tag:blogger.com,1999:blog-8512076518668010629.post2606002855853657297..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘આપ’ની નહીં, આપણી વાતU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-31275050164369792152014-01-31T15:51:44.827+05:302014-01-31T15:51:44.827+05:30તમારી જોડે ચર્ચા કરવાની આ જ તકલીફ છેઃ તમે નહીં સમજ...તમારી જોડે ચર્ચા કરવાની આ જ તકલીફ છેઃ તમે નહીં સમજવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છો. <br />હું ’આપ’નો એવો સમર્થક નથી, જેવા તમે મોદીના છો. એ માટે તમે ’આપ’ વિશેના લેખો શાંતિથી વાંચતાં સમજાઇ જશે. <br />એક સાવ નવા- ઉભરી રહેલા પક્ષ એવા ’આપ’ને પૂરતી સાવધાનીઓ સાથેના મારા સમર્થનમાં અને એક રીઢા, વાજબી કારણોસર વારંવાર વગોવાઇ ચૂકેલા પક્ષના એવા જ નેતાને તમારા ભાવભીના સમર્થન વચ્ચેનો ફરક તમને ન સમજાય તો આપણે બન્ને સમય બગાડીએ છીએ. હવે વધુ નથી બગાડવો.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-62374672156433865912014-01-31T15:40:57.958+05:302014-01-31T15:40:57.958+05:30૧. બીજા પક્ષના સમર્થકો અમારાથી વધારે અંધશ્રદ્ધાળું...૧. બીજા પક્ષના સમર્થકો અમારાથી વધારે અંધશ્રદ્ધાળું છે, આથી અમારી અંધશ્રદ્ધા પર પ્રશ્ન ન ઉઠાવાય. આ દલીલ કેટલે અંશે યોગ્ય છે?<br /><br />૨. જેમ તમે આપનું સમર્થન કરવા છતા નિષ્પક્ષ મૂલ્યાંકન કરવાનો દાવો કરો છો, તો આ જ દાવો હું કેમ ન કરી શકું?Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-84563470173051941892014-01-31T13:50:25.493+05:302014-01-31T13:50:25.493+05:30આ ભૂમિકાએથી બોલતાં પહેલાં પક્ષનો કે વ્યક્તિનો પ્રે...આ ભૂમિકાએથી બોલતાં પહેલાં પક્ષનો કે વ્યક્તિનો પ્રેમ છોડવો પડે. જેટલા તાટસ્થ્ય અને નીરક્ષીરવિવેકથી આપનું મૂલ્યાંકન કરો છો, એ કદી આપણા ગમતા પક્ષ વિશે વાપરવાનો વિચાર આવ્યો છે? ’અંધશ્રદ્ધા’નું વાતાવરણ કયું છે એ તો તમે વધારે સારી રીતે જાણો છો :-)U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-52885835924833752982014-01-31T13:00:38.362+05:302014-01-31T13:00:38.362+05:301.મુખ્યમંત્રી જેવી જવાબદાર વ્યક્તિ ઉકળી ઉઠીને '...1.મુખ્યમંત્રી જેવી જવાબદાર વ્યક્તિ ઉકળી ઉઠીને 'કંઇ' પણ બોલી શકે તે ન માની લેવાય. આથી કેજરીવાલે આ વાક્ય પોતાની છાલ છોડાવવા કે ક્ષણિક આવેશમાં બોલ્યા છે તેમ માનવાને કોઇ કારણ નથી. વળી, મહત્વની વાત એ છે કે, આ વિધાન બદલ ના આપે કે કેજરીવાલે કોઇ અફસોસ કે સ્પષ્ટીકરણ આપ્યું નથી. હજી સુધી આ વક્તવ્યને રદીઓ આપવામાં આવ્યો હોય, તેની મને જાણ નથી. એનો અર્થ એમ જ નીકળે કે તેઓ આજે પણ આ વક્તવ્ય સાથે સંમત છે.