tag:blogger.com,1999:blog-8512076518668010629.post4085859605504359060..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: અખબારી લેખન, પુરસ્કાર, નવોદિતો, શોષણ, તકનો અભાવ અને એવું બધું : થોડા 'સાર્થક' મુદ્દા U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-3958056315143784322015-08-23T23:10:34.649+05:302015-08-23T23:10:34.649+05:30आज उन गीतों को बाज़ार में ले आया हूँ
मैंने जो गीत ...आज उन गीतों को बाज़ार में ले आया हूँ<br />मैंने जो गीत तेरे प्यार की ख़ातिर लिक्खे <br />- साहिर लुधियानवीશિવરંજની https://www.blogger.com/profile/05019128945564247561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-72744493961917821022015-08-17T21:17:37.896+05:302015-08-17T21:17:37.896+05:30I was also thinking of columnists like they are M...I was also thinking of columnists like they are MEGAMINDS, but read the truth about them by Chandarkant Bakshi many years ago. :-) How much great he was in relationship and ego is just a different subject, but some of his thoughts are really really nice. Great points, Urvishbhai ! Now I am reading DB epaper for your columns. Santoshhttps://www.blogger.com/profile/12584050424571821133noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-36260278616545984242015-08-16T01:02:15.154+05:302015-08-16T01:02:15.154+05:30Lo kro vat aatla mota chhapa sav mafat ma lakhave ...Lo kro vat aatla mota chhapa sav mafat ma lakhave to aemna chhapa na lakhan pan maliko jeva faltu hoy!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-35964236769932394742015-08-11T12:35:11.185+05:302015-08-11T12:35:11.185+05:30આ સ્વસ્થ ચર્ચામાં એક આયામ મારા તરફથી ઉમેરું. કારણ ...આ સ્વસ્થ ચર્ચામાં એક આયામ મારા તરફથી ઉમેરું. કારણ એ જ કે, લેખન મારો વ્યવસાય છે, અને મારી આજીવિકા લેખન પર નિર્ભર છે. <br />આઠ વર્ષ અગાઉ કેમીકલ એન્જિનીયરીંગનું ક્ષેત્ર છોડીને લેખનને કારકિર્દી લેખે અપનાવ્યું ત્યારે મનમાં અમુક બાબતો સ્પષ્ટ હતી. <br />અખબારી લેખન માટે કદી પ્રયત્ન કર્યો ન હતો, અને તેમાં મળતા તેમના ધોરણ મુજબના પુરસ્કારથી ઘર ન ચાલે એ સમજણ સ્પષ્ટ હતી. તેથી આજીવિકા માટે કોલમલેખન ક્યાંય મનમાં ન હતું. મારી વિશેષતા જીવનચરિત્રો આલેખવાની હતી, તેથી એ અંગે મળતાં કામથી ઘર ચાલશે એ ગણતરી હતી. ‘પૈસા લઈને કોકના ગુણગાન ગાવા’ જેવી ઉપરછલ્લી અને વ્યાપક રીતે પ્રવર્તતી ગેરસમજ વિષે જાણ હતી, છતાં એ અંગે સ્પષ્ટતા હતી કે અન્ય કોઈ પણ વ્યાવસાયિકની જેમ જ હું મારું કૌશલ્ય વેચું તો એમાં કંઈ તકલીફ નથી. બીજી રીતે કહું તો, આપણને મનમાં આવે એમ લખવાને બદલે કોઈકની જરૂરિયાત મુજબ લખવું અને એમાં પોતાની શૈલી જાળવી રાખવી એ મોટો પડકાર છે, એમ કાયમ લાગ્યું છે. <br />આમાં એક દેખીતો ગેરફાયદો એ હતો કે જે પ્રકારનું કામ હું કરું છું, એમાં મારું નામ પ્રસારમાધ્યમમાં ક્યાંય જોવા મળે નહીં. પણ મનમાં સ્પષ્ટ સમજણ હતી કે આ વ્યવસાય હું શેના માટે અપનાવી રહ્યો છું? મારી આવડત થકી આજીવિકા રળવા કે મારું નામ છાપાં-મેગેઝીનોમાં દેખાય એટલા ખાતર? પહેલો જવાબ સ્પષ્ટ હતો. તો પછી પોતાને ગમતું લખાણ ક્યારે લખવાનું? આનો ઉકેલ બ્લોગ શરૂ કરવાથી મળી ગયો. મારી રુચિ મુજબનું, મને ગમે એવું લખાણ હું બ્લોગ માટે લખવા લાગ્યો. આમાંય સમજણ સ્પષ્ટ હતી કે મારે બને એટલી વધુ કમેન્ટુ મેળવવા લખવાનું નથી, પણ ગમતું લખવાની ખંજવાળ છે એને શમાવવા માટે