોધથી વાત વણસવા લાગી હતી. રશદી આવે તો પણ સલામતી-બંદોબસ્ત પાકો રાખવો પડે એમ હતો. તેનાથી આયોજનની સ્વાભાવિકતા અને અનૌપચારિકતા પર ગંભીર અસર પડે એમ હતી. મોતની ધમકીની વાત આવ્યા પછી રશદીને નવેસરથી વિચારવાની ફરજ પડી. એક બાજુ રક્ષણ આપવાની તત્પરતાનો ડોળ કરતી સરકાર એ જ શ્વાસમાં ‘મુંબઇના ગેંગસ્ટરે તમારી સોપારી આપી છે’ એવું કહે ત્યારે તેનો અર્થ શું થાય, તે રશદી જેવાને સમજાવવું પડે? તેમણે જયપુર આવવાનું માંડવાળ કર્યું. પછીથી તેમણે એવું પણ કહ્યું કે હું જયપુર ન આવું એ માટે ગુપ્તચર માહિતીના નામે મને ભડકાવવામાં આવ્યો હતો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘સેતાનિક વર્સીસ’ને બદલે આખેઆખા રશદીનો વિરોધ કરનારાની દાદાગીરી અને તેની ઉપર ચાર ચાસણી ચડે એવી સરકારની કુટિલતાથી મર્યાદિત વર્તુળોમાં ભારે અસંતોષ ફેલાયો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;વિરોધનો વિરોધઃ&lt;/b&gt; લાંબોપહોળો પથારો પાથરીને બેઠેલાં આયોજકોએ વાજબી વસવસો પ્રગટ કરીને બાકીના કાર્યક્રમ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ ફેસ્ટિવલના પહેલા જ દિવસે ધડાકો થયોઃ જાન્યુઆરી ૨૦ના રોજ ચાર જણ- લેખક હરિ કુંઝરુ, વિવેચક અમિતાવ કુમાર, કવિ જીત થાઇલ અને ફિલ્મકાર રુચિર જોશીએ રશદીના મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ‘સેતાનિક વર્સીસ’માંથી કેટલાક (બિનવિવાદાસ્પદ) અંશોનું જાહેરમાં પઠન કર્યું. ત્યાં ઉપસ્થિત બી.બી.સી.ના સંવાદદાતાએ નોંઘ્યા પ્રમાણે, લોકોએ બહુ રસથી અને શાંતિપૂર્વક એ સાંભળ્યું. કોઇની ઉશ્કેરણી ન થઇ ને કાયદો-વ્યવસ્થા જોખમાયાં નહીં. (ધક્કામુક્કી ને ધસી જવામાં) ‘રગ્બી ટીમની હરીફાઇ કરે એવાં’ટીવી પત્રકારો ત્યાર પછી પહોંચ્યા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વિરોધવાચન કરતાં પહેલાં બ્રિટનસ્થિત હરિ કુંઝરુએ ટ્‌વીટર પર પોતાનો ઇરાદો જાહેર કરી દીધો હતો. ખરો કકળાટ શાંતિપૂર્વક પઠન થઇ ગયા પછી શરૂ થયો. ચારે સામે ફરિયાદો થઇ અને વકીલની સલાહ પ્રમાણે ધરપકડ ટાળવા માટે ચારે જણ જયપુરથી રવાના થઇ ગયા. તેમની સામે જયપુર અને અજમેરમાં કુલ અડધો ડઝન પોલીસ કેસ કરવામાં આવ્યા છે. કેસ કરનારમાં ભાજપના લધુમતી મોરચાનો પણ સમાવેશ થાય છે.  &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;આયોજકોનો અભિગમઃ&lt;/b&gt; ‘સેતાનિક વર્સીસ’માંથી પઠન કરતાં આયોજકોની સ્થિતિ કફોડી થઇ. એક તરફ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો અધિકાર અને બીજી તરફ આયોજનને પાર ઉતારવાનો તકાદો. આયોજકોમાંના એક વિલિયમ ડેર્લિમ્પિલે ખુલાસો કરતાં કહ્યુંઃ ‘એક જૂના કાયદા પ્રમાણે પ્રતિબંધિત પુસ્તકનું જાહેર પઠન કરવું એ પણ સજાપાત્ર ગુનો છે, તેની ચારે જણને ખબર નહીં હોય. પણ તેમણે એટલું સારું કર્યું કે ‘આ પઠન તેમણે પોતાની મુન્સફીથી કર્યું છે. સમારંભના આયોજકોને તેની સાથે કશી લેવાદેવા નથી’ એવું લેખિત નિવેદન તેમણે અમને કરી આપ્યું. તેનાથી પહેલા જ દિવસે આયોજન સમેટી લેવું ન પડ્યું અને સમારંભ ચાલુ રહી શક્યો.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વિલિયમે ત્યારે એવું આશ્વાસન લીઘું અને આપ્યું હતું કે ‘અમે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણ કરીએ છીએ. સલમાન રશદી સાથે અમે વિડીયો કોન્ફરન્સ કરીશું. જે થયું તેનો વિરોધ પણ કરીશું. છતાં વિરોધ કાયદાની હદમાં રહીને કરવો પડે.’ પરંતુ ખરો ખેલ ત્યારે થયો, જ્યારે  રશદી સાથે વિડીયો વાર્તાલાપનો વિચાર પણ પડતો મૂકવો પડ્યો. ભારે દબાણ હેઠળ યજમાને જાહેર કર્યું કે સમારંભમાં હાજર સૌની સલામતીને ઘ્યાનમાં રાખતાં અને વ્યાપક હિતમાં રશદી સાથે વિડીયો વાર્તાલાપ રદ  કરવામાં આવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;દિગ્ગી પેલેસના માલિક એવા યજમાનને તેમના આંગણે તોફાન ન થાય એની ચિંતા અથવા સત્તાધીશોને નારાજ ન કરી શકવાનું રાજકીય દબાણ હોય, આયોજકોને વ્યવહારિયા રસ્તા કાઢીને સમારંભ હેમખેમ પૂરો કરવાની તાલાવેલી હોય, પણ વિરોધ કરનાર ચાર લેખકોનું  શું? એ તો વિરોધ કરવા માટે જ ઊભા થયા હતા. દલીલ ખાતર માની લઇએ કે ‘સેતાનિક વર્સીસ’માંથી જાહેર પઠન કરવામાં કાયદાનો ભંગ થતો હોય તો પણ, એ પગલું તેમણે વ્યાપક લોકશાહી અધિકારો પર ભાર મૂકવા અને તેના હનન પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ભર્યું હતું. થોડી વઘુ હિંમત કરીને તેમણે ધરપકડ વહોરી હોત તો? આયોજકોનું કદાચ ખરાબ દેખાત, પણ ચાર જણનું વિરોધ પ્રદર્શન સાર્થક બની રહેત. એટલું જ નહીં, તેમના જેલવાસને કારણે સરકારી સકંજા તળે થતી રૂંધામણનો મુદ્દો ગાજતો થયો હોત. દેશવિદેશના આટલા લેખકો હાજર હોય ત્યારે સેન્સરશીપના ભંગ બદલ ચાર લેખકોની ધરપકડ કરવાથી દંભી સરકારને નીચાજોણું થયું હોત અને દબાણ આયોજકોને બદલે સરકાર પર આવત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કાનૂની અભિપ્રાય અને સારઃ&lt;/b&gt;  કેટલાક પાયાદાર કાનૂની અભિપ્રાયોમાં એવું જણાવાયું છે કે ‘સેતાનિક વર્સીસ’નું ભારતમાં પ્રકાશન કરાયું ન હતું. એ ફક્ત બ્રિટનમાં પ્રકાશિત થઇ હતી. એટલે એ સમયે તેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટૂંકમાં, જે પ્રતિબંધ છે તે આયાત પરનો છે. ત્યાર પહેલાં ભારત આવી ગયેલી નકલ રાખવા કે વાંચવામાં કશો ગુનો બનતો નથી. ઇ.સ. (ઇન્ટરનેટ સન) પૂર્વેનો આ પ્રતિબંધ હવે બેમતલબ બની ગયો છે. કારણ કે ઇ-બુક તરીકે ‘સેતાનિક વર્સીસ’ સહેલાઇથી મેળવી શકાય છે. આ અભિપ્રાયને કલમોની આંટીધૂંટી વડે પડકારી શકાય એ જુદી વાત છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;માઇલેજ ખાટવામાં મહારથી લેખક ચેતન ભગત સહિત કેટલાક લોકોએ રશદી પ્રત્યે આદર રાખીને પણ એવો મત પ્રગટ કર્યો કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કોઇની લાગણી દુભાવી ન શકાય. આ મુદ્દે ચર્ચામાં ઉતરવાથી વાત આડા પાટે ફંટાય છે. કારણ કે જયપુરનો મૂળ વિવાદ ‘સેતાનિક વર્સીસ’ વિશેનો નહીં, તેના લેખકને આખેઆખો પ્રતિબંધિત કરવાનો છે. લેખક રૂબરૂ પણ નહીં ને તેની સાથે વિડીયો ચેટ પણ નહીં, એવા પ્રતિબંધથી જ કોઇની લાગણી સંતોષાતી હોય તો એ લાગણીની કિંમત કેટલી? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પ્રતિબંધોનો ગુજરાતને પણ સારો એવો અનુભવ છે. જસવંતસિંઘે લખેલા પુસ્તકમાં સરદારના ઉલ્લેખોને લઇને (વાંચ્યા વિના) મૂકાયેલો પ્રતિબંધ હોય કે ‘પરઝાનિયા’ સામેનો અઘોષિત પ્રતિબંધ- સરકારનો દંડો એકસરખી રીતે જ ચાલે છે. એ મુદ્દે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અને ગજું ધરાવતા સાહિત્ય સમારંભો પણ ‘ધંધો પહેલો’ અથવા ‘કાર્યક્રમની સફળતા વધારે અગત્યની છે’ એવી નીતિ અપનાવશે, તો બે-ચાર નિવેદનો કે ઓનલાઇન પીટીશનથી સરકારો શરમાય કે સુધરે એવી અપેક્ષા રાખી શકાય નહીં. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-1608610513063984756?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/1608610513063984756/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_31.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1608610513063984756'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1608610513063984756'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_31.html' title='રશદી-વિરોધનું બેશરમ ફારસ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-8041531742836184177</id><published>2012-01-30T22:10:00.004+05:30</published><updated>2012-01-30T22:27:29.594+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Gandhi/ગાંધી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Gujarati literature/ગુજરાતી સાહિત્ય'/><title type='text'>‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’ : તોલ્સ્તોયની વાર્તા, ગાંધીજીનો અનુવાદઃ ૧૦૦ વર્ષ પછી</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-h1jnAmEnB5I/TybL72mmEDI/AAAAAAAADOc/JuabAXsKM3E/s1600/title.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 204px; height: 320px;" src="http://2.bp.blogspot.com/-h1jnAmEnB5I/TybL72mmEDI/AAAAAAAADOc/JuabAXsKM3E/s320/title.jpg" border="0" alt="" id="BLOGGER_PHOTO_ID_5703470207241424946" /&gt;&lt;/a&gt;&lt;div&gt;વિજ્ઞાનકથાઓ-સાયન્સ ફિક્શનમાં લખાયેલી કલ્પના વર્ષો પછી સાકાર થાય ત્યારે કેવો રોમાંચ થાય? ભવિષ્યના આગોતરા  વિશ્વદર્શનની એવી લાગણી, જરા જુદી રીતે, તોલ્સ્તોયે લખેલી ‘ધ સ્ટોરી ઓફ ઇવાન ધ ફૂલ’/ The Story Of Ivan The Fool માં થઇ શકે છે. ઘડતરકાળમાંથી પસાર થઇ રહેલા ગાંધીજીને તે એટલી પસંદ-અનુકૂળ પડી કે તેમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો. નામ આપ્યું:‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ઓક્ટોબર ૭, ૧૯૧૧ના અંકમાં ગાંધીજીની પ્રસ્તાવના સાથે એ કથાનો પહેલો હપ્તો છપાયો અને છેલ્લો, તેરમો હપ્તો ૩૦ ડિસેમ્બર, ૧૯૧૧ના ‘ઓપિનિયન’માં.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં ‘તોલ્સ્તોય આશ્રમ’ સ્થાપી ચૂક્યા હતા. તોલ્સ્તોય/ Leo Tolstoy જેના લેખક તરીકે જગમશહૂર બન્યા તે ‘વોર એન્ડ પીસ’ અને ‘અન્ના કેરેનીના’ જેવી નવલકથાઓ વાંચવાની ત્યારે ગાંધીજીની વૃત્તિ ન હતી. તેમને તોલ્સ્તોયના ધર્મચિંતન અને સમાજચિંતનમાં ઊંડો રસ પડ્યો. સવિનય કાનૂનભંગ, સત્યાગ્રહ, સર્વોદય અને શરીરશ્રમ-મહેનતનો રોટલો (બ્રેડલેબર) જેવા વિચારો અંગે તેમના મનમાં નવો ઉઘાડ થયો હતો. અમલના અખતરા ચાલુ હતા.  ‘મૂરખરાજ’ એ જ દિશા ચીંધતી અને એ આદર્શોને ઉજાગર કરતી કથા હતી. તેના પહેલા પ્રકરણ સાથે આપેલી ‘પ્રસ્તાવના’માં ગાંધીજીએ ખુલાસો કર્યો હતો કે ‘અમે વાતનો શબ્દાર્થ તરજુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;તોલ્સ્તોયે આ કથા ઇ.સ.૧૮૮૫માં લખી ત્યારે વિશ્વયુદ્ધ થયાં ન હતાં. અમેરિકા સુપરપાવર બન્યું ન હતું. કોર્પોરેટ કલ્ચરનો અને ઉપભોક્તાવાદનો સકંજો ભીડાયો ન હતો. મોટા ભાગના દેશો માટે લોકશાહી બહુ દૂરની વાત હતી. પરંતુ તોલ્સ્તોયે સાહિત્યની દૃષ્ટિએ જોતાં જાડી-ઉપદેશાત્મક લાગે એવી આ વાર્તામાં કેટલાંક એવાં પ્રતીક-રૂપક-પ્રસંગ મૂક્યાં, જે સવા સદી પછી પણ લાગુ પાડી શકાય. બલ્કે, વાંચતી વખતે એવું લાગે કે ‘આવું બનવાનું છે એની તોલ્સ્તોયને શી રીતે ખબર પડી?’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વાતના કેન્દ્રમાં ત્રણ ભાઇઓ ને એક બહેન છેઃ ઇવાન ધ ફૂલ, સાઇમન ધ સોલ્જર, તારાસ ધ સ્ટાઉટ અને મૂંગી બહેન માર્થા. ગુજરાતી અનુવાદમાં ‘રશિયન નામઠામ વાંચતાં વાતનો રસ ઘટે એમ ધારી’ હિંદી નામ રાખવામાં આવ્યાંઃ મૂરખરાજ, સમશેરબહાદુર, ધન્વંતરિ અને બહેન મોંઘી. સમશેરબહાદુર રાજાઓની નોકરી કરતો યુદ્ધપ્રિય સિપાઇ, ધન્વંતરિ વેપારી અને મૂરખરાજ ખેતરમાં મહેનતમજૂરી કરીને વૃદ્ધ માતા-પિતા અને બહેનનું ઘ્યાન રાખનારો. &lt;/div&gt;&lt;div&gt; ચારે ભાઇબહેન વચ્ચે બાપીકી મિલકતના ભાગ પડ્યા ત્યારે બે ભાઇઓ બઘું લઇ ગયા ને મૂરખરાજના ભાગે એક ઘરડી ઘોડી સિવાય કંઇ ન આવ્યું. ત્યાંથી કથાની શરૂઆત થાય છે. બાઇબલની પરંપરા પ્રમાણે, કથામાં એક શેતાન અને તેના ત્રણ વેંતિયા-પૂંછડીયા ગુલામ વિલન છે. મિલકતની અસમાન વહેંચણી વખતે મૂરખરાજ વાંધો લેતો નથી, એટલે ત્રણે ભાઇઓ વચ્ચે ઝઘડો થતો નથી. તેનાથી દુઃખી થઇને સેતાન ત્રણે ગુલામોને એક-એક ભાઇ પાસે મોકલી આપે છેઃ તેમને અવળા રસ્તે દોરીને પાયમાલ કરવા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બાકીના બે ભાઇઓમાં સેતાન સફળ થાય છે, પણ મૂરખરાજ કોઇ પણ સંજોગોમાં, ગમે તેટલું કઠણ કામ,હિંમત હાર્યા વિના કરવામાં માને છે. કોઇ પોતાનું કામ બગાડે તો પણ ચિઢાયા વગર, એ કામ આગળ વધારે છે- બમણી મહેનત કરે છે. એટલે દુનિયાદારીની રીતે એ ‘મૂરખ’ છે, પણ કાવતરાબાજ સેતાનના ગુલામો તેની ‘મૂર્ખામી’ સામે થાકીને હારી જાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ત્રણે ગુલામો મૂરખરાજને એક-એક વરદાન આપીને પોતાનો જીવ બચાવે છે. એક વરદાન છેઃ ‘તમે ચાહો તેમાંથી સિપાઇ પેદા કરી શકો.’ બીજું વરદાન છેઃ વૃક્ષનાં પાંદડાં હાથમાં ચોળતાં સોનું બની જશે.  &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મૂરખરાજને હડઘૂત કરતા બન્ને ભાઇઓ વરદાન વિશે જાણીને ફરી તેની પાસે આવે છે. સમશેરબહાદુર સિપાઇઓનું લશ્કર લઇને રાજ્ય જીતવા ને ધન્વંતરિ સોનું લઇને વેપાર કરવા ઉપડી જાય છે, પણ મૂરખરાજ ખેતરનું કામ-શ્રમનું જીવન-અંગમહેનત-બ્રેડલેબર ચાલુ રાખે છે. ત્રીજા વરદાનથી તે માંદાને સાજા કરવાની શક્તિ ધરાવે છે. તેનાથી રાજકુમારીને સાજી કરી દેતાં રાજા મૂરખને પોતાની કુંવરી સાથે પરણાવે છે. રાજાના મૃત્યુ પછી તે રાજા-મૂરખરાજ - બને છે, પણ ખેતીનું કામ ચાલુ રાખે છે. લોકો કહે છે ‘રાજાથી કામ ન થાય.’ ત્યારે મૂરખરાજ પૂછે છે,‘શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?’ જે ખાય તે સૌ શરીરશ્રમનું કામ કરે એવી પ્રતીતિ ધરાવતા ગાંધીજીને મૂરખરાજ સાથે કેવી એકાત્મતા લાગી હશે એ ધારી શકાય. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સિપાઇઓના અને સોનાના જોરે સુખી થયેલા સમશેરબહાદુર -ધન્વંતરિ પાસે ખુદ સેતાન વેશ બદલીને પહોંચે છે. પહેલાં તે સમશેરબહાદુરનો સેનાપતિ બનીને તેને યુદ્ધના અને વઘુ સંહારક શસ્ત્રોના માર્ગે ચઢાવે છે. તેનું જોઇને બીજા રાજાઓ પણ વિનાશક શસ્ત્રોની હરીફાઇમાં ઉતરે છે.  વિમાન શોધાયાં ન હતાં ત્યારે તોલ્સ્તોયે આ કથામાં ‘સેતાની કારનામા’ તરીકે શત્રુઓ પર દારૂગોળો વરસાવી શકે એવાં હવાઇ જહાજોની કલ્પના કરી હતી. વીસમી સદીની મહાસત્તાઓનું અને ‘પ્રગતિશીલ’ કહેવાતા દેશોનું આ પ્રમુખ લક્ષણ રહ્યું છેઃ જેની પાસે વિનાશકારી શસ્ત્રોનો ખજાનો મોટો, તેનો મોભો વધારે મોટો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;રૂપિયાના જોરે રાજ ચલાવતા ધન્વંતરિ પાસે સેતાન, મસમોટી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિની યાદ અપાવે એવો વેપારી બનીને, પહોંચે છે. બજારભાવ કરતાં ઊંચા ભાવે એ બધો માલ ખરીદે. એટલે લોકો એને ત્યાં માલ વેચે ને રાજ્યમાં કર ભરે.  રાજ્યમાં થતી આવકથી ધન્વંતરિ હરખાય અને વેપારીથી પોતાને કેટલો ફાયદો થાય છે તેની ગણતરીમાં રાચે. પણ વખત જતાં રાજ્યમાં કામ કરનારા બધા સેતાનના નોકર થઇ જાય છે. રાજ્યનો રાજા ભલે ધન્વંતરિ હોય, પણ અસલી રાજ સેતાનનું ચાલે છે. માણસ કે કે ચીજવસ્તુ જોઇતી હોય તો રાજાને પણ સેતાનની દયા પર નભવું પડે છે. (આ વાંચીને મોટી કંપનીઓ અને રાજનેતાઓ વચ્ચેના સંબંધો યાદ ન આવે તો જ નવાઇ.)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બે ભાઇઓ પાસે સફળ થયેલો સેતાન મૂરખરાજ પાસે ફાવતો નથી. મૂરખરાજનો સેનાપતિ બનીને તે લોકોને લશ્કરમાં ફરજિયાત ભરતી થવાનું કહે છે, પણ લોકો ઇન્કાર કરે છે. મૂરખરાજ સમક્ષ તે ફરિયાદ કરવા જાય છે ત્યારે મૂરખરાજ તેમને કહી દે છે કે ‘સેનાપતિનું બોલવું હું પોતે સમજતો નથી. એટલે તમારે સૈન્યમાં દાખલ ન થવું હોય તો ન થજો.’ સવિનય અવજ્ઞાનો- પોતાને અનૈતિક લાગે એવા આદેશની પૂરા આદર સાથે અવગણના કરવાનો- આ બોધપાઠ છે, જે એકાદ દાયકા પછી ગાંધીજી ભારતની પ્રજાને આપવાના છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સેતાન પાડોશી રાજાને ઉશ્કેરીને મૂરખરાજના રાજ્ય પર ચડાઇ કરાવે છે. સિપાઇઓ લૂંટફાટ કરે છે ત્યારે મૂરખરાજની પ્રજા સામે થવાને બદલે તેમને કહે છે, ‘તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઇ જાવ. તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને જ વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ નહીં પડે.’ ભારતમાં થયેલા સત્યાગ્રહો અને ચળવળોમાં ગાંધીજીએ આ પ્રકારનું મનોબળ પ્રજામાં કેળવાય એવું ઇચ્છ્‌યું હતું. તેમને એવો વિશ્વાસ હતો કે એમ કરવાથી વહેલામોડા સામેના માણસનું હૃદયપરિવર્તન થયા વિના ન રહે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘મૂરખરાજ’ વાર્તામાં પોતે લડવા આવ્યા છે ને કોઇ લડનાર નથી તે જાણીને સિપાઇઓ નિરાશ થાય છે. રાજાના હુકમથી તે ઘર અને દાણા બાળવા જાય છે તો ખરા, પણ ‘જોઇએ તો લઇ જાવ. નકામું નુકસાન શા માટે કરો છો?’ એવી લોકોની દલીલ સામે તે પીગળી જાય છે અને રાજાની નોકરી છોડી દે છે. એ વાંચતી વખતે, સત્યાગ્રહ વખતે અંગ્રેજ સરકારની નોકરીમાંથી રાજીનામાં આપનારા તલાટી-મુખીઓ-બીજા હોદ્દેદારોની યાદ તાજી થાય છે.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ઘૂંધવાયેલો સેતાન મૂરખરાજની પ્રજાને ‘તમે ઢોરની માફક રહેતા જણાઓ છો. માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું.’ એમ કહીને  ઉપભોક્તાવાદના રવાડે ચડાવવા પ્રયાસ કરે છે. તેના માટે પોતે, ઉદાર શરતે લોન કે ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડની જેમ, મહેનતાણામાં સોનામહોરોની લાલચ આપે છે. પણ મૂરખરાજના રાજ્યમાં નાણાંનું ચલણ નથી. લોકો એકબીજાની જરૂરિયાતની ચીજવસ્તુઓનું સાટું કરીને જીવન વીતાવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મૂરખરાજને ઘેર સેતાન સહિત સૌ કોઇ માટે મફત ભોજનની વ્યવસ્થા છે, પણ બહેન મોંઘીનો નિયમ છેઃ  જેના હાથ પર કોદાળીનાં આંટણ પડ્યાં હોય તેમને પહેલાં જમવાનું આપવાનું અને આંટણ ન હોય એવા આળસુઓને પછી. ત્યાં સેતાન એવી દલીલ કરે છે કે ‘અક્કલવાન માણસોએ મજૂરી કરવાની ન હોય.’ મૂરખરાજને તે કહે છે કે ‘હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઇ જાય છે.’ મૂરખરાજ ભોળપણથી કહે છે, ‘સારું. હાથપગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરીશું. અમને મગજથી કામ કરતાં શીખવ.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મૂરખરાજ સેતાનને ગામના ઊંચા મિનારા પર મોકલે છે, જ્યાંથી તે પોતાની વાત સમજાવી શકે. સેતાનને લાગે છે કે તેને પોતાનો પ્રચાર કરવાની તક મળી. તે બુદ્ધિનો મહિમા કરતી ભાષણબાજી ચાલુ કરી, પણ લોકોને તેમાં રસ નથી. કારણ કે તેમાં કશું ‘કામ’ દેખાતું નથી. બૂમો પાડીને સેતાન થાકે છે. મિનારાની ટોચે ખાવા-પીવાની પણ વ્યવસ્થા  નથી. કારણ કે ફક્ત મગજથી કામ કરી જાણતો સેતાન મગજના જોરે ખાવાનો બંદોબસ્ત કરી લેશે એવું માની લેવાય છે.આખરે સેતાન હારે છે ને નાસી જાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વાર્તાના અંતમાં તોલ્સ્તોય લખે છેઃ ‘ઇવાન હજુ જીવે છે. તેના રાજ્યમાં લોકો ઉમટે છે. તેના ભાઇઓ પણ આવ્યા છે. એમને તે જમાડે છે. જે લોકો ભોજન માગતા આવે એ સૌને ઇવાન આવકારીને કહે છે, અમારી પાસે બધાને થાય એટલું છે.’ અલબત્ત, એક નિયમ તેના રાજમાં અફર છેઃ જેના હાથમાં મહેનતને કારણે આંટણ પડ્યાં હોય એવા લોકોને ભોજનના ટેબલ પર બેસાડવામાં આવે છે અને જેમની હથેળી સુંવાળી હોય તેમને વધેલાઘટેલા ભોજનથી ચલાવી લેવું પડે છે.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધીજી પોતાની રીતે વાર્તાનો અંત કરતાં લખે છેઃ ‘મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઇ તેને શરણ આવ્યા. તેઓ મૂરખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ એવી સાદાઇ પકડી. તે સહુ નીતિધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગમહેનત કરી, સુખેથી કાળ ગુજારવા લાગ્યા.’&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પહેલી વાર ૧૯૬૪માં ‘નવજીવન’ દ્વારા પ્રકાશિત થયેલી આ બાળવાર્તા જેવી લાગતી પુસ્તિકા બે વર્ષ પહેલાં પુનઃમુદ્રિત થઇને ઉપલબ્ધ બની છે. તે વાંચવી-સમજવી એ પણ ગાંધીજીને યાદ કરવાની-તેમને અંજલિ આપવાની એક રીત છે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-8041531742836184177?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/8041531742836184177/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_30.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/8041531742836184177'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/8041531742836184177'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_30.html' title='‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’ : તોલ્સ્તોયની વાર્તા, ગાંધીજીનો અનુવાદઃ ૧૦૦ વર્ષ પછી'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-h1jnAmEnB5I/TybL72mmEDI/AAAAAAAADOc/JuabAXsKM3E/s72-c/title.jpg' height='72' width='72'/><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-2501449730089167193</id><published>2012-01-28T21:29:00.001+05:30</published><updated>2012-01-28T21:29:10.853+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='film/ફિલ્મ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='cartoon'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='award/એવોર્ડ'/><title type='text'>મારિઓ મિરાન્ડાની 'યાદેં'</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થતાં સન્માનોમા સદગત કાર્ટૂનિસ્ટ મારિઓ મિરાન્ડા/Mario Mirandaને પદ્મવિભૂષણ મળ્યો. મૃત વ્યક્તિને એવોર્ડ આપવાનો શો અર્થ છે એ મને સમજાતું નથી. એટલે જ, મારિઓ જેવા પ્રિય કલાકારનું સન્માન થવા છતાં, એ મરણોત્તર થયાથી તેનો ખાસ-થવો જોઇએ એટલો- આનંદ ન થયો.&amp;nbsp;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;મારિઓના મૃત્યુ પછી તેમનું વૈવિધ્યપૂર્ણ કામ યાદ કરીને આ બ્લોગ પર તેમને વિગતવાર અંજલિ આપી હતી. એ વખતે તેમાં એક વાત બાકી રહી ગઇ હતીઃ સુનિલ દત્ત/Sunil Duttની એકપાત્રી ફિલ્મ 'યાદેં'/Yaadeinમાં મારિઓનું પ્રદાન. 