<br /><br />૨. મુદત આપવા સામે કોને વાંધો છે? ૫ વર્ષ આપ્યા છે, સરકાર બનાવવા. પ્રજાને વાંધો એ છે કે કેજરીવાલે રેઇન્બોની જેમ રાતોરાત પરિવર્તન લાવાના સપના બતાવ્યા હતા. જો તે ભૂલ થઇ હોય, તો કેજરીવાલ તેને કેમ છાતી ઠોકીને કબૂલતા નથી?<br /><br />૩. " એમના જૂથમાં 'કેટલાક' શાણાજન છે. આમાં કેટલાક શબ્દ પર હું ભાર મૂકીશ. આપ સાથે જોડાયેલા બધાને શાણા માની લેવાની જરૂર નથી. અને ફક્ત આપમાં જ શાણા માણસો છે, એ પણ માનવાની જરૂર નથી.Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-13516609150688682662014-01-31T12:53:41.417+05:302014-01-31T12:53:41.417+05:30નાગરિકોની વાત કહેનાર આ કંઇ પ્રથમ વિકલ્પ નથી. અત્યા...નાગરિકોની વાત કહેનાર આ કંઇ પ્રથમ વિકલ્પ નથી. અત્યારે આપે જનતામાં જે આશાઓ જગાડી છે, તેવી જ આશાઓ ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયેલા જનતા આંદોલને જગાવી હતી. જનતાપક્ષના નેતાઓ પણ જેપી, મોરારજી દેસાઇ જેવા ચુસ્ત ગાંધીવાદી અને પ્રામાણિક હતા. પણ, એ આંદોલનની શી નીપજ આવી તે આપણી સામે છે.<br /><br />ભાજપ, કોંગ્રેસ બન્નેના મોવડીમંડળે આપનો પ્રભાવ સ્વીકાર્યો છે. તેમનો સાવ એકડો કાઢી નાખવાની વાત નથી. પણ તેઓ જ આપણા એકમાત્ર ઉદ્ધારક છે, અને આપ જે કહે તે સત્ય, તે જ અભ્રષ્ટ એવી અંધશ્રદ્ધાનું વાતાવરણ ઉભી કરવું પણ અયોગ્ય છે.Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34038993646750948692014-01-31T10:53:01.296+05:302014-01-31T10:53:01.296+05:30કેજરીવાલને સરકાર ચલાવવા માટે પૂરતો સમય આપવો જોઇએ અ...કેજરીવાલને સરકાર ચલાવવા માટે પૂરતો સમય આપવો જોઇએ અને આપવો જ પડે.<br />'આપ'ને મળેલા પ્રચંડ જુવાળથી ડરીને જ અ.મ્યુ.કો. એ હાલમાં જ પસાર કરેલા બજેટમાં પાણીના મીટર લગાવવાની વાત અભરાઇએ ચડાવી દીધી છે.<br />ટોરેન્ટ પાવર પણ જે રીતે અમદાવાદ-સૂરતમાં લોકોને વીજળી બીલોમાં લૂંટી રહ્યું છે તેને ડરાવી-અટકાવી શકનાર માત્ર 'આપ' પાર્ટી જ છે એટલું નક્કી સમજવું.<br />કહેવાતા વિકાસના ગાણાં ગાવા કરતાં આવી પાર્ટી લાખ દરજ્જે સારી છે.નીરવnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89006616135327470042014-01-30T22:15:41.220+05:302014-01-30T22:15:41.220+05:30રાજકીય બાબતોમાં તમારો મત અત્યાર સુધીમાં બહુ સ્પષ્ટ...