લખવાનું છે. કમેન્ટે આવે તો રાજી થવાય, પણ ન આવે તો દુ:ખી જરાય નહીં, કેમ કે, બ્લોગપોસ્ટ લખવામાં જ એટલી મજા આવી હોય કે પછી બધું ગૌણ લાગે. <br />ઘણી વાર એમ બન્યું કે મારા બ્લોગ માટે લખેલા લેખો બ્લોગ પરથી કોઈ ને કોઈ મેગેઝીનમાં લેવાયા. એનો આનંદ, પણ કંઈ મોટી ધાડ મારી હોય એવું નહીં. (કારણ અગાઉ જણાવ્યું એ.) <br />લેખનને વ્યવસાય લેખે અપનાવ્યાના સાત વર્ષ પછી ‘ગુજરાત મિત્ર’માંથી કોલમ માટે નિમંત્રણ આવ્યું અને આઠ વર્ષ પછી ‘દિવ્ય ભાસ્કર’માંથી. બન્ને અખબારોમાં લખાણનો પ્રકાર સાવ જુદો છે. એનાથી પ્રસારમાધ્યમમાં નામ દેખાતું થયું, અને એનો જે તે અખબારના ધોરણ મુજબનો પુરસ્કાર પણ મળે છે. છતાં એ વાસ્તવિકતા છે જ કે એનાથી ઘર તો ઠીક, બાઈક કે કાર પણ ચાલવાની નથી. <br />આ આત્મકથન એટલા માટે કે વ્યવસાયિક લેખનનો અર્થ એવો હરગીઝ નથી કે માત્ર કટારલેખન કરવું કે અન્ય સાહિત્યપ્રકાર પર જ નિર્ભર રહેવું. લેખનને વ્યવસાય લેખે સ્વીકાર્યા પછી આપણને આવડતું હોય એ તમામ કામ સ્વીકારવું રહ્યું. અનુવાદ, નાનાં સંકલનો, જીવનચિત્ર પ્રકારની પુસ્તિકાઓ, કોઈકનું વક્તવ્ય લખી આપવું, કોઈકના ગાંડાઘેલા લખાણનું પરામર્શન કરી આપવું અને બીજા અનેક પ્રકારના કામ. અને આ તમામ કામમાં મહેનતાણું પોતાના ધોરણ મુજબનું લેવાનું, જે મળી જ રહે છે. આજે આઠ વર્ષ પછી સ્થિતિ એ છે કે કામ સતત રહ્યા કરે છે, ઘર પણ ચાલે છે અને એક ક્ષણ માટેય લાગ્યું નથી કે આ કારકિર્દી ખોટી અપનાવી. બાયોડેટામાં ‘વ્યાવસાયિક લેખક’ લખવાનું બંધ કરીને માત્ર ‘લેખક’ લખવાનું રાખ્યું છે. કારણ એ જ કે, અન્ય વ્યવસાયની જેમ જ લેખન પણ એક વ્યવસાય છે, એ વાત લોકો સમજતા થાય. <br />ઘણા પ્રાધ્યાપકો કે અન્ય લોકો મને ઘણી વાર અતિ ઉત્સાહમાં ‘નર્મદ’ કહી દે ત્યારે એમને જણાવવું પડે છે કે મહેરબાન, મારી પ્રશંસાના અતિ ઉત્સાહમાં તમારી બુદ્ધિનું પ્રદર્શન ન કરો. <br />Biren Kotharihttps://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83394886643056901362015-08-10T17:54:36.421+05:302015-08-10T17:54:36.421+05:30Thoroughly Enjoyed this!Thoroughly Enjoyed this!Anonymoushttps://www.blogger.com/profile/17738683316333098988noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-9667586418343730422015-08-09T19:15:50.000+05:302015-08-09T19:15:50.000+05:30Dear Urvish,
Your academic effort on Columnist(s)...Dear Urvish,<br /><br />Your academic effort on Columnist(s) approach on utilizing different fundas to impress upon readers of vernacular readers is worthy to note. Content(s) and used ink and space is resulting in readership's view on various subjects, a responsibility to create maturity of reader(s).<br /><br />May I share following link which would enhance additional knowledge on this view of journalism, published in daily, the Hindu, of-course English newspaper, viewed by Shri A.S. Pannerselvan:<br /><br />http://www.thehindu.com/opinion/Readers-Editor/the-dewey-principle/article7512964.ece?homepage=true<br /><br />Columnist(s) have double professional responsibility to utilize his/ her pen focusing the issue(s) affecting and developing the society, instead of rent-seeking approach.<br /><br />Jabir<br /><br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-46057950335458967522015-08-09T02:29:51.081+05:302015-08-09T02:29:51.081+05:30Good one, Urvishbhai, Dhaivatbhai, Dipakbhai.