'વાગલેકી દુનિયા' કે 'આર.કે.લક્ષ્મણકી દુનિયા'ના દાયકાઓ પહેલાં 1964માં સુનિલ દત્તે મારિઓનાં કાર્ટૂનના પિક્ચરાઇઝેશનનો નવતર પ્રયોગ કર્યો હતો. મારિઓનાં કાર્ટૂનને તેમણે સંગીત અને સંવાદો વડે જીવંત બનાવીને એક નવું જ પરિમાણ આપ્યું હતું.&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&amp;nbsp;'યાદેં'ની સીડી લેખક-અધ્યાપક મિત્ર કાર્તિકેય ભટ્ટ પાસેથી મળતાં, મારિઓનાં કાર્ટૂનના સુનિલ દત્તે કરેલા પિક્ચરાઇઝેશનની કેટલીક તસવીરો અને નીચે તેની વિડીયો લિન્ક મૂકી છે. 'રસ ધરાવતી પાર્ટીઓ' તસવીરોની સાથે વિડીયો પણ ખાસ જુએ, તો કાર્ટૂનનો આ રીતે પણ ઉપયોગ થઇ શકે તેનો અંદાજ આવશે.&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;મારિઓ-ચિત્રીત પાત્રસૃષ્ટિ વચ્ચે 'યાદેં'નો એકમાત્ર અભિનેતા સુનિલ દત્ત&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-e8t8aj5F058/TyQSR_0AqvI/AAAAAAAADLM/6I5zjpKeHDE/s1600/vlcsnap-2012-01-23-23h11m42s126.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://1.bp.blogspot.com/-e8t8aj5F058/TyQSR_0AqvI/AAAAAAAADLM/6I5zjpKeHDE/s400/vlcsnap-2012-01-23-23h11m42s126.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;'યાદેં'ના ટાઇટલમાં આવતી મારિઓની ક્રેડિટ લાઇન&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-RKIrYdUooxc/TyQSUbeZeWI/AAAAAAAADLU/49Gyf6gTNRA/s1600/vlcsnap-2012-01-23-22h50m04s203.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://4.bp.blogspot.com/-RKIrYdUooxc/TyQSUbeZeWI/AAAAAAAADLU/49Gyf6gTNRA/s400/vlcsnap-2012-01-23-22h50m04s203.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-coQOoHHkEOI/TyQSWzfBHqI/AAAAAAAADLc/LCMV6otLv3Q/s1600/vlcsnap-2012-01-23-23h07m36s228.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-coQOoHHkEOI/TyQSWzfBHqI/AAAAAAAADLc/LCMV6otLv3Q/s400/vlcsnap-2012-01-23-23h07m36s228.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/--OkOF7fCIVw/TyQSYXOD1FI/AAAAAAAADLk/uRPRBHFdvM4/s1600/vlcsnap-2012-01-23-23h07m48s96.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://2.bp.blogspot.com/--OkOF7fCIVw/TyQSYXOD1FI/AAAAAAAADLk/uRPRBHFdvM4/s400/vlcsnap-2012-01-23-23h07m48s96.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-0twMuuo8tJQ/TyQSaTtd1TI/AAAAAAAADLs/HLRgiBBzttQ/s1600/vlcsnap-2012-01-23-23h08m39s88.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://4.bp.blogspot.com/-0twMuuo8tJQ/TyQSaTtd1TI/AAAAAAAADLs/HLRgiBBzttQ/s400/vlcsnap-2012-01-23-23h08m39s88.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-QKUO0siU15s/TyQSjl2KJ6I/AAAAAAAADMM/oaUMuQs5ijs/s1600/vlcsnap-2012-01-23-23h09m40s192.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://4.bp.blogspot.com/-QKUO0siU15s/TyQSjl2KJ6I/AAAAAAAADMM/oaUMuQs5ijs/s400/vlcsnap-2012-01-23-23h09m40s192.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-bpYXLMBe3ck/TyQSrtHkRPI/AAAAAAAADMs/8j1VskCfklQ/s1600/vlcsnap-2012-01-23-23h09m51s47.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-bpYXLMBe3ck/TyQSrtHkRPI/AAAAAAAADMs/8j1VskCfklQ/s400/vlcsnap-2012-01-23-23h09m51s47.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-IPLPgqZLXro/TyQSuVhoYJI/AAAAAAAADM8/JOD4u4s4w_Y/s1600/vlcsnap-2012-01-23-23h09m57s100.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://1.bp.blogspot.com/-IPLPgqZLXro/TyQSuVhoYJI/AAAAAAAADM8/JOD4u4s4w_Y/s400/vlcsnap-2012-01-23-23h09m57s100.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;આ કાર્ટૂનો સાથે યથાયોગ્ય મસ્તીભર્યા સંવાદ પણ મૂકવામાં આવ્યા છે. જેમ કેઃ 'પેરીન ડાર્લિંગ, તારો ફેસ કાં છે? મને દેખતો નથી.' 'મરે રે રુસ્તમ. એમ સું કરેચ? તારી ડારીની નીચે તો છે.'&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-iwN4Dx0NWbc/TyQSzB9gT1I/AAAAAAAADNc/NeGpeHTtqWo/s1600/vlcsnap-2012-01-23-23h10m39s15.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-iwN4Dx0NWbc/TyQSzB9gT1I/AAAAAAAADNc/NeGpeHTtqWo/s400/vlcsnap-2012-01-23-23h10m39s15.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-e8osiJvQDSU/TyQS0vWDW_I/AAAAAAAADNk/i-enZIVwtzI/s1600/vlcsnap-2012-01-23-23h10m47s92.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-e8osiJvQDSU/TyQS0vWDW_I/AAAAAAAADNk/i-enZIVwtzI/s400/vlcsnap-2012-01-23-23h10m47s92.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-6v4attP2ReU/TyQTijE5HoI/AAAAAAAADN0/mqlrIAcVdhY/s1600/vlcsnap-2012-01-23-23h11m14s102.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-6v4attP2ReU/TyQTijE5HoI/AAAAAAAADN0/mqlrIAcVdhY/s400/vlcsnap-2012-01-23-23h11m14s102.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-VTUZNskCxiI/TyQTkJwzHmI/AAAAAAAADN8/w5T61L5UCBs/s1600/vlcsnap-2012-01-23-23h11m20s166.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-VTUZNskCxiI/TyQTkJwzHmI/AAAAAAAADN8/w5T61L5UCBs/s400/vlcsnap-2012-01-23-23h11m20s166.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-qop_2ge_fWc/TyQTlRM6AvI/AAAAAAAADOE/d4oIGxh837k/s1600/vlcsnap-2012-01-23-23h11m24s208.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://4.bp.blogspot.com/-qop_2ge_fWc/TyQTlRM6AvI/AAAAAAAADOE/d4oIGxh837k/s400/vlcsnap-2012-01-23-23h11m24s208.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-XgF5J09OiRw/TyQThr21EsI/AAAAAAAADNs/GlW0_c8C31E/s1600/vlcsnap-2012-01-23-23h11m01s231.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://1.bp.blogspot.com/-XgF5J09OiRw/TyQThr21EsI/AAAAAAAADNs/GlW0_c8C31E/s400/vlcsnap-2012-01-23-23h11m01s231.png" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;અને મારિઓના કાર્ટૂનના વિશિષ્ટ ઉપયોગની મઝા કરાવતી બે વિડીયો લિન્ક&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;object width="320" height="266" class="BLOG_video_class" id="BLOG_video-993ab6fbe1ee01e0" classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"&gt;&lt;param name="movie" value="http://www.youtube.com/get_player"&gt;&lt;param name="bgcolor" value="#FFFFFF"&gt;&lt;param name="allowfullscreen" value="true"&gt;&lt;param name="flashvars" value="flvurl=http://v16.nonxt2.googlevideo.com/videoplayback?id%3D993ab6fbe1ee01e0%26itag%3D5%26app%3Dblogger%26ip%3D0.0.0.0%26ipbits%3D0%26expire%3D1331780820%26sparams%3Did,itag,ip,ipbits,expire%26signature%3D7FED9FBC4B46CF741FD6F1295224C517C054E7F7.66A87AD17368C029582EF139E4E1A09499565177%26key%3Dck1&amp;amp;iurl=http://video.google.com/ThumbnailServer2?app%3Dblogger%26contentid%3D993ab6fbe1ee01e0%26offsetms%3D5000%26itag%3Dw160%26sigh%3Dar6puP6TYZB_AcpmiLALqIz19YA&amp;amp;autoplay=0&amp;amp;ps=blogger"&gt;&lt;embed src="http://www.youtube.com/get_player" type="application/x-shockwave-flash"width="320" height="266" bgcolor="#FFFFFF"flashvars="flvurl=http://v16.nonxt2.googlevideo.com/videoplayback?id%3D993ab6fbe1ee01e0%26itag%3D5%26app%3Dblogger%26ip%3D0.0.0.0%26ipbits%3D0%26expire%3D1331780820%26sparams%3Did,itag,ip,ipbits,expire%26signature%3D7FED9FBC4B46CF741FD6F1295224C517C054E7F7.66A87AD17368C029582EF139E4E1A09499565177%26key%3Dck1&amp;iurl=http://video.google.com/ThumbnailServer2?app%3Dblogger%26contentid%3D993ab6fbe1ee01e0%26offsetms%3D5000%26itag%3Dw160%26sigh%3Dar6puP6TYZB_AcpmiLALqIz19YA&amp;autoplay=0&amp;ps=blogger"allowFullScreen="true" /&gt;&lt;/object&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;object width="320" height="266" class="BLOG_video_class" id="BLOG_video-3c0c5ba6fcf70dc6" classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"&gt;&lt;param name="movie" value="http://www.youtube.com/get_player"&gt;&lt;param name="bgcolor" value="#FFFFFF"&gt;&lt;param name="allowfullscreen" value="true"&gt;&lt;param name="flashvars" value="flvurl=http://v11.nonxt1.googlevideo.com/videoplayback?id%3D3c0c5ba6fcf70dc6%26itag%3D5%26app%3Dblogger%26ip%3D0.0.0.0%26ipbits%3D0%26expire%3D1331780820%26sparams%3Did,itag,ip,ipbits,expire%26signature%3D48FE7B848174B606B12DF9EDD134A1722902E2F7.3CCC8EEEC1556D9E4C7D02CEAA0D2011D55ECF3E%26key%3Dck1&amp;amp;iurl=http://video.google.com/ThumbnailServer2?app%3Dblogger%26contentid%3D3c0c5ba6fcf70dc6%26offsetms%3D5000%26itag%3Dw160%26sigh%3Decl4lSKecawb6wV7SYQIO6b3WTk&amp;amp;autoplay=0&amp;amp;ps=blogger"&gt;&lt;embed src="http://www.youtube.com/get_player" type="application/x-shockwave-flash"width="320" height="266" bgcolor="#FFFFFF"flashvars="flvurl=http://v11.nonxt1.googlevideo.com/videoplayback?id%3D3c0c5ba6fcf70dc6%26itag%3D5%26app%3Dblogger%26ip%3D0.0.0.0%26ipbits%3D0%26expire%3D1331780820%26sparams%3Did,itag,ip,ipbits,expire%26signature%3D48FE7B848174B606B12DF9EDD134A1722902E2F7.3CCC8EEEC1556D9E4C7D02CEAA0D2011D55ECF3E%26key%3Dck1&amp;iurl=http://video.google.com/ThumbnailServer2?app%3Dblogger%26contentid%3D3c0c5ba6fcf70dc6%26offsetms%3D5000%26itag%3Dw160%26sigh%3Decl4lSKecawb6wV7SYQIO6b3WTk&amp;autoplay=0&amp;ps=blogger"allowFullScreen="true" /&gt;&lt;/object&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-2501449730089167193?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/2501449730089167193/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_28.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/2501449730089167193'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/2501449730089167193'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_28.html' title='મારિઓ મિરાન્ડાની &apos;યાદેં&apos;'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-e8t8aj5F058/TyQSR_0AqvI/AAAAAAAADLM/6I5zjpKeHDE/s72-c/vlcsnap-2012-01-23-23h11m42s126.png' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-590116649606224327</id><published>2012-01-26T12:00:00.005+05:30</published><updated>2012-01-26T12:15:27.428+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Sardar Patel/સરદાર પટેલ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Nehru'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='dr.ambedkar'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Gandhi/ગાંધી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપ</title><content type='html'>&lt;div&gt;ભારતવર્ષમાં માણસ કરતાં પૂતળાં વધારે પૂજાય છે. કારણ કે પૂતળાં ઉપદેશ આપતાં નથી, પૂતળાં સવાલ પૂછતાં નથી, પૂતળાં જવાબ માગતાં નથી, પૂતળાં સામે બોલતાં નથી, પૂતળાં બે આંખની શરમ ભરાવતાં નથી, પૂતળાં નાસીને ક્યાંય જઇ શકતાં નથી (સિવાય કે તેમને સરકારી રાહે ઉપાડીને બીજે ખસેડવામાં આવે), પૂતળાં ચાહે તો પણ છુપાઇ કે સંતાઇ શકતાં નથી (સિવાય કે ચૂંટણીપંચ ચૂંટણી ટાણે તેમની પર ઢાંકપિછોડો કરીને તેમને અદૃશ્ય બનાવી દે). ભાવુક લોકો કહે છે કે મહાપુરૂષો અને મહાસ્ત્રીઓનાં પૂતળાં આવનારી પેઢીને પ્રેરણા આપે છે. સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ટાઢ-તડકો-વરસાદ-ફૂલના, સુતરના અને જૂતાંના હારતોરા- જૂઠાં આદરમાન આ બઘું ચૂપચાપ અને સમાન ભાવે સહન કરતાં પૂતળાં ટેકનોલોજીની કોઇ તરકીબથી મોબાઇલ વાપરતાં થઇ જાય અને જીવંત મનુષ્યો સાથે ભલે નહીં, પણ એકમેક સાથે વાત કરી શકે-એકમેકની વાત સાંભળી શકે (કોન્ફરન્સિંગ કરી શકે) તો? &lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;***&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ગાંધીજીઃ&lt;/b&gt; (હાથમાં પકડેલી લાકડી નીચે મૂકતાં) હાશ..&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સરદારઃ&lt;/b&gt; શું થયું બાપુ? ફોન પર કેમ હાશકારો નીકળી ગયો?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ગાંધીજીઃ&lt;/b&gt; વર્ષોથી મને લાકડી પકડાવીને ઊભો કરી દીધો છે. દરેક ગાંધીજયંતિએ મને ઇચ્છા થાય છે કે સુતરની આંટી લઇને આવનારા નેતાઓને લાકડીનો સ્વાદ ચખાડું પણ...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ડો.આંબેડકરઃ&lt;/b&gt; આ બાબતે હું તમારી સાથે સંમત છું, ગાંધીજી. હું તમારા જેવો શાંત નથી. મારી તિથી પર લોકો મને હાર ચડાવવા આવે ત્યારે દરેક વખતે હું આંગળી ચીંધી ચીંધીને કહું છે કે આ જ લોકોએ મારા ને તમારા સ્વપ્નને રોળી નાખ્યું છે. પણ મારા આંગળીચીંધામણને લોકો પૂતળાની મુદ્રા ગણી લે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;માયાવતીઃ&lt;/b&gt; ડાક્ટરસા’બ, તમારો અવાજ સાંભળીને હું એટલી બધી રાજી થઇ છું કે શું કરવું સૂઝતું નથી. મને લાગે છે કે હું હજાર-બે હજાર કરોડના ખર્ચે મારાં ને તમારાં ને માન્યવર કાંશીરામજીનાં બીજાં પાંચ-પચીસ પૂતળાં ઊભાં કરાવું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;રાણી લક્ષ્મીબાઇઃ&lt;/b&gt; (બેકગ્રાઉન્ડમાં ઘોડાની હણહણાટી સંભળાય છે) બે હાથે તલવાર ચલાવવી એક વાત છે. એ મને ફાવે, પણ એક હાથમાં ઘોડાની લગામ ને બીજા હાથમાં મોબાઇલ પકડવાનું બહુ ફાવતું નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ભગતસિંઘ&lt;/b&gt; તો ઘોડાની નીચે ઉતરી જાવ. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;લક્ષ્મીબાઇઃ&lt;/b&gt; પણ ઘોડાની નીચે ઉતરું તો પછી મને ઓળખે કોણ?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ભગતસિંઘ&lt;/b&gt; હા, એ વાત ખરી. મને પણ એ પ્રોબ્લેમ નડે છે. એટલે તો હું કદી હેટ કાઢતો નથી. લોકોને મન ભગતસિંઘ એટલે હેટ ને મૂછો. આપણે કોના માટે, શાના માટે મોતને ભેટ્યા એ જાણવાની કોને પરવા છે રાણીજી?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સાવરકરઃ&lt;/b&gt; એમ નિરાશ ન થશો. મેં ૧૮૫૭ના સંગ્રામ વિસે આખું પુસ્તક લખ્યું છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ઇન્દુલાલ યાજ્ઞિકઃ&lt;/b&gt; પણ એ પુસ્તક ‘વાંચે ગુજરાત’ની યાદીમાં હતું? જો ના, તો તમારું પુસ્તક એળે ગયું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સાવરકરઃ &lt;/b&gt;એ તો મને ખ્યાલ જ ન આવ્યો. નહીંતર મને હારતોરા કરવા નેતાઓ આવ્યા ત્યારે મેં સહેજ ઇશારો કર્યો હોત તો પણ કામ થઇ જાત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સરદારઃ&lt;/b&gt; સાવરકર, તમે ક્યાં કોંગ્રેસમાં છો? અત્યારના ગુજરાતમાં તો ફક્ત કોંગ્રેસીઓનાં કામ થાય છે. (ખડખડાટ હસે છે)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સાવરકરઃ&lt;/b&gt; (ઘૂંધવાઇને) આના કરતાં તો હું આંદામાનમાં સારો હતો. દેખવું નહીં ને દાઝવું પણ નહીં.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ગાંધીજીઃ&lt;/b&gt; આપણી વચ્ચે વિચારભેદ હોવા છતાં મારે કહેવું જોઇએ કે દેશને તમારા પૂતળાની જરૂર છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સાવરકરઃ&lt;/b&gt; (હજુ ખીજ ઉતરી ન હોય એવા અંદાજમાં) હા, પક્ષીઓ બિચારાં ક્યાં જાય? મારા માથે છે એવી સરસ મજાની ગોળાકાર ટોપી બીજે ક્યાં મળવાની? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સ્વામી વિવેકાનંદઃ&lt;/b&gt; માય ઇન્ડિયન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ગાંધીજીઃ&lt;/b&gt; ઓહો, આ તો સ્વામી વિવેકાનંદ. દરિદ્રનારાયણનો મહિમા કરનાર..&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;વિવેકાનંદઃ&lt;/b&gt; ગાંધી, એ વિવેકાનંદ બીજો કોઇ હશે. આ પૂતળાસ્વરૂપ વિવેકાનંદ તો દરિદ્રનારાયણના નહીં, નગદનારાયણના મહિમાનું પ્રતીક બની ગયો છે. જુઓને, મારી દોઢસોમી જન્મજયંતિ પણ કેટલી ધામઘૂમથી ઉજવાઇ રહી છે. સરકાર આ નિમિત્તે એટલાં બધાં નાણાં આપવાની છે કે સંસ્થાઓ એટલો ખર્ચ એક વર્ષમાં કરી શકે એમ નથી. એટલે મારા જન્મની દોઢશતાબ્દિ ચાર વર્ષ સુધી ઉજવાશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સરદારઃ&lt;/b&gt; ઉઠો, સફાળા જાગો અને બધા રૂપિયાનો ઘુમાડો ન થાય ત્યાં સુધી અવિરત મંડ્યા રહો. બરાબર ને જવાહર?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;નેહરુઃ&lt;/b&gt; એમાં હું શું કહી શકું? મારી જન્મશતાબ્દિ વખતે મારા પોતરાએ  પણ ગામ માથે લીઘું હતું. મારા પ્રેમીઓ ને અભ્યાસીઓ મારાથી ઉબાઇ જાય, એટલો મારો પ્રચાર કર્યો હતો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;જગજીવનરામઃ&lt;/b&gt; અને બાકી હતું તે તમારી દીકરીએ પૂરું કર્યું.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;આંબેડકરઃ&lt;/b&gt; અરે વાહ, જગજીવનરામ. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તમને બોલતાં આવડે છે?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ઇંદિરા ગાંધીઃ&lt;/b&gt; એ તો હું પૂતળું બની ગઇ એટલે. બાકી મજાલ છે કોઇની હરફ સુદ્ધાં ઉચ્ચારે? હું જીવતી હતી ત્યારે આ બધાંને મેં જીવતેજીવ પૂતળાં બનાવી દીધાં હતાં. ખાતરી ન થતી હોય તો પૂછો મોરારજીભાઇને...પણ એક મિનીટ..મોરારજીભાઇનું પૂતળું જ નહીં હોય. જવા દો. એમાં પૂછવાની શી જરૂર છે? હું કટોકટી સિવાય જૂઠું બોલતી નથી અથવા જૂઠું બોલું ત્યારે કટોકટી આવે છે, પણ અત્યારે એવી કોઇ ચિંતા રાખવાની જરૂર નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સયાજીરાવ ગાયકવાડઃ&lt;/b&gt; અમારે મઝા છે. આઝાદી આવી ગઇ તો પણ પૂરા રજવાડી પોશાકમાં પ્રજા સામે રહેવા મળે અને અમારા વારસદારો સંપત્તિ માટે કેવાં ઝઘડે છે એ જોવા પણ મળે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સરદારઃ&lt;/b&gt; (હસતાં હસતાં) સારું થયું ને તમારાં રજવાડાં ભારતમાં ભેળવી દીધાં. નહીંતર તમારા વારસદારોની ઝઘડાઝઘડી અને ભાગબટાઇને કારણે ભારતમાં રજવાડાંની સંખ્યા સાડી પાંચસોથી વધીને સાડા પાંચ હજાર થઇ ગઇ હોત. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ઇંદિરા ગાંધીઃ&lt;/b&gt; હા અને મારે સાડા પાંચ હજાર રજવાડાંનાં સાલિયાણાં નાબૂદ કરવાં પડત. સાડા પાંચસોમાં આટલો કકળાટ થયો, તો એનાથી દસ ગણા વધારેમાં કેટલો કકળાટ થાય? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;નેહરુઃ&lt;/b&gt; બેટા પ્રિયદર્શિની, તારા સવાલનો જવાબ મળી શકે એમ નથી. કારણ કે આપણા દેશમાં ગણિતશાસ્ત્રીઓનાં કે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પૂતળાં ઊભાં કરવાનો રિવાજ નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;રાજીવ ગાંધીઃ&lt;/b&gt; કદાચ લાલબહાદુર શાસ્ત્રીનું પૂતળું મળી જાય.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-590116649606224327?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/590116649606224327/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_26.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/590116649606224327'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/590116649606224327'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_26.html' title='મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-4070377653024033430</id><published>2012-01-24T08:21:00.002+05:30</published><updated>2012-01-24T08:27:44.655+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='society- trends/સમાજ-પ્રવાહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='NRI'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='dual citizenship'/><title type='text'>એન.આર.આઇ.ને મતાધિકારઃ હક અને હદ</title><content type='html'>&lt;div&gt;ભારતીય લોકશાહીની વર્તમાન વાસ્તવિકતામાં મત એવી જણસ છે જેની મળ્યા પછી કંિમત રહેતી નથી. કોઇ પણ જાતના ભેદભાવ વિના સૌને એકસરખો મતાધિકાર મળ્યા પછી નાગરિકો મતને બહુમૂલ્ય લાગતો નથી અને નેતાઓને ચૂંટણીમાં મત મળી ગયા પછી બીજાં પાંચ વર્ષ સુધી મતની કિંમત સાંભરતી નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;છેલ્લાં બે-પાંચ વર્ષમાં જન્મેલાં ઘણાં બાળકો જેમ મોબાઇલ કે ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરી શકતાં નથી, એવી જ રીતે ભારત જેવી લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર ‘સમજ્યા હવે!’ બની ગયો છે. અંબાણીનો પણ એક મત હોય અને ઝૂંપડામાં રહેનારનો પણ એક મત હોય, એ વાતમાં રહેલું અસાધારણપણું હવે અહોભાવ કે નવાઇ પ્રેરતું નથી. તેનું એક કારણ એ છે કે ભારત જેવા ચૂંટણીશાહી વ્યવસ્થા ધરાવતા દેશમાં મત આપનાર તથા લેનાર વચ્ચે આપ-લે થઇ ગયા પછી ભાગ્યે જ કશો સંપર્ક રહે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આ પરિસ્થિતિમાં એક વર્ગ એવો છે, જેને મન હજુ મતનું મૂલ્ય છે. કારણ કે તેમને એ ‘હક’ મળ્યો નથી. એ સમુહ છે: બિનનિવાસી ભારતીયો. એન.આર.આઇ. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ, જે ક્યારેક વ્યંગમાં નોન રિલાયેબલ ઇન્ડિયન્સ તરીકે પણ ઓળખાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;સંબંધ વધારતા સુધારા&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;ભારતમાંથી વિદેશ ગયેલા લોકો કે તેમની પછીની પેઢીનો મૂળીયાં સાથેનો સંબંધ વધારે સહજતાથી જળવાઇ શકે, એ માટે વર્ષ ૨૦૦૬માં ‘ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા’(ઓસીઆઇ)ની જોગવાઇ કરવામાં આવી. ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ તરીકે જાણીતી  આ યોજનામાં  ‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન’ (પીઆઇઓ- પિતા કે માતા ભારતીય હોય એવા લોકો)ને વિદેશમાં વસતા ‘ભારતીય’ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. સંબંધિત વિભાગના મંત્રી વી.રવિએ આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ૯૦થી પણ વઘુ દેશોમાં વસતા દસેક લાખ ભારતીયોએ ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ મેળવી છે. તેના મુખ્ય બે ફાયદા છેઃ આ કાર્ડ ધરાવતા બિનનિવાસી ભારતીયોને ભારત આવતી વખતે વીઝા લેવાની જરૂર પડતી નથી.  તે ઇચ્છે ત્યારે ભારત આવી શકે છે અને ઇચ્છે એટલું રોકાઇ શકે છે. ભારતીય નાગરિક તરીકે તેમને પોતાના આગમન વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ રહેતી નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અલબત્ત, તેના માટે વપરાયેલો ‘સિટિઝનશીપ’(નાગરિકત્વ) શબ્દ છેતરામણો છે. કારણ કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવનારને ભારતમાં મતાધિકાર મળતો ન હતો. એ અંગે બિનનિવાસી ભારતીયોની માગણીને ઘ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૦માં ‘રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ બિલ, ૨૦૧૦’માં એક સુધારો કરવામાં આવ્યો, જે સંસદમાં પસાર થઇને ફેબુ્રઆરી ૧૦, ૨૦૧૦થી અમલી બન્યો. એ સુધારા મુજબ વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં યોજાતી ચૂંટણીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. તેમાં બે મહત્ત્વની શરતો હતીઃ ૧) કામ, અભ્યાસ કે બીજા કોઇ કારણે વિદેશમાં રહેતા પરંતુ વિદેશના નાગરિક ન હોય એવા ભારતીયો જ ભારતમાં પોતાના મતવિસ્તારની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે. ૨) મત આપવા માટે તેમણે ચૂંટણીના દિવસે રૂબરૂ હાજર રહેવું પડે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;તેનો અર્થ  એ થયો કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવતા એન.આર.આઇ. ભારતમાં મત આપી શકે નહીં. કારણ કે તે બીજા દેશનું નાગરિકત્વ મેળવી ચૂક્યા છે. પાકી સિટિઝનશીપ ન ધરાવતા બિનનિવાસી ભારતીયોમાંથી પણ ચૂંટણીના દિવસે ભારતમાં હાજર હોય એવા લોકો કેટલા હોવાના? એટલે કાગળ પર બિનનિવાસી ભારતીયોને મતાધિકાર મળ્યો હોવા છતાં, તે નહીં મળ્યા બરાબર બની રહ્યો. પરદેશમાં રહીને ભારતની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટેની પ્રક્રિયા પણ અઘરી અને બાબુશાહીના અવરોધોથી ભરપૂર હોવાનું જણાયું. તેમાં છેવટે એટલી સરળતા કરી નાખવામાં આવી કે કોઇ પણ બિનનિવાસી ભારતીય પોતાના ભારતીય પાસપોર્ટની જાતે પ્રમાણિત કરેલી (સેલ્ફ અટેસ્ટેડ) નકલ રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે. છતાં, મંત્રી વી.રવિના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો બહુ મોળો પ્રતિસાદ મળ્યો છે. બિનનિવાસી ભારતીયો ઇચ્છે છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમને ભારત સુધી લાંબા ન થવું પડે અને વિદેશમાં રહીને જ મત આપી શકાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;એન.આર.આઇ.મહિમા&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;‘ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જુએ’ એવી કહેણી પ્રમાણે ઘણાખરા બિનનિવાસી ભારતીયો જીવનની આનંદ અને શોકની તમામ અવસ્થામાં પોતપોતાના ‘મારવાડ’ (દેશ) ભણી જુએ છે. આ લાગણી કાવ્યાત્મક રીતે વ્યક્ત કરતાં ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા’માં કવિ ઇકબાલે લખ્યું હતું, ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં/ સમજો વહીં હમેં ભી, દિલ હો જહાં હમારા’. (તન ભલે વતનથી દૂર હોય, પણ મન તો વતનમાં જ છે) &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બિનનિવાસી ભારતીયોનો સમુહ પહેલાં ‘અમે ભલે દૂર રહ્યા, પણ અમને તમારી સાથે જ ગણજો’ એ પ્રકારની લાગણી વ્યક્ત કરતો હતો. હવે તેમની  લાગણી જ નહીં, માગણી પણ એવી રહે છે કે તેમને ભારતના નાગરિકો સમકક્ષ ગણવામાં આવે. સરકાર પાસેથી ઘરના (દેશના) માણસ જેવી બેરોકટોક પહોંચ અને મહેમાન જેવાં માન-પાન- સુવિધા-દરજ્જો મેળવવા માટે તે ઉત્સુક હોય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા રાખવામાં દેશના એક અબજ નાગરિકો ઓછા છે, તે એ દેશની બહાર રહેનારા ‘મૂળનિવાસી’ઓની માગણી પર ઘ્યાન આપે? પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં અઢળક ભંડોળ જમા કરાવે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં વિદેશમાં વસતા ભારતીયોએ બઘું મળીને પંચાવન અબજ ડોલર જેટલી રકમ ભારત મોકલાવી હતી. તેમના અવાજને ભારત સરકાર સાવ અવગણી શકતી નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;એન.આર.આઇ.ના ભંડોળ ઉપરાંત તેમની અવરજવર અને તેમની સિદ્ધિઓનો પણ ભારત અને ભારતવાસીઓને ઘણો ખપ હોય છે. બિનનિવાસી ભારતીયો દેશમાં આવે ત્યારે તેમની અધધ ખરીદીભૂખને કારણે સ્થાનિક બજારો ઊંચકાય છે. પોતાના ગામ જતી વખતે સામાનના ખડકલા કરનારા ઉત્તર પ્રદેશ- બિહારના કામદારો પ્રત્યે તુચ્છકાર સેવનારા લોકો, સામાનથી લદાયેલાં પરદેશી એન.આર.આઇ. પ્રત્યે અહોભાવની નજરે જુએ છે. બિનનિવાસી ભારતીયો શિયાળામાં ‘દેશ’ની મુલાકાતે આવે ત્યારે તેમના મનમાં રૂપિયાને બદલે ડોલર (કે પાઉન્ડ)નું મીટર ફરતું હોય છે. ખરીદી કરવાની વાત આવે એટલે તે ‘સુપરમેન’ બની જાય છે. મોટા ભાગના સ્થાનિક લોકો જે કિંમત સાંભળીને બેભાન થઇ જાય એવી કિંમતોમાં તે કપડાંથી માંડીને અનેક ચીજોની ખરીદી કરે છે. આ સીઝનમાં કોઇ સ્થાનિક ગ્રાહક ભાવતાલ કરવા જાય ત્યારે ‘તમે રહેવા દો. આ તમારા માટે નથી. તમારે આ સીઝનમાં આવવું જ નહીં.’ એવું દુકાનદારો મોઢે કહી શકે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બિનનિવાસી ભારતીયોની સિદ્ધિ વિશે ગૌરવ લેવાનું આવે ત્યારે પણ ભારતીયો લધુતાગ્રંથિના માર્યા શરમજનક પડાપડી કરે છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા વર્તમાનકાળના કિસ્સામાં અને નોબેલ પારિતોષિક વિજેતા હરગોવિંદ ખુરાના જેવા ભૂતકાળના કિસ્સામાં એ વૃત્તિ અનેક વાર દેખાઇ આવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;વતનપ્રેમ અને વિકૃતિ&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બહુમતી એન.આર.આઇ.માં દેશ છોડ્યા પછી દેશપ્રેમના ઉભરા પેદા થાય છે. વતનઝૂરાપો સ્વાભાવિક છે. માનવીય પણ છે. છતાં તેનો અતિરેક હાસ્યાસ્પદ બને છે. દેશ છોડીને વિદેશમાં વસેલા ભારતીયોના મોઢેથી અવિરત ભારતમહિમા સાંભળ્યા પછી ઘણી વાર એવો સવાલ થાય કે દેશમાં ખરેખર આટલું સારું હોય તો તેમને વિદેશ જવાની જરૂર કેમ પડી? દેશ છોડ્યા પછી દેશની કેટલીક બાબતોની કિંમત થાય એ સમજી શકાય એવું છે. છતાં વતન અને નવા વસવાટ વિશે વાત કરતી વખતે બહુ ઓછા લોકો સંતુલન જાળવી શકે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મોટા ભાગના એન.આર.આઇ.ની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમણે જે સમયે ભારત છોડ્યું હોય, તે સમયગાળો તેની તમામ મર્યાદાઓ અને ખામીઓ સહિત તેમના મનમાં ફ્રીઝ થઇ જાય છે. ગયો હોય છે.  એટલે, અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં વર્ષો બલ્કે દાયકાઓ ગાળ્યા પછી પણ એ સમાજમાંથી લેવા જેવાં મૂલ્યો તે લઇ શકતાં નથી અને ભારતની સમાજવ્યવસ્થા અને સંકુચિતતાનાં છોડવાં જેવાં ‘મૂલ્યો’ છોડી શકતાં નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;શિયાળામાં ગુજરાત કે ભારત ઉમટી પડતાં કેટલાં એન.આર.આઇ. પોતાની સાથે અંગ્રેજ-અમેરિકન સંસ્કૃતિની જાણેઅજાણે થયેલી વાનરનકલ સિવાયનાં, તેનાં હકારાત્મક મૂલ્યો લઇને આવે છે? ઘણી વાર તો એવું લાગે કે એ લોકો ‘ત્યાં’ રહીને એ દેશોના રીતરિવાજ પ્રમાણે બદલાયા હશે, તો પણ વતનમાં આવે ત્યારે પોતે કેવળ બહારથી જ (પહેરવેશ અને આર્થિક સ્થિતિમાં) બદલાયા છે - ભીતરથી એટલા જ ‘ભારતીય’ છે, એવું બતાવવામાં ગૌરવ સમજે છે. અહીં ‘ભારતીય’નો અર્થ છેઃ જ્ઞાતિવાદી, સંકુચિત મનોવૃત્તિ ધરાવતા, વૈચારિક રીતે પછાત,  અંધશ્રદ્ધાળુ, ધાર્મિકતા-આઘ્યાત્મિકતાના નામે ગમે તેવા બાવાબાવીઓને ધંધાની ઉત્તમ તક પૂરી પાડનારાં અને છોગામાં આ બધાં લખ્ખણોને ‘ભારતીય સંસ્કૃતિ’નો પર્યાય ગણીને તેને છાતીએ ચાંપી રાખનારાં- પોતાનાં સંતાનોને પણ એ રસ્તે ધકેલવાનો પ્રયત્ન કરનારાં. છેલ્લા દાયકામાં તે ભારતની ‘પ્રગતિ’ જોઇને હરખાય છે, કારણ કે કેટલાક શહેરી ભારતીયોને જેમ ઘણાખરા બિનનિવાસી ભારતીયો વાસ્તવિક સમસ્યાઓ અંગે સુખપૂર્વક અજ્ઞાન સેવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સારા રસ્તા, શોપિંગ સેન્ટરોની અને હોટેલોની ઝાકઝમાળ, ઇન્ટરનેટ કનેક્શન, ડાયરેક્ટ ફ્‌લાઇટ જેવાં પરિબળોના આધારે તે ભારતની પ્રગતિનું માપ કાઢે છે. સમસ્યાઓની વાત આવે તો તેમાંના ઘણાની યાદી ભ્રષ્ટાચારથી શરૂ થાય છે ને ત્યાં જ અટકી જાય છે. જ્ઞાતિવાદ અંગે તેમની સાથે વાત કરવી અઘરી પડે છે. કારણ કે વિદેશમાં ગયા પછી ઘણી વાર તે હોય એના કરતાં પણ વધારે સંકુચિત બન્યા હોય છે. જમીનહક જેવા પ્રશ્નો અંગે તેમની જાણકારી અને એ મેળવવાની ઇચ્છા નહીંવત્‌ હોય છે. આવા બિનનિવાસીઓને  તેમની માગણી પ્રમાણે, વિદેશમાં રહીને પોસ્ટથી કે ભારતીય એલચી કચેરીઓમાં મતનો અધિકાર આપવામાં આવે, તો એ ભારતીય મતદાતાઓને અન્યાય ગણાશે. દેશની સમસ્યાઓની સાચી સમજણ વિના અને કરવેરા સ્વરૂપમાં સમૃદ્ધ નાગરિક તરીકે પોતાનો હિસ્સો આપ્યા વિના, તેમને મળતો મતાધિકાર ચૂંટણીશાહી બનેલી ભારતની લોકશાહી  માટે અવળી દિશામાં વઘુ એક પગલું બની રહેશે.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-4070377653024033430?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/4070377653024033430/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_24.html#comment-form' title='6 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/4070377653024033430'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/4070377653024033430'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_24.html' title='એન.આર.આઇ.ને મતાધિકારઃ હક અને હદ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>6</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-1982979529815355100</id><published>2012-01-22T12:22:00.001+05:30</published><updated>2012-01-22T12:23:59.244+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='photo'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='homai vyarawala'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Obit/અંજલિ'/><title type='text'>હોમાય વ્યારાવાલાઃ  સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-AAIr3kOB4mA/TxuvdwuCuuI/AAAAAAAADKs/nTSCffuj4Xw/s1600/nava1.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="306" src="http://1.bp.blogspot.com/-AAIr3kOB4mA/TxuvdwuCuuI/AAAAAAAADKs/nTSCffuj4Xw/s400/nava1.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;Homai Vyarawala (Photo: Rabi Shukla, Deoria, U.P.)&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-Qio0htp8YaM/TxuvkzZo_sI/AAAAAAAADK0/r6wBF1U2-nQ/s1600/nava2.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-Qio0htp8YaM/TxuvkzZo_sI/AAAAAAAADK0/r6wBF1U2-nQ/s400/nava2.jpg" width="336" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;&lt;span style="font-size: small; text-align: left;"&gt;દેવરિયા (ઉત્તર પ્રદેશ)ના રાબી શુક્લે પાડેલી આ તસવીર અને છેલ્લી વર્ષગાંઠના આગલા દિવસે બીરેન કોઠારીને પોતાના હસ્તાક્ષરમાં લખી આપેલી થોમસ મૂરની કવિતા ‘લાસ્ટ રોઝ ઓફ સમર’ પોતાના મૃત્યુ પછી સૌ સુધી પહોંચે એવી હોમાય વ્યારાવાલાની ઇચ્છા હતી&lt;/span&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;br /&gt;રવિવારે,જાન્યુઆરી ૧૫ના રોજ વિદાય લેનારાં હોમાય વ્યારાવાલાએ હજુ ગયા મહિને, ૯ ડિસેમ્બર (૨૦૧૧)ના દિવસે ૯૮ વર્ષ પૂરાં કર્યાં હતાં. સો વર્ષ પૂરાં કરવાનું તેમના મનમાં કોઇ વિશેષ આકર્ષણ ન હતું. એ જીવનની લંબાઇનાં નહીં, તેની ગુણવત્તાનાં આગ્રહી હતાં.&lt;br /&gt;&lt;br /&gt;હોમાયબહેનથી પ્રભાવિત થવું બહુ આસાન હતું. નબળા-સબળા, સારા-નરસા, જાણીતા-અજાણ્યા સૌ કોઇ પોતપોતાની રીતે તેમનાથી પ્રભાવિત થતા હતા. એ માટેનાં સબળ કારણોની ખોટ ન હતીઃ હોમાય વ્યારાવાલા ભારતનાં પહેલાં ન્યૂઝ ફોટોગ્રાફર હતાં. ફોટોગ્રાફર તરીકેની સુદીર્ઘ અને યશસ્વી કારકિર્દીમાં તેમણે પરાધીન ભારતનાં છેલ્લાં વર્ષો અને આઝાદ ભારતના શરૂઆતના દાયકાઓની ઐતિહાસિક ક્ષણોને તસવીરમાં ઝીલીને અમરત્વ આપ્યું.&lt;br /&gt;&lt;br /&gt;તેમના ભવ્ય પ્રદાનને બે પૂંઠા વચ્ચે મૂકી આપતા પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોક, ૨૦૦૬)માં  ગાંધીજી-સરદાર-નેહરુ-ઝીણા-માઉન્ટબેટન જેવા નેતાઓ સાથેના તેમના પ્રસંગ, તેમણે લીધેલી તસવીરો જોઇને કોણ પ્રભાવિત થયા વિના રહી શકે? જનરલ કરિઅપ્પાએ તેમનું લાડકું નામ ‘એનર્જી’ પાડ્યું હતું. ડો.રાધાકૃષ્ણન્‌ બીજા લોકો આગળ હોમાયબહેનની ઓળખાણ ‘માય લેડી ફ્રેન્ડ’ તરીકે આપતા અને હોમાયબહેનના મિત્રો ગમ્મતમાં ડો.રાધાકૃષ્ણનને હોમાયબહેનના ‘બોયફ્રેન્ડ’ તરીકે ઓળખાવતા. સરદાર પટેલ તેમને ‘આપણી ગુજરાતણ’ ગણીને, એકમાત્ર મહિલા તસવીરકાર તરીકે તેમના વિશે રાજીપો અનુભવતા. આઝાદી પછી માહિતી-પ્રસારણ મંત્રી તરીકે ‘ફોટોગ્રાફર જોઇએ છે’ની સરકારી જાહેરાતમાં સરદારે ખાસ એક લીટી ઉમેરાવી હતીઃ ‘વુમન કેન ઓલ્સો એપ્લાય’, જે ફક્ત હોમાયબહેનને જ લાગુ પડતી હતી. (હોમાયબહેનને સરકારી નોકરીમાં રસ ન હોવાથી તેમણે અરજી ન કરી એ જુદી વાત છે.)&lt;br /&gt;&lt;br /&gt;એવાં સ્મરણોની યાદ બાકીની જિંદગી ખણ્યા-ખોતર્યા કરતા અને વર્તમાનમાં મળનારા લોકોને સખત કંટાળો આપતા લોકો ઘણા હોય છે. હોમાયબહેન એવાં બિલકુલ ન હતાં. ભૂતકાળની ભવ્યતામાં રાચવાનો તો ઠીક, જરૂર ન ઉભી થાય ત્યાં સુધી એ વિશે વાત કરવાનો પણ તેમનો સ્વભાવ નહીં. વાઇસરોયની ને વડાપ્રધાનોની, દેશી-વિદેશી મહાનુભાવોની ફોટોગ્રાફી કરી ચૂકેલાં હોમાયબહેન ભૂતકાળ વિશે  જવાબો આપતી વખતે પણ અફસોસ, નિઃસાસો કે ભવ્યતાની રંગીની વિના કેવળ તથ્યના વર્ણનની રીતે વાત કરતાં. ભાઇ બીરેન સાથે અનેક વાર હોમાયબહેનને મળવાનું થયું, ત્યારે ઘણી વાર એવું બનતું કે કલાક-દોઢ કલાકની વાતચીતમાં તેમની ફોટોગ્રાફી વિશે વાત જ ન થઇ હોય.&lt;br /&gt;&lt;br /&gt;ચારેક દાયકા પહેલાં તે ફોટોગ્રાફી છોડી ચૂક્યાં હતાં.પરંતુ   તેમની પાસે મનગમતી, મૌલિક પ્રવૃત્તિઓની ખોટ ન હતી.  ઘરકામ ઉપરાંત લુહારીકામ, સુથારીકામ, પ્લમ્બિંગથી માંડીને પાકશાસ્ત્ર, બાગકામ અને ફુલોની કળાત્મક ગોઠવણી (ઇકેબાના) વગેરેમાં તેમનો સમય સાર્થક રીતે વીતતો હતો. તેમની આ પ્રવૃત્તિઓમાં ગૃહિણીસહજ ‘ટાઇમપાસ’ની વૃત્તિ નહીં, પણ હાડથી કલાકાર એવી એક વ્યક્તિની સર્જકતા વ્યક્ત થતી, જે છેવટ સુધી જળવાઇ રહી. તેનાથી પ્રભાવિત થનારા લોકો પણ મોટી સંખ્યામાં હતા.&lt;br /&gt;&lt;br /&gt;બીજા ઘણા પોતાનું કામ જાતે જ કરવાના તેમના આગ્રહથી સ્તબ્ધતાની હદે આશ્ચર્યચકિત થઇ જતા. કેન્સરની બિમારીમાં પુત્ર ફારુકે વર્ષો પહેલાં વિદાય લીધી હતી. પુત્રવઘુ ધન વ્યારાવાલા કશા અણબનાવ કે દુર્ભાવ વિના પિતાના ઘરે જમશેદપુર રહેતાં અને હોમાયબહેન વડોદરામાં. તેમને મળવા આવનાર ઘણાખરા લોકો તેમને એકલાં રહેતાં-જાતે ઘરકામ કરતાં જોઇને અરેરાટી ને ડચકારા બોલાવતા, સહાનુભૂતિ વ્યક્ત કરતા, પરંતુ હોમાયબહેનને તેનો બિલકુલ ખપ ન હતો. તે એકલાં હતાં, પણ એકલવાયાં નહીં.&lt;br /&gt;&lt;br /&gt;તેમનાં ધોરણો અને આગ્રહ એટલા કડક હતા કે બહુ થોડા લોકો સાથે તેમને આત્મીયતા બંધાતી. તેમના ઘરે આવીને, તેમની એકલતાથી પ્રેરાઇને, પોતે ધારી લીધેલા તેમના બિચારાપણાથી દ્રવીને લોકો જાતજાતના વાયદા કરતા, પણ ત્યાંથી બહાર નીકળ્યા પછી ભાગ્યે જ કોઇને પોતે કરેલા વાયદા યાદ રહેતા. હોમાયબહેન તેનાથી બહુ ખીજાતાં: ‘મારે મદદ જોઇતી નથી. મેં મદદ માગી નથી. છતાં લોકો અહીં આવીને ધરાર મદદ આપવાની મોટી વાતો કરે છે ને બહાર જઇને ભૂલી જાય છે. એના કરતાં ખોટા વાયદા ન આપતા હોય તો?’&lt;br /&gt;&lt;br /&gt;છેલ્લા થોડા મહિનાને બાદ કરતાં, હોમાયબહેન ભાગ્યે જ કોઇને કામ સોંપતાં. અજાણ્યા માણસ પરનું પરાવલંબન તેમને મોત કરતાં ખરાબ લાગતું. સ્વાવલંબનનો તેમનો આગ્રહ  સામાન્ય સંસારી માણસને અકળાવે એટલી હદનો દૃઢ હતો. એ કોઇને કામ સોંપે ત્યારે મનાતું કે તેમને વિશ્વાસ પડવાની શરૂઆત થઇ છે. તેમના નિકટ વર્તુળમાં લાંબા સમયથી પ્રવેશી શકેલાં અને છેવટ સુધી ટકી રહેલાં જૂજ લોકોમાં ત્રણ દાયકાનાં તેમનાં સાથી- પાડોશી શ્રીમતી જયશ્રી મિશ્રાનો પરિવાર, પારસી વર્તુળમાં શ્રીમતી હવેવાલા, તેમના વિશેનું પુસ્તક લખનાર સબીના ગડીહોક (દિલ્હી), ઘણી વાર તેમની સાથે વડોદરા આવીને રહેતા,  ઉંમરમાં તેમનાથી બે પેઢી નાના ફોટોગ્રાફર અસીમ ઘોષ (દિલ્હી) અને બીરેન કોઠારી-પરેશ પ્રજાપતિ પરિવારો (વડોદરા) મુખ્ય હતાં. વડોદરાનાં મેયર જ્યોતિબહેન પંડ્યા વખતોવખત કશા કામ વિના, ફક્ત વાતો કરવા માટે તેમની મુલાકાત લેતાં અને હોમાયબહેનની પૂરી ગરીમા જાળવતાં. તેમના મૃત્યુ વખતે પણ હોદ્દા કરતાં વધારે લાગણીનાં દોરાવ્યાં એ આવ્યાં હતાં અને તેમનો ઢાંકેલો ચહેરો ઉઘાડીને તેની પર મમતાથી હાથ પસવારવાની સ્વજન-સહજ ચેષ્ટા કરી હતી.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;હોમાયબહેન વિશે પ્રસાર માઘ્યમોમાં વારંવાર ચમકતા સમાચારોને કારણે ઘણા તેમના વિશે ખાસ કંઇ જાણ્યા વિના અહોભાવ અનુભવવા લાગતા અને કેટલાક લોકોને તેમના વિશે અકારણ દુર્ભાવ પણ થતો. આ બન્નેમાં હોમાયબહેન ખાસ કશું કરી શકે તેમ ન હતા. વડોદરા આવતાં પહેલાં તે પુત્રની નોકરીને કારણે પીલાની હતાં. પતિ માણેકશા ગુજરી ગયા હતા. પુત્ર ફારુક એન્જિનિયરિંગ કોલેજમાં અઘ્યાપક અને હોમાયબહેન ફારુકનાં મહાસક્રિય-અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં મમ્મી તરીકે જાણીતાં હતાં. પીલાનીમાં કોઇ જાણતું પણ નહીં કે હોમાયબહેન ફોટોગ્રાફર તરીકેની પ્રચંડ ખ્યાતિ પાછળ છોડીને આવ્યાં છે. એ અરસામાં એક વાર ઇન્દિરા ગાંધીને ફોટોગ્રાફીમાં મહિલાઓના અભાવ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ગૌરવભેર ‘એક મિસિસ હોમાય વ્યારાવાલા’ને યાદ કર્યાં. એ માહિતી પ્રગટ થતાં પીલાનીમાં ઉત્તેજના વ્યાપી ગઇ. કોલેજના ડીન સહિત બીજા ઘણા હોમાયબહેનને પૂછવા આવ્યા કે ‘તમે આ જ મિસિસ વ્યારાવાલા  છો?’&lt;br /&gt;&lt;br /&gt;આ હોમાયબહેન વિશે રાષ્ટ્રિય સ્તરે સૌથી વાહિયાત સમાચારોનો લાંબો સિલસિલો નેનો કારના મુદ્દે ચાલ્યો. ‘નેનો’ કાર તેમને (રૂપિયા ખર્ચીને જ) પ્રાથમિકતાના ધોરણે મળવાનું જાહેર થતાં, ‘તાતા હોમાયબહેનને પહેલી નેનો આપવાના છે’ એવા ગપગોળા ચગ્યા. ‘નેનો મળશે’, ‘હજુ નેનો મળી નથી’ અને ‘હવે નેનો મળે તો પણ એ લેવાનાં નથી’ એવાં જૂઠાણાં અખબારી અહેવાલો તરીકે દિવસો સુધી મરીમસાલા સાથે છપાતાં રહ્યાં. હોમાયબહેનને ‘નેનો’ મળી ત્યારે જૂની ફિયાટની પ્રેક્ટિસને કારણે અને વયને લીધે એ કાર ન ફાવતાં થોડા દિવસમાં તેમણે ‘નેનો’ કાઢી નાખી. એ અરસામાં એક વાર થયેલી મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું,‘ધે મેડ માય લાઇફ મિઝરેબલ’. (એ લોકોએ-જાણ્યાસમજ્યા વિના લખનારાએ- મારી જિંદગીમાં ત્રાસ ફેલાવી દીધો હતો.)&lt;br /&gt;&lt;br /&gt;વડોદરાનાં વર્ષોમાં- ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં-નાનામાં નાના મોકે, પૂરું ઔચિત્ય જોયા-જાળવ્યા વિના અવતરણ કે ઇન્ટરવ્યુ માટે હોમાયબહેન પાસે ધસી જવાનો જાણે રિવાજ પડી ગયો હતો. એવી રીતે જનારામાંથી કેટલાક એવો ભાવ ધરીને જતા, જાણે તે હોમાયબહેનને છાપામાં ‘ચમકાવી’ રહ્યા છે કે તેમની સેવા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે, લગભગ અધિકાર લેખે, ઉદ્ધત-અશિષ્ટ વર્તન કરતા મિડીયાવાળા પ્રત્યે હોમાયબહેનને સખત ખીજ હતી. છતાં મૂળભૂત સૌજન્યને કારણે તે બને એટલો સહકાર આપતાં. તેમના આ સૌજન્યનું ખોટું અર્થઘટન કરીને તેમને સૌથી હાથવગાં ગણી લેવામાં આવતાં.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-qEoai54weX4/Txux0X4Dv2I/AAAAAAAADK8/PD4WLxhlzu0/s1600/homai.