રાજકીય બાબતોમાં તમારો મત અત્યાર સુધીમાં બહુ સ્પષ્ટ થઇ ચૂક્યો છે. એટલે વધુ કશું કહેવાનું રહેતું નથી. બાકી, છેલ્લા ફકરામાં કહેવાનું બધું જ કહેવાઇ ગયું છે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-79909440793452258162014-01-29T19:26:57.356+05:302014-01-29T19:26:57.356+05:30મારા ખ્યાલ પ્રમાણે, કોઇ વિપક્ષી આગેવાને કહ્યું કે ...મારા ખ્યાલ પ્રમાણે, કોઇ વિપક્ષી આગેવાને કહ્યું કે 'કેજરીવાલ અરાજકતાવાદી છે' ત્યારે 'હા, હું અરાજકતાવાદી છું' એવો જવાબ એમણે આપેલો. આ વાક્ય સ્વતંત્ર રીતે હોય તો જે અર્થ નીકળે એવો ધ્વનિ પ્રતિભાવરૂપે આવેલા વિધાનમાં ન જોવો જોઇએ. આ વિધાનને સંદર્ભમાંથી ઉખેડીને પત્રકારોએ પેટ ભરીને ચગાવેલું ત્યારે ટીવી ચાલુ હોય ત્યારે ઊકળી ઊઠનારા મારા જેવા હશે જ. યાદ રહે, 'હી ઇઝ અ મૅન ઇન હરી' એમ કહેવાયું ત્યારે એમણે કહેલું કે 'યસ, આઇ એમ ઇન હરી'. કેમ નથી આપણે બધાં 'ઇન હરી?' શું કારણ છે કે 'વી આર નૉટ ઇન અ હરી'? જેને આટલી વ્યાકુળતા હોય એવો મોવડી મળ્યો આખરે તેનો સંતોષ ન પામીએ એવા સંવેદનહીન આપણને બનાવનાર આ પાંસઠ વરસના નીંભર રાજકારણને દોષ દઇએ. હજુ વાયદા પૂરા નથી કર્યા એવી કાગારોળ પણ વિરોધીઓએ મચાવી. એક નવો પ્રયોગ છે, તો થોડી વધુ મુદત આપીએ, ધીરજ રાખીએ. એમની દાનત અને આવડત અંગે નિરાશા વ્યાપવા ન દઇએ. કઠોર ચકાસણી ને કસોટી સાથે ઉદાર સમભાવની અધિકારી આ જમાત છે. બાકી, ભૂલો તો એમના પક્ષે થતી આવી છે, અવશ્ય થતી આવી છે, એમના જૂથમાં કેટલાક શાણાજન છે એમને અસરકારક બનવા દેવા જેટલો સમય અને અવકાશ અનામત રાખીએ. આટલાં વરસો દરમિયાન ઘર કરી ગયેલી આપણી સહનશક્તિને ઢંઢોળનાર આ પરિબળને ઉઝરવા દેવા જેવું છે એટલી સમતા ધરીએ, કદાચ સારાં વાનાં થશે એવી આશા રાખીએ. નઠારાઓને નિભાવી લીધા આટલાં વરસ, તો હવે આ લોકોને પણ થોડી તક આપીએ. એમનો કાન આપણે પકડી શકીએ છીએ. પ્રજા પરત્વે અદકેરી જવાબદારીની પ્રતીતિ કરાવનાર આ મંડળ બીજા રાજકીય પક્ષો કરતા આપણા વિશેષ સમભાવનું અધિકારી ખસૂસ છે. Jayant Meghanihttps://www.blogger.com/profile/10979627516281072001noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-50247032362339292242014-01-29T12:20:17.191+05:302014-01-29T12:20:17.191+05:30બહુ લાંબા સમય પછી (કદાચ પહેલીવાર પણ હોઇ શકે), તમને...બહુ લાંબા સમય પછી (કદાચ પહેલીવાર પણ હોઇ શકે), તમને કોઇ રાજકીય પક્ષના મોફાંટ વખાણ કરતાં જોયા. સારી વાત છે. પણ આ વિષય પર બીજા કેટલાક પ્રશ્નો છે, જે અનુત્તર રહ્યાં.<br /><br />૧. કેજરીવાલ માટે 'અરાજકતાવાદી' આ શબ્દ કોઇ વિપક્ષોએ નથી વાપર્યો. કેજરીવાલે પોતાને જ અરાજકતાવાદી કહ્યાં છે. તેઓ પોતાને આમ આદમીના પ્રતિનિધિ તરીકે ગણાવે છે. આમ આદમીની સમજમાં અરાજકતા અને આંધાધૂંધી બન્ને સમાનાર્થી જ શબ્દ છે. આ સમયે જો જનપ્રતિનિધી પોતાને જ આંધાધૂંધી કે અરાજકતાવાદી કહેવડાવે, તે સામાન્ય મનુષ્યને ભય પ્રેરે જ છે.