Good one, Urvishbhai, Dhaivatbhai, Dipakbhai.<br />ketanjchristie@gmail.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-47763380907495410792015-08-08T23:52:32.482+05:302015-08-08T23:52:32.482+05:30Now a days, there is less mood of reading in newsp...Now a days, there is less mood of reading in newspaper. Mostly copy paste from Internet . There is a particular style of writing of every author but it should not be boring as time passes. Very few write which is enjoyable . I have read ashvini Bhatt 's all book and few I read 3 times but I m still ready to read them. Editors must maintain the quality of colums. We reader must throw such writer in dustbin . Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-3148247444560066212015-08-08T23:32:46.947+05:302015-08-08T23:32:46.947+05:30👌👌👌
👏👏👏👌👌👌<br />👏👏👏hcgarlichttps://www.blogger.com/profile/16319681856049857310noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41925176208772761002015-08-08T22:34:30.731+05:302015-08-08T22:34:30.731+05:30તમે ત્રણેય જે સ્પસ્ટતાથી તમારા મંતવ્યો મૂકો છો , અ...તમે ત્રણેય જે સ્પસ્ટતાથી તમારા મંતવ્યો મૂકો છો , અહી તો ચોંપ વગર પણ, એ વૈચારિક સ્વચ્છતા, સુઘડતા અને ભાષાની પક્કડની મજા આવી.<br />મુદ્દા તો સ્વયં સ્પષ્ટ છે જ.<br />chhayahttps://www.blogger.com/profile/10772528679394509455noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30287443438052267382015-08-08T22:27:16.887+05:302015-08-08T22:27:16.887+05:30બહુ જ સરસ ચર્ચા ચાલી છે. મોટાભાગના મુદ્દાઓ આવી ગયા...બહુ જ સરસ ચર્ચા ચાલી છે. મોટાભાગના મુદ્દાઓ આવી ગયા છે પણ જે એક-બે રહી ગયા લાગે છે તે ઉમેરું છું. <br /><br />એક - અખબારો, પૂર્તિઓ, માધ્યમો, કટારો અને લેખકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. નવોદિતો માટે આ ઉત્તમ સમય છે. ઘણાને ઘણું કહેવું હોય છે પણ પોતાની જાતને એ પૂછવાની સજ્જતા નથી હોતી કે શું આ કહેવાની ખરેખર જરૂર છે? જે કહીએ છીએ તેમાં નવું શું છે? જાડા ઇન્ટરનેટી સંદર્ભો, આડેધડ સરળીકરણો, છૂટાછવાયાં 'સુ'વાક્યો અને ખીચડીછાપ ભાષા કરીએ એટલે છાપાની જગ્યા ભરી શકાય છે. પણ કહેવું શું છે? શું કામ? કોના માટે કહેવાની જરૂર છે - જાત માટે કે જગ માટે? - આવા મૂળભૂત પ્રશ્નની ચર્ચા જ થતી નથી. <br /><br />બીજું કે, જે તે વિષય માટે કોઈ પણ પ્રકારનું ઊંડું સંશોધન ન કરવાની પ્રણાલી. ડેડલાઈનો વચ્ચે અટવાતાં કોઈ પણ પ્રકારની રીસર્ચ ન કરવાનીની ટેવ પડતી જાય છે અને પોતે કહેલું જ પ્રોફાઉન્ડ લાગવા માંડે છે. પાછું, પેલું પ્રેશર તો ખરું જ કે જે લખીએ તેમાં વિદ્વત્તાનો છાંટો ય ન હોવો જોઈએ નહિ તો પછી તેને લોકભોગ્ય નહિ માનવામાં આવે. એટલે બને તેટલું લોકપરસ્ત લખવું. સામાન્ય માન્યતાઓને પડકારવી નહિ, વહેણની દિશામાં વહેવું અને દેખાવ એવો કરવો કે વહેણની દિશા તો અમે જ નક્કી કરીએ છીએ. જ્યાં સુધી આ મૂળભૂત પ્રશ્નોને અડવામાં નહી આવે ત્યાં સુધી લેખકો 'સસ્તા' જ રહેશે અને તેના માટે માત્ર અખબારી માલિકોનો વાંક કાઢી શકાય તેમ નથી.