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-qEoai54weX4/Txux0X4Dv2I/AAAAAAAADK8/PD4WLxhlzu0/s400/homai.jpg" width="300" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;તેમના વિશેના ખોટા સમાચારનો દૌર તેમના મૃત્યુ પછી પણ ચાલુ રહ્યો. હોમાયબહેન પ્રખર ધાર્મિક ખરાં, પણ રૂઢિચુસ્ત-ક્રિયાકાંડી ન હતાં. તેમની ઇચ્છા પારસી રિવાજ પ્રમાણે નહીં, પણ અગ્નિસંસ્કાર કરીને દેહનો નિકાલ કરવાની હતી. તેમનો તર્ક એવો હતો કે પારસી પરંપરા પ્રમાણે મૃતદેહનો ભક્ષ્ય કરી શકે એટલાં ગીધ હવે બચ્યાં નથી. તેથી મૃતદેહ લાંબા સમય સુધી પડ્યો રહે તેના કરતાં રાખ થઇ જાય તે સારું. પરંતુ તેમને અગ્નિદાહ આપવાનો છે એ જાણ્યા પછી ‘હિંદુ વિધી પ્રમાણે અંતિમ સંસ્કાર’નાં મથાળાં બંધાયાં, જે સદંતર ખોટાં હતાં.&lt;br /&gt;&lt;br /&gt;વડોદરાના બહુચરાજી તરીકે જાણીતા ખાસવાડી સ્મશાને તેમને લઇ જતાં પહેલાં ઘરે પારસી ધર્મગુરૂએ પ્રાર્થના કરી હતી. તેમનાં અસ્થિમાંથી થોડો હિસ્સો તેમણે જતનથી ઉછેરેલા બગીચામાં, બીજો થોડો હિસ્સો પરેશ પ્રજાપતિ સાથે એક વાર વાતવાતમાં પ્રગટ કરેલી ઇચ્છા પ્રમાણે ગંગા નદીમાં અને બાકીનો હિસ્સો તેમની સક્રિય કામગીરીનાં બે સ્થળે- દિલ્હી અને મુંબઇ વિસર્જન માટે મોકલવામાં આવ્યો છે. તેમની સઘળી તસવીરો અને કેમેરા દિલ્હીના અલકાઝી ફાઉન્ડેશનમાં સુરક્ષિત છે અને તેનાં વખતોવખત પ્રદર્શન યોજાતાં રહે છે. એ સિવાય તેમને એક વાર પણ મળ્યા હોય એ દરેકના મનમાં હોમાયબહેનની અમીટ છબી કાયમ માટે રહેવાની છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-1982979529815355100?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/1982979529815355100/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_22.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1982979529815355100'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/1982979529815355100'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_22.html' title='હોમાય વ્યારાવાલાઃ  સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-AAIr3kOB4mA/TxuvdwuCuuI/AAAAAAAADKs/nTSCffuj4Xw/s72-c/nava1.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6572132371166898469</id><published>2012-01-18T06:59:00.004+05:30</published><updated>2012-01-18T07:33:24.906+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='anna hazare'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='corruption'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>અન્નામંડળની ઉત્તરાયણ</title><content type='html'>&lt;div&gt;એક હતો લોકપાલ ખરડો અને એક હતો જનલોકપાલ ખરડો. બન્ને વચ્ચેના જોરદાર પેચ જમીન પર નહીં, પણ આકાશમાં લડ્યા હોત તો? અન્ના અને તેમના સાથી-સલાહકારો સહિત રાજકારણીઓની આખી મંડળી દિલ્હીમાં સંસદને બદલે ધાબાં-અગાશી પર ખડકાઇ હોત તો?&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;***&lt;/div&gt;&lt;div&gt;જનમેદનીથી ઉભરાયેલાં ધાબાં પર ‘એ કાટ્ટા... કાપ્યો છે...લેત્તો જા....આવજો...’ના પોકાર ઉઠી રહ્યા છે. એવામાં અન્ના દડબડ દડબડ દાદર ચડીને અગાસીમાં આવે છે.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;(ચોતરફ જોઇને) અરવિંદ, આ બઘું શું છે? શાના અવાજ છે?&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt; (તાનમાં) અરે અન્નાજી, કાપ્યો છે...વો કાટ્ટા...&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt; કિરણ, આને શું થઇ ગયું? શાની વાત કરે છે?&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ&lt;/b&gt; અન્નાજી, તમારા પતંગે સામેના ધાબા પરનો પેચ કાપ્યો છે, એટલે અમે ખુશી વ્યક્ત કરી રહ્યાં છીએ. તમે પણ અમારી સાથે જોડાઇ જાવ.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt; પણ હું તો હજુ અગાશી પર આવું છું. દોરીને અડક્યો નથી. તો મારો પતંગ ક્યાંથી હોય? એ પેચ શી રીતે કાપે? ને જે કાપ્યો જ નથી, એ પેચ માટે ચિચિયારીઓ કેવી?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt; અન્નાજી, અત્યારે આખા દેશનાં ધાબાં આપણી સાથે છે. વિચારવાનો ટાઇમ નથી...એ કાટ્ટા...આવજો...અત્યારે તો આખા આકાશમાં તમારા ઢાલની આણ વર્તે છે. કોઇની તાકાત છે એની નજીક ફરકી શકે? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;પણ મેં હજુ ક્યાં..&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ&lt;/b&gt; શ્‌શ્‌શ્‌..અન્નાજી, આપણે બધા અલગ છીએ? તમે પણ ભ્રષ્ટાચારના વિરોધી ને અમે પણ ભ્રષ્ટાચારના વિરોધી. તમને પણ કોંગ્રેસ સામે વાંધા ને અમને પણ વાંધા. તમને પણ પબ્લિસિટી ગમે ને અમને પણ ગમે...તો પછી તમારે અલગ પતંગ ચડાવવાની ક્યાં જરૂર છે? ભ્રષ્ટાચારના વિરોધમાં અરવિંદે ચડાવેલો પતંગ એ જ તમારો પતંગ. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;વાત તો સાચી, પણ..&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ &lt;/b&gt;અન્નાજી, હવે જોજો તમારા પતંગનો સપાટો. હું પેલી કોંગ્રેસનો પેચ લઉં છું. આગળનું ધાબું. જોયું ને બરાબર? અરે મનીષ, જરા ફિરકી બરાબર પકડજે...હું હાથોહાથમાંથી એવું ખેંચી નાખું કે એના અંગુઠા પર આપણી દોરીના ઘસરકા પડી જાય...એ.એ.એ. લેતા જાવ...કાટ્ટા...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;(ચહેરા પર ખુશાલી છવાઇ જાય છે) આ તો મઝાનું છે.  આવી રીતે આપણે ગમે તેના પતંગ કાપી શકીએ?&lt;/div&gt;&lt;div&gt; &lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ &lt;/b&gt;હાસ્તો. આપણી પાસે ભ્રષ્ટાચારવિરોધનો ધારદાર, કાચવાળો માંજો છે. આ વખતે આપણે વધારે કાચ નંખાવ્યા છે. ભલે આપણા હાથમાં થોડા ઘસરકા પડે, પણ સામેવાળાનું ખેંચી જ કાઢવાનું.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt; બરાબર છે. સત્યાગ્રહ આમ જ થાય. જાતે દુઃખ વેઠીને...પણ એ તો કહો? આપણો પતંગ કેવો છે? ચાંદદાર, આંખોદાર, મથ્થો, પટ્ટી, સીસો, ઘડિયાલી, તારો, ફુદ્દી, બાબલો...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt; તમે તો ઘણા જાણકાર નીકળ્યા. ભારતની જનતા વતી અમે તમને અમસ્તા નેતા  તરીકે પસંદ કર્યા છે? આપણો પતંગ બધા ચીલાચાલુ  પ્રકાર કરતાં જુદો છે. એની પર ગાંધીજીનો ફોટો છે અને ફોટા નીચે તેમનું એક વાક્ય લખ્યું છેઃ ‘મારા ઉપવાસ એ જ મારો સંદેશ’. આપણી ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તરફથી આવા એક લાખ પતંગ બનાવીને દેશભરમાં વહેંચ્યા છે. જુઓને, આખું આકાશ આજે ગાંધીજીના સંદેશાથી ભરાઇ ગયેલું નથી લાગતું?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ&lt;/b&gt; લોકોને આપણા પતંગ એટલા ગમ્યા છે કે મને થાય છે, આ ઉત્તરાયણ બારે મહિના રહે તો કેવું સારું? છાપરે ચડેલા લોકો કદી નીચે જ ન ઉતરે અને આપણા આપેલા પતંગ ચગાવ્યા કરે...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;(એવામાં અન્નાની નજર ધાબાના એક ખૂણે બેઠેલા બાબા રામદેવ તરફ જાય છે.)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;(રામદેવ તરફ જોઇને) આમને શું થયું? કેમ ખૂણામાં બેઠા છે?  નીચેથી તો બહુ હોંશે હોંશે બધો સરંજામ લઇને ઉપર આવ્યા હતા. કહેતા હતા કે આજે કાં તો સામા ધાબાવાળો નહીં કાં હું નહીં. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ&lt;/b&gt; વાત સાચી, પણ પરિણામ આવી ગયું છે. હવે બાબા નથી. સામેવાળાનો પતંગ ચગે છે ને બાબા ધાબામાં તડકો ખાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;કેવી રીતે?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ &lt;/b&gt;આપણી જેમ એમણે પણ ભારતના નકશાવાળો પતંગ ચડાવ્યો ને સામેના ધાબાવાળાનું ખેંચી કાઢવા ગયા. એક વાર તો એ ફાવ્યા, પણ બીજી વાર ધાબાવાળાના એક ચીલે એમના પતંગ પર એવી ગોથ મારી કે બાબાના પતંગની કિન્ના ડાઉન થઇ ગઇ. છેક ઉંચે ચડાવેલો પતંગ તેમણે ઉતારી લેવો પડ્યો ને આજુબાજુના ધાબાવાળાએ ફજેતી કરી- ચિચિયારીઓ પાડી એ નફામાં. ત્યારથી બાબા પતંગ ચગાવવાની ખો ભૂલી ગયા છે. કહે છે કે હું પડ્યો પડ્યો તડકો ખાઇશ ને તમારો પતંગ કોઇની કાપે ત્યારે બૂમો પાડવામાં જોડાઇશ. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;(ધીમા અવાજે) કિરણ, જરા ઘ્યાન રાખજે. એ ક્યાંક આપણી દોરીમાં દાંતી ન પાડે. આ બધાનું કશું કહેવાય નહીં...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;(એવામાં નળીયાનો એક ટુકડો સનસનાટ કરતો ધાબામાં આવીને પડે છે. સહેજ માટે અન્નાને વાગતો રહી જાય છે.)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અન્નાઃ આ પેલા દિગ્વિજયસિંઘનું કારસ્તાન લાગે છે. હું ધાબે આવ્યો ત્યારનો એ કાતરિયાં ખાય છે. એ લોકો આપણો પતંગ કાપી શકતા નથી, એટલે નળિયાં ફેંકવાનાં?  એ ધાબે કોઇ મોટું છે કે નહીં, જે આ બધાને રોકે- ઠપકો આપે?&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt;  એક વડીલ છે, પણ એ ભીષ્મના વંશજ છે. ધાબાના ખૂણે બાણશૈયાના બદલે ખાટલો નાખીને પડ્યા છે. એમનું કોઇ સાંભળતું નથી. આ બઘું જોવું ન પડે એટલે તે પાઘડી કપાળને બદલે આંખો સુધી ઉતારીને સૂઇ ગયા છે.&lt;/div&gt;&lt;div&gt; &lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ &lt;/b&gt;અન્નાજી, પતંગોનું મહાભારત બરાબર જામ્યું છે. આપણો ઢાલ કોઇ કાપી શકે એમ નથી. બસ, પવન આવો ને આવો રહે તો આપણા ઢાલનું આકાશમાં એકચક્રી શાસન રહેશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ &lt;/b&gt;(પાછળ જોઇને) આ ધાબું કોનું છે? મેં શહેરોમાં ધાબા પરથી કદી પતંગ ચગાવી નથી. મારો અનુભવ ગામના મેદાનમાં પતંગ ચગાવવા પૂરતો છે. પણ મને લાગે છે કે પાછળના ધાબાવાળા ધારે તો આપણું ખેંચી કાઢે.&lt;/div&gt;&lt;div&gt; &lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt; (ચહેરા પર આવતું સ્મિત રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં) એમની ચિંતા કરવાની જરૂર નથી, અન્નાજી. એ મિડીયાવાળા છે. તમારી વાત ખરી કે એ ધારે તો આપણું ખેંચી કાઢે, પણ અત્યારે આપણી ખેંચથી કપાયેલા પતંગો લપટાવવામાં એમને એટલી મઝા પડી રહી છે- એટલો ફાયદો છે કે આપણો પતંગ કાપવાનો વિચાર સુદ્ધાં એ ન કરે. ઊલટું, એ તો આંખ મીંચીને આપણને પાનો ચઢાવી રહ્યા છે. હું અમથું અમથું ખેંચું તો પણ એ લોકો જોર જોરથી ‘કાટ્ટા, કાટ્ટા’ના પોકાર પાડે છે.  &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt; વાહ, આવો પવન હોય ને આવા ટેકેદારો હોય તો પતંગ ચડાવવાની ખરી મઝા આવે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt; આવે નહીં, અન્નાજી, આવી જ રહી છે. આખા ગામમાં અત્યારે તમારા પતંગનો સપાટો છે. મોંઘા-ફેન્સી પતંગ ચડાવનારા અત્યારે પિલ્લાં વીંટીને ચૂપચાપ બેસી ગયા છે. એમને બીક છે કે ‘અમે સહેજ ઊંચું કરીશું, તો અન્નાજીનો પતંગ અમને ખેંચી  પાડશે.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt; આને કહેવાય સામાન્ય માણસની પ્રામાણિકતાની તાકાત. (સામા ધાબે જોઇને) પણ ત્યાં આ હિલચાલ શાની દેખાય છે? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કિરણ બેદીઃ &lt;/b&gt;એ લોકો ક્યારના ઝંડો બનાવવામાં પડ્યા છે. બહુ લાંબો ને ગૂંચળાંદાર કાંટાવાળો ઝંડો. સંસદીય પ્રક્રિયાના લાંબા વાંસ સાથે એને બાંધીને ઊંચો કરશે તો...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt; તો શું? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલઃ&lt;/b&gt; કંઇ વાંધો નહીં. આપણે આવા કંઇક ઝંડાને પહોંચી વળ્યા છીએ. હવા છે ત્યાં સુધી આપણા પતંગને જરાય વાંધો નથી. આપણો પતંગ કપાઇ જશે ને હું ખાલી ખાલી ખેંચ્યે રાખીશ, તો પણ લોકો ‘કાટ્ટા..કાટ્ટા...’ કરશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્નાઃ&lt;/b&gt;  એ જ તો છે અસલી લોકશક્તિ. એની સામે ભલભલાને નમવું પડે છે. કોઇનું કંઇ ચાલતું નથી.(આકાશમાં જોઇને) આપણો પતંગ છે ક્યાં અરવિંદ? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલ-બેદીઃ&lt;/b&gt; એ તો બહુ, બહુ જ ઉપર આકાશમાં છે અને પાછો આસમાની છે. એટલે અમને પણ દેખાતો નથી. અમારી પાસે ફક્ત દોરી જ છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;અન્ના&lt;/b&gt; (દોરી હાથમાં પકડીને): હં..ભાર તો લાગે છે, પણ પતંગનું આટલું વજન ન હોય. એવું તો નથી ને કે એ ક્યાંક ભરાઇ પડ્યો હોય?  મને સામા ધાબાવાળા પર જરાય વિશ્વાસ નથી. થોડે આગળ એમનું બીજું એક મકાન છે ગોળાકાર, બહુ થાંભલાવાળું.. કહો ન કહો, પણ આપણો પતંગ ત્યાં ક્યાંક ભરાયો હોય એવું મને લાગે છે... મને અમંગળ વિચારો આવે છે કે એ મકાનના ધાબા પરથી કોઇકે આપણો પતંગ તોડી લીધો છે ને તાર લૂંટવા માટે આપણો દોરો પકડી રાખ્યો છે એટલે આપણને દોરી પર વજન લાગે છે...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;કેજરીવાલ-બેદીઃ&lt;/b&gt; તમે એ બધી ચિંતામાં ન પડો. બસ, તમે અત્યાર સુધી ઊભા રહ્યા એમ અહીં ધાબાની વચ્ચોવચ્ચ ઊભા રહો. બાકી બઘું થઇ પડશે. અમે છીએ ને...&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;(છેલ્લા શબ્દો વઘુ એક વાર ‘કાટ્ટા...કાટ્ટા..’ના પોકારમાં ડૂબી જાય છે.)&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-6572132371166898469?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/6572132371166898469/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_18.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6572132371166898469'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6572132371166898469'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_18.html' title='અન્નામંડળની ઉત્તરાયણ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6426396541483191439</id><published>2012-01-16T22:29:00.001+05:30</published><updated>2012-01-17T07:13:34.338+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='photo'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='homai vyarawala'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='media'/><title type='text'>હોમાયબહેનને અંગત અંજલિ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;ગઇ કાલે સવારે (15-1-2012) હોમાય વ્યારાવાલાનું અવસાન થયું.  ઉંમરઃ ફક્ત 98 વર્ષ.&lt;br /&gt;'ફક્ત' એટલા માટે કે થોડા વખત પહેલાં જ એમણે બીરેનની અને મારી સાથેની વાતચીતમાં એવો ધોખો કર્યો હતો કે 'આજકાલ લોકો 60-70 વર્ષની ઉંમરે સિનિયર સિટિઝન થઇ જાય છે.'&lt;br /&gt;&lt;br /&gt;હોમાયબહેન વિશે ઘણું લખાયું છે. હજું હું પણ 'ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિ માટે લખવાનો છું. છતાં, તેમની સાથેના લગભગ દોઢેક દાયકાના સંપર્ક-પરિચયની સ્મૃતિ અહીં સમરસિયા મિત્રો સાથે વહેંચવાનું અને ગમગીની થોડી હળવી કરવાનું મન છે. મોટા ભાઇ બીરેન (કોઠારી) અને સ્કૂલ-કોલેજકાળના મિત્ર પરેશ પ્રજાપતિ પરિવારોને હોમાયબહેન સાથે એકદમ ઘરોબો હતો. ચરિત્રકાર સબીના ગડીહોક, ત્રણ દાયકા જૂનાં પાડોશી મિસિસ જયશ્રી મિશ્રા, મિસિસ હવેવાલા ઉપરાંત બીરેન-પરેશ જેવા ગણ્યાંગાંઠ્યાં લોકો સાથે કડક ધોરણ ધરાવતાં હોમાયબહેનની આત્મીયતા હતી. તેને કારણે વર્ષે બે-ત્રણ વાર વડોદરા જવાનું થાય ત્યારે બીરેન સાથે હું હોમાયબહેનને મળવા જતો.&lt;br /&gt;(બીરેનના બ્લોગ પર હોમાયબહેનને આત્મીય અંજલિ માટે &lt;a href="http://birenkothari.blogspot.com/2012/01/blog-post_15.html"&gt;http://birenkothari.blogspot.com/2012/01/blog-post_15.html&lt;/a&gt; )&lt;br /&gt;&lt;br /&gt;તેમની સાથેના સંપર્કની શરૂઆત 1997થી થઇ. (જુઓ નીચે મુકેલો અંતર્દેશીય પત્ર). રાજકોટના વડીલ મિત્ર-ફોટોગ્રાફર-કળાકાર રમેશ ઠાકરે હોમાયબહેન વિશે પહેલી વાર માહિતી આપી. મેં બીરેનને વાત કરી. બીરેને વડોદરામાં મહેનત કરીને તેમનું સરનામું શોધી કાઢ્યું. (ત્યારે તે વડોદરામાં આટલાં ઓવર-એક્ઝપોઝ્ડ ન હતાં) મેં તેમને ઇન્ટરવ્યુ માટે પત્ર લખ્યો. જવાબમાં પારસીશાઇ સૌજન્ય ધરાવતો તેમનો અંતર્દેશીય પત્ર આવ્યો. (તારીખ 30-6-97)&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-9mnBTeJkNUg/TxQ8hHjOrzI/AAAAAAAADJM/7gibl7Ep7_I/s1600/letter-1.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://1.bp.blogspot.com/-9mnBTeJkNUg/TxQ8hHjOrzI/AAAAAAAADJM/7gibl7Ep7_I/s400/letter-1.jpg" width="272" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-jwsHqy0miPk/TxQ8qiM9QNI/AAAAAAAADJU/h5q_vMXrGGc/s1600/letter-2.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-jwsHqy0miPk/TxQ8qiM9QNI/AAAAAAAADJU/h5q_vMXrGGc/s400/letter-2.jpg" width="280" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;હોમાય વ્યારાવાલા સાથે પહેલી મુલાકાતઃ 1997માં&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-a6VndEY3Bss/TxQ9Xfg5KXI/AAAAAAAADJs/gnWn0L-zfCU/s1600/urvish-1.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="265" src="http://4.bp.blogspot.com/-a6VndEY3Bss/TxQ9Xfg5KXI/AAAAAAAADJs/gnWn0L-zfCU/s400/urvish-1.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;Homai Vyarawala- Urvish Kothari- 1997&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;...અને એક દાયકા પછી&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-naiFgQAQ6us/TxQ8HgtLg-I/AAAAAAAADIs/o35D7hIT-e4/s1600/100_3805.JPG" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="300" src="http://4.bp.blogspot.com/-naiFgQAQ6us/TxQ8HgtLg-I/AAAAAAAADIs/o35D7hIT-e4/s400/100_3805.JPG" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;Homai Vyarawala- Urvish Kothari, Oct 2010&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;span style="text-align: left;"&gt;તેમની સાથેની પહેલી મુલાકાતના આધારે થોડા સમય પછી એ વખતે વડોદરા, સુરત અને ભાવનગરમાં આવતી અને મારા સંપાદન તળે પ્રગટ થતી 'સંદેશ'ની મહેફિલ પૂર્તિમાં મેં બે ટેબ્લોઇડ પાનાં ભરીને તેમના વિશે (કવર) સ્ટોરી કરી હતી. તેનું પહેલું પાનું.(23-2-1999)&lt;/span&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-LRPitFYQWsM/TxQ9Tg8nTII/AAAAAAAADJk/qDPyqNy0gm0/s1600/story-final.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-LRPitFYQWsM/TxQ9Tg8nTII/AAAAAAAADJk/qDPyqNy0gm0/s400/story-final.jpg" width="281" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;br /&gt;2005માં સરદાર પટેલ વિશેનું મારું પુસ્તક 'સરદારઃસાચો માણસ, સાચી વાત' પ્રકાશિત થયું તેમાં હોમાયબહેને પાડેલી અને સંભવતઃ ક્યાંય ન છપાયેલી બે ખાસ તસવીરો હતી. આ બન્ને હોમાયબહેને પોતાના નેગેટીવના ખજાનામાંથી ખોળી આપી હતી અને બીરેને તેની પ્રિન્ટ કરાવી હતી. તેમાંની એક તસવીર (નીચેની) સરદારના મૃત્યુના દિવસની છે. એ દિવસે હોમાયબહેન દિલ્હીમાં હતાં અને સરદારનું મૃત્યુ-અંતિમ યાત્રા મુંબઇમાં. પોતે ત્યાં જઇ ન શક્યાં તેનો વસવસો હળવો કરવા માટે, 'હિંદુસ્તાન ટાઇમ્સ'ની દિલ્હી ઓફિસની બહાર મુકાયેલા આ ન્યૂઝ ડિસ્પ્લે બોર્ડની તસવીર તેમણે લીધી, જેની પર તારીખની સાથે 'બ્રેકિંગ ન્યૂઝ' તરીકે લખાણ હતું- સરદાર પટેલ ડેડ.&lt;br /&gt;આ તસવીર જોતાંવેંત પરમ મિત્ર-ઉત્તમ ડિઝાઇનર અપૂર્વ આશરની અને મારી એક જ લાગણી હતીઃ 'પુસ્તકનું બેક ટાઇટલ મળી ગયું.' બેક ટાઇટલ પર આ તસવીર ધરાવતું પુસ્તક ગુરુવત્ લેખક નગેન્દ્રવિજયને આપ્યું ત્યારે તેમણે આ તસવીરનાં અને તે લેનારની સૂઝ તથા ઇતિહાસદૃષ્ટિનાં દિલથી વખાણ કર્યાં હતાં.&lt;br /&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-eIWT318Y27Y/TxQ8M3ZbBNI/AAAAAAAADI8/VqQrP45pASg/s1600/ht.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="392" src="http://2.bp.blogspot.com/-eIWT318Y27Y/TxQ8M3ZbBNI/AAAAAAAADI8/VqQrP45pASg/s400/ht.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;(Photo: Homai Vyarawala)&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;br /&gt;'સરદારઃસાચો માણસ, સાચી વાત'ની એક નકલ લઇને બીરેન અને હું હોમાયબહેનને ઘેર ગયા. ઘણાં વર્ષોથી તે પુસ્તકો સ્વીકારતાં નહીં. રાખે તો પણ જોઇને-વાંચીને પાછું આપી દેવા માટે. આ પુસ્તક તેમણે લીધું અને જોઇને ઉપર સુંદર લખાણ સાથે પાછું આપી દીધું. પુસ્તકની આ નકલ મને સૌથી વહાલી છે. તેની પર હોમાયબહેને પુસ્તકની ગુણવત્તા કરતાં વિશેષ પોતાની નમ્રતાનો-મોટાઇનો પરિચય કરાવતાં લખ્યું છેઃ I feel very much honoured for having some of my photos of Sardar Patel published in this memorable book. - Homai Vyarawala, 19-3-05&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-QDQyJaxwDlI/TxQ88u2gAkI/AAAAAAAADJc/EazULyfc5rA/s1600/sardar.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-QDQyJaxwDlI/TxQ88u2gAkI/AAAAAAAADJc/EazULyfc5rA/s400/sardar.jpg" width="302" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;અને આ બીજું સંભારણું. સબીના ગડીહોકે લખેલા તેમના વિશેના અદભૂત પુસ્તક- 'કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા'ની તેમણે ભેટ આપેલી નકલનું ઉઘડતું પાનું&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-mUpAHeDUcHI/TxQ8Izb4ZfI/AAAAAAAADI0/JZHd79G9ICE/s1600/book.