<br /><br />૨. આપે આ આંદોલનને મીઠા સત્યાગ્રહ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગાંધીજીનો સત્યાગ્રહ જડતા ન હતી. સરકારનું નાક દબાવવા કે અરાજકતા ફેલાવાનો ઉદ્દેશ નહતો. દાંડીકૂચ ચાલુ કરતા પહેલા ગાંધીજીએ પત્ર દ્વારા વાઇસરોયને જાણ કરી હતી. અને વાટાઘાટ દ્વારા આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. 'આપ' દ્વારા આ વિષય પર વાટાઘાટો આરંભ કરવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો હોય, તેની મને જાણ નથી. વાટાઘાટની પહેલ પણ જ્યારે આ ધરણાની ટીકા થઇ અને સામાન્ય વ્યક્તિને તકલીફ્ પડી ત્યારે ઉપરાજ્યપાલ દ્વારા કરવામાં આવી. આપનો તેમાં પોતાનું સમર્થન એનકેશ કરવાનો અને પબલીસીટી મેળવવવાનો ઉદ્દેશ નકારી શકાય તેમ નથી.<br /><br />૨. ગાંધીજીના આંદોલનમાં સાધન અને સાધ્યની શુદ્ધી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આથી જ તેમનું અસહકાર આંદોલન અરાજકતા તરફ વળિ રહ્યું ત્યારે ગાંધીજીએ તેને વાળી લેવામાં સહેજ પણ કચાશ ન રાખી. જ્યારે અહીં આંદોલનના સૂત્રધાર જ પોતાને અરાજક ગણાવતો હતો. કાર્યકર્તાઓમાં શિસ્તનું તત્ત્વ મોટેપાયે ગેરહાજર હતું. આ મુદ્દે તેમની ટીકા કરવામાં આવે તેમાં ખોટું શું છે?<br /><br />૩. એક મહીનામાં પાસ/નપાસનું પ્રમાણપત્ર આપવું ઉતાવળ જ કહેવાય. પણ સામે 'આપે' પણ ચૂંટણીપ્રચાર દરમિયાન એક મહિનામાં પરિવર્તન કરવાના દાવા કર્યા હતાં. ૨૫ ડિસેમ્બરે જનલોકપાલ પાસ કરવાનું કે રાતો રાત સહુને વીજળી, પાણી, દવાખાનાની સેવા પૂરી પાડવાનો દાવો તેમનો હતો. તો પછી પ્રજા તેમની પાસે એનો હિસાબ કેમ ન માંગે? પ્રજાને લોભામણી વાતો કરી છેતરનારી કોંગ્રેસ, ભાજપની યાદીમાં આપને કેમ શામેલ ન કરવામાં આવે? જો આપ અત્યારે એમ કહેતું હોય કે, આ બધા કામ કરવા સમય જોઇએ, તો તેમને પ્રજાને ભ્રામક પ્રચાર કેમ કર્યો? આપે એ જવાબદારી સ્વીકારવા તૈયાર હોવું જોઇએ કે આ વચનો કરવામાં તેમનાથી ભૂલ થઇ ગઇ છે, કે વચન આપતી વખતે તેના પાલન કરવામાં પડનારી મુશકેલીનો તેમને અંદાજ નહતો. તમે આપની ભૂલમાંથી શીખવાની વૃત્તિની પ્રશંસા કરી, પણ હજી આપ આભૂલ માનવ તૈયાર નથી તેનું શું?