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-51489458306840739112015-08-08T21:48:29.458+05:302015-08-08T21:48:29.458+05:30એકદમ તટસ્થ અને વાજબી..... ઘણા લોકો એમ પણ પૂછે છે ક...એકદમ તટસ્થ અને વાજબી..... ઘણા લોકો એમ પણ પૂછે છે કે છાપામાં મારે કોલમ/લેખ છપાવવાના કેટલા પૈસા આપવાના હોય? જાહેરાત જેમ હોય કે અલગ રીતે?ઉત્કંઠાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30071686894586701122015-08-08T21:06:53.084+05:302015-08-08T21:06:53.084+05:30ધૈવત, ઉર્વિશ અને દીપક – ભાઇઓએ જે લખ્યું તે થોડું ...ધૈવત, ઉર્વિશ અને દીપક – ભાઇઓએ જે લખ્યું તે થોડું જ છે છતાં એને ઘણું સમજીને વાંચવું. ત્રણેય ને આ કે તે “વાઘ” સાથે પનારો પડેલો છે. દરેક જગ્યાએ “વાઘ” પણ પાછા નાના મોટા ખરા. મેં દિગ્ગજ કહેવાતા તંત્રી ,પત્રકારોની દશા અને અવદશા જોઇ છે. વોચમેન અને ફોરમેન પાસેથી પ્ણ ઉછીના પાછીના લઇને પ્રેમથી ભૂલી જનારાનાં સંતાનો “માલિક” સુધ્ધાં થઇ ગયા છે. એવા મારા એક “બે દિવસીય” સા હે બ ની પુત્રી મોટી લેખિકા થઇને “ઉધાર લેવાની ટેવ “ પર લેખ લખે ત્યારે પેલો ફોરમેન ક હે ,” બાપનું ચરિત્ર બેન જાણતી લાગતી નથી “.સમય સમયની વાત છે. જે જીત્યો તે સિકંદર.<br />ત્રણેય ને અનેક શુભેચ્છાઓ અને અંત્ર્ના આશિર્વાદ. મારું લખવા બોલવાનું કડવું તેથી તેવું બધું ચાળી ગાળીને વાંચજો.<br />Sushil Mohanhttps://www.blogger.com/profile/05184777573045411460noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-28162969130552236152015-08-08T20:36:28.214+05:302015-08-08T20:36:28.214+05:30અને હા, ત્રણ ભેજાં કામે લાગે ત્યારે થોડા વધુ મુદ્દ...અને હા, ત્રણ ભેજાં કામે લાગે ત્યારે થોડા વધુ મુદ્દા આવરી શકાય એ જોઈને ટીમ-વર્કનું માહાત્મ્ય પણ ભેજામાં વધુ ઊંડું ઊતર્યું.dipak soliyahttps://www.blogger.com/profile/16355113073696871369noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-2633854740334764252015-08-08T20:15:33.175+05:302015-08-08T20:15:33.175+05:30ત્રણેય લખાણ બ્લોગમાં એકસાથે વાંચ્યાં ત્યારે અંદાઝ-...ત્રણેય લખાણ બ્લોગમાં એકસાથે વાંચ્યાં ત્યારે અંદાઝ-એ-બયાંની ત્રિવિધતા અને પાયારૂપ સૂરની એકવિધતાનું સહઅસ્તિત્વ ઊડીને આંખે વળગ્યું.dipak soliyahttps://www.blogger.com/profile/16355113073696871369noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-48232982468046566372015-08-08T19:27:13.541+05:302015-08-08T19:27:13.541+05:30અમુક લોકોની હાજરી અને અમુક તત્ત્વોની ગેરહાજરી તેના...અમુક લોકોની હાજરી અને અમુક તત્ત્વોની ગેરહાજરી તેના માટે કારણભૂત હોય છે. Good one. :)Nehal Mehtahttps://www.blogger.com/profile/11930478388692537561noreply@blogger.com