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="361" src="http://3.bp.blogspot.com/-mUpAHeDUcHI/TxQ8Izb4ZfI/AAAAAAAADI0/JZHd79G9ICE/s400/book.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;હોમાયબહેને મૃત્યુ પછી પારસી પદ્ધતિથી આખરી વિદાય લેવાને બદલે અગ્નિસંસ્કાર કરાવવાની ઇચ્છા બીરેન, પરેશ અને બીજા મિત્રો આગળ વ્યક્ત કરી હતી. તેમનો તર્ક હતો કે પારસી પદ્ધતિ પ્રમાણે મૃત શરીર ગીધ જેવા પક્ષીઓનો ખોરાક બને, પણ હવે ગીધ રહ્યાં નથી. તેને કારણે ઘણી વાર લાંબા સમય સુધી મૃતદેહનો નિકાલ થતો નથી. એટલે તેમણે અગ્નિસંસ્કાર પર પસંદગી ઢોળી. તેનું ખોટું અર્થઘટન કરતાં મોટાં ભાગનાં અખબારોએ લખ્યું કે 'હિંદુ વિધિથી અંતિમ સંસ્કાર'. હકીકતે, તેમને સ્મશાને લઇ જતાં પહેલાં લગભગ અડધો કલાક સુધી તેમના ઘરે પારસી ધર્મપ્રાર્થના કરવામાં આવી હતી. &lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;(નીચેની તસવીરમાં પારસી ધર્મગુરુ અને હોમાયબહેન સાથે દૂરનું સગપણ ધરાવતા મુંબઇ સ્થિતિ વીરાફ પાવરી, આજે સવારે સાડા આઠની આસપાસ.)&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-ltHl3et4Ksk/TxRJE-oVjhI/AAAAAAAADJ0/vc8IN_60xzU/s1600/Image2030.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-ltHl3et4Ksk/TxRJE-oVjhI/AAAAAAAADJ0/vc8IN_60xzU/s400/Image2030.jpg" width="222" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: center;"&gt;...અને આ વડોદરાનું એ સ્મશાન, જ્યાંથી હોમાયબહેને આખરી વિદાય લીધી&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-GoEbW0NopV4/TxRJtKhkg7I/AAAAAAAADJ8/56HF4TNEXd0/s1600/Image2034.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-GoEbW0NopV4/TxRJtKhkg7I/AAAAAAAADJ8/56HF4TNEXd0/s400/Image2034.jpg" width="298" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;સ્મશાનમાં અપેક્ષા કરતાં બહુ ઓછા માણસ હતા  માંડ પચાસેક હશે. તેમાં ફોટોગ્રાફરોનું ઝુંડ પણ ખરું. હોમાયબહેન જેવાં તસવીરકાર વિશેની પોસ્ટમાં એમની 'જ્ઞાતિ' વિશે શું લખવું? પણ એટલું ચોક્કસ યાદ આવે કે આ વ્યવસાયની ગરીમા જવા લાગી, એટલે હોમાયબહેન તેમાંથી નિવૃત્ત થઇ ગયાં હતાં. લાંબા લાંબા લેન્સ (જેને 'ઝૂમ'ને બદલે 'ઝૂમડા' કહેવાનું મન થાય એ) લઇને આવતા વ્યાવસાયિક તસવીરકારો વિશે મને બે વાતની હંમેશાં નવાઇ લાગે છે. એક તો, આટલા સરસ લેન્સ છતાં તેમને શા માટે વિષયની નજીક ઘેરા ઘાલવા પડે છે? અને બીજું, કોઇ એક જ સબ્જેક્ટની તેમને એકસામટીદસ-પંદર-પચીસ તસવીરો પાડવી પડે, એટલી બધી અસલામતી પોતાની આવડત વિશે તે શા માટે અનુભવતા હશે? કોઇ શિખાઉ ફોટોગ્રાફર એકના એક વિષયની ઢગલાબંધ ક્લિક્સ કરે તો સમજ્યા, પણ પોતાના ક્ષેત્રના આ ધુરંધરો, ફક્ત રોલના રૂપિયા નથી થતા એટલા માટે, અઢળક ક્લિક્સ કરીને શિખાઉની હરોળમાં આવવા શા માટે પ્રયાસ કરતા હશે?&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-1KyC5w-mjMg/TxRLvZ47xKI/AAAAAAAADKE/smbT3w2IC6A/s1600/Image2035.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-1KyC5w-mjMg/TxRLvZ47xKI/AAAAAAAADKE/smbT3w2IC6A/s400/Image2035.jpg" width="338" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;હોમાયબહેનને વિદાય કરીને આવ્યા પછીઃ તેમના ઘરના દીવાનખાનામાં, ઉપર તેમની સાથેની વાતચીતની તસવીરો જ્યાં લેવાઇ છે એ જગ્યાએ, તેમના પ્રિય છોડની સામે પ્રકાશ રેલાવતો તેમની સ્મૃતિનો અખંડ દીવો, જે અમારા જેવા તેમના ઘણા પ્રેમીઓના હૃદયને કાયમ અજવાળતો-હૂંફ આપતો રહેશે. &lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-USJR7RA-cpM/TxRM0NkGYjI/AAAAAAAADKU/9MF6LomAtB4/s1600/Image2048.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://1.bp.blogspot.com/-USJR7RA-cpM/TxRM0NkGYjI/AAAAAAAADKU/9MF6LomAtB4/s400/Image2048.jpg" width="298" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-1K3djfMC27Y/TxRNaMFdaGI/AAAAAAAADKc/uKoC-HLwn-8/s1600/Image2051.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="245" src="http://4.bp.blogspot.com/-1K3djfMC27Y/TxRNaMFdaGI/AAAAAAAADKc/uKoC-HLwn-8/s400/Image2051.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;(હોમાયબહેન વિશે આ બ્લોગ પર અગાઉ લખેલી પોસ્ટ્સની લિન્ક- કુલ છ પોસ્ટ)&lt;br /&gt;&lt;a href="http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala"&gt;http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-6426396541483191439?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/6426396541483191439/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_16.html#comment-form' title='9 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6426396541483191439'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6426396541483191439'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_16.html' title='હોમાયબહેનને અંગત અંજલિ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-9mnBTeJkNUg/TxQ8hHjOrzI/AAAAAAAADJM/7gibl7Ep7_I/s72-c/letter-1.jpg' height='72' width='72'/><thr:total>9</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-8219386797105511318</id><published>2012-01-14T20:07:00.004+05:30</published><updated>2012-01-14T20:07:42.187+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ઉત્તરાયણ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='kites'/><title type='text'>ઉત્તરાયણઃ વીસ વર્ષ પહેલાંના Objects Of Desire</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;ઉત્તરાયણમાં અત્યારે કેટલીક ચીજો બહુ સામાન્ય બની ગઇ છે, પણ બે દાયકા પહેલાં તેમાંથી ઘણી વસ્તુઓ કમ સે કમ મહેમદાવાદ જેવા ગામમાં અને મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા ઘણા લોકો માટે દુર્લભ અથવા બહુમૂલ્ય હતી. લગભગ Objects of Desireની કક્ષામાં. એવી કેટલીક ચીજોનું 'સ્નેહસ્મરણ'.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;div style="text-align: left;"&gt;&lt;b&gt;&lt;span style="color: magenta;"&gt;જાતજાતનાં પીપુડાં&lt;/span&gt;&amp;nbsp;&lt;/b&gt;પહેલાં મોંમાં દબાવીને વગાડવાની દેશી પતાકડીઓ આવતી હતી, જે મોટે ભાગે કાળી નાની પીપુડીમાંથી કાઢીને મોમાં સરકાવવામાં આવતી હતી. હવે ફુગ્ગાથી ફ્લુટ જેવા વિવિધ પ્રકારનાં હવાદાર પીપુડાં છૂટથી મળે છે. બલ્કે, તેના અવાજ વિના પતંગ ન ચડે એવું ઘણા પ્રેમીઓ માનતા હશે.&amp;nbsp;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-kSav6MGGhAI/TxFnrsIafZI/AAAAAAAADHE/Xzv3rCrQiHg/s1600/DSCN7909.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="335" src="http://1.bp.blogspot.com/-kSav6MGGhAI/TxFnrsIafZI/AAAAAAAADHE/Xzv3rCrQiHg/s400/DSCN7909.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;મ્યુઝિક સિસ્ટમઃ&lt;/span&gt;&lt;/b&gt; સાદાં કેસેટ પ્લેયરની વાત નથી, માણસની જેમ ધાબે ચઢીને ઘોંઘાટ મચાવી શકે એવાં મ્યુઝિક પ્લેયર પહેલાં જૂજ હતાં. સ્પીકર, એમ્પ્લીફાયર, પ્લેયરનો દાખડો ધાબે ચઢાવવામાં મુશ્કેલી પડે. એટલું જ નહીં, વડીલો આ ચીજો ઉપર લઇ જવાની પરવાનગી આપે કે કેમ, એ અગત્યનો સવાલ. હવે ધાબાં પર ધમધમતી મ્યુઝિક સિસ્ટમની બિલકુલ નવાઇ રહી નથી.&amp;nbsp;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-Ob0Nf0oxCos/TxGQiMfhOrI/AAAAAAAADIU/ikkGcODTsuU/s1600/system.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://4.bp.blogspot.com/-Ob0Nf0oxCos/TxGQiMfhOrI/AAAAAAAADIU/ikkGcODTsuU/s400/system.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span style="color: purple;"&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: purple;"&gt;ગુંદરપટ્ટીનો રોલ&lt;/span&gt;&lt;/b&gt; કોડી-દોઢ કોડી પતંગ સાથે મફત લેવાની ચીજ હતો. પછી વધારે પટ્ટી વધારે જોઇતી હોય તો થોડો મોટો રોલ ખરીદવો પડે. તેનો રંગ ખાખી હતો, જે પોલીસની વરદી કરતાં જુદો ખાખી હોવા છતાં એટલો જ સત્તાવાર લાગતો હતો. ઉત્તરાયણમાં પતંગોની સારવારનો સત્તાવાર રંગ હતો ખાખી. હવે ગુંદરપટ્ટીને બદલે આવાં સ્ટીકરની શીટ તૈયાર મળે છે. સ્ટીકર ઉખાડો ને પતંગ પર ચોંટાડી દો. &amp;nbsp;લાળરસથી ગુંદરપટ્ટી લગાડવાની કે ગુંદરપટ્ટી ચોંટી-ન ચોંટી એની ઝંઝટ નહીં.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-9ZZQ_6J-g2s/TxFnxwUOheI/AAAAAAAADHM/7jtugRxUr0w/s1600/DSCN7916.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="293" src="http://1.bp.blogspot.com/-9ZZQ_6J-g2s/TxFnxwUOheI/AAAAAAAADHM/7jtugRxUr0w/s400/DSCN7916.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;b style="background-color: white;"&gt;&lt;span style="color: blue;"&gt;ફિરકીનું સ્ટેન્ડઃ&lt;/span&gt;&lt;/b&gt; થોમસ આલ્વા એડિસન ગુજરાતમાં જન્મ્યો હોત તો તેની એકાદ હજાર પેટન્ટમાંથી એકાદ ચોક્કસ ફિરકીના અસરકારક સ્ટેન્ડની હોત. પિલ્લાંના આધુનિક અવતાર જેવી ફિરકી આવી ત્યારથી તેને પકડવા માટે એક જણની જરૂર પડે એવું પરાવલંબન સંકળાઇ ગયું હતું. દરેક વખતે ફિરકી પકડનાર માણસ ક્યાંથી લાવવા? એટલે જુદી જુદી તરકીબો અજમાવાઇ. ઇંટ નીચે કે પતરાની ધારમાં ફિરકીનો એક દાંડો દબાવીને ફિરકી મૂકવાથી કામ ચાલી જતું હતું. અહીં બતાવ્યું છે એવું સ્ટેન્ડ 'ક્રાંતિકારી શોધ' તરીકે આવ્યું ખરું, પણ કાર્યક્ષમતાની દૃષ્ટિએ તે મોટે ભાગે નકામું નીવડે છે. કોઇ એન.આઇ.ડી.-બહાદુર આવું શોધે તો પણ આપણને વાંધો નથી.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-U6eSXyIbf6c/TxFnz4LCLeI/AAAAAAAADHU/ccHsPd60hdI/s1600/DSCN7919.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="200" src="http://1.bp.blogspot.com/-U6eSXyIbf6c/TxFnz4LCLeI/AAAAAAAADHU/ccHsPd60hdI/s400/DSCN7919.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: red;"&gt;સુરતની દોરીઃ&lt;/span&gt;&lt;/b&gt;સુરતના જમણની સાથોસાથ તેની દોરી પણ એટલી જ વખણાતી હતી, પણ એ લાવવાની ક્યાંથી? દરેક વખતે એવા મનસૂબા ઘડાય કે બધા મિત્રોએ ભેગા થઇને સુરતની દોરી મંગાવવી જોઇએ, પણ મોટે ભાગે એવી મહેચ્છાઓ સહેલાઇથી ફળીભૂત ન થતી. ક્યારેક કોઇ ઉત્સાહી જથ્થાબંધના ઓર્ડર લઇને સુરત મુકામે સંચરે ત્યારે જ એવું શક્ય બનતું.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-lWbBZclEG1c/TxFn64P9XFI/AAAAAAAADHk/VqkJq9MxlQE/s1600/DSCN7924.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="311" src="http://2.bp.blogspot.com/-lWbBZclEG1c/TxFn64P9XFI/AAAAAAAADHk/VqkJq9MxlQE/s400/DSCN7924.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: magenta;"&gt;કેપ-ગોગલ્સઃ&lt;/span&gt;&lt;/b&gt; ફક્ત કેપ કે ફક્ત ગોગલ્સ ઉત્તરાયણની એકમાત્ર લક્ઝરી ગણાતી હતી, પણ હવે એ બન્નેનું સંયોજન સહેલાઇથી મળી રહે છે. એ પહેરવા માટે પતંગ ચડાવવી ફરજિયાત નથી.&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-ZqUCxsJ2k00/TxFn9ZQhAtI/AAAAAAAADHs/vRaqfpw0z74/s1600/DSCN7928.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="298" src="http://2.bp.blogspot.com/-ZqUCxsJ2k00/TxFn9ZQhAtI/AAAAAAAADHs/vRaqfpw0z74/s400/DSCN7928.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;b&gt;&lt;span style="color: purple;"&gt;ચકાચક દોરીઃ&lt;/span&gt;&lt;/b&gt; ત્રીસેક વર્ષ પહેલાં ઘરની પતરાંની અગાસીમાં સરોશ વગેરે નાખેલી ગુલાબી લુગદીમાં દોરી પીવડાવવાની ક્રિયા થઇ હતી, એ હજુ યાદ છે. પણ હવે ગુજરાતના મેદાનમાં બરેલીના ઉસ્તાદો આવી ગયા છે.&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-ox7n40grDV8/TxFn16sfVyI/AAAAAAAADHc/ZHy92sMhw60/s1600/DSCN7920.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="161" src="http://3.bp.blogspot.com/-ox7n40grDV8/TxFn16sfVyI/AAAAAAAADHc/ZHy92sMhw60/s400/DSCN7920.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-MW9kwwGhICo/TxFoDQVNScI/AAAAAAAADH0/7cBI3Js95lU/s1600/DSCN7957.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="368" src="http://1.bp.blogspot.com/-MW9kwwGhICo/TxFoDQVNScI/AAAAAAAADH0/7cBI3Js95lU/s400/DSCN7957.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;b&gt;&lt;span style="color: red;"&gt;બાયનોક્યુલરઃ&lt;/span&gt;&lt;/b&gt; હિંદી કોમેન્ટરીની ભાષામાં કહીએ તો 'ખચાખચ ભરેલા' ધાબામાં પહેલાં બાયનોક્યુલરમાંથી જેને જોઇ શકાય તેની તલાશ ચાલે અને પછી બાયનોક્યુલરની.&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-bklrDIcS59w/TxFoGM9Gh1I/AAAAAAAADH8/E81EPqvypws/s1600/DSCN7974.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="170" src="http://2.bp.blogspot.com/-bklrDIcS59w/TxFoGM9Gh1I/AAAAAAAADH8/E81EPqvypws/s400/DSCN7974.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;b&gt;&lt;span style="color: purple;"&gt;તુક્કલઃ&lt;/span&gt;&lt;span style="color: blue;"&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;/b&gt;&lt;span style="text-align: center;"&gt;શિયાળાની સાંજ વહેલી ઢળે અને અંધારું ઘેરાય એટલે દિવસે સ્થિર ગણીને જુદા તારવેલા પતંગ નીકળે. મોટે ભાગે મોટા (ભારે) સફેદ પતંગ. તેને થોડા ચડાવીને પછી તેની સાથે ફાનસ બંધાય. મોટા પતંગ માટે વપરાતો 'તુક્કલ' શબ્દ ફાનસ માટે જ વપરાતો હોય. આખા ગામમાં તુક્કલ ચઢાવનારા પતંગબાજ જૂજ હોય. બાકીના ધાબે તુક્કલ જોવા ચડે. પણ હવે તસવીરમાં છે એવા ગુબ્બારા આકાશે ચડતા અને ઊંચે ઊંચે જતા જોવા મળે છે.&amp;nbsp;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-ZgXtJiDOBU4/TxGRraAXyyI/AAAAAAAADIk/kWU06AuNWWU/s1600/tukkal.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="157" src="http://4.bp.blogspot.com/-ZgXtJiDOBU4/TxGRraAXyyI/AAAAAAAADIk/kWU06AuNWWU/s400/tukkal.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;હાથે બાંધેલી પટ્ટીઓ&lt;/span&gt;&lt;/b&gt; તેની પર લાગેલા ઘસરકા, પટ્ટી પર અને હથેળીઓમાં લાગેલો ગુલાબી રંગ- આ બધું ઉત્તરાયણમાં કરેલી મઝા વિશે કશું કહ્યા વગર ઘણું કહી આપે છે.પહેલાં આંગળીએ પહેરવા માટે કપડાની ખોરી બનતી હતી. તેવી રબરની ખોરી પણ આવતી. ઘણા વખતથી આ પ્રકારની ટેપ ચાલે છે.&amp;nbsp;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-KOGZ98mcQos/TxFoIIiDfVI/AAAAAAAADIE/_3FaNNNrm7A/s1600/hands.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="315" src="http://1.bp.blogspot.com/-KOGZ98mcQos/TxFoIIiDfVI/AAAAAAAADIE/_3FaNNNrm7A/s400/hands.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;b&gt;&lt;span style="color: magenta;"&gt;લચ્છી&lt;/span&gt;&lt;/b&gt; પતંગ પકડતી વખતે તેની સાથે આવતી દોરીની આ રીતે લચ્છી બનાવવામાં આવતી હતી. 'ભાર દોરીમાં' પકડેલી પતંગની જાડી લચ્છી જોઇને શેર લોહી ચડતું હતું. પતંગને લગતા કૌશલ્યમાં અંગુઠા અને ટચલી આંગળીની મદદથી લચ્છી વીંટવાના કૌશલ્યનો સમાવેશ પણ થતો હતો. ઉત્તરાયણ પૂરી થયા પછી બહુરંગી લચ્છીઓના વિલિનીકરણમાંથી પરચૂરણ દોરીનું પિલ્લું બનાવવામાં આવતું હતું, જેનો ઉપયોગ પછીની ઉત્તરાયણના પહેલાંના દિવસોમાં પતંગ ચગાવવા કે પછી કન્ના બાંધવા થતો હતો. હવે લચ્છીઓનો એવો દબદબો રહ્યો નથી.&amp;nbsp;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-TvhU4_E8pNM/TxFoY9xKHuI/AAAAAAAADIM/LjAMVvkM_ec/s1600/lachhi.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="363" src="http://3.bp.blogspot.com/-TvhU4_E8pNM/TxFoY9xKHuI/AAAAAAAADIM/LjAMVvkM_ec/s400/lachhi.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;b&gt;&lt;span style="color: red;"&gt;પતંગ પકડતો કુદરતી 'ઝંડો'&lt;/span&gt;&lt;/b&gt; આકાશભરની પતંગો આબાદ ઝડપી લેતા વૃક્ષોને જોઇને ઘણી વાર એવું થતું કે આવો એકાદ 'ઝંડો' હાથવગો હોય તો બધી પતંગ આપણે જ પકડી પાડીએ.&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-znmAQxW_epk/TxFnn8eh9JI/AAAAAAAADG8/yUnU9ZukS20/s1600/zad.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="300" src="http://3.bp.blogspot.com/-znmAQxW_epk/TxFnn8eh9JI/AAAAAAAADG8/yUnU9ZukS20/s400/zad.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-8219386797105511318?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/8219386797105511318/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/objects-of-desire.html#comment-form' title='5 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/8219386797105511318'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/8219386797105511318'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/objects-of-desire.html' title='ઉત્તરાયણઃ વીસ વર્ષ પહેલાંના Objects Of Desire'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-kSav6MGGhAI/TxFnrsIafZI/AAAAAAAADHE/Xzv3rCrQiHg/s72-c/DSCN7909.jpg' height='72' width='72'/><thr:total>5</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-8163715216119824055</id><published>2012-01-13T23:06:00.000+05:30</published><updated>2012-01-13T23:06:28.533+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='festival'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ઉત્તરાયણ'/><title type='text'>ઉત્તર-અયનની પૂર્વ-તૈયારી</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;પતંગપ્રેમીઓને બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ રંગ દેખાય&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-WgcyXBFehIE/TxBoXCMX5eI/AAAAAAAADG0/dJt2Cd0q-q4/s1600/DSCN7901.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="298" src="http://3.bp.blogspot.com/-WgcyXBFehIE/TxBoXCMX5eI/AAAAAAAADG0/dJt2Cd0q-q4/s400/DSCN7901.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;કાલની સવાર પડે એટલી વાર છે...&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-Lc1bkf-C_4I/TxBn4Xlr6BI/AAAAAAAADFk/GwK5lYWoB60/s1600/a-s.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-Lc1bkf-C_4I/TxBn4Xlr6BI/AAAAAAAADFk/GwK5lYWoB60/s400/a-s.jpg" width="397" /&gt;&lt;/a&gt;દે&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;મોબાઇલથી કન્ના બંધાતી હોત તો...&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/--bBr4nauG9A/TxBn7POXLcI/AAAAAAAADFs/p5PPo-_J_VY/s1600/DSCN7811.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/--bBr4nauG9A/TxBn7POXLcI/AAAAAAAADFs/p5PPo-_J_VY/s400/DSCN7811.jpg" width="373" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;પતંગ સહકારી મંડળી&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-bvj-jXXqyHo/TxBoBEKkX6I/AAAAAAAADF8/xj99hRIQ-ck/s1600/DSCN7844.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="298" src="http://4.bp.blogspot.com/-bvj-jXXqyHo/TxBoBEKkX6I/AAAAAAAADF8/xj99hRIQ-ck/s400/DSCN7844.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-NU82EbP54-o/TxBoFGTVCRI/AAAAAAAADGE/0QIbjrQ0tog/s1600/DSCN7849.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="298" src="http://4.bp.blogspot.com/-NU82EbP54-o/TxBoFGTVCRI/AAAAAAAADGE/0QIbjrQ0tog/s400/DSCN7849.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;આંખોમેં ક્યા જી...&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-U-7B49F4bCg/TxBoIl1aazI/AAAAAAAADGM/6sm8p-rxboM/s1600/DSCN7854.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://4.bp.blogspot.com/-U-7B49F4bCg/TxBoIl1aazI/AAAAAAAADGM/6sm8p-rxboM/s400/DSCN7854.jpg" width="377" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: center;"&gt;પતંગના 'કાન' પણ પારકી મા વીંધે&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-43lAsakN__E/TxBoSyWOnXI/AAAAAAAADGk/ee4CJ0yCJ4k/s1600/DSCN7879.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="377" src="http://1.bp.blogspot.com/-43lAsakN__E/TxBoSyWOnXI/AAAAAAAADGk/ee4CJ0yCJ4k/s400/DSCN7879.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;'કન્ના' ઉર્ફે 'કન્યા' શબ્દ સંસ્કૃત 'કર્ણ' પરથી બન્યો છે. 'કર્ણ'નો એક અર્થ છે 'સુકાન'.&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/--DraQb44pHQ/TxBoLPMSG5I/AAAAAAAADGU/fNviiYxqItI/s1600/DSCN7859.