<br /><br />૪. કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિશે મોટા આક્ષેપ કરનાર કેજરીવાલે સતા મેળવ્યા પછી, 'કોંગ્રેસને છોડવામાં નહીં આવે' તેવા પોકળ દાવા કર્યા સિવાય કશું કર્યું જ નથી. આ ભ્રષ્ટાચારની તપાસ માટે જો સરકાર ગંભીર હોય તો એક મહિનામાં શું પગલાં લેવામાં આવ્યા તેની જાણ પ્રજાને કેમ નથી કરવામાં આવતી? કોઇ તપાસપંચની રચના કરવામાં આવી કે લોકાયુક્તને મામલો મોકલવામાં આવ્યો, પુરાવા એકઠા કરવામાં આવ્યા આવા કોઇ પગલા છેલ્લા એક માસમાં લેવાયા કે નહીં, તે જાણવામાં પ્રજાને રસ હોય તે ખોટું શું છે? અરવિંદ કેજરીવાલના વક્તવ્યને બ્રહ્મવાક્ય ગણી સ્વીકારવા અમે તૈયાર નથી.<br /><br />૫.આપના નેતા દ્વારા મધરાત્રીએ પાડવામાં આવેલી રેડ લોકહીત માટે છે કે લોકરંજન માટે તે ચર્ચાનો વિષય છે. પ્રજા તમારા પગલાનું સમર્થન કરે એટલે તમારું પગલું યોગ્ય છે, આ દલીલ જેમ સરદારના પૂતળાને લાગું પડે છે, તેમ આ રેડને પણ લાગું પડે છે.શું ચૂંટેલા નેતાને કાયદો હાથમાં લેવાનો હક છે? શું પ્રજાના હીતમાં તેઓ કાયદો હાથમાં લઇ શકે? આ વિષયના અત્યંત દૂરોગામી પરિણામ આવી શકે છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમની જેમ પોલીટીકલ એક્ટિવિઝમની અતિ પણ નુકસાનકારક છે. કાયદો હાથમાં લેવાને બદલે સરકારે તેનો અસરકારક અમલ થાય તે પર ભાર મૂકવાની જરૂર છે. પણ આપની નીતિ 'હલ્લાબોલ' જેવી વધારે દેખાય છે. વ્યુહરચના અને હલ્લાબોલ વચ્ચે અંતર છે.<br /><br />૬. મહિલાપંચની નોટીસ સામે હાજર થવાને બદલે પતંગ ચગાવા બેસી જવાના કૃત્ય બદલ આપે શું પગલાં લીધાં? તમે નિર્દોષ હોઇ શકો છો, તેનો મતલબ એ નથી કે તમે સંવૈધાનિક સંસ્થાઓની અવગણના કરો. મને તો આ કૃત્ય 'કાયદો આપણા ખીસામાં છે' તેવી નેતાછાપ માનસિકતાનું જ પ્રતિક લાગે છે.<br /><br />૭. અમારા પ્રતિસ્પર્ધીઓ અમારાથી વધારે ખરાબ છે, આ દલીલ કેટલા અંશે યોગ્ય છે? આપે અન્યથી અલગપ્રકારનું રાજકારણ કરવાની આશા આપી હતી. પણ Selection of Bad out of worstની રાજનીતિ ભારતમાં દાયકાઓથી ચાલે છે. આમા આપે 'અલગ' શું કર્યું કે 'પરિવર્તન' શું લાવ્યું?<br /><br />૮. બે વર્ષ પહેલા અરવિંદ કેજરીવાલે ઘરણાને બિનઅસરકારક ગણાવી આપની સ્થાપના કરી હતી. તો અચાનક શું થઇ ગયું કે તેમને પોતાની વાત બદલવી પડી? તેના કારણો આપ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યાં. શું આમુદ્દે તેમની ટીકા ન કરવી જોઇએ?<br />Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22761485340309495242014-01-28T22:29:09.551+05:302014-01-28T22:29:09.551+05:30tatasth aartikaltatasth aartikaldiyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-43661170169363019402014-01-28T15:43:52.813+05:302014-01-28T15:43:52.813+05:30Excellent Analysis.
--Aam Aadmi of Gujarat.Excellent Analysis.<br />--Aam Aadmi of Gujarat.Anonymousnoreply@blogger.com