tag:blogger.com,1999:blog-8512076518668010629.post5992190080215475552..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ચંદુભાઇ દલાલ રચિત ગાંધીજીનું સાચું સ્મારક : ગાંધીજીની દિનવારીU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-36420834300390675372011-02-02T10:20:06.430+05:302011-02-02T10:20:06.430+05:30પ્રિય ઉર્વીશ,
ગાંધીજીની દિનવારી પુસ્તકનો અલગ અંદાજ...પ્રિય ઉર્વીશ,<br />ગાંધીજીની દિનવારી પુસ્તકનો અલગ અંદાજથી પરિચય કરાવવા બદલ આભાર. આ પુસ્તક ગાંધી આશ્રમના વેચાણ કેન્દ્ર પર નિયમિતપણે મળતું નથી. અગાઉ મંગાવેલી નકલો ખલાસ થાય પછી જ તે તેના પ્રકાશક એવા ગુજરાત સરકારના માહિતી ખાતાના વેચાણ કેન્દ્ર પાસેથી મેળવવામાં આવે છે. ગાંધી આશ્રમના સંચાલકો પુસ્તકનો ઓર્ડર કરે અને માહિતી ખાતાના વેચાણ કેન્દ્ર પાસે માણસ કમ વાહનની વ્યવસ્થા થવાનો અદભૂત સંયોગ સર્જાય ત્યારે તેની નકલો પહોંચે.<br />આ સિવાય પણ જેમને ગાંધીજીની દિનવારી પુસ્તક ખરીદવું છે તેવા અમદાવાદના કે તેની આસપાસના વાચકો માટે આ રહ્યો એક સરળ રસ્તો. અમદાવાદના પ્રખ્યાત એવા પ્રેમાભાઈ હોલ પાસે આવેલા ભદ્રકાળી માતાના મંદિરની બાજુમાં આવેલા આઝમખાન પેલેસ સ્થિત સરકારી પુસ્તક ભંડાર (ગવર્નમેન્ટ બુક ડેપો)માં રૂપિયા ૭૦/- ચૂકવતા આ પુસ્તક હાલ તો સહેલાઈથી ઉપલબ્ધ છે. ખરીદવા જવા માગનારને વિનંતી કે જતા પહેલા ફોન નંબર (079) 2550 7824 પર એ માટેની જાણ પુસ્તક ભંડારના સંચાલક શ્રી સવિતાબહેનને કરે. એટલા માટે કે ૧૯૯૦માં પ્રકાશિત થયેલા આ પુસ્તકની વધેલી નકલને વેચવા માટે માળિયા પરથી ઉતારીને તેના બંડલ પર ચઢેલી ધૂળ ખંખેરવાની હોય છે. એ માટે પણ સમય આપવો રહ્યો એથી ફોન અવશ્ય કરવો. આભાર.<br />બિનીત મોદી (અમદાવાદ)<br />Mobile : 9824 656 979<br />E-mail: binitmodi@gmail.comBinit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-16560831172355722682011-02-02T03:04:54.297+05:302011-02-02T03:04:54.297+05:30Urvish,
Do you know why much more people go to Ess...Urvish,<br />Do you know why much more people go to Essel World than to Sabarmati Ashram?!<br />- PunitPunit Koharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-31047271486845164512011-02-01T18:43:39.965+05:302011-02-01T18:43:39.965+05:30બિલકુલ સંમત.
તમારા થકી આ પુસ્તક મેળવ્યા પછી હું લ...બિલકુલ સંમત. <br />તમારા થકી આ પુસ્તક મેળવ્યા પછી હું લગભગ રોજ પાંચ-સાત પાના ઝીણવટપૂર્વક વાંચતો રહું છું અને પાને પાને અનેક વિષયોની, અનેક સંશૉધનોની દિશાઓ ખૂલી જતી અનુભવાય છે. ૨૬ જાન્યુઆરી સંબંધિત મારા લેખમાં "ગાંધીજીની દિનવારી" થકી ખાસ્સી સહાય મળી હતી. <br />આ પુસ્તક એટલું અણમોલ છે કે "મેકિંગ ઓફ ધ બુક" જેવું બીજું એક પુસ્તક બને તો એ પણ ખૂબ જ રસપ્રદ હોય. લેખકે માત્ર એક મહિનાની દિનવારી લખવા માટે કેટલી મહેનત કરી હશે, કેટલાં સંદર્ભો ઉથલાવ્યા હશે, શબ્દશઃ કેવા ફિફાં ખાંડ્યા હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. વિગત અને સંદર્ભથી પ્રચૂર આ પુસ્તકનો જોટો ન જડે. <br />એક કરવા જેવો પ્રયોગ છે. મહાદેવભાઈની ડાયરી વાંચતા જઈએ અને સાથેસાથે દિનવારીના સંદર્ભો ચકાસતા જઈએ તો ગાંધીજી હોવાના અનેક અર્થો ઊઘડતા જાય છે.<br />આવું મૂલ્યવાન (અને હવે દુર્લભ થઈ રહેલું) પુસ્તક ભેટ આપીને તમે મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે. <br />- ધૈવત ત્રિવેદીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-75930691176839868402011-02-01T18:14:49.787+05:302011-02-01T18:14:49.787+05:30ગાંધીજી વિષે સરસ માહિતી એકથી કરી છે એ પુસ્તકમાં. મ...ગાંધીજી વિષે સરસ માહિતી એકથી કરી છે એ પુસ્તકમાં. મેં એ જોયું છે. ખાસ તો માહિતીની બાબતમાં ચોકસાઈ કેવી હોઈ શકે એ જોવા પણ પુસ્તકના પાનાં ફેરવવા રહ્યા.VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.com