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://4.bp.blogspot.com/--DraQb44pHQ/TxBoLPMSG5I/AAAAAAAADGU/fNviiYxqItI/s400/DSCN7859.jpg" width="248" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-knaXPhfFXow/TxBoU9uRSvI/AAAAAAAADGs/7HJHAldOQr4/s1600/DSCN7886.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="287" src="http://2.bp.blogspot.com/-knaXPhfFXow/TxBoU9uRSvI/AAAAAAAADGs/7HJHAldOQr4/s400/DSCN7886.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-8163715216119824055?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/8163715216119824055/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_7834.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/8163715216119824055'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/8163715216119824055'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_7834.html' title='ઉત્તર-અયનની પૂર્વ-તૈયારી'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-WgcyXBFehIE/TxBoXCMX5eI/AAAAAAAADG0/dJt2Cd0q-q4/s72-c/DSCN7901.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-824582491281731318</id><published>2012-01-13T11:17:00.001+05:30</published><updated>2012-01-13T11:21:33.266+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>સ્વેટરઃ સ્ટાઇલ કે શરણાગતિ?</title><content type='html'>&lt;div&gt;ઉનાળામાં પહેરવાના ઝીણા સદરા ભલે ‘કૂલર’ ન કહેવાતા હોય, પણ શિયાળામાં પહેરાતા ડગલા ‘સ્વેટર’- સ્વેટ(પરસેવો) પેદા કરનાર- તરીકે ઓળખાય છે. નામ પરથી સ્પષ્ટ છે કે સ્વેટર અંગ્રેજ સંસ્કૃતિની દેન છે. સવારે પાંચ વાગ્યે ઉઠીને, માથે ટાઢાહિમ પાણીના લોટા રેડવાનો મહિમા ધરાવતા ભારતવર્ષમાં સ્વેટર ઉર્ફે પ્રસ્વેદકનું શું કામ? ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’ના દેશ ભારતમાં પરસેવાનો મહિમા છે એ ખરું, પણ સ્વેટર પહેરવાથી થયેલો પરસેવો સિદ્ધિનો નહીં, બફારાનો સૂચક છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સ્વેટરનો વર્તમાન રંગીન અને વૈવિઘ્યપૂર્ણ લાગે, પણ તેનો ઇતિહાસ ખાસ પ્રભાવશાળી નથી. રાણા પ્રતાપ કે મહાબલિ અકબર શિયાળાટાણે સ્વેટર પહેરીને દરબારમાં બેઠા હોય અથવા કોઇ દરબારીને તેની હેસિયત કરતાં વધારે મોંધુ સ્વેટર પહેરીને આવવા બદલ દંડ કર્યો હોય એવું જાણ્યું નથી. અકબર-બિરબલની રમૂજોમાં ગામ આખાની પંચાત છે, પણ ક્યાંય સ્વેટરનો ઉલ્લેખ આવતો નથી. રણે ગયેલા પતિની રાહ જોતી રજપૂતાણીઓ કિલ્લામાં બેસીને સ્વેટર ગૂંથતી હોય એવું ઇતિહાસમાં ક્યાંય નોંધાયું નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;શિયાળામાં સ્વેટર પહેરવું એ સ્ટાઇલ છે કે શરણાગતિ, એના વિશે વ્યાપક મતભેદ છે. જનસમુહનો એક વર્ગ એવો છે, જેને નવરાત્રિની મોડી રાતે આછી આછી ઠંડીનો અહેસાસ થાય ત્યારથી સ્વેટરનાં સ્વપ્નાં આવવા લાગે છે. તેમનો સ્વેટરપ્રેમ એટલો તીવ્ર છે કે શરીરના ઉપરના ભાગની જેમ, પગનું સ્વેટર આવતું હોય તો એ પણ તે પહેરે. પહેરવા-ઓઢવાના પ્રેમીઓને શિયાળો વઘુ એક વસ્ત્ર પહેરવાની અને તેમાં પોતાની સ્ટાઇલ બતાવવાની તક પૂરી પાડે છે. એવા લોકો સાડી કે શર્ટની જેમ સ્વેટર પણ મેચિંગનાં રાખે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મોંઘા ભાવનાં ફેશનેબલ સ્વેટર પહેરીને મહાલતા લોકોને જોઇને બીજો વર્ગ કતરાય છે. સ્વેટર પહેરીને સ્ટાઇલ મારનાર પ્રત્યે તેમના મનમાંથી ખીજ અને દયાનાં તરંગો છૂટે છેઃ ‘કેવા પામર છે આ લોકો? સહેજ ઠંડી પડી નથી કે ડગલા ચડાવ્યા નથી. આટલીક અમથી ઠંડી સહન ન થાય એવા માયકાંગલા જીવનમાં શું કરવાના? અને પાછા સ્વેટર પહેરીને ફેશનો મારે છે. આઝાદ રહીને ઠંડી વેઠવાને બદલે સ્વેટરની ગુલામીથી રાજી થતાં આ લોકોને કંઇ થતું નહીં હોય? ખરેખર, હવે સમજાય છે કે આપણે શા માટે આટલાં વર્ષ ગુલામ રહ્યા.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આવા આક્રમક વિચાર ધરાવતા લોકોને સ્વેટર પહેરાવવું એ તોફાની ઘોડાને લગામ પહેરાવવા જેવું કામ છે. તેના માટે પહેલાં બળજબરી અને ભયનો સહારો લેવામાં આવે છે. શિયાળાનો પવન કેવો ખતરનાક હોઇ શકે, તે નાક-કાન-છાતી-માથામાં જાય તો તેનાં કેવાં ભયંકર પરિણામ આવે, એની ડરામણી સંભાવનાઓ સ્વેટર પ્રત્યે તિરસ્કાર ધરાવતા લોકોના લાભાર્થે પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ શિયાળાનો પવન ખમી-ખાળી શકનારા પર આવી કથાઓના વાયરાની કશી અસર થતી નથી. તેમને એવું લાગે છે જાણે પોતે કોઇ ક્રાંતિકારી હોય ને સરકારી સાક્ષી બની જવા માટે તેમની સમજાવટ થતી હોય. પણ ‘અમારું કહ્યું માની લો તો સજા માફ ને ન માનો તો ફાંસી’ એવી સ્કીમ તેમના ક્રાંતિકારી મિજાજને ટાઢો પાડી શકતી નથી. સ્વેટર પહેરવું એ તેમને ઠંડી સામેના જંગમાં શરણાગતિ સ્વીકારી લેવા જેવું લાગે છે. તેમને શહીદી- એટલે કે શરદી- મંજૂર છે, શરણાગતિ નહીં. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બળપ્રયોગ અને દબાણ નિષ્ફળ નીવડતાં પ્રેમનો-પટામણીનો સહારો લેવામાં આવે છે. ‘જો તું સ્વેટર નહીં પહેરે તો હું પણ નહીં પહેરું અને મને કંઇ થાય તો જવાબદારી તારી.’ એવા ત્રાગાથી માંડીને ‘તને ઠંડી ન અડતી હોય તો કંઇ નહીં, મારો પ્રેમ અડે છે કે નહીં? સ્વેટર ન પહેરે તો મારા સમ.’ એવો લાગણીતરબોળ દુરાગ્રહ થાય છે. છેવટે, વચલા રસ્તા તરીકે માણસ ઘરમાંથી સ્વેટર પહેરીને નીકળે છે અને ઘરવાળાં જોઇ શકે ત્યાં સુધી એ પહેરેલું રાખે છે. ટ્રાફિકપોલીસના લાભાર્થે હેલ્મેટ પહેરતા અને પોલીસથી થોડા આગળ નીકળ્યા પછી તરત હેલ્મેટ કાઢી નાખતા લોકોની જેમ, પરાણે સ્વેટર પહેરનારા ઘરથી દૂર ગયા પછી સ્વેટર કાઢી નાખે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;હાથી જીવતો લાખનો ને મરેલો સવા લાખનો થાય તેમ, સ્વેટર પહેર્યું હોય ત્યારે તેનો ભાર મણ ને કાઢી નાખ્યા પછી એ સવા મણનો લાગે છે. તેની ગડી વાળતાં ખાસ્સો જાડો ટેકરો થાય છે, જે ઓફિસબેગમાં સમાતો નથી. હાથમાં પકડવા જતાં તે એક હાથ રોકી રાખે છે. તેને થાળે કેમ કરીને પાડવું એની ચિંતામાં ઘણી વાર ઠંડીનો અહેસાસ જતો રહે છે.  છેવટે લોકો સ્વેટર પીઠ પર ને તેની બાંયો ગળામાં બાંધીને કે કમર પર બાંયોની ગાંઠ મારીને સ્વેટરના બંધન દ્વારા મુક્તિનો પ્રયાસ કરી જુએ છે. આ પદ્ધતિઓ ફેશનેબલ હોવા છતાં, તેમાં ‘ગાંઠ છૂટ્યાની વેળા’ ગમે ત્યારે આવી જવાનો અજંપો રહી શકે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સ્વેટરમાં પ્રકારવૈવિઘ્યનો પાર નથી. આખી બાંયનું, અડધી બાંયનું, બાંડિયું, ‘વી’ ગળાનું, બંધ ગળાનું, જાડું, પાતળું, બટનવાળું, ચેઇનવાળું, અટેચ્ડ ટોપીવાળું, કોલરવાળું...આ ઉપરાંત બંડી, (જવાહર)જાકિટ અને અંગ્રેજી જેકેટ પણ સ્વેટર તરીકે ખપમાં લેવાય છે. આ દરેક ધારણ કરવાનો જુદો સલીકો અને અલગ શિસ્ત છે. સ્વેટરમાં સૌથી પહેલો પ્રશ્ન તેને ક્યાંથી પહેરવું - ગળેથી કે હાથથી- એ છે. મોટા ભાગના લોકો બાંયવાળા સ્વેટરમાં પહેલાં બે બાંયમાં પોતાના બે હાથ એવી રીતે નાખી દે છે, જાણે રીઢો ગુનેગાર સામે ધરાયેલી હાથકડીમાં પોતાનાં કાંડા આપી દેતો હોય. સ્વેટરની બાંયો ‘યે હાથ મુઝે દે દે ઠાકુર’ની મુદ્રામાં લટકતી હોય છે. તેમાં હાથ પ્રવેશી જાય પછી ગળાનો વારો આવે છે. અહીં ફરી એક વાર શહીદોની યાદ તાજી થાય છે. દેશ કાજે કુરબાન થતા શહીદો જે ઉત્સાહથી ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં નાખી દે, એવી જ ઉત્સુકતાથી સ્વેટર પહેરનાર બન્ને બાંયો વચ્ચેનો ગાળિયો પોતાના ગળામાં પહેરાવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બીજી પદ્ધતિ જરા દુર્ગમ છે. તેમાં સૌથી પહેલાં સૂતરની આંટી પહેરવાની હોય એવી રીતે સ્વેટરનું ‘ગળું’ પોતાના ગળામાં ઉતારવામાં આવે છે. ત્યાર પછી બે બાંયોમાં વારાફરતી હાથ નાખવામાં આવે છે.  હાથને આંખો હોતી નથી. એટલે ઘણી વાર હાથને બાંયનું પ્રવેશદ્વાર જડતું નથી. તે અટવાયા કરે છે. એક તરફ સ્વેટર ગળામાં ઉતારવાને કારણે વિખરાયેલા માથાના વાળ અને એમાં વળી બાંયમાં પ્રવેશવા માટે ફાંફાં મારતા હાથ- આ સમયે માણસની ચિડાવાની સંભાવનાઓ સૌથી વઘુ રહે છે. કોઇ માણસ આખી બાંયનું સ્વેટર કાઢતો કે પહેરતો હોય ત્યારે બને ત્યાં સુધી એને વતાવવો નહીં. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;કફનની જેમ ઘણાં સ્વેટરને પણ ખિસ્સું હોતું નથી. એટલે સ્વેટર પહેર્યા પછી પુરૂષોને શર્ટના ખિસ્સા સુધી હાથ પહોંચાડીને,  તેમાં ખૂણેખાંચરે પડેલી ચીજ બહાર કાઢવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે. સ્વેટરની સુવિધા ગુમાવ્યા વિના તેનાથી પડતી અગવડો ટાળવા માટે કેટલાક લોકો બાંડિયું સ્વેટર શર્ટની નીચે પહેરે છે. તેનો ફાયદો એ છે કે દૂરથી જોતાં માણસે સ્વેટર નહીં, પણ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોય એવું લાગે. એ બહાને નેતા બનવાની થોડી પ્રેક્ટિસ પડે છે અને બુલેટપ્રૂફ જેકેટ પહેરીને વીઆઇપી દેખાનારાને કેવો અહેસાસ થતો હશે તેનો થોડો ખ્યાલ પણ આવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સ્વેટર સામાન્ય રીતે ઠંડી દૂર કરે છે, પરંતુ ઘણા નબળા મનના લોકોને બીજાએ પહેરેલું સ્વેટર જોઇને ઠંડી ચડી શકે છે. તેમના માટે શિયાળાનો પર્યાય ઠંડી નહીં, પણ સ્વેટર હોય છે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-824582491281731318?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/824582491281731318/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/824582491281731318'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/824582491281731318'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_13.html' title='સ્વેટરઃ સ્ટાઇલ કે શરણાગતિ?'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-5034502760065626881</id><published>2012-01-10T07:08:00.004+05:30</published><updated>2012-01-10T07:27:02.037+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='2012'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='religion'/><title type='text'>પ્રલય ૨૦૧૨: ટાઢા પહોરની આગાહીનો ધીકતો ધંધો</title><content type='html'>&lt;a href="http://4.bp.blogspot.com/-ErJXu8US8uA/TwuZMcrBoQI/AAAAAAAADFc/h4h1MdbMGio/s1600/2012-Doomsday-December21.jpg"&gt;&lt;img style="display:block; margin:0px auto 10px; text-align:center;cursor:pointer; cursor:hand;width: 308px; height: 400px;" src="http://4.bp.blogspot.com/-ErJXu8US8uA/TwuZMcrBoQI/AAAAAAAADFc/h4h1MdbMGio/s400/2012-Doomsday-December21.jpg" border="0" alt="" id="BLOGGER_PHOTO_ID_5695814592874258690" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;div&gt;મનુષ્યજાતિની કેટલીક પ્રિય કલ્પનાઓમાંની એક છેઃ સર્વનાશ. નોસ્ત્રાડેમસ જેવાની આગાહીઓનાં નામે ચાલતા ગપગોળા હોય કે ‘સ્કાયલેબ’ જેવી અવકાશી પ્રયોગશાળા પૃથ્વી પર ખાબકવાનો પ્રસંગ, અમુક દિવસ પૃથ્વી પર માણસજાતનો છેલ્લો દિવસ છે એવી ભયંકર કલ્પના કરવાની ઘણા લોકોને બહુ મઝા આવે છે. ફેસબુક-ટિ્‌વટર પહેલાંના યુગમાં પણ આવી કલ્પનાઓને ‘વાઇરલ’ થઇ જતાં- વાયુવેગે ફેલાઇ જતાં વાર લાગતી ન હતી.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બઢાવીચઢાવીને તેની વાતો કરવામાં લોકોને પડતો રસ હજુ ઓછો થયો નથી. પહેલાં ફક્ત લિખિત કે મૌખિક શબ્દથી ચલાવી લેવું પડતું હતું. પછી ફિલ્મો આવી. લોકો પોપકોર્ન ખાતાં ખાતાં પ્રલયનાં ખતરનાક દૃશ્યો માણતા થયા. પ્રલયની આગાહીઓ, અફવાઓ અને ગપગોળાથી પ્રસાર માઘ્યમો આડકતરો ધંધો અને બીજા અનેક  સીધો ધંધો કરવા લાગ્યા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ત્રણેક વર્ષ પહેલાં ‘૨૦૧૨’/2012 ફિલ્મ આવી ત્યારથી વર્ષ ૨૦૧૨માં સૃષ્ટિના અંતની અટકળો અને તેને લગતી ચર્ચાઓ ચગી છે.  અમેરિકાની પ્રાચીન મય સભ્યતા/Maya Civilizationના કેલેન્ડરનો અંત ડિસેમ્બર ૨૧,૨૦૧૨ના રોજ આવે છે. એ હકીકત આગળ ધરીને ‘વર્ષ ૨૦૧૨ની ૨૧મી ડિસેમ્બર મનુષ્યજાતિનો છેલ્લો દિવસ છે’ એવું અર્થઘટન રજૂ વહેતું મૂકાયું હતું. ઘણા અભ્યાસીઓ પ્રલય ભાખતા અર્થઘટનને સ્વીકારતા નથી. તાર્કિક દૃષ્ટિએ મુખ્ય મુદ્દો કેલેન્ડરના અર્થઘટનનો અને એક કેલેન્ડરના અંત પછી ચક્રાકારે નવું કેલેન્ડર શરૂ થાય કે સૃષ્ટિનો અંત આવી જાય એ છે. પ્રલયના ગપગોળાને હસી કાઢતા લોકો (સાચી રીતે) એમ પણ કહે છે કે મય લોકો પોતાની સભ્યતાનો અંત ક્યારે આવવાનો  એ તો જોઇ શક્યા નહીં- સૃષ્ટિનો અંત બહુ દૂરની વાત છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પ્રલયની આગાહીનો વિરોધ કરનારાની દલીલોનો પાયો નક્કર અભ્યાસ અને વિજ્ઞાન છે, પરંતુ પ્રલયની કલ્પના ફેલાવવી, તેનાથી ગભરાવું અને તેની રોકડી કરી લેવી એ માણસની મૂળભૂત વૃત્તિ-પ્રવૃત્તિ-પ્રકૃતિ છે. આ બન્નેનો મુકાબલો થાય ત્યારે સ્વાભાવિક રીતે જ માણસની વૃત્તિ તરફનું પલ્લું નમી જાય છે. એટલે ‘કશું થવાનું નથી’ એવું માનનારા ઘણા લોકો ‘તૈયારી રાખવામાં (થોડાં નાણાં સિવાય) શું જાય છે? એ બહાને થોડી મઝા કરીશું.’ એવું વલણ અપનાવે છે અને પ્રલયને ધંધાનો ટાઇમ બનાવી નાખવામાં મદદરૂપ થાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આંતરરાષ્ટ્રિય સામયિક ‘ટાઇમ’ના જાન્યુઆરી ૯,૨૦૧૨ના અંકમાં સૃષ્ટિના સંભવિત અંતને કેન્દ્રમાં રાખીને ઠંડે કલેજે અને ટાઢા પહોરે થોડાં સૂચન કરવામાં આવ્યાં છે. તેમાં વોશિંગ્ટનમાં શરૂ થનારા નવા રોલર કોસ્ટરમાં ઊભા રહેવાથી માંડીને ઘરમાં બેસીને ‘ગોડઝિલા’ ફિલ્મની નવી બહાર પડનારી હાઇ ડેફિનેશન ડીવીડી જોવાના વિકલ્પ આપવામાં આવ્યા છે. મરવાનું જ હોય તો સ્ટાઇલથી શા માટે ન મરવું? અને આ બઘું કર્યા પછી જીવી જઇએ તો મૂરખ બનવાનો રંજ નહીં.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જે આવવાનો નથી એવા પ્રલયને શાનથી વધાવવા માટે  ઇન્ટરનેટ પર કોઇએ ‘રેવ ટુ ધ ગ્રેવ’ નાચતાં-ગાતાં કબરભેગા થાવ,  એવો મસ્તીભર્યો વિચાર વહેતો મૂક્યો. સૃષ્ટિના ‘અંતિમ દિવસો’ (૨૦-૨૧ ડિસેમ્બર) દરમિયાન નાચગાનની પાર્ટી હોય તો કેવી મઝા આવે? એવો એ તુક્કો હવે તીર બની રહ્યો હોય એવું લાગે છે. ‘ટાઇમ’ની નોંધ પ્રમાણે, નોર્વેના પાટનગર ઓસ્લોમાં યોજાનારી એ પાર્ટીમાં ખરેખર લગભગ ૧૪ હજાર લોકોએ જોડાવાનો ઇરાદો (‘ફેસબુક’ દ્વારા) વ્યક્ત કર્યો છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અમેરિકામાં ૩૫ હજાર ડોલર ખર્ચવા સક્ષમ લોકો એક વર્ષ સુધી ટકી રહેવાય એટલી સાધનસામગ્રી ધરાવતા ભૂગર્ભ આવાસમાં  જગ્યા નોંધાવી શકે છે. અમેરિકાનાં ચાર રાજ્યોમાં આ જાતના આવાસ ડિસેમ્બર મહિના સુધીમાં તૈયાર થઇ જશે. જેમને મંદીની ખાસ અસર ન થઇ હોય એવા માલેતુજારો માટે વધારે આકર્ષક સ્કીમ પણ છેઃ ૧૦ લાખ ડોલરમાં અમેરિકાના કાન્સાસ રાજ્યમાં આવેલા મિસાઇલ મથક પર અડધો માળ ખરીદી શકે છે. તેમાં મોટો સ્ક્રીન ધરાવતા એલઇડી ટીવીથી  માંડીને બીજી ઘણી સુવિધાઓ મળે છે. આ બધી યોજનાઓ અત્યારે ‘દોડો, દોડો, બુકિંગ ચાલુ છે’ અવસ્થામાં છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘૨૦૧૨’, ‘એન્ડ ઓફ ધ વર્લ્ડ’ જેવા શબ્દોના નામે ઇન્ટરનેટ પર વેબસાઇટ અને બ્લોગની ગીરદી જામી છે. ‘યુ ટ્યુબ’ પર ૨૦૧૨ અને પ્રલયને લગતા વિડીયોની સંખ્યા હજારોમાં નહીં, લાખમાં છે. ‘હાઉ ટુ સરવાઇવ ૨૦૧૨’ (પ્રલય સામે શી રીતે ટકી રહેવું)થી ‘કોન્કર ૨૦૧૨’ (પ્રલય પર જીત મેળવો) જેવાં અનેક ગતકડાં એકદમ ગંભીરતાપૂર્વક ઇન્ટરનેટ પર ચાલી રહ્યાં છે. ચોતરફ પ્રલય વિશે જાતજાતની અઘૂરી-અધકચરી-મનઘડંત-ખોટી અને ભેળસેળિયા માહિતીનો ભય અને આશાના સુવિધાજનક પેકિંગમાં વેપલો મંડાયો છે. ૨૦૧૨ના પ્રલયશાસ્ત્ર માટે વપરાતો ખાસ શબ્દ છેઃ  ટુ થાઉઝન્ડ ટ્‌વેલોલોજી. તેને લગતાં પુસ્તકો, ફિલ્મો, ડોક્યુમેન્ટરી જેવી ચીજોની ઇ-હાટડીઓ ખુલી ગઇ છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પ્રલયની જૂની-નવી વાતો, નોસ્ત્રાડેમસ, મય સભ્યતાની ઐતિહાસિક માહિતી જેવા વિષયો પરની સામગ્રી ગ્રાહકોને લલચાવી રહી છે. ‘૨૦૧૨’, ‘ડૂમ્સડે’ (પ્રલય), ‘અપોકેલિપ્સ’ (કયામતની ઘડી જેવો સાક્ષાત્કારનો દિવસ), ‘એન્ડ ઓફ સિવિલાઇઝેશન’ (સભ્યતાનો અંત) જેવાં લેબલ ધરાવતી ચીજો ચપોચપ વેચાઇ જાય છે. એવી ચીજોમાં ટી-શર્ટ, ઘડિયાળો, રમકડાં, કેલેન્ડર, સિક્કાથી માંડીને આઇ-ફોન, આઇ-પેડ પર પ્રલયની ઘડીનું કાઉન્ટડાઉન કરતી એપ્લિકેશન્સ/એપ્સ સુધીનું વૈવિઘ્ય જોવા મળે છે. દુબઇની એક ફેશન કંપનીએ વર્ષ ૨૦૧૨ માટે ૧૩ પાનાં ધરાવતું એક ફેશનેબલ કેલેન્ડર કાઢ્‌યું છે. તેમાં ૧૨ મહિનાનાં ૧૨ પાનાં ઉપરાંત ૧૩મું પાનું પ્રલય પછીની નવી શરૂઆત માટે ગણવામાં આવ્યું છે. &lt;/div&gt;&lt;div&gt;(કેલેન્ડરની 12 'ભેદી' તસવીરો માટેઃ &lt;a href="http://blog.thaeger.com/2012/01/03/armaggedon-fashion/"&gt;http://blog.thaeger.com/2012/01/03/armaggedon-fashion/&lt;/a&gt;)&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જેના નામે પ્રલયની આગાહી ચગાવવામાં આવી છે તે મય સભ્યતામાં પણ આમજનતાને રસ પડવા માંડ્યો છે. આ સભ્યતાના અવશેષો મેક્સિકોમાં આવેલા છે. ત્યાં ડ્રગ્સના ધંધાને લીધે થતી હિંસાથી પ્રવાસન ઉદ્યોગ મંદીમાં ચાલતો હતો. મય સભ્યતાનું બજાર ઉંચકાયા પછી મેક્સિકોની સરકાર તેનો મહત્તમ લાભ લેવા આતુર છે. આ વર્ષે આશરે પાંચેક કરોડ પ્રવાસીઓ, પ્રલય આવે કે ન આવે, મય સભ્યતાનાં સ્થળો જોવા ઉમટી પડે એવી ધારણા છે. તેમના લાભાર્થે મય સભ્યતાના રીતરિવાજો, મંત્રો-શ્વ્લોકો અને ઘૂપ-અગરબત્તી સહિતના અનેક ખેલ ગોઠવવામાં આવ્યા છે. મેક્સિકોની જેમ હોન્ડુરાસ પણ મય સભ્યતાનું મથક હતું. આ બન્ને દેશોમાં ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ના દિવસની અવળી ગણતરી દર્શાવતાં કાઉન્ટડાઉન ક્લોક અત્યારથી ગોઠવાઇ ચૂક્યાં છે, જે પ્રલયની તારીખે શૂન્યના આંકડે પહોંચશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પ્રલયના ધંધાનું સૌથી મોટું સુખ એ છે કે (જ્યોતિષના અમંગળ વરતારાની જેમ) પ્રલય ન થાય એટલે કે આગાહી ખોટી તો કોઇ ફરિયાદ કરતું નથી કે અદાલતમાં દાવા માંડતું નથી. ઊલટું લોકો હોંશેહોંશે ‘હાશ, બચી ગયા’ની રાહત અનુભવે છે. એટલે જ માણસજાત ‘સમજણી’ થઇ ત્યારથી પ્રલયની કલ્પનાઓ થતી રહી છે અને દરેક વખતે મનુષ્યો પ્રલયના બહાને વધારાની મોજમજા કરી લે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જીવનની ફિલસૂફી પણ, આખરે તો, દરેક દિવસને જિંદગીનો છેલ્લો દિવસ ગણીને જીવી લેવાની છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે ઘણાને પ્રલયની બીક જેવા પરિબળની જરૂર પડે છે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-5034502760065626881?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/5034502760065626881/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_10.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/5034502760065626881'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/5034502760065626881'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_10.html' title='પ્રલય ૨૦૧૨: ટાઢા પહોરની આગાહીનો ધીકતો ધંધો'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-ErJXu8US8uA/TwuZMcrBoQI/AAAAAAAADFc/h4h1MdbMGio/s72-c/2012-Doomsday-December21.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6447402802138157190</id><published>2012-01-07T08:20:00.001+05:30</published><updated>2012-01-07T08:22:50.063+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='photo'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='media'/><title type='text'>‘લાઇફ’ની એક તસવીર બરાબર કેટલા શબ્દો?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘કોઇ પણ પ્રકારનું યુદ્ધ થાય તો ફોટો-મેગેઝીન માટે એ બહુ ઉપયોગી બને’- આવો વિચાર ‘લાઇફ’ /LIFE મેગેઝીનના આયોજન વખતે મુકવામાં આવ્યો ત્યારે એ કેવળ તરંગતુક્કો હતો.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;આઘાતજનક લાગે તો પણ સચ્ચાઇ એ છે કે મોટી દુર્ઘટનાની કથાઓ પ્રસાર માઘ્યમોને ફુલવાફાલવા માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. ઇરાક પર અમેરિકાના આક્રમણ વખતે સી.એન.એન.ની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો હતો. ગુજરાતના ભૂકંપ- કોમી હિંસાને કારણે એ વખતની ગણીગાંઠી ન્યૂઝચેનલને પગદંડો જમાવવામાં ભારે મદદ મળી.પરંતુ ‘ટાઇમ’ અને ‘ફોર્ચ્યુન’ જેવાં સફળ સામયિકો શરૂ કરનાર હેન્રી લ્યુસે ૧૯૩૬માં અઠવાડિક તરીકે ‘લાઇફ’ બજારમાં મૂક્યું, ત્યારે ક્ષિતિજ પર યુદ્ધ ક્યાંય ડોકાતું ન હતું.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘લાઇફ’ની શરૂઆત અમેરિકાના સામાન્ય અને અસામાન્ય લોકોના જીવનની તસવીરોથી થઇ. પહેલા જ અંકમાં મુખપૃષ્ઠ પર વિખ્યાત મહિલા તસવીરકાર માર્ગારેટ બોર્ક-વ્હાઇટની તસવીર હતી.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-1ljSsMBAOd0/TweulkMnY4I/AAAAAAAADEw/GjuSFXPFVPc/s1600/life.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-1ljSsMBAOd0/TweulkMnY4I/AAAAAAAADEw/GjuSFXPFVPc/s400/life.jpg" width="296" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;આલ્ફ્રેડ આઇસનસ્ટેટ/ Alfred Eisenstaedt જેવા જર્મન ફોટોગ્રાફર પહેલા અંકથી ‘લાઇફ’ સાથે સંકળાયેલા હતા. એ સિવાય ‘એસોસિએટેડ પ્રેસ’ જેવી સંસ્થા તરફથી કરારના ભાગરૂપે કંપનીને એટલા જથ્થામાં તસવીરો મળતી હતી કે તેમાંથી ઘણી બધી ‘ટાઇમ’ અને ‘ફોર્ચ્યુન’માં વપરાયા વિનાની પડી રહેતી. મામલો ‘વેસ્ટ’માંથી ‘બેસ્ટ’નો નહીં, પણ વણવપરાયેલા ‘બેસ્ટ’નો દૃષ્ટિપૂર્વક ઉપયોગ કરવાનો હતો.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;અમેરિકાના પહેલા ફોટોમેગેઝીન તરીકે ‘લાઇફ’નો સિક્કો ઝડપથી જામી ગયો અને શરૂ થયું બીજું વિશ્વયુદ્ધ. ‘લાઇફ’ના આયોજન વખતે કેવળ સૈદ્ધાંતિક મુદ્દા તરીકે રજૂ થયેલી યુદ્ધની કલ્પના વાસ્તવિકતા બની. વિશ્વયુદ્ધમાં ઘણા સમય સુધી અમેરિકા પક્ષકાર ન હતું. તેમ છતાં, ‘લાઇફ’ના તસવીરકારો અને પત્રકારો યુદ્ધના બધા મોરચા ખૂંદી વળ્યા. &amp;nbsp;લગભગ ૪૪ મહિનાનો એ સમયગાળો ફક્ત ‘લાઇફ’ના જ નહીં, પત્રકારત્વના અને યુદ્ધના દસ્તાવેજીકરણના ઇતિહાસમાં પણ યાદગાર છે. યુદ્ધની ભયાનકતા અને તેનાં વિવિધ સ્વરૂપોથી લાખો વાચકોને પરિચિત કરાવનાર ‘લાઇફ’ના દરેક તસવીરકારની કથા લખવી શક્ય નથી, પણ થોડા નમૂના પરથી - અને આ લેખની સાથે મુકેલી તસવીરો પરથી- તેમના અંદાજમિજાજનો ખ્યાલ આવશે.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘લાઇફ’ સાથે સંકળાયેલા ત્રણેક ડઝન તસવીરકારોમાં સૌથી જુદાં તરી આવતાં બે પાત્રો હતાં: માર્ગારેટ બોર્ક-વ્હાઇટ અને રોબર્ટ કાપા. ‘લાઇફ’નો ફોટોગ્રાફર કેવો હોય? અપ ટુ ડેટ, બહાદુર, જોખમથી ન ડરનાર, રંગીન મિજાજ, ફોટોગ્રાફીમાં નિપુણ, પાર્ટી હોય કે યુદ્ધનો મોરચો, એ બીજા ફોટોગ્રાફરથી જુદો તરી આવે. આ પ્રકારની છબી ઉભી કરવામાં કાપાનો મોટો ફાળો હતો. અર્નેસ્ટ હેમિંગ્વે જેવા લેખક તેના મિત્ર અને ઇન્ગ્રીડ બર્ગમેન જેવી અભિનેત્રી સાથે તેનાં ચક્કર ચાલતાં હોય. ‘યુદ્ધ હવે બુઢી અભિનેત્રી જેવું થતું જાય છે- ઓછું ફોટોજેનિક અને વઘુ ખતરનાક.’ આ પ્રકારનાં નિવેદનો આપવા માટે જાણીતા હંગેરીયન ફોટોગ્રાફર કાપા (અસલ નામઃ એન્દ્રે ફ્રીડમેન) નોર્મન્ડીના કિનારે મિત્રરાષ્ટ્રોના આક્રમણ (‘ડી-ડે’) જેવા અનેક ઐતિહાસિક યુદ્ધપ્રસંગોના ફોટોગ્રાફર હતા. પેરીસ જેવાં યુરોપનાં શહેરોમાં ને જર્મનીના લિપઝિગમાં મિત્રરાષ્ટ્રોએ નાઝીઓને હરાવ્યા. ત્યારે કાપા કેમેરા સાથે હાજર હતો.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-qDrIcQKEbSs/Twet23vWHOI/AAAAAAAADEo/x7gvQ2gmdmI/s1600/capa.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="400" src="http://1.bp.blogspot.com/-qDrIcQKEbSs/Twet23vWHOI/AAAAAAAADEo/x7gvQ2gmdmI/s400/capa.jpg" width="261" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;Robert Capa/ રોબર્ટ કાપા&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;લિપઝિગમાં એક મકાનની બારીમાંથી આખા રસ્તા પર નજર રાખી શકાય એ રીતે એક સૈનિક મશીનગન ગોઠવી રહ્યો હતો. કાપાએ તેને જોયો, પણ ફોટો ક્લિક કરે તે પહેલાં જ કોઇ ખૂણેથી ‘સ્નાઇપર’ કહેવાતા (નાઝી) શાર્પશૂટરની ગોળી આવી અને સૈનિકને વીંધી નાખ્યો. &amp;nbsp; યુદ્ધ હોય કે મોટી દુર્ઘટનાઓ, પત્રકારો અને તસવીરકારોએ મન કઠણ રાખીને કામ ચાલુ રાખવું પડે છે. તેમાંથી મળતાં નામ-નાણાં કેટલાક માટે પ્રેરક બળ બને છે, તો થોડા લોકો ‘અમારું આ જ કામ છે’ એ વિચારીને લાગણીઓ પર અંકુશ રાખવાનું શીખી જાય છે. કાપાએ સૈનિકને પટકાતો જોયો. સ્નાઇપરનું નિશાન આબાદ હતું. સૈનિકના મૃત શરીરમાંથી લોહીનો રેલો નીકળ્યો. કાપા પેટે ઘસડાતો એ સૈનિકની નજીક ગયો અને યુદ્ધની ભયંકરતાના દર્શન તરીકે, હજુ ઘડી પહેલાં હાલતાચાલતા એ સૈનિકના મૃતદેહનો ફોટો પાડ્યો.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;રોબર્ટ કાપાને લોકપ્રિય થવા માટે આ પ્રકારની તસવીરો ખેંચવાની જરૂર ન હતી. ઉત્તર આફ્રિકા, ઇટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં જાન હથેળી પર રાખીને ફોટોગ્રાફી કરી ચૂકેલા કાપાને સૈનિકો સામેથી પોતાની ટુકડીમાં બોલાવતા. પોતાનાં વખાણ કરવા માટે જાણીતા કાપાએ ‘લાઇફ’ના એક સાથીને લખ્યું હતું,‘હું આજકાલ વધારે પડતો લોકપ્રિય થઇ રહ્યો છું.’ સૈનિકો દરેક ઓપરેશન વખતે કેવી રીતે પોતાને સાથે લઇ જવાનો આગ્રહ રાખતા હતા તેનું વર્ણન કરીને કાપાએ લખ્યું હતું,‘આ લોકપ્રિયતા જ કોઇ દહાડો મને મરવી નાખશે.’ આ ઉદ્‌ગાર કરુણ રીતે સાચા પડ્યા. વિયેતનામમાં ૧૯૫૪માં ફ્રેન્ચ સૈનિકટુકડીના આક્રમણની ફોટોગ્રાફી કરવા માટે ગયેલા કાપાનો પગ સુરંગ પર આવી ગયો. સુરંગ ફાટી અને ચાળીસ વર્ષની વયે, યુદ્ધના તસવીરકાર તરીકેની મજબૂત આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા સાથે કાપાનું મૃત્યુ થયું.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;યુદ્ધના મોરચે ફોટોગ્રાફરોને સૈનિકો સાથે જવાનું હોય, પરંતુ સલામતીની કોઇ ખાતરી નહીં. મિશન જેમ ખતરનાક, તેમ ફોટોગ્રાફરનું કામ વધારે અગત્યનું-પ્રતિષ્ઠાભર્યું અને જીવનું જોખમ મોટું. આખા વિશ્વયુદ્ધ દરમિયાન ‘લાઇફ’નો યુજીન સ્મિથ એકમાત્ર એવો ફોટોગ્રાફર હતો, જે જાપાન પરના હવાઇ હુમલામાં ફોટોગ્રાફર તરીકે સામેલ થયો. &amp;nbsp;ટોકિયો શહેર પરના એ હુમલામાં સાથે આવવું હોય તો અમેરિકાના ફૌજી અફસરે સ્મિથ સામે એક શરત મૂકીઃ &amp;nbsp;‘કોઇ પણ કારણસર આપણું વિમાન જાપાનની ધરતી પર તૂટી પડે, તો તમને ઠાર મારવાની મને સત્તા હોવી જોઇએ.’ &amp;nbsp;સ્મિથે સંભારણાંમાં લખ્યું છે કે ‘ગંભીર વિચાર કર્યા પછી મેં આ લેખિત શરત પર સહી કરી. અમારા જીવતા પકડાઇ જવાથી, ઇવો જીમા પર અમેરિકાના હુમલાની આગોતરી જાણકારી મળી જાય અને સેંકડો સૈનિકોના જીવ જોખમમાં મુકાય, એ શક્યતા ઘ્યાનમાં રાખતાં મને આ શરત વાજબી લાગી.’&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-thqenbrm2ss/TweuvDU8HNI/AAAAAAAADE4/VQpJ6yJHy3w/s1600/smith.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-thqenbrm2ss/TweuvDU8HNI/AAAAAAAADE4/VQpJ6yJHy3w/s400/smith.jpg" width="277" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;યુજીન સ્મિથ/ &amp;nbsp;W.Eugene Smith&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;એક તરફ ‘લાઇફ’ તસવીર માટે આ હદે જતું હોય, ત્યારે ઇવો જીમા પર અમેરિકન સૈન્યનો વિજય અને થોડા સૈનિકો ભેગા મળીને અમેરિકાનો ઘ્વજ ફરકાવે છે એવો ઐતિહાસિક ફોટો ‘લાઇફ’ના તંત્રી લોંગવેલે છાપવાની ના પાડી દીધી હતી. એક ફોટો એજન્સીના ફોટોગ્રાફરે ઝડપેલું એ દૃશ્ય અમેરિકાના સૈનિકોએ ખાસ ફોટો પડાવવા માટે ઊભું કરેલું છે એવું તેમને લાગ્યું હતું.&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-hHsaYHBT_lc/TwewrW7NNnI/AAAAAAAADFI/tVEKxSbOCCw/s1600/Iwo_Jima_flag_raising.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="321" src="http://3.bp.blogspot.com/-hHsaYHBT_lc/TwewrW7NNnI/AAAAAAAADFI/tVEKxSbOCCw/s400/Iwo_Jima_flag_raising.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;વિશ્વયુદ્ધના અંતની જાહેરાત પછી સાહજિક આવેગની ક્ષણને ઝડપી લેતો વિશ્વયુદ્ધના અંતને લગતો યાદગાર ફોટો હતોઃ લંડનના ટાઇમ સ્ક્વેરમાં એક યુવાન સૈનિકે અજાણી નર્સને ભાવવિભોર થઇને કરેલું ચુંબન. આલ્ફ્રેડ આઇસનસ્ટેટે પાડેલો એ ફોટો લોકસ્મૃતિમાં એટલો અંકાઇ ગયો છે કે વર્ષો પછી મહેનત કરીને એ પાત્રો સાથે એવું જ દૃશ્ય ફરી સર્જવામાં આવ્યું હતું.&amp;nbsp;&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-UGth2D2q6ag/TwevzMESZfI/AAAAAAAADFA/j2x7tlVbFwQ/s1600/kiss.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="330" src="http://3.bp.blogspot.com/-UGth2D2q6ag/TwevzMESZfI/AAAAAAAADFA/j2x7tlVbFwQ/s400/kiss.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;અસલી ફોટો (જમણે) અને તેની નવી આવૃ્ત્તિ- 90 વર્ષની ઉંમરે પહોંચેલાં એ જ નર્સ સાથે&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘લાઇફ’ જેવા તસવીરપ્રધાન સામયિકના એકેએક અંકમાં છપાયેલી તસવીરોની આવી કંઇક કથાઓ હશે.&amp;nbsp;‘લાઇફ’ તસવીરપ્રધાન ખરું, પણ તસવીરકારપ્રધાન ન હતું. તેના ઘણાખરા તસવીરકારોને પત્રકારો પ્રત્યે અને પત્રકારોને તસવીરકારો પ્રત્યે ઇર્ષ્યા અને અસંતોષની લાગણી રહેતી. બન્ને એકબીજા વિશે એવું માનતા કે આ લોકોને પોતાના કામ સિવાય- અને ઘણી વાર તો એમાં પણ- ખાસ ગતાગમ પડતી નથી. તસવીરકારો માટે વિષયો નક્કી કરવાનું કામ અથવા અવનવા વિષયો શોધી કાઢવાનું કામ મોટે ભાગે તંત્રીવિભાગના લોકો કરતા. કોઇ વાર ફોટોગ્રાફરે જાતે વિષય નક્કી કર્યો હોય તો પણ એક વાર તસવીરો ઓફિસમાં આપી દીધા પછી, તેની પસંદગી, પાનાં પર ગોઠવણ, ઓછુંવત્તું મહત્ત્વ અને તેને અનુરૂપ ફોટોલાઇન લખવા સહિતની આખી પ્રક્રિયામાંથી તેમને સદંતર બાકાત રાખવામાં આવતા હતા. તેના લીધે ફોટોગ્રાફરોને હંમેશાં એવું લાગતું કે તેમના કામને ન્યાય મળતો નથી. ઓફિસમાં બેેઠેલા પત્રકારોને હંમેશાં એ વાતની બળતરા રહેતી કે ‘લાઇફ’ના નામનો સૌથી વધારે ફાયદો ફોટોગ્રાફરોને મળે છે. એ મોટી હસ્તીઓ સાથે હળેમળે છે અને ક્યારેક તો લાભાર્થી કે લાભની અપેક્ષા ધરાવતી ફિલ્મી કે બીજી હસ્તીઓ સાથે, અંગતતાની તમામ હદ વટાવી દે છે.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;‘લાઇફ’ના ફોટોગ્રાફરોના વટ અને ઉત્તમ કામનો ભારતને અનુભવ ૧૯૪૬-૪૭-૪૮માં થયો. બીજા વિશ્વયુદ્ધમાંથી પરવારેલાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટે ભારતના ઐતિહાસિક ઘટનાક્રમ, ભાગલાની કરુણતા, કુદરતી આપત્તિ, પાકિસ્તાનનું સર્જન અને મહત્ત્વના દેશનેતાઓની અનેક યાદગાર તસવીરો લીધી. ચરખા પાછળ બેઠેલા ગાંધીજીનો માર્ગારેટે પાડેલો ફોટો ગાંધીજીની ઉત્તમ તસવીરોમાં સ્થાન પામે છે. એવી જ રીતે, પલંગ પર બેઠેલા સરદાર અને નીચે બેઠેલાં મણિબહેનની જીવંત તસવીરો માર્ગારેટે લીધેલી છે. એ સમયગાળાના પોતાના અનુભવોનું સચિત્ર આલેખન તેમણે ‘હાફ વે ટુ ફ્રીડમ’ નામે પુસ્તકમાં કર્યું છે. ભારતના ઇતિહાસનો એ નોંધપાત્ર છતાં વિસરાઇ ગયેલો દસ્તાવેજ છે.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-8dywY_UBRDo/TweyA-i0QRI/AAAAAAAADFQ/EaK5cBi_JZ0/s1600/mbw-.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="321" src="http://4.bp.blogspot.com/-8dywY_UBRDo/TweyA-i0QRI/AAAAAAAADFQ/EaK5cBi_JZ0/s400/mbw-.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;હેલિકોપ્ટરમાંથી લટકતાં માર્ગારેટ બોર્કવ્હાઇટ- ભારત-પાકિસ્તાનની મુલાકાત વખતે સાડીમાં&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;મુખ્યત્વે પરાક્રમકેન્દ્રી પ્રસંગો સાંકળતા આ લેખમાં કુદરતી સૌંદર્ય, પ્રાકૃતિક અજાયબીઓ, પ્રાણીપક્ષીજગત, વિજ્ઞાન અને આખું વ્યક્તિત્વ ઉપસાવી આપે એવી ચહેરાની તસવીરો લેનારા અનેક ફોટોગ્રાફરોની કળા વિશે વાત થઇ શકી નથી. એ કસર પૂરી કરવા માટે ‘લાઇફ’ની વેબસાઇટ&amp;nbsp;&lt;a href="http://www.life.com/"&gt;http://www.life.com/&lt;/a&gt;&amp;nbsp;પર જઇને તેનો તસવીરી ખજાનો જોઇ શકાય છે. એ સિવાય ‘ગૂગલ બુક્સ’ ‘લાઇફ’ના પહેલા અંકથી માંડીને બધા જ અંક મફત જોઇ-વાંચી શકાય, એ રીતે મુકવામાં આવ્યા છે.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;&lt;a href="http://books.google.co.in/books?id=dVIEAAAAMBAJ&amp;amp;as_pt=MAGAZINES&amp;amp;source=gbs_all_issues_r&amp;amp;cad=1&amp;amp;atm_aiy=1935#all_issues_anchor"&gt;http://books.google.co.in/books?id=dVIEAAAAMBAJ&amp;amp;as_pt=MAGAZINES&amp;amp;source=gbs_all_issues_r&amp;amp;cad=1&amp;amp;atm_aiy=1935#all_issues_anchor&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;૧૯૩૬થી શરૂ થયેલા ‘લાઇફ’નો ટીવી યુગ પછી ૧૯૭૨માં અંત આવ્યો. ત્યાર પછી વખતોવખત તેનું પ્રકાશન થતું રહ્યું છે અને તસવીરોની બાબતમાં તેણે પોતાની વિશિષ્ટતા જાળવી રાખવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. પરંતુ તેનો પહેલો અવતાર, ગુણવત્તા ઉપરાંત એ સમયમાં તેના અસ્તિત્ત્વને કારણે પણ પત્રકારત્વના ઇતિહાસનું &amp;nbsp;કદી ન ભૂલાય એવું પ્રકરણ બની રહ્યો છે.&amp;nbsp;&lt;/div&gt;&lt;div style="font-family: Georgia, serif; font-size: 16px;"&gt;(સંદર્ભઃ ‘લાઇફ, ધ ગ્રેટ અમેરિકન મેગેઝીન’- લુડન વેઇનરાઇટ)&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-6447402802138157190?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/6447402802138157190/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_07.html#comment-form' title='12 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6447402802138157190'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/6447402802138157190'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_07.html' title='‘લાઇફ’ની એક તસવીર બરાબર કેટલા શબ્દો?'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-1ljSsMBAOd0/TweulkMnY4I/AAAAAAAADEw/GjuSFXPFVPc/s72-c/life.jpg' height='72' width='72'/><thr:total>12</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-7769210180468025636</id><published>2012-01-05T14:11:00.001+05:30</published><updated>2012-01-05T14:18:29.794+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='history/ઇતિહાસ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Sardar Patel/સરદાર પટેલ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Nehru'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Gujarat/ગુજરાત'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='humor-satire/હાસ્ય-વ્યંગ'/><title type='text'>ભારતની રાજધાની અમદાવાદ હોત તો?</title><content type='html'>&lt;div&gt;ભારતની રાજધાની તરીકે દિલ્હીને સો વર્ષ પૂરાં થયાં. એ પ્રસંગે ‘તહલકા’ સામયિકમાં ભારતની રાજધાની દિલ્હીને બદલે બેંગ્લોર, કલકત્તા કે મુંબઇ હોત તો દેશ અત્યારે કેવો હોત, તેની કલ્પનાઓ રજૂ થઇ હતી. એ તરાહ પર વિચારી શકાય કે ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતનું ઘ્વજવંદન લાલ કિલ્લા પર નહીં, ભદ્રના કિલ્લા પર થયું હોત અને એ વખતે સાડા પાંચ સદીનો ઇતિહાસ ધરાવતું અમદાવાદ ભારતની રાજધાની બન્યું હોત તો? કાલ્પનિક ઇતિહાસ કેવી રીતે લખાયો હોત? &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;(સત્યઘટના શૈલીમાં લખાયેલો આખો ઘટનાક્રમ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાંની એક પણ લીટી સાચી માનવી નહીં- એ બનવાજોગ કે તાર્કિક લાગે તે જુદી વાત છે.) &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;***&lt;/div&gt;&lt;div&gt;આઝાદી સમયે ગુજરાત અને મુંબઇ-મહારાષ્ટ્ર એક હતાં. મરાઠી માણૂંસોએ માગણી કરી કે દેશની રાજધાની મુંબઇ થવી જોઇએ.  એટલે  &lt;span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 28px; text-align: -webkit-auto; font-size: medium; "&gt;હિંસક&lt;/span&gt;  તોફાન ફાટી નીકળ્યાં. તેના જવાબમાં રાજધાની અમદાવાદમાંથી ખસવી ન જોઇએ એવી માગણી સાથે અમદાવાદમાં મરાઠીઓ વિરુદ્ધ તોફાન થયાં, જે જોતજોતાંમાં અમદાવાદની પરંપરા પ્રમાણે કોમી તોફાનોમાં ફેરવાઇ ગયાં. મોરારજી દેસાઇએ મુંબઇમાં રહ્યે રહ્યે અમદાવાદનાં તોફાન સામે ઉપવાસ કરવાની જાહેરાત કરી  પણ સરદાર પટેલે તેમને કહેવડાવ્યું કે ‘બાપુ હજુ જીવે છે. તમે રહેવા દો.’ એટલે મોરારજીભાઇએ ઘૂંધવાઇને ઉપવાસનો વિચાર પડતો મૂક્યો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;મુંબઇમાં ગુજરાતીઓ વિરુદ્ધ તોફાનો પછી અમદાવાદમાં થયેલાં મરાઠીઓ વિરુદ્ધનાં તોફાનોને વાજબી ઠરાવવાને બદલે કે ન્યૂટનનો આઘાત-પ્રત્યાઘાતનો નિયમ ટાંકવાને બદલે સરદારે કડક હાથે કામ લીઘું. તોફાનો શમ્યા પછી પણ રાજધાનીના મુદ્દે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો ઉકળાટ ચાલુ રહ્યો, જેના કારણે આગળ જતાં બન્ને રાજ્યો અલગ પડ્યાં.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ગાંધી-સરદારની વિદાય પછી જવાહરલાલ નેહરુએ દેશની રાજધાની અમદાવાદથી અલાહાબાદ લઇ જવાનું વિચાર્યું, પણ પછી ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ના લેખક એવા જવાહરલાલનો ઇતિહાસ પાકો હોવાને કારણે ‘દિલ્હીથી દોલતાબાદ’ સાથે સરખામણી થવાની બીકે તેમણે ફેરબદલનો વિચાર પડતો મૂક્યો.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અમદાવાદમાં જવાહરલાલે શાહીબાગમાં જહાંગીરે બંધાવેલા મહેલમાં વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન રાખ્યું. રોજ સવારે તે નદીના પટમાં  &lt;span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 28px; text-align: -webkit-auto; font-size: medium; "&gt;મોર્નિંગ&lt;/span&gt;  વોક કરતી વખતે લોકોની ફરિયાદો સાંભળતા હતા. અમદાવાદમાં સંસદ અને રાષ્ટ્રપતિભવન ક્યાં કરવા એની સઘન તલાશ ચાલી. રાષ્ટ્રપતિભવન રાષ્ટ્રપિતાના આશ્રમની એકાદ કુટિરમાં કરવાનું સૂચન થયું, પણ દિલ્હીમાં વાઇસરોયનું રજવાડું જોયા પછી ભારતના રાષ્ટ્રપતિઓને સમજાયું હતું કે કુટિરો રાષ્ટ્રપિતા માટે બરાબર છે- રાષ્ટ્રપતિ માટે મહેલ જોઇએ. તેમના માટે શાહીબાગમાં વડાપ્રધાનના નિવાસસ્થાનની આજુબાજુ જગ્યા ફાળવવામાં આવી.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આગળ જતાં ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે વડાપ્રધાનના મહેલનું બાંધકામ વધારીને તેની એક બારી સાવ રાષ્ટ્રપતિભવન પાસે પડે એ રીતે તૈયાર કરાવી, જેથી કટોકટીના હુકમ પર રાષ્ટ્રપતિની સહી કરાવવામાં વાર ન લાગેઃ ફક્ત બારીમાંથી હુકમ લંબાવીને સામેની બારીમાં ઉભેલા રાષ્ટ્રપતિની સહી લઇ શકાય. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સરદાર પટેલે સૂચવ્યું હતું કે સંસદ બારે મહિના ને ત્રણસો પાંસઠે દિવસ તો ચાલુ હોતી નથી. પછી એના ભવ્ય મકાન પાછળ નકામો ખર્ચ શું કરવા કરવો? એને બદલે સંસદ ચાલુ હોય એના ચાર દહાડા પહેલાં નદીના પટમાં વિશાળ તંબુ ઉભા કરી દેવા અને ઉપર ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવી દેવો. એટલે સંસદ તૈયાર. પછી તેમણે સરદારશૈલીમાં એમ પણ કહ્યું કે ‘અમસ્તાં બધાં સરકસ અમદાવાદમાં આવી રીતે જ ઉતરે છે.’ જવાહરલાલ એ સાંભળીને ચીડાઇ ગયા હતા અને સરદાર  ખડખડાટ હસી પડ્યા હતા. છેવટે સાંસદોના ખરીદ-વેચાણની ભાવિ સંભાવનાઓને ઘ્યાનમાં રાખીને, અત્યારે જ્યાં બજાર ભરાય છે તે રાણીના હજીરામાં સંસદ બેસાડવાનું નક્કી થયું. એ માટે આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું બિલકુલ અઘરું પડ્યું ન હતું. સંસદમાં થનારા શોરબકોરની કલ્પના માત્રથી આજુબાજુના સમજુ રહેવાસીઓ પોતાનાં ઘર વેચીસાટીને નદીપાર રહેવા જતા રહ્યા. એ રીતે નદીપારની વસ્તીમાં વધારો થયો અને પશ્ચિમ અમદાવાદ વિકસ્યું.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વડાપ્રધાન નેહરુની ચીન મુલાકાત પછી કાંકરિયાની આસપાસ ચાઇનીઝની લારીઓ ખુલી ગઇ હતી. ભાજીપાંઉ-પંજાબી-પિત્ઝા પહેલાં અમદાવાદમાં ‘મેઇનલેન્ડ ચાઇના’ પ્રકારની લાલ રંગે રંગાયેલી લારીઓ પાણીપુરીની સ્પર્ધા કરવા લાગી. કેટલાક ઉત્સાહીઓએ ચાઇનીઝ પાણીપુરી અથવા પાણીપુરીના ચણા-બટાટાના મસાલામાં નુડલ્સ ભેળવવાનાં શરૂ કર્યાં.  અમદાવાદમાં ચાઇનીઝ ખાણીપીણીનો પગપેસારો જોઇને ચીનના જાસૂસોએ  &lt;span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 28px; text-align: -webkit-auto; font-size: medium; "&gt;બેજિંગ&lt;/span&gt; ને મોકલેલા ખાનગી અહેવાલોમાં લખ્યું હતું કે ‘આ દેશને જીતવા માટે સૈન્યની જરૂર નથી. સોયા સોસ, નુડલ્સ ને મંચુરિયન કાફી છે.’ &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;એટલે ચીને ૧૯૬૨માં ભારત પર લશ્કરી આક્રમણ કરવાને બદલે, તેની કંપનીઓને અમદાવાદમાં-ભારતમાં વેપાર માટે છૂટી મુકી દીધી. જવાહરલાલે ‘પંચશીલ’ અને વિશ્વશાંતિ માટે થઇને ચીનને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી. ત્યાર પછી, ૧૯૬૪થી દર સ્વાતંત્ર્ય દિવસે અને પ્રજાસત્તાક દિને ભદ્રના કિલ્લા પર ફરકતા રાષ્ટ્રઘ્વજ ‘મેઇડ ઇન ચાઇના’ હતા.  &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ભારતનું ખુલેલું બજાર જોઇને અમેરિકા-રશિયા પણ પગપેસારો કરવા માટે ઉત્સુક બન્યાં. અમેરિકાના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને રશિયાના અખબાર ‘પ્રવદા’એ પોતાની ગુજરાતી આવૃત્તિઓ શરૂ કરી. તેના કારણે ગુજરાતી પત્રકારત્વ આંતરરાષ્ટ્રિય ધોરણનું બન્યું કે આંતરરાષ્ટ્રિય પત્રકારત્વ ગુજરાતી ધોરણનું, એની કલ્પના થઇ શકતી નથી, પણ સામ્યવાદી ‘પ્રવદા’એ પોતાની ઓફિસ લાલ દરવાજા વિસ્તારમાં રાખી.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પાકિસ્તાને ૧૯૬૫માં કરેલા આક્રમણ વખતે અમદાવાદની પોળોમાં ઘણા લોકો રોજ રાતે ડંડા લઇને વારાફરતી જાગતા હતા- ચોકી કરતા હતા. તેમની સાથે ભજિયાં-ચાની દુકાનો પણ રાતભર ધમધમતી હતી. ઇંદિરા ગાંધીએ કટોકટી લાદતી વખતે અમદાવાદનાં ‘કોફીહાઉસ’ જેવા પાનના ગલ્લે ઉભા રહીને ચર્ચા કરવા ઉપર કડક પ્રતિબંધ ફરમાવ્યો. તેનો ભંગ કરનારને રોજ છ કલાક સુધી સુરેશ જોશીની નકલ કરનારા લેખકોનું ગદ્ય વંચાવવાની સખત કેદની સજા કરવામાં આવતી હતી. ગુજરાતીના ઘણા ફાજલ અઘ્યાપકોનું જેલમાં એ કામગીરી માટે  &lt;span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 28px; text-align: -webkit-auto; font-size: medium; "&gt;પોસ્ટિંગ&lt;/span&gt;  થયું હતું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;વેળાસર ઉદારીકરણ થઇ જવાને કારણે અને સાબરમતીનું પાણી પ્રજાસત્તાકનાં મૂળીયાંમાં ઉંડે સુધી ઉતરવાને લીધે ત્રાસવાદની સમસ્યા સાથે પનારો પાડવાનું સહેલું બન્યું. અમદાવાદમાં બેસનાર વડાપ્રધાને  ત્રાસવાદીઓ પાસેથી યોગ્ય કંિમત વસૂલ કરીને કાયદેસર રીતે તેમને એ રાજ્યોનો વહીવટ સોંપી દીધો. પાકિસ્તાન સાથેનો કકળાટ કાયમી ધોરણે દૂર કરવા માટે એક વડાપ્રધાને પાકિસ્તાનને કાશ્મીર ૯૯ વર્ષની લીઝ પર આપી દીઘું- એ શરતે કે નકશામાં કાશ્મીર ભારતનો હિસ્સો રહેશે, ત્યાં રોડ, ફ્‌લાયઓવર, મૉલ-મલ્ટીપ્લેક્સ અને જેલમ-ચિનાબ જેવી નદીઓ પર પાકિસ્તાને રીવરફ્રન્ટ બાંધવા જેવો વિકાસ કરવા માટે પાકિસ્તાને અલગ બજેટ ફાળવવાનું રહેશે અને કાશ્મીર જનારા ભારતીય પ્રવાસીઓ તથા ફિલ્મ યુનિટને હોટેલથી માંડીને ખાણીપીણીમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું રહેશે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;એકવીસમી સદીના પહેલા દાયકામાં ગુજરાતમાં એક મુખ્ય મંત્રી થયા. તેમણે ૨૦૧૧માં ચીનની મુલાકાત લીધા પછી જાહેર કર્યું હોત કે ‘૧૯૬૨માં ચીન ભારત પર આક્રમણ કરવાનું હતું. તેનાં સૈન્યો આપણી સરહદ સુધી આવી ગયાં હતાં, પણ મારા કહેવાથી તેમણે એ યોજના માંડવાળ કરી.’ એ મુખ્ય મંત્રીની બહાદુરી પર મોહી પડેલી પ્રજાએ તેમને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું- ભારતના નહીં, ચીનના વડાપ્રધાન. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;***&lt;/div&gt;&lt;div&gt;કેટલીક કલ્પનાઓ એટલી વાસ્તવાભાસી હોય છે કે તેની સામે વાસ્તવિકતા કાલ્પનિક લાગે. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-7769210180468025636?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/7769210180468025636/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_05.html#comment-form' title='8 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/7769210180468025636'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/7769210180468025636'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_05.html' title='ભારતની રાજધાની અમદાવાદ હોત તો?'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>8</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-5467069468786649114</id><published>2012-01-03T21:27:00.001+05:30</published><updated>2012-01-03T21:31:08.047+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='society- trends/સમાજ-પ્રવાહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='anna hazare'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='corruption'/><title type='text'>અન્ના-આંદોલનઃ ઉણપો અને ઉપલબ્ધિ</title><content type='html'>&lt;div&gt;વર્ષ ૨૦૧૧નો અડધોઅડધ હિસ્સો હવે સમેટાઇ ચૂકેલા ભ્રષ્ટાચારવિરોધી જનલોકપાલ આંદોલનની ઉત્તેજનામાં વીત્યો. એક પછી એક મસમોટાં કૌભાંડોથી કંટાળેલા નાગરિકોના રોષને અન્ના હજારે અને તેમના સાથીદારોની ઝુંબેશનું વાહન મળ્યું. બેદાગ છબી, ગાંધીવાદી દેખાવ, આંદોલનમાં હિંસાની પરેજી, જાહેર કામોનો (મર્યાદિત ક્ષેત્રમાં) અનુભવ, ઉપવાસ કરવાની ક્ષમતા- આ લાક્ષણિકતાઓથી અન્ના છવાઇ ગયા. ભ્રષ્ટાચારથી ત્રાસેલા (પણ અંગત આચરણમાં ભ્રષ્ટાચારનો છોછ નહીં ધરાવનારા ઘણા) લોકોએ અન્નાને ખભે બેસાડ્યા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અન્નાની સૌથી મોટી સફળતા એ રહી કે ‘કાયદાઓ બનાવવાનું કામ ભલે સંસદનું હોય, પણ એ પ્રક્રિયામાં નાગરિકોની સામેલગીરી હોઇ શકે-હોવી જોઇએ’ એવું તેમના આંદોલન થકી સરકારને ભાન થયું. સામાન્ય રીતે લોકશાહી રાજકારણ પ્રત્યે ઉદાસીન એવા નાગરિકોને તે સંયત ટોળાં તરીકે સડક પર ઉતરવા પ્રેરી શક્યા, એ તેમની બીજી નોંધપાત્ર સફળતા. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;ભ્રષ્ટાચાર સામે અન્નામંડળની લડત ‘વિદેશી બેન્કોમાં ઠલવાયેલાં કાળાં નાણાં’ના મુદ્દે થતા વિપક્ષી ઘોંઘાટ કરતાં વધારે મુદ્દાસર અને વાસ્તવિકતાથી પ્રમાણમાં નજીક હતી. તેમના પક્ષે લોકકારણ-રાજકારણની સમજ ધરાવતા બે-ચાર ઠરેલ સલાહકાર હોત અને કેજરીવાલ-બેદી એન્ડ કંપનીને બદલે એવા લોકોએ આંદોલનને દિશા આપી હોત તો? સંભવ છે કે અન્નામંડળ ‘સર્વશક્તિમાન જનલોકપાલ’ના મોહમાંથી અને લોકસમર્થનના કેફમાંથી ઉગરી ગયું હોત. એટલું જ નહીં, કેટલાક ખરડાને વેગ આપીને સંસદ સુધી પહોંચાડવાનો વાજબી જશ પણ લઇ શક્યું હોત. જેમ કે, ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વને લગતું જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, નાગરિક અધિકાર પત્ર અને તેમની ફરિયાદોના નિવારણને લગતું સિટીઝન્સ ચાર્ટર એન્ડ ગ્રીવન્સ રીડ્રેસલ બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પરંતુ ઊંચી શરૂઆત પછી અન્નામંડળને કામ કઢાવવાને બદલે પોતાનો કક્કો ખરો કરાવવામાં અને સરકારને નમાવવામાં વધારે રસ પડતો હોય- વધારે મઝા આવતી હોય એવું લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે સાવ શરૂઆતમાં અન્નાએ ઉપાડેલી ઝુંબેશ માટે સહાનુભૂતિ ધરાવનારા ઘણા લોકો સમય જતાં તેમના હળવા અને પછી તો આકરા ટીકાકાર બન્યા. બાકી રહેલું કામ અન્નાના મુગ્ધ સમજણવાળા, ‘તમે અન્નાની સાથે કે સામે?’ એવું પૂછનારા, લોકપ્રિયતાની વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા તત્પર, સવાયા ‘દેશપ્રેમી’ ભક્તોએ પૂરું કર્યું. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;ભાવિક ભક્તોની કુસેવા&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;દિલ્હીના રામલીલા મેદાનમાં ચરમસીમાએ પહોંચ્યાના થોડાં અઠવાડિયાં પછી મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં અન્ના-આંદોલનનો લોકજુવાળ ઓસરી ગયો. આ સચ્ચાઇ જીરવવાનું ઘણા અન્નાભક્તોને અઘરૂં પડી રહ્યું છે. સત્તાવાર કાર્યકર્તાઓ વાસ્તવિકતાથી આંખમીંચામણાં કરીને, મેદાન પર હાજર લોકોની સંખ્યાથી માંડીને લોકોના ઉત્સાહ બાબતે હજુ મનગમતી કલ્પનાઓમાં રાચવા માગે છે. તેમાંથી ઘણાખરા માટે અન્નાનું અસલી મહત્ત્વ તેમણે ઉપાડેલા મુદ્દાને કારણે ઓછું ને એ મુદ્દે ટોળાં એકઠાં કરવામાં તેમને મળેલી સફળતાને લીધે વધારે હતું. એવા લોકો અન્નાનો સિતારો બુલંદ હતો ત્યારે તેેમની માગણીઓના ગુણદોષ વિશે જરાસરખો વિચાર કરવાને બદલે, તેમની બિનશરતી આરતી ઉતારીને ધન્યતા અનુભવતા હતા. હવે તે શરમાઇને મોં છૂપાવી રહ્યા છે અથવા બેશરમ બનીને, પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની વેતરણમાં છે. અન્નાની પીછેહઠને તે ‘દુષ્ટ રાજકારણીઓ સામે એક સજ્જનની હાર’ ગણાવી રહ્યા છે અને અન્નાનો મુદ્દા આધારિત વિરોધ કરનારને વઘુ એક વાર તે દુર્જન ઠરાવી રહ્યા છે. એ બિચારાઓને આટલું જ ફાવે છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અન્ના-આંદોલનની કદાચ સૌથી વરવી આડપેદાશ છે તેના મતલબી, ઝનૂની, ભાવિક ભક્તો. તેમને અન્ના આંદોલનનું આગળ જણાવેલું વાસ્તવિક મહત્ત્વ સમજવામાં અને તેના થકી લોકકારણ મજબૂત બનાવવામાં ઝાઝો રસ નથી. તેમાંથી ઘણા ભાજપપ્રેમી-કોંગ્રેસવિરોધી જીવોને અન્ના-જુવાળ અને એ નિમિત્તે પેદા થયેલી સરકારવિરોધી લાગણીથી મઝા પડી ગઇ. અન્ના-આંદોલન વિશે માપસર પ્રશંસા અને મુદ્દાસર ટીકા કરનાર લોકો માટે તેમણે ચુનંદાં વિશેષણ વાપર્યાં- ‘કોંગ્રેસતરફી’ ને ‘દેશદ્રોહી’ પણ કહ્યા. એ જોશમાં તેમને ખ્યાલ ન રહ્યો કે  અન્નાપ્રેમના-ભ્રષ્ટાચારવિરોધના ઓઢણા તળે તેમણે સંતાડેલો ‘આઇ લવ ભાજપ’નો બિલ્લો ઉછળીને બહાર દેખાઇ રહ્યો છે. (લોકાયુક્તની નિમણૂંકથી બચવા ધમપછાડા કરનારા ગુજરાતના મુખ્ય મંત્રી વિશે અન્નામંડળના ઘણા ગુજરાતી ભક્તોને ભાગ્યે જ કંઇ કહેવાનું હતું.) &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;કોંગ્રેસ, ભાજપ કે કોઇ પણ રાજકીય પક્ષ સાથે હોવું એ શરમનો નહીં, વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ અન્ના-આંદોલન જેવા પ્રસંગે ઉભી થયેલા નાગરિકઝુંબેશની મોટી તકને કેવળ કોંગ્રેસવિરોધ પૂરતી સીમિત કરી દેવી અને દાવો ‘ભ્રષ્ટાચારના વિરોધ’નો કરવો એ છેતરપીંડી છે. અન્નામંડળ જ્યાં સુધી કોંગ્રેસની સરકારને અદ્ધરજીવ રાખતું હોય ત્યાં સુધી, તે જે કરે તેને ઉછળી ઉછળીને ટેકો આપવો- ચીયરલીડરી કરવી એ મૂર્ખામીની હદનું ભોળપણ અથવા નાગરિક-ચળવળનો દ્રોહ છે. અન્ના-આંદોલનના કેટલાક ઝનૂની સમર્થકોએ દર્શાવી આપ્યું કે પક્ષીય ભક્તિ અને નાગરિકદ્રોહ નાગરિક-ચળવળના નામે પણ કરી શકાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;આત્યંતિક શરૂઆત પછી અન્ના આંદોલન દિશાસુધાર-કોર્સ કરેક્શન કરીને પાટે ચડવાને બદલે વઘુ ને વઘુ ફંટાતું ગયું. મોટા પાયે લોકસમર્થનને કારણે, ભૂલો સુધારવાની તેમની પાસે એકથી વઘુ તકો હતી, પરંતુ નવા-મોટા સત્તાકેન્દ્ર જેવા જનલોકપાલ વિશેનો તેમનો દુરાગ્રહ છૂટ્યો નહીં. ટોળાંનું સમર્થન હોય ત્યાં સુધી પોતાનો દુરાગ્રહ પણ સત્યાગ્રહ જેવો લાગે છે, એ સત્ય હવે ટાઢા કલેજે વિચારતાં કદાચ અન્નામંડળને સમજાય.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;લડાઇ પૂરી, કામ અઘુરું&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;અન્નાના પક્ષે લડાઇ ભલે ગુમાવાયેલી લાગતી હોય, પણ આ પ્રશ્ન ‘આરપારની લડાઇ’નો હતો જ નહીં. એટલે તેને હાર-જીતના ખાનામાં જોવાની જરૂર નથી. જે પ્રકારના સુધારા માટે જનલોકપાલની માગણી કરવામાં આવી, એવા સુધારા લાંબા ગાળે અને સતત પ્રયાસો પછી જ શક્ય બને. એટલે હાર જો ગણવી હોય તો એ નાગરિકપક્ષની નહીં, પણ અન્નામંડળના દુરાગ્રહોની થઇ ગણાય. ‘અન્નાની પીછેહઠ એટલે નેતાઓની જીત અને લોકોની હાર’ એવું ચોકઠું બેસાડી દેવાની અન્નાભક્તોની ઉત્સુકતા સમજી શકાય એવી છે, પણ એ સ્વીકારી શકાય એવી નથી. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;હવે સંસદમાં રજૂ થયેલા અને જનલોકપાલના હેતુઓ સાથે સુસંગત એવા ખરડા વિશે અન્નામંડળ અને બીજા નાગરિકજૂથો સરકાર સાથે સંવાદ સાધે એ અપેક્ષિત છે. અન્નામંડળે સમજવું જોઇએ કે તેમના સમર્થકોમાંથી ઘણાખરા જનલોકપાલની આંટીધૂંટીમાં ઉતર્યા વિના, ફક્ત ભ્રષ્ટાચારના વિરોધ માટે જોડાયા હતા. તેમની લાગણી-માગણી કેજરીવાલ એન્ડ કંપની પ્રસ્તાવિત સર્વશક્તિમાન જનલોકપાલ માટે નહીં, પણ ભ્રષ્ટાચારઘટાડો અને ફરિયાદનિવારણ માટે ‘કંઇક થવું જોઇએ’ એવી હતી અને છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;સંસદમાં રજૂ થયેલા જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, વ્હીસલ બ્લોઅર બિલ અને સિટીઝન્સ ચાર્ટર બિલમાં લોકોની લાગણી ખાસ્સી હદે સંતોષી શકાય એવી સંભાવનાઓ છે. તેમાં રહેલી કચાશો પૂરવા અન્નામંડળ સહિતનાં નાગરિકજૂથો યોગ્ય સૂચનો કરી શકે- સરકાર અને વિપક્ષો પર દબાણ આણી શકે. હજુ સીબીઆઇને સરકાર અને લોકપાલ બન્નેના પ્રભાવથી સ્વાયત્ત બનાવવાની કામગીરી બાકી છે. ત્રીજા અને ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ પર દેખરેખનો અસહ્ય બોજ લોકપાલ પર નાખવાને બદલે, નાગરિક અધિકારપત્ર અને ફરિયાદ નિવારણના માળખા અંતર્ગત તેની સાથે પનારો પાડી શકાય. નીચલા સ્તરે ભ્રષ્ટાચારમાંથી પેદા થતી બિનકાર્યક્ષમતા અંગે એ કાયદો ઉપયોગી નીવડે એમ છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;‘જનલોકપાલ’ની માગણીની એક મોટી ખોડ એ હતી કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ થતું હતું. આજે નહીં તો કાલે એ મોટા ભ્રષ્ટાચારનું ઉદ્‌ભવસ્થાન બને અને બંધારણ-લોકશાહીના મૂળભૂત હાર્દને પણ જોખમાવે. તેને બદલે જનલોકપાલમાં સમાવિષ્ટ સીબીઆઇની સ્વાયત્તતાથી માંડીને સિટીઝન્સ ચાર્ટર (નાગરિક અધિકારપત્ર), ગ્રીવન્સ રીડ્રેસલ (ફરિયાદ નિવારણ), જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી (ન્યાયતંત્રની જવાબદેહી) જેવા મુદ્દા માટે જુદી જુદી વ્યવસ્થાઓ થાય એ વધારે ઇચ્છનીય અને વધારે વ્યવહારુ રસ્તો ગણાય. પરંતુ અન્નામંડળની અડિયલ માનસિકતાનો વઘુ એક નમૂનો ત્યારે જોવા મળ્યો, જ્યારે સરકારે સંસદમાં અલગથી દાખલ કરેલા સિટીઝન્સ ચાર્ટર બિલને અન્નાએ ગણકાર્યું નહીં. તેમણે એ બાબતને જનલોકપાલના તાબામાં મૂકવાનો દુરાગ્રહ ચાલુ રાખ્યો. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;b&gt;છેવટે રાજકારણમાં&lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;અત્યાર સુધીની બિનરાજકીય ઝુંબેશ પછી અન્નામંડળે જાહેર કર્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તે કોંગ્રેસ સામે અને બે વર્ષ પછી આવનારી લોકસભા ચૂંટણીઓમાં યુપીએ સરકાર સામે પ્રચાર કરશે. ‘જનલોકપાલનો વિરોધ કરનાર સૌ પક્ષો સામે પ્રચાર કરવો’ એવા અગાઉના દાવાને બદલે વાત હવે માત્ર કોંગ્રેસના વિરોધ પર આવીને અટકી છે. એ મોટા વિરોધાભાસને બાદ કરતાં, તેમનું ભાવિ રાજકીય વલણ જાહેર થાય એ વધારે સારું છે.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;અન્નામંડળ કોંગ્રેસનો વિરોધ કરીને, કોઇ રાજકીય પક્ષ કે મોરચાના પલ્લામાં પોતાનું વજન મૂકવા ઇચ્છે અને બદલામાં તેની પાસેથી અમુક પગલાંની બાંહેધરી મેળવતો હોય તો સામાન્ય નાગરિકોને ભાજપ-કોંગ્રેસથી કશો ફરક પડતો નથી. કેજરીવાલ એન્ડ કંપની આગામી ચૂંટણીમાં નવો પક્ષ રચે અને જનલોકપાલ સાથે જોડાયેલા મુદ્દામાંથી અડધા મુદ્દા પણ હાથમાં લેવાનું- એ મુદ્દે  વિધાનસભા-લોકસભામાં લડત આપવાનું વચન આપે, તો તેમની કાર્યપદ્ધતિ સામે વાંધા ધરાવતા વિરોધીઓ પણ તેમને મત આપવાનું પસંદ કરે. કારણ કે ત્યારે એ ઉદ્ધારકની નહીં, પણ જેવા છે તેવા પ્રતિનિધિની ભૂમિકામાં આવે છે. તેમની સરખામણી બીજા પક્ષોના ઉમેદવાર સાથે કરી શકાય છે અને તેમાં એમને બે આંગળ ઊંચા મૂકી શકાય છે. &lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;પરંતુ રાજકારણની બહાર રહીને, પોતાના ‘જનઆંદોલન’નો પાક ભૂતના ભાઇ પલિત જેવો બીજો કોઇ રાજકીય પક્ષ લણી જાય એવી રીતે એમને ઝુંબેશ ચલાવવી હોય, જનલોકપાલની સર્વસત્તાધીશ-સમાંતર બાબુશાહી તેમને ઊભી કરવી હોય અને મૂળ હેતુ સુધી પહોંચવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાનો આનંદ લેવો હોય, તો તેમની ‘પીછેહઠ’થી  આપણે દુઃખી થવું જોઇએ? કે નવી, સર્વસમાવેશક, આત્યંતિકતા વગરની નાગરિક પહેલ માટે સજ્જ થવું જોઇએ? &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8512076518668010629-5467069468786649114?l=urvishkothari-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://urvishkothari-gujarati.blogspot.com/feeds/5467069468786649114/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/5467069468786649114'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8512076518668010629/posts/default/5467069468786649114'/><link rel='alternate' type='text/html' href='http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post.html' title='અન્ના-આંદોલનઃ ઉણપો અને ઉપલબ્ધિ'/><author><name>urvish kothari</name><uri>http://www.blogger.com/profile/13736911493607935034</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='23' height='32' src='http://3.bp.blogspot.com/_4hFQNvNK3hI/TJt-wMtpuJI/AAAAAAAABoA/GXaX9AlI7jo/S220/urvish-2.jpg'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8512076518668010629.post-3336721002560312190</id><published>2012-01-02T21:50:00.003+05:30</published><updated>2012-01-12T00:33:49.515+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Binit Modi'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='Urvish Kothari/ઉર્વીશ કોઠારી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='music/સંગીત'/><title type='text'>700મી પોસ્ટઃ વાત વિશિષ્ટ મૈત્રીની</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span style="font-family: Shruti;"&gt;બ્લોગની 700મી પોસ્ટમાટે શું કરવું, એનો થોડો વિચાર કર્યા પછી ‘મૈત્રીનો સૂર્ય’ (સંપાદકઃ સુરેશ દલાલ)માટે લખેલો એક લેખ થોડા ફેરફાર અને ઘણી (પુસ્તકમાં નહીં આવેલી) યાદગાર તસવીરો સાથે અહીં મૂકવાનું મન થયું. આ પ્રસંગો મારા પત્રકારત્વમાં આવતાં પહેલાંના છે. જેમની વાત કરવાની છે, તેમને રૂઢ અર્થમાં ‘મિત્રો’ કહેવાય કે કેમ ખબર નથી, ફક્ત ત્રણ વાર,ત્રણે જુદાં જુદાં ઠેકાણે અમે મળ્યા છીએ. પણ અમારી મુલાકાત વખતે છલકાયેલા સૂર અને તેની સાથે વીંટળાયેલી લાગણીની ઉષ્માને કારણે, એ સંબંધને મિત્રાચારી કહેવાનું- એ રીતે યાદ કરવાનું બહુ ગમે છે.&lt;/span&gt;&lt;br /&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div align="center" class="MsoNoSpacing" style="text-align: center;"&gt;***&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;મોટા ભાઇ બીરેન અને આઠ-નવ મિત્રો (મોટા ભાગનાં દંપતિ) સાથે 1993ની મધ્યમાં ઉદેપુર ફરવા ગયો હતો.ત્યારે બી.એસસી. કેમિસ્ટ્રીનો અભ્યાસ પૂરો થઇ ચૂક્યો હતો. અભ્યાસની સમાંતરે બંધાયેલો સંગીત, કળા અને વાચનના સંસ્કારનો કાચો પોપડો પાકો થવાની રૂપાંતર પ્રક્રિયા ત્યારે ચાલતી હતી. ઉદેપુરમાં ‘સહેલીયોંકી વાડી’ને બદલે ‘પપેટ થિએટર’માં વધારે રસ પડતો હતો. એ જાતના ધક્કાથી અમે સૌ ઉદેપુરથી થોડે દૂર આવેલા ‘શિલ્પગ્રામ’ ગયા. &lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;br /&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;          ‘શિલ્પગ્રામ’/Shilpgram વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરે ઊભું કરેલું વિશાળ સંગ્રહાલય છે. ત્યાં પશ્ચિમ ભારતનાં ગામડાંમાં જોવા મળતા પરંપરાગત મકાનોનાં પૂર્ણ કદનાં મોડલ ઊભાં કરવામાં આવ્યાં છે. એ પ્રદેશોની સંસ્કૃતિની ઝલક પણ ત્યાં આવતા પ્રવાસીઓ સમક્ષ પીરસવામાં આવે છે. અમે ગયા ત્યારે રાજસ્થાની કળાકારોનું એક વૃંદ ત્યાં મોજુદ હતું. એ વખતે ઐશ્વર્યા રાય પર ‘નીમ્બુડા નીમ્બુડા’ પિક્ચરાઇઝ થવાનું બાકી હતું. રાજસ્થાની સંગીત/Folk Music Of Rajasthan ફેશનેબેલ બન્યું ન હતું. પણ કલાકારોના બુલંદ સ્વર અને સંગીતના સૂરતાલથી ખેંચાઇને અમે ત્યાં ગયા અને ત્યાં જ બેસી પડ્યા. &lt;/span&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-jqahHm-83X0/TwHZx3Yph1I/AAAAAAAADC0/ZeaqmTvcNjs/s1600/shilpgram-1.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="267" src="http://4.bp.blogspot.com/-jqahHm-83X0/TwHZx3Yph1I/AAAAAAAADC0/ZeaqmTvcNjs/s400/shilpgram-1.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;(શિલ્પગ્રામમાં- ડાબેથી બીજા સતારખાન)&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span style="font-family: Shruti;"&gt;          &lt;/span&gt;&lt;span style="font-family: Shruti;"&gt;બેઠા એટલે ગીતની મહેફિલ શરૂ થઇ.હાર્મોનિયમ, ઢોલક, ‘કમઇચા’ તરીકે ઓળખાતું તંતુવાદ્ય, કરતાલ (કે ખડતાલ) અને ચાર પુરુષ કળાકારોનો સ્વર. રાજસ્થાની ગીત અમે પહેલી વાર સાંભળ્યાં. તેમાંથી છલકાતાં મધુરતા, ઠેકો, કરતાલનાં કરતબ, ઢોલકની થાપ, કળાકારોના દેહાતી વજન ધરાવતા અવાજ- આબધું શિલ્પગ્રામના ખુલ્લા આકાશ નીચે. ભરબપોરે નશો ચડવા લાગ્યો. અમને ઝૂમતા જોઇને કળાકારોને જોશ ચડ્યું. એ બમણા ઉત્સાહથી ગીત ગાવા લાગ્યા. ‘નીમ્બુડા નીમ્બુડા’ અમે પહેલી વાર ત્યારે સાંભળ્યું અને દિવસો સુધી એ મનમાં ગુંજતું રહ્યું.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span style="font-family: Shruti;"&gt;          &lt;/span&gt;&lt;span style="font-family: Shruti;"&gt;થોડાં ગીત સાંભળ્યા પછી અમે ઊભા થવાનીવાત કરી. હજુ આખું શિલ્પગ્રામ જોવાનું બાકી હતું, પણ વૃંદના એક કળાકાર સતારખાને આગ્રહપૂર્વક કહ્યું, ‘યે હમારી ઓરસે’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ શરૂ થયું. &lt;/span&gt;&lt;/div&gt;&lt;table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-2A9AC1IA0VQ/TwHaHCx34tI/AAAAAAAADDA/8ae7Qhogr-Q/s1600/shilpgram-2.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"&gt;&lt;img border="0" height="267" src="http://1.bp.blogspot.com/-2A9AC1IA0VQ/TwHaHCx34tI/AAAAAAAADDA/8ae7Qhogr-Q/s400/shilpgram-2.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="tr-caption" style="text-align: center;"&gt;(ડાબેથીઃ ઉર્વીશ કોઠારી, બકુલ જોશી, હાર્મોનિયમ પર સતારખાન, સાથીદાર, રાજુ પટેલ, કામિની કોઠારી)&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span style="font-family: Shruti;"&gt;ગીત પૂરું થયા પછી ઘણા સમય સુધી તેની મસ્તી ઓસરી નહીં. કળાકારોની વિદાય લઇને અમે આગળ વધ્યા ત્યારે કલ્પના પણ ન હતી કે સતારખાન સાથે ફરી મુલાકાતનો જોગ થશે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div align="center" class="MsoNoSpacing" style="text-align: center;"&gt;***&lt;o:p&gt;&lt;/o:p&gt;&lt;/div&gt;&lt;div class="MsoNoSpacing"&gt;&lt;span lang="GU" style="font-family: Shruti;"&gt;          એ જ વર્ષે (1993) ઓક્ટોબરમાં અમે સપરિવાર અને ખરા અર્થમાં મિત્રમંડળ સહિત શિમલા-કુલુ-મનાલી/ Shimla-Kullu-Manali નો પ્રવાસ ગોઠવ્યો. શિમલાથી મનાલી જતાં વચ્ચે એક રાત કુલુમાં રોકાણ હતું. નવરાત્રિનો સમય હતો. કુલુના વિખ્યાત ‘દશેરા ઉત્સવ’ની શ
